________________
અધ્યાત્મસાર નોંધ :
“ામ એ “જ્યિાં નું વિશેષણ છે, વળી “મા”માં “જિથી એ કહેવું છે કે અધ્યાત્મ પ્રગટાવવાની ઘણી પ્રક્રિયા છે, તેમાંથી કોઈક જ પ્રક્રિયાને હું કહું છું.
* “કામ” માં “” “'કાર અર્થક છે. શ્લોકાર્ય :
બુદ્ધિમાનોના સંપ્રદાયથી, અનુભવયોગથી અને શાસ્ત્રથી સમ્યક પરિચિત એવી કોઈક જ પ્રક્રિયાને આ ગ્રંથમાં હું કહું છું. II૧-ળા ભાવાર્થ :
અહીં “ ” શબ્દથી આત્મામાં અધ્યાત્મને પ્રગટ કરવાની જે ક્રિયા છે, તેનું ગ્રહણ કરવાનું છે. જેમ અશુદ્ધ સુવર્ણને શુદ્ધ કરવાની પ્રક્રિયાથી શુદ્ધ સુવર્ણ પ્રગટ કરી શકાય છે, તેમ આત્મામાં સમ્યક્ પ્રકારની પ્રક્રિયાથી “અધ્યાત્મ' પ્રગટ કરી શકાય છે. અને તે પ્રક્રિયા ગ્રંથકાર અહીં કહેવાના છે. અને તે પ્રક્રિયા સ્વમતિથી કહેતા નથી, પરંતુ તે શાસ્ત્રથી સમ્યક્ પરિચિત કરાયેલી છે. વળી તે પ્રક્રિયા બુદ્ધિમાન એવા સંપ્રદાયથી પ્રાપ્ત કરાયેલી છે અને પોતાના અનુભવના યોગથી પણ પરિચિત કરાયેલી છે. તેવી પ્રક્રિયાને હું કહું છું તેમ કહેવા દ્વારા આ પ્રક્રિયા સર્વજ્ઞના વચનાનુસાર છે, અને અનુભવથી ઘટમાન છે, તે બતાવીને ગ્રંથકાર તેની અત્યંત ઉપાદેયતા સ્થાપન કરે છે. II૧-ળા અવતરણિકા :
મંગલાચરણ કર્યા પછી શ્રોતાને અધ્યાત્મનું માહાત્મ બતાવે છે કે જે સાંભળીને શ્રોતાને અધ્યાત્મને જાણવાની તીવ્ર જિજ્ઞાસા પેદા થાય, અને તેના કારણે અધ્યાત્મને સમ્યક્ જાણીને જીવનમાં ઉતારે તો શ્રોતાનું હિત થઈ શકે, એથી કરીને કહે છે –
योगिनां प्रीतये पद्य-मध्यात्मरसपेशलं । । भोगिनां भामिनीगीतं, सङ्गीतकमयं यथा ।।८।।