________________
૫
અધ્યાત્મમાહાત્મ્યાધિકાર
અન્વયાર્થ :
તાન્ કન્યાનું ગપિ બિનાર્ આ બીજા પણ જિનોને=બુદ્ધિમાં ઉપસ્થિત ૨૪ માંથી પૂર્વમાં ૫ નાં વર્ણન કર્યાં તે સિવાયના બીજા પણ જિનોને, (અને) ગુરુવિ નમસ્કૃત્વ ગુરુને પણ નમસ્કાર કરીને જ્ઞધુના હવે ગધ્યાત્મસાર અધ્યાત્મસા૨ને પ્રટીન્નુમ્ પ્રગટ કરવા માટે ઉત્સહે હું પ્રયત્ન કરું છું. II૧-૬ા
નોંધ :
‘તાન્’ થી બુદ્ધિમાં ઉપસ્થિત જે ચોવીસ તીર્થંકર છે, તેમાંથી પૂર્વમાં પાંચની સ્તુતિ કરેલ, હવે તેનાથી અન્યનો નિર્દેશ કરે છે, અને ‘’િ થી પૂર્વના પાંચ સ્તવાયેલ જિનનો સમુચ્ચય કરે છે. અર્થાત્ પૂર્વના પાંચ અને આ અન્ય પણ જિનોને નમસ્કાર કરીને, અને તે જ રીતે ગુરુપિ’ માં પણ ‘પિ’થી ચોવીસેય તીર્થંકરોનો સમુચ્ચય કરેલ છે.
શ્લોકાર્થ :
બુદ્ધિમાં ઉપસ્થિત ૨૪ માંથી પૂર્વે ૫ નાં વર્ણન કર્યાં તે સિવાયના બીજા પણ જિનોને અને ગુરુને પણ નમસ્કાર કરીને હું અધ્યાત્મસારને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરું છું. II૧-૬॥
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે હવે અધ્યાત્મસા૨ને પ્રગટ કરવા હું પ્રવૃત્ત થાઉં છું. ત્યાં શંકા થાય કે અધ્યાત્મસાર ગ્રંથનો વિષય ગ્રંથકાર સ્વમતિથી કહે છે કે અન્યના આધારે કહે છે ? જો સ્વમતિથી કહેતા હોય તો તે ગ્રંથ વિશ્વસનીય બને નહિ, તેથી કહે છે –
G-૩
शास्त्रात्परिचितां सम्यक् - सम्प्रदायाच्च धीमताम् । इहानुभवयोगाच्च, प्रक्रियां कामपि ब्रुवे ।।७।।
અન્વયાર્થ :
ધીમતામ્ બુદ્ધિમાનોના સમ્પ્રહાયાત્ ૨ સંપ્રદાયથી અને અનુમવયોગાત્ ચ શાસ્ત્રમ્ અનુભવયોગથી, અને શાસ્ત્રથી સભ્ય રિષિતાં સમ્યક્ પરિચિત એવી હાવિ પ્રયિાં કોઇક જ પ્રક્રિયાને હૈં અહીં = આ ગ્રંથમાં ધ્રુવે હું કહું છું. ||૧-૭