________________
અધ્યાત્મસાર
૨
श्री शान्तिस्तान्तिभिद्भूयाद्भविनां मृगलाञ्छनः । गावः कुवलयोल्लासं कुर्वते यस्य निर्मलाः ॥ २ ॥ અન્વયાર્થ :
(જેમ ચંદ્રનાં કિરણો ચંદ્રવિકાસી કમળને વિકસિત કરે છે, તેમ) વસ્ય જેમની નિર્મતા: ગાવઃ નિર્મળ વાણી વલયોન્નારું કુવલય=ભવ્ય જીવરૂપી કમળને, વિકસિત પુર્વતે કરે છે, (તે) મૃગતાડ્ઝનઃ મૃગના લાંછનવાળા શ્રીશાન્તિઃ શ્રી શાંતિનાથ ભગવાન વિનાદ્ ભવ્યજીવોના તાન્તિમિવું અજ્ઞાનરૂપી અંધકારને ભેદનાર મૂયાત્ થાઓ. II૧-૨
* અહીં શ્લેષ અલંકાર છે.
શ્લોકાર્થ :
જેમ ચંદ્રનાં કિરણો ચંદ્રવિકાસી કમળને વિકસિત કરે છે, તેમ જેમની નિર્મળ વાણી ભવ્ય જીવરૂપી કમળને વિકસિત કરે છે, તે મૃગના લાંછનવાળા શ્રી શાંતિનાથ ભગવાન, ભવ્ય જીવોના અજ્ઞાનરૂપી અંધકારને ભેદનારા થાઓ. II૧-૨।। ભાવાર્થ :
ભગવાનનું શાંતિનાથ એ નામ ગુણને અનુરૂપ છે, તેથી શાંતિનો વિરુદ્ધ ભાવ જે અશાંતિરૂપ તાન્તિ છે, તેને ભેદનારા થાઓ તેમ કહેલ છે; અને ભગવાન મૃગના લાંછનવાળા છે જે ચંદ્રરૂપ ભાવને બતાવે છે, કેમ કે ચંદ્ર મૃગના લાંછનવાળો છે; તેથી જેમ ચંદ્રનાં કિરણો ચંદ્રવિકાસી કમળને વિકસિત કરે છે, તેમ ભગવાનની ચંદ્ર જેવી નિર્મળવાણી ભવ્ય જીવરૂપી કમળને વિકસિત કરે છે, એમ કહેલ છે. ||૧-ચા
श्रीशैवेयं जिनं स्तौमि भुवनं यशसेव यः । मारुतेन मुखोत्थेन, पाञ्चजन्यमपूपुरत् ।।३। અન્વયાર્થ :
T: જેમણે મુોસ્ચેન મુખમાંથી ઊઠેલા માતેન પવનથી યશસેવ જાણે યશ વડે ભુવનં ભુવનને (પૂર્યું ન હોય ! ) તેમ પાગ્યનત્યં પાંચજન્યને=શંખને પૂત્તુરત્ પૂર્યો= વગાડ્યો. શ્રીશૈવેય (તે) શિવાદેવીનંદન એવા ખ઼િનં=જિનને સ્તૌમિ હું સ્તવું છુ.
||૧૩||