________________
અધ્યાત્મસાર
અહીં “જય પામો” એમ કહીને એ કહેવું છે કે ભગવાનનું શાસન વિસ્તારને પામો. કેમ કે ભગવાનના શાસનના વિસ્તારથી જ જગતના જીવોને હિતની પ્રાપ્તિ થાય છે. ll૧-૪ના
जगदानन्दनः स्वामी, जयति ज्ञातनन्दनः । ।
उपजीवन्ति यद्वाच-मद्यापि विबुधाः सुधाम् ।।५।। અન્વયાર્થઃ
વિવુધા: પર્ સુધાં વાવં વિબુધો જેમની અમૃતરૂપી વાણીનો ૩પ અત્યારે પણ ૩૫નીતિ આશ્રય કરે છે, (તે) નવીનન્દન: જ્ઞાતિન: વામી જગતને આનંદ આપનારા જ્ઞાનન્દન એવા મહાવીરસ્વામી ગતિ જય પામે છે. II૧-પા. શ્લોકાર્ધ :
વિબુધો જેમની અમૃતરૂપી વાણીનો અત્યારે પણ આશ્રય કરે છે, તે જગતને આનંદ આપનારા જ્ઞાતનંદન એવા મહાવીર સ્વામી જય પામે છે. II૧-પા ભાવાર્થ :
ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં જન્મેલા હતા, તેથી તેઓ “જ્ઞાતનંદન' કહેવાયા; અને ભગવાન જગતને સન્માર્ગ આપનારા હોવાથી જગતના માટે આનંદ સ્વરૂપ છે. તે ભગવાનની અમૃતતુલ્ય વાણીનો બુદ્ધિમાન પુરુષો અત્યારે પણ આશ્રય કરે છે, અર્થાત્ તેમની વાણીને જીવનમાં ઉતારીને આત્મહિત સાધે છે, તે ભગવાન મહાવીર જય પામે છે. II૧-પા અવતરણિકા :
આ રીતે આદેય નામકર્મવાળા પાંચ જિનોની સ્તુતિ કરીને અવશિષ્ટ ૧૯ જિનો અને ગુરુની સ્તુતિ કરીને ગ્રંથના વિષયનો નિર્દેશ કરે છે.
एतानन्यानपि जिना-नमस्कृत्य गुरूनपि । अध्यात्मसारमधुना, प्रकटीकर्तुमुत्सहे ।।६।।