Book Title: Pravachana Ratnakar 05
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust
Catalog link: https://jainqq.org/explore/008286/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન રત્નાકર [ભાગ-૫] પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો : પ્રકાશક : શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ મુંબઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request This shastra has been kindly donated by Juthalalbhai Premchand Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of the Gujarati Pravachan Ratnakar, Part 5 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.Atma Dharma.com for updates Version History Version Date Number 001.a Changes 22 April Updated "Thanks & our Request" page 2002 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રાપ્તિસ્થાન : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪ ૨૫૦ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, ૧૭૩/૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨ વિ. સં. ૨૦૩૭ વીર સં. ૨૫૦૭ પ્રત : ૫૦૦૦ મૂલ્ય : ૮-૦૦ મુદ્રક : પ્રવિણચંદ્ર હ. શાહ તથા મગનલાલ જૈન સુમતિ પ્રિન્ટિંગ પ્રેસ સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी। मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। પ્રારંભિક : પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધ્વમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર. એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવપ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોના સદ્દભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. વળી વિશેષ મહાભાગ્યની વાત તો એ છે કે સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે. તેવા સમયમાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી પુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી–જેમને યુગપુરુષ કહી શકાય, તેવા સત્પષનો યોગ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી આજે છેલ્લાં ૪૫ વર્ષોથી ઉપરોક્ત પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળ સિદ્ધાંતોને અતિસ્પષ્ટ, શીતળ અને પરમ શાંતિપ્રદાયક પ્રવચન-ગંગા દ્વારા રેલાવી રહ્યા છે. આ પવિત્ર પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા છે અને માર્ગાનુસારી બન્યા છે. આ રીતે પૂજ્ય ગુરુદેવનો જૈનસમાજ ઉપર અનુપમ, અલૌકિક અનંત ઉપકાર છે તેઓશ્રિના ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે અહો ! ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો. આ પ્રવચનરત્નાકર ગ્રંથમાળાનાં પ્રથમ ત્રણ ભાગ પૂજ્યશ્રીની હયાતી દરમિયાન બહાર પડી ચૂકયા હતા. તેઓશ્રીની શીતળ છાયામાં આ ગ્રંથમાળામાં તેઓશ્રીના સઘળા પરમાગમો ઉપરનાં પ્રવચનોનો સાર પ્રકાશિત કરવાની અમારી ભાવના અધૂરી રહી. સવંત ૨૦૩૭ના કારતક વદી ૭ શુક્રવાર તા. ૨૮-૧૧-૮૦ ના રોજ સમાધિભાવપૂર્વક તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. અમારા પર વજઘાત થયો. શાશ્વત શાંતિનો માર્ગ બતાવનાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates અમને-દરેક જીવમાત્રને “ભગવાન” કહી બોલાવનાર વિરોધીઓને પણ “ભગવાન” કહી તેમની ભૂલ પ્રત્યે ક્ષમાદષ્ટિ રાખી, તેઓ પણ દશાએ ભગવાન થાવ એવી કરુણા વરસાવનાર એક મેરૂપર્વત જેવો અચલ, અડગ, ક્રાંતિકારી એકલવીર મોક્ષમાર્ગને અતિસૂક્ષ્મ છણાવટ સહિત પ્રકાશીને નિજ આત્મસાધનાનાં માર્ગે ચાલી નીકળ્યો. આટલા પ્રચારપૂર્વક અને આવી સૂક્ષ્મતા સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયની છણાવટ જૈનશાસનમાં છેલ્લી કેટલીય શતાબ્દિઓમાં કયારેય થઈ નથી એમ કહેવામાં આવે તો એમાં જરાય અતિશયોક્તિ નથી. પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં પણ ભાવિ તીર્થંકરના લક્ષણો ઝળકતાં હતાં, સર્વ જીવો મોક્ષમાર્ગને પામો એવી તેમની અદમ્ય ભાવના વરંવાર ઉછળતી હતી. માર્ગ પ્રકાશવામાં તેઓ અનેક વિરોધીઓની વચ્ચે પણ એકલા અડગ રહેતા, દ્રષબુદ્ધિ સેવ્યા વગર વિરોધીઓના વિરોધનું તાત્ત્વિક રીતે ખંડન કરી યથાર્થ માર્ગનું સ્થાપન કરતા અને તેથી મધ્યસ્થ વિરોધીઓ વિરોધ ત્યજી સનાતન જૈનધર્મ અંગીકાર કરતા. તદુપરાંત તેમની પવિત્ર છાયા હેઠળ અનેક સ્થળોએ શ્રી જિનમંદિરોનું નિર્માણ થયું અને તેમાં વીતરાગી જિનબિંબોની મહા પાવનકારી પ્રતિષ્ઠા થઈ. પરમાગમોનાં ગ્રંથોનું લાખોની સંખ્યામાં પ્રકાશન થયું શ્રી વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગી શાસ્ત્રોનું સત્યસ્વરૂપ સમજાવી તેમનો મહિમા યથાર્થપણે બતાવ્યો. પૂ. ગુરુદેવશ્રી વારંવાર ફરમાવતા કે શ્રી વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર તો વર્ષોથી લોકો કરતા આવ્યા છે પણ તેનો મહિમા જો યથાર્થ રીતે કરવો હોય તો તેમને ઓળખાવનાર પરમાગમોનો પ્રચાર પણ એટલો જ આવશ્યક છે. પરમાગમો અને તેનું રહસ્ય પ્રત્યેક વ્યક્તિ આબાળગોપાળ સૌના હૃદયમાં સ્થાન પામે તેવી તેમની ભાવના રહેલી અને પરમાગમોના પ્રકાશન માટે વારંવાર પ્રેરણા આપતાં. અને એ ધ્યેયની સિદ્ધિ અર્થે તેઓશ્રી પરમાગમો ઉપર પ્રવચન આપતા રહ્યા અને નિત્ય સ્વાધ્યાયની પ્રવૃત્તિ તેમણે સજીવન કરી, મુમુક્ષુઓના નિત્યક્રમમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ વણી લીધી. જેના પ્રતાપે અનેક ગામોમાં સામૂહિક સ્વાધ્યાયની પ્રવૃત્તિનો બહોળો ફેલાવો થયો. શિક્ષણ શિબિરોનું આયોજન થયું. જયપુરમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થઈ. આદિ અનેક પ્રકારે તત્ત્વનો પ્રચાર થયો અને થાય છે. આત્મભાવનાની લોકોને એવી ધૂન લગાડી કે ખાધા વગર ચાલે પણ આત્માને વિચાર્યા વગર ન ચાલે. તેઓશ્રી ફરમાવતા કે ધર્મ તે અર્ધાકલાક-કલાક કે પર્વ-પૂરતી મર્યાદિત સાધનાની ચીજ નથી પણ ધર્મ એ જીવન છે. એટલે કે સર્વકાલિક અને સર્વક્ષેત્રે સાધનાની ચીજ છે. આમ અનેકવિધ રીતે તેઓશ્રી દ્વારા આવા અનેક પ્રસંગો દ્વારા ધર્મપ્રચાર ઘણો થયો. લાખો લોકો ધર્મભાવના ભાવતા થયા. આથી મધ્યસ્થ જીવો પણ તેમના પ્રત્યે બહુમાનની દષ્ટિએ જોતા. દિગંબર સમાજનાં પંડિતો, વિદ્વાનો અને ત્યાગીગણ પણ એ સત્યનો સ્વીકાર કરતાં કે અમો એક પણ નવો જૈન બનાવી નથી શકતા ત્યારે આ મહાપુરુષે લાખો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates લોકોને જૈનધર્મમાં શ્રદ્ધાની બનાવ્યા. આવા વિલક્ષણ પુરુષનો મહાભાગ્ય પંચમ કાળમાં યોગ થયો. પાત્ર જીવોને માટે એક અપૂર્વ મહાન તક આવી. ધર્મામૃતની વર્ષો સુધી એકધારી વર્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી સંતોની વાણી ઉપર વારી જઈ જેમ ગાતા તેમ ““અમૃત વરસ્યા રે પંચમ કાળમાં....'' અંતે ક્રમાનુસાર સાંયોગિક ભાવનો કાળ પૂરો થયો. એ મહાપુરુષનો આપણા ઉપર અતિ અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે તે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રીગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એ જ અભ્યર્થના. પુણ્યપ્રસંગનું સૌભાગ્ય : સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત, પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સોભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે. શ્રી કુંદકુંદદાચાર્ય સમયસારશાસ્ત્રમાં કર્તાકર્મ અધિકારનું નિરૂપણ કર્યું છે જે તેમના અન્ય શાસ્ત્રોમાં કે અન્ય આચાર્યોની રચનાઓમાં અલગ અધિકારરૂપે કયાંય જોવામાં આવતું નથી. જે આ અધિકારની વિશિષ્ટતા છે. કર્તાકર્મઅધિકાર દ્વારા જીવનું અકર્તાસ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું છે. જે જીવોની અનેક પ્રકારની ભ્રમણાઓને દૂર થવાનું કારણ છે. જેના ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પણ અલૌકીક છે. જિજ્ઞાસુ જીવોને અવશ્ય એ પ્રેરણાદાયક નિવડશે. જે સર્વ જીવોએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. પ્રકાશનનો હેતુ : આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ-બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે. તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates આ ગ્રંથમાળામાં ક્રમશઃ આદિથી અંત સુધીનાં પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતની પ્રેરણા મળતી રહેશે, તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે. વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણાં જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પંવચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર ૫૨માગમનાં અતિગૂઢ ૨હસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાયપરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભયજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. ઉપરોક્ત હેતુથી આ ટ્રસ્ટનો જન્મ થયો છે અને પૂજ્ય ગુરુદેવનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો જ મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત સુધી રહેશે. તદુપરાંત પૂજ્ય બહેનશ્રીનાં વચનામૃત નં. ૨૭ માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો ) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજના પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલાં પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉ૫૨ થયેલાં પ્રવચનો ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે. કાર્યવાહી : શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપ૨ અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશઃ લેખબદ્ધ કરવામાં આવ્યાં છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટિ રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈશ્રી ડો. ચંદુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સમયસારજી-સ્તુતિ | (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રોબૃત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના પૂર્યા, ભર્યા. (શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત ) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સંકલજ્ઞાયકદેવ રીઝે. | (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ). અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. | (શિખરિણી) સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. ( શાર્દૂલવિક્રીડિત) હૈયું “ સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું હું જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. ( સ્રગ્ધરા ) ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પુરજો શક્તિશાળી ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates -: અનુક્રમણિકા : ૫ડાક પ્રવચન નબર ૧૫૬ ૧૫૬-૧૫૭ ૧૫૭-૧૫૮ ૧૫૯ થી ૧૬૧ ૧૫ ૨૪ ૧૬૧ ૩૯ ૪૫ પ૧ ૬૫ ૬૬ ૧૬૧–૧૬૨ ૧૬૨-૧૩ ૧૬૩ થી ૧૭૧ | '' | '' | '' | '' ] ૧૬૮ | ૧૬૮ ૧૬૮ થી ૧૭૧ ૧૭૧ થી ૧૭૫ ૧૭૫-૧૭૬ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ક્રમ | ગાથા/કળશ ૧ | ગાથા-૯૦ ૨ | ગાથા-૯૧ ૩ | ગાથા-૯૨ ૪ | ગાથા-૯૩ ૫ | ગાથા-૯૪ ૬ | ગાથા-૯૫ ૭ | ગાથા-૯૬ ૮ | ગાથા-૯૭ | ૯ | કળશ-પ૭ ૧૦ | કળશ ૫૮-૫૯ ૧૧ | કળશ ૬૦-૬૧ ૧ર | કળશ-૬ર ૧૩| ગાથા-૯૮ ૧૪ | ગાથા-૯૯ ૧૫ | ગાથા-૧OO ૧૬ | ગાથા-૧૦૧ ૧૭ ગાથા-૧૦૨ ૧૮ | ગાથા-૧૦૩ ૧૯ | ગાથા-૧૦૪ ૨૦ | ગાથા-૧૦૫ ૨૧ | ગાથા-૧/૬ ૨૨ | ગાથા-૧૦૭ ૨૩ ગાથા-૧/૮ ૨૪ ] કળશ-૬૩ ૨૫ | ગાથા ૧0૯ થી ૧૧૨ ર૬ | ગાથા ૧૧૩ થી ૧૧૫ ર૭ | ગાથા ૧૧૬ થી ૧૨૦ ૨૮ | કળશ-૬૪ ર૯ | ગાથા ૧ર૧ થી ૧૨૫ ૩O| કળશ-૬૫ ૩૧ | ગાથા-૧૨૬ | | | | ] | ૬૮ ૬૯ ૧૦૧ ૧/૪ ૧૦૭ ૧૧૮ ૧૩૪ ૧૪૧ ૧૪૯ ૧૭૯ | ૨૦૮ (૧૯ મી વાર) ૨૦૮ ૨૦૯-૨૧૦ (૧૯ મી વાર ) ૧૭૯ ૧૫૮ ૧૬૫ ૧૭) ૧૭૬ ૧૭૯ ૧૭૯ ૧૯૪ ૨૦૧ ૨૦૩ ૨૧૩ ૨૧૫ ૨૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નંબર ૧૮૬–૧૮૭ | ૧૮૬–૧૮૭ ૧૮૭ પૃષ્ઠક ૨૩૧ ૨૩ર. ૨૪) ૨૪૧ ૨૪૫ ૨૪૬ ૨૫૫ ૨૬૩ ૨૬૬ ૧૮૭ ૧૮૮–૧૮૯ ૧૮૯ | ૧૮૯ ૧૮O ૧૯૦ થી ૧૯૭ ૨૭૧ ૨૭૫. ૨૭૬ ૨૭૭ ક્રમ | ગાથા/કળશ ૩ર | ગાથા-૧૨૭ ૩૩કળશ-૬૬ ૩૪ | ગાથા ૧૨૮-૧૨૯ ૩૫ | કળશ-૬૭ ૩૬ ] ગાથા ૧૩૦-૧૩૧ ૩૭] કળશ-૬૮ ૩૮ | ગાથા ૧૩ર થી ૧૩૬ ૩૯ | ગાથા ૧૩૭–૧૩૮ ૪| ગાથા ૧૩૯-૧૪) ૪૧ | ગાથા-૧૪૧ ૪૨ | ગાથા-૧૪૨ ૪૩] કળશ ૬૯-૭) ૪૪ | કળશ ૭૧-૭૨ ૪૫ | કળશ ૭૩ થી ૭૫ ૪૬ | કળશ ૭૬ થી ૭૮ ૪૭] કળશ ૭૯ થી ૮૧ ૪૮ | કળશ ૮૨ થી ૮૪ ૪૯ ] કળશ ૮૫ થી ૮૭ ૫૦] કળશ ૮૮-૮૯ ૫૧ | કળશ ૯૦-૯૧ પર | ગાથા૧૪૩ પ૩ | કળશ-૯૨ ૫૪ | ગાથા૧૪૪ ૫૫ | કળશ ૯૩-૯૪ પ૬ | કળશ-૯૫ પ૭ | કળશ ૯૬-૯૭ ૫૮ | કળશ ૯૮-૯૯ ૨૭૮ ૨૭૯ ૨૮O ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૧૯૦ થી ૧૯૭ ૨૮૪ ૧૯૭–૧૯૮ ૧૯૯ થી ૨૦૬ ૩૨૮ ૩૨૯ ૩૪૩ ३४४ ૩૪૫ ૩૪૬ ૩૪૭ | ' ' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates परमात्मने नमः। શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः। કર્તાકર્મ અધિકાર अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयतिएदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता।।९० ।। एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः। यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।। ९० ।। હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે: એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. ગાથાર્થ - [a] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, [૩પયો:] આત્માનો ઉપયોગ- [ શુદ્ધઃ] જોકે (શુદ્ધનાથી) તે શુદ્ધ, [ નિરક્શન:] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates | [ પ્રવચન રત્નાકર ભાગ-૫ નિરંજન [ ભાવ:] (એક) ભાવ છે તોપણ- [ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો થયો થકો [ : ઉપયોT:] તે ઉપયોગ [j] જે [ ભાવન] (વિકારી) ભાવને [ રોતિ] પોતે કરે છે [ 0 ] તે ભાવનો [ :] તે [વર્તા] કર્તા [ ભવતિ ] થાય છે. ટીકાઃ- એ પ્રમાણે અનાદિથી અજવસ્તુભૂત મોહુ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (-કારણથી) –જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. ભાવાર્થ- પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો. જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૯૦: મથાળું હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે: * ગાથા ૯૦: ટીકા ઉપરનું પ્રવચન * એ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મો સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (કારણથી)–જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેક ભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. જુઓ! આચાર્યદવે શું અદ્દભુત વાત કરી છે! કહે છે કે પરમાર્થથી ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. અહાહા...! આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શનનો જ ઉપયોગ છે તે શુદ્ધ છે. વસ્તુ-દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ અને તેનો વર્તમાન વર્તતો ત્રિકાળી કારણપર્યાયરૂપ અંશ પણ શુદ્ધ છે, નિરંજન એટલે અંજન રહિત-મલિનતા રહિત છે અને અનાદિનિધન એટલે અનાદિ અનંત છે. જ્ઞાનદર્શનનો આ ઉપયોગ વસ્તુના સર્વસ્વભૂત છે, સંપૂર્ણ છે. તે ઉપયોગ ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. આમ પરમાર્થથી આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૦ ] તોપણ અશુદ્ધ, સાંજન, અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિરૂપ પરિણામનો કર્તા અજ્ઞાનીનો આત્મા છે, જડકર્મ તે ભાવનો કર્તા નથી. પ્રશ્ન:- શું વિકાર કર્મના નિમિત્ત વિના થાય છે? ઉત્તર- હા, વિકાર થાય છે તે પર અને નિમિત્તની અપેક્ષા વિના પોતાથી સ્વતંત્ર થાય છે. વિકાર નિશ્ચયથી પોતાથી થાય છે, તેમાં પર વસ્તુ નિમિત્ત હો, પણ તે નિમિત્ત વિકારનું કર્તા છે એમ નથી. પ્રશ્ન:- વિકાર પરના નિમિત્ત વિના થાય તો વિકાર સ્વભાવ થઈ જશે. ઉત્તર:- વિકાર પોતાથી સ્વતંત્ર થાય છે. એમ સમયની પર્યાયની તે યોગ્યતા-સ્વભાવ છે. કર્મનું નિમિત્ત હો, પણ વિકાર થવામાં જડકર્મ અકિંચિત્કર છે. જ્ઞાનમાં જે હીણી અવસ્થા થાય છે તે પોતાની યોગ્યતાથી થાય છે, તેમાં જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનની હીણી દશામાં નિમિત્ત હો, પણ તે કર્તા નથી. લૌકિક જનો જગતકર્તા ઈશ્વરને માને છે અને કોઈ જૈનો (જૈનાભાસીઓ) જડકર્મને કર્તા માને છે; પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. શાસ્ત્રમાં કથન આવે કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન પ્રગટ થવામાં આવરણ કરે, પણ એ તો નિમિત્તનું કથન છે. ખરેખર જડકર્મ આત્માના જ્ઞાનને આવરણ કરતું નથી. જીવમાં વિકારની પર્યાય ઉત્પન્ન થાય છે તે એની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦રમાં પાઠ છે કે સર્વદ્રવ્યોમાં જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે એનો સ્વકાળ-જન્મક્ષણ છે. તે પર્યાય પરથી ઉત્પન્ન થાય છે એમ છે નહિ. ઉચિત બાહ્ય નિમિત્ત હો, પણ નિમિત્ત દ્રવ્યના પરિણામનું કર્તા નથી. તત્ત્વાર્થરાજવાર્તિકમાં જે બે કારણની વાત આવે છે એ ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે. દરેક કાર્ય પોતાથી સ્વતંત્રણે થાય છે એ વાત રાખીને એમાં નિમિત્ત કોણ છે એનું સાથે જ્ઞાન કરાવ્યું છે. કાર્ય પોતાથી થાય છે એ નિશ્ચયની વાતને નિષેધીને શું કાર્યનો કર્તા નિમિત્ત છે એમ ત્યાં કહ્યું છે? તો તો પ્રમાણજ્ઞાન જ રહેશે નહિ. નિશ્ચયથી પરિણતિ પોતે પોતાથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે એ વાતને સિદ્ધ રાખીને જોડે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે તે પ્રમાણનો વિષય છે. કોઈ માને કે કર્મનું જોર છે તો વિકાર કરવો પડે તો તે માન્યતા બરાબર નથી. જીવને વિકાર થાય છે એમાં નિમિત્તનું બીલકુલ કર્તાપણું નથી. કહે છે ને કે-અનાદિથી અજવસ્તુભૂત મોહુ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેના નિમિત્તે ઉપયોગ ત્રણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ પ્રકારે થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામે છે. વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. અહાહા....! પરમાર્થથી તો ત્રિકાળી ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન છે, તે વસ્તુના સર્વસ્વભૂત છે અને ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. તોપણ અશુદ્ધ, સાજન, અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામે છે. જુઓ, કર્મ-નિમિત્ત વિકાસ કરાવે છે એમ નથી. વિકારનો કર્તા જડ કર્મ છે એમ નથી. વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાના કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. મિથ્યાષ્ટિ કર્તાપણાને પામીને જે જે ભાવને પોતાના કરે છે તે તે ભાવનો તે (ઉપયોગ) કર્તા થાય છે; જડકર્મ કર્તા થાય છે એમ નથી. કર્મ નિમિત્ત હો. નિમિત્તની કોણે ના પાડી છે? પણ નિમિત્તના કારણે જીવને પર્યાયમાં વિકાર થયો છે એમ નથી. સ્વયં અજ્ઞાની થઈને ઉપયોગ વિકારી ભાવનો કર્તા થાય છે. ઉપયોગ સ્વયં પોતાના કારણે અજ્ઞાની થઈને પરિણમીને તે તે ભાવનો કર્તા થાય છે. આવી વાત છે. કોઈ ઠેકાણે વ્યવહારનું કથન આવે પણ ત્યાં વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. વ્યવહાર નિશ્ચયનું કર્તા છે એમ ન સમજવું. કર્મથી વિકાર થાય છે એ મોટી ગડબડ અત્યારે ચાલે છે. પણ એ વાત તદ્દન ખોટી છે-એમ અહીં સિદ્ધ કરે છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિભાવરૂપ વિકારી પરિણામનો સ્વયં અજ્ઞાની થઈને ઉપયોગ કર્તા થાય છે. અન્યમતવાળા કહે છે કે જગતના કાર્યનો ઈશ્વર કર્તા છે અને કોઈ અજ્ઞાની એમ કહે છે કે મારા સંસાર અને વિકારનો કર્તા જડ કર્મ છે-તો આ બન્નેની માન્યતા એક સરખી જૂઠી છે. અહીં આ દિગંબર સંતોની જે વાણી છે તે પરમ સત્ય છે. નિયમસારમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે-“મારા મુખમાંથી પરમાગમ ઝરે છે.'' અહા ! આવી સત્ય વાત કોઈને ન રુચે તો શું થાય? પણ સત્ય તો આ જ છે. નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન અને ક્રમબદ્ધપર્યાય આ પાંચ વાત ખાસ સમજવા જેવી છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે પર્યાય તે જ કાળે કમસર થાય છે. મોતીની માળામાં પ્રત્યેક મોતી પોતપોતાના સ્થાનમાં છે. તેમ દ્રવ્યની પર્યાયમાળામાં પ્રત્યેક પર્યાય પોતપોતાના કાળ-સ્થાનમાં છે. જે પર્યાયનો જે કાળ હોય ત્યારે તે જ પર્યાય ત્યાં પ્રગટ થાય છે. આગળ-પાછળ નહિ. આવો નિર્ણય કરવામાં પાંચ સમવાય આવી જાય છે. -જે સમયે જે પર્યાય થવાની હોય તે જ સમયે તે પર્યાય પ્રગટ થઈ ત્યાં કાળ આવ્યો. -જે પર્યાય થવાની છે તે જ થઈ –એમાં ભવિતવ્ય આવ્યું. -સ્વભાવના લક્ષે આવો નિર્ણય કર્યો છે એમાં સ્વભાવ આવ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૦ ] [ ૫ -અને સ્વભાવસમ્મુખ પર્યાય થઈ એમાં પુરુષાર્થ આવ્યો. -અને ત્યારે કર્મનો અભાવ થયો-એમાં નિમિત્ત આવ્યું. આમ ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દૃષ્ટિ જ્ઞાયક ઉપર હોય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દૃષ્ટિ હોય છે તે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરી શકે છે. ક્રમબદ્ધ જે છે એ તો ૧ પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. દ્રવ્યના આશ્રયે સમ્યજ્ઞાન થાય છે. દ્રવ્યના આશ્રયે જે સમ્યજ્ઞાન થયું તે ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન કરે છે. પર્યાયના આશ્રમે ક્રમબદ્ધનું જ્ઞાન થતું નથી. અહીં કહે છે કે મિથ્યાદર્શન આદિ વિકારી પરિણામનો, ઉપયોગ, સ્વયં અજ્ઞાની થઈને, કર્તા થાય છે. જે જે ભાવને પોતાના કરે છે તે ભાવનો ઉપયોગ કર્તા થાય છે. આ પર્યાયરૂપ ઉપયોગની વાત છે. ત્રિકાળી દ્રવ્યસ્થિત ઉપયોગ તો એનાથી ભિન્ન છે અને એ તો શુદ્ધ નિરંજન છે. પરંતુ પર્યાયનો જ ઉપયોગ છે તે તે કાળે વિકારનો કર્તા થાય છે. જડ કર્મ એમાં નિમિત્ત છે, પણ તે વિકારનું કર્તા નથી. મિથ્યાદર્શન, અજ્ઞાન અને રાગાદિ પુણ્યપાપના ભાવરૂપ જે જે વિકાર થાય છે તે વિકારનો, પોતે વિકારરૂપ પરિણમીને, ઉપયોગ કર્તા થાય છે. કેટલી સ્પષ્ટ વાત છે! ભાઈ ! વખત લઈને, નિવૃત્તિ લઈને આ વાતની સમજણ કરવી જોઈએ. અહીં તો કહે છે કે આત્મા કર્મના નિમિત્તથી નિવૃત્ત છે, કેમકે કર્મના નિમિત્તથી વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે એમ છે નહિ. અહાહા...! ત્રિકાળી ઉપયોગ શુદ્ધ, નિરંજન, ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે; તોપણ વર્તમાન પર્યાયરૂપ ઉપયોગ અશુદ્ધ, સાંજન અને અનેકપણાને પામતો થકો મિથ્યાત્વાદિ ત્રણ પ્રકારનો થાય છે. અજ્ઞાની જીવ અનેક પ્રકારના મિથ્યાત્વાદિ ભાવને પ્રાપ્ત થાય છે. વર્તમાન ઉપયોગ છે તે અજ્ઞાની થયો થકો ત્રણ પ્રકારે થઈને કર્તાપણાને પામે છે. જડ કર્મ વિકારના કર્તાપણાને પામે છે એમ નથી. પુણ્ય-પાપ, દયા, દાન, વિષયવાસના ઇત્યાદિ જે ભાવ થાય છે તેમાં જડ કર્મ નિમિત્ત છે, પણ તે નિમિત્તના કારણે એ ભાવ થાય છે એમ નથી. અજ્ઞાનીનો ઉપયોગ ત્રણ પ્રકારે થઈને કર્તાપણાને પામે છે. અજ્ઞાની પોતે રાગનો કર્તા થાય છે. આમાં ગર્ભિતપણે એમ પણ આવ્યું કે જ્ઞાની રાગનો કર્તા નથી. જ્ઞાની તો રાગનો જ્ઞાતા છે. જ્ઞાનીને જે રાગ છે તે રાગનો આત્મા કર્તા નથી. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું તે અનુસાર ચાર જ્ઞાનના ધણી, ચૌદ પૂર્વની અંતઃમુહુર્તમાં રચના કરનારા ગણધરોએ કહ્યું છે. તેનો સાર આ શાસ્ત્રોમાં ભર્યો છે. અરે ! અજ્ઞાની અલ્પજ્ઞ જીવો એમાં પોતાની મતિ-કલ્પનાથી અર્થ કરે તે કેમ ચાલે? તેમાં જરાય ફેરફાર કરે તો એથી મિથ્યાત્વનો મહા દોષ ઊપજે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન રત્નાકર ભાગ-૫ પાણી ઉષ્ણ થાય તે પોતાની યોગ્યતાથી થાય છે, અગ્નિથી નહિ. અગ્નિ તેમાં નિમિત્ત છે પણ નિમિત્ત કર્તા નથી. સુંદર સ્ત્રીનું રૂપ દેખીને જે વાસનાના પરિણામ થાય તે વાસનાના પરિણામનો કર્તા અજ્ઞાની જીવ પોતે છે. સ્ત્રીનું સુંદર રૂપ તેમાં નિમિત્ત છે, પણ નિમિત્તને લઈને વાસનાના પરિણામ થયા નથી. જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાનની હીણી દશા છે એમ નથી. જ્ઞાનની હીણી દશા સ્વયં પોતાથી છે અને તેમાં જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે. જીવની જ્ઞાન-દર્શનની હીણી પર્યાય થાય છે તે ભાવઘાતિના કારણે થાય છે. દ્રવ્યઘાતિ કર્મ એમાં નિમિત્ત છે. “ઘાતિકર્મના નિમિત્તથી” એમ કથન આવે છે પણ એ તો નિમિત્તનું કથન છે. જડ ઘાતકર્મ આત્માની પર્યાયનો ઘાત કરે છે એમ નથી. ભાવઘાતકર્મથી પોતાની હીણી પર્યાય થાય છે તો દ્રવ્યઘાતકર્મને નિમિત્ત કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ નિમિત્ત છે, પણ તે ભાવઘાતકર્મનું કર્તા નથી. * ગાથા ૯૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો. જે પરિણમે તે કર્તા છે. વિકારરૂપે ઉપયોગ પરિણમે છે. તેથી તે ઉપયોગને વિકારનો કર્તા કહ્યો; નિમિત્ત કર્તા નથી. જ્ઞાનાવરણીય આદિ કર્મ પરદ્રવ્ય છે. તે આત્માની પર્યાયને અડતુંય નથી, કેમકે આત્માની વિકારી પર્યાય અને કર્મની પર્યાય એ બન્ને વચ્ચે અત્યંતભાવ આ શરીરમાં પીડા થાય તે અશાતાવેદનીયના નિમિત્તથી થાય છે. એનો અર્થ શું? શરીરની અવસ્થા તો જે કાળે જે થવાની હોય તે એનાથી થાય છે, તેમાં અશાતાનો ઉદય નિમિત્ત છે, પણ અશાતાનો ઉદય શરીરની અવસ્થાનો કર્તા નથી. તથા તે વખતે જીવમાં પીડાનો જે અનુભવ થાય છે તે તેની યોગ્યતાથી સ્વતંત્ર થાય છે, એમાં શરીરનું કે કર્મનું કાંઈ કર્તવ્ય નથી. આ પૈસા આદિ સામગ્રી મળે છે તે શાતાવેદનીયના ઉદયના નિમિત્તે મળે છે. ત્યાં ઉદય તો નિમિત્ત માત્ર છે. પૈસા પૈસાના કારણે આવે છે. પૈસાની આવવાની ક્રિયા થઈ તેનો શતાવેદનીય કર્મનો ઉદય કર્તા નથી, કેમકે જે પરિણમે તે કર્તા છે. મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ વિકારરૂપે ઉપયોગ પરિણમે છે માટે તે વિકારપરિણામનો ઉપયોગ કર્તા છે. અજ્ઞાનરૂપે થઈને જે ભાવરૂપ ઉપયોગ પરિણમે તે ભાવનો ઉપયોગ કર્તા છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૦ ] વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.” દ્રવ્યદૃષ્ટિથી આત્મા રાગાદિ વિકારનો કર્તા નથી. દ્રવ્યસ્વભાવ વિકારનો કર્તા નથી. તેવી રીતે દ્રવ્યદૃષ્ટિ જેને થઈ છે એવા દ્રવ્યસ્વભાવને અનુભવનારા જ્ઞાની રાગના કર્તા નથી. શુદ્ધ દ્રવ્યાર્થિકનયે આત્મા કર્તા નથી; પણ ઉપયોગ અને આત્મા એક હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિક નયથી આત્માને પણ કર્તા કહેવામાં આવે છે. અશુદ્ધદ્રવ્યાર્થિક નય કહો કે અશુદ્ધ નિશ્ચયનય કહો કે વ્યવહારનય કહો-એ અપેક્ષાએ આત્માને કર્તા કહેવામાં આવે છે. [ પ્રવચન નં. ૧૫૬ (શેષ) દિનાંક ૧૪-૮-૭૬] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૧ अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन परिणमतीत्याह जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स। कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ।। ९१ ।। यं करोति भावमात्मा कर्ता स भवति तस्य भावस्य। कर्मत्वं परिणमते तस्मिन् स्वयं पुद्गलं द्रव्यम्।। ९१ ।। હવે, આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે: જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. ગાથાર્થઃ- [ માત્મા] આત્મા [ ૬ ભાવન્] જે ભાવને [ રોતિ] કરે છે [તચી ભાવ ] તે ભાવનો [:] તે [ વર્તા] કર્તા [ ભવતિ] થાય છે; [તસ્મિન] તે કર્તા થતાં [પુતં દ્રવ્યન્] પુદ્ગલદ્રવ્ય [સ્વયં] પોતાની મેળે [કર્મવં] કર્મપણે [પરિણમતે] પરિણમે છે. ટીકાઃ- આત્મા પોતે જ તે પ્રકારે (તે રૂપે) પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કર્તા થાય છે-સાધકની (અર્થાત્ મંત્ર સાધનારની) જેમ; તે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે:-જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (અર્થાત્ સાધકને સાધવાયોગ્ય ભાવોને) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઊતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે; તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને (કર્મરૂપે પરિણમવામાં) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે. ભાવાર્થ-આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૧ ] [ ૯ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે. તે ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોત પોતાના ભાવના છે એ નિશ્ચય છે. સમયસાર ગાથા ૯૧ : મથાળું હવે, આત્માને ત્રણ પ્રકારના વિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે: * ગાથા ૯૧ : ટીકા ઉપરનું પ્રવચન * “આત્મા પોતે જ તે પ્રકારે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કર્તા થાય છે-સાધકની (અર્થાત્ મંત્ર સાધનારની) જેમ; તે (આત્માનો ભાવ) નિમિત્તભૂત થતાં, પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ (પોતાની મેળે જ) પરિણમે છે.' આત્મા પોતે જ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રરૂપ પરિણમવાથી જે ભાવને કરે છે તેનો તે કર્તા થાય છે. કર્મનો ઉદય છે તો રાગાદિરૂપે પરિણમે છે એમ નથી. પુણ્યથી ધર્મ થાય, વ્યવહારથી નિશ્ચય થાય, નિમિત્ત છે તે કર્તા છે-ઇત્યાદિ મિથ્યાશ્રદ્ધારૂપ આત્મા સ્વયં પરિણમે છે; કર્મ તેને પરિણમાવે છે એમ નથી. ભગવાન આત્મા પોતાની ચીજને ભૂલીને પોતે જ-“માત્મા દિ' છે ને-મિથ્યાત્વ, રાગદ્વેષ આદિ જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. મંત્ર સાધનાર સાધકની જેમ અજ્ઞાની પોતાના ભાવનો કર્તા છે. કેટલું સ્પષ્ટ છે! આત્માનો તે ભાવ નિમિત્તભૂત થતાં પુદ્ગલ દ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. આત્મા મિથ્યાત્વાદિ વિકારરૂપે પોતાથી થાય છે. વિકારભાવનો પોતે કર્તા અને વિકારભાવ તે એનું કર્મ છે. વિકારનો કર્તા, નિમિત્ત-કર્મ (નિમિત્તપણે રહેલું કર્મ) છે એમ ત્રણકાળમાં છે નહિ. જીવ ચારગતિમાં રખડે છે તે પોતાના કારણે રખડે છે, કર્મના કારણે નહિ. કર્મ તો જડ છે, પરદ્રવ્ય છે. કર્મ જીવને હેરાન કરે છે એ વાત યથાર્થ નથી. સ્વભાવનું ભાન નથી ત્યાં સુધી મિથ્યાષ્ટિ મિથ્યાત્વભાવનો કર્તા છે. આત્માનો તે ભાવ નિમિત્તભૂત થતાં પુદગલદ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. “સ્વયમેવ” પરિણમે છે-છે સ્પષ્ટ. આત્માના પરિણામ નિમિત્તભૂત થતાં જે જડકર્મ બંધાય તે પોતાથી બંધાય છે. તે જડની પર્યાય જડથી થાય છે; આત્મા કર્મની અવસ્થાનો કર્તા નથી. કર્મ બંધાય તેમાં જીવનો વિકારી ભાવ નિમિત્ત હોવા છતાં પુદ્ગલદ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. જીવ અને કર્મપણે પરિણમાવે છે એમ નથી. જીવે રાગદ્વેષ કર્યા માટે કર્મને બંધાવું પડ્યું એમ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભગવાન આત્માનો સ્વભાવ તો જ્ઞાતાદષ્ટા છે. શુદ્ધ નિરંજન સદા પરમાનંદસ્વરૂપ ભગવાન આત્મા અંતર્દષ્ટિનો વિષય છે. પરંતુ તેની દષ્ટિ છોડીને જે પર્યાય ઉપર દષ્ટિ માંડે છે તે જીવ મિથ્યાત્વ અને પુણ્ય પાપના ભાવનો કર્તા થાય છે. અને ત્યારે આત્માના તે મિથ્યાત્વાદિ ભાવ નિમિત્તભૂત થતાં પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વયમેવ પરિણમે છે. જીવે મિથ્યાત્વના પરિણામ કર્યા માટે ત્યાં કર્મની પર્યાય દર્શનમોહપણે થઈ એમ નથી. અરે ભાઈ! નિમિત્તનૈમિત્તિકસંબંધનો અર્થ કર્તાકર્મ નથી. અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે ત્યાં પુદગલકર્મ પોતાની મેળે કર્મરૂપે પરિણમે છે. આવી સ્વતંત્રતાની વાત છે. આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે “જેમ સાધક તે પ્રકારના ધ્યાનભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કર્તા થાય છે. અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને (સાધકને સાધવાયોગ્ય ભાવોને) અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય (સર્પાદિકનું) વ્યાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે, સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે.” જાઓ, મંત્રસાધક પોતાની મંત્રસાધનાની–ધ્યાનની પર્યાયનો કર્તા છે, પણ જે બીજાને ઝેર ઉતરી જાય તે ક્રિયાનો એ કર્તા નથી. કહ્યું ને કે-તેમાં સાધકનું ધ્યાન અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે. અહાહા...! પરમાં જે પરિણતિ થઈ તે મંત્રસાધકથી થઈ નથી. મંત્રસાધકનું ધ્યાન નિમિત્તભૂત થતાં, તે કર્તા થયા સિવાય સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે. આ સ્ત્રીઓ જે ધૂણે છે એ ધૂણવાની અવસ્થા પોતાની પોતાથી છે, એમાં મંત્રસાધકનું કોઈ કાર્ય નથી. એ પરની ધૂણવાની ક્રિયાનો કર્તા મંત્રસાધક નથી. છે ને કે સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે. તેવી જ રીતે સાધકનું ધ્યાન નિમિત્તભૂત થતાં બંધનો, સાધક કર્તા થયા સિવાય, સ્વયમેવ તૂટી જાય છે. મંત્રનો સાધક પોતાની સાધનાની પર્યાયનો કર્તા છે, પણ તે પરની (નૈમિત્તિક) પરિણતિનો કર્તા નથી. અરે! બહુ ગડબડ ચાલે છે, અત્યારે તો એમ માને છે કે જ્ઞાનાવરણીય કર્મ જીવનું જ્ઞાન રોકે છે અને ચારિત્રમોહના ઉદયથી જીવને રાગ થાય છે અને વ્યવહારથી નિશ્ચય થાય છે ઇત્યાદિ. પણ એમ છે નહિ. અહીં તો કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ કર્તા થયા સિવાય જીવની જ્ઞાનની હીણી દશા સ્વયમેવ થાય છે. બહુ ઝીણી વાત છે, ભાઈ ! વ્યવહાર છે તે નિશ્ચયનો કર્તા નથી. ચૈતન્યસ્વભાવ ઉપર દૃષ્ટિ દેતાં સહજાનંદ-સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને જે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે તેનો કર્તા આત્મા છે. ખરેખર તો તે નિર્મળ પર્યાયનો કર્તા પર્યાય પોતે છે, પણ પર્યાયનો આત્મા સાથે (અભેદપણાનો) સંબંધ ગણીને સમ્યગ્દર્શનની પર્યાયનો આત્મા કર્તા કહેવામાં આવે છે. પરંતુ તે સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા વ્યવહાર સમકિત નથી. નિશ્ચયરત્નત્રયમાં વ્યવહાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૧ ] L[ ૧૧ રત્નત્રય નિમિત્ત છે, પણ વ્યવહારરત્નત્રય નિશ્ચયરત્નત્રયનું કર્તા નથી. અહીં કહ્યું ને કે વ્યવહારરત્નત્રય કર્તા થયા સિવાય જીવ સ્વયં નિશ્ચયરત્નત્રયપણે સ્વભાવના લક્ષે પરિણમે છે. જ્યાં વ્યવહારરત્નત્રયને મોક્ષનું પરંપરાકારણ કહ્યું હોય ત્યાં તે ઉપચારથી કથન કર્યું છે એમ સમજવું અને તે પણ જ્ઞાનીના સંદર્ભમાં વાત છે. અજ્ઞાનીના શુભરાગમાં તો પરંપરા-કારણનો અરોપ પણ આવતો નથી. અજ્ઞાનીને વ્યવહાર હોતો નથી. અજ્ઞાનીને તો વ્યવહારમૂઢ કહ્યો છે. સમયસાર ગાથા ૪૧૩માં ત્રણ શબ્દ કહ્યા છે-અનાદિરૂઢ, વ્યવહારમાં મૂઢ, નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી. ““હું શ્રમણ છું, હું શ્રમણોપાસક છું એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ, વ્યવહારમાં મૂઢ, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થ-સત્ય ભગવાન સમયસારને દેખતાઅનુભવતા નથી.'' અરે ભાઈ ! રાગની મંદતા તો જીવ અનાદિથી કરતો આવ્યો છે, એમાં કાંઈ નવું નથી. સમ્યગ્દર્શન વિના કથનમાત્ર વ્યવહારરત્નત્રયનું જીવે અનંતવાર પાલન કર્યું છે. નિયમસાર કળશ ૧૨૧માં કહ્યું છે કે જે કથનમાત્ર વ્યવહારરત્નત્રય છે તેને ભવમાં ડૂબેલા જીવે અનંતવાર આચર્યું છે, પરંતુ અરેરે ! જ્ઞાનસ્વરૂપ જે એક પરમાત્મતત્ત્વ છે એનું આચરણ કર્યું નથી. સમ્યગ્દર્શન વિના ભેદજ્ઞાનરહિત વ્યવહારમાં જે લીન છે તે વ્યવહારમૂઢ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ્ઞાનીને જે વ્યવહાર આવે છે તેનો તે જ્ઞાતા થાય છે, કર્તા થતો નથી. ત્યાં ગાથા ૪૧૩ના ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે- “અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે, પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.'' આ પ્રમાણે અજ્ઞાનીનો વ્યવહાર નિષ્ફળ છે, નિરર્થક છે. જ્યારે જ્ઞાની નિશ્ચય પર આરૂઢ છે; તે વ્યવહારમાં મૂઢ નથી પણ વ્યવહારના જ્ઞાતાદ્રષ્ટા છે. જેને આત્મજ્ઞાનની દશા પ્રગટ અનુભવમાં આવી છે તેવા પંચમગુણસ્થાનવાળા અને છઠ્ઠી ગુણસ્થાનવાળા જ્ઞાનીને શુભભાવના કાળમાં અશુભ ટળે છે તેથી તેના શુભરાગને વ્યવહાર કહેલો છે. પણ તે વ્યવહાર તે કાંઈ નિશ્ચયનું વાસ્તવિક સાધન નથી. બાહ્ય નિમિત્ત હો, પણ તે નિશ્ચયનો કર્તા નથી. જ્યાં એને સાધન કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે એમ સમજવું. જડ અને ચેતનની પર્યાય થાય તે વખતે જ્ઞાનીની ત્યાં ઉપસ્થિતિ (બાહ્ય વ્યાપ્તિ) હોય તો જ્ઞાની તેમાં નિમિત્ત કહેવામાં આવે છે, નિમિત્તકર્તા નહિ. નિમિત્ત અને નિમિત્ત-કર્તામાં ફેર છે. અજ્ઞાની મિથ્યાષ્ટિ જીવ જે રાગદ્વેષનો કર્તા થાય છે તેનો રાગ, ભોગ આદિ જે ક્રિયા થાય તેનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. મિથ્યાષ્ટિને નિમિત્તકર્તા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કહેવામાં આવે છે. જ્ઞાનીને પોતાના જ્ઞાતા-દષ્ટાસ્વભાવનું ભાન થયું છે. તેને જે રાગ છે તે જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત છે. જ્ઞાનની જાણવાની પર્યાયનું ઉપાદાન તે પર્યાય પોતે છે, તેમાં રાગ નિમિત્ત છે. જ્ઞાનીને જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી થાય છે. તે પર્યાયમાં રાગ નિમિત્ત છે, પણ રાગ નિમિત્ત છે માટે ત્યાં જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. રાગ કર્તા થયા સિવાય, જ્ઞાન સ્વયં જ્ઞાનરૂપે પરિણમે છે. જેને શુદ્ધ ચિદાનંદ ચૈતન્યમય પ્રભુ આત્માની દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થયું છે, આનંદનો સ્વાદ આવ્યો છે એ જ્ઞાનીને રાગ આવે છે. પણ તે રાગનો જ્ઞાની કર્તા નથી. રાગ એ જ્ઞાનીનું કર્તવ્ય નથી કેમકે રાગ કરવા લાયક છે એમ તે માનતો નથી. તથાપિ પરિણમન છે એ અપેક્ષાએ તેને કર્તા કહેવામાં આવે છે. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે કે-જેમ રંગરેજ રંગનો કર્તા છે તેમ જ્ઞાની પરિણમનની અપેક્ષાએ રાગનો કર્તા છે. કરવા લાયક છે એમ નહિ, પણ પરિણમન છે એ અપેક્ષાએ કર્તા કહેવાય છે. પોતાની કમજોરીથી જ્ઞાનીને રાગ આવે છે. તે રાગના કાળે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી પ્રગટ થાય છે. દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે તે સ્વપ્રકાશક અને પર-રાગ સંબંધી પોતાનું જ્ઞાન પોતાથી પર્યાયમાં થાય તે પરપ્રકાશક. ત્યાં રાગથી જ્ઞાનની સ્વપર-પ્રકાશક પર્યાય થઈ છે એમ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય તો પોતાથી થઈ છે, તેમાં રાગ નિમિત્ત છે. જ્ઞાનની જે પરિણતિ પ્રગટ થઈ તેનો કર્તા પોતાનો આત્મા છે, તેમાં રાગ નિમિત્ત છે, નિમિત્તકર્તા નહિ. આવો વીતરાગનો માર્ગ અતિ સૂક્ષ્મ છે. અહીં કહે છે-જેમ મંત્રસાધક પોતાના ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે; “તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા-દર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલ દ્રવ્યને (કર્મરૂપે પરિણમવામાં) અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.' આત્મા પોતામાં જે રાગ થાય છે તેનો કર્તા છે. તે સમયે સમીપમાં જે કાર્મણ-વર્ગણા છે તે સ્વયં જડ કર્મપણે પરિણમે છે. તે કર્મપરિણામનો રાગ કર્તા નથી. નજીકમાં એકક્ષેત્રાવગાહુ રહેલી પુદ્ગલકર્મવર્ગણા જડ કર્મપણે પરિણમે તેનો જો આત્મા કર્તા નથી તો આત્મા પરનોમકાનાદિનો કર્તા થાય એ વાત પ્રભુ ! કયાં રહી ? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-એમ છ શક્તિઓ પરમાણુ આદિ છએ દ્રવ્યોમાં છે. ભગવાન કહે છે કે પ્રત્યેક દ્રવ્યમાં પકારકરૂપ શક્તિઓ પડી છે. એ શક્તિઓ પોતાથી પોતાનું કાર્ય કરે છે, પરને લઈને કોઈનું કાર્ય થતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૧ ] | [ ૧૩ કોઈ કહે છે કે આ તો એકાન્ત છે. તેને કહે છે–સાંભળ, ભાઈ ! આ સમ્યક એકાન્ત છે. જડની પર્યાય જડથી સ્વતંત્રપણે થાય છે, તેનો કર્તા આત્મા નથી. જેટલા પ્રમાણમાં જીવ રાગદ્વેષ કરે છે તેટલા પ્રમાણમાં ત્યાં ચારિત્રમોહકર્મ બંધાય છે. છતાં રાગદ્વેષના જે પરિણામ થાય છે તે ચારિત્રમોહકર્મના બંધના કર્તા નથી. અહીં કહ્યું છે ને કે જીવના મિથ્યાદર્શનાદિ ભાવ પુદ્ગલદ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા તેનો કર્તા થયા સિવાય પુદગલ દ્રવ્ય સ્વયમેવ મોહનીયાદિ કર્મપણે પરિણમે છે. મોહનીયરૂપે કર્મની પર્યાય થાય તેનો આત્મા કર્તા નથી. આત્મા જડ કર્મનો કર્તા નથી. કર્મની પર્યાય પોતાના કર્તા ગુણથી પોતાની કર્મપરિણતિનો કર્તા થાય છે. * ગાથા ૯૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે. અહીં અજ્ઞાનીની વાત છે. સમ્યગ્દષ્ટિ રાગનો કર્તા નથી. નાટક સમયસારમાં આવે છે ને કે “કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનનારા, જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.'' દયા, દાન, વ્રત આદિ શુભભાવનો જે કર્તા થાય તે મિથ્યાષ્ટિ છે. જ્ઞાની તો શુભભાવનો જાણનારો છે. આત્મા સ્વભાવે જ્ઞાનનો કંદ પ્રભુ છે. માટે આત્મા જાણવાનું કામ કરે. રાગનું કામ થાય તેનો જ્ઞાની કર્તા નથી. સમકિતીને ચોથે ગુણસ્થાને જે રાગ થાય તેનો તે જાણનાર છે, કર્તા નથી. આત્માની શક્તિઓ સર્વ શુદ્ધ છે. ધર્મીની દષ્ટિ શુદ્ધ શક્તિવાન ચૈતન્યઘન પ્રભુ આત્મા ઉપર છે. તેથી જે આ રાગાદિ વિકાર થાય તેનો એ જાણનાર છે, કર્તા નથી. તેને રાગનું પરિણમન છે એ અપેક્ષાથી કર્તા કહેવામાં આવે છે. પરંતુ શુદ્ધ દષ્ટિની અપેક્ષાએ જ્ઞાની રાગનો કર્તા નથી. અહો ! આવું સત્ય નિરૂપણ એક દિગંબરમાં જ છે, બીજે કયાંય નથી. વેદાંત આદિ આત્માને સર્વવ્યાપક કહે છે અને ભૂલને માયાજાળ માને છે. પણ એમ નથી. માયાજાળ પણ વસ્તુ છે અને તેને પોતાની માને તે મૂઢ છે. આત્મા રાગના કર્તાપણે પરિણમે તે અજ્ઞાનભાવ છે. તે અજ્ઞાનવશ કોઈ સાથે મમત્વમિથ્યાત્વનો ભાવ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે. તે તે ભાવોનો તે સ્વયં કર્તા થાય છે. મારી લક્ષ્મી, મારું મકાન, મારું સોનું-ઝવેરાત, મારો પુત્ર, મારી આબરૂ ઇત્યાદિ માને તે મમતા-મિથ્યાત્વ છે. અને તે બાહ્ય પદાર્થો ને દેખી તેમને અનુકૂળ-પ્રતિકૂળ જાણી તેમાં પ્રીતિ-અપ્રીતિ કરે તે રાગદ્વેષ છે. ત્યાં એ બાહ્ય ચીજ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ રાગદ્વેષનું કારણ નથી, કેમકે પરચીજ તો શેય છે. તેમને અનુકૂળ-પ્રતિકૂળ જાણી સ્વયં રાગદ્વેષપણે પરિણમે છે. વીતરાગનો માર્ગ સૂક્ષ્મ છે, ભાઈ ! આ આત્મા આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ સહજાનંદ પરમાનંદ સદાનંદસ્વરૂપ છે. એવી પોતાની ચીજની અંતરમાં દષ્ટિ થતાં અનુભવમાં જે અતીન્દ્રિય નિરાકુળ આનંદ આવ્યો તે મકદષ્ટિના અનુભવની મહોર-છાપ છે. અતીન્દ્રિય આનંદ એ સ્વાનુભવનો ટ્રેડમાર્ક છે. સમ્યક્રદૃષ્ટિ આનંદની દશાનું વેદન કરે છે. તેને જે રાગ આવે તેને તે જાણે છે પણ દષ્ટિના સામર્થ્યથી તેનો એ કર્તા અને ભોક્તા થતો નથી. અહો ! સમ્યગ્દર્શન અલૌકિક છે! ધર્મીને શુભરાગ આવે છે, પણ ધર્મી રાગને દુ:ખરૂપ હેય જાણે છે. અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અને એનાથી પોતાને સુખ થવાનું માને છે. બેની માન્યતામાં આસમાનજમીનનો ફેર છે. તેથી અજ્ઞાની વિકારના કર્તાપણે પરિણમે છે, તો જ્ઞાની વિકારના કર્તાપણે પરિણમતા નથી. અહો ! શું દષ્ટિનું માહાત્મ! અહીં કહ્યું કે-સાધક મંત્રનો કર્તા છે, પણ જે સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે કે જે સર્પનું ઝેર ઉતરી જાય છે-ઇત્યાદિ તે બધી પરદ્રવ્યની ક્રિયાનો સાધક કર્તા નથી. એમ દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્રનું જ્ઞાન એ બધાં નિમિત્ત હો, પણ એ નિમિત્ત આત્માને જે સમ્યગ્દર્શન થાય એના કર્તા નથી. જેમ નિમિત્ત પરનો કર્તા નથી તેમ વ્યવહારરત્નત્રય નિશ્ચયરત્નત્રયના કર્તા નથી. અહા! જગતના જીવોમાં મિથ્યાશ્રદ્ધાનાં શલ્ય પડયાં છે ને માને છે કે અમે ધર્મ કરીએ છીએ! અહીં કહે છે-“જીવના ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોતપોતાના ભાવના છે. એ નિશ્ચય છે.' [ પ્રવચન નં. ૧૫૬–૧૫૭ (ચાલુ) * દિનાંક : ૧૫-૮-૭૬ અને ૧૬-૮-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૨ अज्ञानादेव कर्म प्रभवतीति तात्पर्यमाह परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करिंतो सो। अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ।। ९२ ।। परमात्मानं कुर्वन्नात्मानमपि च परं कुर्वन् सः। अज्ञानमयो जीवः कर्मणां कारको भवति ।। ९२ ।। હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ ૫૨ને ક૨ે નિજરૂપ ને નિજ આત્મને પણ ૫૨ કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨. ગાથાર્થ:- [ પરમ્] ૫૨ને [આત્માનં] પોતારૂપ [ર્વન્] કરે છે [7] અને [આત્માનમ્ અપિ] પોતાને પણ [પરં] ૫૨ [ર્વન્] કરે છે [સ: ] તે [ અજ્ઞાનમય: નીવ: ] અજ્ઞાનમય જીવ [ર્મનાં ] કર્મોનો [ાર: ] કર્તા [ભવતિ ] થાય છે. ટીકા:- અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ ( તફાવત ) ન જાણતો હોય ત્યારે ૫૨ને પોતારૂપ કરતો અને પોતાને ૫૨ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે:-જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્દગલપરિણામની અવસ્થા પુદ્દગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્દગલપરિણામની અવસ્થા પુદ્દગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્દગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક ( અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો ( અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો ), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)' ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાવાર્થ- રાગદ્વેષસુખદુ:ખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીતઉષ્ણપણાની માફક, પુલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીતઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાની ને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું હૃષી છું, હું ક્રોધી છું, હું માની છું' ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે. * સમયસાર ગાથા ૯૨ : મથાળું હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે: * ગાથા ૯૨ : ટીકા ઉપરનું પ્રવચન * “અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત) ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે.' અજ્ઞાનથી આત્મા પર એટલે રાગ-વ્યવહારરત્નત્રયનો વિકલ્પ અને પોતાની જુદાઈ જાણતો નથી. એટલે તે પરને-રાગને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ એટલે રાગરૂપ કરતો, અજ્ઞાનમય થયો થકો, કર્મોનો એટલે વિકારી પરિણામોનો કર્તા પ્રતિભાસે છે. અહીં જડકર્મોની વાત નથી. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે: જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.' શું કહે છે? ઠંડી અને ગરમ એ પદગલની જડની અવસ્થા છે. તે અવસ્થા પુદગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થા ભગવાન આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મા કદીય ઠંડો કે ગરમ થતો નથી. આ મરચુ ખાય ત્યારે તીખાશરૂપે આત્મા થતો નથી. તીખો સ્વાદ એ તો જડની પર્યાય છે. અજ્ઞાની માને છે કે હું તીખાશરૂપે થઈ ગયો, પણ આત્મા તીખા રસપણે થતો નથી. ઠંડી અને ગરમ અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી ભિન્ન છે. પરંતુ ઠંડી અને ગરમ અવસ્થાનું જ્ઞાન પોતામાં-આત્મામાં થાય છે. એ જ્ઞાનથી અભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થાનું જે જ્ઞાન થાય એનાથી આત્મા અભિન્ન છે અને તે જ્ઞાન પુદ્ગલથી સદાય ભિન્ન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૨ ] [ ૧૭ આ દષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે-“તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.' દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તે પુલ પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ પુદગલના પરિણામ છે તેમ પુણ્ય અને પાપ, દયા અને દાન, વ્રત અને ભક્તિ, કામ અને ક્રોધ ઇત્યાદિ ભાવ બધા પુદ્ગલના પરિણામ છે. પહેલાં ગાથા ૯૧માં રાગદ્વેષાદિ ભાવનો કર્તા અજ્ઞાનભાવે આત્મા છે એમ કહ્યું અને અહીં એ પરિણામ જડમાં નાખી દીધા. અહીં તો વિભાવને સ્વભાવથી ભિન્ન કરવો છે ને ! રાગાદિભાવ જીવના સ્વભાવમાં તો નથી અને પરસંગે પુદ્ગલના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે તેથી તે પુદ્ગલના પરિણામ છે એમ કહ્યું છે. પરના સંગમાં ઊભા રહીને ઉત્પન્ન થયેલા પરિણામ પરના જ-પુદગલના જ છે એમ અહીં વાત છે. તે રાગ-દ્વેષ-સુખ-દુઃખ આદિ પરિણામ જીવને જ્ઞાન કરાવવામાં સમર્થ એટલે નિમિત્ત છે. જ્ઞાન તો આત્મા પોતે પોતાથી કરે છે. જ્ઞાનમાં સ્વ-પરને પ્રકાશવાનું સહજ સામર્થ્ય છે. તેથી સ્વ-પરનું જ્ઞાન કરનારો જીવ પોતે છે અને તે જ્ઞાનમાં રાગદ્વેષાદિ પર પદાર્થ નિમિત્ત છે. એટલે રાગાદિને જાણનારી જ્ઞાનની અવસ્થા પોતાથી થઈ છે, રાગાદિથી થઈ છે એમ નથી. ભાઈ ! ખૂબ શાંતિ અને ધીરજ કેળવી સાંભળવા જેવી આ સૂક્ષ્મ વાત છે. શીત-ઉષ્ણ અવસ્થા પદગલથી અભિન્ન છે. તે શીત-ઉષ્ણ અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે. શીત-ઉષ્ણ અવસ્થા જ્ઞાનની પર્યાયની કર્તા નથી, અને જ્ઞાનની પર્યાય શીત-ઉષ્ણ અવસ્થાની કર્તા નથી. તેમ ભગવાન આત્મામાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ તથા હિંસા, જૂઠ, ચોરી આદિના પરિણામ અને સુખ-દુઃખની જે કલ્પના થાય તે સઘળા પુદ્ગલના પરિણામ છે; કેમકે તે શુદ્ધ ચૈતન્યની-આત્માથી જાત નથી. પુણ્ય-પાપના પુદ્ગલપરિણામ તે પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી તે પરિણામ સદાય ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન આત્માથી અભિનપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય પ્રભુ આનંદનો નાથ છે. તેના દ્રવ્ય-ગુણમાં તો રાગ નથી. પર્યાયમાં જે રાગ થાય છે તેને અહીં પુદ્ગલના પરિણામમાં નાખ્યા છે. નિમિત્તને આધીન થતાં જે દયા, દાન, કામ, ક્રોધાદિ શુભાશુભ ભાવ થાય તે પુદ્ગલના પરિણામ છે. તે પુદ્ગલથી અભિન્ન-એકમેક છે. આત્માથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. અજ્ઞાની પુણ્ય-પાપ આદિ ભાવોનો અજ્ઞાનભાવે કર્તા છે, પણ જ્ઞાન થતાં જ્ઞાની તે પુદ્ગલપરિણામનો કર્તા નથી એમ અહીં સિદ્ધ કરવું છે. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અહીં કરાવવું છે. રાગ-દ્વેષના પરિણામ જ્ઞાન થવામાં નિમિત્ત છે પણ રાગદ્વેષના પરિણામ તે જીવનું કાર્ય નથી. આત્મા રાગદ્વેષનો કર્તા થાય એવી કોઈ શક્તિ આત્મામાં નથી. રાગદ્વેષાદિ પરિણામ જીવનીચૈતન્યની જાતિના નથી માટે તેને પુલના પરિણામ કહ્યા છે. ૭રમી ગાથામાં તેને અચેતન જડ કહ્યા છે. ત્યાં ગાથા ૭રમાં કહ્યું છે કે-શુભાશુભ પરિણામ અશચિ છે. ભગવાન આત્મા અત્યંત શચિ છે: પૂણ્ય-પાપના ભાવ જડ આત્મા શુદ્ધ વિજ્ઞાનઘન છે; પુણ્ય-પાપના ભાવ દુ:ખરૂપ છે, ભગવાન આત્મા સદા આનંદરૂપ છે. અરેરે! એને ખબર નથી કે આત્માને વિજ્ઞાનઘન ભગવાન કહીને બોલાવ્યો છે. માતા બાળકને પારણામાં સુવાડે ત્યારે તેનાં વખાણ કરીને સુવાડે છે. ““મારો દીકરો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો'' એમ પ્રશંસા કરીને સુવાડે છે. જો ઠપકાવે તો બાળક ઘોડિયામાં ન સૂવે. તેમ અહીં ત્રિલોકનાથ તીર્થંકરદેવ અને વીતરાગી સંતો જગતના જીવોને જગાડવા “ભગવાન” કહીને બોલાવે છે. કહે છે અરે ભગવાન! તું ત્રણલોકનો નાથ છું! આ રાગદ્વેષાદિ પરિણામ છે એ તો પુદ્ગલના પરિણામ છે, તારી ચૈતન્યજાતિની એ ચીજ નથી. આ વ્યવહારરત્નત્રયના પરિણામ જડ, અચેતન મુગલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા જડની સાથે અભેદ છે તેમ વ્યવહારરત્નત્રયના પરિણામ જડ પુદ્ગલની સાથે અભેદ છે. સાંભળીને લોકો રાડ નાખી જાય છે! પણ ભાઈ ! જે વ્યવહારરત્નત્રયને તું સાધન માને છે તેને તો અહીં પુદ્ગલના પરિણામ એટલે જડ-અર્ચન કહ્યા છે. તે મોક્ષમાર્ગનું સાધન કેમ હોય ? અહો ! શ્રી અમૃતચંદ્રાચાર્યદવે શું ગજબ કામ કર્યું છે! આત્મા તો આત્મારામ છે. નિજપદ રમે સો રામ કહીએ.” અતીન્દ્રિય આનંદમાં રમે તે આત્મારામ છે. અને જે રાગમાં રમે તે અનાત્મા હરામ છે. રાગમાં રમે તે આત્મા-રામ નથી, હરામ છે. ૭રમી ગાથામાં રાગને અનાત્મા જડ કહ્યો છે અને જીવ-અજીવ અધિકારમાં દયા, દાન, વ્રત આદિ પરિણામને અજીવ કહ્યા છે. અહીં પણ એ જ કહે છે કે-રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલ સાથે અભિન્નતાના કારણે આત્માથી અત્યંત ભિન્ન છે. અહાહા ! દયા, દાન અને વ્યવહારરત્નત્રયના પરિણામ પુલથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ. અરે! રળવા-કમાવામાં આ જિંદગી (વ્યર્થ ) ચાલી જાય છે ભાઈ ! કદાચ પાંચ-પચાસ લાખ મળી જશે, પણ મૂળ વસ્તુ (આત્મા) હાથ નહિ આવે, ભાઈ ! આમ ને આમ તું રખડીને મરી ગયો ( દુઃખી થયો) છું! આવી સૂક્ષ્મ વાત સાંભળવા માંડ મળી છે તો ધીરજથી સાંભળીને નિર્ણય કર. અહીં કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૨ ] [ ૧૯ રાગ અને વ્યવહારરત્નત્રયનો રાગ પુદ્ગલથી અભિન્ન છે અને તારાથી ભિન્ન છે. શુદ્ધ ચૈતન્યના લક્ષે જે આત્માના આનંદનો અનુભવ થાય તેમાં તે નિમિત્ત હો, પણ એનાથી અનુભવની દશા થઈ નથી. શું પુદ્ગલપરિણામથી ચૈતન્યની દશા થાય? ન થાય. ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. તે બધાં ભિન્ન ભિન્ન છે. આસ્રવ તત્ત્વ જીવ તત્ત્વથી ભિન્ન છે. જો એમ ન હોય તો નવ તત્ત્વ સિદ્ધ નહિ થાય. પુષ્ય તત્ત્વ જો જીવનું થઈ જાય તો બન્ને એક થઈ જાય તો નવ તત્ત્વ રહે નહિ. ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. તે પુણ્ય તત્ત્વરૂપ કેમ થાય? પુણ્ય-પાપ-સુખ-દુઃખાદિનું જે જ્ઞાન થાય તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુણ્યપાપ આદિ ભાવ આત્માથી ભિન્ન છે. આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનરૂપે પોતાથી પરિણમે છે. તેમાં દયા, દાન આદિ પુણ્ય-પાપના ભાવ નિમિત્તમાત્ર છે. નિમિત્તનો અર્થ ઉપસ્થિતિ છે. જ્ઞાન તો પોતાથી થયું છે, નિમિત્તથી નહિ. હવે કહે છે-“જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ ), જેમના રૂપે આત્મા વડ પરિણમવું અશકય છે એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો ), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, “આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)'' ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.' અજ્ઞાનીને દયા, દાનના પરિણામ અને આત્માની એક્તાનો અધ્યાસ છે. તેથી એ બે વચ્ચેની ભિન્નતાનું એને ભાન નથી. પુણ્ય-પાપના પરિણામ મારાથી ભિન્ન છે અને તે સંબંધીનું જ્ઞાન મારાથી અભિન્ન છે એવું અજ્ઞાનીને ભાન નથી. જેમ શીત-ઉષ્ણ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે તેમ રાગ-દ્વેષાદિ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે. દયા, દાન આદિ પરિણામરૂપે આત્માનું પરિણમવું અશક્ય છે. અહાહા...! હું જાણનાર-જાણનાર એક જ્ઞાયક છું એવું ભાન નહિ રાખતાં દયા-દાન-પુણ્ય-પાપરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો એટલે તે રૂપે પોતે પરિણમ્યો હોવાનું માનતો, અજ્ઞાની થયો થકો આ હું દયા-દાન આદિ કરું છું ઇત્યાદિ ભાવ વડે રાગાદિ કર્મનો અજ્ઞાની કર્તા પ્રતિભાસે છે. ભગવાન આતમા જ્ઞાયકસ્વભાવી ચૈતન્યબિંબ પ્રભુ છે. અને પુણ્ય-પાપના ભાવ, મિથ્યાત્વના ભાવ અચેતન જડ છે. શુભાશુભભાવ છે તે મલિન આસ્રવભાવ છે. તે વિપરીતસ્વભાવવાળા અચેતન જડ છે. તે શુભાશુભભાવપણે આત્માનું પરિણમવું અશકય છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે-જ્ઞાયક આત્મા શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ જો શુભાશુભભાવરૂપે પરિણમે તો પોતે જડ થઈ જાય; કેમકે શુભાશુભભાવ અચેતન જડ છે. જે રાગ છે તે પોતાને જાણે નહિ, પરને જાણે નહિ અને સમીપવર્તી આત્માને પણ જાણે નહિ. રાગ બીજા દ્વારા જણાય છે. તેથી રાગને અચેતન જડ કહ્યો છે. તેથી આત્મા જે જ્ઞાયકભાવરૂપ છે તે રાગદ્વેષના અચેતનભાવપણે કેમ થાય? આત્મા પરનો કર્તા થાય અને તે પરનું કાર્ય કરે એ વાત તો કયાંય રહી ગઈ. શરીર, મન, વાણીની ક્રિયા અને જગતની વ્યવસ્થાનાં કામ આત્મા કરે એ વાત બાજુએ રહી. અહીં કહે છે કે ભગવાન આત્માનું દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે વિકલ્પ થાય તે વિકલ્પપણે પરિણમવું અશકય છે. પુણ્ય-પાપના જે ભાવ થાય છે તે અજ્ઞાનભાવ છે. એટલે કે પુણપાપના ભાવમાં જ્ઞાનભાવનો અંશ નથી. તે ભાવ ચૈતન્યની વિરુદ્ધ જાતિના વિજાતીય, જડ અને અચેતન છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અને જ્ઞાનનું જ્ઞાનપણે જ પરિણમન થવું જોઈએ અને તે જ વાસ્તવિક છે. પરંતુ પોતાના જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ નહિ હોવાથી મિથ્યાષ્ટિ જીવને હું રાગદ્વેષપણે, પુણ્ય-પાપના ભાવપણે પરિણમું છું એમ ભાસે છે. આ પ્રમાણે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો તે રાગાદિ કર્મોનો કર્તા થાય છે. ભગવાન શાયકની દષ્ટિનો અભાવ છે એવો મિથ્યાદષ્ટિ જીવ હું સ્વયે રાગી છું, પુણ્ય-પાપનો હું કર્તા છું, આ શુભાશુભ પરિણામ હું કરું છુંએમ માનતો તે રાગાદિ કર્મોનો કર્તા પ્રતિભાસે છે. આ સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં ભર્યો છે. તેની અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં વિશેષ સ્પષ્ટતા કરી છે. આચાર્યદવ કહે છે–ભગવાન! તું પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ છો. જ્ઞાન અને આનંદ તારું સ્વરૂપ છે અને તે રૂપે પરિણમવું એ તારું નિજકાર્ય છે. જેમ શીત-ઉષ્ણપણે પરિણમવું તારું કાર્ય નથી તેમ દયા દાનના રાગપણે પરિણમવું એ તારું કાર્ય નથી. પ્રભુ! તારી પ્રભુતાની તને ખબર નથી ! જ્ઞાન અને આનંદરૂપે પરિણમવું એ તારી પ્રભુતા છે. રાગપણે પરિણમવું એ તારી પ્રભુતા નથી. રાગપણે પરિણમતાં તો જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ થાય છે. જ્ઞાનરસથી ભરેલો ભગવાન જ્ઞાયક પોતે જ્ઞાનપણે પરિણમે એવી એની શક્તિ છે. વ્યવહારરત્નત્રયના રાગપણે પરિણમે એવી એની શક્તિ નથી. વ્યવહારરત્નત્રયના રાગપણે જ્ઞાયક આત્માનું પરિણમવું અશક્ય છે. પરંતુ અરે! આવા નિજ જ્ઞાયકભાવની રુચિ છોડીને અજ્ઞાની રાગરૂપે (અજ્ઞાનપણે) પરિણમે છે! જ્ઞાનસ્વરૂપે પરિણમવાને બદલે રાગરૂપે પરિણમે તે એનું અજ્ઞાનરૂપ પરિણમન છે. જ્ઞાનસ્વરૂપે આત્મા પરિણમે તેને જ્ઞાનરૂપ પરિણમન કહે છે અને રાગરૂપે પરિણમે તેને અજ્ઞાનરૂપ પરિણમન કહે છે. અરે ભાઈ! વ્યવહારરત્નત્રયના રાગરૂપે તો તે અનંતવાર પરિણમ્યો છે. છઠ્ઠાલામાં આવે છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૨ ] [ ૨૧ “મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઊપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.'' ભાઈ ! પંચમહાવ્રતના પરિણામ, ૨૮ મૂળગુણના પરિણામ તે રાગ છે, વિભાવ છે, ઝેર છે. ભગવાન આત્મા અમૃતનો સાગર છે. અમૃતસ્વરૂપ આનંદનો નાથ એવો તે રાગના ઝેરપણે કેમ થાય? પરંતુ અજ્ઞાની પોતાના અમૃતસ્વરૂપ ભગવાન શાયકની દૃષ્ટિ છોડીને પર્યાયબુદ્ધિ થઈને હું પુણ્ય પાપ આદિ ભાવોનો કર્તા છું એમ અજ્ઞાનપણે માને છે. ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપની દષ્ટિ થાય તો રાગપણે હું પરિણમું છું એવી દષ્ટિ રહે નહિ. સમકિતીને જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દૃષ્ટિનું પરિણમન હોય છે. તેને એ જ્ઞાનરૂપ પરિણમન છે. જ્ઞાનભાવ છોડીને જ્ઞાની રાગસ્વભાવે પરિણમતો નથી કેમકે એની દૃષ્ટિ જ્ઞાયક ઉપર સ્થિર થઈ છે. પરંતુ અજ્ઞાનીની નજર જ્ઞાયક ઉપર નથી તેથી પોતે સ્વભાવથી જ્ઞાનસ્વરૂપ હોવા છતાં જ્ઞાનપણે પરિણમવાને બદલે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો રાગનો કર્તા થઈને પરિણમે છે. હું પુણપાપ આદિ કરું છું એમ માનતો પુણ્યપાપ આદિ ભાવપણે-અજ્ઞાનપણે પરિણમતો તે રાગાદિનો કર્તા થાય છે. અહો ! અમૃતચંદ્રાચાર્યદવે અલૌકિક ટીકા કરી છે. હું જ્ઞાતા છું એમ દષ્ટિ કરી પરિણમે તે જ્ઞાનપરિણમન છે, કેમકે એમાં જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રસિદ્ધ થાય છે; પરંતુ હું રાગી છું એમ માની રાગપણે પરિણમે તે અજ્ઞાન-પરિણમન છે કેમકે એમાં જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રસિદ્ધ થાય છે. અહો! ગજબ વાત છે! આમાં તો જૈનદર્શનનો સાર ભરી દીધો છે. આ પૈસા-બૈસા તો બધું થોથાં છે. એની પાછળ તો હેરાન થઈ જવાનું છે. એમ ને એમ પ્રભુ! તું ચોરાસીના અવતાર કરી હેરાન થઈ રહ્યો છું. અહીં કહે છે કે ભગવાન આત્મા એકલું ચૈતન્યબિંબ જ્ઞાયકભાવથી ભરપૂર અંદર પડ્યો છે. તે જ્ઞાનપણે પરિણમે, નિવિંકારપણે પરિણમે એવી એની શક્તિ અને સામર્થ્ય છે. પરંતુ આવા ચિટૂપ-સ્વરૂપની દષ્ટિનો અભાવ હોવાથી તે પર્યાયદષ્ટિ થઈને જાણે શુભાશુભ રાગ જ પોતાનું સ્વરૂપ છે એમ માનતો થકો શુભાશુભભાવરૂપે પરિણમતો અજ્ઞાનને પ્રગટ કરે છે. અજ્ઞાની પોતાની પર્યાયમાં જે વિકાર થાય છે તેમાં તતૂપ થઈ રચ્યોપચ્યો રહે છે અને માને છે કે હું રાગી છે. આ પ્રમાણે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. “જ્ઞાનનું અજ્ઞાનત્વ' –એ શબ્દમાં ઘણી ગંભીરતા છે. અહા ! પોતાના ચૈતન્યસ્વરૂપને છોડીને જે એકલા રાગપણે પરિણમે છે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો રાગનો કર્તા થાય છે. અહો ! ગાથા અલૌકિક છે! રાગમાં જ્ઞાન નથી અને જ્ઞામાં રાગ નથી એવું સૂક્ષ્મ રહસ્ય ગાથામાં પ્રગટ કરેલું છે. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્મખ્યાતિમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદવે અમૃત ભર્યા છે. આત્મખ્યાતિ એટલે આત્મપ્રસિદ્ધિ, શુદ્ધ ચૈતન્યના લક્ષે આત્મા પ્રસિદ્ધ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ પરંતુ અજ્ઞાની પોતાના ચૈતન્યસ્વરૂપ ભગવાનને ભૂલીને પરલક્ષે રાગની-અજ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે અને તેથી તે રાગનો કર્તા થાય છે. આ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી પરમ સત્ય વાત છે. બે ચાર માસ શુદ્ધ ચૈતન્યની વાત પણ સાંભળે તોપણ જીવને ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે અને તે પુણ્યના ઉદયથી લક્ષ્મી આદિ સામગ્રી મળે છે. અહા ! તો રાગનું લક્ષ છોડી શદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરે એ શી વાત! એ તો ન્યાલ થઈ જાય છે. એને તો જે વડ જન્મ-મરણનો અંત આવે એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ભાઈ! પુણ્યના યોગે બહારની લક્ષ્મી આદિ મળે એ તો ધૂળ છે. તથા પુણ્ય અને એના ફળને પોતાના માને એ મિથ્યાત્વ છે. જીવ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, પણ પુણ્યપાપ આદિ અજીવને પોતાના માને તે મિથ્યાષ્ટિ છે. મિથ્યાષ્ટિ જીવ પોતે અજ્ઞાની થયો થકો “આ હું રાગી છું' ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. હું રાગી છું એટલે રાગ મારું કર્તવ્ય છે અને હું રાગનો કર્તા છું એમ અજ્ઞાનીને પ્રતિભાસે છે. જ્યાં સુધી દષ્ટિ રાગ ઉપર છે ત્યાં સુધી તે રાગનો કર્તા છે અને ત્યાંસુધી મિથ્યાદષ્ટિ છે. આવો આ વીરનો માર્ગ છે! આવે છે ને કે વીરનો મારગ છે વીરાનો, એ કાયરના નહિ કામ જો ને'' ભાઈ ! રાગથી ધર્મ માને તે કાયર નપુંસક છે. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. એ વીર્ય ગુણ તો નિર્મળ પરિણતિ ઉત્પન્ન કરે તેવો છે. રાગની ઉત્પત્તિ થાય તે વીર્યગુણનું કામ નહિ. રાગને ઉત્પન્ન કરનારી પર્યાયને તો નપુંસક કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૩૯માં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે અજ્ઞાનીને નપુંસક કહ્યો છે. તેમ જ શુભરાગની રુચિ કરે, શુભરાગની રચના કરે તેને પુણ્ય પાપ અધિકારની ૧૫૪મી ગાથામાં નામર્દ એટલે નપુંસક કહ્યો છે. ત્યાં કહ્યું છે કે- “દુરંત કર્મચક્રને પાર ઉતરવાની નામર્દાઈને લીધે...પોતે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.'' આવા જીવોને નામર્દ, નપુંસક એટલે હીજડા કહ્યા છે. પાઠમાં (ટકામાં) વસ્તીવ’ શબ્દ છે. આ પ્રમાણે જ્ઞાનાનંદસ્વભાવની દષ્ટિ છોડીને રાગપણે પરિણમતો અજ્ઞાની હું રાગી છું અને આ રાગને હું કરું છું એવી બુદ્ધિ વડ રાગનો કર્તા થાય છે. * ગાથા ૯૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * રાગ-દ્વેષ-સુખ-દુ:ખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીતઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે. અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીત-ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૨ ] [ ૨૩ માને છે કે “હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું, '' ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ-દ્વેષાદિનો કર્તા થાય છે. ' રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખ આદિ અવસથા-એ બધો પુદ્દગલકર્મના ઉદયનો સ્વાદ છે. એ આત્માના આનંદનો સ્વાદ નથી. શીતઉષ્ણપણાની માફક એ પરિણામો પુદ્દગલથી અભિન્ન છે. ભગવાન શાયથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. દયા, દાન, વ્રત આદિના પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે. પરંતુ અજ્ઞાનીને આવું ભેદજ્ઞાન નથી. તેથી તે એમ જ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. અજ્ઞાની માને છે કે રાગ મારી ચીજ છે. અરે ભાઈ ! તારી ચીજ તો જ્ઞાયક છે. જ્ઞાયક મારી ચીજ છે એમ માનવાને બદલે રાગ મારી ચીજ છે એમ માને છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ-દ્વેષાદિનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જેવો રાગ થાય એવું જ્ઞાનમાં જાણવામાં આવે છે. ત્યાં જાણે કે જ્ઞાન જ રાગદ્વેષરૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. રાગ તો ખરેખર જ્ઞાનનું પરશેય છે. પણ એમ ન માનતાં હું રાગદ્વેષપણે જ થઈ ગયો છું એમ અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિ કર્મોનો કર્તા થાય છે; પણ પોતાના જ્ઞાતાદષ્ટાસ્વભાવનું ભાન પ્રગટ કરતો નથી. [પ્રવચન નં. ૧૫૭ ( શેષ ), ૧૫૮ * દિનાંક : ૧૬-૮-૭૬ અને ૧૭–૮–૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૩ ज्ञानात्तु न कर्म प्रभवतीत्याह परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो। सो णाणमओ जीवो कम्माणमकारगो होदि।। ९३ ।। परमात्मानमकुर्वन्नात्मानमपि च परमकुर्वन्। स ज्ञानमयो जीवः कर्मणामकारको भवति।। ९३ ।। જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે - પરને ન કરતો નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકા૨ક કર્મનો એમ જ બને. ૯૩. ગાથાર્થ- [૫૨] જે પરને [ માત્માનમ્ ] પોતારૂપ [ ગર્વન કરતો નથી [૨] અને [ મીત્માનમ્ uિ] પોતાને પણ [પરમ્] પર [ ગર્વન] કરતો નથી [સ:] તે [ જ્ઞાનમય: નીવડ] જ્ઞાનમય જીવ [ર્માન] કર્મોનો [ સારવ: મવતિ] અકર્તા થાય છે અર્થાત્ કર્તા થતો નથી. ટીકા:- જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષસુખદુ:ખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષસુખદુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડ પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે અજ્ઞાનાત્મા વડ જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૩ ] [ ૨૫ પોતે જ્ઞાનમય થયો થકો, “આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે (અર્થાત્ રાગ તો પુદ્ગલ કરે છે ) ' ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ- જ્યારે આત્મા રાગદ્વેષસુખદુ:ખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્ જેમ શીત-ઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુદ્ગલની અવસ્થા છે' એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે. સમયસાર ગાથા ૯૩ઃ મથાળું જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે: * ગાથા ૯૩ ટીકા ઉપરનું પ્રવચન * “જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે.' સમ્યગ્દર્શન થતાં હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન ચૈતન્યમૂર્તિ આત્મા છું અને અચેતન જડ રાગાદિ મારાથી ભિન્ન છે એવું ભાન થાય છે. દયા-દાનનો રાગ હો કે પંચમહાવ્રતનો રાગ હોએ આસ્રવ છે, દુઃખદાયક છે; અને એનાથી ભિન્ન મારી ચીજ આનંદદાયક છે. આ પ્રમાણે આત્મા અને પરનું અંતર જાણે તે પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. ભેદજ્ઞાન થતાં જ્ઞાની રાગને પોતારૂપ કરતો નથી અને પોતાને રાગરૂપ કરતો નથી. અહાહા...! ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવમય જાણનસ્વભાવમય વસ્તુ આત્મા છે. એની દષ્ટિ થતાં ધર્મી એમ જાણે છે કે હું તો જ્ઞાનમય છું, રાગમય નથી. વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે હું નથી. જ્ઞાનીને વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહારને જ્ઞાની સ્વરૂપથી ભિન્ન જ માને છે. હું તો વ્યવહારનો-રાગનો જાણનાર છું એમ જ્ઞાની માને છે. તે તે સમયે થતો રોગ જ્ઞાનીને માત્ર જાણેલો પ્રયોજનવાન છે. આ વસ્તુસ્થિતિ છે. અહો! વસ્તુસ્થિતિને કહેનારી ભગવાન કુંદકુંદદેવની આ અલૌકિક વાણી છે! પોતાના જ્ઞાનાનંદસ્વભાવને રાગથી ભિન્ન કરીને જે જ્ઞાનમય થયો તે એમ જાણે છે કે હું તો જ્ઞાયક-જાણનાર છું; વિષયવાસનાનો રાગ હો, પણ હું તો તેનો જાણનાર જ્ઞાનસ્વરૂપ છું. અહા ! મારા જ્ઞાનમાં રાગ નથી અને રાગમાં મારું જ્ઞાન નથી. હું તો જ્ઞાનસ્વરૂપ છું અને રાગ અચેતન છે; આ શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન અચેતન એવા રાગમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કેમ હોઈ શકે ? અને અચેતન રાગ શુદ્ધ ચૈતન્યમાં કેમ હોઈ શકે? આ પ્રમાણે ભેદજ્ઞાન થતાં સ્વયં જ્ઞાનમય થયો થકો તે કર્મોનો અકર્તા થાય છે. અહીં “સ્વયં” નો અર્થ-કર્મ ખસ્યા માટે જ્ઞાનમય થયો એમ નહિ, પણ વસ્તુ અંદર ચિદાનંદઘનસ્વરૂપ પડી છે તેનો આશ્રય કરવાથી સ્વયં જ્ઞાનમય થયો છે. અહો ! જૈનદર્શન એ તો વિશ્વદર્શન છે અને એ જ વિશ્વને શરણ છે. ધર્મી એમ માને છે કે હું તો સ્વયં જ્ઞાનમય છું. રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન જ્ઞાનથી પોતાથી થયું છે, એને કોઈ પરની અપેક્ષા નથી. જ્ઞાની સ્વયે જ્ઞાની થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. અહીં જડ કર્મની વાત નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે એમ વાત છે. સમજાણું કાંઈ ? તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે: જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.'..... જાઓ, શીત-ઉષ્ણ અવસ્થા તે પુદ્ગલના પરિણામ છે. તે પુદ્ગલથી અભિન્ન એટલે એકમેક છે. તે કારણથી તે અવસથા આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. શીત-ઉષ્ણ અવસ્થા અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે કે તે અવસ્થા જ્ઞાન કરવામાં નિમિત્ત છે. તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે તે પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્ન છે. શીત-ઉષ્ણનું જે જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે. મતલબ કે શીત-ઉષ્ણનું જ્ઞાન થયું તે પોતાથી થયું છે, શીતઉષ્ણ અવસ્થા છે માટે થયું છે એમ નથી. શીત-ઉષ્ણનું જે જ્ઞાન થયું તે શીત-ઉષ્ણ અવસ્થાથી સદાય ભિન્ન છે. ભગવાન આત્મા ઠંડી અને ઉની અવસ્થાનો અનુભવ કરવામાં સમર્થ છે. અનુભવનો અર્થ તેનું જ્ઞાન કરવામાં સમર્થ છે. શીત-ઉષ્ણનો આત્મા અનુભવ કરે એ તો અશકય છે જડની અવસ્થાનો આત્મા કેમ અનુભવ કરે? ઠંડી-ગરમ અવસ્થાનો અનુભવ એટલે જ્ઞાન આત્મા કરે છે એમ અર્થ છે. આત્મા પોતે પોતાથી શીત-ઉષ્ણ અવસ્થાનું જ્ઞાન કરે છે તેમાં તે શીત-ઉષ્ણ અવસ્થા નિમિત્ત છે. શીત-ઉષ્ણ અવસ્થા છે માટે જ્ઞાન થયું એમ નથી, જ્ઞાન તો પોતાથી સ્વતંત્ર થયું છે. શીત-ઉષ્ણનું અહીં જે જ્ઞાન થયું તે જ્ઞાન પણ સમ્યજ્ઞાનીને યથાર્થ હોય છે. જેને સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને શીત-ઉષ્ણ અવસ્થાનું સાચું જ્ઞાન થાય છે. કળશટીકામાં (કળશ ૬૦માં) આ વાત કરી છે. જેને સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને પસંબંધીનું પરપ્રકાશક જ્ઞાન યથાર્થ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૩ ] [ ૨૭ ભાઈ ! જન્મમરણનો અંત આવી જાય એવો આ અલૌકિક માર્ગ છે. જેમ શીત-ઉષ્ણનું જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, “તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.' જુઓ, શુભાશુભ રાગ અને હરખશોકના પરિણામ બધા પુદ્ગલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા અચેતન છે તેમ રાગદ્વેષ અને સુખ-દુઃખની અવસ્થા પણ અચેતન છે. એ રાગદ્વેષ આદિ અવસ્થા પુદ્ગલજન્ય છે. તે અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે કે તે અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે. જેવા રાગ-દ્વેષ અને જેવી સુખદુઃખની કલ્પના છે એવું જ્ઞાન થાય છે. જ્ઞાનનો સ્વભાવ છે કે જેમ હોય તેમ જાણે. દયાદાનનો વિકલ્પ છે તે કર્મચેતના છે, અને હરખશોકના પરિણામ છે તે કર્મફળચેતના છે. અહીં કહે છે કે એ કર્મચેતના અને કર્મફળચેતના પુદ્ગલના પરિણામ છે, અચેતન છે, તે પુદ્ગલપરિણામ પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. બે વાત કરી છે; એક બાજુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા અને બીજી બાજુ પુદ્ગલ, દયા, દાન અને પંચમહાવ્રતના પરિણામ તે પુદ્ગલપરિણામ છે, કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. અહીં તો રાગથી ભેદજ્ઞાન કરાવ્યું છે. જ્ઞાનમય આત્મા છે તે રાગમય નથી, કેમકે રાગ અચેતન છે. રાગ થાય છે ચેતનની પર્યાયમાં, પણ નિમિત્તની ઉપાધિપૂર્વક રાગ થાય છે તે અપેક્ષાથી રાગને પુદ્ગલ કહ્યો છે. ભગવાન આત્મામાં રાગ નથી અને આત્માના સ્વભાવના લક્ષે રાગ ઉત્પન્ન થતો નથી. આત્મામાંથી તો જ્ઞાન અને આનંદની ઉત્પત્તિ થાય તેવી એની શક્તિ છે. તેથી રાગને પુદ્ગલપરિણામ કહ્યા છે. રાગદ્વેષ અને હરખશોકના પરિણામના નિમિત્તે તે પ્રકારનો જે અનુભવ એટલે તે પ્રકારનું જે જ્ઞાન થાય છે તે આત્માથી અભિન્ન છે. એટલે જેવા રાગદ્વેષ અને હરખ-શોકના પરિણામ થાય છે એવું અહીં આત્મામાં જ્ઞાન થાય છે. મતલબ કે જ્ઞાન જ્ઞાનથી પોતાથી થાય છે. તેમાં તે તે રાગદ્વેષાદિ પરિણામ નિમિત્ત છે. જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થાય તે જ્ઞાનચેતના છે. તે જ્ઞાનચેતનામાં આ રાગાદિ પરિણામ નિમિત્ત છે. તે રાગાદિ ભાવ પુદ્ગલથી અભિન્ન હોવાના કારણે જીવથી સદા અત્યંત ભિન્ન છે. રાગ આત્માની ચીજ હોય તો તે નીકળે કઈ રીતે? જે ચીજ જીવમાંથી નીકળી જાય તે ચીજ જીવની નથી. માટે રાગાદિ પુદગલની ચીજ છે. પંચાધ્યાયીમાં પુણ્ય પાપના ભાવને આગંતુક કહ્યો છે. જેમ મહેમાન આવે છે અને ચાલ્યા જાય છે તેમ આત્મા જે ચીજ છે એમાં આ રાગદ્વેષના ભાવ થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તે આગંતુક ભાવ છે. તે રાગને અહીં અચેતન કહીને અનુભવ કરાવવામાં એટલે જ્ઞાન કરાવવામાં સમર્થ એટલે નિમિત્ત છે એમ કહ્યું છે. જ્ઞાન તો સ્વયં પોતાથી થાય છે તેમાં રાગાદિ ભાવ નિમિત્ત છે એમ કહ્યું છે. રાગ જ્ઞાનને કરે કે જ્ઞાન રાગને કરે એવી વસ્તુ નથી. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને જ્યાં જ્ઞાનમય થયો ત્યાં તે કર્મચેતના અને કર્મફળચેતનાના પરિણામ જ્ઞાનમાં (જ્ઞયપણે) નિમિત્ત છે. પોતાનું જે સ્વપરપ્રકાશક જ્ઞાન પરિણમ્યું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પરથીરાગાદિથી સદાય અત્યંત ભિન્ન છે. તથા પર્યાયમાં જે રાગાદિ પરિણામ થયા તે પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અહા ! જેમ કરવતથી બે કટકા કરે તેમ અહીં જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન કરીને બે કટકા કરવાની વાત છે. રાગાદિ પરિણામ જ્ઞાનમાં નિમિત્ત છે એનો અર્થ શું? એનો અર્થ એટલો કે જ્ઞાન પોતાથી સ્વપરપ્રકાશકપણે પરિણમે છે એમાં તે રાગાદિ ભાવો પરશેયપણે નિમિત્ત છે. ત્યાં રાગ છે તો અહીં જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. આત્મા જ્ઞાન કરવામાં સ્વતંત્ર છે. રાગ થયો માટે રાગનું જ્ઞાન થયું એમ છે નહિ. રાગના નિમિત્તે થતું તે પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી ( રાગથી) સદાય અત્યંત ભિન્ન છે. જુઓ આ પરમાત્માની વાણી ! સંતોની વાણી ! સંતોની વાણી એ પરમેષ્ઠીની વાણી છે. આચાર્ય પણ પરમેષ્ઠી છે ને! ધવલમાં ““મો લોએ ત્રિકાલવર્તી સવ્વ અરિહંતાણં'' ઇત્યાદિએવો પાઠ છે. ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠીના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેમને નમસ્કાર કરવાનો જે રાગ થયો તે પુદ્ગલના પરિણામ છે એમ અહીં કહે છે. અને તે પુદ્ગલપરિણામ જ્ઞાન કરાવવામાં નિમિત્તરૂપે સમર્થ છે, પણ છે તો એ પુદ્ગલપરિણામ, અને તે પુદ્ગલથી અભિન્ન છે. તેનું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને તે રાગના પરિણામથી અત્યંત ભિન્ન પદ્રવ્યને નમસ્કારનો ભાવ એ રાગ છે, વિકલ્પ છે. સ્વના અનુભવમાં લીન થવું, સ્વમાં નમવું એ નિશ્ચય નમસ્કાર છે. સ્વાશ્રયે નિર્વિકલ્પદશા પ્રગટ કરવી તે ભાવનમસ્કાર છે. પંચપરમેષ્ઠીની વંદનાનો જે વિકલ્પ થયો તે કર્મચેતના છે. પંચપરમેષ્ઠીની વંદનાના ભાવમાં જે હુરખ આવી ગયો તે કર્મફળચેતના છે. આ કર્મચેતના અને કર્મફળચેતનાના પરિણામ પુદ્ગલથી અભિન્ન છે. અને તે પ્રકારના જ્ઞાનથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. અહા ! ગજબ વાત છે! પ્રભુ! તારી ઋદ્ધિ તો દેખ! રાગનું જ્ઞાન કરવા તું સમર્થ છો પણ રાગ કરે એવી તારી શક્તિ નથી. કેમકે રાગની તારામાં નાસ્તિ છે. આ લીમડાના એક પાંદડામાં અસંખ્ય અને એક શરીરમાં એકેક જીવ છે. એમ ઠસોઠસ જીવ ભર્યા છે. દરેકના કાર્માણ અને તેજસ શરીર ભિન્ન છે. આવા જીવોના અસ્તિત્વનો જ્ઞાની જ સ્વીકાર કરી શકે. (અજ્ઞાનીને એનો સ્વીકાર હોતો નથી). અહીં! આમ અસંખ્ય જીવો ભીડમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૩ ] [ ૨૯ ભીંસાઈને પડયા છે! એક રાઈ જેટલી બટાટાની કટકીમાં નિગોદના જીવોનાં અસંખ્ય ઔદારિક શરીર છે. અને પ્રત્યેક શરીરમાં અનંત એકેન્દ્રિય જીવો છે. દરેકના પરિણામ ભિન્ન છે. કોઈ જીવના પરિણામ કોઈ અન્ય જીવને સ્પર્શતા નથી. અરે પ્રભુ! તારા જ્ઞાનની ગંભીરતા તો દેખ! જ્ઞાન તેને સ્વીકારે છે અને તે વસ્તુ જ્ઞાનમાં નિમિત્ત પણ છે. પણ તેને સ્વીકારતું જ્ઞાન પોતે પોતાથી થયું છે, પર નિમિત્તથી થયું છે એમ નથી. અહાહા...! કહે છે કે રાગ-દ્વેષ સુખ-દુઃખાદિ અવસ્થા પુદ્ગલના પરિણામ છે. ગજબ વાત છે ને! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય એ ભાવ પુદગલની દશા છે, કેમકે તેના નિમિત્તે પુદ્ગલકર્મ બંધાય છે, તેનાથી પુદ્ગલનો સંયોગ થાય છે. તે ભાવ આત્મભાવ નથી તેથી પુદ્ગલપરિણામ છે. જ્ઞાનીને તીર્થકરગોત્રબંધના કારણરૂપ જે શુભરાગ આવ્યો તે રાગ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. તે શુભરાગ સંબંધી તેને જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી–તે શુભરાગથી અત્યંત ભિન્ન છે. અહો ! જ્ઞાનની પર્યાયનો અનંતના અસ્તિત્વને (અનંતપણે) જાણે એટલો વિષય છે છતાં પરપદાર્થ અને રાગ છે તો જ્ઞાન જાણે છે એમ નથી. પ્રશ્ન:- શાસ્ત્રમાં આ બધી વાત છે તો જ્ઞાન થાય છે ને? ઉત્તર:- ના, જ્ઞાન પોતાથી થાય છે. શાસ્ત્રથી થતું નથી. વળી પરને જાણતાં જે વિકલ્પ થાય છે તે વિકલ્પ જ્ઞાનથી ભિન્ન છે. માટે તે વિકલ્પથી જ્ઞાન થાય છે એમ નથી. આવો વીતરાગનો માર્ગ છે. કેટલાક કહે છે સમન્વય કરો. પણ વીતરાગ ધર્મનો કોઈ સાથે સમન્વય થઈ શકે એમ નથી. કોઈની સાથે વિરોધ કે દ્વેષની આ વાત નથી. પણ કોઈ સાથે સમન્વય થાય એવો આ માર્ગ નથી. અહા ! જે વડે તીર્થકરગોત્ર બંધાય એવો જે રાગ તેની સાથે પણ જ્ઞાનને એકતા નથી. લોકોને એમ લાગે કે તીર્થકરગોત્ર બાંધ્યું અને તે જીવ તીર્થકર થશે. પરંતુ તીર્થકર થશે એ તો પોતાના કારણે થશે. રાગનો ભાવ આવતાં તીર્થકરગોત્ર બંધાઈ જાય છે. પરંતુ પછી સ્વનો આશ્રય લેતાં સમસ્ત રાગ તૂટશે ત્યારે કેવળજ્ઞાન થતાં તીર્થકરગોત્રનો ઉદય આવશે. (એમાં રાગનું અને કર્મનું શું કર્તવ્ય છે?) રાગ મારો અને હું એનો કર્તા એવી કર્તા બુદ્ધિથી અજ્ઞાની જીવ દુ:ખીદુ:ખી છે. ભગવાન આત્મા આનંદનો નાથ આનંદમૂર્તિ પ્રભુ છે. તેને ભૂલી રાગ મારો છે એમ માનનાર અજ્ઞાની જીવ ચારગતિમાં રખડતાં મહાદુઃખી છે, કેમકે રાગ દુ:ખ છે. અહીં કહે છે જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં રાગના પરિણામ-દુ:ખના પરિણામ પુદ્ગલ સાથે અભિન્ન છે; અને તે રાગપરિણામના નિમિત્તે તે પ્રકારનું જે જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે અને રાગથી ભિન્ન છે. તથા જે રાગના પરિણામ થયા તે પુદ્ગલથી અભિન્ન છે અને જ્ઞાનથી ભિન્ન છે. આવું ભેદજ્ઞાન જ્યાં સુધી કરશે નહિ ત્યાં સુધી ભૂલો પડેલો ભગવાન ચાર-ગતિમાં આથડશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ લોકો બિચારા વેપારધંધામાં રળવા કમાવામાં ગરી ગયા હોય તેમને આ નક્કી કરવાની કયાં ફુરસદ છે? પણ દુઃખથી બચવું હોય તો આ સમજ્યા વિના છૂટકો નથી, ભાઈ ! આ ખેતી નથી કરતા? ખેતીમાં બાજરી, જુવાર, કપાસ વગેરે મોલ પાકે તેને જોઈને ખૂબ હરખાઈ જાય, રાજી રાજી થઈ જાય. ગુજરાતમાં કપાસ ઢગલાબંધ પાકે તો કહે કે-કાચું સોનું પાડ્યું છે. અરે ભાઈ ! ખેતીનો મોલ છે એ તારી ચીજ નથી, એ તો પરવસ્તુ છે. તે સંબંધીનો જે વિકલ્પ આવ્યો તે તીવ્ર રાગ-દુ:ખરૂપ છે. તે રાગના-દુ:ખના પરિણામ નિશ્ચયથી જીવથી ભિન્ન છે અને તેનું જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે. આ ભેદજ્ઞાનની વાત છે, અને તે જ દુઃખ દૂર કરવાનો ઉપાય છે. શીત-ઉષ્ણની માફક પુણ્ય-પાપના ભાવને અહીં પુદ્ગલમાં નાખી દીધા છે. શીત-ઉષ્ણ છે એ પરમાણુની અવસ્થા છે અને આ રાગદ્વેષ તો જીવની પર્યાય છે. તેને અહીં અચેતન કહીને પુદ્ગલપરિણામ કહ્યા છે. અચેતન છે પણ તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. જડકર્મની અવસ્થામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે અને આ રાગાદિ અવસ્થામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. પરંતુ રાગાદિની પર્યાયમાં જ્ઞાનનો અંશ નથી માટે તેને અચેતન કહીને પુદ્ગલપરિણામ કહ્યા છે. અહો! આ સમયસાર જગતનું અજોડ, અદ્વિતીય ચક્ષુ છે! ભરતક્ષેત્રનો ભગવાન છે! શીતઉષ્ણનું પોતામાં જ્ઞાન થાય છે તો એ શીત-ઉષ્ણ અવસ્થાને જ્ઞાન કરાવવામાં સમર્થ કહેલ છે. સમર્થનો અર્થ અહીં નિમિત્ત થાય છે. તેમ રાગદ્વેષની અવસ્થા જ્ઞાન કરાવવામાં સમર્થ છે એટલે નિમિત્ત છે. જ્ઞાન તો પોતાથી થાય છે, નિમિત્ત છે તો જ્ઞાન થાય છે એમ નથી. મોટાં મકાન, બંગલા હોય અને એમાં મખમલના ગાલીચા અને લાખોનું ફર્નીચર હોય, પણ એમાં તારે શું ભાઈ ! એ તો બધી બહારની ધૂળ છે અને તે અનંતવાર સંયોગમાં મળી છે. એની મમતાબુદ્ધિ હોય તો એમાંથી નીકળવું બહુ ભારે પડશે ભાઈ ! તારે આત્માની ચૈતન્યલક્ષ્મી જોઈતી હોય તો અહીં કહે છે કે જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તે ભાવ અચેતન પુદ્ગલપરિણામ છે એમ નક્કી કર. જ્ઞાનસ્વભાવનો અભાવ છે માટે તે ભાવ પુદ્ગલપરિણામ છે. અરે ભાઈ ! જે ભાવ અચેતન છે તે નિશ્ચયનું કારણ કેમ થાય? ચેતનની નિર્મળ પર્યાય થવામાં અચેતન રાગ કારણ થાય એમ કેમ બને? તે ભાવ જ્ઞાનમાં નિમિત્ત હો, પણ એનાથી નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે એમ કદીય બને નહિ. અચેતન રાગ કારણ અને ચૈતન્યની પર્યાય કાર્ય એમ કદી હોય નહિ. દષ્ટિની અપેક્ષાએ તો સ્વાનુભવની જે નિર્વિકલ્પ દશા એ પણ જીવ નથી. એ દશા તો જીવનો પર્યાયભાવ છે. પર્યાયનો ભાવ છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. સમ્યગ્દર્શનનો વિષય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. સમ્યગ્દર્શનની પર્યાય કે મોક્ષમાર્ગની પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. મોક્ષમાર્ગની પર્યાય તે મોક્ષમાર્ગનો વિષય નથી. અનુભૂતિની પર્યાય ત્રિકાળી ધ્રુવ સામાન્યને વિષય કરે છે. આવું વસ્તુસ્વરૂપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૩ ] [ ૩૧ પ્રશ્ન:- વ્યવહારરત્નત્રયને પરંપરા કારણ કહ્યું છે ને? ઉત્તર- હા, વ્યવહારરત્નત્રયનો શુભરાગ જ્ઞાનીને મોક્ષનું પરંપરા કારણ વ્યવહારથી કહેલ છે. એનો અર્થ જ એ થયો કે વ્યવહારરત્નત્રય મોક્ષમાર્ગનું વાસ્તવિક કારણ નથી. રાગથી ભિન્ન પડીને પોતાના જ્ઞાયક સ્વરૂપનો જેને અનુભવ થયો છે એવા સમકિતી ધર્મી જીવને શુભના કાળે અશુભ ટળે છે અને સ્વાશ્રયે તેને શુભ ટળીને શુદ્ધ દશા પ્રગટ થશે એ અપેક્ષાએ જ્ઞાનીના વ્યવહારરત્નત્રયને મોક્ષનું પરંપરા કારણે વ્યવહારથી કહેલ છે. યથાર્થ સિદ્ધાંત આ એક જ છે કે વ્યવહારથી નિશ્ચય ન થાય, કેમકે વ્યવહારનો શુભરાગ અચેતન છે, પુદ્ગલના પરિણામરૂપ છે. તે ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્માની નિર્મળ પરિણતિનું કારણ થાય એમ બની શકે નહિ. તે જ્ઞાનમાં નિમિત્ત છે અને જ્ઞાન તેનું જાણનાર છે; એવું જ્ઞાનનું સ્વપરપ્રકાશક સહજ સામર્થ્ય છે. હવે કહે છે જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુ:ખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીતઉષ્ણની માફક, જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગદ્વેષસુખ-દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, ““આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે (અર્થાત્ રાગ તો પુદ્ગલ કરે છે)' ' ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.' ભેદજ્ઞાન થવાથી ધર્મી જીવ રાગદ્વેષ, સુખદુઃખની કલ્પના અને જ્ઞાન એ બે વચ્ચેનું પરસ્પર અંતર જાણે છે. જુઓ, સુંદર યુવાન સ્ત્રીને દેખી અજ્ઞાની રાગ કરે છે અને તેમાં આનંદ માને છે. જ્યારે જ્ઞાનીને એવા પ્રસંગમાં રાગ થાય તેનો ખેદ થાય છે. ખરેખર જ્ઞાનીને તો એ રાગ જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાની તો જાણે છે કે આ રાગ દુઃખરૂપ છે. ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત ન હોય એવા જ્ઞાનીને ચારિત્રના દોષથી રાગ આવે છે. પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન પણ થાય છે. પરંતુ રૌદ્રધ્યાનના પરિણામ જ્ઞાન કરાવવામાં નિમિત્ત છે. આવી વાત લોકોને સાંભળવા મળી નથી એટલે નવી લાગે છે. પણ આ કાંઈ નવી નથી. અનાદિથી માર્ગ ચાલ્યો આવે છે તે જ આ વાત છે. અરે પ્રભુ! તું ચૈતન્યનો નાથ છો; તેને તારી પર્યાયમાં પધરાવ ને! ભગવાન! એમાં તારી શોભા છે અને એમાં તને આનંદ થશે. ભગવાનને તું અંતરમાં બેસાડ. અજ્ઞાનીને અનાદિથી પર્યાય ઉપર દષ્ટિ છે તેથી તેને શુદ્ધ ચૈતન્યતત્ત્વનો-ત્રિકાળી દ્રવ્યનો મહિમા આવતો નથી. પણ પ્રભુ! તું શુદ્ધ ચેતનાસિંધુ જ્ઞાનનો દરિયો છું. તેમાંથી તો જ્ઞાનની પર્યાય ઉછળે. નદીમાં તરંગ ઊઠે તો પાણીના તરંગ ઊઠે કાંઈ રેતીના તરંગ ઊઠે? તેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે. તેમાં તો જ્ઞાનની પર્યાયના ક્લોલો ઊછળે; તેમાંથી રાગની પર્યાય ન ઊછળે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. સૂક્ષ્મ તો છે પ્રભુ! પણ શું થાય? માર્ગ તો આ છે. અનંત તીર્થંકરોએ કહ્યો તે માર્ગ દિગંબર સંતોએ જગત સમક્ષ જાહેર કર્યો છે. સંતો ભગવાનના આડતિયા થઈને આ માલ તારા માટે લાવ્યા છે. પ્રભુ! તારી મહત્તા તો તું દેખ! જગતમાં અનંતા રજકણ અને અનંતા જીવ છે. પ્રત્યેક રજકણ અને પ્રત્યેક જીવ પ્રત્યેક સમયે અનંત ગુણ-પર્યાય સહિત છે. તેની સત્તાનો સ્વીકાર કરે તેવી જ્ઞાનની એક સમયની પર્યાયની અદ્દભુત તાકાત છે. જેની એક સમયની જ્ઞાનની પર્યાયનું આવું અચિંત્ય સામર્થ્ય છે, તે આત્મા તો ત્રિકાળી જ્ઞાનનો પિંડ પ્રભુ છે. દષ્ટિ અપેક્ષાએ તો એક સમયની પર્યાય નથી તેવો એકલો પરમપારિણામિકભાવરૂપ તેનો સ્વભાવ છે. ઔદયિક આદિ જે ચાર ભાવો છે તેમાં કર્મના સદ્દભાવની વા અભાવની અપેક્ષા આવે છે. પાંચમો પારિણામિક ભાવ છે તે પરમ નિરપેક્ષ છે. તેમાં નિમિત્તની અપેક્ષા નથી. આવા સ્વભાવનું ભાન થઈને જેને ભેદજ્ઞાન થયું તે ધર્મીને, જ્ઞાન પર્યાયમાં સહજ સ્વપ૨પ્રકાશક સામર્થ્ય પ્રગટે છે. તેને તીર્થરક્ષાનો જે અનુરાગ થાય તે રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે. તે રાગ પુદ્દગલ સાથે અભિન્ન છે અને તે સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે. જ્ઞાનીને જે અનુરાગ થયો તે જાણેલો પ્રયોજનવાન છે બસ. જ્ઞાનીને દયા, દાન, વ્રત આદિનો રાગ હો; એ રાગ આવે તે કાંઈ ધર્મ નથી. એ રાગ તો જ્ઞાનમાં જાણવાલાયક છે. એ રાગ જ્ઞાનથી ભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન છે. નિશ્ચયથી આત્માનો જ્ઞાયકસ્વભાવ છે. તેની અનંત શક્તિનો શુદ્ધ અને પવિત્ર છે. પવિત્રતાપણે પરિણમવું તે શકય છે પણ રાગ અને વિકાર કે જે પુદ્દગલપરિણામ છે તે-રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે. મુનિદશામાં જે પંચમહાવ્રતાદિનો રાગ આવે છે તે દ્રવ્યલિંગ છે. જેમ નગ઼દશા એ જડની દશા છે અને તે દ્રવ્યલિંગ છે તેમ પંચમહાવ્રતાદિના પરિણામ પણ દ્રવ્યલિંગ છે. તે આત્માની પર્યાય નથી. તે દ્રવ્યલિંગપણે આત્મા વડે પરિણમવું અશકય છે. ગજબ વાત છે! ભાઈ! આ સમજવા માટે ખૂબ ધીરજ જોઈએ. અને સમજીને અંતર્મુખ થવામાં અનંતગુણો પુરુષાર્થ જોઈએ. અહો ! આચાર્યદેવે કેવી અલૌકિક વાત કરી છે! રાગથી ભિન્ન પડીને સ્વભાવસન્મુખ થવું અને સ્વભાવને (રાગથી ) અધિક જાણવો તે સમ્યજ્ઞાન છે. ચૈતન્યસ્વભાવથી વિભાવને અધિક-ભિન્ન જાણવો તે આત્માનો માર્ગ છે. ગાથા ૧૭–૧૮માં આવે છે કે આ બાળગોપાળ સૌને જ્ઞાનમાં પોતાનો આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયનો સ્વપ૨પ્રકાશપણાનો સ્વભાવ છે. તેથી જ્ઞાનની પર્યાયમાં પોતાનો દ્રવ્યસ્વભાવ અનુભવવામાં-જાણવામાં આવે છે. પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૩ ] પોતાના ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર જતી નથી. રાગ અને વ્યવહાર ઉપર એની દષ્ટિ રહેલી છે. તેથી આ રાગને હું જાણું છું' એમ ભ્રાન્તિથી તે જાણે છે. અહીં તો જ્ઞાનીની વાત છે. ધર્મી-સમકિતીની દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર સ્થિર થઈ ગઈ છે. તેથી તે જ્ઞાનસ્વભાવરૂપે પરિણમે છે. તે રાગની પરિણતિથી ભિન્નપણે પરિણમે છે. આ શરીર તો જડ માટી છે. મસાણનાં હાડકાં છે. અને અંદર જે શુભરાગ અને પુણ્ય થાય તે પુદ્ગલપરિણામ છે એમ જ્ઞાની જાણે છે. કોઈને બેસે ન બેસે તે જુદી વાત છે, પરંતુ રાગ તે પુદ્ગલના પરિણામ છે કેમકે તે જ્ઞાન સાથે તન્મય નથી, પણ જ્ઞાનથી ભિન્ન છે. તે જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય જણાય છે. પરંતુ અજ્ઞાનીની દ્રવ્ય ઉપર દૃષ્ટિ નથી. અજ્ઞાનીની દષ્ટિ અનાદિથી રાગ અને પર્યાય ઉપર પડી છે. એટલે મેં દયા પાળી, મેં વ્રત કર્યા, મેં ભક્તિ કરી, પૂજા કરી એમ જાણતો તે પોતાને એકલો પરપ્રકાશક માને છે. સ્વપરપ્રકાશક જ્ઞાનને એકલું પરપ્રકાશક માને તે મિથ્યાત્વ છે. રાગને માનવો અને સ્વભાવને ન માનવો તે એકાન્તમિથ્યાત્વ છે, મિથ્યા ભ્રાન્તિ છે. અરે પ્રભુ! તું કોણ છો? અહાહા...! અનંતગુણોથી અવિનાભાવી જ્ઞાનસ્વરૂપ આત્મા છો. જ્ઞાનથી અવિનાભાવી અનંતગુણનો પિંડ પ્રભુ તું આત્મા છો. આવા શુદ્ધ ચૈતન્યમય આત્માની જેને દષ્ટિ થઈ છે તે જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય છે. તેને જે રાગ થાય છે તેને જ્ઞાન જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર પોતાનું જ્ઞાન થયું ત્યારે તે પર્યાયમાં સ્વપરપ્રકાશકપણાનું સામર્થ્ય પ્રગટ થયું તો રાગ જ્ઞાનમાં જણાઈ જાય છે. જ્ઞાન રાગને જાણે છે એ ઉપચાર કથન છે. વાસ્તવિક તો એ છે કે સ્વપરપ્રકાશક પર્યાયને પોતે જાણે છે. જ્ઞાન અને રાગ એક સમયમાં એક સાથે ઉત્પન્ન થાય છે. ત્યાં હું રાગસ્વરૂપ છું એમ અજ્ઞાની માની લે છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં (ચોથા અધિકારમાં) કહ્યું છે કે જે સમયે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સમયે રાગ ઉત્પન્ન થાય છે. બન્નેનો એક કાળ છે. તો અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગ મારી ચીજ છે. બેના ભાવ ભિન્ન છે એવું તેને ભાન નથી. અહો! કુંદકુંદાચાર્યદવે જગતને ન્યાલ કરી દીધું છે. તેઓશ્રી વિદેહમાં સાક્ષાત્ સદેહે પધાર્યા હતા. આ વાત પંચાસ્તિકાય, પાહુડ અને દર્શનસાર–આ ત્રણે શાસ્ત્રોમાં છે. ભગવાન કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં સીમંધરભગવાનના સમોસરણમાં ગયા હતા અને ત્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના કરી છે. આ વાત પ્રમાણભૂત અને પરમ સત્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અહીં કહે છે-રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની રાગદ્વપસુખદુઃખાદિ અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણે છે, પરસ્પર બન્નેનું અંતર જાણે છે. પોતાનો સ્વભાવ જ્ઞાન છે અને રાગનો સ્વભાવ જડપણું છે; પોતે આત્મા ત્રિકાળ સત્તારૂપ છે અને રાગ એક સમયનું અસ્તિત્વ છે, પોતે નિત્યાનંદસ્વરૂપ પ્રભુ છે અને રાગ દુઃખરૂપ છે-આ પ્રમાણે જ્ઞાની પરસ્પર બન્નેનું અંતર જાણે છે. અહાહા...! રાગથી ભિન્ન ભગવાન આત્માને જ્યાં સ્વલક્ષે અનુભવ્યો ત્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી ગયું. આનું નામ ભેદજ્ઞાન અને આ સમ્યગ્દર્શન છે. આમાં વાદવિવાદ કરે અને સત્યને અસત્ય કરીને સ્થાપે અને અસત્યને સત્ય કરીને સ્થાપે એના ફળમાં દુઃખ થશે. દુઃખના સંયોગો બહુ કઠણ પડશે ભાઈ ! રાગ અને ભગવાન આત્મા એક નથી. જેમ અડદની દાળ અને ઉપરનું ફોતરું એક નથી એમ આત્મા અને રાગ એક નથી. ભગવાન આત્મા એકલા આનંદનું દળ છે અને રાગ ફોતરા સમાન છે. બન્ને ભિન્ન છે. આત્માની જ્ઞાનપર્યાય અને તે જ કાળે ઉત્પન્ન થયેલી જે રાગની પર્યાય તે બન્નેનું પરસ્પર અંતર જાણતો જ્ઞાની પરને પોતારૂપ જાણતો નથી અને પોતાને પરરૂપ જાણતો નથી. રાગથી દષ્ટિ ઉઠાવી લીધી અને ભગવાન આત્મા ઉપર દૃષ્ટિ સ્થાપી એનું નામ વિવેક એટલે ભેદજ્ઞાન છે, અને તે વડે ધર્મ છે કહ્યું છે ને કે ધર્મ વિવેકે નિપજે, જો કરીએ તો થાય.” સમયસાર કળશ ૧૩૧માં કહ્યું છે કે भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। જે કોઈ આજ સુધી મુક્તિ પામ્યા તે ભેદવિજ્ઞાનથી પામ્યા છે અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી બંધાયા છે. અહો ! ભેદજ્ઞાનનો મહિમા અપરંપાર છે! કહે છે કે-શીત-ઉષ્ણની માફક આત્મા વડે રાગદ્વેષસુખદુઃખાદિરૂપે પરિણમવું અશકય છે. શીત-ઉષ્ણ અવસ્થા છે તે પરમાણુની અવસ્થા છે. તે પરમાણુથી અભિન્ન છે. તે શીત થા આત્મા દ્વારા કરાવી અશકય છે. તેમ પુણ્યપાપના શુભાશુભભાવપણે આત્માનું પરિણમવું અશકય છે, કેમકે પુણ્યપાપ આદિ ભાવો અચેતન જડ છે અને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકભાવમાત્ર છે. અહાહા...! આત્મા જે જ્ઞાયકભાવરૂપ ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે તે રાગદ્વેષના અચેતનભાવપણે કેમ પરિણમે ? આત્મા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પરની ક્રિયાનો કર્તા થાય અને તે પરનું કાર્ય કરે એ વાત તો કયાંય રહી ગઈ. અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે વિકલ્પ થાય તે વિકલ્પપણે આત્મા વડે પરિણમવું અશકય છે. પુણ્યપાપના જે ભાવ થાય છે તે જડ અચેતન છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૩ ] [ ૩૫ ૭૩મી ગાથામાં કહ્યું છે કે રાગનું સ્વામી પુદ્ગલ છે. ત્યાં કહ્યું છે કે-“પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું.'' આમ રાગનો સ્વામી આત્મા નથી, પુદ્ગલ છે એમ પ્રથમ નિર્ણય કર એમ ત્યાં કહ્યું છે. અહીં કહે છે-જેમ શીત-ઉષ્ણપણે આત્મા વડે પરિણમવું અશકય છે. અહાહા! ગજબ વાત છે ! રાગપણે પરિણમવું તે આત્માનો સ્વભાવ નથી. જ્ઞાન અને આનંદસ્વરૂપે પરિણમવું તે આત્માનો સ્વભાવ છે. પુરુષાર્થસિદ્ધઉપાય શાસ્ત્રમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ પોકારીને કહે છે કે-જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. રાગભાવ થાય તે આત્માની હિંસા છે. જુઓ, પાંચ પાંડવો ધ્યાનસ્થ હતા. ત્યાં ઉપસર્ગ થતાં નાના બે ભાઈઓ સહદેવ અને નિકુલને ત્રણ મોટાભાઈ (મુનિવરો) પ્રત્યે લક્ષ ગયું કે-અરે! મુનિવરોને આવો ઉપસર્ગ! સાધર્મી અને સહોદર પ્રત્યે આટલો રાગનો જ વિકલ્પ આવ્યો તે શુભ વિકલ્પથી સર્વાર્થસિદ્ધિ દેવલોકનું આયુષ્ય બંધાઈ ગયું અને કેવળજ્ઞાન દૂર થઈ ગયું. ત્રણ પાંડવો તો ધ્યાનમાં લીન થઈ ગયા તો કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષપદ પામ્યા જે વિકલ્પથી સ્વર્ગના ભવનો બંધ થયો અને કેવળજ્ઞાન ન થયું તે વિકલ્પથી લાભ થાય એમ કેમ બની શકે ? અનંત તીર્થકરો, અનંત કેવળીઓ અને અનંત ભાવલિંગી સંતોએ પ્રકાશેલો આવો આ વીતરાગ માર્ગ છે. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલ. જુઓ, પ્રથમ શ્રી મહાવીરસ્વામી અને બીજા ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી પછી તરત જ ત્રીજા સ્થાને ભગવાન કુંદકુંદાચાર્યદેવનું નામ આવે છે. જેમણે જૈનશાસનને જીવિત રાખ્યું છે એવા એ મહાસમર્થ આચાર્યની આ વાણી છે. તેઓ કહે છે કે જેમનારૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો આ હું રાગને જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે, રાગ તો પુદ્ગલ કરે છે ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ૯રમી ગાથામાં જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો-એમ કહ્યું હતું અને અહીં જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થઈને, રાગનો અકર્તા પ્રતિભાસે છે એમ કહ્યું છે. અજ્ઞાન શબ્દથી અહીં રાગ સમજવું. રાગમાં જ્ઞાન નથી તેથી તેને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ એમ નહિ પણ અજ્ઞાન એટલે રાગ એમ અર્થ સમજવો. રાગાદિ અજ્ઞાનપણે પરિણમવું તે અજ્ઞાનાત્મા છે અને રાગપણે ન પરિણમતાં જ્ઞાનરૂપે પરિણમવું તે જ્ઞાનાત્મા છે. અહો ! ભગવાનનો વિરહ ભૂલાવે એવી આ વાણી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કહે છે-ધર્મજીવ કિંચિત્માત્ર રાગપણે પરિણમતો નથી. રાગમાં જ્ઞાનનો અંશ નથી. રાગ તો અજ્ઞાન છે. અને ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. તે જ્ઞાનપણે પરિણમે એવો તેનો સ્વભાવ અને સામર્થ્ય છે. ધર્મી જીવને દ્રવ્ય-સન્મુખનું પરિણમન થઈ ગયું છે એટલે તેને રાગસન્મુખનું પરિણમન છે નહિ. જે રાગ આવે છે તેનો ધર્મી જીવ જ્ઞાતાદષ્ટા રહે છે. જ્ઞાનીને ખરેખર જ્ઞાતાદષ્ટાનું જ પરિણમન છે. આ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનની વાત છે. અને ચારિત્ર! ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! અહાહા...! સમ્યગ્દર્શન સહિત અંતરમાં આનંદની રમણતા એનું નામ ચારિત્ર છે. એવા ચારિત્રવંત ભાવલિંગી મુનિવરોનાં દર્શન પણ આ કાળમાં મહાદુર્લભ થઈ પડયાં છે. એક વાર જંગલમાં ગયા હતા ત્યાં એમ થઈ આવ્યું કે અહા ! કોઈ ભાવલિંગી મુનિવર ઉતરી આવે તો ! અહો! એ ધન્યદશાનાં સાક્ષાત્ દર્શન થાય તો! અહાહા..! મુનિપદ તો પરમેશ્વર પદ છે. નિયમસારમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ એક કળશમાં (કળશ ૨૫૩માં) એમ કહે છે કે મુનિમાં અને કેવળીમાં કિંચિત્ ફેર માને તે જડ છે. અહાહા...! આવું મુનિપદ તે પરમેષ્ઠીપદ છે. પદ્મપ્રભમલધારિદેવ અહીંથી વૈમાનિક દેવલોકમાં ગયા છે અને ત્યાંથી મનુષ્યપણામાં આવી કેવળજ્ઞાન પામીને સિદ્ધપદ પામશે. આવું અલૌકિક છે મુનિપદ! અહીં કહે છે–ધર્મીને દ્રવ્યસ્વભાવસનુખનું પરિણમન થઈ ગયું છે એટલે એનું જ્ઞાતાદાપણે જ પરિણમન છે. છેલ્લે પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે. તેમાં અશુદ્ધપરિણમનની વાત જ લીધી નથી. ભગવાન આત્મા ક્રમરૂપ શુદ્ધપણે પરિણમે છે. ત્યાં ક્રમ (પર્યાય) શુદ્ધ અને અક્રમ (ગુણ) શુદ્ધ-એમ કહ્યું છે. દ્રવ્યની શક્તિ શુદ્ધ છે ત્રિકાળી શુદ્ધ શક્તિવાન દ્રવ્યની સન્મુખ થતાં શક્તિની પ્રતીતિ આવી જાય છે અને તેની પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલુ થઈ જાય છે. પછી પર્યાયના ક્રમમાં અશુદ્ધતા આવે જ નહિ. દ્રવ્યની શક્તિનું વર્ણન છે એટલે દષ્ટિપ્રધાન કથનમાં ક્રમ નિર્મળ છે એમ કહ્યું છે. પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન કથન છે. ત્યાં કહ્યું છે કે મુનિરાજને જેટલો રાગ છે તે પરિણમનના તે કર્તા છે. પરિણમન છે એ અપેક્ષાએ ત્યાં કર્તા કહેલ છે. ભાઈ ! જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે અપેક્ષાએ યથાર્થ સમજવું જોઈએ. દષ્ટિ અને દૃષ્ટિનો વિષય પવિત્ર છે તો કહે છે કે જ્ઞાની કિંચિત્માત્ર રાગપણે પરિણમતા નથી; રાગના સ્વામીપણે પરિણમતા નથી, રાગથી ભિન્નપણે જ્ઞાતાદ્રષ્ટારૂપે પરિણમે છે. ભગવાન આત્મા જ્ઞાતાદષ્ટા છે અને તે જ્ઞાનપણે પરિણમે તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે. અજ્ઞાની રાગપણે પરિણમે છે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. આત્મા જ્ઞાન અને આનંદપણે પરિણમે તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે. અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, આ હું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૩ ] [ ૩૭ રાગને જાણું જ છું ઇત્યાદિ વિધિથી રાગનો અકર્તા પ્રતિભાસે છે. “પોતે જ્ઞાનમય થયો થકો 'એટલે રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. સ્વયં અભેદ જ્ઞાનપણે પરિણમતો આ હું રાગને જાણે જ છું એમ ધર્મી માને છે. રાગથી લાભ (ધર્મ) થાય અથવા રાગ મારું કર્તવ્ય છે. એમ ધર્મી જીવ માનતો નથી. વ્યવહારથી નિશ્ચય થાય એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત કરી છે. બાકી રાગથી વીતરાગતા થાય એમ કદી હોય શકે નહિ. જ્ઞાની તો માને છે કે હું જાણું જ છું. (કરું છું એમ નહિ). પ્રશ્ન:- રાગને જાણું પણ છું અને રાગને કરું પણ છું એમ અનેકાન્ત કરો તો? ઉત્તર:- ભાઈ ! એ અનેકાન્ત નથી; હું રાગને એકાંતે જાણું છું અને રાગપણે પરિણમતો નથી એનું નામ સમ્યક અનેકાન્ત છે. રાગી તો પુદગલ છે. વ્યવહારરત્નત્રયનો રાગ પુદગલ છે. રાગી તો પુદ્ગલ છે એટલે કે જીવ સ્વરૂપથી રાગી નથી કેમકે જીવ તો ચૈતન્યસ્વરૂપ છે. રાગી તો પુદ્ગલ છે અર્થાત્ રાગનો કર્તા પુદ્ગલ છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ સમસ્ત રાગાદિ કર્મનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે. જાઓ, આ ભેદજ્ઞાનની વિધિ ! ધર્મી રાગનું જ્ઞાન કરે છે તે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. રાગ પ્રગટ કરવો તે આત્માનો સ્વભાવ નથી. આ પ્રમાણે જ્ઞાની રાગનો અકર્તા પ્રતિભાસિત થાય છે. * ગાથા ૯૩ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્યારે આત્મા રાગદ્વેષસુખદુ:ખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્ “જેમ શીતઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુદ્ગલની અવસ્થા છે' એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.' અહો! શું અલૌકિક વાતો છે! ભાઈ ! બહુ ધીરજથી આ સાંભળવું જોઈએ. કહે છેજ્ઞાની રાગદ્વેષ અને સુખદુઃખી અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે છે. પોતાની પર્યાયમાં જે પુણ્ય પાપના ભાવ અને સુખદુ:ખની કલ્પના આદિ વિકારી ભાવ થાય છે તે પુદ્ગલની અવસ્થા છે અને ધર્મી તેને જ્ઞાનથી ભિન્ન જાણે છે. પરમાં સુખ છે એવો વિકલ્પ, પરમાં દુઃખ છે એવો વિકલ્પ અને પુણ્ય પાપના વિકલ્પ-તે બધાને અહીં પુદ્ગલની અવસ્થા કહેવામાં આવી છે. હવે આવી વાત કોઈને ન બેસે તો શું થાય? અરે ભાઈ! વ્યવહારથી નિશ્ચય થાય એમ છે જ નહિ. વ્યવહાર છે ખરો; જ્યાં સુધી પૂર્ણ વીતરાગ થઈ કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી પોતાના ચારિત્રમાં અધૂરાશ છે. સ્વના આશ્રયમાં કચાશ છે એટલે રાગ આવે છે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ આવે છે પણ તે બધી પોતાની ચીજ નથી એમ વાત છે. જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાવ પુદ્ગલની અવસ્થા છે એમ અહીં કહે છે; કેમકે શુભરાગથી પુદ્ગલકર્મ બંધાય છે અને તેના ફળમાં પુદ્ગલના સંયોગો મળે છે. વાત તો એ છે પણ લોકોને મળી ન હતી એટલે નવી લાગે છે; પણ આ વાત નવી નથી. ભાઈ ! આ તો અનાદિની ચીજ છે અને અનંત તીર્થકરોએ કહેલી છે. વિભાવથી વિમુખ ભાવસમ્મુખ થતાં રાગથી આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય છે. ત્યારે તે પોતાને જ્ઞાતા જાણે છે. ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને રાગ આવે છે, સુખદુ:ખની કલ્પના થાય છે, વ્યવહાર હોય છે પણ તે તેનો જાણનાર જ્ઞાતાદ્રષ્ટા કહે છે. આત્મા સદા વીતરાગસ્વભાવી છે અને વીતરાગતા પ્રગટ કરવી તે મોક્ષમાર્ગ છે. રાગ કે જે પુદગલની અવસ્થા છે તે વીતરાગતાનું કારણ કેમ થાય? અરે ! જેને વ્યવહારની યથાર્થ સમજણ નથી તેને નિશ્ચયની પ્રાપ્તિ કેમ થઈ શકે ? નિશ્ચય છે તેને વ્યવહાર હોય છે. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ વ્યવહાર હોય છે પણ એ તેનો જ્ઞાતા-જાણનારો છે. વ્યવહાર મારો છે એમ જ્ઞાની માનતા નથી. ભેદજ્ઞાન થાય ત્યારે જીવ પોતાને જ્ઞાતા જાણે છે અને રાગદ્વેષને પુદ્ગલ જાણે છે. રાગ પોતાની ચીજ નથી પણ પોતાથી ભિન્ન છે એમ તે જાણે અહાહા..! વસ્તુ ચૈતન્યસ્વભાવ શાયકભાવ એકલા આનંદથી ભરેલો છે. આત્મા નિત્યાનંદ, સહજાનંદ, પરમાનંદસ્વરૂપ પ્રભુ છે. તેનું રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન કર્યું તે સમ્યગ્દષ્ટિ ધર્માત્મા રાગ અને સુખદુ:ખની કલ્પનાને જ્ઞાતાપણે જાણે છે, તેને પોતાની ચીજ અને પોતાનું કર્તવ્ય માનતા નથી. ૯રમી ગાથામાં અજ્ઞાનીની વાત કરી છે. અજ્ઞાની જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. અહીં ગાથા ૯૩માં જ્ઞાનીની વાત છે. ધર્મી જીવ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. ધર્મી રાગનો કર્તા નથી પણ જ્ઞાતાદષ્ટા છે. સમકિતી ચક્રવર્તી રાજા હોય, લડાઈમાં પણ જાય, તેને લડાઈનો વિકલ્પ આવે પણ તે વિકલ્પનો તે જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આવી વાત છે. લ્યો, ૯૩ પૂરી થઈ. [ પ્રવચન નં. ૧૫૯, ૧૬૦, ૧૬૧ ચાલુ * દિનાંક ૧૮-૮-૭૬ થી ૨૦-૮-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૪ कथमज्ञानात्कर्म प्रभवतीति चेत्तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं। कत्ता तस्सुवओगस्सं होदि सो अत्तभावस्स।।९४ ।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति क्रोधोऽहम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९४ ।। હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છે: હું ક્રોધ” એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે. ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪. ગાથાર્થ:- [ ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો [WS: ] આ [ ઉપયોn: ] ઉપયોગ [કદમ મો:] “હું ક્રોધ છું' એવો [ માત્મવિવં] પોતાનો વિકલ્પ [ કરોતિ] કરે છે; તેથી [ :] આત્મા [તસ્ય ઉપયોગીચ] તે ઉપયોગરૂપ [ માત્મમાવસ્ય] પોતાના ભાવનો [ વર્તા] કર્તા [ ભવતિ] થાય છે. ટીકાઃ- ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્ય-ભાવકભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે ) અનુભવન કરવાથી, “હું ક્રોધ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી “હું ક્રોધ છું' એવી ભ્રાંતિને લીધે જે સવિકાર (વિકારસહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. એવી જ રીતે “ક્રોધ” પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. ભાવાર્થ- અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને “હું ક્રોધ છું, હું માનું છું” ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ સમયસાર ગાથા ૯૪ : મથાળું અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છે:* ગાથા ૯૪ : ટીકા ઉ૫૨નું પ્રવચન * ‘ખરે ખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, ‘‘હું ક્રોધ છું'' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. ’ હવે પૂછે છે જુઓ, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારનું સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું સવિકાર ચૈતન્યપરિણામ છે. ગાથા ૯૩માં રાગાદિ ભાવને પુદ્ગલના પરિણામ કહ્યા છે અને અહીં તેને જ સવિકાર ચૈતન્યપરિણામ કહ્યા છે. ૫૨ને પોતાના માનવારૂપ, સ્વરૂપના અજ્ઞાનરૂપ અને રાગદ્વેષની પ્રવૃત્તિરૂપ એવા મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારના સવિકાર ચૈતન્યપરિણામ છે. એ ચૈતન્ય સવિકાર પરિણામ પરને અને પોતાને અવિશેષ દર્શનથી એક માને છે. અજ્ઞાનથી કર્મ એટલે વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે. તે પરિણામ સ્વ અને ૫૨ને અવિશેષ એટલે સામાન્ય-એક માને છે. બે વચ્ચે વિશેષ માનતો નથી. વિકારી પરિણામ અને મારી ચીજ ભિન્ન છે એવું અજ્ઞાની માનતો નથી. વિકાર પરિણામ અને હું-બે ભિન્ન છીએ એમ વિશેષ ન માનતાં બે એક છીએ એવું અવિશેષપણે એટલે સામાન્ય માને છે. રાગ અને સુખદુઃખની કલ્પના અને નિજ આત્મા-બન્ને એક છે એમ વિકાર ચૈતન્યપરિણામ માને છે બે વચ્ચે ભેદ-વિશેષ છે. એવું અજ્ઞાન વડે જીવ માનતો નથી. વળી અવિશેષ જ્ઞાન એટલે બન્નેનું એકપણાનું જ્ઞાન કરે છે રાગ અને હું એક છીએ એમ બન્નેને એક જાણે છે. જીવના સવિકાર પરિણામ આવું બન્નેનું એકપણું માને છે, બન્નેનું એકપણું જાણે છે, બન્નેનું એકપણું આચરે છે. જડકર્મને કારણે આવું બન્નેનું એકપણું જાણે છે, વા માને છે કે આચરે છે એમ નથી. સ્વ-૫૨ના અજ્ઞાનને લીધે સવિકાર ચૈતન્યપરિણામ આવું માને છે. આવી વાત છે. લોકો ભગવાન સમક્ષ કહે છે ને કે-હે ભગવાન! દયા કરો. અરે ભાઈ! તું પોતે જ ભગવાન છો. માટે તારા ઉપર તું દયા કર. રાગ અને વિકારને પોતાના માને છે એ માન્યતા છોડી પ્રભુ! તું તારી દયા કર. રાગ અને આત્મા બે એક છે એ માન્યતા તા૨ી હિંસા છે. માટે રાગ અને આત્મા એક છે એ માન્યતા છોડી સ્વભાવમાં લીન થા. તે તારી સ્વદયા છે. ભાઈ ! તું ૫૨ની હિંસા કરી શકતો નથી અને પ૨ની દયા પાળી શકતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૪ ] [ ૪૧ પુણપાપના ભાવ, દયા, દાન આદિ ભાવ, કે સુખદુ:ખના ભાવ અને પોતાનો ત્રિકાળી ચૈતન્યસ્વભાવમય આત્મા-એ બેને અજ્ઞાનપણે જીવ એક માને છે. કઠણ પડે છે. પણ ભાઈ ! સર્વજ્ઞ વીતરાગદેવે પોકારીને કહેલો માર્ગ તો આવો જ છે. પ્રવચનસારમાં છેલ્લે રરમા કળશમાં કહ્યું છે કે “આ રીતે (પરમાગમમાં) અમદપણે (જોરથી, બળવાનપણે, મોટા અવાજે) જે થોડુઘણું તત્ત્વ કહેવામાં આવ્યું તે બધુ ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા ) થઈ ગયું.' ' કેટલું કહીએ, પ્રભુ! સ્વપરના અજ્ઞાનને કારણ મિથ્યાદર્શન-અ અવિરતિરૂપ જે સવિકાર ચૈતન્યપરિણામ છે તે સ્વપરને એક માને છે. દર્શનમોહનો ઉદય છે તે આવું મનાવે છે એમ નથી. અરે! અજ્ઞાનીઓ તો જ્યાં હોય ત્યાં બધે કર્મથી થાય એમ લગાવે છે, પણ એમ નથી. કર્મ તો બિચારા જડ છે. પૂજાની જયમાલામાં આવે છે ને કે “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ; અગ્નિ સહેં ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.'' ચૈતન્યના વિકારી પરિણામ, અજ્ઞાનથી એમ માને છે કે વિકારી ભાવ અને ત્રિકાળી આત્મા બે એક છે. અહાહા! દયા, દાન, વ્રતાદિ ભાવ અને શુદ્ધ નિર્મળ આત્મા બે એક છે એમ અજ્ઞાનથી માને છે. જ્ઞાની તો બન્નેનો વિશેષ એટલે ભેદ જાણે છે. જ્ઞાનીને રાગ તો આવે છે. પાંચમા ગુણસ્થાન પર્યત રૌદ્રધ્યાન હોય છે, ક્ષાયિક સમકિતી મુનિ હોય તેને છઠ્ઠી ગુણસ્થાને આર્તધ્યાન હોય છે. છઠ્ઠી ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યા હોય છે. એ વેશ્યા પણ રાગ છે. છતાં તે રાગ અને આત્મા બે ભિન્ન છે એમ જ્ઞાની માને છે. પરંતુ અજ્ઞાની અજ્ઞાનને કારણે રાગ અને વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ અને તેમાં ખુશીપણાનો જે ભોક્તાભાવ તે હું છું, તે ભાવ મારા છે એમ બેને એકપણે માને છે, એનું એકપણું જાણે છે અને રાગમાં એકપણે લીનતા કરે છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની લીનતા છોડી અજ્ઞાની રાગમાં લીનતા કરે છે. આ રીતે સમસ્ત ભેદને છુપાવીને બેને એકપણે માને છે. વિકારી પરિણામ અને અવિકારી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મા-એ બેનો સમસ્ત ભેદ છુપાવી દઈ, ઢાંકી દઈ અજ્ઞાની બેને એકપણે માને છે. અહાહા..! વ્યવહારરત્નત્રયનો રાગ અને હું એક છીએ એમ માને તે સમસ્ત ભેદને છુપાવી દે છે, ઢાંકી દે છે અને બેના (મિથ્યા) અભેદને-એકપણાને પ્રગટ કરે છે. આકરું લાગે પણ માર્ગ તો આ છે ભાઈ ! પ્રથમ જ શ્રદ્ધામાં આ નક્કી કરવું પડશે. જ્ઞાનમાં આવો નિર્ણય તો કરે; પછી સ્વભાવસમ્મુખતાના પ્રયોગની વાત. પ્રથમ યથાર્થ નિર્ણય કરે નહિ તે પ્રયોગ કેવી રીતે કરે ? આ પ્રમાણે ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી “હું ક્રોધ છું” એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ હું ભોગવનાર ભાવક અને ભોગવવા યોગ્ય વિકાર તે મારું ભાવ્ય અથવા વિકારી ભાવ ભાવક અને હું ભોગવવા યોગ્ય ભાવ્ય એમ ભાવ્યભાવકપણાને પામેલાં એવાં ચેતન અને અચેતનનુંબેનું જાણે સામાન્ય અધિકરણ-આધાર હોય તેમ અજ્ઞાનથી માને છે. ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ શુદ્ધ ચૈતન્યમય છે અને રાગમાં ચૈતન્યનો અભાવ હોવાથી તે અચેતન છે. આ ચેતન તને બનેનો અજ્ઞાની એક આધાર માને છે. વિકારનો ઉત્પન્ન કરનાર પણ હું અને જ્ઞાનમાં જાણવું થાય તેનો ઉત્પન્ન કરનાર પણ હું એમ અજ્ઞાની બન્નેનું સામાન્ય અધિકરણ માને છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! જૈનદર્શન ખૂબ ઝીણું છે. ભાઈ ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક વસ્તુ છે! લોકોએ જેવું કહ્યું છે એવું સાધારણ એનું સ્વરૂપ નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કરો તો સમકિત થઈ ગયું એમ માને તે અજ્ઞાની છે. એવી શ્રદ્ધા તો પ્રભુ! અનંતવાર કરી છે. અહીં કહે છે એવા રાગના-વિકારના પરિણામ અને આત્માના જ્ઞાનનો આધાર સામાન્ય-એક છે એમ અજ્ઞાની માને છે. જ્ઞાતાદષ્ટાનો ચૈતન્યભાવ અને રાગના પરિણામ એનું એક અધિકરણ છે એમ અનુભવન કરવાથી “હું ક્રોધ છું’ એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનો અનાદર કરી રાગ મારી ચીજ છે, પુણ્ય-પાપના ભાવ મારી ચીજ છે એવું માને તેને પોતાના સ્વભાવ પ્રત્યે અણગમો છે, દ્વેષ છે, ક્રોધ છે. હું રાગથી ભિન્ન જ્ઞાતાસ્વરૂપે છું એવું જ્ઞાન ન કરતાં અજ્ઞાનથી જે રાગાદિ ઉત્પન્ન થયાં તે રાગાદિ અને આત્મા બેનો એક આધાર છે એમ માની હું રાગ છું, હું દ્વેષ છું, હું પુણ્ય છું, હું પાપ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. આ દયા, દાન, વ્રતાદિના વિકલ્પનો હું કર્તા છું એમ માની અજ્ઞાની પોતાનો વિકલ્પ નામ વૃત્તિ ઉત્પન્ન કરે છે. કેટલી વાત કરી, દેખો! મિથ્યાદર્શનાદિ સવિકાર ચૈતન્યપરિણામ છે એક વાત. અને તે સવિકાર ચૈતન્યપરિણામ એમ માને છે કે રાગ અને આત્મા–હું એક છીએ તે દર્શન (અવિશેષ), રાગ અને આત્મા-હું એક છીએ એમ જાણપણું તે જ્ઞાન (અવિશેષ) અને રાગમાં તન્મયપણે લીનતા કરે તે વૃત્તિ (અવિશેષ ). આ પ્રમાણે રાગ અને આત્માને એક માને છે, એક જાણે છે અને એક અનુભવે છે. અહો ! શ્રી અમૃતચંદ્રસ્વામીએ રચેલી આ ટીકા ખૂબ ગંભીર છે. ઘણા ગંભીર ન્યાયો પ્રકાશ્યા છે. ટૂંકા શબ્દોમાં કેટલું ભરી દીધું છે! જાણે ગાગરમાં સાગર! કહે છે–પ્રભુ! તું જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યમાત્ર વસ્તુ છો. અને પુણ્યપાપ, દયા, દાન અને વ્યવહારરત્નત્રયના જે વિકલ્પ ઊઠે તે પુદગલની અવસ્થા છે, કેમકે તે અચેતન છે. અજ્ઞાનપણે જીવ તેને કરે છે માટે તેને અહીં સવિકાર ચૈતન્યપરિણામ કહ્યા છે. તે સવિકાર ચૈતન્યપરિણામ અજ્ઞાનપણે રાગ અને આત્માને એકપણે માને છે. બે વચ્ચે ભેદ નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૪ ] [ ૪૩ એમ અવિશેષ દર્શનથી બન્નેને એક માને છે. ૯રમી ગાથામાં અજ્ઞાનીની વાત કરી હતી. ત્યાં કર્તાકર્મની વાત હતી. અહીં આ ગાથામાં ભાવ્યભાવકભાવ કહીને ભોક્તાપણાની વાત કરી છે. અજ્ઞાની રાગ અને આત્માને એકપણે અનુભવે છે. રાગનો વિકલ્પ અને આત્મા બેનો એક આધાર માની બેનો એકપણે અજ્ઞાની અનુભવ કરે છે. એટલે કે વિકારી પરિણામનું અજ્ઞાની વેદન કરે છે. અજ્ઞાની વિકારી પરિણામનો ભોક્તા થાય છે. ભગવાન આત્મા જે જ્ઞાતાદ્રષ્ટા છે તેનો અજ્ઞાની ભોક્તા થતો નથી. જ્યારે જ્ઞાની પોતાના જ્ઞાનનો ભોક્તા થાય છે. ભાઈ ! પોતાનો આગ્રહ છોડી ખૂબ શાન્તિ અને ધીરજથી ભગવાને જેમ કહ્યું છે તેમ સમજવું જોઈએ. અજ્ઞાની હું જ્ઞાતાદા છું એમ અનુભવવાને બદલે રાગ અને આત્માનો એક આધાર માની હું રાગ છું, હું ક્રોધ છું ઇત્યાદિરૂપ પોતાને અનુભવે છે. ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ ભાવના અનુભવને ક્રોધ કહેવામાં આવે છે. અજ્ઞાની “હું ક્રોધ છું એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. “તેથી હું ક્રોધ છું એવી ભ્રાન્તિને લીધે જે સવિકાર (વિકાર સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.' જુઓ, હું ક્રોધ છું એમ માને તે ભ્રાન્તિ છે. વ્યવહારના રાગનો પોતાને કર્તા અને ભોક્તા માને તે મિથ્યાષ્ટિ છે. પોતાના આનંદનું વેદન જેને નથી તે એકલું રાગનું વેદન કરે છે. તેને આત્મા પ્રતિ ક્રોધ છે. ભાઈ ! જિનેશ્વર પરમાત્માનો માર્ગ સમજવા માટે ઘણી તત્પરતા જોઈએ. કહે છે-“હું ક્રોધ છું' એવી ભ્રાન્તિને લીધે સવિકાર ચૈતન્યપરિણામે અજ્ઞાની પરિણમે છે. અને તે આત્મા સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. જડ કર્મની સાથે કાંઈ સંબંધ નથી. અજ્ઞાનપણે પોતાના સવિકારી પરિણામનો અજ્ઞાની પોતાથી કર્તા થાય છે. જે વિકારી ભાવ થાય તે મારા છે, મારું કર્તવ્ય છે એમ અજ્ઞાની માને છે તેથી તેનો તે કર્તા થાય શરીર તો ક્યાંય બહાર રહી ગયું. એ તો રજકણ ધૂળ છે. એનું અસ્તિત્વ મારામાં નથી. જડકર્મ પણ મારી ચીજ નથી. અહીં તો કહે છે કે વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ આવે તેનું અસ્તિત્વ પણ મારી ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નથી. આવું ભેદજ્ઞાન જેને નથી એવો અજ્ઞાની જીવ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. વિકારના પરિણામ તે ચૈતન્યના પરિણામ છે. ભેદજ્ઞાન કરવાના પ્રયોજનથી તેને પુગલના કહ્યા છે. પરંતુ અજ્ઞાનપણે તે ભાવ પોતાની પર્યાયમાં થાય છે. રાગદ્વેષના ભાવ કાંઈ જડમાં થતા નથી; પ્રયોજનવશ તેને જડના કહેલા છે. - હવે કહે છે-“એવી જ રીતે “ક્રોધ” પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ક્રોધની માફક અજ્ઞાની હું માનું છું, હું માયા છું, હું લોભ છું ઇત્યાદિ ભ્રાંતિને લીધે પોતાના સવિકાર પરિણામનો કર્તા થાય છે. અહા ! બે ભિન્ન વસ્તુની ભિન્નતા નહિ જાણવાથી બેને એક માની વિકારી પરિણામ અને શરીર, મન, વાણી, ઇન્દ્રિયો વગેરે હું છું એમ માની અજ્ઞાની જીવ કર્તા થાય છે. ભ્રાન્તિને લઈને અજ્ઞાની પરને પોતાના માને છે. શરીર, મન, વાણી, ઈન્દ્રિયો ઇત્યાદિ હું છું એમ જાણવું અને માનવું તે અજ્ઞાન છે. શરીર સારું હોય તો ધર્મ થાય, શરીરમાં રોગ થતાં મને રોગ થયો, શરીર પુષ્ટ રહેતાં હું પુષ્ટ છું ઇત્યાદિ અનેક પ્રકારે શરીર અને આત્માને એક જાણવા, માનવા અને એમાં લીન થવું તે સંસારભાવ છે. અજ્ઞાની અજ્ઞાનપણે તેનો કર્તા થાય છે. મારો કંઠ બહુ મધુર છે અને હું સરસ બોલી શકું છું, આ બોલે છે તે હું જીવ છું-એમ વાણીને અને આત્માને એક માની તેમાં લીન થવું તે સંસાર છે. મન અને સ્પર્શાદિ ઈન્દ્રિયો જ્ઞાનમાં નિમિત્ત છે ત્યાં અજ્ઞાની માને છે કે મન અને ઇન્દ્રિયો તે હું છું. તે વડે મને જ્ઞાન થાય છે, મન વડે હું વિચારું છું, સ્પર્શ વડે હું શીતઉષ્ણ આદિ સ્પર્શને જાણું છું, જીભ વડે હું મીઠો, ખાટો ઇત્યાદિ રસને જાણું છું, નાક વડે હું સુંધુ છું, આંખ વડે હું વર્ણ-રંગને જાણું છું અને કાન વડે સાંભળું છું. આ મન અને ઇન્દ્રિયો ન હોય તો હું કેમ કરીને જાણું? આ પ્રમાણે મન અને ઇન્દ્રિયોને અને આત્માને એક માની તેમાં લીનતા કરે તે સંસાર છે. અજ્ઞાની તે સંસારભાવનો કર્તા થાય છે. આ પ્રમાણે જે ચીજ આત્માથી ભિન્ન છે તેને વિચારી ભેદજ્ઞાન કરવું. રાગ અને વિકલ્પ પણ પરવસ્તુ છે. પરવસ્તુથી સ્વવસ્તુને એટલે આત્માને લાભ થાય એમ બની શકે નહિ. આત્મા પોતાના જાણગસ્વભાવથી જાણવામાં આવે છે–માટે તે પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના વીસ બોલ છે. તેમાં છઠ્ઠી બોલમાં કહ્યું છે કે-“લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિયો વડે જણાય એવી ચીજ આત્મા નથી. અને ઇન્દ્રિયો વડે આત્મા જાણે છે એમ પણ નથી. આ બહારનાં ધન, સંપત્તિ, સ્ત્રી, પુત્ર, પરિવાર, દાસ, દાસી ઇત્યાદિ જે નોકર્મ તે મારા છે એમ એકત્વબુદ્ધિએ જાણવા-માનવાં અને તેમાં એકત્વબુદ્ધિએ લીન થવું એ બધું અજ્ઞાન છે. સ્ત્રી અર્ધાંગના છે અને પુત્ર છે તે હું છું એમ માને પણ એ તો ધૂળેય તારું નથી. માત્ર અજ્ઞાનભાવ-સંસારભાવ છે અને અજ્ઞાની તે સંસારભાવનોવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય જડ કર્મને હું બાંધું, જડ કર્મનો ઉદય આવે તો રાગાદિ થાય અને કર્મનો અભાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૪ ] [ ૪૫ થાય, કર્મ કાંઈક માર્ગ આપે તો અમે ધર્મ કરીએ, ગુણ પ્રગટ કરીએ એમ માને તે જડકર્મને અને આત્માને એક માને છે. કર્મ તે જ હું છું અને કર્મથી મને લાભાલાભ છે એમ માનવું, જાણવું અને એમાં લીનતા કરવી તે અજ્ઞાન છે, અને તે અજ્ઞાનભાવનો અજ્ઞાની જીવ કર્તા થાય છે. * ગાથા ૯૪ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * અજ્ઞાનરૂપ એટલે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાને અને ૫૨નો ભેદ નહિ જાણીને ‘‘હું ક્રોધ છું, હું માન છું'' ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.’ દયા, દાન અને પુણ્યપાપના ભાવ અને પોતાનો ભેદ નહિ જાણીને હું ક્રોધ છું, હું રાગ છું, હું માન છું, આ રાગાદિ હું કરું છું, હું દયા પાળું છું-એવું અજ્ઞાની માને છે. તેથી વિકાર ચૈતન્યપરિણામરૂપે પરિણમતો તે પોતાના સવિકા૨ ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ એનું કર્મ થાય છે. આ પ્રમાણે ભોક્તાપણાની આ ગાથામાં પણ કર્તાકર્મનું કથન કર્યું. ગાથા ૯૪ પૂરી થઈ. આ વાતને ૯૫માં વધુ સ્પષ્ટ કરશે. [પ્રવચન નં. ૧૬૧ ચાલુ દિનાંક ૨૦–૮–૭૬ ] * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૫ तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स।।९५।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।।९५।। હવે એ જ વાતને વિશેષ કહે છે: હું ધર્મ આદિ' વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫. ગાથાર્થઃ- [ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો [:] આ [ ૩૫યો 1:] ઉપયોગ [ ધર્માન્િ ] હું ધર્માસ્તિકાય આદિ છું' એવો [કાત્મિવિī] પોતાનો વિકલ્પ [ રોતિ] કરે છે; તેથી [ 1:] આત્મા [ તસ્ય ઉપયોગી ચ ] તે ઉપયોગરૂપ [ ગાત્મમાર્ચ ] પોતાના ભાવનો [ વર્તા ] કર્તા [ભવતિ ] થાય છે. ટીકાઃ- ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને યજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છુંએવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું' એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. ભાવાર્થ- ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે. આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૫ ] [ ૪૭ સમયસાર ગાથા ૯૫ : મથાળું હવે એ જ વાતને વિશેષ કહે છે * ગાથા ૯૫ : ટીકા ઉપરનું પ્રવચન * “ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને યજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું'' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે.' ૯૪મી ગાથામાં ભાવ્યભાવકભાવને પામેલાં સ્વપરને અજ્ઞાની એકપણે અનુભવે છે એમ લીધું હતું. અહીં આ ગાથામાં શયજ્ઞાયકભાવને પામેલાં સ્વપરનું એકપણે અનુભવન કરવાથી હું ધર્મ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે એમ કહ્યું છે. આત્મા જ્ઞાયક છે અને રાગાદિ, ધર્માદિ છ દ્રવ્યો પરય છે. તે શેય અને જ્ઞાયક બન્નેનું અધિકરણ એક છે એમ અજ્ઞાની અનુભવે છે. તેથી તે ત્રણ પ્રકારના સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. ધર્માસ્તિકાયનો વિકલ્પ આવે છે તો હું ધર્માસ્તિકાય છું એમ અજ્ઞાની માને છે. પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકસ્વરૂપનું જ્ઞાન છોડી ધર્માસ્તિકાય આદિ છ પ્રકારનાં જે દ્રવ્યો છે તેનો વિચાર કરતાં તે સંબંધીના વિકલ્પમાં તલ્લીન થઈ જાય છે. તે ધર્માસ્તિકાય આદિને પોતાનાં માને છે. ધર્માસ્તિકાય જીવ-પુગલોને ગતિમાં નિમિત્ત થાય એવો એક પદાર્થ છે. તેનો વિચાર કરતાં જે વિકલ્પ આવ્યો તેમાં અજ્ઞાની તન્મય થઈ જાય છે. પોતાના જ્ઞાતાદષ્ટાસ્વભાવનું ભાન ભૂલીને ધર્માસ્તિકાય હું છું” એમ તે માને છે. તેવી રીતે અધર્માસ્તિકાય જીવ-પુદ્ગલોને ગતિપૂર્વક સ્થિતિનું નિમિત્ત છે. અધર્માતિકાયનો વિચાર કરતાં તેનો જે વિકલ્પ આવે છે તેમાં અજ્ઞાની તદ્રુપ-એકાકાર થઈ જાય છે. તે અધર્માસ્તિકાયને પોતાનું માને છે. પોતે સદા જ્ઞાયકસ્વભાવી જ્ઞાતાદેટાસ્વરૂપ ચૈતન્ય-તત્ત્વ છે એ વાતને ભૂલીને “હું અધર્માસ્તિકાય છું” એમ વિકલ્પમાં એકાકાર થઈ અધર્માસ્તિકાયને અને પોતાને એક માને છે. હું શુદ્ધ ચૈતન્યકંદ આનંદકંદ પ્રભુ સ્વરૂપથી જ જ્ઞાતાદ્રષ્ટા છું એમ જેને ભાન થયું નથી એવો અજ્ઞાની જીવ પર પદાર્થનો વિચાર કરતાં તે કાળે આ પર પદાર્થ હું છું એવો વિકલ્પ સાથે તદાકાર થઈને તે પર પદાર્થને પોતાનો માને છે. આકાશ નામનો એક પદાર્થ સર્વત્ર વ્યાપી ભગવાને જોયો છે. તે સર્વ દ્રવ્યોને અવગાહનમાં નિમિત્ત છે. તે આકાશનો વિચાર કરતાં જે વિકલ્પ થાય છે તેમાં અજ્ઞાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૫ એકાકાર થઈ જાય છે. હું આકાશ છું એવા વિકલ્પ સાથે એકાકાર થઈને તે આકાશને અને પોતાને એક માને છે. આ પ્રમાણે વિકલ્પનો કર્તા થાય છે તે મિથ્યાષ્ટિ છે. લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક સ્થિત એમ લોકપ્રમાણ અસંખ્યાત કાલ દ્રવ્યો છે, તે જીવાદિ સર્વ દ્રવ્યોના પ્રતિસમય થતા પરિણમનમાં નિમિત્ત છે. તે કાળદ્રવ્યના વિચારના કાળે જે વિકલ્પ થાય છે તે વિકલ્પમાં અજ્ઞાની તલ્લીન થઈ જાય છે. તેથી હું કાળ છે એવા વિકલ્પમાં લીન થયેલો તે કાળ દ્રવ્યને અને પોતાને એક માને છે અને એ વિકલ્પનો તે કર્તા થાય છે. એ જ પ્રમાણે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધનસંપત્તિ ઇત્યાદિ પુદ્ગલો સંબંધી વિચારમાં થતા વિકલ્પો સાથે એકાકાર થઈને આ પુદ્ગલ હું છું એમ અજ્ઞાનપણે માને છે તે પણ મિથ્યાષ્ટિ છે. વળી અન્ય જીવ તે હું છું એમ અજ્ઞાની માને છે. દેવ અને ગુરુ જે અન્ય જીવ છે તે દેવ-ગુરુના વિચારના કાળમાં જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પમાં અજ્ઞાની તન્મયપણે લીન થઈ જાય છે. તેથી આ મારા દેવ છે, આ મારા ગુરુ છે અને તે મને ધર્મ કરી દેનારા છે ઇત્યાદિ અનેક વિકલ્પમાં લીન થયેલો મિથ્યાષ્ટિ જીવ તે તે વિકલ્પનો કર્તા થાય છે. અરે! લોકોને જૈનદર્શનની આવી સૂક્ષ્મ વાત કદી સાંભળવા મળી નથી. પોતાની યોગ્યતા નહિ તેથી કોઈ સંભળાવનાર મળ્યા નહિ. ભગવાન મહાવિદેહમાં બિરાજે છે ત્યાં જન્મ અને સાંભળવાની યોગ્યતા હોય તો ત્યાં જાય. છતાં ભગવાનની વાણી સાંભળે માટે પોતાનું કલ્યાણ થઈ જાય એમ વાત નથી. ભગવાનની વાણી સાંભળવામાં રાગ આવે છે. તે રાગમાં તન્મય-એકાકાર થઈ જાય તે મિથ્યાદષ્ટિ છે. સમોસરણમાં જીવ અનંતવાર ગયો છે પણ તેથી શું થયું? મિથ્યાષ્ટિ જૈન સાધુ પણ સમોસરણમાં હોય છે, પણ નિમિત્ત શું કરે? અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય વસ્તુ ત્રિકાળ અબદ્ધસ્પષ્ટ છે એમ જે ભગવાને કહ્યું તેનો પોતે અંતરમાં દષ્ટિ કરી સ્વીકાર કરે, દેવ-ગુરુનું લક્ષ છોડી અંતર્મુખ દષ્ટિ કરીને સ્વરૂપનું લક્ષ કરે તો ધર્મ પ્રગટ થાય છે. દેવ-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ પણ છૂટી જાય અને આત્માનો સાક્ષાત્ અનુભવ થાય, સ્વરૂપ-લીનતા થાય એનું નામ ધર્મ છે. ગુરુની ભક્તિ કરો તો ધર્મ થઈ જશે એવી એકાન્ત માન્યતા મિથ્યાદર્શન છે. પોતાના સ્વરૂપના લક્ષે ધર્મ પ્રગટ થાય છે તે યથાર્થ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે દેવ-ગુરુનું વાસ્તવિક સ્વરૂપ જાણે એને અવશ્ય સમ્યગ્દર્શન થાય છે. તથા શાસ્ત્રમાં કહેલા અનેકાન્ત-સ્વરૂપને યથાર્થ સમજે તો ધર્મ પ્રગટ થાય છે. એનો અર્થ શું? એનો અર્થ એ છે કે દેવ-ગુરુ-શાસ્ત્રને જાણી તેનું લક્ષ છોડી અંદર સ્વરૂપમાં-શુદ્ધ ચૈતન્યમાં એકાકાર થાય તેને ધર્મ થાય છે. બાકી દેવ-ગુરુ-શાસ્ત્ર મને ધર્મ પ્રગટ કરી દેશે એમ માને એ તો મિથ્યાદર્શન છે. અહાહા...! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૫ ] [ ૪૯ ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્યાનસ્વરૂપ વસ્તુ છે. તેનો આશ્રય લેવાથી અંતરંગમાં જે નિર્વિકલ્પ દ્રષ્ટિ અને નિર્વિકલ્પ જ્ઞાન પ્રગટ થાય છે તે જ્ઞાનથી આત્મા જાણવામાં આવે છે. પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે દિવ્યધ્વનિથી ભગવાન આત્મા જાણવામાં આવતો નથી. ગણધરાદિ મહાસંતોએ રચેલાં શાસ્ત્રોથી આત્મા જાણવામાં આવતો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ તો રાગ છે. તો રાગથી શું ધર્મ થાય ? ના, બીલકુલ નહિ. ધર્મની પર્યાય તો પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ અબદ્ધસ્પષ્ટસ્વભાવી ભગવાન આત્માના આશ્રયથી પ્રગટ થાય છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે. અન્ય જીવ-સ્ત્રી, પુત્રાદિક હું છું એમ માને તે મિથ્યાષ્ટિ છે. અરે ભાઈ ! સ્ત્રીનો આત્મા જાદો ને તારો આત્મા જાદો, સ્ત્રીનું શરીર જુદું અને તારું શરીર જુદું; બન્ને દ્રવ્યો સાવ જુદુંજુદાં છે. સ્ત્રી કયાંયથી આવી અને કયાંય જશે, તું કયાંયથી આવ્યો અને કયાંય જઈશ; બન્નેનો કયાંય મેળ નથી. હું અને પરનો આત્મા એક વાડના વેલા છીએ એવી તારી એકપણાની માન્યતા તદ્દન અજ્ઞાન છે. તું ભ્રાન્તિવશ એકપણું માની અજ્ઞાનતા સેવી રહ્યો છે. અરે ભાઈ ! બધાં દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, અને ત્રણકાળમાં તેમનું એકપણું થવું સંભવિત નથી. તને જે આ એકપણાની ભ્રાન્તિ છે તે સંસારમાં રખડવાનું કારણ છે. પરવસ્તુ તો જાણવા યોગ્ય જ્ઞય-પરાય છે અને તું ભગવાન જ્ઞાયક છે. ભ્રમવશ બન્નેનો આધાર એક છે એમ તે માન્યું છે. અન્ય જીવ-પદ્રવ્યનો વિચાર કરતાં જે વિકલ્પ ઉઠે છે તે વિકલ્પમાં તન્મયપણે એકાકાર થયેલો તું અજ્ઞાનપણે તે વિકલ્પનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શન છે. હવે કહે છે-“તેથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું-એવી ભ્રાન્તિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.' જુઓ, વિકલ્પ-વિકારને અહીં સોપાધિક-ઉપાધિ સહિત ચૈતન્યપરિણામ કહ્યા છે. બીજે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે ત્યાં ભેદજ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. પરંતુ અહીં તો અજ્ઞાનીની વાત ચાલે છે ને! જેને ભેદજ્ઞાન નથી એવો અજ્ઞાની જીવ અજ્ઞાનપણે વિકલ્પનેવિકારને ઉત્પન્ન કરે છે તેથી તેને અહીં સોપાધિક ચૈતન્યપરિણામ કહ્યા છે. આત્મા જ્ઞાતાદષ્ટા સહજાનંદસ્વરૂપ જ્ઞાયક ભગવાન છે. તેને જ્ઞાનમાં નહિ જાણવાથી અજ્ઞાનીને પરદ્રવ્યસંબંધી જે વિકલ્પ થાય છે તે વિકલ્પમાં તે પર્યાયબુદ્ધિ વડે સ્વાર્પણતા કરી દે છે અને તેથી તે વિકલ્પનો કર્તા થાય છે. ત્રિકાળી સ્વરૂપની દષ્ટિ વિના અજ્ઞાની વિકલ્પનો કર્તા થાય છે, અને સ્વરૂપની દષ્ટિ થઈ છે તેવો જ્ઞાની તેનો જ્ઞાતા રહે છે. આ કર્તાકર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! નાટક સમયસારમાં આવે છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ “કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનહારા; જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.'' છ દ્રવ્ય જે પરદ્રવ્ય છે તેનો વિચાર કરતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે વિકલ્પનો જે કર્તા થાય છે તે જ્ઞાતાદષ્ટારૂપે પરિણમતો નથી; અને જે વિકલ્પનો જાણનાર રહે છે તે વિકલ્પનો કર્તા થતો નથી. ચિદાનંદ ચૈતન્યસ્વરૂપ આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનું અંતરમાં લક્ષ કરી તેને જાણીને નિર્વિકલ્પ આનંદ પ્રગટ ન કરે ત્યાં સુધી તેણે કાંઈ જાણું નથી. પરદ્રવ્ય મારું છે એમ માનતાં જે વિકલ્પ થાય તે વિકલ્પ દુઃખ છે. વિકલ્પનો જે કર્તા થાય તે દુઃખનો કર્તા થાય છે. ભગવાન આત્મા તો આનંદનો સાગર છે. એની દૃષ્ટિ કરતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય તેવો છે. તેમાં રાગ નથી અને તે રાગનો કર્તા નથી. પણ છ દ્રવ્ય તે હું છું એવી ભ્રાન્તિને લીધે અજ્ઞાની સોપાધિક ચૈતન્યપરિણામરૂપે પરિણમે છે અને તેથી તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. પરદ્રવ્યને પોતાનું માને તે એવા વિકલ્પનો અજ્ઞાનપણે કર્તા થાય છે અને તે ચારગતિમાં પ્રાપ્ત દુઃખનું કારણ થાય છે. * ગાથા ૯૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે.' છ દ્રવ્યના વિચાર વખતે અજ્ઞાની તે વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. તે ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યરૂપ પોતાને માને છે. હું સ્વભાવે જ્ઞાતાદ્રષ્ટા છું એવી દૃષ્ટિથી ભ્રષ્ટ થઈ મિથ્યાષ્ટિ વિકલ્પનો કર્તા થાય છે. આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.” છ દ્રવ્યના વિચારના કાળે જે રાગ છે તે અજ્ઞાનરૂપ ભાવ છે. જે રાગ છે તે જ્ઞાતાના પરિણામ નથી. ભાઈ ! જે એમ માને કે મારા દેવ-ગુરુ મને તારી દેશે તે વિકલ્પનો કર્તા થઈને મિથ્યાદષ્ટિ થાય છે. એકદમ સાર સાર વાત છે. અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને છ દ્રવ્યરૂપ માને છે. માટે અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે, અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ કહેતાં કાર્ય થાય છે. રાગ તે અજ્ઞાનીનું કાર્ય છે. લ્યો, ૯૫ પૂરી થઈ. [ પ્રવચન નં. ૧૬૧ શેષ, ૧૬ર ચાલુ | દિનાંક ૨૧-૮-૭૬ ] ગાથા-૯૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ततः स्थितं कर्तृत्वमूलमज्ञानम्। एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ।। ९६ ।। एवं पराणि द्रव्याणि आत्मानं करोति मन्दबुद्धिस्तु। आत्मानमपि च परं करोति अज्ञानभावेन।। ९६ ।। તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન કર્યું ? એમ હવે કહે છે: જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬. ગાથાર્થઃ- [વં તુ] આ રીતે [મન્દ્રવુદ્ધિ: ] મંદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાની [ અજ્ઞાનમાવે ] અજ્ઞાનભાવથી [ પરાળ દ્રવ્યાળિ] પર દ્રવ્યોને [ માત્માનં] પોતારૂપ [વરાતિ] કરે છે [ પિ ૨] અને [ ગાત્માનમ્] પોતાને [૫૨] પર [ કરોતિ ] કરે છે. ટીકાઃ- ખરેખર એ રીતે, “હું ક્રોધ છું” ઇત્યાદિની જેમ અને “હું ધર્મદ્રવ્ય છું' ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે; તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્ય હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દષ્ટાંતથી સમજાવવામાં આવે છે – જેમ ભતાવિષ્ટ પુરષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર * આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે * આરંભ = કાર્ય; વ્યાપાર; હિંસાયુક્ત વ્યાપાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, “હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું” એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ટ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે શયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, હું પરદ્રવ્ય છું” એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડ (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્ણિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ- આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પર શેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તુત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તુત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દષ્ટાંત કહ્યું. * s. સમયસાર ગાથા ૯૬: મથાળું કર્તાપણાનું મૂળ અજ્ઞાન કર્યું એમ હવે કહે છે: * ગાથા ૯૬ : ટીકા ઉપરનું પ્રવચન * “ખરેખર એ રીતે, “હું ક્રોધ છું' ઇત્યાદિની જેમ અને ““હું ધર્મદ્રવ્ય છું'' ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે.” જુઓ, આ અજ્ઞાનીની વાત ચાલે છે. “હું ક્રોધ છું” એમ માનતો થકો પોતાના સવિકાર ચૈતન્યપરિણામનો આત્મા કર્તા થાય છે એ વાત ગાથા ૯૪માં લીધી. અને હું ધર્માદિ છ દ્રવ્ય છું એમ માનતો થકો પોતાના સોપાધિક ચૈતન્યપરિણામનો આત્મા કર્તા થાય છે એમ ગાથા ૯૫માં લીધું છે. એકમાં સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા અને બીજામાં સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા-એમ બેમાં ફરક પાડયો છે. હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું, રાગ છું, દ્વેષ ઇત્યાદિ ગાથા ૯૪માં સોળ બોલ લીધા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૬ ] [ ૫૩ અને હું અન્ય જીવ છું, પુદ્ગલ છું, ઇત્યાદિ છ દ્રવ્ય છું એમ ગાથા ૯૫માં લીધું છે. આ દીકરો મારો છે, પત્ની મારી છે, કન્યા મારી છે, મકાન મારું છે, ધન-સંપત્તિ મારાં છે એમ અજ્ઞાની માને છે અને એ પ્રમાણે તે પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે. ભાઈ ! આ વીતરાગમાર્ગની વાત ખૂબ ધીરજ અને શાંતિથી સાંભળવી જોઈએ. એટલું જ નહિ તેનો ઘરે સ્વાધ્યાય અને મનન કરવાં જોઈએ. ઘરે ચોપડા (નામાના) ફેરવે તો એકલો પાપનો વેપાર છે. આ બૈરા છોકરા સારુ રળીએ અને કમાઈએ અને એમનું પાલનપોષણ કરીએ એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. અરે ભાઈ ! કુટુંબ સારુ પૈસા કમાઈએ એમ તું સમજે છે પણ કોનું કુટુંબ? કોણ કમાય? અને કોના પૈસા? કુટુંબ તો બધા અન્ય જીવા છે અને પૈસા તો જડના છે. બધું ભિન્ન ભિન્ન છે. અહા ! સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા જાણવી એ અલૌકિક ચીજ છે અને જેને ભેદજ્ઞાન થઈ જાય તેને તો માનો મુક્તિ હાથ આવી ગઈ. પરંતુ અજ્ઞાની પરદ્રવ્યોને પોતારૂપ અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે! અજ્ઞાની જીવ સ્વદ્રવ્ય-પદ્રવ્યને એક માને છે. “તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહુદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિ કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે.” અહાહા...! ભગવાન આત્મા સમસ્ત વસ્તુના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય-ધાતુમય છે. આત્મા રાગ, પુણ્ય, પાપ, શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ સર્વ વસ્તુઓના સંબંધથી રહિત શુદ્ધ ચૈતન્યમય પ્રભુ છે. અહાહા....! જેણે શુદ્ધ ચૈતન્યને ધારી રાખ્યું છે એવો પોતે ચૈતન્યધાતુમય છે. આત્મા આવી હોવા છતાં અજ્ઞાનના કારણે હું ક્રોધ, માન, માયા, લોભ છું અને હું ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યસ્વરૂપ છું એમ માને છે. તે જીવ સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ અજ્ઞાનીની વાત છે એટલે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામને પોતાના ભાવ કહ્યા છે અને તે પ્રકારના પોતાના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે એમ કહ્યું છે. જ્ઞાયક તો જ્ઞાયક છે પણ અજ્ઞાનમાં આવો પ્રતિભાસ થાય છે કે વિકારી ભાવનો હું કર્તા છું અને તે ભાવ મારું કર્તવ્ય છે. (શુદ્ધ નિશ્ચયથી વિકારી પરિણામ આત્માના નથી). આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્ય હોય એવા) પુર્ષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન કર્યું ” અહીં સવિકાર ચૈતન્યપરિણામને સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દષ્ટાંત આપ્યું છે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ સોપાધિક ચૈતન્યપરિણામનું સ્વરૂપ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દષ્ટાંત આપ્યું છે. રાગાદિ પરિણામ મારાં છે અને છ દ્રવ્ય મારાં છે એવું જે અજ્ઞાન તે રાગના કર્તાપણાનું મૂળ છે એમ સિદ્ધ થયું. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જ્ઞાતાદાસ્વરૂપ છે. તેનું ભાન નહિ હોવાથી હું રાગ છું, હું પરદ્રવ્યસ્વરૂપ છું એવી માન્યતા વડે ઉત્પન્ન થયેલું અજ્ઞાન તે રાગના કર્તાપણાનું મૂળ છે, પરદ્રવ્ય નહિ-એ વાત દષ્ટાંતથી સમજાવવામાં આવે છે. “જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.' ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનના કારણે ભૂતને અને પોતાને એક માને છે. ભૂત શરીરમાં પ્રવેશ કરીને જે અનેક પ્રકારે ચેષ્ટા કરે તે હું છું એમ તે માને છે. તેમ પર્યાયમાં જે પુણ્યપાપના ભાવ થાય તે હું છું એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં ભૂતની જેમ તે પુણ્ય-પાપના ભાવ આત્મા નથી. પુણ્ય-પાપના ભાવ હું છું એમ માનવાવાળો અજ્ઞાની જીવ ભૂતાવિષ્ટ પુરુષ સમાન છે. જુઓ, રામચંદ્રજી ક્ષાયિક સમકિતી હતા. બાર બાર વર્ષથી જંગલમાં સીતાજી અને લક્ષ્મણની સાથે રહેતા હતા. લક્ષ્મણ મોટાભાઈ રામની અને સીતાજીની અનેક પ્રકારે સેવા કરતા. એકવાર જ્યારે સીતાજીને રાવણ અપહરણ કરીને લઈ ગયો ત્યારે ખૂબ વ્યગ્ર થયેલા રામચંદ્રજી જંગલના વૃક્ષ અને વેલને, પહાડ અને પત્થરને પણ પૂછવા લાગ્યા કે-સીતાને કયાંય જોઈ? જુઓ, આ ચારિત્રમોહના રાગની વિચિત્ર ચેષ્ટા ! હાથમાં નૂપુર બતાવીને લક્ષ્મણને પૂછવા લાગ્યા-આ નૂપુર કોનું છે? શું આ નૂપુર સીતાજીનું છે? ત્યારે લક્ષ્મણે કહ્યું-બંધુવર! સીતાજીનાં દર્શન કરવા એકવાર હું ગયેલ તો પગ ઉપર મારી નજર ગયેલી ત્યારે સીતાજીના પગે પહેરેલું નૂપુર મેં જોયેલું. માટે આ નૂપુર સીતાજીનું લાગે છે. અહાહા...! કેવું નૈતિક પવિત્ર જીવન ! યુદ્ધમાં રાવણે વિદ્યામય બાણ માર્યું તો લક્ષ્મણ મૂછિત થઈ પડી ગયા. ખબર હતી કે લક્ષ્મણ વાસુદેવ છે તોપણ રામ ખેદ કરવા લાગ્યા...હે ભાઈ ! હે લક્ષ્મણ ! એકવાર તો બોલ. મને એકલાને જોઈ માતા કૌશલ્યા પૂછશે કે સીતા અને લક્ષ્મણ કયાં છે? તો હું માતાને શું જવાબ દઈશ? બંધુ મારા-ભાઈ લક્ષ્મણ ! એકવાર તું બોલ. ત્યારપછી જે બ્રહ્મચારિણી હતી અને જેને લબ્ધિ પ્રગટ થઈ હતી એવી ત્રિશલ્યાના સ્નાનનું જળ છાંટવાથી લક્ષ્મણની મૂછ ઉતરી ગઈ અને લક્ષ્મણ જાગૃત થયા ત્યારે રામ આનંદિત થયા. જુઓ! ચારિત્રમોહના રાગની આ કેવી વિચિત્ર લીલા છે! ચારિત્રની કમજોરીના કારણે આવા અનેક પ્રકારે સમકિતીને રાગ આવે છે પણ કોઈ પણ રાગને ધર્મી પોતાના માનતા નથી. રામ તો પુરુષોત્તમ હતા, તદભવમોક્ષગામી હતા. આવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૬ ] [ ૫૫ વિચિત્ર રાગને પ્રાપ્ત થયા તેમ છતાં તે રાગને અને પરદ્રવ્યને પોતાના સમજતા ન હતા. ભેદજ્ઞાનનો કોઈ એવો અચિંત્ય મહિમા છે. અહો ભેદજ્ઞાન ! અહીં કહે છે-ભાઈ ! તારી ત્રિકાળી ચૈતન્યમય ચીજને ભૂલીને તું રાગ અને પરદ્રવ્યમાં એકાકાર થયો છે અને પુણ્યપાપના ભાવોને પોતાના માને છે તે તારી ચેષ્ટા ભૂતાવિષ્ટ પુરુષના જેવી છે. પુણ્યપાપના ભાવ અને પારદ્રવ્ય મારાં છે એમ હું માને તે ભૂતાવિષ્ટ પુરુષની જેમ તારુ પાગલપણું, ગાંડપણ અને બેભાનપણું છે. ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનના કારણે અમાનુષ અનુચિત ચેષ્ટા કરે છે. જેને ભૂતનો પ્રવેશ થયો હોય તેને હું મનુષ્ય છું અને આ ભૂત છે એવું (વિવેકયુક્ત) ભાન રહેતું નથી. મનુષ્યને ન શોભે એવી તે ચેષ્ટાઓ કરે છે અને તે બધી પોતાની માને છે. ઘડીકમાં દાંત કાઢે, ઘડીકમાં હાથ પગ પછાડ, વળી ધૂણવા લાગી જાય, દોડ, ભાગ, બૂમ બરાડા પાડે એમ અનેક પ્રકારે ધમાચકડી કરી મૂકે છે. આ પ્રમાણે ભૂતાવિષ્ટ પુરુષ મનુષ્યને ન શોભે તેવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ દષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે: તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.' આ આત્મા અજ્ઞાનના કારણે ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરે છે. મોહકર્મ તે ભાવક અને પુણ્યપાપના વિકારી ભાવ તે એનું ભાવ્ય-એ બેને અજ્ઞાની પોતાનાથી એકરૂપ માને છે. નિશ્ચયથી કર્મ ભાવક અને શુભાશુભ રાગ તેનું ભાવ્ય છે. પરંતુ હું ભાવક અને શુભાશુભ રાગ મારું ભાગ્ય છે એમ અજ્ઞાની માને છે. રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકમાત્ર હું છું એવી જેને દષ્ટિ થઈ નથી તે અજ્ઞાની દયા, દાન, વ્રતાદિના અને હિંસાદિના જે અનેક વિકલ્પો થાય તે વિકલ્પરૂપ ચેષ્ટા મારી છે એમ માને છે. પુણપાપના ભાવ તે મોહકર્મનું ભાવ્ય છે. છતાં આ વિકારી ભાવ પોતાનું (આત્માનું) ભાવ્ય છે એવી માન્યતાના વળગાડથી ભૂતાવિષ્ટ પુરુષની જેમ અજ્ઞાની જીવ પાગલ-ગાંડો થઈ ગયો છે. જેને ભૂત વળગ્યું હોય તેને તો મર્યાદિત કાળનું અને વધારેમાં વધારે એક ભવનું ગાંડપણ રહે છે. પણ આ શરીરાદિ મારાં અને પુણ્યપાપના ભાવ મારા એમ જેણે માન્યું છે એનું ગાંડપણ તો અનાદિનું છે, અનંતકાળથી છે. હે ભાઈ ! આ મનુષ્યભવમાં જો આ ગાંડપણ ન ગયું તો ભુંડા હાલ થશે. આ ગાંડપણનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ફળ તો ચાર ગતિની રખડપટ્ટી છે. આવું ગાંડપણ ભેદજ્ઞાન વડે જ દૂર થાય છે. પરમાં સુખબુદ્ધિ છે તેથી પરને પોતાનું માનવારૂપ ભાવ છે. પરંતુ શુદ્ધ ચૈતન્યમય સુખધામ એવા સ્વરૂપમાં સુખબુદ્ધિ થતાં પરને પોતાનું માનવારૂપ ગાંડપણ દૂર થઈ જાય છે. મનુષ્યભવની સાર્થકતા વિચારી હે ભાઈ ! ભેદજ્ઞાન પ્રગટ કર. અજ્ઞાની રાગને અને પોતાને એક કરતો થકો અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. જાઓ, પુણ્ય અને પાપના ભાવ પોતાના અધિકાર અનુભૂતિમાત્ર ભાવકને અનુચિત ભાવ્ય છે. ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. તેને તો સમ્યગ્દર્શન-જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની નિર્મળ અવસ્થારૂપે થવું શોભે. નિર્મળ વીતરાગી શાન્તિનું વેદન કરવું એ જ તેનું ઉચિત ભાવ્ય છે. જેમ ભૂતની ચેષ્ટા તે મનુષ્યને યોગ્ય ચેષ્ટા નથી તેમ પુણ્ય-પાપના ભાવની જે ચેષ્ટા થાય તે ભગવાન આત્માને યોગ્ય ચેષ્ટા નથી. તે અનુભૂતિસ્વરૂપ ભાવકનું અનુચિત ભાવ્ય છે. પુણ્ય પાપના ભાવની ચેષ્ટા પ્રગટ થતાં જેવું નિર્વિકાર ચૈતન્યસ્વરૂપ છે તેવી નિર્વિકારી અવસ્થા ન રહેતાં ચૈતન્યની પર્યાયમાં વિકારનું મિશ્રિતપણું થઈ જાય છે. અજ્ઞાનીને ક્રોધાદિ ભાવો, પુણ્યપાપના ભાવો પોતાના ભાસે છે, પણ તે ભાવોથી ભિન્ન હું ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયક છું એમ તેને ભાસતું નથી. હું તો મારા નિર્મળ જ્ઞાન-સુખાદિ સ્વરૂપનો અનુભવ કરનાર છું એમ અજ્ઞાનીને પોતાનું સ્વરૂપ ભાસતું નથી. તેથી તે પોતાથી એકરૂપ કહેલા પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનો, સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. આવો માર્ગ લોકોને સાંભળવો પણ કઠણ પડે તો તે પોતામાં પ્રગટ કેમ કરીને કરે? અહો ! જેના જન્મ-મરણનો અંત નજીક આવી ગયો છે તેને જ આ વાત બેસે એમ છે. આ પ્રમાણે ૯૪મી ગાથામાં સોળ બોલ દ્વારા જે કહ્યા તે સઘળા સવિકાર ચૈતન્યપરિણામનો અજ્ઞાની કર્તા પ્રતિભાસે છે, કેમકે તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભાસતું નથી. તેના કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે એમ અહીં સિદ્ધ કર્યું. હવે છ દ્રવ્યને મારાં માને છે એ સોપાધિક ચૈતન્યપરિણામનું સ્વરૂપ સમજવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દષ્ટાંત કહે છે વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો ““હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું'' એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ટ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૬ ] [[ પ૭ જુઓ, કોઈ અપરીક્ષક એટલે અણઘડ ગુરુએ કોઈ ભોળા પુરુષને પોતાને ઇષ્ટ હોય તેનું ધ્યાન કરવા કહ્યું. ત્યાં તે ભોળો પુરુષ પોતાને ઇષ્ટ એવા પાડાનું ધ્યાન કરવા લાગ્યો. પાડો આવો પુષ્ટ શરીરવાળો, ભારે માથાવાળો અને ખૂબ મોટાં શિંગડાંવાળો છે એમ ધ્યાન કરતાં કરતાં અજ્ઞાનને લીધે તે પાડાને અને પોતાને એક માનવા લાગ્યો. પાડો આવો, પાડો તેવો એમ વિચાર કરતાં કરતાં હું જ આવો ગગનચુંબી શિંગડાંવાળો મોટો મહિષ છું એમ એને થઈ ગયું. અરે! આ બારણું નાનું અને શિંગડાં મોટાં છે. હવે હું બારણામાંથી બહાર કેમ કરીને નીકળું? પોતે મનુષ્ય છે અને મનુષ્યને યોગ્ય બહાર નીકળી શકાય એવું બારણું છે એ ભૂલી ગયો. પોતે બારણામાં થઈ ઓરડામાં પેઠો તે મનુષ્ય જ હતો, પણ હું મોટા શિંગડાંવાળો પાડો જ છું એમ અધ્યાસ થઈ જવાથી મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી તે ચુત થઈ ગયો હોવાથી હું પાડો છું તે પ્રકારના ભાવનો તે કર્તા પ્રતિભાસે એમ અજ્ઞાનીને પરદ્રવ્ય મારાં છે એવી ચિરકાળની માન્યતાના કારણે પરદ્રવ્યમાંથી નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે. આ સ્ત્રી, પુત્ર, પરિવાર, મકાન, ધનસંપત્તિ, દેવ, ગુરુ ઇત્યાદિ બધાં પરદ્રવ્ય મારાં છે એવું એણે ધ્યાન કર્યું છે અને જાણે કે પોતે તે-રૂપ થઈ છે ગયો એમ માનવા લાગ્યો છે. એટલે હવે એમાંથી છૂટવું અને ભારે મુશ્કેલ થઈ ગયું છે. પરદ્રવ્યના વિચારમાં તે એવો તો એકાકાર થઈ ગયો છે કે હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું એ ભૂલી ગયો છે અને હું પરદ્રવ્યસ્વરૂપ છું એમ માનવા લાગ્યો છે. પોતાને ભૂલીને પરદ્રવ્યના ધ્યાનમાં મગ્દલ થયેલા તેને હવે પરદ્રવ્યથી ખસવું અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે. અહો! આચાર્યદવે અપાર કણા કરીને આવી વાત કરી છે. કહે છે-પદ્રવ્યને પોતાના માને તેને તેમાંથી બહાર નીકળવું ભારે કઠણ પડે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગ ભલો છે એમ માને તેને એનાથી ભિન્ન થવું મુશ્કેલ છે. હવે કહે છે-ધ્યાનાવિષ્ટ પુરુષ જેમ તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે “તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે શેયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો “હું પરદ્રવ્ય છું'' એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડ (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન-ઘન (પોતે) મૂર્શિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.' ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ દેવ-ગુરુ ઇત્યાદિ ખરેખર જ્ઞાનના ય છે. તે પરદ્રવ્યો આત્મામાં નથી. પોતે જ્ઞાયક છે અને તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ બધાં પરશેય છે. અજ્ઞાની જ્ઞાયક અને શેયને એક કરે છે. દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ શેયનો વિચાર-ધ્યાન કરતાં હું શેયરૂપ છું એમ તેને ભ્રમ ઊપજે છે. જ્ઞાનમાં દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પદ્રવ્ય જણાયાં ત્યાં તે પરદ્રવ્યોથી મારું જ્ઞાન છે, તે પરદ્રવ્ય વિના મારું જ્ઞાન ઉઘડે નહિ એમ તે પરશયને અને પોતાને એક કરે છે. સ્ત્રી, કુટુંબ, મિત્ર, દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ હું છું અને એ મારાં છે એવી માન્યતા મિથ્યાદર્શન છે અને એવી માન્યતા વડે મિથ્યાષ્ટિ જીવ પોતાના અજ્ઞાનભાવનો કર્તા થાય છે. મનના વિષયરૂપ છ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો મનના વિષય છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર, ભગવાન તીર્થંકરદેવ સુદ્ધાં સઘળા પરપદાર્થ મનના વિષય છે. સહજ ચૈતન્યસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય છે. આત્માના નિર્મળ સ્વસંવેદનના પુરુષાર્થના સમયે મન ઉપસ્થિત છે પણ તે મુખ્ય નથી; આત્મા જ મુખ્ય છે. આત્માનું ભાન આત્મા વડે જ થાય છે. ત્યાં મન તો ઉપસ્થિતિમાત્ર છે. ખરેખર તો મનનો વિષય પરવસ્તુ છે. છ દ્રવ્યરૂપ પરનો વિચાર કરતાં મનના નિમિત્તે શુભાશુભ વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ વિકલ્પમાં પોતાની શુદ્ધ ચૈતન્યધાતુ રોકાઈ જાય છે. જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્માને છોડી પદ્રવ્યના વિકલ્પમાં રોકાય છે તેને પર વડે શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી છે એમ કહેવામાં આવે છે. પરદ્રવ્યના વિચારમાં રોકાયેલો અજ્ઞાની જાણે હું પરરૂપ થઈ ગયો એમ ભ્રમથી માને છે. પોતાના શાયકસ્વભાવને જ્ઞાનવડે ધારી રાખવો જોઈએ તેને બદલે અજ્ઞાનીને મનના વિષયમાં શુદ્ધ ચૈતન્યધાતુ રોકાઈ જાય છે. સિદ્ધ ભગવાન, અરહંત ભગવાન, આચાર્ય ભગવાન આદિ પંચપરમેષ્ઠી અરૂપી છે. તથા ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પણ અરૂપી દ્રવ્યો છે. તે સઘળા મનના વિષય છે. પરંતુ એ સૌથી ભિન્ન ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા હું છું એમ અંતર્દષ્ટિ નહિ થવાથી અજ્ઞાની મનને અને મનના વિષયને એક કરતો ત્યાં જ રોકાયેલો હોવાથી જ્ઞય-જ્ઞાયકને એક કરે છે. જ્યારે હું શુદ્ધ જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા છું એમ જેને ભાન થયું છે એવો જ્ઞાની-ધર્મી જીવ જીવાદિ પરદ્રવ્યના વિચાર સમયે પણ હું પરદ્રવ્યથી ભિન્ન છું એવું ભાન વર્તતું હોવાથી યજ્ઞાયકને એક કરતો નથી. ઝીણી વાત છે ભાઈ ! મનના વિષયની વાત કરી. હવે ઇન્દ્રિયોના વિષયની વાત કરે છે. ઇન્દ્રિયના વિષયરૂપ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ વડ કેવળબોધસ્વરૂપ નિજ આત્મા ઢંકાઈ ગયો છે. ઇન્દ્રિય વિષયના લક્ષે ભગવાન આત્મા ઢંકાઈ ગયો છે. રૂપી પદાર્થના લક્ષે રાગ થાય છે. અને તે રાગને અને વિષયને પોતાનાં માનવાથી કેવળજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય છે એટલે અનુભવમાં આવતો નથી. જુઓ, અહીં કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. ઇન્દ્રિયના વિષયો મારા છે એવા વિકલ્પો વડે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પરમાત્મા પોતે છે તે અનુભવમાં આવતો નથી એટલે ઢંકાઈ જાય છે એમ અહીં વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૬ ] [ ૫૯ હવે ત્રીજી વાત કહે છે કે મૃતક કલેવર વડે પરમ અમૃતસ્વરૂપ વિજ્ઞાનઘન પોતે મૂર્શિત થઈ ગયો છે. જુઓ, આ શરીર મૃતક કલેવર એટલે મડદું છે એમ અહીં કહ્યું છે. પ્રશ્ન:- પણ કયારે ? ઉત્તર:- અત્યારે હમણાં જ. શરીર તો સ્વરૂપથી અચેતન મડદું જ છે પણ જીવના સંયોગની અપેક્ષાએ તેને ઉપચારથી સચેત-જીવિત કહેવામાં આવે છે. વાસ્તવમાં તો જીવ હોવા છતાં પણ શરીર તો મૃતક કલેવર જ છે, કેમકે શરીર કદીય જીવરૂપ-ચૈતન્યરૂપ થતું નથી અને જીવ કદીય શરીરરૂપ થતો નથી. જીવ સદા જીવ જ છે અને શરીર સદા શરીર જ છે. તેથી તેને મૃતક કલેવર અર્થાત્ મડદું અહીં કહ્યું છે. અહીં કહે છે કે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન પ્રભુ આત્મા અજ્ઞાનને લઈને શરીરરૂપ મૃતક કલેવરમાં-મડદામાં મૂર્જાયો છે. અરે ! રાતદિવસ એને એ મડદાની કેટલી ચિંતા! ખવડાવવું, પીવડાવવું, ઊંઘાડવું અને એને પુષ્ટ રાખવું-એમ એની જ સંભાળ કર્યા કરે છે. એ શરીરના લક્ષ મૂર્છાઈ ગયો છે, બેહોશ થઈ ગયો છે. આચાર્ય કહે છે-ભાઈ ! તું આ મડદે કેમ મૂર્ણાયો છે? તું તો અમૃતસ્વરૂપ આનંદનો નાથ વિજ્ઞાનઘન પ્રભુ છો ને! જાગૃત થા અને સ્વરૂપનું ભાન કરી એમાં ઠરી જા. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ અમૃતરસનો સાગર છે. પ્રભુ! એની દૃષ્ટિ છોડી આ દેહનામડદાના રખોપામાં કયાં રોકાયો? ચા, દૂધ, ઉકાળા, રોટલી, દાળ, ભાત, લાડુ વગેરેના ખાનપાનમાં તું એકાકાર થઈ ગયો છે તે તારું અજ્ઞાન છે. ચા પીધી હોય તો મગજ તર રહે અને બીડી પીધી હોય તો બરાબર કેફ રહે. અરે ભાઈ ! તું આ શું માને છે? આ તો મૂઢપણું છે. ભગવાન! તું તો સચ્ચિદાનંદ પ્રભુ અમૃતનો સાગર છું. તને આ શું થયું? શરીરની સર્વ ચિંતા છોડીને અમૃતસ્વરૂપ આત્માનું ભાન કર. જુઓ, ત્રણ વાત કરીમનના વિષયમાં-છ પદાર્થના વિચારમાં ચૈતન્યધાતુ રોકાઈ ગઈ એ એક વાત. પાંચ ઇન્દ્રિયના વિષયમાં કેવળ બોધ ઢંકાઈ ગયો એ બીજી વાત. અને પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો એ ત્રીજી વાત. આ પ્રમાણે અજ્ઞાનને લીધે જીવ ઇન્દ્રિયના વિષયમાં, મનના વિષયમાં અને શરીરમાં મૂછંભાવને પામેલો હોવાથી તે પ્રકારના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે. એટલે જે જે પ્રકારનો શુભાશુભ રાગ આવે છે તેનો તે કર્તા થાય છે. * ગાથા ૯૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પરયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે, તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.' આ આત્મા પોતાના સ્વરૂપના ભાન વિના અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે. શું કહે છે? અચેતન કર્મ છે તે ભાવક છે અને પુણ્યપાપના ભાવ તે એનું ભાવ્ય છે. સ્વભાવની રુચિ વિના જે શુભાશુભ ભાવ થાય તે અચેતન મોહકર્મનું ભાવ્ય છે. પરંતુ એમ ન માનતાં તે વિકારી ભાવ્યને ચેતન ભાવકનું ભાવ્ય માને છે. શુભાશુભ ભાવનો કરનાર ખરેખર તો જડકર્મ છે. આ દ્રવ્યદષ્ટિ કરાવવાની વાત છે. પુણપાપની પરિણતિ ઉત્પન્ન તો જીવની પર્યાયમાં થાય છે અને તે પોતાના પકારકની પરિણતિથી પોતામાં સ્વતંત્રપણે થાય છેતે પર્યાય કાંઈ પરથી થાય છે એમ નથી. પણ અહીં દ્રવ્યદૃષ્ટિ કરાવવી છે એટલે એમ કહે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે નિમિત્તને વશ થતાં થાય છે. માટે વિકારી ભાવ તે ભાવક અચેતન કર્મનું ભાવ્ય છે, તે ચેતન ભાવકનું ભાવ્ય નથી. ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય-પાપ ઇત્યાદિ રોગપરિણામ બધા અચેતન ભાવકનું – જડકર્મનું ભાવ્ય છે. ચેતન ભાવક ભગવાન આત્મા તો ચૈતન્યની અતીન્દ્રિય આનંદની દશાનો કરનાર છે. ભગવાન આત્મા ભાવક અને અતીન્દ્રિય આનંદની દશા એ એનું ભાવ્ય છે. સમકિત થતાં ભગવાન આત્મા ભાવક થઈને જે નિર્મળ વીતરાગી આનંદની દશા પ્રગટ કરે તે ચેતનનું ભાવ્ય છે. પરંતુ અજ્ઞાની જીવ ચેતન ભાવક સાથે વિકારી ભાવને એકરૂપ માને છે. રાગ મારી છે, મારુ ભાવ્ય છે, મારું કર્તવ્ય છે એમ તે માને છે. ભગવાન આત્મા ભાવક થઈન નિર્મળ પર્યાયને–શુદ્ધરત્નત્રયને પોતાનું ભાવ્ય કરે એવો તેનો સ્વભાવ છે. પરંતુ સ્વભાવને છોડીને જાણે ચેતન ભાવકનું વિકાર ભાવ્ય છે એમ માની અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે. અહાહા...! ચેતન કોણ, રાગ કોણ અને પોતાનું સ્વરૂપ શું? ઇત્યાદિ સ્પષ્ટ વાત દિગંબર સંતો સિવાય કોઈ એ કરી નથી. ભગવાન આત્મા વિજ્ઞાનઘન પ્રભુ અવિકારી અનુભૂતિમાત્ર ભાવક છે. અને તેના લક્ષે જે વીતરાગી આનંદ અને શાન્તિની દશા પ્રગટ થાય તે એનું ભાવ્ય છે. વીતરાગી આનંદની પર્યાય પ્રગટ કરવી એ સમ્યગ્દષ્ટિનું કર્તવ્ય છે. ધર્મી જીવ રાગ અને પરની ક્રિયાનો કદીય કર્તા થતો નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ! પરંતુ આત્માને અનુચિત-અશોભનીક એવા વિકારી ભાવને પોતાના માનીને અજ્ઞાની તે ભાવનો કર્તા થાય છે. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન શું ચીજ છે એ અહીં બતાવવું છે. રાગ અને પરવસ્તુ મારી છે એવું માનીને ભાવક જડ કર્મનું ભાવ્ય જે શુભાશુભ વિકારી ભાવ તેનો અજ્ઞાની કર્તા થાય છે. વિકારી ભાવ જે જડકર્મનું કર્તવ્ય છે તેને અજ્ઞાની પોતાનું કર્તવ્ય માને છે. રે અજ્ઞાન! ધર્મીનું તો વીતરાગી પરિણામ કર્તવ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૬ ] [ ૬૧ પોતાના જ્ઞાયકભાવને ભૂલીને પરય (છ દ્રવ્ય) મારાં છે એમ વિચારતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે કર્મરૂપી ભાવકનું ભાવ્ય છે. તેને પોતાનું ભાવ્ય માની અજ્ઞાની જીવ શુભાશુભ વિકલ્પનો કર્તા થાય છે. શરીરનો કર્તા કે દેશનો કર્તા તો જીવ કદીય છે નહિ. સ્ત્રી-કુટુંબનું પાલન કરવું, સમાજની સેવા કરવી અને દેશનું રક્ષણ કરવું ઇત્યાદિ કર્તવ્ય જીવનું કદીય નથી. છ દ્રવ્યરૂપ પરજ્ઞયને પોતાના માની જે મિથ્યાત્વ અને રાગાદિના ભાવ ઉત્પન્ન કરે તે ભાવનો અજ્ઞાનપણે તે કર્તા થાય છે તે ભાવ એનું કર્તવ્ય છે, પણ પરદ્રવ્યની ક્રિયા થાય તે એનું કર્તવ્ય નથી. નિશ્ચયથી તો એ વિકારભાવ જડકર્મ જે ભાવક એનું ભાવ્ય છે. જો તે આત્માનું ભાગ્ય હોય તો તે એનાથી કદીય છૂટે નહિ. અહીં અચેતન કર્મ ભાવક અને વિકારી દશા એનું ભાવ્ય છે એમ કહ્યું છે. પ્રશ્ન:- તો શું વિકાર જીવની પર્યાય નથી, જીવનું કાર્ય નથી ? ઉત્તર:- અરે ભાઈ ! વિકારી પરિણામ પોતાની-જીવની પર્યાયમાં થાય છે એમ જેણે નક્કી કર્યું છે તેને સ્વભાવની દૃષ્ટિ કરાવવા માટે વિકારી પરિણામ તારું જીવનું કર્તવ્ય નથી એમ કહ્યું છે. વિકારના પરિણામ સ્વયં પોતાના પારકથી જીવની પર્યાયમાં થાય છે, તે કર્મનું કાર્ય છે વા કર્મના કરાવેલા થાય છે એમ બીલકુલ નથી, આવો નિર્ણય જેને થયો છે તેને વિકારનું લક્ષ છોડાવી દષ્ટિનો વિષય જે શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મા તેનો આશ્રય કરાવવા દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ તેને જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય કહ્યું છે. વિકાર કર્મના સંગે થાય છે અને શુદ્ધ દ્રવ્યની દષ્ટિ થતાં નીકળી જાય છે તેથી તેને પ્રયોજનવશ જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય કહ્યું છે. ભાઈ ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાપૂર્વક યથાર્થ સમજવું જોઈએ. અજ્ઞાનીની દષ્ટિ રાગ અને પર ઉપર છે. પોતે શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક ભગવાન છે એના ઉપર એની દષ્ટિ નથી. તેથી તેને કહ્યું કે આ જે પર્યાયમાં રાગ છે તે અચેતન જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય છે. તું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ છો. તારું એ ભાવ્ય કેમ હોય? ભાઈ ! દયા, દાન, વ્રતાદિના વિકલ્પ હો કે અશુભભાવના વિકલ્પ હો-એ બધું પુદ્ગલનું -કર્મનું કાર્ય છે, ચેતનનું કાર્ય નથી. અજ્ઞાની તે વિકારી ભાવને ચેતન ભાવકની સાથે એકરૂપ કરીને તે તે પ્રકારના વિકારી ભાવનો કર્તા થાય છે. અહો! આ સમયસારશાસ્ત્ર કોઈ અદ્ભુત, અલૌકિક ચીજ છે! તેને સમજવા ખૂબ શાંતિ અને ધીરજ કેળવવા જોઈએ અને તેનો ગંભીર જિજ્ઞાસાથી સ્વાધ્યાય કરવો જોઈએ. માત્ર ઉપલક વાંચી જાય તો તે સમજાય એમ નથી. દરેક દ્રવ્યની વિકારી કે નિર્વિકારી પર્યાય સ્વતંત્રપણે પોતાના પકારકથી પરિણમે છે. ત્યાં તો પર્યાયનું સ્વતંત્ર અસ્તિપણે સિદ્ધ કરવાની વાત છે. (ત્યાં પણ પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યદૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે ). અને અહીં રાગને કર્મનું કાર્ય કહીને રાગથી ભેદજ્ઞાન કરાવી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરાવવાની વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ એકલા આનંદનું ઢીમ-ચોસલું છે. તેના લક્ષે પ્રગટ થતો ધર્મ ધર્મીનું કર્તવ્ય છે. ધર્મીને લડાઈના પરિણામ, વિષય-વાસનાના પરિણામ કમજોરીવશ થાય છે તોપણ ધર્મી તેના જ્ઞાતા રહે છે, કર્તા થતા નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! પરંતુ અજ્ઞાની પુણ્યપાપના ભાવ જે અચેતન મોહકર્મનું ભાવ્ય છે તે જાણે પોતાનું કર્તવ્ય છે એમ માનતો હોવાથી તે તે ભાવનો તે કતો થાય છે. પરનું કાર્ય હું કરુ, પરને મા, પ૨ને જીવાડું, પરની રક્ષા કરું ઇત્યાદિ માનનાર મિથ્યાદષ્ટિ મૂઢ છે. અરે ! પોતાની દયા પાળે નહિ અને પરની દયાનો શુભરાગ આવે તેને પોતાનું કર્તવ્ય માને છે તે પોતાની હિંસા કરે છે. અમૃતચંદ્રસ્વામીએ પુરુષાર્થ-સિદ્ધયુપાયમાં રાગને હિંસા કહી છે. ભાઈ ! તને બહારમાં કોઈ શરણ નથી. (અને તે પણ કોઈ અન્યનું શરણ નથી.) અંતરંગમાં પ્રગટ બિરાજમાન ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ એક જ તને શરણ છે. ત્યાં દષ્ટિ કર તો શરણ મળે તેમ છે. અરહંતાદિ જે ચત્તારિ શરણ કહેવાય છે એ વ્યવહારથી શરણ કહેલા છે. ભાઈ ! આવો જ વીતરાગનો માર્ગ છે. વળી તે, પરયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે.” છ દ્રવ્યોના વિચારના વિકલ્પમાં એકાકારપણે તલ્લીન થાય છે તે પરદ્રવ્યને પોતાના માને છે. ભાઈ ! અનંતા નિગોદના જીવ અને અનંતા સિદ્ધોને જ્ઞાનની એક પર્યાય જાણે તે પર્યાયનું સામર્થ્ય કેટલું? નિગોદના જીવને બચાવી શકે કે તેમની દયા પાળી શકે એ વાત નથી; પણ અનંતની સત્તાને અનંતપણે જાણે એ જ્ઞાનની પર્યાયનું કોઈ અદ્દભુત અચિંત્ય સામર્થ્ય છે. અરે ભાઈ! અનંતા સિદ્ધ ભગવંતો ભક્તિ કરવા યોગ્ય છે માટે શાસ્ત્રમાં એનું કથન છે એમ નથી; તેમજ જે અનંત નિગોદના જીવો છે તેમની દયા પાળવી યોગ્ય છે માટે શાસ્ત્રમાં તેમનું કથન છે એમ નથી. તો શી રીતે છે? અહાહા..! પ્રભુ! તારી જ્ઞાનની પર્યાયમાં આટલા અનંત જ્ઞયો જાણવામાં આવે એવું તારી જ્ઞાનની પર્યાયનું સ્વપરપ્રકાશક અચિંત્ય સામર્થ્ય છે એ સમજાવવા શાસ્ત્રમાં આ વાત કરી છે અનંત પરદ્રવ્ય છે તે શેય છે અને ભગવાન આત્મા જ્ઞાયક-જ્ઞાયક જાણગસ્વભાવી છે. જ્ઞાની અનંતા પરજ્ઞયને જાણતો થકો જ્ઞાતા રહે છે. અને અજ્ઞાની જ્ઞય અને જ્ઞાયકને એકરૂપ કરતો થકો શુભાશુભ વિકલ્પોને ઉપજાવતો એવો તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. અહો ! ગજબ વાત છે! ક્રોધાદિક ભાવ તે સવિકાર ચૈતન્યપરિણામ છે અને ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય મારાં છે એમ માને તે સોપાધિક ચૈતન્યપરિણામ છે. અજ્ઞાની, રાગ મારો છે એમ માની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૬ ] [ ૬૩ રાગનો કર્તા થાય છે અને પરદ્રવ્ય મારાં છે એમ માની તે મિથ્યા માન્યતાનો કર્તા થાય છે. પદ્રવ્યનો કર્તા તો કદીય કોઈ જીવ થઈ શક્તો નથી. પરની દયા પાળી શકે કે પરને જીવાડી શકે એ તો વસ્તુનું સ્વરૂપ જ નથી. તે પર જીવનું આયુષ્ય હોય તો તે બચે અને તેનું આયુ પૂરું થાય તો દેહ છૂટી જાય. એમાં તું શું કરી શકે ? શું તું એને આયુષ્ય દઈ શકે છે? શું તું એનું આયુષ્ય હરી શકે છે? ના. તો હું પરજીવને બચાવું કે મારું એ માન્યતા તારી મિથ્યા છે. ભાઈ ! ભગવાન જિનેશ્વરનો માર્ગ આખી દુનિયાથી જુદો છે. અરે ! વાડામાં જન્મ્યા તેને પણ માર્ગની ખબર નથી ! અરેરે ! એમ ને એમ જિંદગી વ્યર્થ ચાલી જાય છે! પ્રશ્ન:- મુનિરાજ છ કાયના જીવની રક્ષા કરે છે એમ શાસ્ત્રમાં આવે છે ને? ઉત્તર:- ભાઈ ! શાસ્ત્રમાં વ્યવહારનયથી એ કથન આવે છે. મુનિરાજ ત્રણ કપાયના અભાવરૂપ અકષાય પરિણતિના સ્વદયાના સ્વામી છે. તેમને પરજીવની હિંસાનો વિકલ્પ હોતો નથી અને પરજીવની દયાનો વિકલ્પ કદાચિત્ થાય તેના તે સ્વામી થતા નથી, માત્ર જ્ઞાતા રહે છે. તેથી વ્યવહારથી મુનિરાજ છ કાયના જીવની રક્ષા કરે છે એમ કથન કરવામાં આવે છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. આ રળવું-કમાવું અને વેપારધંધા કરવા તથા બેરાં-છોકરાને સાચવવાં ઇત્યાદિ પ્રવૃત્તિમાં રોકાઈ ગયો તે મજૂરની જેમ પાપની મજૂરીમાં કાળ ગુમાવે છે. અજ્ઞાની રાગનો કર્તા છે પણ બહારનાં પરનાં કાર્યોનો તો કર્તા કદીય નથી. કારખાનામાં લાદી બને તે જડની ક્રિયા છે. તે ક્રિયા આત્મા કરી શકે નહિ. જડની ક્રિયાનો સ્વામી તો જડ છે. તેનો સ્વામી શું જીવ થાય? તથાપિ જડની ક્રિયાનો સ્વામી પોતાને માને તે મૂઢ મિથ્યાષ્ટિ છે. ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે એ ત્રણકાળમાં સંભવિત નથી, કેમકે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડકતું નથી. પોતાના સ્વદ્રવ્યમાં પરનો, શરીરનો, લક્ષ્મીનો અભાવ છે. માટે આત્મા પરનું કાંઈ કરતો નથી અને પારદ્રવ્યો આત્માનું કાંઈ કરતાં નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાથી ટકી રહ્યું છે અને પરિણમી રહ્યું છે. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યના પરિણામનું કર્તા ત્રણકાળમાં નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. માટે હું ભાઈ ! પર વિના મારે ચાલે નહિ એવી માન્યતા છોડી દે. તને ખબર નથી પણ અનંતકાળમાં તે પર વિના જ ચલાવ્યું છે. પોતાની માન્યતા વિપરીત છે તેથી અજ્ઞાનીને લાગે છે કે પર વિના ચાલે નહિ. આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ સ્વચતુષ્ટયમાં રહેલો છે. પરના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવરૂપ પરચતુષ્ટયમાં આત્મા રહેલો નથી. માટે પર વિના જ પ્રત્યેક જીવે ચલાવ્યું છે. પરનો તારામાં અભાવ છે. તે અભાવથી તારો સ્વભાવ ટકે એવું કેમ બને? ન બને. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આ એક આંગળી પોતાથી ટકી છે. તેમાં બીજી આંગળીને અભાવ છે. ભાઈ ! પહેલાં આ વાતની હા તો પાડ. પર વિના ચાલે નહિ એ તો મૂઢ મિથ્યાષ્ટિની માન્યતા છે; તેને જૈનદર્શનની શ્રદ્ધા નથી. પરને સહાય કરી શકું, પરને સુખી કરી શકું, પરને જીવાડી શકું-એ બધો મિથ્યાષ્ટિનો ભ્રમ છે. અજ્ઞાની પોતાના વિકારી પરિણામનો કર્તા થાય છે પણ પરદ્રવ્યના જે કાર્ય થાય તેનો કદીય કર્તા નથી. અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું ક્નત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું ર્ક્યુત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દષ્ટાંત કહ્યું છે. [ પ્રવચન નં. ૧૬ર શેષ, ૧૬૩ ચાલુ * દિનાંક ૨૧-૮-૭૬ અને રર-૮-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૭ ततः स्थितमेतद् ज्ञानान्नश्यति कर्तृत्वम्एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहिं परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ।। ९७ ।। एतेन तु स कर्तात्मा निश्चयविद्भिः परिकथितः। एवं खलु यो जानाति सो मुञ्चति सर्वकर्तृत्वम्।।९७ ।। તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે' એમ હવે કહે છે: એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, -એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તુત્વને. ૯૭. ગાથાર્થ:- [તેન તુ] આ (પૂર્વોક્ત) કારણથી [નિશ્ચયવિ]િ નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ [ સ: માત્મા] તે આત્માને [કર્તા] કર્તા [પરિથિત:] કહ્યો છે-[vā ] આવું નિશ્ચયથી [ 4:] જે [નાનાતિ] જાણે છે [ :] તે (જ્ઞાની થયો થકો ) [ સર્વત્કૃત્વમ્] સર્વ ઝૂત્વને [ મુખ્યતિ] છોડે છે. ટીકાઃ- કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જ જાણે છે તે સમસ્ત કર્તુત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે – આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે, અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે. અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ ] પ્રવચન રત્નાકર ભાગ-૫ (વસંતતિના ) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृद्ध्या गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।। ५७ ।। એકરૂપે નહિ પણ ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે. એવો હોય છે, તેથી તે જાણે છે કે “અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન ), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા-બેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે;” આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે; તેથી “અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી ” એમ જાણતો થકો “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, તેથી સમસ્ત કર્તુત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ:- જે પરદ્રવ્યના અને પારદ્રવ્યના ભાવોના કર્તુત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ નિ] નિશ્ચયથી [ સ્વયં જ્ઞાન ભવન ]િ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [અજ્ઞાનત: તુ] અજ્ઞાનને લીધે [ :] જે જીવ, [ સંતૃપામ્યવહા૨ારી] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [૨ષતે] રાગ કરે છે ( અર્થાત્ રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે ) [સૌ] તે, [ ધીમુમધુરાન્તરસાતિવૃદ્ધચી] દહીંખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [૨સત્રમ્ વીત્વી] શિખંડને પીતાં છતાં [ ટુથમ્ તોષેિ રૂવ જૂન ] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. ભાવાર્થ- જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી, તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. ૫૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૬૭ (શાર્દૂતવિહિત) अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कीभवन्त्याकुलाः।। ५८ ।। (વસંતતિના ) ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वा:पयसोर्विशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।। ५९ ।। અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્ધઃ- [ અજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [મૃતૃ[િવાં નધિયા] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [મૃ: પાતું ઘાવત્તિ] હરણો તેને પીવા દોડે છે; [ અજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [તમસિ રંજ્ઞૌ મુન+TIધ્યાસેન] અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [ નના: દ્રવત્તિ] લોકો (ભયથી) ભાગી જાય છે; [૨] અને (તેવી રીતે) [ જ્ઞાનાત] અજ્ઞાનને લીધે [મની] આ જીવો, [ વાતોત્તરાધિવત્] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [ વિરુત્વવરણI] વિકલ્પોના સમૂહુ કરતા હોવાથી- [શુદ્ધજ્ઞાનમય: uિ] જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ-[કાવુકતા:] આકુળતા બનતા થતા [ સ્વયમ્] પોતાની મેળે [વદ્ગમવત્તિ] કર્તા થાય છે. ભાવાર્થ- અજ્ઞાનથી શું શું નથી થતું? હુરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ અજ્ઞાનથી કર્તા થાય છે. ૫૮. જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છે: શ્લોકાર્થઃ- [: વા:પયો: રૂ] જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને ( તફાવતને) જાણે છે તેમ [ :] જે જીવ [ જ્ઞાનાત્ ] જ્ઞાનને લીધે [ વિવેચતયા ] વિવેકવાળો ( ભેદજ્ઞાનવાળો ) હોવાથી [પ૨ાત્મનો: તુ] પરના અને પોતાના [વિશેષ ] વિશેષને [નાનાતિ] જાણે છે [૩] તે (જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૫ (મંદ્ાાન્તા) ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम् ।। ६० ।। ( અનુદુમ્ ) अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित् ।। ६१ ।। કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ) [અવનં ચૈતન્યધાતુમ્] અચળ ચૈતન્યધાતુમાં [સવા] સદા [ધિત: ] આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો ) [ નાનીત વ હિ] માત્ર જાણે જ છે, [ગ્વિન અપિ ન રોતિ] કાંઈ પણ કરતો નથી (અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી ). ભાવાર્થ:- જે સ્વ-૫૨નો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ૫૯. હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ શ્લોકાર્થ:- [ જ્વલન-પયસો: ઔાય-શૈત્ય-વ્યવસ્થા] (ગરમ પાણીમાં ) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [જ્ઞાનાત્ વ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [નવખસ્વાવમેવબુવાસ: જ્ઞાનાત્ વ ત્તસતિ] લવણના સ્વાદભેદનું નિરસન (–નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા ) જ્ઞાનથી જ થાય છે (અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [ સ્વરસવિસન્નિત્યચૈતન્યધાતો: ઘોધાવે: મિવા] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [ ર્દૂમાવત્ મિન્વતી] ત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો, [જ્ઞાનાત્ વ પ્રભવતિ ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦. હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્દગલના ભાવને કદી કરતો નથી– એવા અર્થનો, આગળની ગાથાની સૂચનકારૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થ:- [vi] આ રીતે [અગ્નસા] ખરેખર [આત્માનમ્] પોતાને [અજ્ઞાનં જ્ઞાનમ્ અપિ] અજ્ઞાનરૂપ જ્ઞાનરૂપ [ર્વન્] કરતો [આત્મા આત્મભાવસ્ય ર્તા સ્વાત્] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [પરમાવસ્ય] પરભાવનો ( પુદ્દગલના ભાવોનો) કર્તા તો [ વવચિત્ ન] કદી નથી. ૬૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૬૯ (અનુકુમ) आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।। એ જ વાતને દઢ કરે છે: શ્લોકાર્થઃ- [ માત્મા જ્ઞાન] આભા જ્ઞાનસ્વરૂપ છે, [ સ્વયં જ્ઞાન] પોતે જ્ઞાન જ છે; [ જ્ઞાના અન્ય વિરોતિ] તે જ્ઞાન સિવાય બીજું શું કરે? [માત્મા પરમાવસ્ય ર્તા ] આત્મા પરભાવનો કર્તા છે [] એમ માનવું (તથા કહેવું) તે [ વ્યવહારિણમ્ મોદ:] વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬ર. સમયસાર ગાથા ૯૭ : મથાળું “તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે” અજ્ઞાનથી કર્તાપણું છે. તે કર્તાપણાનો જ્ઞાન વડે નાશ થાય છે. હું જ્ઞાતાદરા ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ છું એવા અનુભવથી ક્નત્વનો નાશ થાય છે અને તે ધર્મ છે એમ હવે કહે * ગાથા ૯૭ : ટીકા ઉપરનું પ્રવચન * કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જ જાણે છે તે સમસ્ત બ્રૂત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે.” ગાથા બહુ સરસ છે. પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનું ભાન નહિ હોવાથી અજ્ઞાનને લીધે જીવ રાગ અને પરદ્રવ્ય સાથે પોતાને એક કરીને સ્વપરના એકત્વનો આત્મવિકલ્પ કરે છે અને તેથી નિશ્ચયથી તે કર્તા પ્રતિભાસે છે. અજ્ઞાનથી રાગનો કર્તા છે એમ જે યથાર્થ જાણે છે તે સકલ ડ્રેને છોડી દે છે અર્થાત તે અકર્તા થઈ. લોકો બહારથી છોડવાનું-ત્યાગવાનું માને છે. આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ માને છે, પણ એ ઉપવાસ નથી; એ તો લાંઘણ છે. આત્મામાં વસે તે ઉપવાસ છે. મેં આહારનો ત્યાગ કર્યો એમ જે માને તે મિથ્યાદષ્ટિ છે કેમકે આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. જડ રજકણને આત્મા કઈ રીતે ગ્રહે અને કઈ રીતે ત્યાગે ? મેં બૈરાં-છોકરાં, ધનસંપત્તિ ઇત્યાદિનો ત્યાગ કર્યો એવી માન્યતા મિથ્યાષ્ટિની છે. પરિશિષ્ટમાં ૪૭ શક્તિનું વર્ણન છે. તેમાં એક સોળમી ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિ કહેલી છે. ત્યાં કહ્યું છે- “જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ (-નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિ.'' જુઓ, આત્મા પરનું ગ્રહણ અને પરનો ત્યાગ કરે-એનાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ ] પ્રવચન રત્નાકર ભાગ-૫ શૂન્ય છે. રજકણોને ગ્રહ્યા નથી અને રજકણોને આત્મા છોડતો નથી. પર્યાયમાં અજ્ઞાનનું ગ્રહણ કર્યું છે અને તે અજ્ઞાનને છોડે છે. પરંતુ જે પરનો ત્યાગ મેં કર્યો છે એમ માને છે તેણે સમકિત છોડ્યું છે અને મિથ્યાત્વનું ગ્રહણ કર્યું છે. જૈન પરમેશ્વર દેવાધિદેવ સર્વજ્ઞદેવ ધર્મસભામાં-ગણધરો અને ઇન્દ્રોની સભામાં જે દિવ્યધ્વનિમાં કહેતા હતા તે આ વાત છે. જેમ જ્ઞાન આત્માનો ત્રિકાળી ગુણ છે તેમ પરના ત્યાગ-ગ્રહણથી શૂન્ય એવી આત્માની ત્રિકાળી શક્તિ-ગુણ છે. માટે આત્મા પરને કદીય ગ્રહતો છોડતો નથી એ મૂળ મુદ્દાની વાત છે. આમ યથાર્થ જાણી જે સ્વપરને એક કરતો નથી પણ પરને પરરૂપ જાણી સ્વરૂપમાં-ચૈતન્યસ્વભાવમય પોતાની વસ્તુમાં લીન થાય છે તે પોતાને એકને અનુભવે છે અને એ રીતે સકલ ક્નત્વને છોડી દે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે: “આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદ-જ્ઞાનની) શક્તિ બીડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી ““હું ક્રોધ છું'' ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.” પોતાની જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળી ચીજનું અભાન તે અજ્ઞાન છે. આ અજ્ઞાન નવું નથી પણ અનાદિથી છે. અનાદિ સંસારથી એણે પોતાની શુદ્ધ ચિતૂપ વસ્તુની દૃષ્ટિ કરી નથી. તેથી અજ્ઞાનને કારણે તેને મિલિત સ્વાદનો અનુભવ છે. અનાદિ નિગોદથી માંડીને પોતાની જ્ઞાનની પર્યાયમાં રાગદ્વેષના વિકલ્પની આકુળતાનો સ્વાદ અજ્ઞાનીને આવે છે. અજ્ઞાનને કારણે-એમ કહ્યું છે એટલે કર્મને કારણે નહિ એમ અર્થ છે. જીવ અનાદિકાળથી અજ્ઞાનને કારણે પુણ્યપાપ અને શુભાશુભભાવની આકુળતાનો-દુ:ખનો સ્વાદ લઈ રહ્યો છે. ‘મિલિત સ્વાદ' એટલે કાંઈક આત્માના આનંદનો સ્વાદ અને કાંઈક રાગનો વિકલ્પનો આકુળતામય સ્વાદ એમ અર્થ નથી. અજ્ઞાનીને આત્માનો આનંદ કયાં છે? “મિલિત સ્વાદ' એમ શબ્દ છે એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાય પોતાની છે તેમાં શુભાશુભ-રાગનો એકમેકપણે જે અનુભવ છે તે પૌલિક વિકારનો સ્વાદ તેને છે; તેને મિલિત સ્વાદ કહ્યો છે. રાગ છે તે પુલની અવસ્થા છે. અજ્ઞાની તે રાગનો સ્વાદ લે છે, તે જગતની અન્ય ચીજોનો સ્વાદ લેતો નથી. લાડુ, જલેબી, મૈસુબ, દ્રાક્ષ, મોસંબી, સ્ત્રીનું શરીર ઇત્યાદિ પરચીજોનો સ્વાદ જીવન હોતો નથી, પણ પરચીજને ઠીક-અઠીક માની જે રાગદ્વેષ કરે તે રાગદ્વેષનો તે સ્વાદ લે છે. પોતાના ચૈતન્યસ્વભાવથી ભ્રષ્ટ થઈને દયા, દાન, વ્રત, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૭૧ ભક્તિ આદિ શુભભાવ જે દુઃખરૂપ છે તેનો સ્વાદ જે લે છે તે મૂઢ મિથ્યાષ્ટિ છે. શુભરાગ એ કાંઈ ચૈતન્યની સ્વભાવરૂપ અવસ્થા નથી અને તેથી તેને પુદ્ગલની અવસ્થા કહી છે. અજ્ઞાની જીવ પુદ્ગલની અવસ્થા એટલે કે રાગદ્વેષના જે ભાવ તેનો સ્વાદ લે છે. આવું જ મિથ્યાષ્ટિનું લક્ષણ છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન ભલે હોય, પણ જ્યાં સુધી રાગના સ્વાદનો અનુભવ કરે છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળી ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે. તેની સન્મુખ થઈ ઝુકાવ કદી કર્યો નથી એવો અજ્ઞાની પાંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ અઠ્ઠાવીસ મૂલગુણ પાળે તોપણ તે બધો શુભરાગ હોવાથી તે દુઃખનો સ્વાદ અનુભવે છે, લેશમાત્ર સુખનો સ્વાદ તેને નથી. છ૭ઢાલામાં કહ્યું છે કે મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયૌ.'' અહાહા...! નવમી ગ્રીવ જાય એવા શુભભાવ એણે અનંતવાર કર્યા પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન કર્યા વિના અનંતકાળમાં તે લેશ પણ સુખ ન પામ્યો. મતલબ કે દુઃખ જ પામ્યો. અરે ભાઈ! શુભભાવ કરીને પણ એણે અનાદિથી દુઃખનો જ સ્વાદ અનુભવ્યો છે. પ્રશ્ન:- આ બધા શેઠીઆ અને સ્વર્ગના દેવ તો સુખી છે ને? ઉત્તર:- અરે ભાઈ ! આ બધા શેઠીઆ અને સ્વર્ગના દેવ વિષયોની ચાહના દાહથી બળી રહ્યા છે. તેઓ બિચારા દુઃખી જ દુઃખી છે. જેને પોતાના આનંદસ્વરૂપ આત્માનું ભાન નથી તે બધાને પુણ્ય પાપના ભાવનો સ્વાદ આવે છે અને તે આકુળતામય દુઃખનો જ સ્વાદ છે. પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી અજ્ઞાનીની ભેદસંવેદનની શક્તિ બિડાઈ ગઈ છે. અજ્ઞાનીને આત્માના સ્વાદનો (જ્ઞાનનો) તો અંશ પણ નથી. રાગને-પુણ્યપાપના ભાવને અને પોતાને ( જ્ઞાનને ) એકમેક કરતો હોવાથી તેને બન્નેના ભેદસંવેદનની શક્તિ અસ્ત થઈ ગઈ છે. રાગથી ભિન્ન નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવી પોતાની ચીજ છે એવું ભેદજ્ઞાન કરવાની એની શક્તિ બિડાઈ ગઈ છે. એટલે કે તેને રાગમાં એક્તા થઈ ગઈ છે. પરંતુ રાગ ચાહું શુભ હો કે અશુભ હો–તે આકુળતા ઉપજાવનારો દુઃખસ્વરૂપ જ છે. અહીં શુભરાગની પ્રધાનતાથી વાત છે કેમકે શુભમાં ધર્મ માનીને અજ્ઞાની અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. બાહ્ય તપશ્ચર્યામાં જે રાગ છે તે આકુળતાનો સ્વાદ છે, દુ:ખ છે. તે કાંઈ ખરી તપશ્ચર્યા નથી. જેમાં સ્વભાવનું પ્રતપન થઈને નિરાકુળ આનંદનો સ્વાદ આવે તેનું નામ તપ છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન ન હોય અને મહિના-મહિનાના બહારથી ઉપવાસ કરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તો તે કાંઈ તપ નથી. એ તો રાગ છે, અપવાસ છે. એકલા શુભરાગમાં રોકાઈ રહે એ તો અપવાસ એટલે માઠો વાસ છે, દુઃખમાં વાસ છે. આત્માના આનંદના અનુભવ વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના જેટલો ક્રિયાકાંડનો રાગ છે તે બધો દુઃખરૂપ છે અને તે પુદ્ગલનો સ્વાદ છે. અજ્ઞાનીને રાગની એક્તાબુદ્ધિ આડે રાગથી ભિન્ન થવાની ભેદજ્ઞાનશક્તિ સંકોચાઈ ગઈ છે. પોતે નિર્મળ આનંદસ્વરૂપ ભગવાન શાયક છે અને રાગ તો દુઃખસ્વરૂપ છે એમ બેને ભિન્ન પાડનારી ભેદજ્ઞાનશક્તિ અનાદિથી ઢંકાઈ ગઈ છે. આત્મા અને રાગ એક છે એવી અભેદષ્ટિ એને થઈ ગઈ છે. ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે અને શુભાશુભ ભાવ તે પુણ્ય-પાપરૂપ આસ્રવ તત્ત્વ છે. બન્ને તત્ત્વ ભિન્ન ભિન્ન છે. એક તત્ત્વ બીજા તત્ત્વરૂપ નથી એમ માને તો નવ તત્ત્વ સિદ્ધ થાય. પરંતુ અજ્ઞાનીને નવ તત્ત્વોને ભિન્ન કરવાની શક્તિ ઢંકાઈ ગઈ છે. આસવથી જ્ઞાયકને ભિન્ન પાડવાની એની શક્તિ બીડાઈ ગઈ છે કેમકે તે જ્ઞાયકને અને આસ્રવને એકરૂપ કરે છે. જુઓ, આ મુદ્દાની ૨કમની વાત ચાલે છે. કોઈ પંચમહાવ્રત પાળે, હજારો રાણીઓ છોડી જંગલમાં રહે પણ અંદર રાગથી ભિન્ન પોતાની ચીજ છે એનું ભાન ન કરે તો તે મિથ્યાદષ્ટિ છે. અરે ભાઈ! શુભરાગ કરીને તું અનંતવાર નવમી ત્રૈવેયક ગયો પણ અનંતકાળમાં આજ પર્યંત જે વિસ છે એવો રાગનો જ તને સ્વાદ આવ્યો છે. જે અશુભ રાગ છે તેનો સ્વાદ તો તીવ્ર મહાદુ:ખમય છે. પણ પંચમહાવ્રતાદિ જે શુભ-રાગ છે તેનો સ્વાદ પણ દુઃખમય જ છે. અરેરે! પુણ્યપાપના ભાવમાં એકાકાર થઈને અજ્ઞાની જીવો રોકાઈ ગયા છે અને આનંદકંદ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અંતરમાં બિરાજમાન છે તે મૂળ ૨કમને ભૂલી ગયા છે! ભગવાન જિનેશ્વરદેવ ધર્મસભામાં ગણધરો અને ઇન્દ્રોની ઉપસ્થિતિમાં જે વાત કહેતા હતા તે વાત સંતો તેમના આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. કહે છે-પ્રભુ! તું શાશ્વત આનંદધામ, ત્રિકાળી સુખધામ છો, અને આ ક્ષણિક રાગનો રસ છે તે આકુળતામય, દુ:ખમય છે. તને સ્વપરના સ્વાદની જુદાઈનો વિવેક નહિ હોવાથી અર્થાત્ ભેદસંવેદનશક્તિ બિડાઈ ગઈ હોવાથી તું પોતાને (જ્ઞાનને) અને રાગને અનાદિથી એકમેક કરી જાણે અને માને છે. પ્રભુ! આ તેં શું કર્યું? નિરાકુળ આનંદનો નાથ એવો તું રાગના-દુઃખના વિરસ સ્વાદમાં કયાં રોકાઈ ગયો ? હૈ ભાઈ! રાગના ક્રિયાકાંડથી મને ધર્મ થશે એવી માન્યતા છોડી અંતર્દષ્ટિ કર. પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કર. ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંતસુનિધાન જ્ઞાયકસ્વરૂપ પ્રભુ અંતરંગમાં સદા વિરાજમાન છે. પરંતુ અજ્ઞાનીએ અંતર્દષ્ટિ કરી નહિ તેથી તેને અનાદિથી એકલા રાગનો સ્વાદ આવી રહ્યો છે. અરે ! રાગનો સ્વાદ બેસ્વાદ છે તોપણ તેમાં અટકી ગયેલો તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૭૩ સ્વપરને એકપણે જાણે છે અને તેથી ‘હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ કરે છે. તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનનસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક શુભાશુભ રાગના વિકલ્પરૂપે પરિણમતો તે કર્તા પ્રતિભાસે છે. દ્વેષમાં ક્રોધ અને માન સમાય છે અને રાગમાં માયા અને લોભ આવી જાય છે. પોતાના ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગમાં તન્મય થાય તેને આત્મા પ્રતિ દ્વેષ-ક્રોધ છે. જે સ્વભાવષ્ટિથી ખાલી છે અને શુભરાગની દષ્ટિથી સહિત છે તેણે પોતાને કષાયરૂપ કરી દીધો છે. સ્વપરને એકપણે માનનારો તે હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું, દેહ છું, રૂપાળો છું, ગોરો છું, ધોળો છું ઇત્યાદિ ૫૨ વસ્તુમાં આત્મવિકલ્પ કરે છે. અને તેથી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માથી ભ્રષ્ટ થયો થકો તે અનેક વિકલ્પરૂપે પરિણમતો તે તે વિકલ્પનો કર્તા થાય છે. ભગવાન આત્મા નિર્વિકલ્પ, અકૃત્રિમ, વિજ્ઞાનઘનસ્વભાવરૂપ છે. તથા રાગને પોતાનો જે માને તે નિજ નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ છે. શુભરાગના ક્રિયાકાંડથી ધર્મ થાય એમ માને તે ભગવાન ચૈતન્યસ્વભાવી આત્માથી ભ્રષ્ટ છે. ધર્મ વસ્તુ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અહા ! જૈનદર્શનમાં સમ્યગ્દર્શન શું છે એની લોકોને ખબર નથી. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર હોતાં નથી. આત્મા અને અનાત્માના ભેદજ્ઞાન વિના સમસ્ત ક્રિયાકાંડ અર્થહીન છે, દુઃખનો આકુળતાનો સ્વાદ ઉપજાવનારા છે. ભાઈ ! ક્રિયાકાંડથી ધર્મ થાય એ માન્યતા હવે જવા દે અને સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કર. અરે ભાઈ! જન્મમરણનો અંત લાવવાની આ વાત છે. પ્રશ્ન:- કળશટીકામાં (ચોથા કળશમાં) તો એમ કહ્યું છે કે-‘કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યક્ત્વવસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે.' ઉત્તર:- ભાઈ! ત્યાં કળશટીકામાં કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. પણ એનો અર્થ શું? એનો અર્થ એ છે કે સ્વભાવસન્મુખ થવાનો પુરુષાર્થ કરે અને સ્વાનુભવ પ્રગટ કરે ત્યારે કાળલબ્ધિ પાકી એવું સાચું જ્ઞાન થાય છે. સ્વભાવનું ભાન પ્રગટ થાય ત્યારે તે સમયની કાળલબ્ધિનું પણ જ્ઞાન યથાર્થ થાય છે. ભાઈ! જે સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે તેને કાળલબ્ધિ પાકી ગઈ છે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ એ જ કહ્યું છે કે ‘જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂકયાં.' જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો.' શ્રીમદ્દ રાજચંદ્રે પણ કહ્યું છે કે‘ ભવસ્થિતિ આદિ નામ લઈ, છંદો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ નહિ આત્માર્થ.' ખાલી કાળલબ્ધિ, કાળલબ્ધિ-એમ ધારણાની વાત કરે એને કાળલબ્ધિનું સાચું જ્ઞાન નથી. પ્રશ્ન:- ભગવાન કેવળીએ દીઠું હોય ત્યારે સમ્યગ્દર્શન થશે એ વાત શું બરાબર નથી? ઉત્તર:- ભગવાન કેવળીએ દીઠું હોય ત્યારે સમ્યગ્દર્શન થશે એમ તું કહે છે પણ એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવી કેવળજ્ઞાનની પર્યાયનો તને સ્વીકાર છે? જો કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે તો કોની સન્મુખ થઈ એ સ્વીકાર કર્યો છે; દ્રવ્યસ્વભાવની કે પર્યાયની ? પર્યાય ઉપર દૃષ્ટિ કરતાં તેની સત્તાનો સ્વીકાર થતો નથી કેમકે વર્તમાન પર્યાય અલ્પજ્ઞ છે. તેનો સ્વીકાર દ્રવ્યસન્મુખ દષ્ટિ કરતાં થાય છે કેમકે દ્રવ્યસ્વભાવ જ્ઞ-સ્વભાવ સર્વજ્ઞસ્વભાવરૂપ છે. અહો ! જ્ઞ-સ્વભાવી-કેવળજ્ઞાનસ્વભાવી આત્મા અંતરંગમાં પ્રત્યક્ષ પ્રગટ છે તેની સન્મુખ દષ્ટિ કરતાં પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ સહિત સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને એ જ અપૂર્વ પુરુષાર્થ છે; એને જ કેવળજ્ઞાનની સત્તાનો યથાર્થ નિર્ણય થાય છે. (પર સન્મુખતાથી કેવળજ્ઞાનની સત્તાનો સમ્યક નિર્ણય થતો નથી). પ્રવચનસાર ગાથા ૮૦માં પણ એમ જ કહ્યું છે કે “જો જાણદિ અરહંત દધ્વત્તગુણત્તપન્જયQહિં સો જાણદિ અપ્પાણે મોહો ખલુ જાદિ તસ્સ લય' જે અરહંતનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તેની પરિણતિ પોતાના શુદ્ધ દ્રવ્યસ્વભાવમાં -શસ્વભાવમાં ઝુકી જાય છે અને તેનો મોહ નાશ પામે છે અર્થાત્ તે સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે. ભાઈ ! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિપૂર્વક જ કેવળજ્ઞાનની સત્તાનો સમ્યક નિર્ણય થાય છે અને એ જ સમ્યક્ પુરુષાર્થ છે. અહીં કહે છે કે હું સર્વજ્ઞસ્વભાવી જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા છું એ વાતને અજ્ઞાની ભૂલી ગયો છે અને તેથી પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થઈને વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો તે વિકારનો કર્તા પ્રતિભાસે છે. આ અજ્ઞાનીની વાત કરી. હવે ગુલાંટ ખાઈને દ્રવ્યદષ્ટિ વડે જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે એવા જ્ઞાનીની વાત કરે છે અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનની આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું-એકરૂપે નહિ પણ-ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે.” પોતે આત્મસન્મુખ પુરુષાર્થ કરવાથી જ્ઞાની થયો ત્યારે તેને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન હોય છે. કર્મ માર્ગ આપ્યો માટે જ્ઞાની થયો છે એમ નથી. પોતાના શુદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૭૫ ચૈતન્યસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ કરીને જ્ઞાની થયો છે. આ પ્રમાણે આત્મજ્ઞાન પ્રગટ થતાં જ્ઞાનને લીધે જ્ઞાનની આદિથી ધર્મીને સ્વભાવના આનંદના સ્વાદનું અને રાગના કષાયેલા સ્વાદનું પૃથક પૃથક્ એટલે ભિન્નભિન્ન વદન હોય છે. સ્વરૂપનું સંવેદન થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એવો સમકિતી જ્ઞાની છે. તે જ્ઞાની જ્ઞાનને લીધે વિકારના વિરસ સ્વાદનો અને ચૈતન્યના આનંદના સ્વાદનો પૃથક પૃથક અનુભવ કરે છે, કેમકે તેને ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે. કોઈ એમ કહે કે જ્ઞાનીને દુઃખનું વેદન છે જ નહિ તો તે વાત બરાબર નથી. (ભૂમિકા અનુસાર) જ્ઞાનીને જ્ઞાનનું-આનંદનું વેદન છે અને રાગનું-દુઃખનું પણ વેદન છે. જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન છે. બન્નેનું પૃથક પૃથક વેદના હોય છે, એકરૂપ નહિ. દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મતત્ત્વની મુખ્યતાથી નિરૂપણ હોય છે. જ્યાં દષ્ટિના વિષયનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાનીને આનંદનું વેદન છે એમ કહેલું હોય છે. ત્યાં રાગ ગૌણ છે. પરંતુ જ્યાં જ્ઞાનની પ્રધાનતાથી વાત હોય ત્યાં એમ કહે કે જ્ઞાનીને જ્ઞાનનું-આનંદનું અને રાગનું પૃથક પૃથક વદન હોય છે. -જુઓ, કેવળીને એકલા જ્ઞાન અને આનંદનું વદન હોય છે, -મિથ્યાષ્ટિ અજ્ઞાનીને એકલા રાગ અને દુઃખનું વદન હોય છે, -અને સમકિતી જ્ઞાનીને જ્ઞાનનો અને રાગનો ભિન્ન ભિન્ન સ્વાદ હોય છે. જ્યારથી સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં ત્યારથી જ્ઞાની સ્વરૂપસંવેદનથી પ્રાપ્ત આનંદનો સ્વાદ અને પર્યાયમાં જે અલ્પ રાગ છે તેનો સ્વાદ પૃથક પૃથક અનુભવે છે. એક સમયમાં બનો ભિન્ન ભિન્ન સ્વાદ જ્ઞાની અનુભવે છે. અહાહા....! જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વીતરાગ પરિણતિથી પ્રાપ્ત આનંદની સાથે જેટલો રાગ છે તેટલા દુઃખનું પણ ભિન્નપણે જ્ઞાનીને અનુભવન હોય છે. જ્ઞાનીને એકલા આનંદનો જ સ્વાદ હોય છે એમ નથી. જ્ઞાનીને સુખ અને દુઃખ બન્નેનો પૃથક પૃથક સ્વાદ હોય છે. ભાઈ ! આ વીતરાગનો માર્ગ છે. એમાં કલ્પનાની વાત ન ચાલે. ન્યાલચંદભાઈ સોગાનીજીએ શુભભાવનો સ્વાદ ભટ્ટી સમાન કહ્યો છે. ચોથા ગુણસ્થાને સમકિતીને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થયો એટલો આનંદ છે અને ત્રણ કપાય જે બાકી છે એટલું દુઃખ પણ છે. બન્નેનો સ્વાદ એને પૃથક પૃથક હોય છે. તેવી રીતે પંચમ ગુણસ્થાનવાળાને જેટલી વીતરાગ પરિણતિ થઈ છે તેટલો જ્ઞાનનો સુખરૂપ અને આનંદરૂપ સ્વાદ છે અને તે જ સમયે જે બે કપાય વિદ્યમાન છે તેટલો રાગનો દુઃખરૂપ સ્વાદ છે. બન્નેનું ભિન્ન ભિન્ન અનુભવન હોય છે. એક સમયમાં શાન્તિ પણ વેદે છે અને જેટલો રાગ બાકી છે તેટલું દુ:ખ પણ પૃથકપણે વેદે છે. અહો ! વીતરાગનો માર્ગ ખૂબ ગંભીર છે! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભગવાન કુંદકુંદાચાર્યદવે પંચમ આરામાં તીર્થકર જેવું કામ કર્યું છે. અને અમૃતચંદ્રાચાર્યદવે એમના ગણધર જેવું કામ કર્યું છે. મૂળ ગાથાસૂત્રોનાં ગંભીર રહસ્યો ટીકા દ્વારા ખુલ્લા કર્યા છે. કહે છે-ધર્મીને જ્ઞાન અને રાગનું પૃથક પૃથક અનુભવન હોવાથી, જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે. જ્ઞાનનું વેદના અને રાગનું વેદન એ બન્નેનો ભેદ-વિવેક કરવાની શક્તિ જ્ઞાનીને પ્રગટ થઈ ગઈ છે. અહાહા...! આ ટીકા તો દેખો ! અમૃતચંદ્ર એકલાં અમૃત વહેવડાવ્યાં છે! રાગનો સ્વાદ દુ:ખરૂપ હોય છે અને સ્વરૂપસંવેદન વડે પ્રાપ્ત જ્ઞાનનો સ્વાદ સુખરૂપ હોય છે–એમ બેના સ્વાદને ભિન્ન કરવાની ભેદસંવેદનશક્તિ જેને ખીલી ગઈ છે એવો જ્ઞાની હોય છે. અહાહા...! દિગંબર સંતોએ જગતને શું ન્યાલ કરી દીધું છે! અરે ભાઈ ! આ વાતને સાંભળવામાં પણ ઊંચા પુણ્ય બંધાઈ જાય છે. આવી પરમ સત્ય વાત ધીરજથી વારંવાર સત્સમાગમ સાંભળે તો શુભભાવના નિમિત્તે તેને ઊંચાં પુણ્ય બંધાય છે જેના ફળરૂપે બાહ્ય લક્ષ્મી આદિ વૈભવ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન:- આપ આ જાદુઈ લાકડી ફેરવો છો તેનાથી પૈસા વગેરે સામગ્રી મળે છે એમ લોકો કહે છે એ શું સાચું છે? ઉત્તર:- ના; લાકડીથી કાંઈ મળતું નથી. વીતરાગદેવની આ પરમ સત્ય વાણી છે તે સાંભળનારને શુભભાવથી ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. વળી કોઈ પૂર્વનાં પાપકર્મ સંક્રમિત થઈને આ ભવમાં ઉદયને પ્રાપ્ત થઈ જાય તો પુણ્યના નિમિત્તે અનુકૂળ બાહ્ય સામગ્રી સહેજે મળી જાય છે. બાકી ઈલમની લકડી-બકડી એવું કાંઈ અહીં છે નહિ. એકવાર આવી એક લાકડી ચોરાઈ ગઈ હતી. એ લાકડીમાં શું માલ છે? માલ તો ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદમય વસ્તુમાં છે. એ પરમાનંદના નાથ પ્રભુ આત્માની આ પરમ સત્ય વાત કાને પડતાં પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ જાય છે. તેના ફળમાં લક્ષ્મી આદિ બાહ્ય વૈભવ મળે છે, પણ તે કોઈ ચીજ નથી. અહાહા..રાગથી ભિન્ન પડીને આત્માના સ્વાનુભવમંડિત આનંદનો અનુભવ કરવો એ ચીજ છે. અહો! કુંદકુંદાચાર્યદેવની કથનપદ્ધતિ અલોકિક છે. કવિવર વૃંદાવનજીએ તો કહ્યું છે કે““શુદ્ધ-બુદ્ધિ-વૃદ્ધિદા પ્રસિદ્ધ-રિદ્ધિ-સિદ્ધિદા, હુયે ન હૈ, ન હોગિ , મુનિંદ કુંદકંદસે '' કુંદકુંદાચાર્યદવ સાક્ષાત્ સદેહે ભગવાન પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. શ્રુતકેવળીઓ સાથે ચર્ચા કરી હતી. ભગવાનની વાણી સવારે, બપોરે, સાંજે છ છ ઘડી નીકળે તેનું શ્રવણ કર્યું હતું. પછી ભારતમાં પધારીને પાંચ પરમાગમોની રચના કરી છે. તેઓ વિદેહમાં ગયા હતા એ સત્ય વાત છે. એમાં પંચમાત્ર પણ શંકાને સ્થાન નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૭૭ જ્ઞાનીને ભેદસંવેદનની શક્તિ ઊઘડી ગઈ છે; તેથી તે જાણે છે કે ‘અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન ), અત્યંત મધુર જે ચૈતન્ય૨સ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલાબેસ્વાદ ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે.’’ ભગવાન આત્મા આનંદરસકંદ છે. તેનાં પ્રતીતિ અને જ્ઞાન થતાં શક્તિરૂપ જે આનંદ અંદર છે તેનો અંશ વ્યક્ત થાય છે અને આનંદનો અનુભવ થાય છે. તે ધર્મીને આત્માના આનંદનો અનુભવ અને રાગના કલેશનો અનુભવ બન્ને એકસાથે પૃથક્ પૃથક્ છે. આત્માનો ચૈતન્યરસ રાગના રસથી વિલક્ષણ છે એમ તે જાણે છે. ધર્મીને રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ બેને ભિન્ન કરવાની ભેવિજ્ઞાનની શક્તિ પ્રગટી હોય છે. જ્યારે અજ્ઞાની રાગનો સ્વાદ અને પોતાની પર્યાયનો સ્વાદ એકમેક માને છે. અગિયાર અંગ અને નવપૂર્વના જ્ઞાનની લબ્ધિ પ્રગટી હોય, પણ જ્યાં સુધી રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ-એ બન્નેનો સ્વાદ એક ભાસે ત્યાં સુધી તે મિથ્યાદષ્ટિ છે. જ્યારથી જ્ઞાન પ્રગટ થાય છે ત્યારથી આનંદનો સ્વાદ આવે છે. સમિતીને બધા ગુણની એક સમયમાં અંશે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. શ્રીમદે કહ્યું છે કે ‘સર્વગુણાંશ તે સમતિ.' મોક્ષમાર્ગપ્રકાશકમાં રહસ્યપૂર્ણચિઠ્ઠીમાં કહ્યું છે કે- ‘ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે.'' આત્માને સંખ્યાએ અનંત ગુણ છે. તે બધા ગુણોની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. સર્વગુણોનો અંશ પ્રગટ વેદનમાં આવે તેનું નામ સમ્યગ્દર્શન છે. રહસ્યપૂર્ણચિઠ્ઠીમાં આવે છે કે-‘વળી ભાઈશ્રી! તમે ત્રણ દષ્ટાંત લખ્યા અથવા દષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દષ્ટાંત સર્વાંગ મળતાં આવે નહિ. દષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જળબિંદુ, અગ્નિણ એ દૃષ્ટાંત તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે; એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે. (એમ સમજવું ). ’' થોડા પ્રદેશ સર્વથા નિર્મળ થઈ જાય એમ નહિ પરંતુ સર્વ પ્રદેશમાં એક અંશ નિર્મળ થાય છે. ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થઈ જાય છે અને તેમા ગુણસ્થાને સર્વદેશરૂપ પ્રગટ થઈ જાય છે. આત્મામાં અનંત ગુણો છે. સમ્યગ્દર્શન થતાં તેની પ્રતીતિ થઈ ત્યાં જેટલા ગુણ છે તે બધાનો એક અંશ પર્યાયમાં પ્રગટ અનુભવમાં આવે છે. તેથી તે જાણે છે કે–‘અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્યરસથી વિલક્ષણ, અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જૈનો રસ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ એવો આ આત્મા છે અને કપાયો તેનાથી ભિન્ન રસવાળા છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે.' અનાદિનિધન નિરંતર સ્વાદમાં આવતો ચૈતન્યરસ સમસ્ત અન્યરસથી વિલક્ષણ છે. અહીં આ પર્યાયની વાત છે હોં. આત્મા પ્રભુ આનંદનો રસકંદ છે. તેની સન્મુખતા કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. તે સમકિતીને ભેદજ્ઞાનની શક્તિ પ્રગટી ગઈ છે તેથી તે રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ ભિન્ન ભિન્ન જાણે છે. અહીં તો સ્વાદની મુખ્યતાથી વાત કરી છે. બાકી તો ચોથા ગુણસ્થાને આત્મામાં જે અનંત ગુણો છે તે બધા ગુણોની એક સમયની પર્યાયમાં એક અંશ પ્રગટ થાય છે. માર્ગ આવો છે, પણ રુચે નહિ એટલે કેટલાકને એમ લાગે કે આ વળી નવો પંથ નીકળ્યો ! પણ આ નવો પંથ નથી. બાપુ! ભગવાન સર્વજ્ઞદેવની પરંપરાથી ચાલ્યો આવતો આ જ એક માર્ગ છે. કહે છે-ચૈતન્યરસ, અન્યરસથી વિલક્ષણ એવો અત્યંત મધુર રસ, અમૃતમય રસ છે. અનુભવમાં સ્વાદની મુખ્યતા છે. શ્રી દીપચંદજીનો “અનુભવ પ્રકાશ” નામનો ગ્રંથ છે. ત્યાં પણ અનુભવના સ્વાદની વાત કરી છે. સ્વરૂપનું સત્યજ્ઞાન -સમ્યજ્ઞાન પ્રગટ થાય તેને પોતાના ચૈતન્યના આનંદનો સ્વાદ પ્રત્યક્ષ ભાસે છે. અહાહા...! આવો મધુર ચૈતન્યરસ એ એક જ જેનો રસ છે એવો આત્મા છે-એમ જ્ઞાની જાણે છે. જ્ઞાન વિશેષ હોય કે ન હોય, તેની સાથે સંબંધ નથી. પણ આત્માનો અનુભવ થતાં આનંદનો સ્વાદ આવે એ મુખ્ય ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે “રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભવ તાકો નામ.' અરે ભાઈ ! આવા આનંદના સ્વાદ પાસે ઇન્દ્રનાં ઇન્દ્રાસન અને ભોગ અને ચક્રવર્તીનો વૈભવ સડલા ઘાસના તરણા જેવા ભાસે છે. સમકિતી ઇન્દ્રને ઇન્દ્રાણીના ભોગ સડેલા મડદા જેવા ભાસે છે. જ્ઞાનીને રાગ આવે છે પણ એમાં એને દુઃખનો સ્વાદ પ્રતીત થાય છે. જ્ઞાનીને વિષયવાસનાનો જે રાગ આવે છે તે કાળા નાગ જેવો દેખાય છે. અજ્ઞાનીને જેમાં સુખ ભાસે છે તે વિષયભોગો જ્ઞાનીને રોગ જેવા ભાસે છે. સમ્યજ્ઞાન કોને કહેવાય ભાઈ ? એ કાંઈ બહારની પંડિતાઈથી મળે એવી ચીજ નથી. અહાહા....! અત્યંત મધુર રસ તે એક જ જેનો રસ છે એવો આત્મા છે અને કષાયોનો તેનાથી ભિન્ન કપાયલો સ્વાદ છે-એમ જ્ઞાનીને ભાસે છે. શુભાશુભ રાગનો આકુળતામય સ્વાદ છે. ચૈતન્યરસથી એનો રસ ભિન્ન બેસ્વાદ-વિરસ છે. સોગાનીજીને લખ્યું છે કે શુભરાગ તો ધધક્તી ભટ્ટી સમાન લાગે છે. અરે! કોઈને આ વાત ઠીક ન પડે તો શું થાય ? અહીં તો ચોકખે-ચોકખી વાત છે કે શુભભાવ હો કે અશુભભાવ હો-એ બધો કષાયલો કલુષિત રસ છે. ભાઈ ! એક સેકન્ડનો ધર્મ પ્રગટે એ પણ કોઈ અલૌકિક ચીજ છે. અહા ! જેની પૂર્વે કદીય સૂઝ પડી નથી, જેનું પૂર્વે કદીય જ્ઞાન થયું નથી એવી આ અપૂર્વ વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૭૯ પૂર્વે સાંભળવા મળ્યું પણ સ્વભાવ તરફ દષ્ટિ કદી કરી નહિ! રાગની સાથે એકત્વ માની વિકલ્પ કર્યા, પણ એ તો અજ્ઞાન છે. અત્યંત મધુરરસ, ચૈતન્યરસ તે પોતાની ચીજ છે તેની સાથે રાગના કલુષિત ભાવનું એકત્વ કરવું તે અજ્ઞાન છે એમ જ્ઞાની જાણે છે. જુઓ, સર્વજ્ઞ પરમાત્મા અરહંતદેવને જ્ઞાનની દશા પરિપૂર્ણ ખીલી ગઈ છે. તેઓ એક સમયની જ્ઞાનની અવસ્થા જે કેવળજ્ઞાન તે વડ ત્રણકાળ ત્રણલોકને યુગપ જાણે છે એમ કહેવું એ અસદભૂત વ્યવહારનય છે, કેમકે ભગવાનને જે જ્ઞાન પ્રગટ થયું તે પોતાથી પ્રગટ થયું છે, લોકાલોકથી નહિ. એ રીતે ભગવાનને દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા છે. શક્તિરૂપે તો અનંત ચતુષ્ટય સર્વ જીવોમાં છે. પરંતુ શક્તિની પરિપૂર્ણ વ્યક્તિ પર્યાયમાં જેને થાય તે સર્વજ્ઞ છે; તથા શક્તિની પર્યાયમાં એકદેશ વ્યક્તિ થાય એનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થતાં સમકિતીને અનંતગુણોનો અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. તેમાં આનંદનું વેદન મુખ્ય છે એની અહીં વાત છે. સમ્યગ્દષ્ટિને પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. ઇન્દ્રના ઇન્દ્રાસનમાં કે ચક્રવર્તીના બાહ્ય વૈભવમાં સમકિતીને સુખબુદ્ધિ નથી. ચક્રવર્તીને ૯૬OOO રાણીઓ હોય છે. તેમાં તેની જે પટ્ટરાણી છે તેની એક હજાર દેવી સેવા કરે છે. તેના પ્રતિ કમજોરીથી વિષયનો રાગ આવે છે પણ સમકિતીને તે કાળકૂટ ઝેર સમાન ભાસે છે. અહાહા...! નિજ ચૈતન્યરસના આનંદના અમૃતમય સ્વાદની પાસે જ્ઞાનીને રાગનો સ્વાદ ઝેર જેવો ભાસે છે. પોતાના આનંદના સ્વાદ સાથે રાગના સ્વાદના એકત્વનો વિકલ્પ કરવો એ અજ્ઞાનથી છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે. જેમ મણ દુધપાકમાં ઝેરની એક ઝીણી કણી પડી જાય તો બધો દુધપાક ઝેર થઈ જાય. એમાંથી મીઠા દૂધનો સ્વાદ ન આવે પણ ઝેરનો સ્વાદ આવે. તેમ આત્મા આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ છે. તેના આનંદના પરિણામ સાથે રાગનું થોડું ઝેર પડે તો આનંદનું ઉલટું પરિણમન થઈ જાય. એમાંથી આનંદનો સ્વાદ ન આવે પણ રાગનો કપાયલો કલુષિત સ્વાદ જ આવે. પરંતુ ધર્મી તો એમ જાણે છે કે અત્યંત મધુર અમૃતમય આનંદનો રસ તે મારો રસ છે અને રાગનો કલુષિત રસ તે મારી ચીજ નથી, એ તો પુદ્ગલનો રસ છે. ધર્મી જ્ઞાનના સ્વાદથી રાગનો સ્વાદ ભિન્ન પાડી દે છે. તે જાણે છે કે પોતાના જ્ઞાનના-ચૈતન્યના સ્વાદની સાથે રાગના સ્વાદના એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે. અહો! આ વીતરાગનો માર્ગ એ શૂરાનો માર્ગ છે. કહ્યું છે ને કે “પ્રભુનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને.' અહાહા...! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની સમીપ જઈને ભેટો કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે એવો પરમાત્મા પ્રભુ પોતે છે. આવા શુદ્ધ ચિદાનંદરસનો આસ્વાદી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ધર્મી જાણે છે કે આનંદની સાથે રાગને ભેળવવો, બન્નેના એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે. આ રીતે પરને અને પોતાને ભિન્ન જાણે છે. ધર્મી જીવ સ્વપરને ભિન્ન જાણે છે; રાગને અને જ્ઞાનને ભિન્ન જાણે છે. હવે કહે છે-“તેથી અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી એમ જાણતો થકો “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ જરાપણ કરતો નથી; તેથી સમસ્ત ક્નત્વને છોડી દે છે.” આ શુભાશુભ રાગ છે તે કૃત્રિમ, અનિત્ય અને દુઃખરૂપ છે અને હું તો અકૃત્રિમ, નહિ કરાયેલી એવી ત્રિકાળી સત્ત્વરૂપ નિત્ય ચીજ છું, અહાહા.એક જ્ઞાન જ હું છું. આ પલટતી પર્યાય તે હું નહિ એમ જ્ઞાની જાણે છે. હું તો અકૃત્રિમ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક તત્ત્વ છે. આ જ્ઞાનના જે ભેદ પડે તે મારી ચીજ નથી. આવા શુદ્ધ જ્ઞાયકરૂપ પરમાત્માને અંતરંગમાં અનુભવે તેનું નામ ધર્મ છે. | સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માનું આ કથન છે. તે અનાદિથી આચાર્યો કહેતા આવ્યા છે. ભાઈ ! તને ખબર નથી એટલે નવું લાગે છે પણ આ નવું નથી. આ તો અસલી પુરાણી ચાલી આવતી વાત છે. કહે છે-અકૃત્રિમ એક જ્ઞાન જ હું છું અને કૃત્રિમ ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય, પાપ આદિના અનેકરૂપ વિકલ્પ તે હું નથી એમ ધર્મી જાણે છે. આ પ્રમાણે જાણતો જ્ઞાની હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું ઇત્યાદિ કિંચિત્માત્ર વિકલ્પ કરતા નથી, તેથી સમસ્ત ફ્તત્વને છોડી દે છે. રાગાદિ જે વિકલ્પ થાય તેનો હું જાણનાર માત્ર છું, કર્તા નહિ-એમ સકલ દ્ઘત્વને છોડી દે છે. હવે કહે છે-“તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.' પરનો કર્તા અજ્ઞાનથી છે એમ જાણે તે રાગને છોડી દે છે. રાગથી ભિન્ન નિજ ચૈિતન્યસ્વરૂપનું ભાન થતાં સમસ્ત ક્નત્વને છોડી દે છે. તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે. અહાહા..જ્ઞાતાદ્રષ્ટા રહેતો થકો દયા, દાન આદિ વિકલ્પનો જ્ઞાની કર્તા થતો નથી. હું દયા કરું છું, હું દાન કરું છું એમ દયા, દાનના વિકલ્પનો તે કર્તા થતો નથી. માત્ર જે અલ્પ કષાય છે તેને તે જાણ્યા જ કરે છે અને સ્વરૂપસ્થિરતા વધારીને તેનો પણ અભાવ કરી દે છે. અહાહા..! આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. ઘરબાર, કુટુંબ, બૈરાં-છોકરાં એ બધાં પોતાનાં છે એમ માનીને અજ્ઞાની ચોફેર ઘેરાઈ ગયો છે. અરે ભાઈ ! કોઈ જીવ કયાંયથીય આવ્યો અને કોઈ કયાંયથી આવ્યો. તેમને એકબીજા સાથે ખરેખર કાંઈ સંબંધ નથી. પત્નીનો જીવ આવ્યો હોય તિર્યંચમાંથી અને પતિનો જીવ આવ્યો હોય સ્વર્ગથી. બે થઈ ગયા ભેગા ત્યાં માને કે મારી પત્ની” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૮૧ અને “મારો પતિ.” અરે! ધૂળેય તારું નથી. બધા જ્યાં ભિન્ન ભિન્ન છે ત્યાં એને અને તારે શું સંબંધ ? જેમ એક ઝાડ ઉપર સાંજે પંખી મેળો ભરાય અને સવાર પડતાં સૌ પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે તેમ એક કુટુંબમાં બધાં ભેગાં થઈ જાય પણ વાસ્તવમાં કોઈ કોઈનું કાંઈ નથી. કયાંયથી આવ્યા અને કયાંય પોતાના માર્ગે જુદા જુદા ચાલ્યા જશે. અહીં કહે છે કે પર્યાયમાં જે રાગ થાય એ પણ તારી કોઈ ચીજ નથી તો મારો પુત્ર, મારી પત્ની, મારા પિતા-આવી વાત તું કયાંથી લાવ્યો? આ શુભાશુભ રાગ તે પુણ્ય-પાપ તત્ત્વ છે, આસ્રવ તત્ત્વ છે અને તું ભગવાન જ્ઞાયક તત્ત્વ છો. પ્રભુ! આ રાગથી તારે કાંઈ સંબંધ નથી તો પુત્ર, પરિવાર આદિ પર સાથે તારે સંબંધ કયાંથી આવ્યો? આચાર્યદવ કહે છે કે-ધર્મી જીવ ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણનાર જ છે. બારમી ગાથામાં કહ્યું છે કે તે કાળે વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. અહાહા...! આ શાસ્ત્રની રચના તો દેખો! આને સિદ્ધાંત કહેવાય. એક ઠેકાણે કાંઈક, બીજે ઠેકાણે બીજાં કહે તે સિદ્ધાંત ન કહેવાય. બારમી ગાથામાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને જે રાગ આવે છે, તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. પરિજ્ઞાયમાનસ્તીત્વે પ્રયોગનવાન એમ ત્યાં ટીકામાં શબ્દો પડેલા છે. રાગ-વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, પરંતુ તે આદરણીય નથી. પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી સાધકદશામાં વ્યવહાર-રાગ હોય છે ખરો, પણ તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં પણ કહ્યું છે કે માત્ર જાણ્યા જ કરે છે. પંચાસ્તિકાયમાં (ગાથા ૧૩૬માં) એમ કહ્યું છે કે અસ્થાનનો તીવ્ર રાગજ્વર છોડવા માટે જ્ઞાનીને શુભરાગ આવે છે. જ્ઞાનીને કોઈ અશુભ રાગ પણ આવે પણ જ્ઞાની તેને જાણે જ છે, રાગ મારો છે એમ માનતો નથી. અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. પર્યાયની અહીં વાત છે. દ્રવ્ય તો નિર્વિકલ્પ વિજ્ઞાનઘન છે જ. અહાહા...! આવા દ્રવ્યની દષ્ટિ જેને થઈ છે તે સમ્યગ્દષ્ટિ રાગનો અત્યંત અકર્તા પ્રતિભાસે * ગાથા ૯૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના દ્ભૂત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.' જ્ઞાન થયા પછી જ્ઞાની વ્યવહારનો જે રાગ આવે તે રાગનો કર્તા થતો નથી. જ્ઞાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૫ વ્યવહારરત્નત્રયનો કર્તા થતો નથી આ ફેંસલો આપ્યો. આ કારખાનાની વ્યવસ્થા કરવી અને પરનાં કામ કરવાં એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ ! જ્ઞાની રાગનો અને પરદ્રવ્યનો કર્તા નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ પ૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વિત’ નિશ્ચયથી “સ્વયં જ્ઞાન ભવન પિ' સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં-શું કહે છે? ભગવાન આત્મા સ્વયં ત્રણ લોકનો જાણનાર દેખનાર છે, જગતની કોઈ ચીજનો કર્તા નથી. આવું જ તેનું સ્વરૂપ છે. અહાહા...! મંદિર ઉપર જેમ સોનાનો કળશ ચઢાવે તેમ આ ગાથાની ટીકા ઉપર આ કળશ ચઢાવ્યો છે. અહા ! કેટ-કેટલું સ્પષ્ટ કર્યું છે! જંગલમાં વસનારા દિગંબર મુનિવરને કણાબુદ્ધિનો વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર રચાઈ ગયાં. જગતના પ્રાણીઓને દુઃખી-પીડિત દેખીને જ્ઞાની અનુકંપા કરવા જતા નથી પણ એને અંતરમાં એમ થાય છે કે-અરે! આ સંસારમાં પ્રાણીઓ નિજ ચૈતન્યસ્વરૂપને ઓળખ્યા વિના જન્મ-મરણ કરતા થકા બિચારા દુઃખી છે! પંચાસ્તિકાયની ગાથા ૧૩૭માં અનુકંપાના સ્વરૂપનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે- “જ્ઞાનીની અનુકંપા તો નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (–પોતે નીચેનાં ગુણસ્થાનોમાં વર્તતો હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસારસાગરમાં ડૂબેલા જગતને દેખવાથી) મનમાં જરા ખેદ થવો તે છે.' જ્ઞાનીને હજુ રાગ છે તેથી હેયબુદ્ધિએ એવો રાગ આવે છે. ત્યાં પંચાસ્તિકાય ગાથા ૧૩૬ માં કહ્યું છે કે-“આ (પ્રશસ્તરાગ) ખરેખર, જે સ્થૂળલક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિ-પ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (–ઉપરના ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હુઠાવવા અર્થ, કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.'' પ્રશસ્તરાગ કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે એટલે પરિણમનની અપેક્ષાથી રાગ છે પણ જ્ઞાનીને રાગમાં ઉપાદેયબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ હોતી નથી તેથી તે રાગના કર્તા થતા નથી. અજ્ઞાનીને ભક્તિ, અનુકંપા આદિ રાગમાં ઉપાદેયબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ હોય છે. તે પ્રાણીઓને દુઃખી-પીડિત દેખીને તેમને હું આમ સુખી કરી દઉં અને આમ જીવાડી દઉં-એમ અનેક પ્રકારે વિકલ્પ કરતો થકો વિકલ્પનો કર્તા થાય છે. આ મેં પરની દયા કરી તે ઠીક કર્યું, તેથી મને ધર્મ થયો એમ અજ્ઞાનીને પરમ કર્તા બુદ્ધિ અને રાગમાં ધર્મબુદ્ધિ હોય છે તેથી તે કર્તા થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૮૩ અહીં કહે છે-આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં “અજ્ઞાનત: તુ' અજ્ઞાનને લીધે ય:' જે જીવ, “સતૃણચવIRવારી' ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક ‘ખ્યતે' રાગ કરે છે (રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે ) સ' તે “વીસુમધુરીસ્નરસાતિગૃદ્ધિયા' દહીં-ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી “સાતમ પીવા' શિખંડને પીતાં છતાં “ તુમ તો રૂવ નૂનમ' પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. હાથીને ઘાસ અને ચુરમાના લાડવા ભેગા કરીને ખાવા આપો તો તે બન્નેને એક માનીને ખાઈ જાય છે. બેઉના સ્વાદનો ભેદ છે એવો તેને વિવેક હોતો નથી. વળી કોઈ રસનો લોલુપી અત્યંત લોલુપતાને કારણે શિખંડ પીતાં છતાં હું ગાયનું દૂધ પીઉં છું એમ માનવા લાગે છે. સમયસાર નાટકમાં દષ્ટાંત આપ્યું છે કે દારૂનો નશો જેને ચઢયો છે એવા દારૂડિયાને શિખંડ પીવડાવવામાં આવતાં નશાના કારણે સ્વાદ નહિ પરખી શકવાથી પોતે દૂધ પી રહ્યો છે એમ કહે છે. તેમ મોહદારૂના પાનથી જે નશામાં છે તેવા અજ્ઞાનીને રાગનો (કલુષિત) સ્વાદ અને પોતાનો (આનંદરૂપ) સ્વાદ ભિન્ન છે એમ ભાન નથી. તેથી રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે. રાગના સ્વાદને જ તે પોતાનો સ્વાદ માને છે. * કળશ પ૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો વૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વપરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે.' અજ્ઞાનીને પોતાના અને પુદ્ગલકર્મના ભિન્ન સ્વાદનું ભાન નથી. અહીં પુદ્ગલ-કર્મનો અર્થ રાગ થાય છે. દયા, દાન વ્રત, ભક્તિ આદિનો રાગ ખરેખર પુદ્ગલ જ છે. તેનો સ્વાદ અને પોતાનો સ્વાદ ભિન્ન છે એવું અજ્ઞાનીને ભાન નથી. રાગનો સ્વાદ અને આત્માનો સ્વાદએ બેને અજ્ઞાની જુદા પાડી શક્તો નથી. અરે ! આ મનુષ્યભવનાં ટૂકાં આયુષ્ય પૂરાં કરીને જીવ ચોરાસીના અવતારમાં કયાંય ચાલ્યો જશે. ત્રસની સ્થિતિ તો માત્ર બે હજાર સાગરની છે. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભવ કરવાની સ્થિતિ બે હજાર સાગરની છે. અરે ભાઈ! જો ભેદજ્ઞાન પ્રગટ ન કર્યું તો તે સ્થિતિ પૂરી થતાં જીવ નિગોદમાં જશે ! નિગોદવાસ તો અનંતકાળ અને અપાર દુઃખથી ભરેલો છે. હું ભાઈ ! વિચાર કર. જેમ શિખંડના રસલોલુપીને શિખંડમાં ખાટા-મીઠા સ્વાદનો ભેદ ભાસતો નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તેમ અજ્ઞાનીને રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ-બે ભિન્ન છે એમ સ્વાદભેદ ભાસતો નથી. અહા ! આવી વીતરાગની વાણી આ કાળે દુર્લભ છે. જે વીતરાગની વાણી સાંભળવા જાતીય વૈર ભૂલીને અતિ વિનયભાવથી સિંહ, વાઘ, બકરાં, હાથી, બિલાડી, ઉંદર આદિ પ્રાણીઓ ભગવાનના સમોસરણમાં દોડયાં આવે છે અને પાસે બેસીને ખૂબ જિજ્ઞાસાથી સાંભળે છે તે વાણી મહા મંગળરૂપ છે. જેના ભાગ્ય હોય તેના કાને પડે એમ છે. અહીં કહે છે કે રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ–બન્ને ભિન્ન છે એમ સ્વાદભેદનું અજ્ઞાનીને ભાન નથી તેથી તે શુભાશુભભાવના કલુષિત સ્વાદને પોતાનો સ્વાદ માને છે. તેથી તે રાગમાં એકાકારરૂપ પ્રવર્તે છે. રાગથી ભિન્ન પોતે જ્ઞાતાપણે રાગનો જાણનાર જ છે એવું અજ્ઞાની જાણતો નથી એટલે રાગાદિ ભાવમાં તે એકાકાર થઈ જાય છે. અજ્ઞાનીને ભક્તિ આદિની મુખ્યતા હોય છે તેથી તે ભક્તિ આદિના રાગમાં એકાકાર થઈ જાય છે. જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે પણ જ્ઞાની તેમાં એકાકાર નથી. જ્ઞાન અને રાગના સ્વાદભેદનો જેને વિવેક પ્રગટ થયો છે તે જ્ઞાની સ્વાવલંબને ધર્મને સાધે છે. કહ્યું છે ને “ધર્મ વાડીએ ન નિપજે, ધર્મ હાટે ના વેચાય; ધર્મ વિવેકે નિપજે, જો કરીએ તો થાય.'' અહીં વિવેક એટલે ભેદજ્ઞાન અર્થ થાય છે. પરની દયા પાળવી એ વિવેક નથી; પણ ભગવાન આત્મા શુભરાગના વિકલ્પથી ભિન્ન જ્ઞાયક ચૈતન્યમય પ્રભુ છે એવું ભેદજ્ઞાન કરવું તે વિવેક છે. શરીરની ગમે તે અવસ્થા થાય, બરફની જેમ લોહી જામી જાય, શ્વાસ રૂંધાઈ જાય, અંદર મુંઝવણ થાય, અને દેહ છૂટી જાય એવી અવસ્થામાં પણ જ્ઞાની રાગાદિભાવ સાથે એકાકાર થતા નથી. આ વિવેક-ભેદજ્ઞાન છે! ભગવાન આત્મા આનંદરસથી, ચૈતન્યરસથી ભરેલો પ્રભુ છે. તેને દૃષ્ટિમાં લેતાં અંદરથી આનંદનાં ઝરણાં ઝરે એવી પોતાની ચીજ છે; પરંતુ શ્રદ્ધા નથી તેથી અજ્ઞાની જીવ સ્વપરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૫૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનોત' અજ્ઞાનને લીધે “મૃતૃfછા છi નધિયા' મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી મૃ: પાતું ઘાવત્તિ' હરણો તેને પીવા દોડે છે. ખારીલી જમીનમાં સૂર્યના કિરણ પડે તો જળ જેવું દેખાય છે. મૃગલા દોડતા દોડતા જળની આશાએ ત્યાં જાય અને જઈને જુએ તો ત્યાં કાંઈ ન હોય. જળ કયાં હતું તે મળે? તેમ અજ્ઞાની જીવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૮૫ સ્ત્રીમાં, મકાનમાં, પૈસામાં સુખ છે એમ ભ્રમથી માની પર વસ્તુની આશાએ દોડધામ કરી મૂકે છે. પૈસા રળવા માટે કુટુંબને છોડી પરદેશ જાય, ત્યાં એકલો રહે. આમ અતિશય લોભાતુર જેઓ પૈસા મેળવવા બહાર દોડી દોડીને જાય છે તે બધા મૃગલા જેવા છે. કહ્યું છે ને કેમનુષ્ય પણ મૃગાક્ષરન્તિ” મનુષ્યના દેહમાં તેઓ મૃગની જેમ ભટકે છે. પોતાને ભૂલીને પરમાં સુખબુદ્ધિ કરે તે હરણિયા જેવા જ છે, તેઓ સંસારમાં ભટકે જ છે. સુખ કાજે બહાર પરદેશમાં જાય પણ ભાઈ ! સુખ બહારમાં ક્યાંય નથી. કસ્તુરી મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. પવનના ઝકોરે સુગંધ પ્રસરે ત્યાં સુગંધ બહારથી આવે છે તેમ તે મૃગ માને છે. એને ખબર નથી કે એની નાભિમાં કસ્તૂરી ભરી છે ત્યાંથી સુગંધ આવે છે. તેથી તે જંગલમાં દોડાદોડ કરી થાકીને પડે છે અને મહા કષ્ટને પ્રાપ્ત થાય છે. તેમ આત્માના અંતસ્વભાવમાં સુખ ભર્યું છે. અજ્ઞાનીને એની ખબર નથી તેથી બાહ્ય અનુકૂળ સામગ્રીમાંથી સુખ લેવા તેના ભણી દોટ મૂકે છે. પણ સુખ તો મળતું નથી, માત્ર જન્મ-મરણના કષ્ટને પ્રાપ્ત થાય છે. પરમાં સુખ છે એવું તે માને છે તે અજ્ઞાનના કારણે છે. પોતાના સચ્ચિદાનંદસ્વરૂપને છોડીને, મૃગજળ સમાન રાગમાં સુખબુદ્ધિ કરે છે તે અજ્ઞાનથી છે. આત્માનો અતીન્દ્રિય આનંદનો રસ અને રાગનો દુ:ખરૂપ રસ એ બેનો ભેદ ન જાણતાં રાગના રસનો અતિ કલુષિત સ્વાદ અનાદિથી લઈ રહ્યો છે તે અજ્ઞાનના કારણે છે. વળી, “મજ્ઞાનાત' અજ્ઞાનને લીધે “તમસિ ભુન Tધ્યાસેન' અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી “નના: દ્રવત્તિ' લોકો ભાગી જાય છે. જુઓ, છે તો દોરડી જ; પણ અંધારામાં નહિ જણાવાથી સર્પ છે એમ ભય પામી લોકો દૂર ભાગી જાય છે. તેમ માનંદમય પરમ સુખસ્વરૂપ પદાર્થ છે. જરા શાંત થઈ સ્વસમ્મુખ થાય તો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય તેમ છે. પરંતુ અનાદિથી જે આ વિષયસુખ છે તે પણ કદાચ નાશ પામશે એવા ભયથી અજ્ઞાનને લીધે સંસારી જીવ પોતાના આત્માથી દૂર ને દૂર ભાગે છે. રે અજ્ઞાન! ' અને (તેવી રીતે) “મજ્ઞાનાત' અજ્ઞાનને લીધે “સમી' આ જીવો વાતોત્તરંજીવિત’ પવનથી તરંગવાળા સમુદ્રની માફક “વિવવ વેરાન' વિકલ્પોના સમૂહુ કરતા હોવાથી -“શુદ્ધજ્ઞાનમય: પિ' જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ “માસી:' આકુલિત બનતા થકા ‘સ્વયમ સ્ત્રમવત્તિ' પોતાની મેળે કર્તા થાય છે. વિકલ્પનો જે કર્તા થાય છે તે અજ્ઞાનથી છે એમ અહીં બતાવવું છે. લોકોને લાગે કે વ્યવહાર વિના કોઈ રસ્તો નથી; વ્યવહારથી નિશ્ચય થાય. અરે પ્રભુ! વ્યવહાર તો રાગ છે, દુઃખ છે. તે દુઃખથી આત્માના આનંદનો અનુભવ કેમ થાય? શાસ્ત્રમાં કહ્યું છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. જો આમ ન માને તો પૂર્વાપર વિરોધ થઈ જાય છે. આત્મા આનંદરસથી ભરેલી ચીજ છે. તેનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. સમયસાર નાટકમાં આવે છે કે ‘ અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકૌ અનુભવ મોખ સરૂપ. ' ', ત્યાં એમ ન કહ્યું કે વ્યવહારનો રાગ મોક્ષમાર્ગ છે. વ્યવહાર હોય છે, આવે છે; પણ એનાથી આત્માના આનંદનો અનુભવ થાય છે એ વિપરીત માન્યતા છે. જીવને વ્યવહારના પક્ષનું આ અનાદિ-શલ્ય પડયું છે. અરે! આત્માના આનંદની અનુભવ દશા પ્રગટ કરવામાં વ્યવહારની અપેક્ષા નથી એવું જેને શ્રદ્ધાન નથી તે વ્યવહારને છોડી અનુભવ કેમ પ્રગટ કરી શકશે ? પવનથી તરંગવાળા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે આ જીવો વિકલ્પોના સમૂહને કરે છે. જીવ અજ્ઞાનથી શુભાશુભરાગના વિકલ્પનો કર્તા થઈને વિકલ્પો કરે છે એમ અહીં બતાવવું છે. જોકે આત્મા શુદ્ધજ્ઞાનમય છે તોપણ આકુળિત બનતો થકો પોતાની મેળે કર્તા થાય છે. સમયસાર કળશટીકામાં આ શ્લોકના અર્થમાં એમ કહ્યું છે કે- ‘સર્વ સંસારી મિથ્યાદષ્ટિ જીવ સહજથી શુદ્ધસ્વરૂપ છે તોપણ મિથ્યાદષ્ટિને લીધે આકુલિત થતા થકા બળજોરીથી જ કર્તા થાય છે. રાગ-દયા, દાન, ભક્તિ આદિના જે વિકલ્પ તે અંદર વસ્તુમાં નથી, પરંતુ પોતાના ઊંધા જોરની બળજોરીથી રાગ ઉત્પન્ન થાય છે. આત્મા વસ્તુ તો શુદ્ધ જ્ઞાનથન, આનંદઘન નિર્વિકારી પ્રભુ છે. તે રાગનો કર્તા કેમ થાય? જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ જીવ અનેક વિકલ્પ કરે છે તે અજ્ઞાનની બળજોરી છે. અજ્ઞાનના બળથી જીવ વિકારરૂપે પરિણમે છે. આત્મા એવો છે નહિ, આત્મા તો સ્વભાવથી શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે. તોપણ આત્મદૃષ્ટિ નહિ હોવાથી આકુલિત થતો થકો બળજોરીથી જ કર્તા થાય છે. આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ એકલો જાણગજાણગસ્વભાવી છે તે કર્તા કેમ થાય છે? અનાદિ અજ્ઞાનને લીધે બળજોરીથી શુભાશુભ રાગનો, વિકલ્પોના સમૂહનો કર્તા થાય છે. આ મેં દયા પાળી, વ્રત કર્યાં, ભક્તિ કરી, પૂજા કરી, મંદિર બાંધ્યું, ને પ્રતિષ્ઠા કરી ઇત્યાદિ રાગનો મિથ્યા શ્રદ્ધાના જોરથી અજ્ઞાની કર્તા થાય છે. આત્માનું સ્વરૂપ તો સહજ શુદ્ધજ્ઞાનમય છે. તે જાણવાનું કામ કરે કે રાગનું અને પરનું કામ કરે ? સર્વજ્ઞ ૫રમાત્મા કહે છે કે-અમે સર્વજ્ઞ થયા તે અમારા સ્વભાવમાં સર્વજ્ઞપણું હતું એમાં એકાગ્ર થઈને સર્વજ્ઞ થયા છીએ; રાગ અને વ્યવહારથી સર્વજ્ઞ થયા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૮૭ લોકોને એકાન્ત છે, નિશ્ચયાભાસ છે એવું બહારથી લાગે, પણ ભાઈ ! આ સમ્યક એકાન્ત છે. નિશ્ચય સાથે વ્યવહાર હો, પણ વ્યવહાર ધર્મ નથી. સાધકને યથાપદવી વ્યવહાર હોય છે, પણ તે ધર્મ નથી એમ તે યથાર્થ જાણે છે. રાત્રિભોજનનો ધર્મીને ત્યાગ હોય છે. જૈન નામ ધરાવનારને પણ રાત્રિભોજન આદિ ન હોય. રાત્રે ભોજન કરવામાં તીવ્ર લોલુપતાનો અને ત્રસહિંસાનો મહાદોષ આવે છે. માટે જૈન નામધારીને પણ રાતનાં ખાન-પાન ઇત્યાદિ ના હોય. કેરીનાં અથાણાં ઇત્યાદિ જેમાં ત્રસજીવોની ઉત્પત્તિ થઈ જાય એવો આહાર પણ જૈનને હોઈ ન શકે. આ બધા વ્યવહારના વિકલ્પ હો, પણ એ ધર્મ નથી. અહીં તો કહે છે કે પોતાના શુદ્ધ આનંદના રસને ભૂલી વિકલ્પના રસમાં જે નિમગ્ન છે તેને આકુળતાના સ્વાદનું વદન હોય છે. બહુ સૂક્ષ્મ વાત. ભાઈ ! દરેક પ્રાણી સુખને ઇચ્છે છે પણ સુખના કારણને ઇચ્છતો નથી; તથા દુઃખને ઇચ્છતો નથી પણ દુ:ખના કારણને છોડતો નથી. આનંદનો નાથ પ્રભુ આત્મા સુખથી ભરેલો છે. ત્યાં દષ્ટિ કરતો નથી અને દુઃખ જેનું સ્વરૂપ છે એવા વ્યવહારના રાગમાં સુખબુદ્ધિ કરે છે. અહા ! અજ્ઞાનીની વિચિત્ર ગતિ છે! પણ ભાઈ ! રાગથી-દુઃખથી આત્માના આનંદની પ્રાપ્તિ કદી ન થઈ શકે. આત્માનો નિર્મળ આનંદ તેના અનુભવથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે ને કે “ “વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભૌ યાકૌ નામ.' આત્મા શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ પ્રભુ તેનો વિચાર કરતાં ધ્યાનની ધૂન ચઢી જાય અને અંદર વિશ્રામ લેતાં વિકલ્પો ઠરી જાય, મટી જાય તેને આનંદરસના સ્વાદથી સુખ ઊપજે છે. આનું નામ અનુભવ છે અને એનાથી સુખ છે. અરે ભાઈ ! તને સત્યનું શરણ લેવું કેમ કઠણ પડે છે? સ્વભાવના પક્ષમાં આવી સત્યની પ્રતીતિ તો કર ! શુભભાવથી કલ્યાણ થાય એમ માનીને તો અનંતકાળ ગુમાવ્યો છે. આત્મા શુદ્ધજ્ઞાનમય વસ્તુ હોવા છતાં તેનું ભાન નહિ હોવાથી અજ્ઞાની વિકલ્પોના સમૂહના ચક્રાવે ચઢેલો છે. મેં વ્રત કર્યા, તપ કર્યા, દયા પાળી, ભક્તિ કરી-એમ વિકલ્પોના ચક્રાવે ચઢી ગયો છે તેથી તે રાગનો કર્તા થાય છે જીવનનો કેટલોક કાળ તો સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધાપાણી ઇત્યાદિ પાપમાં કાઢે છે. બાકીના સાત-આઠ કલાક ઊંઘવામાં ગાળે છે. આ પ્રમાણે પરમાં સુખબુદ્ધિ કરીને અજ્ઞાની રાગાદિનો કર્તા થાય છે, ઘડિયાળનાં કારખાનાં, લાદીનાં કારખાનાં ઇત્યાદિ મોટા વેપાર-ઉદ્યોગ ચાલતા હોય ત્યાં અજ્ઞાની રાજીરાજી થઈ જાય છે! અરે ભાઈ ! એ બધો અશુભરાગ તો તીવ્ર આકુળતા છે. ત્યાં સુખ કેવું? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આત્માનો સ્વભાવ તો ત્રણકાળ ત્રણલોકને જાણવા-દેખવાનો છે. ભલે વર્તમાનમાં શ્રુતજ્ઞાન હો, પણ આત્મા રાગ અને રજકણથી ભિન્ન બધાનો જ્ઞાતાદા છે. અહાહા...આત્મા પવિત્ર જ્ઞાનમય પ્રભુ ચૈતન્યપ્રકાશસ્વરૂપ ત્રિકાળ આનંદસ્વરૂપ છે. તોપણ અરેરે! અજ્ઞાનથી આકુલિત બનીને અજ્ઞાની પોતાની મેળે કર્તા થાય છે. * કળશ ૫૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે-જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ-અજ્ઞાનથી કર્તા થાય છે.' અજ્ઞાનથી શું શું નથી થતું? અજ્ઞાનથી અનેક અનર્થ થાય છે. જુઓ, સિંહણનું બચ્ચું સિંહણથી નથી ડરતું. તેની પાસે જઈને તે ધાવે છે, કેમકે ખબર છે કે તે માતા છે. પરંતુ કુતરાથી ડરે છે કેમકે અજ્ઞાન છે. તેવી જ રીતે પવનથી ડોલતા દરિયાની જેમ આત્મા અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે, ખળભળી ઊઠે છે. પ્લેગનો રોગ થાય તો બિચારો ભયથી ખળભળી ઊઠે કે હવે બે ત્રણ દિવસમાં મોત થશે. અરેરે ! અનાદિ અનંત પોતાની ચીજના ભાન વિના આવા અનંત દુ:ખો જીવે સહન કર્યા, પણ હું આત્મા જ્ઞાનમય છું એવો અનુભવ ન કર્યો! અરે! જગત આખું મોહની માયાજાળમાં ફસાઈ રહ્યું છે! આ જગત તન માયા (મા યા) છે એમ નથી. જગત તો જગતમાં છે. પણ જગત મારામાં નથી અને હું જગતમાં નથી. આવું ભેદજ્ઞાન નહિ હોવાથી પરદ્રવ્ય મારું છે એવી માન્યતા વડે જગત મોહપાશમાં બંધાઈ ગયું છે. ભાઈ ! વેદાંત સર્વથા અદ્વૈત બ્રહ્મ માને છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી. બધું મળીને એક આત્મા છે એ માન્યતા યથાર્થ નથી. ભગવાન આત્મા પરમાર્થથી વિજ્ઞાનઘન છે. દશ મણ બરફની શીતળ પાટ હોય છે ને ! તેમ આત્મા આનંદની પાટ છે. બરફની પાટ તોલદાર છે, પણ આ આત્મપાટ તો અરૂપી ચૈતન્યબિંબ છે. અહાહા..! અંતરમાં દેખો તો આત્મા રાગ વિનાની ચીજ એકલા જ્ઞાન અને આનંદનું અરૂપી બિંબ છે તો પણ અજ્ઞાનથી જીવ અનેક વિકલ્પોથી ક્ષુબ્ધ થયો થકો કર્તા થાય છે. અનાદિથી જીવ કર્તા થઈને દુઃખી થાય છે. સમ્યજ્ઞાન થાય તો કર્તાપણું મટે છે અને જ્ઞાતાપણે રહે છે. શ્લોક ૫૮ પૂરો થયો. જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૮૯ * કળશ પ૯ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * હંસ: વા: પથરો ફા' જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને) જાણે છેજુઓ, હંસની ચાંચમાં ખટાશ હોય છે. તેથી દૂધમાં ચાંચ બોળે ત્યાં દૂધ અને પાણી જુદા પડી જાય છે. અહીં કહે છે કે આ આત્મા પરમહંસ છે, અને રાગ છે તે પાણી છે. હંસ જેમ પાણી અને દૂધને જુદા પાડી દે છે તેમ આ આતમ-હંસલો દૂધસમાન પોતાનો જ્ઞાનસ્વભાવ અને જળસમાન જે રાગ તે બન્નેને ભિન્ન કરી દે છે. અને તેને આત્મહંસ કહીએ; બાકી તો કૌઆકાગડા કહેવામાં આવે છે. પ્રભુ ! તારી મોટપની તને ખબર નથી ! આત્મા અરૂપી છે. અરૂપી છે છતાં તે વસ્તુ છે. જેમ રૂપી વસ્તુ છે તેમ અરૂપી પણ વસ્તુ છે. અરૂપી એટલે કાંઈ નહિ એમ નથી. અરૂપી એટલે રૂપી નહિ પણ વસ્તુ તો છે. અહાહા..! અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ ઇત્યાદિ અનંત અનંત ગુણનો ત્રિકાળી પિંડ પ્રભુ આત્મા છે. આત્મા અરૂપી મહાન પદાર્થ છે. હવે હંસની જેમ “ય:' જે જીવ જ્ઞાનાત' જ્ઞાનને લીધે વિવેવતા ' વિવેકવાળો હોવાથી ‘પરાત્મનો: તુ વિશેષમ નાનાતિ' પરના અને પોતાના વિશેષને જાણે છે “સ:' તે “મનમ ચૈતન્યધાતુમ સા ધિરૂઢ:' અચળ ચૈતન્યધાતુમાં સદા આરૂઢ થયો થકો ‘નાનીત થવ દિ' માત્ર જાણે જ છે, “વિશ્ચન પ નવરાતિ' કાંઈ પણ કરતો નથી. ધર્માત્મા પોતાનું સ્વસ્વરૂપ જે જ્ઞાન અને પર જે રાગ તે બન્નેને ભિન્ન જાણે છે અને તેથી તે ભેદજ્ઞાનસહિત હોવાથી, હંસ જેમ દૂધ અને પાણીને જુદા કરી દે છે તેમ જ્ઞાન અને રાગને જુદા કરી દે છે; રાગ અને આત્માને એક કરતો નથી. રાગનો જે કર્તા થાય તે જ્ઞાતા રહી શક્તો નથી અને જે જ્ઞાતા થાય તે રાગનો કર્તા થતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. સમયસાર નાટકમાં આવે છે કે “કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનનારા; જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.'' બહારની શરીર, મન, વાણી આદિની ક્રિયા તો જડની ક્રિયા છે; પણ અંદર જે શુભરાગ આવે છે તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાની જ્ઞાનને લીધે રાગ જે વિકાર અને પોતાનો અવિકારી શુદ્ધ જ્ઞાનઘન-આનંદઘન સ્વભાવ-એ બેના વિશેષને જાણે છે. હું તો ચિદાનંદ-સ્વભાવી વસ્તુ છું અને રાગ તો આકુળતાસ્વભાવ છે-આવો બન્નેનો ભેદ જ્ઞાની જાણે છે. આનું નામ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનના બળે અચળ નિજ ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરતો થકો તે માત્ર જાણે જ છે. આનું નામ ધર્મ છે. આત્મા અચળ ચૈતન્યધાતુ છે. જે ચૈતન્યને ધારે તે ચૈતન્યધાતુ છે. એમાં અચેતન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ રાગ ધારેલો નથી, એકલી ચૈતન્ય-ચૈતન્યમય વસ્તુ છે. આવી શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં આરૂઢ થતાં એટલે કે તેનો આશ્રય કરતાં આત્મા રાગથી ભિન્ન થઈને માત્ર જાણનાર જ રહે છે. જુઓ આ ભેદજ્ઞાનને પ્રાપ્ત સમકિતીનું સ્વરૂપ! નિજ ચૈતન્યધાતુનો આશ્રય કરતો થકો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા થતો નથી; જ્ઞાતા જ રહે છે રાગના સૂક્ષ્મ અંશનો પણ જ્ઞાની કર્તા નથી. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે પોડશકારણ ભાવનાના રાગનો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા નથી; જ્ઞાનમાં તેને તે ભિન્નરૂપે માત્ર જાણે જ છે. * કળશ પ૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જે સ્વપરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી.' લોકો કહે છે ને કે કરવું શું? તો કહે છે કે આ ભેદજ્ઞાન પ્રગટ કરવું તે કરવાનું છે. ભેદજ્ઞાન કરે નહિ અને રાગની મંદતા કરે તો એથી કાંઈ સાધ્ય નથી. રાગની મંદતા તો અનાદિથી કરતો આવ્યો છે. એમાં નવું શું છે? અરે ભાઈ ! પહેલાં શ્રદ્ધામાં તો પક્ષકર કે જ્ઞાનમય ભગવાન આત્મા અને રાગમય વિકાર તે બન્ને તન્ન ભિન્ન ચીજ છે. તે બન્નેને એક માનવા તે મિથ્યાત્વ અને અજ્ઞાન છે. રાગથી ભિન્ન જ્યાં જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું ત્યાં જ્ઞાની રાગને જાણે જ છે, તેનો કર્તા થતો નથી. એક વણિક હતો. તેને એક છોકરો હતો. તે વણિકની પહેલી પત્ની ગુજરી જતાં તેણે નવી બાઈ સાથે લગ્ન કર્યું. એક વાર તે નવી મા, દીકરાની વહુનો સાલ્લો પહેરીને ઓરડામાં સતી હતી. છોકરાને ખબર નહિ કે કોણ સતું છે. છોકરાને વિષયનો રાગ થઈ આવતાં અંદર ઓરડામાં જઈને હાથ અડાડયો. ત્યાં મા જાગી ગઈ અને બોલી “બેટા વહુ ન્હાવા ગયાં છે.' છોકરાને જ્ઞાન થયું કે અહા ! આ તો માતા છે, પત્ની નહિ! આમ જ્ઞાન થતાં જ ફડાક વૃત્તિ બદલાઈ ગઈ. તત્ક્ષણ વિષયનો રાગ નાશ પામી ગયો. તેમ આત્મા રાગથી ભિન્ન પ્રભુ આનંદનો નાથ છે એવું જ્યાં અંતર એકાગ્ર થતાં જ્ઞાન થયું કે ભેદજ્ઞાન પ્રગટ થાય છે અને તત્કાલ રાગની દષ્ટિ છૂટી જાય છે. તે રાગનો કર્તા મટીને જ્ઞાતા થઈ જાય છે. આવો જ્ઞાનભેદજ્ઞાનનો અલૌકિક મહિમા છે. ભાઈ ! જન્મ-મરણનાં દુઃખનો અંત કેમ આવે એની આ વાત છે. ૮૪ લાખ યોનિમાં સહન ન થાય એવાં દુઃખ તે સહન કર્યા છે. અનંત ભવમાં અનંત માતાઓનો તને સંયોગ થયો છે. મરણ વખતે તે માતાઓનાં રૂદનનાં આંસુ એકઠાં કરીએ તો અનંત સમુદ્ર ભરાય એટલા ભવ તું કરી ચૂકયો છે. તારા ભવનો અંત કેમ આવે એની અહીં આચાર્યદવે વાત કરી છે. કહે છે કે શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી પોતાની વસ્તુને છોડી રાગની-સંયોગી ભાવથી એક્તા કરવી તે વ્યભિચાર છે, કેમકે રાગ તારી સ્વભાવભૂત ચીજ નથી. પ્રભુ! રાગના કર્તાપણે પરિણમવું તે વ્યભિચાર છે; તે તને ન શોભે. જો; જ્ઞાની તો પોતાના જ્ઞાતાદષ્ટાસ્વભાવની દષ્ટિ કરીને માત્ર જાણનાર જ રહે છે, કિંચિત્માત્ર કર્તા થતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૯૧ અરે! અજ્ઞાની કરોળિયાની જેમ જાળમાં ફસાઈ ગયો છે. મનુષ્યને બે પગ છે. પછી તે પરણે એટલે ચાર પગ થાય, એટલે કે તે ઢોર થાય. પછી એને છોકરો થાય એટલે તે છપગો ભમરો થાય. ભમરાને છ પગ હોય છે. અજ્ઞાની ભમરાની જેમ જ્યાં-ત્યાં ગુંજે-આ મારી બાયડી; આ મારો છોકરો એમ ગુંજે. પછી છોકરો મોટો થાય એટલે એને પરણાવે. છોકરાની વહુ ઘરમાં આવે એટલે આઠપગો કરોળિયો થાય. કરોળિયાને આઠ પગ હોય છે. કરોળિયાની જેમ મનુષ્ય પોતે જ જાળ કરી કરીને તેમાં ફસાઈ જાય છે. વરઘોડિયાં પગે લાગવા આવે એટલે અજ્ઞાની ખુશી ખુશી થઈ જાય, પણ એને ખબર નથી કે આ દુઃખની જાળ રચી છે. અરે ભાઈ ! સંસારમાં સુખ કેવું? સંસારમાં–રાગમાં તું દુઃખી જ છો. કન્યાને સાસરે વળાવે ત્યારે વિરહના ભારથી કન્યા રડે છે, એની માતા પણ રહે છે. બહારથી વિરહના દુઃખમાં રડે છે પણ અંદર કન્યાને સાસરે જવાનો હુરખ હોય છે. તેમ રાગ જ્ઞાનીને આવે છે પણ રાગનો જ્ઞાનીને આદર નથી. ધર્મીને તો પોતાના સ્વરૂપમાં ઠરવાનો ઉલ્લાસ છે; પણ ઠરી ન શકે તો રાગ આવે છે. પરંતુ રાગનો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે, કેમકે જ્ઞાનીની દષ્ટિ ચૈતન્યસ્વભાવ પર ચોંટેલી છે. જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે એટલું પરિણમનની અપેક્ષાએ કર્તાપણું છે, પણ પરમાર્થે તે જ્ઞાતા જ છે કેમકે રાગ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે એમ જ્ઞાની માનતો નથી. જ્ઞાની સ્વપરનો ભેદ જાણે છે. માટે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે. સમયસાર નાટકમાં આવે છે કે “ “સ્વપર પ્રકાસક સકતિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી; ય દશા દુવિધા પરગાસી, નિજરૂપા પરરૂપ ભાસી.'' અહા! નિજરૂપ તે સ્વય અને રાગાદિ તે પરય છે. જ્ઞાન પરને-રાગને જાણે એમ કહેવું એ ખરેખર વ્યવહાર છે; વાસ્તવમાં તો તે કાળે જ્ઞાન પોતે પોતાને જાણે છે. સ્વપરના ભેદને જે જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. પ૯ કળશ પૂરો થયો. હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છે: * કળશ ૬૦ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * વનન-પયો: શૌખ્ય-શૈત્ય-વ્યવસ્થા' (ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ “જ્ઞાનાત્ વ' જ્ઞાનથી જ પ્રગટ થાય છે. આનો અર્થ કરતાં કળશટીકામાં એમ કહ્યું છે કે “જેમ અગ્નિ અને પાણીના ઊષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજસ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાયછે તેમ.'' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાવાર્થ આમ છે કે જેમ અગ્નિ સંયોગથી પાણી ઊભું કરવામાં આવે છે, કહેવામાં પણ “ઊનું પાણી’ એમ કહેવાય છે, તોપણ સ્વભાવ વિચારતાં (પાણી અને અગ્નિના સ્વભાવને લક્ષમાં લેતાં) ઊષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન વિચારતાં ઉપજે છે. (જેને આત્માનો અનુભવ થયો છે તેવા સમ્યજ્ઞાનીને આવો યથાર્થ ખ્યાલ આવે છે. સંયોગ આધીનદષ્ટિવાળા અજ્ઞાનીને “ગરમ પાણીમાં ઉષ્ણતા અગ્નિની છે અને પાણી સ્વભાવથી શીતળ છે એવો ખ્યાલ આવતો નથી). બીજું દષ્ટાંત-જેમ ખારો રસ, તેના (ખારા લવણના રસના) વ્યંજનથી (શાકથી) ભિન્નપણા વડે “ખારો લવણનો સ્વભાવ” એવું જાણપણું તેનાથી વ્યંજન ખારૂં” એમ કહેવાતુંજણાતું તે છૂટયું; ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે. (શાક બનાવવામાં આવે છે ). ત્યાં “ખારૂં વ્યંજન” એમ કહેવાય છે, જણાય પણ છે, સ્વરૂપ વિચારતાં ખારૂં લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. હવે સિદ્ધાંત એ પ્રમાણે શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે, –એવું જે શુદ્ધસ્વરૂપ છે તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું ભિન્નપણું થાય છે. ભાવાર્થ આમ છે કે-( પ્રશ્ન) સામ્પ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન, ક્રોધ ભિન્ન–એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું! “કર્મનો કર્તા જીવ' એવી ભ્રાન્તિ તેને મૂળથી દૂર કરે છે પરનું વાસ્તવિક જ્ઞાન જેને સમ્યજ્ઞાન પ્રગટ થયું છે એવા જ્ઞાનીને જ હોય છે. ( શિખંડ મીઠો છે એમ કહેવામાં આવે છે ત્યારે પણ) શિખંડમાં જે ખટાશ છે તે દહીંની છે અને મીઠાશ ખાંડની છે-એમ બેની ભિન્નતાનું યથાર્થ જ્ઞાન જેને સ્વના આશ્રયે સમ્યજ્ઞાન થયું છે તેને હોય છે. ‘નવજીસ્વામે ભુલી: જ્ઞાનાત્ વ ૩7 સતિ' લવણના સ્વાદભેદનું નિરસન (નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે ( અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે).' લવણ અને શાક-એ બેના સ્વાદના ભેદની ભિન્નતાનું જ્ઞાન જ્ઞાનીને હોય છે. અજ્ઞાનીને સ્વના જ્ઞાનનું પરિણમન નથી તો પરને પ્રકાશનું પરપ્રકાશક જ્ઞાન યથાર્થ ક્યાંથી હોય? ન જ હોય. (શાક ખારું છે એમ કહેવામાં આવે તે કાળે પણ) લવણના સ્વાદથી શાકનો સ્વાદ સર્વથા ભિન્ન છે એવું જ્ઞાન જ્ઞાનથી જ પ્રગટ થાય છે. કોને? કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૯૩ જેને પોતાના જ્ઞાનનું જ્ઞાન પ્રગટ થયું છે તેને શાક અને લવણના-બંનેના ભિન્નસ્વાદનું જ્ઞાન પ્રગટ થાય છે. આ દષ્ટાંતમાં જ સિદ્ધાંત છે. ‘સ્વરવિવસનિત્યચૈતન્યધાતો: દ્રોધાવે: ઉમા' નિજરસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, “વર્તમામ મિન્વતી' ક્ત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો ‘જ્ઞાનાત ઇવ પ્રમવતિ' જ્ઞાનથી જ પ્રગટ થાય છે.' આત્મા નિત્ય ચૈતન્યધાતુ છે તે પર્યાયમાં વિકસિત થાય છે. જેમ કમળનું ફૂલ ખીલે તેમ આત્મા નિત્ય ચૈતન્યધાતુ નિજરસથી પર્યાયમાં ખીલી જાય છે. તે વખતે વ્યવહારરત્નત્રયનો રાગ હોય તેને જ્ઞાન (પર શેયપણે ) જાણે છે. નિજરસથી વિકસિત થયેલી પર્યાયથી રાગને જાણે છે. રાગ છે તો રાગને જાણે છે એમ નથી કહ્યું. નિજરસથી વિકસિત થયેલી સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયથી રાગાદિ ભાવને જાણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. અહાહા ! ગજબ વાત છે! બે દષ્ટાંત આપ્યાં છે; આ સિદ્ધાંત છે. આ જ વાતને બારમી ગાથામાં બીજી રીતે કહી કે-વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. પોતાના ત્રિકાળી ભૂતાર્થ ભગવાનના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન નિજરસથી વિકસિત થયું છે. તે જ્ઞાનપર્યાય પોતાથી વિકસિત થઈ છે. રાગ છે તો રાગને જાણતું જ્ઞાન અહીં પર્યાયમાં પ્રગટ થયું છે એમ નથી. પ્રભુ! તારો સ્વભાવ એવો છે કે તે નિજરસથી વિકસિત થાય છે. નિત્ય ચૈતન્ય-ધાતુનું પર્યાયમાં પરિણમન થતાં ક્રોધાદિ ભાવોના દ્ભૂત્વને તોડતું જ્ઞાન પ્રગટ થાય છે. વ્યવહારનો રાગ આવે તેને જ્ઞાન પરજ્ઞયપણે જાણે છે અને તેથી તેના દ્ઘત્વને ભેટે છે. (નાશ કરે છે.) રાગનું ક્નત્વ ઉડાવી દે છે, અને નિજરસથી જે જ્ઞાન-સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનનો કર્તા થાય છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યધાતુ છે. તેની સ્વપરપ્રકાશક પર્યાય જે પ્રગટ થઈ તે નિજરસથી-નિજશક્તિથી પ્રગટ થઈ છે. તે જ્ઞાનની પર્યાય ક્રોધાદિભાવ એટલે વિકારીભાવના દ્ભૂત્વને છેદતી પોતાની સ્વપરપ્રકાશક શક્તિથી ક્રોધાદિ ભાવને જાણે છે. જ્ઞાનની પર્યાય જે પોતાના નિજરસથી પ્રગટ થાય છે તેને પોતાની ન માનતાં રાગને પોતાનો માને તો તેનું ક્ત્વ થઈ જાય. રાગને ભિન્ન જાણનાર જ્ઞાન રાગના ઝૂત્વને છેદીને રાગનું જ્ઞાતા થઈ જાય છે. વ્યવહારનો રાગ તે ક્રોધ છે. સ્વરૂપમાં નથી અને સ્વભાવથી વિરુદ્ધ છે માટે તેને ક્રોધ કહે છે. ક્રોધ એટલે રાગ-તેને ભિન્ન જાણતું જ્ઞાન ક્નત્વને છેદતું પ્રગટ થાય છે. રાગને ભિન્ન જાણ્યો એટલે પરનું ક્નત્વ ન રહ્યું; પરને જાણનારું જ્ઞાન છે પણ તે પરથી થયું છે વા પર છે માટે થયું છે એમ નથી. અહાહા ! તે સમયની સ્વપરપ્રકાશક શક્તિના વિકાસથી જ્ઞાન થયું છે અને તે સ્વને જાણતાં પર-રાગને જાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભગવાન! તારા સ્વભાવનું બળ, સામર્થ્ય અચિંત્ય બેહુદ છે. તે પામરપણું અજ્ઞાનથી માની લીધું છે. જ્ઞાન અને રાગ ભિન્ન છે એમ જાણતાં આત્મા ક્નત્વને છોડી દે છે. ૧૧મી ગાથામાં કહ્યું કે પોતાની ત્રિકાળી ચીજ અસ્તિ છે તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે–તે નિશ્ચય અને પર્યાયમાં જે રાગ અને અલ્પ શુદ્ધતા છે તેને જાણવું તે વ્યવહાર. બારમી ગાથામાં કહ્યું ને કે તે તે કાળ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અથોતું તે સમયનું તે પ્રકારનું જ્ઞાન જ સ્વપરપ્રકાશકપણે પરિણમ્યું છે. તેથી તે જ્ઞાન પરને જાણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આ તો ધીરાનાં કામ છે બાપુ! છોકરાં મારાં છે એ વાત તો નહિ; પરંતુ છોકરાનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સ્વપરપ્રકાશકશક્તિના સહજ વિકાસથી છે, છોકરાં છે માટે છોકરાંને જાણે છે એમ નથી. પરશયનું જે જ્ઞાન થાય છે તે સહજ પોતાના કારણે થાય છે, પરશયના કારણે નહિ. અહા ! તારી શક્તિનું સામર્થ્ય જ એવું છે કે તે સમયમાં સ્વપરપ્રકાશક જ્ઞાન સહજ પ્રગટ થાય છે. રાગ અને જ્ઞાન પર્યાયમાં એક જ સમયે થાય છે, આગળ પાછળ નહિ. બંનેનાં ક્ષેત્ર પણ એક છે. માટે રાગ આવ્યો તો અહીં જ્ઞાન થયું એમ કયાં રહ્યું? એમ છે જ નહિ. બાપુ ! મારગ જુદો છે. રાગના કાળે રાગને જાણે અને તે કાળે સ્વને જાણે એવી શક્તિ નિજરસથી એટલે પોતાના સ્વભાવથી સહજ પ્રગટ થઈ છે. પ્રશ્ન:- તો શું નિમિત્ત છે જ નહિ? ઉત્તર:- બાપુ! નિમિત્ત છે એની કોણ ના પાડે છે. અહીં તો એમ વાત છે કે જ્ઞાન રાગને જાણે એમાં રાગ નિમિત્ત છે તો રાગને જાણે છે એમ નથી. નિમિત્ત હો, પણ નિમિત્તથી જ્ઞાન થયું છે એમ નથી. ભગવાન આત્મા પૂણાનંદનો નાથ પ્રભુ જ્ઞાનનો દરિયો અંદર પોતાની શક્તિથી ડોલી રહ્યો છે. એનું જે જ્ઞાન પોતાથી થયું તે જ્ઞાન ક્રોધાદિને જાણતું, તેના ક્નત્વને ભેદતું સહુજ પ્રગટ થયું છે. રાગ મારી ચીજ નથી એમ રાગને ભિન્નપણે જાણતાં રાગનું ક્નત્વ છૂટી જાય છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ ! શું રાખ્યતત્ત્વના કારણે અહીં જ્ઞાનતત્ત્વ છે? ના. તો રાગને જ્ઞાન જાણે છે એમ કહેતાં જ રાગની એક્તા તૂટી ગઈ અર્થાત્ રાગનું ફ્રૂત્વ છૂટી ગયું. રાગ અને જ્ઞાનને સમકિતી ભિન્ન જાણે છે. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયમાં પોતાનું અને જે પ્રકારના રાગદ્વેષ હોય તેનું તે પ્રકારનું જ્ઞાન પોતાથી સ્વયં પ્રકાશે છે. કુંદકુંદાચાર્યદવ ગાથા ૩૭રમાં કહે છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. ગુણનો અર્થ ત્યાં પર્યાય થાય છે. સર્વદ્રવ્યોની પર્યાય પોતાથી થાય છે. નિમિત્ત હો, પણ નિમિત્તથી કોઈ અન્ય દ્રવ્યની પર્યાય કરાતી નથી. માટીના સ્વભાવથી ઘડાની પર્યાય ઉત્પન્ન થાય છે, કુંભારના સ્વભાવથી નહિ. અહો ! ગજબ વાત કરી છે! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ]. [ ૯૫ તેમ પરમાત્મા અહીં એમ કહે છે કે પોતાનું સ્વરૂપ જ્યાં દષ્ટિમાં આવ્યું ત્યાં જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટ થઈ. તે જ્ઞાનની પર્યાય રાગને જાણે છે; પણ રાગ છે માટે તેને જાણે છે એમ નથી. જ્ઞાનીને કોઈ ક્રોધના પરિણામ થઈ ગયા ત્યાં તેનું જ્ઞાન થયું તે ક્રોધને લઈને થયું એમ નથી. ભાઈ ! જ્ઞાન પોતાથી થાય તેમાં રાગ નિમિત્ત છે, પણ નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. રાગ રાગમાં અને જ્ઞાન જ્ઞાનમાં છે. રાગથી જ્ઞાન થાય છે એમ માને તે જ્ઞાનના સામર્થ્યનો નાશ કરે છે. કુંભારથી જ ઘડો થાય તો માટીમાં જે ઘડો થવાનું સામર્થ્ય છે તેનો નાશ થાય છે. અહા ! એકાવતારી ઇન્દ્રો અને એ જ ભવે મોક્ષ જનારા ગણધરદેવો જે વાણી સાંભળે તે વાણી કેવી હોય બાપુ! સના સિદ્ધાંત પ્રસિદ્ધ કરનારી તે વાણી અતિ વિલક્ષણ પારલૌકિક હોય છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે તે અસદ્ભુત વ્યવહારનયનું કથન છે. લોકાલોક છે માટે ભગવાનને કેવળજ્ઞાન છે એમ નથી. પ્રશ્ન:- તો શું કેવળી પરને જાણતા નથી? ઉત્ત૨:- નિશ્ચયથી પરને જાણતા નથી. નિશ્ચયથી પરને જાણે તો પરની સાથે તન્મય થઈ જાય. જેમ પોતાના આત્માને તન્મયપણે જાણે છે તેમ પરદ્રવ્યને તન્મયીપણે જાણતા નથી. ભિન્નસ્વરૂપ જાણે છે-તેથી વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે. જાણવાનો અભાવ છે તેથી વ્યવહારનય કહ્યો છે એમ નથી. પરમાં તન્મય થઈને જાણતા નથી તેથી વ્યવહારનય કહ્યો છે. અહાહા....! સંતોએ સની પ્રસિદ્ધિનો અલૌકિક ઢંઢેરો પીટયો છે. પ્રભુ! એક વાર તું બહારની વાતો ભૂલી જા અને તારો જે જ્ઞાનસ્વભાવ છે તેનો આશ્રય કર. તેના આશ્રયે જે પર્યાય પ્રગટ થાય તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે; બાકી બધો વ્યવહાર છે. જ્ઞાન વ્યવહારને જાણે છે તોપણ તે પોતાની પર્યાયની તાકાતથી જાણે છે. તે સમયની જ્ઞાનની પર્યાય તે જ પ્રકારના ઉત્પાદરૂપે પોતાથી ઉત્પન્ન થતી હોય છે. દ્રવ્યના લક્ષે જે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય ઉત્પન્ન થાય તે પોતાથી થાય છે. નિત્ય ચૈતન્યધાતુ તે ધ્રુવ અને નિજરસથી વિકસિત થઈ જે દશા તે પોતાની પર્યાય છે. પરના કર્તાની તો વાતેય નથી અને રાગના કર્તાની પણ વાત નથી. રાગનું જ્ઞાન થયું તે પણ રાગના કારણે નહિ. જ્ઞાનની પર્યાય રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહારનયથી છે, કેમકે રાગમાં જ્ઞાન તન્મય નથી. જો રાગમાં તન્મય થઈને જ્ઞાન જાણે તો રાગનું કર્તાપણું થઈ જાય, જ્ઞાતાપણું ન રહે. માટે પોતામાં તન્મય થઈને જાણે તે જ્ઞાન રાગના ક્નત્વને છોડતું પોતાથી પ્રગટ થાય છે–એમ સિદ્ધાંત છે. અહો ! સ્વરૂપગ્રાહી જ્ઞાન કહીને રાજમલજીએ કમાલ કામ કર્યું છે! ગૃહસ્થાશ્રમમાં રહીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આવું અદ્ભુત કામ કર્યું છે. અહા ! આત્મામાં કયાં ગૃહસ્થાશ્રમ છે? આ શાસ્ત્રના આધારે પંડિત શ્રી બનારસીદાસે સમયસાર નાટક બનાવ્યું છે. પંડિત શ્રી બનારસીદાસ વિષે કોઈ એમ કહે છે કે એમણે અધ્યાત્મની ભાંગ પીધી છે! અરે પ્રભુ! આમ કહેવું તને શોભે નહિ. આવા (વિરાધનાના) ભાવના ફળમાં તેને દુઃખ વેઠવાં કઠણ પડશે ભાઈ ! સ્વતંત્ર સુખનો પંથ છોડીને પરતંત્રતાના પંથે જતાં તને વર્તમાનમાં દુઃખ થશે અને ભવિષ્યમાં પણ દુઃખ થશે. ભગવાન આત્મા અબદ્ધસ્પષ્ટ છે. તેને જે જાણે તે પર્યાય જૈનશાસન છે. અબદ્ધ-સ્કૃષ્ટ આત્માના આશ્રયે જે વીતરાગી પર્યાય પ્રગટ થાય તે જૈનશાસન છે. બાર અંગ અને સમસ્ત જૈન શાસનનું તેને જ્ઞાન થયું એમ કહ્યું છે; કેમકે બાર અંગમાં જે કહેવા માગે છે તે એણે જાણી લીધો છે. બાર અંગનો અભ્યાસ ભલે ન હોય, પણ અબદ્ધ-સ્પષ્ટની દૃષ્ટિ થતાં જે આત્માનુભૂતિ પ્રગટ થઈ તે જૈનશાસન છે. આવી જૈનશાસનની પર્યાય ચોથે ગુણસ્થાને પ્રગટ થાય છે. તે વખતે જ્ઞાનની સ્વપરપ્રકાશક જે પર્યાય પ્રગટી તે પોતાને અને રાગને જેમ છે તેમ જાણે છે. ત્યાં રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. ભાઈ ! સમજાય એટલું સમજવું. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માના આ વેણ છે. દિવ્યધ્વનિમાં ભગવાને સને સપણે પ્રસિદ્ધ કર્યું છે, “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્ ”- -અહા ! જ્ઞાન ધ્રુવ સત્ અને જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન થઈ તે ઉત્પાદ સત છે. તે પર્યા થઈ છે, વ્યવહારનો રાગ છે માટે પ્રગટ થઈ છે એમ નથી. અહા ! આવી વાત જેના ભાગ્ય હોય તેને સાંભળવા મળે છે. આવી વાત બીજે કયાંય છે નહિ. આ તો સના ભણકાર લઈને નીકળેલી વાણી છે. અહા! આત્મા સત, તેનો સ્વભાવ સત્ અને તેની નિજરસથી વિકસિત થતી જ્ઞાનની પર્યાય સદ્. ત્રણેય સત્ સ્વતઃ સિદ્ધ છે, પરને લઈને નથી. અહા ! ચૈતન્યની જે પર્યાય સ્વભાવના આશ્રયે પ્રગટ થઈ તે ચૈતન્યધાતુ અને ક્રોધાદિને ભિન્ન જાણે છે અને તેથી ક્રોધાદિનું ક્વને છોડતી તે જ્ઞાતાપણે પરિણમે છે. અહો! આ તો વીતરાગના મંત્રો છે! આમાં પંડિતાઈ કામ લાગે તેમ નથી; આને સમજવા અંતરંગ સચિની જરૂર છે. એક બાજા શુદ્ધ ચૈતન્યધાતુ અને એક બાજુ ક્રોધાદિક રાગના પરિણામ-એ બંનેનો જ્ઞાન ભેદ જાણે છે. તેથી જ્ઞાન રાગનું ક્ત્વ છોડતું જ્ઞાતાપણે પરિણમે છે. વ્યવહાર-રત્નત્રયનો રાગ મારો અને હું તેનો કર્તા એવી કર્તાપણાની બુદ્ધિ છૂટી જાય છે વ્યવહારના રાગનું માત્ર જ્ઞાન કરે છે. એ પણ અપેક્ષાથી વાત છે. “જ્ઞાનાત્ વ પ્રમવતિ'-એટલે કે જ્ઞાન અને રાગનો ભેદ (સ્વરૂપગ્રાહી ) જ્ઞાનથી જ પ્રગટ થાય છે. શ્લોક ૬૦ પૂરો થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૯૭ હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથીએવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે - * કળશ ૬૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પર્વ' આ રીતે “ જ્ઞાસા' ખરેખર “માત્માનમ્' પોતાને “જ્ઞાનું જ્ઞાન પિ' અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ “ફર્વન' કરતો “લાત્મા માત્મમારા વર્તા ચાત્' આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, “પરમાવસ્ય’ પરભાવનો (પુદ્ગલના ભાવોનો ) કર્તા તો “વરિત્ન' કદી નથી. પરની દયા પાળવી તે ધર્મ છે એમ ઘણા માને છે. સામાં પ્રાણી જીવે તે ઉપાદાન અને જીવાડનારનો ભાવ તે નિમિત્ત-આ બંને મળીને ત્યાં કાર્ય થાય છે એમ કેટલાક માને છે પણ એ બરાબર નથી કેમકે એમ છે નહિ. પરવસ્તુ નિમિત્ત છે પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી. નિમિત્તથી કાર્ય થાય તો નિમિત્ત અને ઉપાદાન એક થઈ જાય. નિમિત્ત હોય છે પણ તે પરના કાર્યનું કર્તા નથી. નિમિત્તને અનુકૂળ કહેલ છે. પાણીનો પ્રવાહુ વહી જતો હોય તેને કિનારો અનુકૂળ છે; પણ કિનારો છે તો પ્રવાહ તેનાથી ચાલે છે એમ નથી. પાણીનો પ્રવાહુ વહી જાય છે તે ઉપાદાન અને કિનારો છે તે અનુકૂળ નિમિત્ત તટસ્થ છે. ભાઈ ! તારા સની બલિહારી છે. તે કેવો છો, કયાં છો, કેમ છો તે અહીં બતાવે છે. કહે છે-હું જ્ઞાનસ્વરૂપ છે અને જે રાગ થાય તેને જાણું જ છું. જ્ઞાનની રૂપરપ્રકાશક પર્યાય પોતાની તાકાતથી સ્વપરને જાણે છે. હું મારી સ્વયં પ્રગટ થયેલી જ્ઞાનપર્યાયથી રાગને જાણે જ છું. અહાહા..! ખૂબ સૂક્ષ્મ વાત અહીં કહે છે કે આત્મા કાં તો જ્ઞાન કરે, વા અજ્ઞાન કરે પણ પરભાવનો કર્તા તો આત્મા કદી નથી. રાગનો કર્તા થાય એ પણ પોતાથી અને રાગનો જાણનાર થાય એ પણ પોતાથી છે. આ સિવાય કોઈ પણ પરવસ્તુનો કર્તા આત્મા (અજ્ઞાનીપણ) કદી નથી. ભાઈ ! આ શરીર, મન, વાણી, કર્મ, અને નોકર્મનો કે દેશ અને સમાજની સેવાનાં કાર્યોનો કર્તા આત્મા કદી નથી. આત્મા પોતાને જ્ઞાનરૂપ વ અજ્ઞાનરૂપ કરે છે અને તે તે પોતાના ભાવોનો કર્તા થાય છે પણ પરભાવોનો કર્તા તે કદાપિ નથી. અહીં અજ્ઞાનને, વિકારીભાવને પોતાનો ભાવ કહ્યો છે કેમકે તે પોતાની પર્યાય છે. તથા પરભાવ શબ્દનો અર્થ અહીં વિકારી ભાવ નહિ પણ જડ પુદ્ગલના અને પરદ્રવ્યના ભાવ એમ કરવો. પુદ્ગલના અને પરદ્રવ્યના ભાવોનો કર્તા આત્મા કદી નથી. આ વાણી બોલાય, શરીરનું હુલનચલન થાય, મંદિર આદિનું નિર્માણ થાય કે કર્મબંધનની પર્યાય થાય ઇત્યાદિ સર્વ પરદ્રવ્યોના ભાવોનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી. પ્રશ્ન:- આમા જ્ઞાનભાવે તો પરનું કાંઈ ન કરે પણ વિભાવભાવ વડે તો પરનું કાંઈ કરે કે નહિ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ઉત્તર:- કહ્યું ને કે આત્મા પોતાને જ્ઞાનરૂપ કરે કે અજ્ઞાનરૂપ કરે અને તે તે પોતાના ભાવોનો તે કર્તા છે, પણ પરદ્રવ્યના ભાવોનો તે કદીય કર્તા નથી. આત્મા અજ્ઞાનપણે વિભાવભાવને કરે પણ તે વિભાવ વડે તે પરદ્રવ્યના ભાવોને ત્રણકાળમાં ન કરી શકે. આવી જ વસ્તુસ્થિતિ છે. કાર્ય થવામાં ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણો હોય છે એમ જે કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. વાસ્તવિક કારણ તો એક ઉપાદાન જ છે; નિમિત્ત વાસ્તવિક કારણ નથી. માટે પરનો આત્મા કદીય કર્તા નથી એમ નક્કી કરવું. એ જ વાતને દઢ કરે છે: * કળશ ૬૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * માત્મા જ્ઞાન' આત્મા જ્ઞાનસ્વરૂપ છે, “સ્વયં જ્ઞાન' પોતે જ્ઞાન જ છે; “જ્ઞાનાત્ ચેત રતિ વિ' તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા જ્ઞાનમૂર્તિ, ચૈતન્યઘન, આનંદરસનો કંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. આ સ્વભાવ કહ્યો. વળી અભેદથી કહ્યું કે પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? શું તે અચેતન પુગલના કર્મ કરે? કદી ન કરે. આ શરીરની ક્રિયા, ભાષાની બોલવાની ક્રિયા, પુદ્ગલકર્મબંધની ક્રિયા આત્મા કરતો નથી. પરનું કાર્ય કરવામાં આત્મા પાંગળો એટલે અસમર્થ છે. આ વકીલો કોર્ટમાં છટાદાર ભાષામાં દલીલો કરે છે ને? અહીં કહે છે એ ભાષાનો કર્તા આત્મા નથી. અહીં ત્રણ શબ્દો કહ્યા છેઆત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? ગજબ વાત છે! આ રૂપિયા રળીને ભેગા કરવા અને તેને બહારના કામોમાં વાપરવા ઇત્યાદિ ક્રિયાનો આત્મા કર્તા નથી. રૂપિયા આવવા અને જવા એ તો એનું જડનું ક્ષેત્રમંતરરૂપ પોતાનું કાર્ય છે. એનો કર્તા આત્મા નથી. તો લોકમાં કહેવાય છે ને ? “માત્મા પરમાવસ્ય વર્તા' આત્મા પરભાવનો કર્તા છે “' એમ માનવું (તથા કહેવું છે તે વ્યવહારિામ મોદ:' વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. આત્મા પરભાવનો - શરીર, મન, વાણી, કર્મ, નોકર્મની ક્રિયાનો, પૈસા લેવા-દેવા ઇત્યાદિ ક્રિયાઓનો કર્તા માનવો અને કહેવો એ વ્યવહારી જીવોનો મોહ એટલે મૂઢતા છે. વળી કોઈ એવું કહે છે કે આત્માને પરનો કર્તા માને નહિ તે દિગંબર નહિ! અરે ભાઈ ! તને આ શું થયું? આવી વાત તું કયાંથી લાવ્યો? અહીં તો આચાર્ય એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૭ ] [ ૯૯ કહે છે કે આત્માને પરભાવનો કર્તા માને તે દિગંબર નહિ. પરનો જડના કાર્યનો પોતાને કર્તા માને તે મૂઢ અને મોહી પ્રાણી છે. આત્મા બોલે ને આત્મા ખાય-પીવે ઇત્યાદિ જડની ક્રિયાઓ આત્મા કરે એમ કહેવું અને માનવું એ અજ્ઞાન છે, મૂઢતા છે. પંચાસ્તિકાય ગાથા ૧૪૬ની ટીકામાં બે ગાથાઓનો આધાર ટાંકીને કહ્યુ છે કે-“હમણાં પણ ત્રિરત્ન શુદ્ધ જીવો (–આ કાળે પણ સમ્યકદર્શનશાનચારિત્રરૂપ ત્રણ રત્નોથી ? મુનિઓ) આત્માનું ધ્યાન કરીને ઇન્દ્રપણું તથા લોકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને (મનુષ્યભવ પામી) નિર્વાણને પ્રાપ્ત કરે છે.'' અહાહા..! આત્મા પરનું કર્તાપણું છોડી પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય - શુદ્ધરત્નત્રય હો-નું આરાધન કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. આત્માનું ધ્યાન કરીને નિર્વાણ પામે છે; વ્યવહારરત્નત્રયનું આરાધન કરીને નહિ. મોક્ષપદ જે પ્રાપ્ત થાય તે અંતરસ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત થાય છે; વ્યવહારરત્નત્રય કાંઈ મોક્ષનું કારણ નથી. અહાહા...! સમોસરણમાં તીર્થંકર કેવળી ભગવાન બિરાજમાન હોય અને દિવ્યધ્વનિ છૂટે તે સાંભળી મુનિરાજ એકદમ અંતરસ્વરૂપમાં ઉતરી જાય છે. આ વીજળીના તાંબાના તાર હોય છે ને! બટન દબાવતાં વેંત તાંબાના તારમાં સરરરાટ એકદમ વીજળી ઉતરી જાય છે. તેમ ભગવાનની દિવ્યધ્વનિ સાંભળતાં વંત સરરરાટ એકદમ મુનિરાજ અંતરસ્વરૂપમાં ઉતરી જાય છે. પરિણતિ ભગવાન આનંદના નાથને તેના તળમાં પહોંચીને પકડે છે. મુનિરાજ સ્વરૂપનું ઉગ્ર ધ્યાન કરીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને પછી મોક્ષ પામે છે. અહીં ! ભગવાન તો હુજુ અતિપદે છે અને મુનિરાજન સિદ્ધપદ ! સ્વરૂપના ધ્યાનનો અચિંત્ય મહિમા છે. પરંતુ વ્યવહારરત્નત્રયનો રાગ કરોડો વર્ષ પર્યત કરે તોપણ તેણે કાંઈ કર્યું નથી. (મતલબ કે નિરર્થક છે). આવી વાત છે. પંચાસ્તિકાય ગાથા ૧૪૬ની ટીકામાં ત્યાં બીજી ગાથાનું અવતરણ ટાંકીને અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે-“શ્રુતિઓનો અંત નથી (-શાસ્ત્રોનો પાર નથી), કાળ થોડો છે અને આપણે દર્મેધ છીએ; માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરા- મરણનો ક્ષય કરે.' ' પ્રભુ! શાસ્ત્રોનો પાર નથી. શ્રુતનો તો અગાધ દરિયો છે. અને અમે દુર્મુધ છીએ એટલે કે એટલું બધું જ્ઞાન અમને નથી. અમારી બુદ્ધિ મંદ ઠોઠ નિશાળિયા જેવી છે. અહા ! અમૃતચંદ્રાચાર્ય જેવા મુનિરાજ કે જેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય જેવા શાસ્ત્રોની અજોડ અદ્ભુત ટીકા કરી છે તે મહાન દિગંબર સંત એમ કહે છે કે અમે તો મંદબુદ્ધિ ઠોઠ છીએ ! અહા! કયાં કેવળજ્ઞાન, ક્યાં બાર અંગનું જ્ઞાન અને કયાં અમારું અલ્પજ્ઞાન? શાસ્ત્રોનો પાર નથી, કાળ થોડો છે, બુદ્ધિ મંદ છે; માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરામરણનો ક્ષય કરે. શું કરવા યોગ્ય છે? કહે છે–પરનાં કાર્ય તો તું કરી શક્તો નથી અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ પુણ્ય-પાપના ભાવ જે અજ્ઞાન છે, દુઃખમય છે તે કરવા યોગ્ય નથી. આચાર્ય કહે છે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરામરણનો ક્ષય કરે. અહાહા...! ત્રણલોકનો નાથ ચૈતન્યઘન પ્રભુ અંતરમાં બિરાજમાન છે. તેનું શ્રદ્ધાનજ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવું એ મોક્ષનો એટલે જન્મ-મરણના ક્ષયનો ઉપાય છે. તેથી કહે છે વ્યવહાર અને ૫૨ નિમિત્તની વાત છોડ એક બાજુ; અને આ મનુષ્યભવમાં ધ્રુવધામ ભગવાન આત્માને ધ્યેય બનાવી તેનું ધ્યાન કરીને ધન્ય થઈ જા. શ્રુતનો તો પાર નથી. અરે ! ભગવાનની કહેલી વાત બાર અંગમાં પણ પુરી આવતી નથી એવો શ્રુત તો અગાધ સમુદ્ર છે; અને આપણે મંદબુદ્ધિ છીએ. માટે જે વડે જન્મ-મરણનો ક્ષય થાય એ જ (ભેદજ્ઞાન કળા ) શીખવા યોગ્ય છે. એ સિવાય બીજી કોઈ વાત શીખવા યોગ્ય નથી. અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ કરે છે, પણ પ૨નું તે કાંઈ કરી શકતો નથી. પરનું કરે તો ૫૨માં તન્મય થઈ જાય. પોતાની સત્તા છોડીને ૫૨માં તન્મય થાય તો પોતાનો નાશ થઈ જાય. પણ એમ બનતું નથી. માટે આત્મા પરનો કર્તા નથી. આ ૨ળવું-કમાવું, વેપાર-ધંધા અને ઉઘોગ કરવા એ આત્માનાં કાર્ય નથી, અને આત્માનાં માને એ મૂઢતા છે. અમૃતચંદ્રાચાર્યદેવ એમ કહે છે કે બહારના ક્ષયોપશમથી બસ થાઓ! ત્યાં વિકલ્પ ઉઠે એનાથી તો ક્ષોભ થાય છે. અમારે તો જન્મ-મરણનો ક્ષય થઈ જાય બસ એ જ કામ છે. માટે હૈ ભાઈ ! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે તે એકની ઉપર તારી દષ્ટિ લગાવી દે. તે એક જ કર્તવ્ય છે, તે એક જ શીખવા યોગ્ય છે. કહ્યું છે ને કે-‘જ્ઞાન સિવાય બીજું શું કરે ?' આ મોટી વકીલાતના ધંધા, દાક્તરના ધંધા, વેપાર અને ઉદ્યોગના ધંધા-એ બધા પર મીડાં વાળવા જેવું છે. એ બધું હું કરું છું એ માન્યતા તો અનંત સંસારમાં રખડાવનારી મૂઢતા છે. ૬૨ શ્લોક પુરો થયો. [પ્રવચન નં. ૧૬૩ શેષ, થી ૧૭૧ ચાલુ * દિનાંક : ૨૨-૮-૭૬ થી ૩૧-૮-૭૬] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૮ તથાપિ ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।। ९८ ।। व्यवहारेण त्वात्मा करोति घटपटरथान् द्रव्याणि। करणानि च कर्माणि च नोकर्माणीह विविधानि।।९८ ।। હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે: ઘટ-પટ-૨થાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી, નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮. ગાથાર્થ- [વ્યવદારેT 1] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [ રૂદ] જગતમાં [માત્મા] આત્મા [૧૮૫૮૨થાન દ્રવ્યાળિ] ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [૧] વળી [ વરાનિ] ઇંદ્રિયોને, [ વિવિધાનિ] અનેક પ્રકારનાં [ fo] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [૨ નોર્મfo] અને શરીરાદિ નોકર્મોને [ રોતિ] કરે છે. ટીકાઃ- જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ બને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામો (ભ્રાંતિ, અજ્ઞાન) છે. ભાવાર્થ- ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. સમયસાર ગાથા ૯૮: મથાળું હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે - * ગાથા ૯૮: ટીકા ઉપરનું પ્રવચન * જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો (વ્યવહારીઓને ) પ્રતિભાસે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તેથી તેવી રીતે ( આત્મા ) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ-બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહા૨ી જીવોનો વ્યામોહ (ભ્રાન્તિ, અજ્ઞાન ) છે.’ અહીં આત્મા હસ્તાદિની ક્રિયા કરી શકે છે એમ વાત નથી. આ તો અજ્ઞાની શું માને છે એ વાત સમજાવે છે. પોતાના વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર વડે ઘટ આદિ ૫રદ્રવ્યસ્વરૂપ કર્મને પોતે કરે છે એવું અજ્ઞાની માને છે. તે મૂઢ જીવ છે. વસ્ત્ર બનાવી શકું છું, ઘડો બનાવી શકું છું એવું વ્યવહા૨ી જીવો ભ્રાન્તિથી માને છે. આત્મા પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરે છે એવું અજ્ઞાનીઓને-વ્યવહા૨ીઓને પ્રતિભાસે છે. પ્રશ્ન:- વ્યવહા૨ી જીવ વ્યવહારથી તો પ૨નું કરી શકે છે ને? ઉત્ત૨:- ના; એમ નથી. જીવ વ્યવહારથી પણ પરનું કરી શક્તો નથી. વ્યવહારીઅજ્ઞાની જીવો, પ૨નું કરી શકું છું એમ માને છે તે એમનું અજ્ઞાન છે. આ બાઈઓ રસોઈ કરે, રોટલી બનાવે, પકવાન બનાવે, મોતી પરોવે-ઇત્યાદિ પરદ્રવ્યનાં કર્મને કરે છે એવી અજ્ઞાનીઓની ભ્રાન્તિ છે. વાસ્તવમાં એમ છે નહિ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તે જ્ઞાનમાં જાણવાનું કાર્ય કરે કે ૫દ્રવ્યનું કાર્ય કરે? આત્મા પરનું કાર્ય કરી શકે છે એવી માન્યતા વ્યવહા૨ી જીવોની મૂઢતા છે. આવું સત્ય પ્રસિદ્ધ છે તોપણ શ૨ી૨નાં, કુટુંબનાં, સમાજનાં અને દેશનાં બધાં પરદ્રવ્યનાં કાર્ય અમે કરીએ છીએ એ અજ્ઞાનીઓનો ભ્રમ છે. ભગવાને કહ્યું છે કે પ્રત્યેક દ્રવ્યમાં અને પ્રત્યેક પરમાણુમાં તેની એકેક સમયની પર્યાય પોતાના ષટ્કારથી થાય છે. તે પર્યાય પોતે કર્તા, તે પર્યાય પોતે કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન અને તે પર્યાય પોતે અધિકરણ છે. અજ્ઞાની જીવ વિકારી પરિણમનના ષટ્કારકને કરે, પરંતુ સાથે તે એમ માને કે ઘટ-પટ આદિ પરદ્રવ્યને પણ હું કરું છું તે એનો મિથ્યા ભ્રમ છે, મિથ્યા અહંકાર છે. દીકરા દીકરી, સ્ત્રી પરિવાર, મા બાપ, ઘર-બાર ઇત્યાદિનું કાર્ય થાય તેનો હું કર્તા છું એમ માનનારા જીવો મૂઢ, અજ્ઞાની છે. તેવી રીતે ક્રોધાદિ સ્વરૂપ અંતરંગ કર્મને પણ હું કરું છું એવું માને તે મિથ્યાદષ્ટિ છે. જડ કર્મનું બંધન હું કરું છું, ચારિત્રમોહ આદિ પુદ્ગલકર્મને હું બાંધુ છું એમ માને તે મૂઢ છે. શરીર, મન, વાણી, ઘટ, પટ, રથ આદિ બાહ્ય પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે અને જ્ઞાનાવરણીય આદિ જડકર્મ અંતરંગ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તે બન્ને પરદ્રવ્યસ્વરૂપ હોવાથી તેમનામાં તફાવત નથી. આ છોકરાંને મેં ભણાવ્યાં, પાળી પોષીને મોટાં કર્યાં, દીકરા-દીકરીઓને ઠેકાણે પાડયાં, ઇત્યાદિ અજ્ઞાની માને છે પણ ભાઈ! એ બધી ક્રિયા આત્માથી થતી નથી. તેવી રીતે જડ કર્મ જે અંતરંગ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને પણ આત્મા કરતો નથી. આમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૮ ] [ ૧૦૩ છે છતાં અજ્ઞાની માને છે કે હું તે પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્યા છે તે એનો વ્યામોહ છે, ભ્રાન્તિ છે, અજ્ઞાન છે. ભાવાર્થ- “ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.” પરદ્રવ્યોનાં કાર્ય હું કરી શકું છું એમ માનવું તે અજ્ઞાન છે. પરનાં કામ આત્મા ત્રણ કાળમાં કરતો નથી. વસ્તુસ્થિતિ જ આવી છે. લ્યો, ૯૮ પૂરી થઈ. [ પ્રવચન નં. ૧૬૮ દિનાંક ૨૭-૮-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૯૯ जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता।। ९९ ।। यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्। यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता।। ९९ ।। વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે: પદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે ! તેથી નહિ કર્તા ઠરે. ૯૯. ગાથાર્થ- [ યદ્રિ 7] જો [ 1 ] આત્મા [પદ્રવ્યાળિ] પરદ્રવ્યોને [ કુર્યાત ] કરે તો તે [ નિયમેન] નિયમથી [ તન્મય:] તન્મય અર્થાત પરદ્રવ્યમય [ મ ] થઈ જાય; [ યસ્માત્ર તન્મય:] પરંતુ તન્મય નથી [તેન] તેથી [ :] તે [તેષાં] તેમનો [ર્તા] í [ભવતિ] નથી. ટીકા:- જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય- વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી. ભાવાર્થ- એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી. સમયસાર ગાથા ૯૯: મથાળું વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે: * ગાથા ૯૯ : ટીકા ઉપરનું પ્રવચન * “જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શક્યું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૯૯ ] [ ૧૦૫ થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.’ જો આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો આત્મા નિયમથી તન્મય થઈ જાય, કારણ કે પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શક્યું નથી. પરના કાર્ય આત્મા કરે તો એનો અર્થ એ થયો કે પરિણામ પરમાં થયા અને પરિણામી આત્મા થયો. તો બે દ્રવ્ય એક થઈ ગયાં, કેમકે જે અવસ્થા થાય તે પરિણામ અને અવસ્થા કરનારો પરિણામી બે અભિન્ન હોય છે. તો બે દ્રવ્યો વચ્ચે વ્યાપ્યવ્યાપકભાવ થઈ ગયો. પરના પરિણામ વ્યાપ્ય અને આત્મા પોતે વ્યાપક એમ થઈ ગયું અને એ પ્રમાણે થતાં પોતાની સત્તાનો નાશ થઈ ગયો. આત્મા ખરેખર જો શરીરની ક્રિયા કરે, ખાન-પાનનું કાર્ય કરે, ઘટ-પટ આદિ કાર્ય કરે અને જડકર્મના બંધનની ક્રિયા કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શતું નહિ હોવાથી જરૂર છે તે પરદ્રવ્યમાં તન્મય થઈ જાય અર્થાત્ પરદ્રવ્ય સાથે એકમેક થઈ જાય. આત્મા જડસ્વરૂપ થઈ જાય અને એમ બનતાં પોતાની આત્માની) સત્તાનો નાશ થઈ જાય. પરંતુ આત્મા પરદ્રવ્યમાં તન્મય તો થતો નથી, પરરૂપ થતો નથી. (સર્વ દ્રવ્યો પોતપોતામાં જ સ્થિત રહે એવો જ તેમનો સ્વભાવ છે). અહાહા..! રોટલી હું બનાવું છું એમ કોઈ બાઈ માને તો તે બાઈનો જીવ રોટલીમાં તન્મય થઈ જાય, તેની પોતાની સત્તાનો નાશ થઈને તે પરની સત્તામાં ચાલ્યો જાય, પરરૂપ થઈ જાય. અહાહા..! ગજબ વાત છે! લોજીકથી-ન્યાયથી વાત છે ને! પ્રભુ! પરદ્રવ્યની ક્રિયા તારાથી થાય તો બન્નેમાં વ્યાપ્યવ્યાપકપણું સ્થાપિત થતાં બન્ને એક થઈ જાય. પર વ્યાપ્ય અને તું વ્યાપક-એમ બન્ને અભિન્ન એકમેક થઈ જાય. આત્મા એક પાંપણને પણ જો હલાવી શકે તો પાંપણ અને આત્મા બે એક થઈ જાય આત્મા પાંપણરૂપ-જડરૂપ થઈ જાય. પરની દયા હું પાળી શકું છું એમ માનનાર પરનું દ્રવ્ય અને પોતાનું આત્મદ્રવ્ય એકમેક કરે છે. પરિણામ-કાર્ય પરમાં થાય અને પરિણામી-કર્તા પોતે-એમ માનતાં બન્ને દ્રવ્યોનું એકત્વ થઈ જાય છે. પરંતુ એમ તો કદી બનતું નથી. બે દ્રવ્યો જો એક થઈ જાય તો પોતાના દ્રવ્યના નાશની આપત્તિ આવે. આત્મા વ્યાપક થઈને પરદ્રવ્યસ્વરૂપ વ્યાપ્યને કરે તો પોતાનો નાશ થઈ જાય, પરનો પણ નાશ થઈ જાય અને સર્વનાશ થઈ જાય. માટે આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો નથી એ યથાર્થ છે. આત્મા પરથી અત્યંત નિરાળો છે. * ગાથા ૯૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો બન્ને દ્રવ્ય એક થઈ જાય, કારણ કે કર્તા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.' એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો બન્ને દ્રવ્ય એક થઈ જાય. આત્મા આ આંગળીને હુલાવી શકે તો આત્મા આગળીમાં એકમેક થઈ જાય. જડના પરિણામમાં આત્મા પ્રવેશ કરે તો પોતાની સત્તાનો નાશ થઈ જાય. વળી પરની પર્યાય તું કરે તો તે અન્ય દ્રવ્યની પોતાની પર્યાયનો નાશ થઈ ગયો અને પર્યાયનો નાશ થતાં તે દ્રવ્યનો પણ નાશ થઈ ગયો. કર્તાકર્મભાવ અથવા પરિણામ-પરિણામીભાવ એક દ્રવ્યમાં જ હોય છે. અજ્ઞાની રાગનો કર્તા અને જ્ઞાની જ્ઞાનનો કર્તા હો, પરંતુ જીવ પરનો કર્તા ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. પરને હું જીવાડું, સુખી-દુખી કરું, તેનું ભરણ-પોષણ કરું આવું માને તે મિથ્યાદષ્ટિ છે. કોઈ મોટું કારખાનું ચલાવતો હોય અને તેમાં હજારો માણસ કામ કરતા હોય તો ત્યાં અજ્ઞાની એમ માને છે કે હું કારખાનું ચલાવું છું અને તે બધાને નિભાવું છું. ભાઈ! વસ્તુસ્વરૂપ એમ નથી. સૌ દ્રવ્યો પોતપોતાનું કાર્ય સ્વતંત્રપણે કરે છે એ વસ્તુ સ્વરૂપ છે. કોઈ ડોકટર એમ કહે કે હું દવાખાનું ચલાવું છું અને અનેક લોકોના રોગ મટાડું છું તો એ એની ભ્રાન્તિ છે, અજ્ઞાન છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી, કેમકે એમ છે જ નહિ. [ પ્રવચન નં. ૧૬૮ દિનાંક ૨૭-૮-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૦ निमित्तनैमित्तिकभावेनापि न कर्तास्ति जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।। १०० ।। जीवो न करोति घटं नैव पटं नैव शेषकानि द्रव्याणि। योगोपयोगावुत्पादकौ च तयोर्भवति कर्ता।। १०० ।। આત્મા (વ્યાયવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી એમ હવે કહે છે: જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે; ઉત્પાદકો ઉપયોગયોગો, તેમનો કર્તા બને. ૧00. ગાથાર્થ:- [નીવ: ] જીવ [ઘ] ઘટને [ રોતિ] કરતો નથી, [ રેં ન ઈવ] પટને કરતો નથી, [ શેષાનિ] બાકીનાં કોઈ [દ્રવ્યાળિ] દ્રવ્યોને (વસ્તુઓને) [ 4 ] કરતો નથી; [૨] પરંતુ [ યોગોપયો] જીવના યોગ અને ઉપયોગ [ ઉત્પાવશે] ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે [તયો:] તેમનો [ ] ક્ત [ ભવતિ] જીવ થાય છે. ટીકાઃ- ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાયવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે; વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્ય- કર્તુત્વનો (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો) પ્રસંગ આવે. અનિત્ય (અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના (-પરદ્રવ્યસ્વરૂપ કર્મના) કર્તા છે. (રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્ ) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી. ભાવાર્થ:- યોગ એટલે તમન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કપાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું -દ્રવ્યદષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી. સમયસાર ગાથા ૧૦૦ મથાળું આત્મા (વ્યાપ્યવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી એમ હુવે કહે છે: * ગાથા ૧૦૦ : ટીકા ઉપરનું પ્રવચન * ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે.” આ ઘટ-પટ આદિ અને જડકર્મ ક્રોધાદિ તે બંને પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તેનો વ્યાપ્યવ્યાપકભાવથી આત્મા કર્તા નથી. તે પરદ્રવ્યસ્વરૂપ કર્મ આત્માનું વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક કર્તા એમ નથી. પર સાથે આત્માને વ્યાપ્યવ્યાપકભાવ નથી. પર સાથે જો વ્યાપ્યવ્યાપકપણું હોય તો તન્મયપણાનો પ્રસંગ આવે. આ વાત ગાથા ૯૯માં આવી ગઈ છે. પરદ્રવ્યની પર્યાયને જો આત્મા કરે તો પરદ્રવ્યની પર્યાયમાં તન્મય એટલે એકમેક થઈ જાય. પોતાની હયાતી પારદ્રવ્યમાં ભળી જાય અર્થાત્ પોતાની ભિન્ન સત્તા રહે નહિ. આ દયાના જે ભાવ થાય તે રાગ છે. તે રાગનો અજ્ઞાની કર્તા છે, કેમકે પોતાના પરિણામ સાથે વ્યાપ્યવ્યાપકભાવ હોય છે. પણ ત્યારે કર્મબંધનની જે અવસ્થા થાય તેનો કર્તા આત્મા નથી. પંચાસ્તિકાય ગાથા ૧૩રમાં પુણ્ય-પાપના સ્વરૂપનું કથન કરતાં કહ્યું છે કે “જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત શુભ પરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસવ’ના પ્રસંગને અનુસરીને (-અનુલક્ષીને) તે શુભ પરિણામ “ભાવપુર્ણ-છે. (શાતા વેદનીયાદિ દ્રવ્યપુણ્યાગ્નવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના શુભપરિણામ નિમિત્તકારણ છે માટે “દ્રવ્યપુણ્યાગ્નવ' પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ-પરિણામને પણ ‘ભાવપુષ્ય ” એવું નામ છે). એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભ પરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસવ'ના પ્રસંગને અનુસરીને તે અશુભ પરિણામ “ભાવપાપ” છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧00 ] [ ૧૦૯ શુભભાવ થાય તે ખરેખર પુણ્ય નથી, પાપ છે કેમકે શુભભાવ રાગ છે. હવે તેને પુણ્ય કેમ કહ્યું? કે શાતાવેદનીય બંધાય તેમાં શુભભાવ નિમિત્ત છે; શાતાવેદનીયને પુણ્ય કહ્યું છે તેથી તેના કારણરૂપ નિમિત્તને પણ પુણ્ય કહેવામાં આવ્યું છે. અહીં કહે છે કે જીવે શુભાશુભ પરિણામ કર્યા માટે ત્યાં કર્મબંધન થયું એમ છે નહિ. અશુભભાવ કર્યા માટે ત્યાં અશાતા વેદનીય કર્મ બંધાયું એમ નથી. જો એમ હોય તો તન્મયપણાનો પ્રસંગ આવે; બે દ્રવ્યો એક થઈ જાય અને એકબીજાની સત્તાનો નાશ થઈ જાય. આ ગાથા સૂક્ષ્મ છે. એમાં મુદ્દાની રકમની વાત છે ને! કહે છે કે ઘટ, પટ, મકાન, વાસણ-કુસણ ઇત્યાદિ બધાં પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તથા નવાં જ્ઞાનાવરણીય આદિ જડ કર્મ બંધાય તે પણ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. આત્મા તેને વ્યાપ્યવ્યાપકભાવે કરતો નથી. આ કારખાનામાં કાપડના તાકા બને, રંગીન લાદી તૈયાર થાય, પેટ્રોલ, તેલ, કેરોસીન વગેરે સાફ કરવાની-રીફાઈન કરવાની ક્રિયા થાય એ બધાં પરદ્રવ્યનાં કાર્ય છે; કારખાનાના કારીગરો (આત્મા) અને કારખાનાના શેઠીઆઓ એ કાર્યના કર્તા નથી. એ પરદ્રવ્યસ્વરૂપ જડના પરિણામ તે વ્યાપ્ય અને આત્મા પરિણામી તે વ્યાપ્ય એમ નથી. પરદ્રવ્યની પર્યાય આત્માનું વ્યાપ્ય થઈ શકે નહિ. પરદ્રવ્યસ્વરૂપ કર્મ જ આત્માનું વ્યાપ્ય હોય અને આત્મા તેનો વ્યાપક કર્તા હોય તો આત્મા પરદ્રવ્યની ક્રિયામાં તન્મય થઈ જાય. પરદ્રવ્યના કાર્યને જો આત્મા કરે તો તેમાં તે તન્મય થઈ જાય, ભળી જાય. પરંતુ આત્મા તન્મય થતો નથી. માટે પરનાં કાર્યોનો આમાં વ્યાપ્યવ્યાપકભાવથી કર્તા નથી. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ આ જગતમાં અનંત પદાર્થ દેખ્યા છે. તેઓ કહે છે કે એક દ્રવ્ય, બીજા દ્રવ્યનું કાર્ય કરે તો તે બીજા દ્રવ્યમાં તન્મય થઈ જાય, ભળી જાય; દ્રવ્ય ભિન્ન રહી શકે નહિ. માટે આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મનો વ્યાપ્યવ્યાપકભાવથી કર્તા નથી. આ તો ભેદ કરવાનો મહા અલૌકિક સિદ્ધાંત છે. આ ૧૦૦મી ગાથામાં ચૈતન્ય-સ્વરૂપ જીવ શું કરી શકે તે મુદ્દાની વાત સમજાવી છે. આ ભાષાની પર્યાય થાય તે પરમાણુની પર્યાય છે. તે પર્યાય જો આત્માનું કાર્ય હોય તો આત્મા ભાષાના પરમાણુ સાથે તન્મય એટલે એકાકાર થઈ જાય. ટીમરુનું મોટું પાંદડું હોય તેમાંથી બીડી બને તે પરદ્રવ્યની પરમાણુની ક્રિયા છે, આત્મા તેને કરતો નથી. તે ક્રિયાને જો આત્મા કરે તો આત્મા બીડીમાં તન્મય થઈ જાય. ગજબ વાત છે! પોતાના આત્મા સિવાય જેટલાં અનંત પરદ્રવ્ય છે તે પ્રત્યેકમાં પ્રતિસમય જે જે પર્યાય થાય તે પર્યાયને કર્મ એટલે કાર્ય કહેવામાં આવે છે. તે કાર્યને જો આત્મા કરે તો તેમાં તન્મય થવાનો પ્રસંગ આવે. પણ એમ તો બનતું નથી. માટે એ સિદ્ધ થયું કે વ્યાપ્યવ્યાપકભાવથી આત્મા પરદ્રવ્યના કાર્યોનો કર્તા નથી. આત્માને પરદ્રવ્ય સાથે કર્તાકર્મભાવ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ ] ચન રત્નાકર ભાગ-૫ અહાહા....! તત્ત્વના અસ્તિત્વની સિદ્ધિની શું અલૌકિક યુક્તિ છે! કહે છે-પરપદાર્થમાં જે વર્તમાન પરિણતિ થાય છે તે પરિણતિ કાર્ય છે અને તે પદાર્થ તેનો કર્તા છે. પણ એ પરિણતિનો જો આત્મા કર્તા હોય તો પરપદાર્થના પરિણામ અને પરિણામી આત્મા અભેદ થઈ જાય. પણ એમ છે જ નહિ. ' અરે બાપુ! તારું સ્વરૂપ શું છે તેની તને ખબર નથી. આ સંસ્થાઓના વહિવટ ચાલે એમાં અમે આમ વ્યવસ્થા કરી અને તેમ વ્યવસ્થા કરી એમ તું માને છે પણ એ તારું અજ્ઞાન છે. પરમાં થતી વ્યવસ્થા એ પરદ્રવ્યનું વ્યાપ્ય કર્મ છે. એને જો તું કરે તો પરના પરિણામમાં તું તન્મય થઈ જાય, ભળી જાય. પણ એમ છે નહિ. અહો ! વસ્તુસ્થિતિની સંતો પ્રતીતિ કરાવે છે. આ એક વાત થઈ. હવે કહે છે વળી નિમિત્તમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્યકર્તુત્વનો પ્રસંગ આવે.” ( અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે ). પરદ્રવ્યમાં કાર્ય થયું તે નૈમિત્તિક અને આત્મા તેમાં નિમિત્ત આવું પણ નથી એમ કહે છે. પરનું કાર્ય તો તેના કાળે ઉપાદાનથી થયું, પણ આત્મા દ્રવ્ય જે છે તે પરના કાર્યનું નિમિત્તકર્તા પણ નથી. અરે ભાઈ ! આત્માને પરના કાર્યોનો કર્તા માનવો એ તો મિથ્યાદર્શન છે, મૂઢતા છે. પરનો કર્તા તો આત્મા નથી; પણ તે તે દ્રવ્યના તે તે કાળે ક્રમબદ્ધ જે જે પરિણામ તેમાં થાય છે તેનો નિમિત્તકર્તા પણ આત્મા નથી, કારણ કે એમ જ હોય તો નિત્ય કર્તુત્વનો તેને પ્રસંગ આવે. જો પરદ્રવ્યના કાર્યોનો નિમિત્તકર્તા આત્મા હોય તો જ્યાં જ્યાં પરદ્રવ્યનાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને ઉપસ્થિત રહેવાનો પ્રસંગ આવે. અહા! પ્રભુ! તું કોણ છો? તો કહે કે આત્મા. ઠીક; તો આત્મા પરદ્રવ્યનું જે કાર્ય થાય તેને શું કરી શકે ? ના; ન કરી શકે. તો હવે બીજો પ્રશ્ન છે કે-પદ્રવ્યના કાર્યકાળે આત્મા તેમાં નિમિત્ત તો છે કે નહિ? તો કહે છે-ના, નિમિત્ત પણ નથી. પરદ્રવ્યના કાર્યમાં આત્માને જો નિમિત્ત માનો તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવી જશે, અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવી જશે. નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવતાં પરદ્રવ્યની ક્રિયાના કાળમાં નિત્ય ઉપસ્થિતિ રહેતાં રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેશે નહિ. આ ૧OOમી ગાથામાં પરિપૂર્ણ સ્વતંત્રતા બતાવી છે. અહા! દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે! તેઓ કહે છે કે આ શાસ્ત્રના અક્ષર લખાયાની જે પર્યાય થઈ તેના અમે કર્તા નથી; વળી તે પર્યાયના કાળે અમારું દ્રવ્ય પ્રભુ આત્મા તેનું નિમિત્ત પણ નથી. દ્રવ્ય જો નિમિત્ત હોય તો નિત્ય કર્તુત્વનો પ્રસંગ આવે અને પરના કાર્યમાં નિત્ય નિમિત્તપણે હાજર રહેવું પડે. ન્યાય સમજાય છે? ધીમે ધીમે સમજવું ભાઈ ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૦ ] [ ૧૧૧ આ તો સર્વજ્ઞ પ્રભુ કેવળીના મારગડા છે! ન્યાયથી વિચારે તો બેસી જાય એવું છે. કહે છેભગવાન! તારું જે આત્મદ્રવ્ય છે તે જગતના કાર્યકાળે જો નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જશે; રાગથી ભિન્ન પડવાનો કદી અવસર પ્રાપ્ત થશે જ નહિ. તો કઈ રીતે છે? કોણ નિમિત્ત છે? તે હવે કહે છે ‘ અનિત્ય ( અર્થાત્ સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના (૫૨દ્રવ્યસ્વરૂપ કર્મના ) કર્તા છે.’ યોગ એટલે પ્રદેશોનું કંપન અને ઉપયોગનો અર્થ અહીં રાગ કરવો. યોગ અને ઉપયોગ અનિત્ય છે, તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. તે યોગ અને ઉપયોગ પદ્રવ્યસ્વરૂપ કર્મના નિમિત્તપણે કર્તા છે એમ અહીં કહે છે. ૧. ઘડો માટીથી તેના કાર્યકાળે બને છે, કુંભારથી ઘડો બનતો નથી. ૨. ઘડાના કાર્યકાળે કુંભારના આત્માને નિમિત્ત કહો તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી પડે. એમ પણ નથી. તો કઈ રીતે છે? તે કહે છે ૩. અનિત્ય એટલે સર્વ અવસ્થાઓમાં જે વ્યાપતા નથી એવા કંપન અને રાગાદિ પરિણામનો જે કર્તા થાય છે એવો અજ્ઞાની તે પરદ્રવ્યના કાર્યકાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ૪. ત્યાં માટીમાં જે ઘડારૂપ કાર્ય થયું તે તો માટીથી જ થયું છે, નિમિત્તથી નહિ. તેવી રીતે રોટલી, વસ્ત્ર, મકાન, વાસણ, ભાષા, અક્ષર ઇત્યાદિ જે કાર્યો થાય છે તે પુદ્દગલ પરમાણુનાં કાર્ય છે. તે કાર્યમાં આત્મદ્રવ્ય જો નિમિત્ત હોય તો નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવી જાય. જ્યાં જ્યાં પરનાં કાર્ય થાય ત્યાં ત્યાં નિમિત્તપણે કર્તાની હાજરી અનિવાર્ય થઈ જાય. ન્યાયથી વાત છે ને? તો કેવી રીતે છે? તો કહે છે કે જીવના યોગનું કંપન અને રાગ એટલે ઇચ્છારૂપ ભાવ તે પરના કાર્યકાળે તેના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કાર્ય તો દ્રવ્યમાં પોતાથી જ થયું છે; યોગ અને રાગ એમાં નિમિત્ત બસ. અજ્ઞાની યોગ અને રાગની ક્રિયાનો કર્તા છે. તે કારણથી તેના યોગ અને રાગને ૫૨૫દાર્થના કાર્યકાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જુઓ, ૧. રોટલી બને છે તે રોટલીના ૫૨માણુનું કાર્ય છે, તે જીવનું કાર્ય નથી. ૨. એ તો ઠીક; પણ રોટલી બનવા કાળે એમાં જીવદ્રવ્ય નિમિત્ત છે એમ પણ નથી; જો જીવદ્રવ્ય નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. નિત્ય કર્તૃત્વનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ર ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૫ પ્રસંગ બનતાં જગતનાં જેટલાં કાર્યો થાય ત્યાં તેને હાજર રહેવું પડે એવો દોષ આવે. તો છે શું? નિમિત્ત કોણ? ૩. જીવના અનિત્ય એવા યોગ અને ઉપયોગ એટલે કે રાગ તે પરદ્રવ્યના કાર્યકાળ એમાં નિમિત્ત કહેવામાં આવે છે. હવે કહે છે-“(રાગાદિ વિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્ ) ભલે હો તથાપિ પરદ્રવ્ય-સ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.” નિમિત્ત છે તો કાર્ય થયું એ વાત તો ઉડાડી દીધી, પણ પરનાં કાર્યોમાં આત્મા નિમિત્ત થાય એ વાત પણ અહીં ઉડાડી દીધી છે. રાગ અને જોગનો ભાવ તે કાર્યમાં તે કાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ કોના? કે જે રાગ અને જોગનો કર્તા છે એવા અજ્ઞાનીના. આ ગાથા બહુ ઊંચી છે. ભગવાનથી સિદ્ધ થયેલી, ત્રણલોકના નાથ કેવળી ભગવાને દિવ્યધ્વનિમાં કહેલી આ વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એ વાત ત્રણકાળમાં નથી. વળી આત્મદ્રવ્ય પરના કાર્યમાં નિમિત્તકર્તા પણ નથી. એ વાત અહીં સિદ્ધ કરી છે. વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય થતી પરિણતિ પોતાથી થાય છે. પરદ્રવ્યના પરિણામનો કર્તા ભગવાન આત્મા નથી. વળી પારદ્રવ્યમાં જે પરિણામ થાય એનો ભગવાન આત્મા-ત્રિકાળી દ્રવ્ય નિમિત્તકર્તા પણ નથી. કાર્ય તો તેના કાળે પોતાથી થાય છે. તો તેમાં નિમિત્ત કોણ છે? તો કહે છે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ પદ્રવ્યસ્વરૂપ કર્મના નિમિત્તપણે કર્તા છે. લગ્ન વખતે જેમ માંડવા રોપે તેમ આચાર્યદવે અહીં મોક્ષના માંડવા રોપ્યા છે. આ પર્યુષણ પર્વ શરૂ થાય છે. તેમાં દશલક્ષણધર્મની વિશેષ આરાધના કરવાના આ મંગળ દિવસો છે. આત્માના અનુભવ સહિત ક્ષમા કરવી તેને ઉત્તમક્ષમા કહે છે. તે ઉત્તમક્ષમાવત ધર્મી જીવ પદ્રવ્યના કાર્યકાળે તેમાં નિમિત્તકર્તા પણ નથી. શુદ્ધ દ્રવ્ય નિમિત્તકર્તા નથી તેથી શુદ્ધ દ્રવ્યની જેને દષ્ટિ થઈ છે તે ધર્મીની શુદ્ધ દષ્ટિ પણ નિમિત્તકર્તા નથી, કેમકે તે જોગ અને રાગની ક્રિયાના સ્વામી નથી, કર્તા નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ! અહો! આચાર્યદવે અતિ ગંભીર વાત કરી છે! ભગવાન ત્રણલોકના નાથના શાસનમાં પ્રસિદ્ધ થયેલો આ ઢંઢેરો આચાર્યદવ જગત પાસે જાહેર કરે છે. કહે છે–ભગવાન ! તું આત્મા છો; પરથી તું ભિન્ન અને પર તારાથી ભિન્ન એવો પ્રભુ! તું આત્મા છો; કોઈ પણ પરદ્રવ્યનુ તું કાર્ય કરે એ કદી બની શકે નહિ. એ તો બરાબર, પણ પરદ્રવ્યનું જે કાર્ય પદ્રવ્યથી થયું તેમાં તારું આત્મદ્રવ્ય નિમિત્ત કર્તાપણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧00 ] [ ૧૧૩ જો પરનો તું (આત્મા) નિમિત્તકર્તા હોય તો તેને (આત્માને) નિત્યકર્તુત્વનો પ્રસંગ આવી પડે. ત્યારે પ્રશ્ન થાય કે નિમિત્તકર્તા કોણ છે? તો કહે છે કે અંદર ભગવાન જ્ઞાયક ચૈતન્યમૂર્તિ બિરાજમાન છે તેની જેને દૃષ્ટિ નથી તે અજ્ઞાનીના જોગ અને ઈચ્છારૂપ રાગને પરદ્રવ્યસ્વરૂપ કર્મનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નિમિત્તકર્તા છે એટલે નિમિત્તે કાર્યનું કર્તા છે. એવો અર્થ નથી. ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ જોગ અને રાગના પરિણામનો કર્તા નથી. તેથી ધર્માત્મા પદ્રવ્યના કાર્યકાળે તેનો નિમિત્તકર્તા નથી. જ્ઞાની રાગ અને જોગનો કર્તા નથી. જ્ઞાની (આત્મા) પોતાના જ્ઞાતાદેખાના જ્ઞાનના પરિણામ કરે છે એમ કહેવું એ પણ ભેદથન હોવાથી ઉપચાર છે તો પછી પરના કર્તાની અને નિમિત્તકર્તાની તો વાત જ કયાં રહી? ત્યાં તો ઉપચાર પણ બનતો નથી. અજ્ઞાની જીવ માને છે કે પરજીવોની દયા પાળવી તે ધર્મ છે. અરે ભાઈ ! તને આ શું થઈ ગયું છે? પર જીવનું ટકવું તો તેના કારણે છે. તેની તું દયા પાળી શકે એ કેમ બને? વળી દયાનું કાર્ય જે પરમાં થયું તેમાં આત્મા નિમિત્ત છે એમ જો તું કહું તો એમ પણ નથી, કેમકે એમ માનતાં નિત્યકર્તુત્વનો પ્રસંગ આવી પડશે. નિત્યકર્તુત્વનો પ્રસંગ બનતાં રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન અને મુક્તિમાર્ગ પ્રાપ્ત કરવાનો કોઈ અવસર રહેશે નહિ એ મહાદોષ આવશે. માટે હું ભાઈ ! આત્મદ્રવ્ય પરનાં કાર્યોનું નિમિત્તકર્તા પણ નથી એમ યથાર્થ નિર્ણય કર. ભગવાન! તું કોણ છો? શું તું રાગ છો? કંપન છો? ના રે ના, તું તો ભગવાન જ્ઞાનસ્વરૂપ છો. અહાહા..! આવો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જેને જ્ઞાનમાં જાણવામાં આવ્યો તે પરનાં કાર્યોનો નિમિત્તકર્તા પણ નથી, કેમકે જ્ઞાની જોગ અને રાગનો કર્તા નથી, જ્ઞાતા છે. તો પછી જ્ઞાની કર્તા થઈને પરનાં કાર્ય કરે એ વાત કેવી? (એ તો બનતું જ નથી). જ્ઞાનીની વાણીથી અન્ય જીવને જ્ઞાન થાય છે એ વાત યથાર્થ નથી. તે જીવને જ્ઞાન પોતાથી થાય છે, વાણીથી નહિ. તે જ્ઞાનના પરિણમનનો કર્તા જીવ છે. વાણીથી તેને જ્ઞાન થયું એમ છે નહિ. અરે ભાઈ ! નિમિત્તથી કથન કરવું એ જુદી વાત છે અને નિમિત્તથી કર્તાપણું માનવું એ જુદી વાત છે. કહે છે-“રાગાદિ વિકલ્પવાળા ચૈતન્યપરિણામસ્વરૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્ ) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.' અજ્ઞાની પરનો કર્તા નથી, પણ જોગ અને ઇચ્છાનો કર્તા છે. માટે તેના જોગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અને ઇચ્છાને પરના કાર્યકાળ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કેટલાક કહે છે કે આ તો નિશ્ચયની વાત છે. તેને કહીએ છીએ કે-હા, નિશ્ચયની એટલે સત્ય વાત છે. જોગ અને ઇચ્છાનો કર્તા ભગવાન નહિ એનું નામ સત્ય વાત. જોગ અને રાગનો કર્તા સમકિતી નહિ. સમ્યગ્દષ્ટિના જોગ અને રાગ પરના કાર્યમાં નિમિત્તકર્તા પણ નહિ. ધર્માજીવ જેને પોતાના જ્ઞાતા-દેરાસ્વભાવનું ભાન થયું છે તેને જાગ અને રાગનું જ્ઞાન પોતાના ઉપદાનથી થયું છે. અહાહા...! સ્વપરને જાણતું જ્ઞાન તે જ્ઞાનીનું કાર્ય છે તેમાં જોગ. રાગ અને પરની ક્રિયા નિમિત્તમાત્ર છે. જુઓ, અહીં જોગ અને રાગના પરિણામને ચૈતન્યપરિણામ કહ્યા છે કેમકે અજ્ઞાનીએ જોગ અને રાગનો પોતાને કર્તા માન્યો છે. ખરેખર તો આત્મા જ્ઞાયક પ્રભુ છે. તેનો સ્વભાવ તો બસ જાણવું અને દેખવું છે. તે જાણવા દેખવાનું કાર્ય તો પોતાથી થાય છે. ત્યાં જાણવાદેખવાના પરિણામનો કર્તા જીવ છે એમ કહેવું એ ઉપચાર છે, કેમકે ખરેખર તો જાણવા દેખવાનું કાર્ય પર્યાયથી થાય છે. જાણવા દેખવાનું કાર્ય પર્યાયનું છે અને તેને જીવનું કાર્ય કહેવું તે ઉપચાર છે. જ્યાં આમ વાત છે ત્યાં રાગનું કાર્ય અને પરનું કાર્ય મારું એ વાત કયાં રહી? અહો! આ વાત અને વાણી ધન્ય છે! જીવ જોગના કંપનનો અને રાગયુક્ત ઉપયોગનો તો કદાચિત્ એટલે અજ્ઞાનભાવે કર્તા છે પણ પરનાં કાર્ય તે કાળે જે થાય તેનો એ કર્તા નથી. જોગ અને રાગનો કદાચિત્ કર્તા છે એમ કેમ કહ્યું? તો કર્યું છે કે અજ્ઞાન સદાય રહેતું નથી; જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રાગ અને જોગનો ર્તા છે અને તે રાગ અને જોગને પરના કાર્યના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નિમિત્તકર્તા કહેવામાં આવે છે એટલે તે કાંઈ પરના કાર્યના કર્તા છે એમ અર્થ નથી. ભાઈ ! જગતનાં કાર્યો મારાથી થાય છે એમ અજ્ઞાની માને છે પણ એમ છે નહિ. અહીં એની સ્પષ્ટ ના પાડે છે. પ્રશ્ન:- બધાં નહિ તો થોડાંક તો થાય ને? ઉત્તર:- ના, જરાય ન થાય. જોગ અને રાગનો અજ્ઞાની કર્તા થાય છે એથી આગળ બીજી કોઈ વાત છે નહિ. અહો ! આ તો થોડામાં (પાંચ લીટીમાં) તો બધું ઘણું ભરી દીધું છે. આ રાગ-દ્વેષ, વિષયવાસનાના જે પરિણામ થાય તેનો અજ્ઞાની કર્તા છે પણ વિષયભોગના કાળે શરીરની જે ક્રિયા થાય તે પરમાણુનું કાર્ય છે, જીવ તેનો કર્તા નથી. પરમાણુના તે કાર્યકાળે જીવ (દ્રવ્ય) તેમાં નિમિત્ત પણ નથી; જીવ નિમિત્ત થાય તો નિત્યકર્તુત્વનો પ્રસંગ બનતાં તેને રાગ-અજ્ઞાનનો કદી નાશ ન થાય. અજ્ઞાની જે જોગ અને રાગનો કર્તા થાય છે તેના જોગ અને રાગને તે કાળે જડની જે ક્રિયા થાય તેનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આ મકાન બને, ખુરશી બને, ગાડા બને, વિમાન બને ઇત્યાદિ અનેક કાર્યો થાય છે તેનો કર્તા કોણ? તો કહે છે જડમાં થતાં આ કાર્યોનો કર્તા તે તે જ પરમાણુ છે; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧00 ] [ ૧૧૫ આત્મા તેનો કર્તા નથી; તો એ કાર્યો થાય એમાં નિમિત્ત કોણ છે? જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગને તે કાર્યકાળે તેના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ કોના યોગ અને ઉપયોગ? તો કહે છે અજ્ઞાનીના; કેમકે અજ્ઞાની યોગ અને રાગનો કર્તા થાય જે જીવ જોગ અને રાગનો કર્તા થાય તેના જોગ અને રાગ પરદ્રવ્યના કાર્યના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ભગવાનની પૂજા કરે ત્યાં આઠ પ્રકારની સામગ્રીની ક્રિયા જડની જડથી થાય છે. તે જડની ક્રિયાનો કર્તા આત્મા નથી. તે ક્રિયાનો કર્તા આત્મા હોય તો પરિણામ અને પરિણામી એક હોવાથી તેમાં આત્મા તન્મય એટલે એકમેક થઈ જાય. વળી તે ક્રિયાના કાળમાં આત્મા તેનું નિમિત્ત છે એમ કહો તો એમ પણ નથી કેમકે તો આત્માને શાશ્વત નિમિત્તપણે રહેવાનો પ્રસંગ આવે. તેથી તે વખતે પૂજા ભક્તિના જે શુભભાવ થાય તે શુભભાવનો જે ક્ન થાય છે તે અજ્ઞાનીના શુભભાવ તે ક્રિયામાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ભાઈ ! આ તો જૈનદર્શનની સારભૂત વાત છે. દશલક્ષણી પર્વનો આજે ઉત્તમભાઈવધર્મનો બીજો દિવસ છે. ઉત્તમભાઈવધર્મ સમ્યગ્દષ્ટિને અને ચારિત્રવત મુનિરાજને હોય છે. સમકિતીને અને શ્રાવકને તે અંશે હોય છે અને મુનિદશામાં સવિશેષપણે હોય છે. ઉત્તમ પુરુષો જાતિ અને કુળનું અભિમાન કરતા નથી, શરીરનું બળ અને રૂપ વગેરેનું અભિમાન કરતા નથી. તેમને જ્ઞાનનું પણ અભિમાન હોતું નથી. પરમાં અહુબુદ્ધિનો-માનનો ત્યાગ તેને માદેવધર્મ કર્યું છે. આ ઉત્તમક્ષમાદિ દશ ભેદ ચારિત્રના છે અને એ ચારિત્ર સમ્યગ્દર્શન સહિત હોય છે. અહાહા...! વિવેકજ્યોતિ પ્રગટ થવાથી જેઓ આત્માના નિર્મળ જ્ઞાન અને ધ્યાનમાં લીન રહે છે તે મુનિવરોને જગતના કયા પદાર્થો અભિમાન કરવા યોગ્ય લાગે? હું તો આનંદમૂર્તિ છું, મારી ચીજ સદાય નિર્માન છે એમ વિચારી આત્માના ધ્યાનમાં સ્થિત રહેનારા તે મુનિવરો ઉત્તમભાઈવધર્મના સ્વામી છે. આવા ચૈતન્યવિહારી મુનિવરોને જે શુભભાવ થાય તેના તે જ્ઞાતા જ છે. તેઓ જ્ઞાનને રાગથી ભિન્ન જાણે છે. જ્ઞાનીને સ્વનું જ્ઞાન થયું તે જ કાળે રાગસંબંધી પણ જ્ઞાન થયું છે. ત્યાં રાગ છે માટે રાગનું જ્ઞાન થયું છે એમ નથી. જે પ્રકારનો રાગ આવ્યો અને જે પ્રકારની શરીરની ક્રિયા થઈ તેનું જ્ઞાન અહીં પોતાથી થાય છે અને ત્યારે પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં રાગ અને શરીરની ક્રિયા નિમિત્ત થાય છે. નિમિત્ત એટલે કર્તા નહિ. જ્ઞાનીને સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી થાય છે અને તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે. કોઈ એમ કહે કે પચાસ ટકા નિમિત્તના અને પચાસ ટકા ઉપાદાનના રાખો. તેને કહે છે કે ભાઈ ! બન્નેના સો એ સો ટકા સ્વતંત્ર પોતપોતામાં છે. નિમિત્ત પરનું કામ એક અંશ પણ કરે નહિ. આવો જ વસ્તુનો સ્વભાવ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કેવળજ્ઞાન પણ સ્વપરપ્રકાશક છે. કેવળજ્ઞાન પોતાને જાણે છે એને લોકાલોકને જાણે છે. કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે; તો લોકાલોક છે માટે કેવળજ્ઞાન એમ નથી. વળી લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે; તેથી કેવળજ્ઞાન છે તો લોકાલોક છે એમ નથી. ઉપાદાન અને નિમિત્ત બન્ને પોતપોતામાં સ્વતંત્ર છે. કોઈનાથી કોઈ છે એમ છે જ નહિ. નિમિત્ત છે માટે કાર્ય નિમિત્તથી થાય છે એમ છે નહિ. ૧૧૬ ] અરે! લોકો ‘નિમિત્ત તો છે ને!' ‘આત્મા નિમિત્ત તો છે ને!' એમ કહીને પણ કર્તાપણાનું જ સેવન કરતા હોય છે! અર્થાત્ પોતે પદ્રવ્યના કાર્યના કર્તા થાય છે. જુઓ, કોઈ હથોડીથી નાળિયેર ફોડે ત્યાં નાળિયેર ફૂટવાની ક્રિયા તો પુદ્દગલની છે, આત્મા તે ક્રિયાનો કર્તા નથી. અજ્ઞાની તે સંબંધી રાગનો કર્તા છે. અજ્ઞાનીના તે રાગને નાળિયેર ફુટવાની ક્રિયાનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નાળિયેર હથોડીથી ફૂટયું છે એમ નથી, તે ફૂટવાની ક્રિયાનો કર્તા તો તે નાળિયેર છે. તે ક્રિયા સમયે તત્સંબંધી જે રાગનો કર્તા છે તે અજ્ઞાનીના યોગ અને ઉપયોગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ત્યાં જ્ઞાનીને તે વખતે નાળિયેર ફૂટયાનું જ્ઞાન પોતાથી થયું છે. તે જ્ઞાનમાં નાળિયેરની ક્રિયા અને રાગ નિમિત્ત છે. ફૂટવાની ક્રિયાનું જ્ઞાન તો પોતાના ઉપાદાનથી થયું છે. નિમિત્ત છે માટે નિમિત્તનું જ્ઞાન થયું છે એમ નથી. ભાઈ! આ તો ધીરજ અને શાન્તિથી સમજવાની વાત છે. કોઈ સમિતી કુંભાર ઉપસ્થિત હોય અને ઘડો બનવાની ક્રિયા થાય ત્યાં ઘડો તો માટીથી થયો છે; કુંભારના રાગથી કે કુંભારના આત્મદ્રવ્યથી ઘડો થયો નથી. ઘડો થવાની ક્રિયા અને તત્સંબંધી જે રાગ થયો તેનો સમકિતી કુંભાર કર્તા નથી, જ્ઞાતા જ છે. ત્યાં ઘડાનું અને રાગનું જે જ્ઞાન થયું તે પોતાથી થયું છે અને ઘડો અને રાગ તેમાં નિમિત્તમાત્ર છે. નિમિત્ત છે માટે તેનું જ્ઞાન થયું છે એમ નથી. અહા! ઘડો બનવાની ક્રિયા અને તત્સંબંધી જે રાગ થયો તે જ્ઞાનીનું કાર્ય નથી. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ ! અહીં કહે છે પ્રભુ! તું એકવાર સાંભળ, નાથ! તારી ઋદ્ધિ તો જ્ઞાન છે. રાગ અને પરવસ્તુ તારી ઋદ્ધિ નથી. આવું જેને ભાન થાય તેને કમજોરીથી રાગ આવે પણ તે રાગનો કર્તા નથી, જ્ઞાતા છે. તે સમયે પોતાને અને રાગને જાણતું સ્વપ૨પ્રકાશક જ્ઞાન પોતાથી થાય છે અને ત્યારે રાગ તેમાં નિમિત્ત છે. પ્રભુ! તારું જ્ઞાન સપણે કયારે રહી શકે? કે રાગથી અને ૫૨થી ભિન્ન પડતાં પોતાના સદા નિર્મળ ચૈતન્ય-સ્વભાવનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાન સપણે રહી શકે છે. (મતલબ કે સ્વભાવનું જ્ઞાન થતાં જ્ઞાન જ્ઞાનથી પોતાથી છે એમ સાચું જ્ઞાન થાય છે). તે જ્ઞાન પોતાથી સ્વપરને જાણતું જે પ્રગટયું છે તેમાં રાગ અને ૫૨વસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે. આચાર્યદેવે કર્તાની વ્યાખ્યા બહુ સ્પષ્ટ કરી છે. પરદ્રવ્યનો કર્તા કોઈ ઈશ્વર નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧00 ] [ ૧૧૭ અને પરદ્રવ્યનો કર્તા તું (આત્મા) પણ નહિ. પરના પરિણામ પરથી થાય તેનો તું કર્તા નથી અને તારો આત્મા એમાં નિમિત્ત પણ નથી. ત્યારે છે કેવી રીતે? તે કાર્યકાળે રાગનો જે કર્તા થાય છે એવા અજ્ઞાનીના રાગ અને જોગને એનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા કદાચિત્ ભલે હો પણ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી. ભાવાર્થ:- યોગ એટલે 'મન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કપાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું -દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્યદ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્યદ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થ દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી. ગાથા ૧OO પુરી થઈ. [ પ્રવચન નં. ૧૬૮ શેષ થી ૧૭૧ ચાલુ * દિનાંક ૨૭-૮-૭૬ થી ૩૧-૮-૭૬ ]. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૧ ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात् जे पोग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा। ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।।१०१ ।। ये पुद्गलद्रव्याणां परिणामा भवन्ति ज्ञानावरणानि। न करोति तान्यात्मा यो जानाति स भवति ज्ञानी।। १०१ ।। હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છે – જ્ઞાનાવરણ આદિક જે પુગલ તણા પરિણામ છે, કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧. ગાથાર્થ:- [ ] જે [ જ્ઞાનાવરણ નિ] જ્ઞાનાવરણાદિક [પુનિંદ્રવ્યTI ] પુદ્ગલદ્રવ્યોના [પરિણામ:] પરિણામ [ ભવન્તિ] છે [તાન] તેમને [: માત્મા] જે આત્મા [ન રોતિ ] કરતો નથી પરંતુ [ નાનાતિ ] જાણે છે [: ] તે [ જ્ઞાની] જ્ઞાની [ભવતિ] છે. ટીકાઃ- જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે ભાસ થઈને (-વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુદ્ગલ દ્રવ્ય વડે ભાસ થઈને ઊપજતા પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે. તેમને જ્ઞાની કરતો નથી; પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર. પોતાથી (જોનારથી) વ્યાસ થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન (જોવાપણું) તેમાં વ્યાપીને, માત્ર જાએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી (જ્ઞાનીથી) વ્યાસ થઈને ઊપજતું, પુદ્ગલ દ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા વળી એવી જ રીતે “જ્ઞાનાવરણ” પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૦૧ : મથાળું હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છે: * ગાથા ૧૦૧ : ટીકા ઉપરનું પ્રવચન * જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાસ થઈને (-વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી.' ગાથી બહુ સરસ છે. અનંતકાળમાં જે કર્યું નથી એની આ અપૂર્વ વાત છે. ભાઈ ! શાંતિથી ધીરજ રાખીને સાંભળવું. અહીં દષ્ટાંત આપ્યું છે. ગાયના દૂધના રસનો જે સામાન્યભાવ છે તે ગોરસ છે. ગોરસ પોતે વ્યાપીને દહીંદૂધના જે ખાટા-મીઠા સ્વરૂપે પરિણામ છે તેરૂપે ઊપજે છે, પરિણમે છે. દહીં-દૂધના જે ખાટામીઠા પરિણામ છે તે ગોરસનું કાર્ય (વિશેષ) છે. તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી. દૂધ મેળવે ત્યાં દૂધનું દહીં થાય, મલાઈ થાય, માખણ થાય ઇત્યાદિ-એ બધી ગોરસની અવસ્થાઓ છે; તે અવસ્થાઓમાં-ખાટી-મીઠી અવસ્થાઓમાં ગોરસ વ્યાપ્ત છે. એ ગોરસનો તટસ્થ જોનાર પુરુષ તે અવસ્થાઓનો કર્તા નથી. માત્ર તેનો જોનાર છે. ખાટા-મીઠા પરિણામનો કર્તા ગોરસ છે, તટસ્થ (સમકિતી) પુરુષ તેનો કર્તા નથી, દેખનારો જ છે. - હવે આવી વાત સમજવા જીવે અનંતકાળમાં ફુરસદ લીધી નથી. ભાઈ ! આ જેટલો સમય જાય છે તે મનુષ્યજીવનમાંથી ઓછો થતો જાય છે. આ મનુષ્યજીવનમાં સમજણ ન કરી તો આવો અવસર ક્યારે મળશે ભાઈ ! સ્ત્રીને, પુત્રને, કુટુંબને રાજી રાખવામાં આખી જિંદગી ચાલી જાય પણ અંદર વસ્તુ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પડયો છે તેની દષ્ટિ ન કરી તો મરીને તું કયાં જઈશ ભાઈ? જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાં જઈને પડશે તે નિશ્ચિત નથી તેમ આ સંસારમાં આત્માના ભાવ વિના સંસારમાં રખડતા જીવો મરીને ક્યાંય કાગડ, કુતરે, કંથને,.....ચાલ્યા જશે! જેમ નદીના કિનારે કોઈ પુરુષ સ્થિર ઊભો છે તે પાણીના પ્રવાહના લોઢના લોઢ વહી જાય તેનો તે માત્ર જોનારો છે; જે પ્રવાહુ વહી રહ્યો હોય તેનો એ કર્તા નથી. તેમ ખાટા-મીઠા ગોરસના જે પરિણામ થાય તેનો તટસ્થ પુરુષ કર્તા નથી, માત્ર જોનારો જ છે. અહીં કહે છેતેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુદ્ગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પુગલદ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી.' જ્ઞાનાવરણાદિ કર્મની પર્યાય પુદગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતી થકી પુદગલના પરિણામ છે. જ્ઞાની તેને કરતો નથી. આત્મા તેમાં વ્યાપ્ત થઈને તે પુગલદ્રવ્યની પર્યાયને કરતો નથી. જ્ઞાનાવરણાદિ કર્મ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે એમ જાણતો જ્ઞાની તેને કરતો નથી. અજ્ઞાની રાગપરિણામનો કર્તા થાય છે માટે તેના રાગાદિ પરિણામ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કર્મની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જેમ ખાટા-મીઠા ગોરસના પરિણામનો તટસ્થ પુરુષ જોનાર છે, કર્તા નથી બસ તેમ જ્ઞાની જ્ઞાનાવરણાદિનો જાણનાર છે, કર્તા નથી. અહાહા..! હું તો ચૈતન્યમૂર્તિ જાણગસ્વભાવી ભગવાન આત્મા છું એવું જેને ભાન થયું તે સમ્યગ્દષ્ટિ જ્ઞાનાવરણીયાદિ કર્મ જે બંધાય તેનો જાણનાર છે, કર્તા નથી. છ કારણે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે, તે જ્ઞાનાવરણીય-કર્મની પર્યાયમાં અજ્ઞાનીનો રાગ નિમિત્તકર્તા કહેવામાં આવે છે, જ્ઞાની તો નિમિત્તકર્તા પણ નથી. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનમાં જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિનો બંધ થાય તેને જ્ઞાની જાણે છે પણ તેનો કર્તા નથી. હવે કહે છે-“પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી વ્યાપ્ત થઈને ઉપજતું જે ગોરસ-પરિણામનું દર્શન ( જોવાપણું) તેમાં વ્યાપીને માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી ( જ્ઞાનીથી) વ્યાપ્ત થઈને ઉપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.” હું આમ કરું ને તેમ કરું એમ પદ્રવ્યની પર્યાયનો જે કર્તા થાય તે મૂઢ છે, અજ્ઞાની છે. અહીં કહે છે કે ગોરસનો જોનાર ગોરસપરિણામનું જે દર્શન તેમાં વ્યાપીને માત્ર જુએ જ છે. દેખવાના પરિણામમાં તે પુરુષ વ્યાપ્ત છે, પણ ગોરસના પરિણામમાં તે વ્યાપ્ત નથી. દેખનારો ગોરસની પર્યાય છે તો તેને દેખે છે એમ નથી. પોતાથી સ્વતઃ દેખે છે. ખાટા-મીઠા પરિણામને દેખે છે તે સ્વતઃ પોતાથી પોતાના પરિણામને દેખે છે. ગોરસના પરિણામને જોનારને ખરેખર તો સ્વત: પોતાથી પોતાના દષ્ટાપરિણામનું જ્ઞાન થાય છે. જડની પર્યાયને જોનાર જ્ઞાની જવાના પોતાના પરિણામમાં વ્યાપીને માત્ર જાણે જ છે. જ્ઞાનાવરણીય કર્મ જે બંધાય તે પર્યાય તો જડની જડથી થઈ છે. તે જ્ઞાનાવરણીયના બંધમાં નિમિત્ત થાય એવો જે વિકારી ભાવ તેનો જ્ઞાની કર્તા નથી, જ્ઞાની માત્ર તેનો જ્ઞાતા છે. તે પરિણામને જાણનારો જ્ઞાની જ્ઞાનાવરણીયની પર્યાયમાં નિમિત્ત પણ નથી, જ્ઞાનાવરણીયનું જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં જ્ઞાની વ્યાપ્ત છે, જ્ઞાનાવરણીયમાં વ્યાપ્ત નથી. અરે ભાઈ ! જન્મ-મરણ કરીને જીવે અત્યાર સુધી અનંત ભવ કર્યા છે અને મિથ્યાત્વ પડયું છે ત્યાં સુધી બીજા અનંત ભવ કરશે કેમકે મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ પડેલા છે. હજારો રાણીઓને છોડીને સાધુ થાય, જંગલમાં રહે અને વ્રત પાળે પણ જડની ક્રિયાનો કર્તા પોતાને માને તે મિથ્યાદષ્ટિ છે અને તે ચાર ગતિમાં રખડપટ્ટી જ પામે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના પરિણામમાં, અજ્ઞાની કે જે રાગનો કર્તા છે તેના યોગ અને ઉપયોગ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની સમકિતી તો સ્વતઃ જાણવાવાળા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨૧ પોતાના પરિણામમાં વ્યાપીને જડકર્મની પર્યાયને જાણે જ છે, કરતો નથી. જ્ઞાની જડકર્મને જાણવાની જે જ્ઞાનની પર્યાય તેમાં વ્યાપ્ત છે. તે જ્ઞાન-પર્યાય સ્વપ૨પ્રકાશકપણે પોતાથી થઈ છે. તે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મની પર્યાય નિમિત્તમાત્ર છે. જુઓ, લોજીકથી-ન્યાયથી વાત ચાલે છે. સમજવાની તો પોતાને જિજ્ઞાસા હોવી જોઈએ. જેણે રાગથી ભિન્ન થઈ પોતાના જ્ઞાનાનંદસ્વભાવી જ્ઞાયકસ્વરૂપનો અનુભવ કર્યો છે તે જ્ઞાની જીવ જ્ઞાનાવરણીય કર્મની પર્યાયનો કર્તા નથી, જાણનાર છે. જ્ઞાનાવરણીય કર્મની જે પર્યાય થાય તેમાં જ્ઞાની નિમિત્ત પણ નથી, નિમિત્તકર્તા પણ નથી. ઉપાદાન તો તે તે પુદ્દગલકર્મની પ્રકૃત્તિ છે. જ્ઞાની તેના નિમિત્તકર્તા પણ નથી કેમકે જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત જે અજ્ઞાન તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાની પોતાના સ્વપ૨પ્રકાશક જ્ઞાનના પરિણામમાં વ્યાપ્ત થઇને જ્ઞાનના પરિણામને કરે છે અને ત્યારે તે જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને નિમિત્ત કહે છે. ખૂબ ગંભીર વાત છે. જુઓને! દૃષ્ટાંત પણ કેવું સરસ આપ્યું છે! ગોરસના પરિણામને દેખનારો પુરુષ, પોતાના ગોરસને દેખનારા પરિણામમાં વ્યાપ્ત થઈને, ગોરસના પરિણામને દેખે છે, પણ તેને કરતો નથી. તેમ જ્ઞાનાવરણીય કર્મની પર્યાય જે પુદ્દગલથી થઈ છે તેને દેખનાર જ્ઞાની પોતાના જ્ઞાનમાં વ્યાપ્ત થઈને, જ્ઞાનનો કર્તા થઈને જ્ઞાતાપણે રહે છે. તે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાવરણીય કર્મની પર્યાય નિમિત્ત છે. જ્ઞાનનું ઉપાદાન તો પોતાનું છે તેમાં જડકર્મની પર્યાય નિમિત્ત છે. નિમિત્ત સંબંધી જ્ઞાનની પર્યાય ઉપાદાનથી પોતાથી સ્વતંત્ર થઈ છે, નિમિત્તની કાંઈ એમાં અપેક્ષા નથી. અહો ! ગાથા બહુ અલૌકિક છે. શ્રી સીમંધર ભગવાન પાસે આચાર્યશ્રી કુંદકુંદદેવ વિદેહમાં ગયા હતા. ત્યાંથી આ સંદેશ લઈને ભરતમાં આવ્યા અને આ શાસ્ત્રો રચ્યાં છે. જેમ પરદેશથી કોઈ પુરુષ વતનમાં આવે તો પત્ની પૂછે કે મારે માટે સાડી લાવ્યા? પુત્રી પૂછે કે મારે માટે ઘડિયાળ લાવ્યા? નાનો પુત્ર હોય તે પૂછે કે-પપ્પા મારે માટે મીઠાઈ-હલવો લાવ્યા ? તેમ શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહથી ભરતમાં પધાર્યા તો ભક્તો પૂછે કે-ભગવાન! અમારે માટે કાંઈ લાવ્યા? તો આચાર્યદેવ કહે છે કે તમારા માટે આ માલ-માલ લાવ્યો છું. ભગવાનની આ પ્રસાદી છે તે લઈને પ્રસન્ન થાઓ. કહે છે કે ચોથા ગુણસ્થાને જ્ઞાનીને જે જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેનો તે કર્તા નથી, જાણનાર જ છે. જ્ઞાનાવરણીય કર્મની પર્યાય જડથી પુદ્દગલથી થાય છે તેમાં જ્ઞાની નિમિત્ત પણ નથી. ચોથા ગુણસ્થાને આ પ્રકૃતિ જે બંધાય એનું જ્ઞાન સ્વયં પોતાથી થાય છે, અને ત્યારે તેમાં જ્ઞાનાવરણીય કર્મ તેમાં નિમિત્તમાત્ર છે. જ્ઞાની કર્મને બાંધતો નથી એમ અહીં કહ્યું છે. અજ્ઞાની પણ જડકર્મને બાંધતો નથી, પરંતુ અજ્ઞાની રાગનો કર્તા છે તો કર્મબંધની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આવે છે. અહા! ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! અને એનું ફળ પણ મહાન છે! મોક્ષનો માર્ગ પ્રગટે એના ફળમાં ભવિષ્યમાં અનંત જ્ઞાન અને અનંત સુખ પ્રગટ થશે અને તે આદિ અનંત કાળ રહેશે. રાગનો જે કર્તા થાય અને જડકર્મની અવસ્થામાં જેનો રાગ નિમિત્ત થાય તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. પરંતુ જેને પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેવો ધર્મી જીવ જાણે છે કે રાગ અને પુદ્ગલની જે ક્રિયા થાય તે મારી નથી. આવો જેને ક્ષણેક્ષણે વિવેક વર્તે છે તે જ્ઞાનીને જે સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને જાણે જ છે. તે જ્ઞાન સ્વતઃ પોતાથી સ્વપરને જાણતું પ્રગટ થયું છે, કર્મની પર્યાયની તેને અપેક્ષા નથી. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારના ભાવથી બંધાય છે. જ્ઞાનમાં અંતરાય કરવી, માત્સર્ય, પ્રદોષ, નિવ્વ, આસાદન, ઉપઘાત-એમ છ પ્રકારના ભાવના નિમિત્તે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ જ પ્રકારના ભાવનો અજ્ઞાની કર્તા થાય છે. તેથી જ્ઞાનાવરણીયના બંધમાં આ અજ્ઞાનીના વિકારીભાવને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પરંતુ જ્ઞાનીને તો આસ્રવ તત્ત્વ, અજીવ તત્ત્વ અને નિજ જ્ઞાયકતત્ત્વનું ભેદજ્ઞાન થયું છે. માટે જ્ઞાની રાગનો કર્તા નથી. ભેદજ્ઞાનનો ઉદય થવાથી રાગથી ભિન્ન હું જ્ઞાયકતત્ત્વ છું એમ ધર્મી જીવ જાણે છે. ધર્મીને રાગથી ભિન્ન જ્ઞાયકતત્ત્વનું જે જ્ઞાન થયું તે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી પ્રગટ થયું છે અને રાગ અને જડની દશા તેમાં નિમિત્તમોત્ર કહેવામાં આવે છે. આ દશલક્ષણી પર્વના દશ દિવસ વીતરાગભાવની વિશેષ આરાધનાનો દિવસ છે. વીતરાગભાવની આરાધના કયારે થાય ? કે રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માનું ભાન થાય ત્યારે. અહીં કહે છે–એવા આત્મજ્ઞ પુરુષને જે સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે તે પોતાથી થાય છે અને તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત છે. પરંતુ નિમિત્ત છે તો તેનું જ્ઞાન થાય છે એમ નથી. દયા, દાન, વ્રત આદિ વિકલ્પ રાગ છે, આસ્રવ છે. આસ્રવથી આત્મતત્ત્વ ભિન્ન છે. આવું સમ્યજ્ઞાન પ્રગટ થાય તેને આ આસ્રવ છે, રાગ છે એવું જ્ઞાન પોતાથી પોતામાં થાય છે ત્યારે તે જ્ઞાનમાં રાગ નિમિત્ત કહેવામાં આવે છે. દયાનો ભાવ છે તે શુભરાગ છે, વિકાર છે. તે ભાવના કાળે જે શાતા વેદનીય-કર્મ બંધાય તે જડની પર્યાય છે અને તે જડથી થાય છે. અનુકંપાનો ભાવ અને આત્મા–બંનેને જે એક માને છે એવા અજ્ઞાની મિથ્યાષ્ટિનો અનુકંપાનો ભાવ શાતાવેદનીય કર્મ જે પોતાથી બંધાય છે તેનો નિમિત્તકર્તા છે. પરંતુ દયાના રાગથી પોતાનો જ્ઞાયક ભગવાન ભિન્ન છે એવું ભેદજ્ઞાન જેને પ્રગટ થયું છે એવો ધર્મી જીવ દયાના રાગને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨૩ કરતો નથી, જાણે જ છે. પોતાને-સ્વને અને રાગને-પરને જાણતું સ્વપરપ્રકાશક જ્ઞાન તેને પોતાથી પ્રગટ થાય છે અને ત્યારે રાગ તેમાં નિમિત્ત છે. જુઓ, સર્વ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. -શાતાવેદનીય કર્મ જે બંધાય છે તે જડ પુલની પર્યાય છે. એ અજીવ તત્ત્વ છે. -દયા, દાન આદિ અનુકંપાનો રાગ થાય તે વિકારી ભાવ આસ્રવ તત્ત્વ છે. -રાગથી ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકતત્ત્વ છે તે જીવતત્ત્વ છે. -રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તે રાગનો કર્તા થાય છે. તે રાગ અને આત્માને અભિન્ન એક માનનાર મિથ્યાદષ્ટિ મૂઢ જીવ છે. -રાગ અને આત્માને જેણે એક માન્યા છે તે અજ્ઞાનીનો શુભરાગ, તે સમયે શતાવેદનીય કર્મ જે બંધાય તેમાં નિમિત્ત હોય છે તેથી અજ્ઞાનીના તે શુભરાગને તેનો (જડકર્મનો) નિમિત્તકર્તા કહેવામાં આવે છે. -જ્ઞાનીને સ્વભાવની દષ્ટિ થઈ છે. કર્મબંધ અજીવતત્ત્વ છે, રાગ આસ્રવ તત્ત્વ છે અને પોતે એનાથી ભિન્ન જ્ઞાયતત્ત્વ છે એમ તેને ભેદજ્ઞાન પ્રગટ હોવાથી તે સર્વને ભિન્ન ભિન્ન જાણે છે. તેથી તે રાગનો કર્તા નથી પણ જ્ઞાતા જ છે અને તેના જ્ઞાનમાં રાગ અને જડ કર્મની પર્યાય નિમિત્ત થાય છે. અહો ! આચાર્યદવે ગજબ વાત કરી છે. ૩ર-૩૩ ગાથામાં સોળ બોલ હતા. અહીં કર્મના આઠ બોલ વધારે છે; ૨૪ બોલ છે. ભાઈ ! શાંતિથી સમજવું. કેટલાક રાડ પાડે છે કે “એકાન્ત છે, એકાન્ત છે;” અરે ભાઈ ! આ ચીજ શું છે તેની તને ખબર નથી. આ એકાન્ત છે પણ સમ્યક એકાન્ત છે. “વળી એવી જ રીતે “જ્ઞાનાવરણ '' પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.' દર્શનાવરણીય' નામની એક જડકર્મની પ્રકૃતિ છે. પરમાણુમાં તે સમયે તે પ્રકૃતિ થવાની યોગ્યતાથી તે પર્યાય થઈ છે. તે સમયે દર્શનદોષ પોતામાં ઉત્પન્ન કરી તેનો જે કર્તા થાય છે તે દર્શનદોષ અને આત્માને એક માને છે. તે દર્શનદોષ દર્શનાવરણીય કર્મના બંધમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ધર્મી જીવ સાત તત્ત્વને ભિન્ન ભિન્ન જાણે છે. અજીવ, આસ્રવ અને આત્મા ત્રણેને ભિન્ન ભિન્ન જાણે છે. અહીં ત્રણની મુખ્ય વાત છે. જ્ઞાનીને રાગ અને પરથી હું ભિન્ન જ્ઞાયક તત્ત્વ છું એમ ભેદજ્ઞાન થયું છે. રાગ અને પર અજીવ પદાર્થ હું નહિ; હું તો જ્ઞાતાદૃષ્ટા છું. આવા જ્ઞાતાદરાના જ્ઞાનપરિણમનમાં રાગ અને દર્શનાવરણીય કર્મ નિમિત્ત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ રમકડાનો મોટો વેપારી હોય તો લોકો કહે કે આ રમકડાનો રાજા છે. અહીં કહે છેભગવાન! તું જ્ઞાતાદષ્ટાસ્વરૂપ ચૈતન્યરાજા છો. રાગનો પણ તું રાજા નહિ તો રમકડાના રાજાની વાત કયાં રહી? જુઓ, આચાર્યદેવ સ્વતત્ત્વ અને પરતત્ત્વની ભિન્નતા બતાવી ભેદજ્ઞાન કરાવે છે. રાગના ભાવને પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં જાણનાર ભેદજ્ઞાની જીવ રાગનો ર્તા નથી, જ્ઞાતાદેણા જ છે. વિકલ્પ છે તે રાગ છે અને હું જ્ઞાયક છું એમ ભેદજ્ઞાનની કરવતથી બન્નેને જ્ઞાનીએ ભિન્ન પાડી દીધા છે. તે જ્ઞાનીના જ્ઞાનમાં રાગ અને રાગના નિમિત્તે બંધાતું કર્મ નિમિત્તમાત્ર છે. અજ્ઞાની રાગનો સ્વામી થાય છે. તેનો તે રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. લોકો માને છે કે વ્યવહારથી ધર્મ થાય. તેને કહે છે કે પ્રભુ! તું સાંભળ તો ખરો. વ્યવહાર તો જ્ઞાનમાં પરયપણે જણાય છે. તેનાથી ધર્મ કેમ થાય? મહાવ્રતાદિ વ્યવહારરત્નત્રયના પરિણામ જ્ઞાનીના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં પરયપણે નિમિત્ત માત્ર છે. એનાથી નિશ્ચય ધર્મ કેમ પ્રગટે? ન પ્રગટે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પોતાના જ્ઞાનસ્વરૂપનું જ્યાં ભાન થયું ત્યાં જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ. તે સમયે જ્ઞાનીને રાગ ભલે આવ્યો; તે રાગ અને જે નવું કર્મબંધન થયું તેને જ્ઞાની જાણે જ છે, કરતો નથી. તે રાગ અને કર્મની પર્યાય જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે. વેદનીયકર્મની જડ પ્રકૃતિનો કર્તા જડકર્મ છે. શાતાદનીય કર્મ બંધાય તે પરમાણુની તત્કાલિન યોગ્યતા અને ઉત્પત્તિ કાળ છે. શુભરાગ થયો માટે શાતાવેદનીય કર્મ બંધાયું છે એમ નથી. તે કાળે જ્ઞાની રાગ અને કર્મથી પોતાને ભિન્ન જાણે છે. જ્ઞાનીને જે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેમાં શુભરાગ અને શાતાવેદનીય કર્મ નિમિત્ત કહેવામાં આવે છે. પરને દુઃખ દેવાનો જે ભાવ થયો તે ભાવના નિમિત્તે અશાતાવેદનીય કર્મ બંધાય છે. તે ભાવ આસ્રવ છે. આસ્રવ અને આત્માને એક માને તે અજ્ઞાનીના પરિણામ અશાતા વેદનીયના બંધમાં નિમિત્ત છે. પ્રથમ સ્વર્ગ-સૌધર્મસ્વર્ગમાં ૩ર લાખ વિમાન છે. તેનો ઇન્દ્ર અને ઇન્દ્રાણી શચી બને સમકિતી છે. તેઓ એક ભવ કરીને મોક્ષ જવાનાં છે. તે જાણે છે કે આ ૩ર લાખ વિમાન છે તે પરદ્રવ્ય છે. દેવના વૈભવ પ્રતિ લક્ષ જતાં રાગ થાય તે આસ્રવ છે. પરંતુ તે જ્ઞાની છે; તો જે રાગ આવ્યો તેને જાણે જ છે. પોતાને જે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું છે તે જ્ઞાનમાં રાગ અને પરદ્રવ્ય પરયપણે માત્ર જણાય છે. તો રાગ અને પરદ્રવ્ય જ્ઞાનમાં નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. અહા! ઉપાદાન અને નિમિત્તનું સ્વરૂપ તો જુઓ! બને તદ્દન સ્વતંત્ર છે. અગ્નિથી પાણી ઊનું થયું અને કુંભારે ઘડો કર્યો એમ માનનાર મૂઢ મિથ્યાષ્ટિ છે કેમકે તેઓ રાગ અને પરદ્રવ્યને પોતાનાથી એકપણે માને છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨૫ પ્રશ્ન:- તો શું ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે કે નહિ? ઉત્તર:- ભાઈ ! ગરમ પાણીમાં ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે એમ નથી. તે ચોખા પોતાથી પાકે છે. ચોખાની પાકેલી અવસ્થા પોતાથી થઈ છે, પાણીથી થઈ છે એ વાત ત્રણકાળમાં નથી. પાણી ભિન્ન છે, ચોખા ભિન્ન છે. પરદ્રવ્યની પર્યાય બીજું પરદ્રવ્ય કરી શકે જ નહિ આવો સિદ્ધાંત છે. જ્ઞાનીને રાગ આવે છે તે કાળે ભેદજ્ઞાન કરવું પડતું નથી. ભેદજ્ઞાન સહજ જ હોય છે. રાગ અને અજીવની ક્રિયા થાય તે કાળે સહજપણે ભેદજ્ઞાન હોય છે. રાગનું અને કર્મબંધનું જ્ઞાન પોતાથી સહજ થાય છે, કર્મ અને રાગ છે તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. મોહનીય કર્મની એક જડ પ્રકૃતિ છે. ચારિત્રમોહનીયની પર્યાયની અહીં વાત છે. જ્ઞાનીને દર્શનમોહનીયની પર્યાય હોતી નથી. નવું ચારિત્રમોહનીય કર્મ બંધાય તેમાં રાગ દ્વેષ નિમિત્ત છે. અજ્ઞાનીના રાગ-દ્વેષ નવા કર્મબંધનમાં નિમિત્ત કહેવાય છે. જ્ઞાનીને તો જે રાગ થાય અને જે ચારિત્રમોહનીય કર્મ બંધાય તેનું તે સમયે સ્વપરપ્રકાશક જ્ઞાન સહજ પોતાથી થાય છે. તેને તે રાગ અને કર્મબંધનની પર્યાય જ્ઞાનમાં નિમિત્ત થાય છે. ભાઈ ! તત્ત્વોની સ્થિતિ સ્વતંત્ર છે. રાગ કર્યો માટે કર્મને બંધાવું પડ્યું એમ નથી. કર્મ બંધાય એ તો અજીવ તત્ત્વ છે. અજીવની પર્યાય અજીવથી થાય છે. અને પરદ્રવ્ય પ્રત્યે સાવધાનીનો જે રાગ છે તે આસ્રવ છે. દોષ છે. તે દોષનો કર્તા થાય તે અજ્ઞાની છે. તેનો રાગ ચારિત્રમોહનીય કર્મ બંધાય તેનો નિમિત્તકર્તા છે. જ્ઞાની તો તે દોષ અને ચારિત્રમોહનીય બંધનની પર્યાયના જ્ઞાતા જ છે. તેના જ્ઞાનમાં તે દોષ અને જડકર્મની પર્યાય નિમિત્ત કહેવામાં આવે છે. આવી ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા છે. નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ આ પાંચ વિષયમાં વર્તમાનમાં ખૂબ વાંધા ઉઠયા છે. ક્રમબદ્ધ માનીએ તો પુરુષાર્થ ઉડી જાય” એમ કેટલાક માને છે પણ એમને વસ્તુના સ્વરૂપની ખબર નથી. અરે ભાઈ ! ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવામાં તો અનંત પુરુષાર્થ રહેલો છે. સંપ્રદાયમાં કેટલાક એવું માને છે કે “કેવળી ભગવાને જે દીઠું છે તેમ થશે; એમાં આપણે શું કરી શકીએ ?'' તેને પૂછીએ છીએ કે-ભગવાને જે દીઠું છે તેમ થશે એ તો બરાબર છે પણ કેવળી ભગવાન એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે છે એવી જ્ઞાનની પર્યાયની જગતમાં સત્તા છે એનો સ્વીકાર તને થયો છે? પોતાના શાયકસ્વભાવ પ્રતિ ઝુકયા સિવાય ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણનાર કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર થઈ શક્તો નથી. આવો સ્વીકાર કરવા જાય ત્યાં પાંચેય સમવાય સિદ્ધ થઈ જાય છે, અને તેમાં પુરુષાર્થ પણ આવી જાય છે. આત્મામાં અનંત ગુણો છે. તેમાં જ્ઞાનગુણની એક સમયની એક પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણો અને તેની ત્રણકાળની પર્યાયોને તથા લોકાલોકની દ્રવ્ય-ગુણસહિત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ત્રણ કાળની પર્યાયોને જાણે તેવું અચિંત્ય સામર્થ્ય છે. આવી પર્યાયની સત્તાનો સ્વીકાર અંતરંગમાં સર્વજ્ઞસ્વભાવ જે પડ્યો છે તેનું લક્ષ કર્યા વિના થઈ શકતો નથી અને આવી પર્યાયની સત્તાના સ્વીકાર વિના ભગવાને જે દીઠું તેમ થશે એમ કેવી રીતે યથાર્થ કહી શકાય? પ્રવચનસાર ગાથામાં પણ એમ કહ્યું છે કે જે અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ ક્ષય પામે છે. અરિહંત પરમાત્માની કેવળજ્ઞાનની પર્યાયનું અદ્ભુત અચિંત્ય સામર્થ્ય છે તે એક સમયની પર્યાયમાં ત્રિકાળવર્તી અનંતા સિદ્ધો સહિત આખા લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે. ભગવાનને સર્વજ્ઞસ્વભાવમાં જે સામર્થ્ય છે તે પર્યાયમાં પ્રગટ થયું છે. અરે ભાઈ! જે એક મયની પર્યાયની આવી તાકાત છે એવી અનંત અનંત પર્યાયનો પિંડ એક જ્ઞાનગુણ છે. અને આવો જ્ઞાનગુણ જે દ્રવ્યમાં છે એ ભગવાન સર્વજ્ઞસ્વભાવી આત્માની દૃષ્ટિ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ત્યારે સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થતાં સર્વજ્ઞની પ્રતીતિ થાય છે અને એનું જ નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ કોઈ બીજી ચીજ નથી. અહીં કહે છે-જ્ઞાનીને રાગ અને કર્મથી ભિન્ન પોતાના આત્માનું જ્ઞાન છે. તે જ્ઞાનમાં રતિ-અરતિ આદિ પરિણામ અને ચારિત્રમોહનીયકર્મની પર્યાય નિમિત્ત છે. જ્ઞાની તેને જાણે છે, કરતા નથી. આત્મામાં ચારિત્રગુણ છે. આવા અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેમાં લીનતારમણતા કરવી તે ચારિત્ર છે. આવા ચારિત્રવત જ્ઞાની જે રતિના પરિણામ થાય તેને જાણે જ છે, તેના કર્તા નથી. જ્ઞાનમાં તે રતિના પરિણામ નિમિત્તમાત્ર છે. અહાહા..! આચાર્યદવે ગજબ વાત કરી છે! ઉપાદાન અને નિમિત્તની સ્વતંત્રતાની કેવી બલિહારી છે! બનારસીવિલાસમાં આવે છે કે ઉપાદાન બલ જહાં તહાં, નહિ નિમિત્તકો દાવ.' પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ દાવ નથી. (મતલબ કે નિમિત્ત કાંઈ કરતું નથી). આયુષ્ય નામનું જડ કર્મ છે. તે પરમાણુની પર્યાય છે. આયુષ્યનો બંધ થવામાં જે ભાવ નિમિત્ત થાય તે ભાવનો કર્તા થનાર અજ્ઞાની છે. તેનો તે ભાવ આયુકર્મના બંધની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાનીને આયુકર્મ અને જે ભાવથી આયુકર્મ બંધાય તે ભાવ-એ બન્નેથી હું ભિન્ન છું એવું જ્ઞાન થાય છે અને તે જ્ઞાનમાં આયુકર્મ અને તે ભાવ નિમિત્ત કહેવાય છે. સમકિતીને દેવ અને મનુષ્ય-એ બે ગતિના આયુનો બંધ પડે છે, તિર્યંચ અને નરકગતિના આયુષ્યનો બંધ પડતો નથી. મનુષ્ય સમકિતીને દેવનું આયુષ્ય બંધાય છે અને દેવમાં હોય તેને મનુષ્યનું આયુષ્ય બંધાય છે. આ આયુષ્યકર્મ પરમાણુની પર્યાય છે. તે સમયે જે વિકારનો પરિણામ થાય તે પરિણામનો જ્ઞાની જ્ઞાતા જ છે. તે સમયે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨૭ જ્ઞાનની જે સ્વપ૨પ્રકાશક પર્યાય પોતાથી પ્રગટી તેમાં આયુષ્ય કર્મ અને તેના નિમિત્તરૂપ ભાવને જ્ઞાની જાણે છે, તેનો કર્તા નથી. ભાઈ ! તારું સ્વરૂપ તો જ્ઞાન છે અને જ્ઞાન-સ્વભાવથી સ્વપરપ્રકાશક છે. માટે જ્ઞાન સ્વ અને ૫૨ને જેમ છે તેમ જાણે છે. જાણવા સિવાય તે બીજું શું કરે ? જેમ કાગળમાં લખે છે કે-થોડું લખ્યું ઘણું કરીને માનજો તેમ સંતો કહે છે કે-ભાઈ! આ થોડું લખ્યું ઘણું કરીને માનજો. (મતલબ કે તેનો વિસ્તાર યથાર્થ ભાવે સમજજો. ) તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર છે કે-‘ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્' આ દ્રવ્યનું લક્ષણ છે. ઉત્પાદ થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. દયા, દાન, વ્રત આદિના પરિણામ તે આસ્રવ છે. તે પરિણામ પોતાથી ઉત્પન્ન થાય છે; તેમાં જડ કર્મ નિમિત્ત છે પણ નિમિત્તથી તે પરિણામ ઉત્પન્ન થાય છે એમ નથી. જડકર્મ તે કર્તા અને આસ્રવ તેનું વ્યાપ્ય કર્મ એમ છે નહિ. અહીં આ ગાથાના એક બોલમાં નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર–એ પાંચેયના ખુલાસા આવી જાય છે. ૧. શાતાવેદનીય કર્મનો બંધ થયો ત્યાં તે પર્યાય તેના સ્વકાળે થઈ છે. તે કાળે જે શુભભાવ આવ્યો તે તેના સ્વકાળે ઉત્પન્ન થયો છે. આ પ્રમાણે ક્રમબદ્ધ સિદ્ધ થયું. ૨. જ્ઞાનીને તે રાગ અને કર્મબંધન જ્ઞાનમાં તે કાળે નિમિત્ત છે. આ નિમિત્ત સિદ્ધ થયું. ૩. તે કાળે સ્વપ૨પ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ છે, નિમિત્તથી નહિ. આ ઉપાદાન સિદ્ધ થયું. ૪. જે રાગ આવ્યો તે અશુચિ છે, જડ છે, દુઃખરૂપ છે, તે રાગને જ્ઞાન જાણે છે. આ વ્યવહાર સિદ્ધ થયો. ૫. અને તે વખતે જ્ઞાન સ્વને જાણે છે તે નિશ્ચય સિદ્ધ થયો. આ રીતે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ઉડી ગઈ. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાત પણ ઉડી ગઈ. પર્યાય ક્રમબદ્ઘ થાય છે માટે અક્રમે-આડું અવળું થાય એ વાત પણ ઉડી ગઈ. આમ પાંચે વાતનું આ ગાથામાં સ્પષ્ટીકરણ આવી જાય છે. અહાહા...! હું તો જ્ઞાયકમૂર્તિ ચૈતન્યજ્યોતિસ્વરૂપ પ્રભુ જ્ઞાનના પ્રકાશના નૂરનું પૂર છું. આવું સ્વરૂપના લક્ષે જ્ઞાન થતાં તે કાળે જે જાતના રાગપરિણામ થાય તેને તે કાળે ધર્મી જાણે છે. રાગસંબંધીનું જ્ઞાન અને સ્વસ્વરૂપનું જ્ઞાન જ્ઞાનમાં વ્યાપ્ત થઈને પ્રગટ થાય છે. જ્ઞાની તે જ્ઞાનનો કર્તા છે પણ રાગ અને તે કાળે થતા કર્મબંધનો કર્તા નથી. રાગ અને કર્મબંધની દશા તો પોતાથી ઉત્પન્ન થયેલા સ્વપ૨પ્રકાશક જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાઈ ! આ તો ભગવાનનાં લોજીક અને કાયદા છે. આ સમજ્યા વિના ધર્મ નહિ થાય. કેવળજ્ઞાનની એક સમયની પર્યાય લોકાલોકને જાણે છે અને પોતાના સ્વદ્રવ્યને જાણે છે. પરંતુ તે પર્યાય રૂદ્રવ્યમાં પ્રવેશ કરીને સ્વને જાણતી નથી તથા તે પર્યાય લોકાલોકને સ્પર્શ કરીને લોકાલોકને જાણતી નથી. આવી જ્ઞાનની એક પર્યાયની તાકાત છે. તેવી રીતે શ્રદ્ધા, ચારિત્ર ઇત્યાદિ અનતગુણની પયયની તાકાત છે. જ્ઞાનની ભવિષ્યની અનતી પયોય જ્ઞાનગુણમાં શક્તિરૂપે પડી છે. આવા અનંતગણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન અલૌકિક ચીજ છે ભાઈ ! આ સમકિતની પર્યાયમાં સ્વની અને પરની, સમસ્ત લોકાલોકની યથાર્થ પ્રતીતિ સમાઈ જાય છે. અહો! આ ૧૦૧ મી ગાથામાં જ્ઞાનાનંદનો દરિયો ઉછાળ્યો છે! અનંતગણનો પિંડ પ્રભુ આત્મા નિજ સ્વજ્ઞયનું જ્ઞાન કરી પ્રતીતિ કરે તે પ્રતીતિનો મહિમા અપરંપાર છે. આવી પ્રતીતિ થયા વિના જેટલાં પણ વ્રત, તપ આદિ કરે તે એકડા વિનાનાં મીડાં જેવાં છે. અરે ભાઈ ! અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી એ પ્રથમ કરવા યોગ્ય છે. સમકિત વિના ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત-તપને બાળવ્રત અને બાળતપ એટલે મૂર્ખાઈ ભરેલાં મિથ્યા વ્રત-તપ કહ્યાં છે. પ્રભુ! સાંભળતો ખરો નાથ! તારા ઘરની ચીજ શું છે તેની તને ખબર નથી. ભજનમાં શ્રી દોલતરામે કહ્યું છે કે હુમ તો કબડું ન નિજઘર આયે, પર ઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે...હુમ તો.' નિજાનંદસ્વરૂપ નિજઘરને છોડીને ભગવાન! તે રાગ, નિમિત્ત અને પુણ્યના ઘરમાં પ્રવેશ કર્યો છે. ત્યાંથી નિજઘરમાં આવવું તે ભવનો અંત કરવાનો નિગ્રંથનો માર્ગ છે. રાગની ગ્રંથિથી ભિન્ન પડીને પૂર્ણાનંદના નાથનો અનુભવ કરવો, તેની પ્રતીતિ-શ્રદ્ધા કરવી એનું નામ નિગ્રંથદશા છે. છઠ્ઠા ગુણસ્થાને જે નિગ્રંથદશા છે એ તો કોઈ અલૌકિક દશા છે, બાપુ! જેમ રૂનાં ધોકડાં હોય છે તેમાં રૂ બધે ઠાંસીઠાંસીને ભર્યું છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનનું ધોકડું, આનંદનું ધોકડું-જ્ઞાનાનંદસ્વરૂપ ગાંસડી છે. રાગથી ભિન્ન પડીને જેણે પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનું વેદન કર્યું તે સમકિતી ધર્મી છે. આવા ધર્મી જીવને હુજુ અપૂર્ણતા છે તો રાગ આવ્યા વિના રહેતો નથી. દયા, દાનનો શુભરાગ આવે છે અને કદીક અશુભરાગ પણ આવે છે. જે જાતના રાગાદિ અને વાસનાના પરિણામ થાય તે પ્રકારે આત્મા સ્વના અને રાગાદિના જ્ઞાનપણે સ્વત: પરિણમે છે. ધર્મીને જ્ઞાતાદખાના પરિણમનમાં જે રાગાદિનું જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાથી થાય છે. તે જ્ઞાનમાં રાગાદિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૧ ]. [ ૧૨૯ ભાવ અને કર્મબંધન નિમિત્ત કહેવામાં આવે છે. ધર્મી જીવ રાગનો કર્તા નથી. એ તો રાગના કાળે પણ પોતાના અને પરના જ્ઞાનપણે પરિણમતો એવો જ્ઞાનનો જ કર્તા છે. અરે ! જીવ નવમી રૈવેયક પણ અનંતવાર ગયો છે અને નરક-નિગોદના ભાવ પણ અનંત અનંત કર્યા છે. નિગોદમાં જે એક શ્વાસમાં અઢાર ભવ કર્યા છે તે મિથ્યા-દર્શનનું ફળ છે. રાગ અને અજીવ ભિન્ન ચીજ છે છતાં તે પોતાની ચીજ છે અને તેનાથી લાભ થાય એવું માને તે મિથ્યાદર્શન છે. તે મિથ્યાત્વના કારણે જીવે નરક-નિગોદના અનંતા ભવ કર્યા છે. ભાઈ ! જગતને વિશ્વાસ બેસે ન બેસે પણ ચીજ કાંઈ ફરી જાય એમ નથી. અહીં કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવ દયા, દાન આદિ વિકલ્પના કર્તા નથી, જ્ઞાતા જ છે. તેવા જીવને પૂર્ણ વીતરાગતા થઈ નથી તો આયુષ્યકર્મની પ્રકૃતિ બંધાય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યને સ્વર્ગના આયુનો બંધ થાય છે. ત્યાં આયુષ્યના પરમાણુ બંધાય તે પરમાણુના કારણે બંધાય છે. તે સમયે ધર્મીને જે રાગ આવે છે તે રાગ અને આયુકર્મનો બંધ તે જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત છે. ગોરસનું દૃષ્ટાંત આપીને આચાર્યદવે વસ્તુ સ્વરૂપ અત્યંત સ્પષ્ટ કરી દીધું છે. જ્ઞાનીને રાગ હોય તે કાળે આયુષ્યનો બંધ પડે છે. તે અજીવની પર્યાય અજીવથી થાય છે. ધર્મી જીવ રાગ અને આયુકર્મની પર્યાયના જ્ઞાતા જ છે, કર્તા નથી. જ્ઞાની તો સ્વપરપ્રકાશક પોતાના જ્ઞાનમાં વ્યાપીને સ્વપરને માત્ર જાણે જ છે. સમકિતી કે સાધુ જે આત્મજ્ઞાની ધર્માત્મા છે તે આ પંચકાળમાં સ્વર્ગમાં જ જાય છે. સ્વર્ગના આયુષ્યની જે પ્રકૃતિ બંધાય છે તે તો પરમાણુની યોગ્યતાથી બંધાય છે. તે કાળે જે રાગ આવ્યો તેને આયુના બંધમાં નિમિત્ત કહેવામાં આવે છે. ધર્મી જીવને જે આયુષ્ય બંધાય અને તે કાળે જે રાગ હોય તેનું જ્ઞાન હોય છે. જીવનો જ્ઞાનદર્શનસ્વભાવ છે. તે સ્વભાવની જેને દષ્ટિ થઈ છે તે ધર્મી જીવ રાગ અને કર્મબંધન થાય તેના જ્ઞાતાદષ્ટા છે. સ્વર્ગમાં સમકિતી હોય તેને મનુષ્યના આયુનો બંધ પડે છે. મિથ્યાષ્ટિ જીવ તો સ્વર્ગમાંથી નીકળી તિર્યંચગતિમાં પણ જાય છે, એકેન્દ્રિયમાં પણ જાય છે. જે જીવ રાગને અને પોતાને એક કરે છે તે મિથ્યાદષ્ટિ અજ્ઞાની એકેન્દ્રિયમાં લીલોતરીમાં પણ ચાલ્યો જાય છે. ખાણમાં પૃથ્વીમાં એક કણમાં અસંખ્ય જીવ છે. પાણીના એક બિંદુમાં અસંખ્યજીવ છે, લીમડાના એક પત્તામાં અસંખ્ય જીવ છે. લીમડાના પત્તામાં અસંખ્ય શરીર છે અને એક એક શરીરમાં એક એક જીવ છે. લસણની એક કટકીમાં અસંખ્ય શરીર છે અને પ્રત્યેક શરીરમાં અનંતાનંત જીવ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાઈ ! આત્માના ભાન વિના વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ કરે તો જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાં પણ આત્માનું ભાન નહિ હોવાથી આયુનો બંધ પડતાં કોઈ મનુષ્યમાં તો કોઈ પશુમાં જાય છે, તથા કોઈ એકેન્દ્રિયમાં પણ ચાલ્યા જાય છે. દોલતરામજીએ કહ્યું છે ને કે જો વિમાનવાસી હૂ થાય, સમ્યગ્દર્શન બિન દુઃખ પાય; તત ચય થાવર તન ધરે, યાં પરિવર્તન પર કરે.” અજ્ઞાની જડની ક્રિયા અને રાગનો કર્તા થાય છે. જ્ઞાની રાગનો અને કર્મબંધનની ક્રિયાનો કર્તા નથી, જ્ઞાતા જ છે. આઠમો નંદીશ્વરદીપ છે. તેમાં બાવન જિનાલયની રચના છે. પ્રત્યેક જિનાલયમાં ૧૦૮ રતનની પ્રતિમાઓ શોભાયમાન છે. ત્યાં અષ્ટાલ્ફિકા પર્વમાં ઇન્દ્ર અને ઇન્દ્રાણી દર્શન-પૂજા આદિ કરવા માટે જાય છે અને મહા મહોત્સવ ઉજવે છે. ખૂબ પ્રસન્નચિત્ત થઈને નાચે પણ છે. પણ સમકિતી છે ને? જે રાગ ભક્તિનો આવે તે રાગના અને નૃત્ય આદિ બાહ્ય ક્રિયાના તે કર્તા નથી, જ્ઞાતાદષ્ટા જ છે. અજ્ઞાની તો રાગનો કર્તા થાય છે અને બહારની શરીરની જે ક્રિયા થાય તે હું કરું છું એમ માનીને મિથ્યાત્વનું સેવન કરે છે. ખૂબ ગંભીર વાત છે ભાઈ ! શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. તીર્થકરગોત્ર બાંધ્યું છે. હમણાં પ્રથમ નરકમાં ગયેલા છે. અહીં હતા ત્યારે ભગવાનના સમોસરણમાં ગયા હતા. ત્યાં રાગ આવ્યો અને તીર્થંકરગોત્ર બંધાઈ ગયું. પરંતુ તેના તેઓ જ્ઞાતા છે, કર્તા નથી. ત્યાં નરકમાં છ માસનું આયુષ્ય બાકી રહેશે ત્યારે મનુષ્યગતિના આયુનો બંધ થશે. હમણાં પણ પ્રતિસમય તીર્થકરગોત્ર બંધાય છે. પરંતુ ધર્મી જીવ રાગ અને કર્મબંધની પર્યાયના જ્ઞાતા જ છે. આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. હમણાં વ્રત, તપ, ચારિત્ર નથી પણ સ્વાનુભવની દશા થયેલી છે. તેમને રાગની મંદતાના કાળમાં મનુષ્યના આયુનો બંધ પડશે. સમકિતીને અશુભભાવ પણ આવે છે. પરંતુ અશુભના કાળમાં તેને આયુનો બંધ પડતો નથી. સમ્યગ્દષ્ટિને શુભરાગના કાળમાં આયુષ્યનો બંધ પડે છે. આવી સમ્યગ્દર્શનની બલિહારી છે! બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે એના મહિમાની લોકોને ખબર નથી. અહો ! ભાવલિંગી મુનિવરોએ ગજબ કામ કર્યા છે. અંતમુહૂર્તમાં તેમને છઠું અને સાતમું ગુણસ્થાન આવે છે. છટ્ટે વિકલ્પ ઉઠે છે અને ક્ષણભરમાં વિકલ્પ તોડીને અપ્રમત્તદશામાં આવે છે. આવા ભાવલિંગી દિગંબર સંતોને જ્યારે છઠ્ઠા ગુણસ્થાને શુભભાવ આવે છે ત્યારે આગામી આયુનો બંધ પડે છે. ધર્મી જીવ તે શુભભાવ અને જે આયુકર્મ બંધાય તેને જાણે જ છે, કરતા નથી. સ્વને જાણતા પરનું-રાગનું જ્ઞાન પોતાથી થાય છે. જ્ઞાનની પર્યાય તો નિજ ઉપાદાનથી ઉત્પન્ન થાય છે. એમાં રાગ અને પર કર્મ નિમિત્ત કહેવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૧ ]. [ ૧૩૧ સમકિતી નારકી હોય કે દેવ હોય, તે મનુષ્યગતિમાં આવે છે. અને મિથ્યાદષ્ટિ નારકીનો જીવ હોય તે કોઈ મનુષ્યમાં આવે છે તો કોઈ તિર્યંચમાં જાય છે. અજ્ઞાનીને જે રાગ થયો અને કર્મબંધન થયું તે રાગનો તે કર્તા થાય છે. અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય માને છે. પણ ભાઈ ! વસ્તુ તો જ્ઞાનદર્શનસ્વરૂપ છે, તેનું રાગ કર્તવ્ય કેમ હોઈ શકે ? - મિથ્યાદૃષ્ટિ દેવ હોય તેમાં આઠમા સ્વર્ગ સુધીના કોઈ દેવને તિર્યંચગતિના આયુષ્યનો બંધ થાય છે. સમ્યગ્દર્શન વિના વ્રત-તપના પરિણામથી કોઈ મિથ્યાદષ્ટિ બીજા સ્વર્ગે ગયો હોય ત્યાંથી કોઈ એકેન્દ્રિયમાં જન્મે છે. અરે! સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનમાં કેટલો ફરક છે તેની લોકોને ખબર નથી. બાહ્ય ત્યાગનો મહિમા કરે પણ સમ્યગ્દર્શનના અચિંત્ય મહિમાની તેને ખબર નથી. અઢીદ્વીપ બહાર અસંખ્ય સમ્યગ્દષ્ટિ તિર્યંચ છે. આખરનો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેમાં હજાર જોજન એટલે ચાર હજાર ગાઉ લાંબા શરીરવાળા મચ્છ છે. તેમાં કોઈ પંચમગુણસ્થાનવર્તી છે. સ્વાનુભવની દશા પ્રાપ્ત થવાથી અંદર શાંતિ અને આનંદ અનુભવે છે. એવા અસંખ્ય તિર્યંચો છે, શ્રાવક-શ્રાવિકાઓ છે. અસંખ્ય મિથ્યાષ્ટિનું પ્રમાણ છે તોપણ સમકિતી અસંખ્ય છે. તેને શુભરાગના કાળમાં દેવગતિના આયુષ્યનો બંધ પડશે. મનુષ્યગતિનું આયુષ્ય તેને બંધાતું નથી. પરંતુ આયુષ્યબંધના કારણરૂપ જે રાગ છે તેના એ કર્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા છે. જે કર્મ બંધાય તેના પણ જ્ઞાતા જ છે, કર્તા નથી. કર્મની ૧૪૮ પ્રકૃતિ છે. ધર્મી કહે છે કે તે કર્મના ફળને હું ભોગવતો નથી. મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણાદિ આઠ છે. તેના ભેદ ૧૪૮ છે. તેનો જે ઉદયભાવ છે તેને ધર્મી કહે છે કે હું ભોગવતો નથી; હું તો માત્ર જ્ઞાતાદષ્ટા થઈને જ્ઞાનને ભોગવનારો છું. અહો ! આ સમયસાર ભારતનું અદ્વિતીય ચક્ષુ છે. સમયસાર બે છે-એક શબ્દ સમયસાર શાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને બીજો જ્ઞાનસમયસાર ભગવાન આત્મા ચિબ્રહ્મ. ત્રણલોકનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાનસમયસાર છે અને શબ્દસમયસાર તેને બતાવે છે, નિરૂપે છે. તથાપિ શબ્દસમયસારમાં જ્ઞાનસમયસાર નથી અને જ્ઞાનસમયસારમાં શબ્દ સમયસાર નથી. ભગવાનની ૐધ્વનિથી ૐસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આવું જેને ભાન થયું છે તે સમ્યગ્દષ્ટિ છે. ખૂબ સૂક્ષ્મ વાત ભાઈ ! અહીં કહે છે કે ભગવાનની 3ૐધ્વનિ સાંભળવાના રાગનો સમ્યગ્દષ્ટિ કર્તા નથી, માત્ર જ્ઞાતા જ છે. અહો ! આ તો અલૌકિક વાત છે! જ્ઞાની રાગ અને બંધનો જાણનાર છે, કરનાર નથી. હવે નામકર્મની પ્રકૃતિની વાત કરે છે. આઠ કર્મમાં એક નામકર્મ છે. તેની પ્રકૃતિના પેટાદ ૯૩ છે. સમકિતીને તીર્થંકરનામકર્મના બંધના કારણરૂપ ષોડશકારણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાવનાનો રાગ આવે છે. તે રાગ આસ્રવ અને દુઃખરૂપ છે. ભગવાન આત્મા આનંદઘન-સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તેનું જેને ભાન થયું છે એવા સમકિતીને કોઈને વડે તીર્થંકરનામકર્મ બંધાય તેવો રાગ આવે છે, અને તીર્થંકરનામકર્મનો તેને બંધ પડે છે. પરંતુ જ્ઞાની જીવ તે વિકલ્પ અને બંધ પ્રકૃતિના જ્ઞાતાદષ્ટાપણે જ પરિણમે છે; તેના એ કર્તા નથી. અજ્ઞાનીને તીર્થંકરનામકર્મના કારણરૂપ શુભભાવ આવતો જ નથી. નામકર્મની ૯૩ પ્રકૃતિ છે. તેમાં છેલ્લી તીર્થંકરનામકર્મની પ્રકૃતિ છે. જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ ધર્મ નથી. જે ભાવથી ધર્મ થાય તે ભાવથી બંધ નહિ અને જે ભાવથી બંધ થાય તે ભાવથી ધર્મ નહિ. હવે ગોત્રકર્મની પ્રકૃતિની વાત કરે છે. ગોત્રકર્મની પ્રકૃતિ બંધાય એ તો જડ પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું નહિ. ગોત્રકર્મના બે ભેદ છે-નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્ર, જે શુભ, અશુભ ભાવથી ઉચ્ચ, નીચ ગોત્ર બંધાય તે ભાવ વિકાર છે. એ શુભાશુભ ભાવનો અજ્ઞાની કર્તા થાય છે. તેથી ગોત્રકર્મની પર્યાયમાં અજ્ઞાનીના વિકારી ભાવને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની તો તે પ્રકૃતિ અને તે કાળના પરિણામના જ્ઞાતા છે, કર્તા નથી. ભગવાન આત્મા જ્ઞાનદર્શનનો પિંડ પ્રભુ છે. એમાંથી નીકળે તો જ્ઞાન, દર્શન અને આનંદની પર્યાય નીકળે છે. એમાંથી શું રાગની પર્યાય નીકળે? ના; ન નીકળે. પરંતુ નિમિત્તાધીન બનીને અજ્ઞાની રાગનો કર્તા થાય છે અને કર્તા થતો થકો તે મિથ્યાદષ્ટિ છે. વ્રતતપ ઇત્યાદિ વડે ચાહે તો સ્વર્ગ મળી જાય પણ આત્માના ભાન વિના તે મિથ્યાદષ્ટિ છે અને મિથ્યાદર્શન રહે ત્યાં સુધી તેને સંસારમાં ચારગતિના પરિભ્રમણનું દુ:ખ મટતું નથી. અંતરાયકર્મ નામનું એક જડકર્મ છે. એની દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય-એમ પાંચ પ્રકૃતિ છે. અંતરાયની પ્રકૃતિ બંધાય તેમાં રાગ નિમિત્ત છે. પરંતુ જ્ઞાની તો જે પ્રકૃતિ બંધાય તેના અને તે કાળે જે રાગ આવ્યો તેના જ્ઞાતા જ છે. આ પ્રમાણે કર્યસૂત્રનું વિભાગ પાડીને કથન કરવાથી સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં. ત્રણ કષાયોનો જેમને અભાવ છે એવા વીતરાગી મુનિરાજ ભગવાન તુલ્ય છે. અહાહા...! સાચા ભાલિંગી મુનિવરોને એક સેકન્ડની નિંદર હોય છે. એક સેકન્ડથી વધારે વખત નિદ્રાધીન રહે તો મુનિપણું રહેતું નથી. આવા જ્ઞાનીને પ૨ તરફ લક્ષ જતાં જરા રાગાદિ આવી જાય છે. પણ તેઓ તે રાગાદિ ભાવના કર્તા નથી, જ્ઞાતા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૧ ]. [ ૧૩૩ મુનિને છઠ્ઠી ગુણસ્થાને આર્તધ્યાનના પરિણામ પણ આવી જાય છે. પાંચમા ગુણસ્થાનવાળાને રૌદ્રધ્યાનના પરિણામ પણ થઈ જાય છે. પરંતુ ધર્મી જીવ તે સઘળા રાગાદિ પરિણામના જ્ઞાતાદષ્ટા છે, કર્તા નથી. જે કર્મ બંધાય તેના પણ જ્ઞાતા છે, કર્તા નથી. જ્ઞાનીને ક્રોધાદિ પરિણામ પણ થઈ જાય છે પણ તે પરિણામના તે જ્ઞાતા જ છે. “સ્વપર પ્રકાશક સકતિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી; જ્ઞય દશા દુવિધા પરગાસી, નિજરૂપા પરરૂપ ભાસી.'' જ્ઞાનીને ક્રોધ પરિણામ થાય તેના તે જ્ઞાતા જ છે, કર્તા નથી. સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! જેને આનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન ચિદાનંદ જાગી ગયો છે તેને ક્રોધ, માન, માયા લોભના પરિણામ નબળાઈથી થઈ જાય તોપણ તે એના જ્ઞાતાદ્રષ્ટા છે. ધર્મીને અંતરમાં જ્ઞાન-દર્શનની પ્રવાહધારા સતત ચાલુ જ હોય છે. અજ્ઞાનીને ક્રોધ, માન, માયા, લોભના પરિણામ થાય તેમાં તે તન્મય હોય છે. તેથી તે વિકારનો કર્તા થાય છે. અને જે જે કર્મબંધન થાય તેમાં તેના વિકારી ભાવ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. તેવી રીતે નોકર્મ, મન, વચન, કાય, પાંચ ઈન્દ્રિયોના જે જે પરિણામ થાય તેનો ધર્મી જ્ઞાતા જ રહે છે. જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે, રાગ અને જડના જે જે પરિણામ થાય તેનો તે કર્તા નથી. [ પ્રવચન . ૧૭૧ શેષ, ૧૭ર થી ૧૭૫ ચાલુ * દિનાંક ૩૧-૮-૭૬ થી ૪-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૨ अज्ञानी चापि परभावस्य न कर्ता स्यात् जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ।। १०२ ।। यं भावं शुभमशुभं करोत्यात्मा स तस्य खलु कर्ता । तत्तस्य भवति कर्म स तस्य तु वेदक आत्मा ।। १०२ ।। વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છે: જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેઠક બને. ૧૦૨. ગાથાર્થ:- [આત્મા] આત્મા [યં] જે [શુમમ્ અશુમન્] શુભ કે અશુભ [ભાવું] (પોતાના) ભાવને [રોતિ] કરે છે [તસ્ય ] તે ભાવનો [સ: ] તે [વતુ] ખરેખર [[] ર્ડા થાય છે, [તત્] તે (ભાવ) [તત્ત્વ ] તેનું [ર્મ] કર્મ [મવતિ] થાય છે [સ: આત્મા તુ] અને તે આત્મા [તત્ત્વ ] તેનો (તે ભાવરૂપ કર્મનો ) [ વેવ: ] ભોક્તા થાય છે. ટીકા:- પોતાનો અચલિત વિજ્ઞાનનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્દગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનધનરૂપ ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે; વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત્ ભોક્તા) થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય ) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી. ભાવાર્થ:- પુદ્દગલકર્મનો ઉદય થતાં, શાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; ૫૨ભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૦૨ : મથાળું વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છે – * ગાથા ૧૦૨ : ટીકા ઉપરનું પ્રવચન * પોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનઘનરૂપ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે.” આત્માનો અચલિત એટલે ચળે નહિ તેવો એક વિજ્ઞાનઘનરૂપ સ્વાદ છે. પરંતુ એનાથી અજાણ અજ્ઞાની તેમાં બે ભાગ પાડે છે. તેને શુભ-અશુભ જે પરિણામ થાય છે એ જ મારું સ્વરૂપ છે એમ માનીને તે શુભાશુભભાવરૂપ વિકારના સ્વાદને અનુભવે છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે પરિણામ છે તે મંદ છે અને અવ્રતના પરિણામ તીવ્ર છે. તે બંને પરિણામ પુદ્ગલનો વિપાક છે, આત્માનો સ્વભાવ નથી. અજ્ઞાનીને તે મંદ અને તીવ્ર રાગનો સ્વાદ આવે છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન પ્રભુ નિત્ય આનંદ-સ્વરૂપ છે. તેનો સ્વાદ ન લેતાં શુભરાગ જે મંદ પરિણામ છે તેનો અજ્ઞાની સ્વાદ લે છે. દાળ, ભાત, લાડુ, મૈસૂબ ઇત્યાદિનો સ્વાદ જીવને આવતો નથી. પૈસા-કરોડોનું ધન હોય તેનો પણ સ્વાદ આવતો નથી અને સ્ત્રીના શરીરનો પણ સ્વાદ આવતો નથી. એ તો બધાં જડ માટી-ધૂળ છે. પરંતુ પોતાના વિજ્ઞાનઘનસ્વરૂપ આત્માની દષ્ટિ નહિ હોવાથી બહારની સામગ્રીમાં અનુરાગ કરીને જે અશુભરાગ ઉત્પન્ન કરે છે તે અશુભરાગનો સ્વાદ જીવ લે છે અને તે મિથ્યાદર્શન છે. પાણીનું પુર ચાલ્યું જતું હોય અને વચ્ચે પૂલ આવી જાય તો પાણીના પુરના બે ભાગ પડી જાય છે. એમ ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પ્રવાહનું એકરૂપ પુર છે. તેમાં અજ્ઞાની પુદ્ગલકર્મના વિપાકરૂપ તીવ્ર અને મંદ રાગના સ્વાદવાળી બે દશાઓ વડે બે ભાગ પાડી રાગનો સ્વાદ લે છે. ધર્મીની દષ્ટિ તો આનંદઘન પ્રભુ આત્મા ઉપર હોય છે તેથી તે નિરાકુળ આનંદનો સ્વાદ લે છે અને એનું નામ ધર્મ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના એકરૂપ આનંદના સ્વાદને ભેદીને અજ્ઞાની શુભાશુભ રાગનો-વિકારનો સ્વાદ લે છે તે મિથ્યાદર્શન છે. દયા, દાન, વ્રત આદિ શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ-એ બન્ને ભાવ અજ્ઞાનભાવ છે કેમકે આત્માનો તે સ્વભાવ નથી. અજ્ઞાની જીવ ઘરબાર, કુટુંબ-પરિવાર, પૈસા, આબરૂ, ખાવું-પીવું ઇત્યાદિ અશુભભાવમાં ગુંચાઈ ગયો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તેમાંથી ખસીને કદીક સાધુ થાય તો શુભભાવમાં ગુંચાઈ જાય છે. શુભભાવની ક્રિયામાં તે ધર્મ માનવા લાગે છે. પહેલાં અશુભભાવને કર્તવ્ય સમજતો હતો, હવે શુભભાવને કર્તવ્ય સમજે છે. પરંતુ ભાઈ ! શુભ અને અશુભભાવ બને અજ્ઞાનરૂપ છે. શુભ અને અશુભભાવ બન્નેમાં જ્ઞાનનું-ચૈતન્યનું કિરણ નથી; બને ભાવ અચેતન છે. દયા, દાન, વ્રત આદિના શુભભાવ અચેતન છે કેમકે તે ચૈતન્યની જાતિના નથી. તે શુભરાગ ન પોતાને જાણે છે, ન નિકટવર્તી ભગવાન આત્માને જાણે છે; તેઓ તો ચૈતન્યદ્વારા જણાવા યોગ્ય છે; માટે તેઓ અચેતન છે, અજ્ઞાનરૂપ છે. આ વાત પહેલાં ગાથા ૭રમાં આવી ગઈ છે. અહીં કહે છે કે આત્મા પરનો કર્તા તો છે જ નહિ; પણ શુભ અને અશુભ-ભાવનો જે કર્તા થાય તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. શુભ અને અશુભભાવ બને પુદ્ગલકર્મના વિપાકના નિમિત્તે ઉત્પન્ન થતી દશાઓ છે. બન્નેનો સ્વાદ કલુષિત છે. શુભભાવનો સ્વાદ કલુષિત છે અને અશુભભાવનો સ્વાદ તીવ્ર કલુષિત છે. જેને વિજ્ઞાનઘનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને એના આનંદનો અનુભવ નથી તે પુણ્ય અને પાપના બે ભાગ પાડીને તીવ્ર અને મંદ વિકારનો સ્વાદ લે છે. લાખોના મકાનમાં રહીને જે ખુશી ઉપજે તે અશુભભાવ પાપ છે. તે અશુભભાવનો સ્વાદ મીઠો નથી, તીવ્ર કડવો છે. અને દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ થાય તેનો સ્વાદ પણ મીઠો નથી, કડવો છે. એક આત્માના એકરૂપ નિરાકુળ આનંદનો સ્વાદ જ મિષ્ટ અને ઇષ્ટ છે. અનંતકાળમાં જે પ્રાપ્ત થયો નથી તે આત્માના આનંદના અનુભવની આ વાત ચાલે છે. અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ સુખકંદ છે. જેમ સક્કરકંદની ઉપરની છાલ તે સક્કરકંદ નથી. છાલને કાઢી નાખો તો પાછળ મીઠાશનો જે પિંડ છે તે સકરકંદ છે. તેમ આ ભગવાન આત્માને શુભાશુભ ભાવ થાય તે ઉપરની છાલ છે, તે આત્મા નથી. શુભાશુભભાવથી ભિન્ન અંદર જે આનંદકંદ પ્રભુ વિરાજે છે તે આત્મા છે. શુભાશુભ ભાવનું લક્ષ છોડીને અંતર્દષ્ટ કરો તો આત્માનુભૂતિ પ્રગટ થાય છે. અને એ જ સમ્યગ્દર્શન છે, એ જ ધર્મ છે. શુભરાગમાં ધર્મ માને તે દૃષ્ટિ જ મિથ્યાત્વ છે. મિથ્યાષ્ટિ જીવ વિજ્ઞાનઘનસ્વભાવના સ્વાદને ભેદીને-છેદીને શુભાશુભભાવના સ્વાદનું વેદન કરે છે. પરંતુ તે ભાવ અજ્ઞાનરૂપ છે. ૨૮ મૂળગુણના પાલનનો જે શુભરાગ છે તે અજ્ઞાનરૂપ છે અને તેનો સ્વાદ ઝેર સમાન કલુષિત છે. ભાઈ ! આત્માના નિરાકુળ આનંદના સ્વાદને ભેદીને શુભભાવ ઉત્પન્ન થાય છે તો તેનો સ્વાદ આનંદરૂપ કમ હોય ? અજ્ઞાની તે ભાવનો કર્તા થાય છે. અરે ભાઈ ! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તે ભાવ અજ્ઞાનરૂપ છે અને એનો સ્વાદ કલુષિત છે. તે કાંઈ આત્માની ચીજ નથી. ભલભલાનાં પાણી ઉતરી જાય એવી આ વાત છે. નાટક સમયસારમાં આવે છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૨ ] [ ૧૩૭ “કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનન હારા; જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.'' અજ્ઞાની પોતાના નિત્યાનંદ સુખકંદ પ્રભુ આત્માના આનંદનો સ્વાદ તોડીને શુભભાવનો કર્તા થાય છે. જ્ઞાતા રહેતો નથી. જ્યારે ધર્મી સમકિતીને આનંદકંદ પ્રભુ આત્મા ઉપર નજર છે. તે પોતાના આનંદના સ્વાદને તોડતો નથી. જ્ઞાનીને તો એકરૂપ આનંદનો સ્વાદ આવે છે. ભગવાન ! એકવાર સાંભળ, નાથ ! તારી ચીજ અંદર શુભા-શુભભાવથી ભિન્ન અમૃતસ્વરૂપ છે. વ્રત અને અવ્રતના બન્ને ભાવથી ભગવાન આત્મા ભિન્ન વસ્તુ છે. આવી જ્ઞાનાનંદસ્વરૂપ પોતાની વસ્તુનું જેને ભાન થયું છે તે ધર્મીને રાગ આવે છે પણ તે રાગનો જ્ઞાતા રહે છે, કર્તા થતો નથી. અજ્ઞાની શુભાશુભ રાગનો કર્તા થાય છે. આ ગાથા બે હજાર વર્ષ પૂર્વે રચાઈ છે. તેની ટીકા (આત્મખ્યાતિ) હજાર વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્યદવે રચી છે. જેમ ગાયના આઉમાં દૂધ ભર્યું હોય તે બળુકી બાઈ દોહીને બહાર કાઢે તેમ ગાથામાં જે ભાવ ભર્યા છે તે ભાવને આચાર્યદવે ટીકામાં એકદમ ખુલ્લા કરી દીધા છે. કહે છે-અજ્ઞાની શુભભાવરૂપ કષાયનો સ્વાદ લે છે અને તે ભાવનો તે કર્તા થાય છે. શુભભાવ છે તે કષાય છે અને તેનો સ્વાદ કલુષિત છે. છહુઢાળામાં આવે છે કે “રાગ-આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ.'' ચાહે શુભરાગ હો તોપણ તે આગ છે, સ્વભાવને દઝાડનારી આગ છે. માટે રાગથી ભિન્ન ભગવાન આત્માની દષ્ટિ કરીને સમામૃતરૂપ ધર્મનું સેવન કર. ૭રમી ગાથામાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. એ ભગવાન આત્માના એકરૂપ આનંદના સ્વાદને તોડીને અજ્ઞાની શુભ કે અશુભભાવનો, મંદ કે તીવ્ર રાગનો સ્વાદ લે છે તે ધર્મ નથી, અધર્મ છે. ભગવાન આત્મા તો શુદ્ધોપયોગ વડે પ્રાપ્ત થાય તેમ છે અને તે શુદ્ધોપયોગ જ ધર્મ છે. અજ્ઞાનીને આત્માની ખબર નહિ હોવાથી તે આત્માના સ્વાદને ભેદતો અજ્ઞાનરૂપ જે શુભાશુભભાવ તેને કરે છે. તે વખતે તે આત્મા તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે. અજ્ઞાની શુભાશુભ રાગ મારો છે એમ માની તે ભાવનો તન્મયપણે કર્તા થાય છે. અજ્ઞાની શુભાશુભ રાગમાં એકાકાર થઈ ગયો હોય છે. મુનિવરોએ દાંડી પીટીને સત્ય વાત જગત પાસે જાહેર કરી છે. દુનિયા માનશે કે નહિ માને એની લેશ પણ દરકાર રાખી નથી. કહે છે-પોતાના શુદ્ધ જ્ઞાયકભાવને ભૂલીને અજ્ઞાની શુભ અને અશુભભાવમાં તન્મય-એકાકાર થાય છે અને એ રીતે તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાવનો તે કર્તા થાય છે. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે. જ્ઞાની તો શુભ ભાવના પણ કર્તા નથી તો પછી જડના કર્તાની તો વાત જ કયાં રહી ? અજ્ઞાની કર્તા થઈને જ્યાં ત્યાં આ ‘મેં કર્યું, મેં કર્યું’ એમ પરનું કર્તૃત્વ માને છે તેને અહીં કહે છે કે-ભાઈ! ૫૨નું તો આત્મા કાંઈ કરી શક્તો નથી પણ શુભાશુભ રાગનો જે તું કર્તા થાય છે તે તારું અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. મિથ્યાદષ્ટિ જીવ જ શુભાશુભ રાગનો કર્તા થાય છે. હવે કહે છે– વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવના૨ (અર્થાત્ ભોક્તા) થાય છે. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી. શુભ-અશુભભાવનો અજ્ઞાની ભોક્તા છે. વિકારી ભાવનો ભાવક હોવાથી તે ભાવનો અજ્ઞાની ભોક્તા છે. આત્મા શરીરનો ભોક્તા નથી. શરીર તો જડ માટી છે. તેને કેમ ભોગવે? અજ્ઞાની શરીરને ભોગવતો નથી પણ શરીરની ક્રિયાના કાળમાં જે અશુભભાવ થાય છે તેમાં તન્મય થઈને તે ભાવનો તે જીવ ભોક્તા થાય છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ હોય છે. તેના લક્ષે વિષયવાસનાનો જે રાગ થાય તેનો શાની કર્તા નથી, જ્ઞાતા જ છે. ધર્મીના જ્ઞાનમાં તે જડની ક્રિયા અને રાગ નિમિત્ત છે ધર્મીનો આત્મા જડની ક્રિયા અને તે વખતના રાગને નિમિત્ત નથી પણ ધર્મીના જ્ઞાનમાં તે નિમિત્ત છે. જ્ઞાનીએ તો ગુલાંટ ખાધી છે, પલટો ખાધો છે. જ્યાં સુધી પર્યાયબુદ્ધિ હતી ત્યાં સુધી રાગનો કર્તા અને રાગનો ભોક્તા હતો. ૫૨નો તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ કર્તા-ભોક્તા નથી. પણ જ્યાં પર્યાયબુદ્ધિ છૂટી અને શાયકનું ભાન થયું ત્યારથી તે જ્ઞાનનો કર્તા અને ભોક્તા છે, અને જે રાગ અને જડની ક્રિયા થાય તે તેના જ્ઞાનનાં નિમિત્તમાત્ર છે. હવે તે આનંદનો કર્તા અને ભોક્તા છે; રાગનો કર્તા નહિ, રાગનો ભોક્તા પણ નહિ. ભરત ચક્રવર્તી છ ખંડના સ્વામી હતા. સમકિતી જ્ઞાની હતા. એક સોનીને સંદેહ થયો કે ૯૬૦૦૦ રાણીઓ અને આવો વૈભવનો ઢગલો હોવા છતાં ભરત મહારાજ જ્ઞાની કહેવાય છે તે કેમ સંભવે ? ભરત મહારાજને ખબર પડતાં સોનીને બોલાવ્યો અને કહ્યું-આ તેલનો ભરેલો કટોરો હાથમાં રાખીને આ અયોધ્યા નગરીની શોભા જોવા માટે જાઓ. નગરીની શોભા જોતાં તેલનું એક ટીપુ પણ ન ઢોળાય તે ધ્યાન રાખો. જો એક ટીપુ પણ ઢોળાવા પામશે તો તલવારથી શિરચ્છેદ કરવામાં આવશે. સોની તો આખીય નગરી ફરીને પાછો આવ્યો. ત્યારે ભરતજીએ પૂછ્યુ-બોલો મહારાજ! નગરીની શોભા કેવી? તમે શું શું જોયું? ત્યારે સોનીએ કહ્યું-મહારાજ! મારું લક્ષ તો આ કટોરા ૫૨ હતું; નગરીની શોભાની તો મને કાંઈ જ ખબર નથી. તો ભરત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૨ ] [ ૧૩૯ મહારાજે કહ્યું-ભાઈ! એ જ પ્રમાણે અમારું લક્ષ આત્મામાં ચોંટેલું છે; આ બહારના વૈભવ શું છે એ અમને ખબર નથી. અમારું લક્ષ આત્માના વૈભવ ૫૨ છે, બહારના વૈભવ ૫૨ નથી. અજ્ઞાની શુભ-અશુભ ભાવનો કર્તા અને ભોક્તા છે, પણ પ૨નો કર્તા કે ભોક્તા નથી. જ્ઞાની તો રાગનો પણ કર્તા-ભોક્તા નથી, જ્ઞાતા-દષ્ટા જ છે, ત્યાં પરના કર્તા-ભોક્તાની તો વાત જ કેવી ? આ ધન-સંપત્તિ, બાગ, બંગલા, મોટર, રોટલી, દાળ ભાત, દ્રાક્ષ, મોસંબી, હલવો ઇત્યાદિ બધું આત્મા ભોગવતો નથી. પરંતુ અજ્ઞાનીને તે કાળે જે અશુભ રાગ થાય છે તેનો તે ભોક્તા છે. જ્ઞાનીને તો સ્વભાવની દષ્ટિ હોવાથી તે કાળે થતો જે રાગ અને પરની ક્રિયા તે તેના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. પુણ્ય-પાપના ભાવ થાય તે ભાવ્ય એટલે ભોગવવા યોગ્ય છે, અને અજ્ઞાની તેનો ભાવક એટલે ભોગવનાર છે. પરંતુ પરવસ્તુ દાળ, ભાત આદિ તે આત્માનાં ભાવ્ય નથી. આત્મા તેનો ભોક્તા નથી. અહાહા...! પુણ્યપાપના ભાવ છે તે અજ્ઞાનીનું ભાવ્ય છે. અને અજ્ઞાની તેનો ભાવક-ભોક્તા છે; પરંતુ પ૨વસ્તુનો અજ્ઞાની કર્તા-ભોક્તા નથી. જ્ઞાનીને પૂજા-ભક્તિ ઇત્યાદિ શુભભાવ આવે છે, પણ તેના તેઓ જ્ઞાતા જ છે, કર્તાભોક્તા નથી. અહાહા..! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેને દૃષ્ટિ થઈ છે તે જ્ઞાની તો જ્ઞાનાનંદસ્વરૂપના કર્તા અને જ્ઞાનાનંદના જ ભોક્તા છે. પરંતુ શુદ્ધ આત્મ-સ્વરૂપનું જેને ભાન નથી તે અજ્ઞાની રાગનો કર્તા અને ભોક્તા થાય છે. પ૨નો તો અજ્ઞાની પણ કર્તા-ભોક્તા નથી. * ગાથા ૧૦૨ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘પુદ્દગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.’ ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ ચિદાનંદકંદ છે. તેની જેને અંતર્દષ્ટિ થઈ છે તે જ્ઞાની કર્મનો ઉદય થતાં તેને જાણે જ છે. આ શુભાશુભભાવ થાય છે તે કર્મનો પાક છે, તે ધર્મ નથી, સ્વભાવની ચીજ નથી એમ જ્ઞાની તેને પોતાથી ભિન્ન જાણે છે. સમકિતી ભલે ગૃહસ્થાશ્રમમાં હોય, તેને શુભાશુભ ભાવ જે થાય છે તેને તે પુદ્દગલ-કર્મના ફળપણે પોતાનાથી ભિન્ન જાણે છે. અહાહા...! હું તો રાગથી ભિન્ન, કર્મથી ભિન્ન ચિદાનંદઘન પ્રભુ આત્મા છું એવું જેને ભાન થયું છે તે ધર્મો જીવ જે શુભાશુભ ભાવ થાય તેને જાણે જ છે, તે પોતાનું કર્તવ્ય છે એમ કદીય માનતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦ ] ચિન રત્નાકર ભાગ-૫ પંચમહાવ્રતના પરિણામ તે કર્મના વિપાકનું ફળ છે; તે આત્મા નથી. જ્ઞાની તે શુભરાગને જાણે જ છે. પોતાના જ્ઞાનસ્વરૂપમાં રહીને જ્ઞાની તેને જાણે છે. જ્ઞાની તો જ્ઞાનના કર્તા છે, આનંદના કર્તા છે. અહાહા..! પોતાનું સ્વરૂપ તો શુદ્ધ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે એમ જેને અનુભવ થયો છે તે ધર્મી જીવ પોતાની જ્ઞાન અને આનંદની પર્યાયના કર્તા છે, પણ મહાવ્રતાદિના રાગના કર્તા નથી. રાગનો કોણ કર્તા થાય ? રાગનો કર્તા થાય એ તો અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ છે. આવી વાત છે. જેને પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન નથી તે કર્મના ઉદયના નિમિત્તે જે અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવો થાય તેનો કર્તા થાય છે. વ્રત-અવ્રતના પરિણામ મારી ચીજ છે એમ અજ્ઞાની માને છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ કર્મના ઉદયે થતા ભાવ છે. અજ્ઞાની તે મારું કર્તવ્ય છે એમ માની તેનો કર્તા થાય છે. બહારના ક્રિયાકાંડમાં જે ધર્મ માને છે તેનું શ્રદ્ધાન મિથ્યા છે. તે અજ્ઞાની પાખંડી છે, જ્ઞાની તો રાગાદિ જે થાય તેના જ્ઞાતાપણે જ પરિણમે છે, તેનો કર્તા થતો નથી. પરભાવનો-પરદ્રવ્યના પરિણામનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. [ પ્રવચન નં. ૧૭૫ શેષ, ૧૭૬ ચાલુ * દિનાંક ૪-૯-૭૬ થી ૫-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૩ न च परभावः केनापि कर्तुं पार्येत जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दव्वे। सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं ।। १०३ ।। यो यस्मिन् गुणे द्रव्ये सोऽन्यस्मिस्तु न संक्रामति द्रव्ये। सोऽन्यदसंक्रान्तः कथं तत्परिणामयति द्रव्यम्।। १०३ ।। પરભાવને કોઈ ( દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છે: જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણાવે દ્રવ્યને? ૧૦૩. ગાથાર્થઃ- [: ] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) [ યરિશ્મન દ્રવ્ય] જે દ્રવ્યમાં અને [ TM ] ગુણમાં વર્તે છે [૩] તે [ અન્યરિમન તુ] અન્ય [દ્રવ્ય] દ્રવ્યમાં તથા ગુણમાં [ન સમિતિ] સંક્રમણ પામતી નથી (અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી); [ ન્યત સંબ્રાન્ત:] અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [ સ: ] તે (વસ્તુ), [ તત્ દ્રવ્યમ] અન્ય વસ્તુને [ É ] કેમ [ પરિણામતિ] પરિણમાવી શકે ? ટીકાઃ- જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશકય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે ? (કદી ન પરિણમાવી શકે.) માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ. ભાવાર્થ:- જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા સમયસાર ગાથા ૧૦૩: મથાળું પરભાવને કોઈ (દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ * ગાથા ૧૦૩ : ટીકા ઉ૫૨નું પ્રવચન * ‘જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજરસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશકય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંત૨રૂપે સંક્રમણ પામતી નથી.' બહુ સરસ ગાથા છે. જેમ જગતકર્તા ઈશ્વર છે એમ માનનાર મિથ્યાદષ્ટિ છે તેમ જૈન સંપ્રદાયમાં રહીને કોઈ એમ માને કેહું શરીરને હલાવી શકું છું, ભાષા બોલી શકું છું, ૫૨ જીવની દયા પાળી શકું છું તો તે જીવ પણ મિથ્યાદષ્ટિ છે. ભાઈ ! પંચમહાવ્રતના જે પરિણામ છે તે શુભભાવ છે, આસ્રવ છે, જડ અચેતન છે, ઝેર છે. મોક્ષ અધિકારમાં શુભભાવને વિષકુંભ કહ્યો છે. તારી ચીજ તો અમૃતનો સાગર પ્રભુ અનાકુળ આનંદનો રસકંદ છે. અને શુભભાવ તો એનાથી વિપરીત ઝેર છે. આવા શુભભાવનો-ઝેરનો કર્તા થાય તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. અરે ! સમ્યગ્દર્શન શું ચીજ છે તેની લોકોને ખબર નથી ! અહીં કહે છે કે-જગતમાં જે કોઈ ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ જેટલી વસ્તુ છે તે બધી પોતાના દ્રવ્યમાં, ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે. આત્મા પોતાની પર્યાયમાં વર્તે છે અને જડ પોતાની (જડની) પર્યાયમાં વર્તે છે. આ શરીર હાલેચાલે તે શરીરની પર્યાય છે. શરીરના પરમાણુઓ શરીરની પર્યાયમાં વર્તે છે. આત્મા તેને હલાવે છે વા હલાવી શકે છે એ વાત તદ્દન ખોટી છે. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અત્યારે માર્ગ લોપ થઈ ગયો છે. લોકોએ બહારથી ઘણું-બધું વિપરીત માની લીધું છે. અહીં કહે છે કે ચૈતન્યસ્વરૂપ આત્મા નિજ રસથી જ નિજ દ્રવ્યમાં, નિજ ગુણમાં એટલે નિજ પર્યાયમાં અનાદિથી જ વર્તે છે. ચાહે નિર્મળ પર્યાય હો કે વિકારી પર્યાય હો, આત્મા નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તી રહ્યો છે. આ મહા સિદ્ધાંત છે. જગતમાં સંખ્યાએ જેટલી વસ્તુ છે-ચેતન કે અચેતન-તે પ્રત્યેક વસ્તુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં અનાદિથી જ વર્તી રહી છે. પ્રત્યેક આત્મા અને પ્રત્યેક ૫૨માણુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં અનાદિથી વર્તી રહ્યા છે. મતલબ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયને કરતું નથી અને કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયમાં વર્તતું નથી. તેથી આત્મા શરીરની ક્રિયા કરી શકે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. આ પૈસા –ધૂળ જડ અજીવ તત્ત્વ છે. તે પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં વર્તે છે. તેનું આવવું –જવું તે પોતાની જડની ક્રિયા છે. છતાં હું (આત્મા ) પૈસા કમાઈ શકું અને પૈસા યથેચ્છ ખર્ચી શકું એમ જે માને તે એનાં મિથ્યા ભ્રમ અને અજ્ઞાન છે. આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૩ ] [ ૧૪૩ (જ્ઞાની કે અજ્ઞાની ) ૫૨નું કાંઈ કરી શકતો નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે અને ભગવાને એમ જ જાણ્યું અને કહ્યું છે. અજ્ઞાનીને ખબર નથી તેથી કાંઈ વસ્તુસ્વરૂપ બીજી રીતે થઈ જાય એમ-નથી. હું દેશની સેવા કરું છું, બીજા જીવોની દયા પાળું છું, બીજાઓને ઉપદેશ દઉં છું ઇત્યાદિ પદ્રવ્યની ક્રિયા હું કરું છું એવો અજ્ઞાનીને ભ્રમ છે. અરે ભાઈ! ઉપદેશની ભાષા તો જડ છે. ભાષાના ૫૨માણુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં વર્તે છે. તેને આત્મા કેમ કરી શકે? ન કરી શકે. આ દાળ, ભાત, રોટલી, શાક ઇત્યાદિ જે પદ્રવ્યની ક્રિયા થાય તે આત્મા કરતો નથી. આ રોટલીના ટુકડા આંગળીથી થાય છે એમ કોઈ કહે તો એ બરાબર નથી. આંગળી પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તે છે અને રોટલીના ટુકડા થાય તે રજકણો પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તે છે. રોટલીના ટુકડા થાય તેને આત્મા તો કરતો નથી, તે આંગળીથી પણ થતા નથી. એક તત્ત્વનું બીજા તત્ત્વનું કાંઈ કરી શકે નહિ એ વીતરાગ-માર્ગનું કોઈ અજબ રહસ્ય છે. પ્રશ્ન:- પરસ્પરોપગ્રહો નીવાનામ્—એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે ને ? ઉત્તર:- હા કહ્યું છે; પણ એનો અર્થ શું? ઉપગ્રહ-ઉપકારનો અર્થ ત્યાં નિમિત્ત-માત્ર એમ થાય છે. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી થાય છે તેમાં જે બાહ્ય ચીજ નિમિત્ત હોય તેને ઉપગ્રહ કહેવામાં આવે છે. ૫૨નો ઉપકાર (૫૨નું કાર્ય) જીવ કરી શકે છે એમ ત્યાં અર્થ નથી. સર્વાર્થસિદ્ધિ ટીકાની વનિકામાં ઉપગ્રહનો અર્થ પંડિત શ્રી જયચંદજીએ નિમિત્ત કર્યો છે. ઉપગ્રહ શબ્દથી નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. જીવ પરનો ઉપકાર (કાર્ય) કરે છે એમ કદીય નથી. પ્રત્યેક પદાર્થ-જડ કે ચેતન પોતાના દ્રવ્ય એટલે વસ્તુમાં અને પોતાની વર્તમાન પર્યાયમાં વર્તે છે. તેની પર્યાય કોઈ બીજું દ્રવ્ય કરે કે બીજું દ્રવ્ય વર્તાવે એમ ત્રણકાળમાં બનતું નથી. ભાઈ ! નવ તત્ત્વની ભિન્નતા જેમ છે તેમ ભાસે નહિ તેને સમકિતી કેવી રીતે પ્રગટ થાય? ન જ થાય. જગતમાં અનંત આત્માઓ છે અને અનંતાનંત ૫૨માણુ-રજકણો છે. પ્રત્યેક રજકણ પોતાથી રહ્યું છે, ૫૨થી નહિ. પ્રત્યેક પરમાણુમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ-એવી છ શક્તિઓ છે. તેથી તે દરેક પરમાણુ પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તે છે. ૫૨ની પર્યાયને પોતે વર્તાવે વા પોતાની પર્યાયને ૫૨ વર્તાવે એમ બનવું ત્રણકાળમાં સંભવિત નથી. જુઓ, આ આગમમંદિરમાં આરસ ઉપર પોણાચાર લાખ અક્ષરો કોતરેલા છે. તે અક્ષર કોતરવાનું મશીન ત્રીસ હજારના ખર્ચે ઇટાલિથી આવેલું છે. તે મશીનનો એક એક રજકણ પોતાની શક્તિથી નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તે છે; તે પરથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ વર્તે છે એમ નથી. તથા જે કોતરાયેલા અક્ષરો છે તેનો પ્રત્યેક રજકણ પણ પોતાની શક્તિથી નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તે છે. મશીનથી અક્ષરો વર્તે છે એમ નથી. અહાહા...! આત્માથી અક્ષરો વર્તે (કોતરાયેલા ) છે એમ નથી અને મશીનથી અક્ષરો વર્તે (કોતરાયેલા) છે એમ પણ નથી. ગજબ વાત છે! જગતમાં જે કોઈ જેટલી વસ્તુ છે તે બધી જ નિજ રસથી જ એટલે કે પોતાની શક્તિથી જ પોતાની વર્તમાન વર્તમાન વર્તતી પ્રત્યેક પર્યાયમાં વર્તી રહી છે. બહુ ઝીણી વાત છે, ભાઈ ! પ્રશ્ન- એક પરમાણુ બીજા પરમાણુના કાર્યમાં, એક પદાર્થ બીજા પદાર્થના કાર્યમાં પ્રભાવ તો પાડે છે ને ? ઉત્ત૨:- અરે ભગવાન! એ પ્રભાવ શું ચીજ છે? દ્રવ્ય, ગુણ કે પર્યાય? અહીં તો કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ જે માને તેને મૂળમાં જ ભૂલ છે. જેમ એક વત્તા બે બરાબર ત્રણ થાય એને બદલે કોઈ ચાર કર્યું અને પછી ચાર ચોક સોળ, સોળ દુ બત્રીસ એમ પલાખાં ગોઠવે પણ જે મૂળમાં જ ભૂલ છે તે ભૂલ તો બધે જ ચાલી આવે. તેમ હું પરનું કાર્ય કરી શકું છું એમ માનનારી મૂળમાં જ ભૂલ છે. તેથી હું વેપારધંધો કરું છું, કુટુંબનું ભરણપોષણ કરું છું, છોકરાને ભણાવું છું, પરની દયા પાળું છું ઇત્યાદિ પરનું કરું છું એમ ભૂલ ચાલી જ આવે છે. ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યમાં પ્રભાવ પાડે છે એ વાત છે જ નહિ. (કેમકે પ્રભાવ એ દ્રવ્ય, ગુણ કે પર્યાયથી કોઈ ભિન્ન ચીજ છે જ નહિ). અરે ભાઈ ! જડ અને ચેતન દરેક દ્રવ્ય પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં અનાદિથી નિજ રસથી જ વર્તી રહેલું છે. ખરેખર આ અચલિત વસ્તુસ્થિતિની મર્યાદા છે અને આ મર્યાદા તોડવી અશકય હોવાથી વસ્તુ તેમાં જ એટલે કે પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે; પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી. જુઓ આ સિદ્ધાંત! અચલિત વસ્તુસ્થિતિ જ એવી છે કે પરમાણુ પરમાણુની પર્યાયમાં વર્ત અને આત્મા આત્માની પર્યાયમાં વર્ત. આત્મા કર્મને બાંધે કે કર્મ આત્માને વિકાર કરાવે એવું વસ્તુસ્વરૂપ જ નથી. કર્મથી જીવને વિકાર થાય છે એ વાત સત્યાર્થ નથી કેમકે કર્મ જડ પરમાણુમાં વર્તે છે અને વિકાર આત્માની પર્યાયમાં વર્તે છે. વિકારી પર્યાયને જડ કર્મ વર્તાવે અને જડ કમની પ્રકૃતિ આત્મો બાધ એવુ ત્રણ-કાળમાં બનવા યોગ્ય નથી. કેટલાક આ વાત સાંભળીને ખળભળી ઉઠે છે પણ ભાઈ ! આ તો જૈનદર્શનનો મુળ સિદ્ધાંત છે. એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ત્રણકાળમાં કરી શકે નહિ એ જિનશાસનનો અવિચળ સિદ્ધાંત છે. માટે આત્માની પર્યાય બીજાથી થાય અને બીજાની પર્યાય આત્માથી થાય એ વાત બીલકુલ સત્ય નથી. ભગવાનની દિવ્યધ્વનિમાં જે આવ્યું છે તે શ્રી કુંદકુંદાચાર્યદવે પરમાગમમાં કહ્યું છે, અને એની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ટીકા કરી છે તેઓ કહે છે-પ્રભુ! તું એકવાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૩ ] [ ૧૪૫ સાંભળ. અચલિત વસ્તુસ્થિતિ જ એવી છે કે આત્મા અને પરમાણુ નિજ રસથી જ પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યાં છે. બીજો બીજાનું કરી દે એ વસ્તુસ્થિતિમાં જ નથી. આવી વસ્તુની મર્યાદા તોડવી અશકય છે. તથાપિ પોતાની પર્યાયને બીજો કરે અને બીજાની પર્યાયને પોતે કરે એમ જે માને તે અચલિત વસ્તુસ્થિતિને (અભિપ્રાયમાં) તોડી નાખે છે અને માટે તે મૂઢ મિથ્યાષ્ટિ સત્યની પ્રસિદ્ધિ કરનાર આ સન્શાસ્ત્ર છે. આ મસ્તકના પરમાણુ છે તે જીવના આધારે રહેલા નથી. તથા ઉપરના પરમાણુ છે તે નીચેના પરમાણુઓના આધારે રહેલા નથી. પ્રત્યેક પરમાણુમાં કર્તા, કર્મ આદિ પકારકરૂપ શક્તિઓ રહેલી છે અને તેથી પ્રત્યેક પરમાણુ પોતાના કારણે પોતાની પર્યાયમાં વર્તી રહ્યો છે, તેને કોઈ પરનો આધાર નથી. દેહમાંથી જીવ ચાલ્યો જતાં દેહ ઢળી જાય છે તે અવસ્થા દેહના કારણે છે, જીવના કારણે નહિ. જીવ છે તો દેહ આમ ટટાર રહે છે અને જીવ નીકળી જતાં દેહ ઢળી ગયો એવી માન્યતા યથાર્થ નથી. દેહની પ્રત્યેક અવસ્થામાં દેહના પરમાણુઓ વર્તી રહ્યા છે, એમાં જીવનું કાંઈ કાર્ય નથી. આત્માનાં ઘણાં વિશેષણો આપવામાં આવે છે, જેમકે-અનંતગુણના વૈભવની વિભૂતિ, પરમેશ્વર, પુરુષાર્થનો પિંડ, ગુણોનું ગોદામ, શક્તિનું સંગ્રહાલય, સ્વભાવનો સાગર, શાન્તિનું સરોવર, આનંદની મૂર્તિ, ચૈતન્યસૂર્ય, જ્ઞાનનો નિધિ, ધ્રુવધામ, તેજના નૂરનું પૂર, અતીન્દ્રિય મહાપ્રભુ, જ્ઞાનની જ્યોતિ, વિજ્ઞાનઘન, ચૈતન્ય ચમત્કાર ઇત્યાદિ. વળી ભૈયા ભગવતીદાસે અક્ષરબત્તીસી લખી છે તેમાં આત્માની વાત ક, ખ, ગ... ઇત્યાદિ કક્કાવારીમાં ઉતારી છે; જેમકે-કક્કો કેવળજ્ઞાનનો કંદ, ખખ્ખો ખબરદાર આત્મા, ગબ્બો જ્ઞાનનો ભંડાર.. . ઇત્યાદિ. અહીં કહે છે કે આવો આત્મા પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં સદાય વર્તે છે. આત્મા પદ્રવ્યમાં જતો નથી અને પારદ્રવ્ય આત્મામાં આવતાં નથી. પોતાની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ અને પરદ્રવ્યનું કાર્ય તે પરદ્રવ્યથી થાય છે, આત્માથી નહિ. આવી જ અચલિત વસ્તુસ્થિતિ છે. એક શ્રીમંત પાસે બે અજબ ચાલીસ કરોડની સંપત્તિ હતી. તેમના એક સગાએ એકવાર તેમને કહ્યું કે આટલી અઢળક લક્ષ્મી છે તો હવે તમારે કમાવાની શી જરૂર છે? આ બધી પ્રવૃત્તિની જંજાળ છોડી દો. ત્યારે એ શ્રીમંતે કહ્યું કે-આ ધંધા અમે અમારા માટે કરતા નથી, કેટલાય લોકોના પોષણ માટે કરીએ છીએ. જુઓ, આ વિચારની વિપરીતતા ! અરે ભાઈ ! પરનું તો કોઈ કાંઈ કરતું નથી. પરની મમતા કરી કરીને પોતાના રાગદ્વેષનું પોષણ કરે છે. પરના કામ હું કરું છું એવો તને મિથ્યા અહંકાર થઈ ગયો છે. અરે ભાઈ ! તારી પર્યાય તારાથી થાય અને પર જીવની પર્યાય તે તે પર જીવથી થાય. તું પર જીવની પર્યાયનો કર્તા નથી. પ્રભુ! કોણ કોની પર્યાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કરે ? તારી પર્યાયને કોઇ બીજો કરી દે અને બજાની પર્યાયને તું કરી દે એ ત્રણકાળમાં સંભવિત નથી. જુઓ, આ પાણી ઉનું થાય છે તે પાણીના પરમાણુથી પોતાથી થાય છે; અગ્નિથી નહિ. પ્રશ્ન:- પાણી અગ્નિથી ઉનું થતું દેખાય છે ને? ઉત્તર:- અરે ભાઈ ! તું સંયોગથી દેખે છે, પણ વસ્તુના (પરિણમનશીલ) સ્વભાવને જોતો નથી. સ્વભાવથી જોનાર જ્ઞાનીને તો પાણીની શીત અને ઉષ્ણ અવસ્થાઓમાં પાણીના પરમાણુઓ વર્તી રહેલા દેખાય છે, અગ્નિ નહિ. અગ્નિ પાણીમાં પડી જ નથી. અજબ વાત છે. ભાઈ ! દુધીના શાકના કટકા થાય તે છરીથી થતા નથી. દુધીના કટકા થવાનું કાર્ય દુધીના પરમાણુઓથી થાય છે અને છરીનું કાર્ય છરીના પરમાણુઓથી થાય છે. છરીનું કાર્ય જીવ કરે છે એમ નથી અને દુધીના કટકા થવાનું કાર્ય કરી કરે છે એમ પણ નથી. જીવ અને પરમાણુ પ્રત્યેક પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે એ જ વસ્તુસ્થિતિ છે. આ ચોખા પાકે છે તે ચોખાની પાકેલી અવસ્થા ચોખાના પરમાણુઓથી થઇ છે; પાણીથી ચોખા પાકયા છે એમ નથી. ચોખાના પરમાણુ પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે. ચોખાની પાકવાની પર્યાય પરથી થઈ છે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. લોકોને આ વાત ભારે અચરજ પમાડ તેવી છે પણ તે એમ જ છે. અજ્ઞાની માને છે કે હું પહાડને તોડી શકું, ગઢને પાડી શકું, ઇત્યાદિ; પણ એ બધો ભ્રમ છે. પરની પર્યાયને કોણ કરે ? પ્રશ્ન:- કેમ છેજનેરો કરે છે ને? ઉત્તર:- ઇજનેર પોતામાં રાગ કરે છે, પણ પરનું કાંઈ કરી શક્તો નથી. જડની ક્રિયા જડ પરમાણુઓથી થાય છે, તેને આત્મા કરતો નથી. આવું સ્વતંત્ર તત્ત્વ સમજ્યા વિના ધર્મ કેમ થાય? એક પરમાણુની પર્યાય બીજો પરમાણુ કરી શકે નહિ એવી અચલિત વસ્તુની મર્યાદા તોડવી અશકય છે. એક આત્મા જડ પરમાણમાં કાઈ કરી શકે એ અશકય છે. આ ન્યાયથી–લોજીકથી વાત છે. પરમાત્મા કહે છે કે જગતમાં અનંત આત્મા અને અનંતાનંત પુદ્ગલો છે. તે અનંતપણે કયારે રહી શકે ? પ્રત્યેક દ્રવ્ય પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તે તો અનંત દ્રવ્ય અનંતપણે રહી શકે. એકનું કાર્ય બીજું દ્રવ્ય કરે તો તેઓ એકમેક થઈ જાય અને અનંત દ્રવ્યનું અનંતપણું રહી શકે નહિ, અનંતપણે ખલાસ થઈ જાય. કોઈ દ્રવ્ય પરદ્રવ્યમાં વર્તે તો અનંત દ્રવ્યોનું અનંતપણું નાશ પામી જાય. ભાઈ ! આ વીતરાગી શાસનનું તત્ત્વ ન્યાયથી બરાબર સમજવું જોઈએ. અહીં અમૃતચંદ્રાચાર્ય મહારાજે બહુ ટૂંકમાં સિદ્ધાંત ગોઠવી દીધા છે. અહાહા....! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૩ ] [ ૧૪૭ આનંદમાં ઝૂલનારા સંતોને જરાક વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર શાસ્ત્રના કારણે રચાઈ ગયાં. તે વિકલ્પના જ્ઞાની કર્તા નથી. તે વિકલ્પ પોતાના અપરાધથી આવ્યો છે, પ૨ના કારણે નહિ. દરેક દ્રવ્ય એટલે વસ્તુ પોતાના ગુણ એટલે પોતાની પર્યાયમાં વર્તે છે. બીજાનું કાર્ય બીજાથી થાય એ વસ્તુસ્થિતિ જ નથી. બે કારણથી કાર્ય થાય એમ જે વાત આવે છે એ તો કાર્યકાળે જે બીજી ચીજ નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે વાત કરેલી છે. બાકી બે કારણથી કાર્ય નીપજે છે એમ નથી. કાર્યનાં વાસ્તવિક કારણ બે નથી, એક ઉપાદાન જ વાસ્તવિક કારણ છે. જગતમાં કોઈ પણ વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે. પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંત૨રૂપે સંક્રમણ પામતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશે કે એક પર્યાય બીજાની પર્યાયરૂપે થાય એમ દીય બનતું નથી. જીવની પર્યાયનું સંક્રમણ થઈને શરીરની અવસ્થારૂપે થાય એમ ત્રણકાળમાં બનતું નથી. પ્રત્યેક વસ્તુની વર્તમાન પર્યાય સંક્રમણ પામીને પ૨ની પર્યાયને કરે એવું કદીય બનતું નથી. ભાઈ! ૫૨ની દયા કોઈ પાળી શકતું નથી. આ તો પોતાની સ્વદયા પાળવાની વાત છે. સંતોએ સ્વતંત્રતાનો આ ઢંઢેરો પીટયો છે. છતાં જેને વાત બેસતી નથી તે દુર્ભાગી છે. શું થાય ? દરેક દ્રવ્ય સ્વતંત્ર છે ને ? એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં સંક્રમણ ન થાય; એક ગુણ એટલે પર્યાયનું અન્ય દ્રવ્યની પર્યાયપણે સંક્રમણ ન થાય. સમયસમયમાં પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતપોતાની પર્યાયના કર્તા છે પણ પરની પર્યાયના કર્તા નથી. ભગવાન ત્રણલોકના નાથ કહે છે કે એક દ્રવ્યની પર્યાય અન્યદ્રવ્યની પર્યાયને કરે એવું માને તે મૂર્ખ છે, અજ્ઞાની છે, મૂઢ છે, પાખંડી છે. બીજાનું કાર્ય કોઈ બીજો કેમ કરે? ન કરે. અહાહા...! જગતનાં અનંત દ્રવ્યો, એની દરેક શક્તિ અને એની દરેક પર્યાય સ્વતંત્ર છે. એક વખત એવો પ્રશ્ન થયેલો કે-મહારાજ! સિદ્ધ ભગવાન શું કરે ? ત્યારે જવાબમાં કહ્યું કે-સિદ્ધ ભગવાન પરનું કાંઈ કરતા નથી. અહાહા...! પોતાની પર્યાયમાં અનંત આનંદ પ્રગટ થયો છે તેનું સિદ્ધ ભગવાન વેદન કરે છે. ત્યારે તે કહે કે-એવા કેવા ભગવાન? ભગવાન જેવા ભગવાન કોઈનું કાંઈ ન કરે ! અમે તો બીજાનું ભલું કરીએ છીએ. જુઓ, અજ્ઞાનીનો ભ્રમ! ભાઈ! કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ અચલિત વસ્તુમર્યાદા છે. તેને તોડવી અશકય છે. પોતાની પર્યાય પરમાં ન જાય અને પ૨ની પર્યાય પોતામાં આવે. તો પછી એક વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? દ્રવ્યાંતર કે ગુણાંત૨રૂપે નહિ સંમતી તે અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? કદી ન પરિણમાવી શકે. માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ. અજ્ઞાની પોતાના શુભાશુભ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ ] ચન રત્નાકર ભાગ-૫ ભાવને કરે છે પણ પરભાવને કરતો નથી અને જ્ઞાની પોતાના જ્ઞાતાદષ્ટાના પરિણામને કરે છે, રાગને કે પરને જ્ઞાની કરતો નથી. દુઃખીને સહાય કરે, ભૂખ્યાને અન્ન આપે, તરસ્યાને પાણી પાય, નગ્નને વસ્ત્ર આપે – ઇત્યાદિ પરનાં કાર્ય જીવ કરે છે એવો અજ્ઞાનીનો ભ્રમ છે. અજ્ઞાની માને ભલે પણ પરનાં કાર્ય ત્રણકાળમાં કોઈ જીવ કરી શક્તો નથી. ભાવાર્થ:- જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા [ પ્રવચન નં. ૧૭૬ શેષ દિનાંક ૫-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૪ अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि। तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता।।१०४ ।। द्रव्यगुणस्य चात्मा न करोति पुद्गलमये कर्मणि। तदुभयमकुर्वस्तस्मिन्कथं तस्य स कर्ता।। १०४ ।। આ (ઉપર કહેલા) કારણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો એમ હવે કહે આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે, તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪. ગાથાર્થઃ- [માત્મા] આત્મા [પુતિમયે વળ] પુદ્ગલમય કર્મમાં [દ્રવ્ય ] દ્રવ્યને તથા ગુણને [ન રોતિ] કરતો નથી; [તસ્મિન] તેમાં [ તદ્ ઉમયમ] તે બન્નેને [ અજીર્વન] નહિ કરતો થકો [સ: ] તે [તસ્ય વર્તા] તેનો í [] કેમ હોય? ટીકાઃ- જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે; દ્રવ્યાંતરરૂપે (અર્થાત્ અન્યદ્રવ્યરૂપે) સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી; તેવી રીતે-પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલ દ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ સમયસાર ગાથા ૧૦૪: મથાળું આ (ઉપર કહેલા) કારણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠયો એમ હવે કહે છે – * ગાથા ૧૦૪: ટીકા ઉપરનું પ્રવચન * જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજરસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂક્તો-ભેળવતો નથી કારણે કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે.” માટીમય ઘડારૂપી જે કાર્ય છે તે માટીરૂપી દ્રવ્યમાં એટલે માટીરૂપી પદાર્થમાં અને માટીના ગુણમાં એટલે માટીની પર્યાયમાં નિજરથી જ વર્તે છે. માટીમાં જે ઘડારૂપી કાર્ય થયું તે માટીની નિજશક્તિથી થયું છે; કુંભારથી નિમિત્તથી તે કાર્ય થયું નથી. જાઓ, નિમિત્તથી કાર્ય થાય એવી વાત ખૂબ ચાલે છે પણ એનો અહીં નિષેધ કર્યો છે. નિમિત્તથી પરનું કાર્ય થતું નથી એમ અહીં સિદ્ધ કર્યું છે. ભાઈ ! આ રોટલીરૂપી જે કાર્ય થાય છે તે આટાથી થાય છે, બાઈથી નહિ અને તાવડી, વેલણ કે પાટલીથી પણ નહિ. ભાઈ ! શુદ્ધ અંત:તત્વના શ્રદ્ધાન વિના બાહ્યક્રિયાકાંડ કરીને ધર્મ થવો માને પણ એ (માન્યતા) તો મિથ્યાત્વ છે. પર જીવની દયા પાળવામાં ધર્મ માને તે મિથ્યાત્વ છે કેમકે પરજીવની દયા આ જીવ પાળી શક્તો નથી. પ્રશ્ન:- દયા ધર્મનું મૂળ છે એમ કહેવાય છે ને? ઉત્તર:- હા, પણ એનો અર્થ એ છે કે રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે અને તે સ્વદયા ધર્મનું મૂળ છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં (શ્લોક ૪૪માં) હિંસા-અહિંસાના સ્વરૂપનું કથન આવે છે ત્યાં આ સ્પષ્ટ કર્યું છે. પરની દયા પાળવી એ તો નામમાત્ર કથન છે. પરની દયા કોણ પાળી શકે? બીજા જીવનું જ્યાં સુધી આયુ હોય ત્યાં સુધી તે જીવે છે. તેને બીજો જીવાડી શક્તો નથી; તેમ બીજો તેને મારી પણ શક્તો નથી. બહારની જે ક્રિયાઓ થાય તેનો આત્મા કર્તા નથી એ મૂળ સિદ્ધાંત છે. - ભગવાન સર્વશદેવ એમ કહે છે કે જે ઘડારૂપી કાર્ય થયું તેમાં માટી પોતે વર્તી રહી છે, તેમાં કુંભાર વર્તતો નથી. હાથની હલનચલનની ક્રિયા થાય તે હાથના પરમાણુથી થાય છે, તે ક્રિયા આત્માથી થતી નથી. આત્મા તો પોતાના ગુણ અને પર્યાયમાં વર્તી રહ્યો છે. પરની પર્યાય થાય તેમાં આત્મા વર્તતો નથી. અરે! આંખની પાંપણ હાલે તેમાં પાંપણના પરમાણુ નિજરસથી વર્તે છે, આત્મા નહિ. પાંપણ હલાવવાની ક્રિયાનો પરમાણુ કર્તા છે, આત્મા નહિ. બાપુ! તત્ત્વની સાચી દષ્ટિ થયા વિના યા ભેદજ્ઞાન થયા વિના ધર્મ ન થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૪ ] [ ૧૫૧ અહીં જીવ અને અજીવની ભિન્નતાની વાત ચાલે છે. અજીવની કોઈ પણ ક્રિયાનો અંશ જીવ કરી શકે એ વાત ત્રણકાળ ત્રણલોકમાં સાચી નથી. તેવી રીતે જીવની અવસ્થા -શુભાશુભ ભાવ કે શુદ્ધભાવ-જડ કર્મથી થાય એવું પણ ત્રણકાળમાં સંભવિત નથી. ભાઈ ! જીવાદિ સાતેય તત્ત્વ ભિન્ન ભિન્ન છે. અજ્ઞાની દયા, દાન, વ્રત આદિ આગ્નવપરિણામને આત્મા સાથે એક કરીને રાગનો કર્તા થાય છે અને પરનાં કાર્ય હું કરી શકું છું એમ વિપરીત માને છે. અરે! લોકોને આ જીવના અને આસ્રવ અને આત્માના ભેદની સૂક્ષ્મ વાતની ખબર નથી એટલે તેમને બેસવી કઠણ પડે છે. અહીં કહે છે કે માટીરૂપી દ્રવ્યમાં માટીરૂપ ગુણ (ઘટ પરિણામ) નિજ રસથી વર્તી રહ્યો છે. ગુણનો અર્થ અહીં પર્યાય થાય છે. તેમાં કુંભાર પોતાના દ્રવ્યને કે પર્યાયને નાખતો કે ભેળવતો નથી. કુંભાર ઘડો કરવાનો જે રાગ કરે છે તે રાગ ઘડારૂપ પર્યાયમાં પેસતો નથી. તો તે રાગ ઘડારૂપ પર્યાયને કેમ કરે ? અજ્ઞાની જીવ રાગ કરે, પણ પરનું કાર્ય કદીય ન કરે-ન કરી શકે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાય તેમાં નિમિત્તરૂપ જે રાગાદિ ભાવ છે તેનો અજ્ઞાની કર્તા છે પણ જે કર્મનું બંધન થાય તેનો તે કર્તા નથી. કર્મબંધન થાય એ તો જડની પર્યાય છે. જડની પર્યાયને આત્મા ત્રણ કાળમાં કરી શકે નહિ. અહીં આ વાત સિદ્ધ કરવા ઘડાનું દૃષ્ટાંત આપ્યું છે. રાગ અને આત્માનો જે ભેદ જાણે છે તેવો સમકિતી ધર્મી જીવ રાગનો પણ કર્તા થતો નથી. જ! પહેલાંના સમયમાં મીરાંબાઈનું વૈરાગ્યમય નાટક બતાવતા. તેમાં વાત એમ આવતી કે ચિત્તોડના રાણા સાથે મીરાબાઈનાં લગ્ન થયેલાં. પણ સાધુનો સંગ કરતાં મીરાંબાઈને ખૂબ વૈરાગ્ય થઈ ગયેલો. રાણાએ મીરાબાઈને કહેવડાવ્યું કે “મીરા ઘરે આવો સંગ છોડી સાધુનો, તને પટ્ટરાણી બનાવું.'' પરંતુ મીરાને તો ઈશ્વરની ભારે લય લાગેલી. તે લયની ધૂનમાં રાણાને કહેવા લાગી પરણી મારા પીયુજીની સાથ, બીજાનાં મીંઢળ નહિ રે બાંધું; નહિ રે બાંધુ, રાણા નહિ રે બાંધું, બીજાનાં મીંઢળ નહિ રે બાંધું.' ઇશ્વરના પ્રેમમાં ઘેલી મીરાંએ કહી દીધું કે મેં તો મારા નાથની (ઇશ્વરની) સાથે લગ્ન કરી દીધાં છે એટલે હવે મને બીજો પતિ ન હોય. તેમ સમકિતી ધર્મી જીવની પરિણતિ અંદર રાગથી ભિન્ન પડીને શુદ્ધ ચૈતન્ય સાથે જોડાઈ ગઈ છે. તેથી તે કહે છે કે મારી નિર્મળ ચૈતન્યપરિણતિનો હું સ્વામી છું, રાગનો સ્વામી હું નહિ અને રાગ મારો સ્વામી નહિ. શુભાશુભ ભાવ થાય તે વિકાર છે. તેનો સંગ હું ન કરું કેમકે તેનો સંગ કરવો વ્યભિચાર છે. અહાહા...! યાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકબિંબ પ્રભુ છું. તેને પુણ્ય-પાપના સંગમાં જોડવો તે વ્યભિચાર છે. આમ ચૈતન્યઘનસ્વરૂપ નિજ ચિદાનંદ ભગવાનની જેને લગની લાગી તે ધર્મી જીવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ નિર્મળ જ્ઞાન અને આનંદની પરિણતિનો કર્તા છે, પણ રાગનો કર્તા નથી. જ્યાં રાગનો કર્તા નથી ત્યાં તે પરનો કર્તા હોવાની તો વાત જ કયાં રહી ? અહીં એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યની પર્યાયનો અજ્ઞાની પણ કર્તા નથી. ઘડારૂપ કાર્ય થાય એમાં કુંભાર પોતાના દ્રવ્યને, ગુણને અને પર્યાયને તે ઘડાની પર્યાયમાં મૂક્તો કે ભેળવતો નથી કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે. વસ્તુસ્થિતિ જ એવી છે કે કુંભારનું આત્મદ્રવ્ય પલટીને ઘડાની પર્યાયમાં જતું નથી, તેમજ કુંભારની રાગની પર્યાય પણ પલટીને ઘડાની પર્યાયમાં જતી નથી. તો કુંભાર ઘડાને કેવી રીતે કરે? ઝીણી વાત છે ભગવાન! તારી જ્ઞાયક વસ્તુ તદ્દન ભિન્ન છે પ્રભુ! આત્મા જ્ઞાયક તો જગતના શેયોનો જ્ઞાતા છે, કર્તા નથી. રાગનો પણ તે ખરેખર તો જ્ઞાતા છે, કર્તા નથી. આત્માને રાગનો અને પારદ્રવ્યની પર્યાયનો કર્તા બનાવવો એ મોટી મિથ્યાત્વરૂપી વિટંબણા છે. ૧. કુંભારનું દ્રવ્ય પલટીને ઘડાની પર્યાયમાં જતું નથી. ૨. કુંભારની જે રાગની પર્યાય છે તે પલટીને ઘડાની પર્યાયમાં જતી નથી. ૩. માટે કુંભાર માટીની પર્યાય બદલીને ઘડાની પર્યાય કરે એ વાત ત્રણકાળ ત્રણલોક માં સત્ય નથી. કુંભાર કદીય ઘડાનો કર્તા નથી. આટામાંથી જે રોટલી બનવાની ક્રિયા થાય તે જડની પર્યાય આટાના પરમાણુઓથી થાય છે. રસોઈ કરનારી બાઈ તેમાં પોતાની પર્યાયને નાખતી કે ભેળવતી નથી. મા રોટલીની પર્યાયની કર્તા નથી. બાપુ! આ વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે! જડ અને ચેતનનો-બન્નેનો સદાય પ્રગટ ભિન્ન સ્વભાવ છે. જડની પર્યાય જડથી થાય એમાં બીજો પોતાનું દ્રવ્ય કે પોતાની પર્યાયને નાખતો નથી, મૂકતો નથી, ભેળવતો નથી. માટે જડની ક્રિયાને આત્મા કદીય કરતો નથી એમ સિદ્ધ થાય છે. ભાઈ ! હું ખાઉં છું, હું બોલું છું, હું શરીરને હલાવી-ચલાવી શકું છું ઇત્યાદિ અનેક પ્રકારે પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું છું એમ માનવું એ મિથ્યાશ્રદ્ધાન છે અને એનું ફળ ચાર ગતિની રખડપટ્ટી છે. પોતાના ગુણ-પર્યાયને પરમાં નાખ્યા-ભેળવ્યા સિવાય પરનું કાર્ય કેમ કરી શકાય? પોતાના ગુણ-પર્યાયને પરમાં તો નાખી શકાતા નથી, કેમકે વસ્તુસ્થિતિથી જ તેનો નિષેધ છે. માટે પરનાં કાર્ય કોઈ કરી શકતું નથી એ સિદ્ધાંત છે. લોકો બહારની ક્રિયાનું કર્તાપણું માનીને મિથ્યાત્વનું સેવન કરે છે. પણ જેને સત્ય માનવું હોય તેણે આ માનવું પડશે. બાકી અસત્ય તો અનાદિથી માનેલું જ છે અને તેથી તો સંસારાવસ્થા છે. ભાઈ ! સર્વજ્ઞદેવે કહેલાં નવ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન જેને કરવું હોય તેણે આ વાત માનવી જ પડશે. નિમિત્તથી કાર્ય થાય એ વાતની ભગવાન લાખવાર ના પાડે છે. આ સત્યનો ઢંઢેરો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૪ ] [ ૧૫૩ આ પુસ્તકનું પાનું ફરે છે તે અવસ્થા પાનાના રજકણોથી થઈ છે; તેનો કર્તા આંગળી નથી અને આત્મા પણ નથી. જગતની પ્રત્યેક ચીજ પોતે પોતાથી કાર્યરૂપે પરિણમે છે; તેને બીજો પરિણમાવી શકતો નથી. ખૂબ ગંભીર વાત છે! જગતમાં અનંત જીવ છે અને અનંત અજીવ જડ પદાર્થો છે. તે બધા અનંતપણે કયારે રહી શકે? અનંત દ્રવ્યો-પ્રત્યેક પોતાના દ્રવ્યથી અને પોતાની પર્યાયથી પોતાના પરિણામ કરે છે એવું યથાર્થ માને તો અનંત દ્રવ્યો સિદ્ધ થશે. પરથી પરિણમન થાય એમ માનતાં બધાં એકમેક થઈ જવાથી અનંત ભિન્ન દ્રવ્યો રહી શકશે નહિ. માટે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન પરનિરપેક્ષ છે. એ મુદ્દાની રકમની વાત છે. જેમ પાંચ લાખ રૂપિયા ટકાના વ્યાજથી કોઈને ધીર્યા હોય તે વ્યાજ ભરીને પાંચ લાખ ભરવાની ના કહે તો તે મૂળ રકમની ના પાડે છે. તે અનર્થ છે. તેમ પરદ્રવ્યની પર્યાયને આત્મા કરી શક્તો નથી એ મુદ્દાની મૂળ રકમની વાત છે. એ મૂળ રકમની ના પાડે તેને ધર્મ કેમ થાય? ભલેને બાહ્ય ક્રિયાકાંડ લાખ કરે તો પણ તેને ધર્મ નહિ થાય. ભાઈ ! આ ભગવાનનાં મંદિર બન્યાં છે ને તે ક્રિયા આત્માએ કરી છે એમ નથી. પ્રશ્ન:- કારીગરે તો કરી છે કે નહિ? ઉત્તર:- ના, બીલકુલ નહિ, કારણ કે કારીગર પોતાના દ્રવ્યને કે પર્યાયને મંદિરની પર્યાયમાં નાખતો કે ભેળવતો નથી. માટે મંદિર નિર્માણની ક્રિયાનો કર્તા કારીગર નથી. બાપુ! જડ તત્ત્વ અને ચેતન તત્ત્વની સદાકાળ ભિન્નતા છે. અજીવની પર્યાયનો અંશ જો જીવ કરે તો જીવ જડ થઈ જાય. પણ એમ બનતું જ નથી. તેમ છતાં અજીવની પર્યાયને જીવ કરે છે એમ માને તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને તેનું ફળ સંસાર-પરિભ્રમણ છે. ખજારમાંથી અંદરના કઠણ ઠળિયા જુદા પાડવાની જે ક્રિયા થાય તે ક્રિયા આંગળીથી થાય છે એમ નથી. વળી આત્માથી પણ તે ક્રિયા થઈ શકતી નથી. જેમ કુંભાર ઘડો બનાવી શકે નહિ તેમ આત્મા ખજારમાંથી ઠળિયા જુદા પાડી શકે નહિ. આ સાંભળીને કેટલાક પોકારી ઉઠે છે કે “એકાન્ત છે, એકાન્ત છે.” ભલે કહો, પરંતુ આ સમ્યક એકાન્ત છે. મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં પંડિત પ્રવર શ્રી ટોડરમલજીએ સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તેનું વર્ણન કર્યું છે. ત્યાં કહ્યું છે કે “સંસારી જીવ અનાદિકાળથી કર્મનિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે, પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે. ત્યાં એક તો પોતે આત્મા તથા અનંત પુદ્ગલપરમાણમય શરીર એ બંનેના એકપિંડબંધાનરૂપ એ પર્યાય હોય છે. તેમાં આ જીવને “આ હું છું” એવી અફંબુદ્ધિ થાય છે. વળી જીવને અને શરીરને નિમિત્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ નૈમિત્તિક સંબંધ છે તેનાથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે.'' હું બોલી શકું છું, હું ખાઈ શકું છું, હું હાથ હલાવી શકું છું, આંખથી દેખી શકું છું, જીભથી ચાખી શકું છું ઇત્યાદિ ૫૨દ્રવ્યની ક્રિયાનું કર્તાપણું માને તે બધું મિથ્યાદષ્ટિનું કર્તવ્ય (મંતવ્ય) છે. અરે! આવા સાતિશય પ્રજ્ઞાના ધારક અતિ વિચક્ષણ પંડિત શ્રી ટોડરમલજીનો દ્વેષથી પ્રેરાઈને પડ્યુંત્ર દ્વારા ક્રોધિત કરવામાં આવેલા રાજા દ્વારા અલ્પ વયમાં જ દેહાંત થયો હતો! પંડિતજીએ મિથ્યાદર્શનનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ કર્યું છે. રાજતે શોભતે ઇતિ રાજા.' જે પોતાના જ્ઞાતાદષ્ટાસ્વભાવનું અનુસરણ કરી જ્ઞાન અને આનંદની પર્યાયને ઉત્પન્ન કરે અને તે વડે શોભાયમાન રહે તે રાજા-જીવરાજા છે. બાકી રાગની પર્યાય અને પરદ્રવ્યની પર્યાયને પોતાની માને એ તો રાંકો-ભિખારી છે. દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિના રાગથી મારું કલ્યાણ થઈ જશે એમ માનનાર બહારથી મહારાજ ભલે કહેવાતો હોય તોપણ તે રાંકો-ભિખારી છે. ભાઈ! તારી ચીજ અંદર સર્વપ્રદેશે જ્ઞાન અને આનંદથી ભરેલી છે. તેમાં દષ્ટિ દીધા વિના તે રાગથી પ્રગટ કેમ થાય? પ્રભુ! રાગથી પ્રગટ થાય એવી તારી ચીજ નથી. ભગવાન કુંદકુંદાચાર્યદેવે સમયસારના બંધ અધિકારમાં કહ્યું કે–બીજાને હું જીવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સુખી-દુઃખી કરી શકું, બીજાને બંધ કરી શકું અને બીજાને મોક્ષ કરી શકું–એમ જે માને તે મિથ્યાદષ્ટિ છે, મૂઢ છે. ત્યાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ૧૭૩માં કળશ દ્વારા કહ્યું છે કે ‘સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય ( અધ્યવસાન ) જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે ‘૫૨ જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.' તો પછી, આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિકંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનથનરૂપ નિજ મહિમામાં ( આત્મસ્વરૂપમાં ) સ્થિરતા કેમ ધરતા નથી.’’ જુઓ, એક સમ્યક્ નિશ્ચયને જ અંગીકાર કરવાનું કહ્યું છે, કેમકે તે જ એક મોક્ષમાર્ગ છે. વ્યવહાર ક્રિયાકાંડના અનેક વિકલ્પ કાંઈ મોક્ષમાર્ગ નથી; એ તો બંધનાં કારણ છે, હેય છે, ત્યાગવા યોગ્ય છે. ભાઈ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામની દષ્ટિથી હઠીને ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ દે તો સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થશે; અન્યથા નહિ થાય. કળશમાં એ જ કહ્યું છે કે ૫૨ જેનો આશ્રય છે એવો વ્યવહા૨ જ સઘળોય છોડાવ્યો છે તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિકંપપર્ણ અંગીકાર કરીને નિજ મહિમામાં સ્થિતિ કેમ ધરતા નથી ? લોકોને આવી સત્ય વાત સાંભળવા મળી નથી એટલે નવી લાગે છે. પણ આ નવી વાત નથી. આ તો કેવળીઓએ કહેલી વાત પુરાણી છે. શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયા. તેમણે ૫૦ વર્ષ પહેલાં આ વાત કરી છે પણ પોતે ગૃહસ્થાશ્રમી હતા એટલે વાત વિશેષ બહાર આવવા ન પામી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૪ ] [ ૧૫૫ અહાહા....! એકેક ગાથામાં જડ અને ચેતનને તથા રાગ અને જ્ઞાનને ભિન્ન પાડીને વર્ણન કર્યું છે. ભગવાન! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવો તું પરનાં કામ કરે-કરી શકે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. મોક્ષમાર્ગપ્રકાશકમાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-“પોતાનો સ્વભાવ દર્શનજ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરનાં અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઈદ્રિયો છે. હવે આ જીવ તે સવેને એકરૂપ માની એમ માને છે કે-હાથ વગરે સ્પશે વડ સ્પર્યું, જીભ વડ મે ચાખ્યું, નાસિકા વડે મેં સૂછ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું'' ઇત્યાદિ આ પ્રમાણે માનનાર અજ્ઞાની મૂઢ મિથ્યાષ્ટિ છે. જડનાં કાર્ય આત્મા કરતો નથી અને તે કાળે જે રાગ થાય તેનો અજ્ઞાની કર્તા થાય છે. માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! અજ્ઞાની કહે છે કુંભાર વિના ઘડો ન થાય. જ્ઞાની કહે છે માટી વિના ઘડો ન થાય. ઘડાનો કર્તા માટી છે, કુંભાર નહિ. દુનિયાની તદ્દન નિરાળો માર્ગ છે. અહીં કહે છે-“દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી.” જુઓ, કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડીને પરદ્રવ્યમાં પ્રવેશ કરતું નથી. વા પરદ્રવ્યરૂપ થઈ જતું નથી. અને દ્રવ્યાંતરરૂપ થયા વિના અન્ય દ્રવ્યને પરિણમાવવું અશકય છે. માટીરૂપ થયા વિના માટીને ઘડાપણે પરિણાવવી અશકય છે. માટે ઘડારૂપ કર્મમાં નહિ પ્રવેશતો એવો કુંભાર ઘડાનો કર્તા પ્રતિભાસતો નથી એમ આચાર્યદવ કહું છે. આ દષ્ટાંત છે. લોકો શુદ્ધ તત્ત્વની વાત ભૂલીને ક્રિયાકાંડના માર્ગે ચઢી ગયા છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પર ચઢી ગયા છે. પરંતુ ભાઈ ! દયા, દાન, વ્રત, તપ આદિ ક્રિયા, મહિના-મહિનાના ઉપવાસની ક્રિયા-એ તો બધી રાગની ક્રિયા છે. એનાથી સમ્યગ્દર્શન અને ધર્મ થતો નથી. અને એમાં બહારની શરીરાદિની ક્રિયા તો આત્મા કરી શક્તો નથી. તથાપિ હું પરદ્રવ્યની ક્રિયા કરું છું એમ જો માને તો એ મિથ્યાત્વ છે, મૂઢતા છે. અનંત કેવળીઓએ અને સંતોએ આમ કહ્યું છે. હવે સિદ્ધાંત કહે છે તેવી રીતે-પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુગલ-દ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજરસથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂક્તો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે.....' પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ પુદ્ગલ દ્રવ્યમાં અને પુદ્ગલમય પોતાના ગુણમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ એટલે પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે ગુણ એટલે પર્યાયને નાખતો વા ભેળવતો નથી. આઠ કર્મ જે બંધાય તેમાં આત્માના દ્રવ્ય-પર્યાય પેસતાં નથી; કેમકે આત્મદ્રવ્યનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે. આત્માનું પુદ્ગલરૂપ કે પુદ્ગલકર્મરૂપ થવું અશકય છે. માટે જીવ (અજ્ઞાની) રાગ-દ્વેષ કરે ત્યારે એનું નિમિત્ત પામીને જે જડકર્મનું બંધન થાય તેનો આત્મા કર્તા નથી. ' અરે ! આવી વાત કદી સાંભળવા મળી ન હોય અને કદાચિત્ સાંભળવા મળી જાય તો “એકાન્ત છે' એમ માનીને જતી કરે. પણ ભાઈ ! મિથ્યાત્વનો સરવાળો મહાદુઃખરૂપ આવશે. એ તીવ્ર દુ:ખના પ્રસંગ તને ભારે પડશે બાપા! અહીં કહે છે કે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ અજ્ઞાનભાવે જીવ કરે છે પણ તે કાળે જે કર્મબંધનની પર્યાય થાય તેનો જીવ અજ્ઞાનભાવે પણ કર્તા નથી. કર્મબંધન તો જડની પર્યાય છે અને તે જડ પુદ્ગલથી થાય છે. તેને જીવ કેમ કરે ? જ્ઞાનાવરણાદિનું કાર્ય પોતાના પુદ્ગલ દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. તેમાં આત્મા પોતાના દ્રવ્ય-પર્યાયને નાખતો નથી, કેમકે આત્મદ્રવ્ય પરદ્રવ્યમાં જાય કે આત્માની પર્યાય પરદ્રવ્યની પર્યાયમાં જાય એમ બનવું અશકય છે. અજ્ઞાની જે વિકાર કરે, શુભાશુભ ભાવ કરે તેટલા પ્રમાણમાં સામે કર્મ બંધાય છે; છતાં તે કર્મબંધનની પર્યાયનો આત્મા કર્તા નથી. જીવે રાગાદિ ભાવ કર્યા માટે કર્મને બંધાવું પડયું એમ નથી. ભાઈ! આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મ છોડે એ વસ્તુસ્થિતિમાં જ નથી. અજ્ઞાની પર્યાયમાં વિકારને કરે અને વિકારને છોડ એ તો છે, પણ તે જડકર્મને બાંધે વા જડકર્મને છોડ એ વાત ત્રણકાળમાં સત્ય નથી. ભગવાન અરિહંતદેવે કર્મ હણ્યાં એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. કર્મ તો જડ છે; તેને કોણ હણે? જેણે પોતાના ભાવકર્મને હણ્યાં અને અનંત ચતુને પ્રાપ્ત થયા તે અરિહંત છે. જડકર્મ તો પોતાના કારણે નાશ પામે છે, અકર્મરૂપ પરિણમી જાય છે. જડકર્મમાં આત્માનું કાંઈ કર્તવ્ય નથી. જડ અને ચેતનનો સદા પ્રગટ ભિન્ન સ્વભાવ છે. જડની પર્યાય ચેતન કરે અને ચેતનની પર્યાય જડ કરે એમ કદીય બનતું નથી. હજુ જડ અને ચેતન-બે દ્રવ્યો સદાય ભિન્ન છે એની જેને ખબર નથી તેને પુણ્ય-પાપના ભાવથી-આગ્નવથી આત્મા ભિન્ન છે એવી ભેદજ્ઞાનની દષ્ટિ કયાંથી થાય? અને એવી દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન કયાંથી થાય? અને સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર કયાંથી થાય ? ભાઈ સમ્યગ્દર્શન વિના બધા ક્રિયાકાંડ એકડા વિનાનાં મીંડા જેવા છે. હવે કહે છે-“દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણાવવી અશક્ય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બંનેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૪ ] [ ૧૫૭ એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે ? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.' જુઓ, આ નિષ્કર્ષ કહ્યો. જીવ રાગ કરે તે કાળે ત્યાં જે કર્મબંધન થાય છે તે કર્મબંધનની પર્યાયને આત્મા કેમ કરી શકે ? અજ્ઞાની પોતાની પર્યાયમાં રાગદ્વેષના ભાવને કરે પણ તે વખતે જે કર્મબંધન થાય છે તે રાગથી થતું નથી કેમકે રાગ તેમાં પેસતો નથી. માટે આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો. જડની પર્યાયનો અજ્ઞાની જીવ પણ કર્તા નથી એવું અકર્તાપણું સિદ્ધ થયું. [ પ્રવચન નં. ૧૭૭ * દિનાંક ૬-૯-૭૬ ] * ઈ - 9 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૫ अतोऽन्यस्तूपचार: जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणाम। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।। १०५ ।। जीवे हेतुभूते बन्धस्य तु दृष्ट्वा परिणामम्। जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण।। १०५ ।। માટે આ સિવાય બીજો-એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છે: જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. ગાથાર્થ:- [ નીવે ] જીવ [ દેતુભૂતે] નિમિત્તભૂત્ત બનતાં [વશ્વસ્ય તુ] કર્મ બંધનું [ પરિણામ] પરિણામ થતું [૮ ] દેખીને, “[ નીવેન] જીવે [વર્ષ વૃd] કર્મ કર્યું એમ [ ૩૫રમાત્રેગ ] ઉપચારમાત્રથી [ભળ્યતે] કહેવાય છે. ટીકાઃ- આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી “પૌગલિક કર્મ આત્માએ કર્યું' એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી. ભાવાર્થ- કદાચિત થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે. સમયસાર ગાથા : ૧૦૫ મથાળું માટે આ સિવાય બીજો એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છે: * ગાથા ૧૦૫ : ટીકા ઉપરનું પ્રવચન * આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૫ ] [ ૧૫૯ પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્દગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘“ પૌદ્દગલિક કર્મ આત્માએ કર્યું ' ' એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી. ભગવાન આત્મા સ્વભાવથી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ છે. તે નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. કર્મબંધનને નિમિત્તરૂપ એવો જે વિકાર-રાગદ્વેષ અને પુણ્ય-પાપના ભાવ-તેનાથી ભિન્ન શુદ્ધ ચિત્તૂપ એકરૂપ વસ્તુ આત્મા છે. તેથી આત્મા નવા કર્મબંધનનું નિમિત્ત નથી. જુઓ, શુદ્ધ ચૈતન્યમય વસ્તુ આત્મામાં તો રાગાદિ વિકાર નથી, પણ શુદ્ધ ચૈતન્ય-સન્મુખ થઈને જે દૃષ્ટિ થઈ છે તે દૃષ્ટિમાં પણ રાગનો નિષેધ છે. તેથી શુદ્ધ જ્ઞાયક-સ્વભાવી ભગવાન આત્માની જેને દષ્ટિ થઈ છે એવો નિર્મળ દષ્ટિવંત જ્ઞાની પણ કર્મબંધનમાં નિમિત્ત નથી. અહો ! પરમ અલૌકિક વાત છે! પૂર્ણ વીતરાગ દશા ન થાય ત્યાંસુધી જ્ઞાનીને અશુભથી બચવા શુભભાવ આવે છે, પરંતુ જ્ઞાનીની દષ્ટિ સ્વભાવ ઉપર સ્થિર થઈ હોવાથી તે શુભભાવનો કર્તા થતો નથી અને તેથી તે નવા કર્મબંધનનું નિમિત્ત નથી. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય શુદ્ધ વસ્તુ છે. તે વ્યવહા૨ત્નત્રયના વિકલ્પથી ભિન્ન છે. અહાહા...! શુદ્ધ વસ્તુમાં અને શુદ્ધ વસ્તુની દૃષ્ટિમાંબન્નેમાં વ્યવહા૨ત્નત્રયનો વિકલ્પ નથી. તેથી જેમ શુદ્ધ વસ્તુ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્ત નથી તેમ શુદ્ધ વસ્તુનો દૃષ્ટિવંત જ્ઞાની ધર્મી જીવ પણ નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. જે રાગપરિણામ નવા કર્મબંધનને નિમિત્તરૂપ થાય તે રાગ-પરિણામ જ્ઞાનીને નથી કેમકે જ્ઞાની એનાથી ભિન્ન પડી ગયો છે. જે રાગપરિણામ થાય તેને જ્ઞાની માત્ર જાણે જ છે, કરતો નથી અને તેથી જ્ઞાની નવા કર્મબંધનનું નિમિત્ત નથી. ખૂબ ગંભીર વાત છે, ભાઈ ! વ્યવહાર કરતાં કરતાં સમકિત પામીશું એમ કેટલાક માને છે પણ એ માન્યતા તદ્દન મિથ્યાશ્રદ્ધાનરૂપ છે કેમકે શુદ્ધનિશ્ચયની દષ્ટિમાં વ્યવહારત્નત્રયનો વિકલ્પ સમાતો નથી, ભિન્ન રહી જાય છે. આ અંતરની વાત છે ભાઈ! આમાં જરાય આવુપાછું કે ઢીલું માને તેને સાચું શ્રદ્ધાન નહિ થાય. સમ્યગ્દર્શન પ્રગટ થવામાં વ્યવહા૨ની કોઈ અપેક્ષા નથી. નિયમસાર (ગાથા ૨ ની ટીકા)માં શુદ્ઘરત્નત્રયાત્મક મોક્ષનો માર્ગ ૫૨મ નિરપેક્ષ છે એમ કહ્યું છે. ધર્મીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની ભાવના હોય છે; તેને પુણ્યરૂપી વ્યવહારધર્મની વાંછા હોતી નથી. જ્યાં સુધી પૂર્ણ વીતરાગભાવ ન પ્રગટે ત્યાં સુધી વ્યવહારના ભાવ આવે ખરા પણ તેની જ્ઞાનીને ભાવના હોતી નથી. આનંદકંદ નિજસ્વરૂપમાં ઝૂલનારા મુનિવરોને છઠ્ઠા ગુણસ્થાનમાં ભગવાનની ભક્તિ, વંદના, સ્મરણ તથા પંચમહાવ્રતના વિકલ્પ આવે છે પણ તે બંધનું કારણ છે એમ તેઓ જાણે છે. શુદ્ધ ચૈતન્યની પરિણતિને ધરનારા તે મુનિવરોની દષ્ટિ ચૈતન્યસ્વભાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ઉપર સ્થિર ચોંટી છે. પણ પૂર્ણદશા ન પ્રગટે ત્યાંસુધી અસ્થાનના રાગથી બચવા તેમને શુભરાગ આવે છે પણ તે શુભભાવ બંધનું કારણ છે એમ તે જાણે છે. જો કોઈ તેને બંધનું કારણ ન માનતાં મોક્ષનું કારણ માને તો તે મિથ્યાશ્રદ્ધાન છે, અજ્ઞાન છે. અહીં ઘણી ગંભીર વાત કરી છે. મૂળ સૂત્રમાં તો એમ લીધું છે કે જીવ નવા બંધમાં નિમિત્તભૂત થાય છે. પરંતુ ટીકામાં આચાર્યદેવે એમ કહ્યું કે-આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્દગલિકકર્મને નિમિત્તભૂત નથી. આત્માનો સ્વભાવ જ્ઞાતાદષ્ટા છે. સ્વભાવથી આત્મા નવાં કર્મ બંધાય એમાં નિમિત્તભૂત નથી. સ્વભાવથી આત્મા નિમિત્તભૂત હોય તો ત્રણે કાળ તેને વિકાર કરવો પડે. કર્મબંધનમાં નિમિત્તપણે સદાય જીવને હાજર રહેવું પડે. તેને નિત્યકર્તૃત્વનો પ્રસંગ બનતાં મુક્તિ થાય જ નહિ. દયા, દાન આદિના શુભભાવ આવે તેને જ્ઞાની બંધનું કારણ જાણે છે, તેને તેઓ ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી. અહીં એ વાત પણ લીધી નથી. અહીં તો એમ કહે છે કે જ્ઞાનીને નવો બંધ થતો જ નથી, કેમકે જ્ઞાનીની દૃષ્ટિ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ ઉપર રહેલી છે અને તેથી તેને સ્વભાવની પરિણતિ ઉત્પન્ન થાય છે. જે રાગના પરિણામ થાય તે જ્ઞાનીનું કાર્ય નથી. તેથી જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્ત પણ નથી. અહો! ખૂબ ગંભીર વ્યાખ્યા કરી છે. અરે ભાઈ! આ મનુષ્યજીવન એમ ને એમ ચાલ્યું જાય છે. ભગવાન કહે છે કે આ ત્રસમાં રહેવાની સ્થિતિ બે હજાર સાગરની છે. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિયની અવસ્થામાં રહેવાનો કાળ બે હજાર સાગર છે. તેમાં જો આત્માનું જ્ઞાન અને સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યાં તો આ ત્રસની સ્થિતિ પૂરી કરીને નિગોદમાં ચાલ્યો જઈશ. અરે ભગવાન! તને આવો અવસર મળ્યો અને વિકારથી રહિત, વ્યવહારથી રહિત, બંધ અને બંધના નિમિત્તપણાથી રહિત એવા શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનું ભાન પ્રગટ ન કર્યું તો ચાર ગતિનું ભ્રમણ કરતાં કરતાં નિગોદમાં–દુ:ખના સમુદ્રમાં ચાલ્યો જઈશ. નવાં કર્મ જે બંધાય તે દશા તો જડકર્મથી થાય છે અને તેમાં ઉપાદાનપણે કર્મના ૫૨માણુ વર્તે છે. તેમાં નિમિત્ત કોણ છે? તો જે વિકારીભાવ થાય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત છે, પણ ચૈતન્યરત્નાકર જ્ઞાતાદષ્ટા અને આનંદના સ્વભાવથી ભરેલો ચિદાનંદઘન પ્રભુ આત્મા વિકારથી શૂન્ય છે. તેથી જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો ચૈતન્યમહાસાગર છે. તેમાં દયા, દાન આદિ વિકારના વિકલ્પ નથી તો તે નવા કર્મબંધનમાં નિમિત્તભૂત કેમ થાય? આત્મા સ્વભાવથી નવા કર્મબંધનમાં નિમિત્ત છે જ નહિ. જ્ઞાન-આનંદથી પૂર્ણ અને રાગથી ખાલી એવી ચીજ શુદ્ધ જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા છે. આવા આત્માનું જેને ભાન થયું છે તે સમકિતી જ્ઞાની છે. સમકિતીને દયા, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૫ ] [ ૧૬૧ દાન, વ્રત અને વ્યવહારરત્નત્રયના વિકલ્પ આવે છે પણ તે એ વિકલ્પને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભિન્ન જાણે છે. સમકિતીને જે સ્વભાવની દષ્ટિ થઈ છે તે દૃષ્ટિમાં રાગાદિ વિકારનો અભાવ છે અને તેથી જેમ સ્વભાવ નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી તેમ સ્વભાવની જેને દૃષ્ટિ થઈ છે એવો જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી. સમકિતીને બંધ થતો નથી. (જે અલ્પ બંધ થાય તે અહીં ગણતરીમાં નથી.) માટે તે બંધમાં નિમિત્ત કેમ થાય ? બંધમાં નિમિત્ત તો વિકારી ભાવ છે અને તે વિકારી ભાવ આત્મસ્વભાવ અને આત્મસ્વભાવની દષ્ટિમાં છે જ નહિ. અહો ! અદભુત વાત છે ! નવ રૈવેયકના નવ દેવલોક છે. તે એકેક દેવલોકમાં અનંતવાર જઈ આવ્યો એવા ભાવ જીવે કર્યા છે. શુકલેશ્યાના પરિણામ કરીને જીવ નવ રૈવેયક જાય છે. અત્યારે તો એવા શુભભાવ પણ નથી. જુઓ, શુકલેશ્યા અને શુકલધ્યાન બે ભિન્ન ચીજ છે. શુકલધ્યાન તો ભાવલિંગી મુનિરાજને આઠમા ગુણસ્થાનથી હોય છે અને શુકલેશ્યાના પરિણામ તો કોઈ અભવિ જીવને પણ થાય છે. શુકલેશ્યાના પરિણામ કરીને જીવ નવમી રૈવેયક જાય છે પણ શુભભાવને તે પોતાના માને છે અને શુભભાવથી ધર્મ થાય એમ માને છે તેથી તે મિથ્યાષ્ટિ છે. શુભભાવ રાગ છે અને આત્માનો સ્વભાવ વીતરાગ છે. રાગ અને સ્વભાવને એક માનનાર ભલે નવમી રૈવેયક જાય પણ જે વડે જન્મમરણનો નાશ થાય એવી ક્રિયા એની પાસે નથી તેથી તે ચતુર્ગતિસંસારમાં રખડે જ છે. ભગવાન આત્મા પરનો તો કર્તા નથી પણ પરનાં જે કાર્ય થાય તેમાં નિમિત્ત પણ નથી. દ્રવ્યસ્વભાવ જ પરના કાર્યમાં નિમિત્ત થાય તો જ્યાં જ્યાં પરનાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને સદા હાજર રહેવું પડે. તેથી રાગથી ભિન્ન પડીને તેને કદીય સ્વભાવનું લક્ષ થાય નહિ. આ વાત ગાથા ૧OOમાં આવી ગઈ છે. તેથી એ સિદ્ધ છે કે વાસ્તવમાં આત્મા સ્વભાવથી નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. હવે કહે છે કે સ્વભાવથી આત્મા નવા કર્મબંધનમાં નિમિત્ત ન હોવા છતાં અનાદિ અજ્ઞાનના કારણે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. જુઓ, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તે જીવ દયા, દાનના પરિણામનો હું કર્તા છું એવું માને છે. તે અજ્ઞાન અને અનાદિનું છે. તે અજ્ઞાનના કારણે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે, વિકારરૂપે પરિણમતો હોવાથી પૌલિક કર્મ ઉત્પન્ન થાય છે. આ નવાં કર્મબંધન જે થાય તેમાં અજ્ઞાનીના પુણ્ય-પાપના વિકારી ભાવ નિમિત્ત થાય છે. જડકર્મની પ્રકૃત્તિ બંધાય તે તો કર્મના કારણે બંધાય છે. તેમાં અજ્ઞાનીના રાગાદિ ભાવ નિમિત્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાઈ ! સમયસારમાં ઘણી ગંભીરતા ભરી છે. આ તો જગતચક્ષુ છે. ભગવાનની સાક્ષાત્ દિવ્યધ્વનિમાંથી આવેલું આ શાસ્ત્ર છે. સંવત ૧૯૭૮ની સાલમાં જ્યારે સમયસાર હાથમાં આવ્યું ત્યારે તે વાંચીને એમ થયું હતું કે-“આ શાસ્ત્ર તો અશરીરી થવાની ચીજ છે'' આનો સ્વાધ્યાય ખૂબ ધીરજ રાખીને રોજ કરવો જોઈએ. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરને ઇચ્છા વિના દિવ્યધ્વનિ નીકળે છે. મહાવિદેહમાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે. ત્યાં કુંદકુંદાચાર્યદવ વાણી સાંભળવા પધારેલા. સાંભળવાનો વિકલ્પ હતો પણ વિકલ્પનું લક્ષ ન હતું; અંદર પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપનું લક્ષ હતું. વાણી સાંભળવાનો અને ધર્મોપદેશનો જ્ઞાનીને વિકલ્પ આવે છે પણ તે વિકલ્પના જ્ઞાની કર્તા થતા નથી, જ્ઞાતા જ રહે છે. અહાહા..! આત્મા શુદ્ધ ચૈતન્યમય પ્રભુ છે, શુભરાગ શય છે અને જ્ઞાની તેના જ્ઞાતા જ છે, કર્તા નથી. તેથી જેમ આત્મા સ્વભાવથી કર્મબંધનમાં નિમિત્ત નથી તેમ જ્ઞાની પણ નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. અહાહા...! ભગવાન આત્મા નિરંજન નિર્વિકાર શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે. તેમાં શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ તો નથી; એમાં શુભાશુભભાવરૂપ વિકાર પણ નથી. તેથી આત્મા સ્વભાવથી કર્મબંધનનું નિમિત્ત નથી. અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના સ્વસવેદનપૂર્વક જેને સ્વાનુભવ થયો છે તે સમકિતીને નવા કર્મબંધનમાં નિમિત્ત થાય એ રાગ થતો નથી. અલ્પ રાગ જે થાય છે તેને (દષ્ટિના જોરમાં) અહીં ગણવામાં આવ્યો નથી. પરંતુ અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તેથી તે અજ્ઞાનીનો રાગભાવ નવા બંધનમાં નિમિત્ત કહેવામાં આવે છે. નવાં કર્મનો બંધ થાય તે આત્મા કરતો નથી. કર્મબંધન થાય એ તો પુદ્ગલની પર્યાય છે અને અજ્ઞાનીના અજ્ઞાનરૂપ પરિણામ તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. આત્મ-દ્રવ્ય તેમાં નિમિત્ત નથી અને દ્રવ્યદૃષ્ટિવંત જ્ઞાની પણ તેમાં નિમિત્ત નથી. અખંડાનંદ-સ્વરૂપ ભગવાન આત્માનું આકર્ષણ થવાથી જ્ઞાનીને બહારની સર્વ ચીજનું આકર્ષણ છૂટી ગયું છે. ચૈતન્યચમત્કારને જોયા પછી ધર્મીને બહાર કયાંય ચમત્કાર ભાસતો નથી. સ્વર્ગના ઇન્દ્રનો અપાર વૈભવ હો, ધર્મી જીવને તેના તરફ લક્ષ નથી; ધર્મીને એ તુચ્છ ભાસે છે. વિષયની વાસનાનો જે રાગ થાય તે ધર્મીને ઝેર સમાન ભાસે છે. અહાહા...! હું તો અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ પરમાત્મસ્વરૂપ છું એવું જેને પર્યાયમાં ભાન થયું તે જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. નવાં કર્મ જ્ઞાનીને બંધાતાં નથી એમ અહીં કહે છે. અહો ! શું દૈવી ટીકા છે! જાણે અમૃતનાં ઝરણાં ઝરે છે! અન્યત્ર તો આવી ટીકા નથી પણ દિગંબરમાંય આવી ગંભીર ટીકા બીજા શાસ્ત્રમાં નથી. ૯૬ મી ગાથામાં આવી ગયું છે કે આ શરીર મૃતક કલેવર છે. અમૃતસાગર પ્રભુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૫ ] [ ૧૬૩ આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. ‘‘પોતાનો કેવળ બોધ (−જ્ઞાન ) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન ( પોતે ) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.'' ત્રણલોકનો નાથ અમૃતનો સાગર અંદર છલોછલ ભરેલો છે. તેને ભૂલીને મૃતક કલેવરમાં મૂર્છિત થયો છે એવો અજ્ઞાની જીવ પોતાના શુભાશુભ ભાવોનો કર્તા પ્રતિભાસે છે. શરીર છે એ તો હાડ-માસ-ચામડાથી બનેલું મૃતક કલેવર છે. જીવ નીકળ્યા પછી મૃતક એમ નહિ; હમણાં જ તે મૃતક ક્લેવર છે. આત્મા આ મૃતક ક્લેવમાં મૂર્ખાઈ ગયો છે. તેથી શરીર હું છું, શરીરની ક્રિયા હું કરું છું એવું માને છે. તે અજ્ઞાની જીવ અજ્ઞાનના કારણે વિકારનો કર્તા થાય છે. આ અજ્ઞાનીનો વિકાર (પુણ્યપાપના ભાવ) નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. કેટલાક કહે છે કે સમન્વય કરો તો બધું એક થઈ જાય. અરે ભાઈ ! આ શુદ્ધ તત્ત્વની સત્ય વાતનો જગતના બીજા કોઈ પંથ સાથે સમન્વય થઈ શકે એમ નથી. જેમ નેતરની છાલનો સૂતરના દોરા સાથે સમન્વય ન થાય તેમ જ્ઞાન અને અજ્ઞાનનો કદીય સમન્વય ન થાય, બેનો કદીય મેળ ન ખાય. પ્રભુ! માન કે ન માન; સત્ય આ છે. સત્ય માન્યા વિના તારો છૂટકારો નહિ થાય. ભાઈ ! આ તારા હિતનો માર્ગ છે; અને રાગથી લાભ થાય એમ માનવું એ અતિનો માર્ગ છે, અજ્ઞાન છે અને તેમાં તને મોટું નુકશાન છે. શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે દયા, દાન, હિંસા વગેરે શુભ-અશુભ ભાવની જે રચના કરે છે તે નપુંસક છે. ૪૭ શક્તિમાં એક વીર્યશક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે પોતાની વીતરાગ નિર્મળ પરિણતિની રચના કરે તે વીર્યશક્તિ છે. શુભાશુભ રાગની રચના કરે તે વીર્યશક્તિ નથી. શુભાશુભ રાગની રચના કરે એ તો નપુંસક છે. જેમ નપુંસકને પુત્રની પ્રાપ્તિ થતી નથી તેમ શુભરાગની પરિણતિથી નિર્મળ પરિણતિ પ્રગટ થતી નથી. પુણ્યની રુચિવાળા જીવો નપુંસક-હીજડા જેવા છે કેમકે તેઓ વીતરાગ-ભાવરૂપ ધર્મ પ્રગટ કરી શક્તા નથી. સમયસાર ગાથા ૩૯-૪૩ ની ટીકામાં તેમને નપુંસક કહ્યા છે અને પુણ્ય-પાપ અધિકારની ગાથા ૧૫૪ માં નામર્દ કહ્યા છે. સંસ્કૃતમાં જે ‘કલીબ' શબ્દ છે એનો અર્થ નપુંસક થાય છે. પોતાના આનંદના નાથને ભૂલીને જે પુણ્ય-પરિણામમાં રોકાઈ જાય અને રાગની રચના કરે એવા અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત છે. જ્ઞાની તો શુદ્ધ પરિણતિની રચના કરે છે. રાગ આવે છે તેને ગૌણ કરીને જ્ઞાની નિર્મળ પરિણતિને રચે છે. તેથી નવાં કર્મ જ્ઞાનીને બંધાતાં નથી. માટે નવા કર્મબંધનમાં જ્ઞાની નિમિત્ત નથી. અજ્ઞાની અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી તેનો તે ભાવ નિમિત્તભૂત થતાં પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીના પુણ્ય-પાપના ભાવ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તેથી “પદ્ગલિક કર્મ આત્માએ કર્યું ” એવો નિર્વિકલ્પ વિજ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ, વિકલ્પ-પરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી. આત્મા રાગરહિત નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવરૂપ છે. આવા નિજસ્વભાવથી અજ્ઞાની ભ્રષ્ટ છે. અજ્ઞાની વિકલ્પપરાયણ એટલે વિકલ્પમાં તત્પર છે, સ્વભાવમાં તત્પર નથી. વિકલ્પમાં તત્પર એવો અજ્ઞાની જે શુભાશુભ વિકલ્પ કરે છે તે વિકલ્પ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. તેથી અજ્ઞાની માને છે કે હું કર્મબંધનનો ઉપચારથી-વ્યવહારથી કર્તા છું. આવો ઉપચાર અજ્ઞાનીને લાગુ પડે છે. સ્વભાવને ભૂલીને રાગમાં તત્પર એવો અજ્ઞાની જે વિકલ્પ કરે છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત છે તેથી આત્માથી કર્મ બંધાણું એમ ઉપચારથી કહેવામાં આવે છે, તે પરમાર્થ નથી. પરની, જડની અવસ્થા તો પરથી એનાથી થાય છે. તેને કોણ કરે? શુભભાવ આવે પણ પરની ક્રિયા તે શુભભાવથી થાય છે એમ નથી. આ રથયાત્રામાં ભગવાન બિરાજમાન કરે અને રથને ચલાવે ઇત્યાદિ પરની ક્રિયા આત્મા કરતો નથી. ભાઈ ! આ વીતરાગનો માર્ગ તદ્દન જુદો છે. તેનું સ્વરૂપ સમજે તેને ભવ રહે નહિ એવો આ માર્ગ છે. એક બે ભવ રહે એ તો જ્ઞાતાનું જ્ઞય છે. અહીં કહે છે કે અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત છે તેથી કર્મ આત્માએ બાંધ્યું એવો અજ્ઞાનીઓનો જે વિકલ્પ છે તે ઉપચાર જ છે; પરમાર્થ નથી. * ગાથા ૧૦૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “કદાચિત થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.' કદાચિત્ એટલે અજ્ઞાનપણે અજ્ઞાની જીવ વિકારનો કર્તા છે તેથી બંધનમાં તેના વિકારને નિમિત્ત કહેવામાં આવે છે. તે નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે, અજ્ઞાની રાગનો કર્તા છે. તે રાગ પરની ક્રિયામાં નિમિત્ત છે. ત્યાં અજ્ઞાની પોતાને પરનો કર્તા માને છે તે ઉપચાર છે. પરમાર્થે આત્મા પરનો કર્તા છે જ નહિ. [ પ્રવચન નં. ૧૭૮ * દિનાંક ૭-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૬ कथमिति चेत् जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। ववहारेण तह कदं णाणावरणादि जीवेण।।१०६ ।। योधैः कृते युद्धे राज्ञा कृतमिति जल्पते लोकः। व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन।। १०६ ।। હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દષ્ટાંતથી કહે છે: યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે, એમ જ કર્યો વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. એમ , ગાથાર્થઃ- [ યોધ: ] યોદ્ધાઓ વડે [ યુદ્ધ તે] યુદ્ધ કરવામાં આવતાં, “[ રાજ્ઞા કૃતમ્] રાજાએ યુદ્ધ કર્યું' [ તિ] એમ [ નો:] લોક [ તે] (વ્યવહારથી) કહે છે [તથા] તેવી રીતે “[ જ્ઞાનાવરદ્રિ] જ્ઞાનાવરણાદિ કર્મ [ નીવેન નં] જીવે કર્યું ? [ વ્યવારેT] એમ વ્યવહારથી કહેવાય છે. ટીકાઃ- જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે “રાજાએ યુદ્ધ કર્યું” એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલ દ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે “આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી. ભાવાર્થ:- યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં “રાજાએ યુદ્ધ કર્યું' એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં “જીવે કર્મ કર્યું' એમ ઉપચારથી કહેવાય સમયસાર ગાથા ૧૦૬ : મથાળું હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દષ્ટાંતથી કહે છે: * ગાથા ૧૦૬ : ટીકા ઉપરનું પ્રવચન * “જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે “રાજાએ યુદ્ધ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી;...' એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરી શક્યું નથી એ વાત સિદ્ધ કરે છે. માટીમય ઘડારૂપી કાર્ય માટી કરે છે. કુંભાર તેને કરતો નથી. તેમ આત્મા રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ કરે ત્યારે જે કર્મ બંધાય તે જીવના ભાવથી બંધાતા નથી. જડકર્મની અવસ્થા જડ પરમાણુ દ્રવ્યથી થઈ છે અને તેમાં જીવના વિકારી ભાવ નિમિત્ત કહેવામાં આવે છે. પ્લાસ્ટીકના કારખાનામાં જે માલ તૈયાર થાય તે ક્રિયા પરમાણુઓથી થાય છે. એકેક પરમાણુ પોતે પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે. તે ક્રિયાને અન્ય પરમાણુ કે આત્મા કરે એમ બનતું નથી. તે ક્રિયાના કાળમાં જીવ પોતાના વિકારી પરિણામને કરે છે, પણ જડની ક્રિયા જે થાય તેને આત્મા કરતો નથી. જેટલા પ્રમાણમાં જીવ રાગદ્વેષાદિ ભાવ કરે તેટલા પ્રમાણમાં નવું કર્મ બંધાય છે છતાં જે કર્મ બંધાય છે તે ક્રિયાનો આત્મા કર્તા નથી. પોતાના રાગદ્વેષાદિ વિકારી ભાવનો તે અજ્ઞાની જીવ કર્તા હો, પણ પરના કાર્યનો તે જીવ કર્તા નથી. ધર્મી જીવ તો એમ જાણે છે કે હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ મારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. અહાહા....! “સિદ્ધ સમાન સદા પદ મેરો '-આવી શુદ્ધ સ્વરૂપની દષ્ટિ થવાથી જ્ઞાનીને પંચપરમેષ્ઠીની ભક્તિનો જે રાગ આવે છે તે રાગનો તે કર્તા થતો નથી. ભગવાનની ભક્તિનો રાગ તે અનર્થનું કારણ છે એમ તે જાણે છે. પંચાસ્તિકાય ગાથા ૧૬૮માં કહ્યું છે કે- “આ, રાગલવ-મૂલક દોષ પરંપરાનું નિરૂપણ છે. (અર્થાત્ અલ્પ રાગ જેનું મૂળ છે એવી દોષોની સંતતિનું અહીં કથન છે.) અહીં (આ લોકમાં) ખરેખર અહંતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગપરિણતિ વિના હોતી નથી. રાગાદિપરિણતિ હોતાં, આત્મા બુદ્ધિપ્રસાર વિનાનો (ચિત્તના ભ્રમણથી રહિત) પોતાને કોઈ પણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં ( ચિત્તનું ભ્રમણ હોતાં) શુભ વા અશુભ કર્મનો નિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું મૂળ રાગરૂપ કલેશનો વિલાસ જ છે.'' શુભરાગ કરતાં કરતાં મોક્ષ થાય, પરંપરા મોક્ષ થાય એ વાત છે જ નહિ. રાગ તો વિકાર છે, આસ્રવ છે, ઝેર છે. મુનિવરોને પંચમહાવ્રતનો શુભરાગ આવે છે પણ તે શુભરાગ અનર્થનું મૂળ છે એમ તેઓ જાણે છે. વળી ત્યાં પંચાસ્તિકાય ગાથા ૧૭૦માં કહ્યું છે કે- “આ, રાગરૂપ કલેશનો નિઃશેષ નાશ કરવા યોગ્ય હોવાનું નિરૂપણ છે.'' મતલબ કે રાગ રાખવા લાયક નથી પણ સંપૂર્ણપણે, જરાય બાકી ન રહે એવો નાશ કરવા યોગ્ય છે. પ્રશ્ન:- તો પંચાસ્તિકાય ગાથા ૧૭૦ની ટીકામાં અહંતની ભક્તિ આદિ શુભ-રાગને પરંપરા મોક્ષનો હેતુ કહ્યો છે ને? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૬ ] [ ૧૬૭ ઉત્તર:- હા, ત્યાં કહ્યું છે કે-“અહીં, અહંતાદિની ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમાં સાક્ષાત્ મોક્ષહેતુપણાનો અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો સદ્ભાવ દર્શાવ્યો છે.'' ભાઈ ! આ જે કથન છે તે આરોપથી કરવામાં આવ્યું છે એમ સમજવું. આવો કથંચિત્ મોક્ષહેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ આદિરૂપ શુભભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશમાત્ર પણ પરિણમનમાં નહિ હોવાથી યથાર્થ મોક્ષહેતુ બીલકુલ પ્રગટયો જ નથી, વિધમાન જ નથી. તો પછી તેના ભક્તિ આદિરૂપ શુભભાવોમાં આરોપ કોનો કરવો? જ્ઞાનીને પુણ્યભાવથી દેવલોકાદિ જે મળે તે કલેશ છે, દાહ છે; તે કાંઈ સુખ નથી. તેનો જ્યારે તે અભાવ કરશે ત્યારે પરમસુખસ્વરૂપ મોક્ષ પામશે. જેમ હલવો, સાકર, ઘી અને આટામાંથી બને છે તેમ મોક્ષપદની પ્રાપ્તિ શુદ્ધ જ્ઞાનદર્શન–ચારિત્રથી થાય છે. પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે, શુદ્ધ આત્મતત્ત્વને સ્પર્શીને જે જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે, સ્વરૂપમાં નિમગ્ન થઈને તેમાં જ લીન રહેવું, અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે. આ મોક્ષનો માર્ગ છે. સોગાનીજી સૌ પ્રથમ આવ્યા ત્યારે આટલું જ કહેલું કે પરલક્ષે જે વિકલ્પ ઉઠે છે. તેનાથી અંદર ભગવાન ભિન્ન છે. આ વાત સાંભળીને તેમને અંદર સ્વ તરફ ઢળી જવાની ધૂન ચઢી ગઈ. સમિતિના ઓરડામાં ઉંડું મંથન અને ધ્યાન કરતાં તેમને સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયું. તેઓ અલ્પ ભવમાં મોક્ષ જશે. તેઓએ દ્રવ્યદષ્ટિ પ્રકાશમાં લખ્યું છે કે-શુભરાગ આવે છે તે ધધકતી ભઠ્ઠી સમાન ભાસે છે. અહાહા...! નિર્મળાનંદસ્વરૂપ પોતે છે એવું જેને ભાન થયું તેને ભક્તિ આદિના શુભભાવનો રાગ કષ્ટરૂપ લાગે છે. જેમ સાકરના સ્વાદ સામે અફીણનો સ્વાદ કડવો લાગે છે તેમ અનુભવ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ જેને આવ્યો તેને શુભરાગનો સ્વાદ કડવો લાગે છે. જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તે શુભભાવ ધર્મીને કલેશરૂપ, દુઃખરૂપ ભાસે છે. અજ્ઞાનીના શુભભાવ અનર્થનું કારણ છે; તે પરંપરા મોક્ષનું કારણ નથી. સમ્યગ્દષ્ટિના શુભભાવને ઉપચારથી મોક્ષનું પરંપરા કારણ કહેવાય છે, કેમકે રાગના ફળમાં તે સ્વર્ગના કલેશ ભોગવી, મનુષ્યગતિમાં આવી સ્વરૂપમાં ઠરવાનો ઉગ્ર પુરુષાર્થ કરીને મોક્ષપદ પામશે. આ પ્રમાણે ધર્મી જીવના શુભરાગને મોક્ષની પરંપરા હેતુ ઉપચારથી જ કહેવામાં આવે છે. અહીં કહે છે કે યુદ્ધના પરિણામે યોદ્ધા પરિણમે છે; રાજા યુદ્ધના પરિણામે પરિણમતો નથી. રાજા તો આદેશ દઈ એકકોર બેઠો છે. આદેશના નિમિત્તે યુદ્ધના ભાવે પરિણમેલા યોદ્ધાઓ યુદ્ધ કરે છે. રાજા યુદ્ધમાં જોડાતો નથી. એવા રાજા વિષે “રાજાએ યુદ્ધ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી. હવે કહે છે-“તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે “આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું ?' એવો ઉપચાર છે, પરમાર્થ નથી.' પુદ્ગલદ્રવ્ય પોતે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે, અજ્ઞાની જીવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમતો નથી. અજ્ઞાની જીવ તો અજ્ઞાનભાવે પોતાના રાગદ્વેષાદિ પરિણામને ૬ છે. તે રાગદ્વેષાદિન નિમિત્તે પુદ્ગલ દ્રવ્ય સ્વયં કર્મરૂપે પરિણમી જાય છે. તેમાં, અજ્ઞાની જીવનું કાંઈ કર્તવ્ય નથી. બધી વસ્તુ સ્વતંત્ર જુદી છે. રજકણો સ્વતંત્ર ચીજ છે. રજકણો સ્વયં જ્ઞાનાવરણાદિરૂપે પરિણમી જાય છે. તેમાં અજ્ઞાની જીવ કાંઈ કરતો નથી. છતાં આત્માએ કર્મ કર્યું એમ કહેવું તે ઉપચાર છે, આરોપ છે; પરમાર્થ નથી. આત્મા જડકર્મની અવસ્થાનો કર્તા નથી તો તે બીજાનો ઉદ્ધાર કરે અને દેશની સેવા કરે ઇત્યાદિ વાત કયાં રહી? સમાજનાં, દેશનાં કે બીજાં બહાર જે પરદ્રવ્યનાં કાર્ય થાય તેનો આત્મા કર્તા નથી. ભગવાન! તારો તો ચૈતન્યદેશ છે. તેમાં જ્ઞાન આદિ અનંત ગુણથી ભરેલો કિંમતી માલ છે. શ્રીમદે કહ્યું છે કે હમ પરદેશી પંખી સાધુ, આર્ય દેશ કે નાહિ રે અહાહા...! જ્ઞાની કહે છે કે આ હિંદુસ્તાન અને સૌરાષ્ટ્ર તે અમારો દેશ નથી. અમારો દેશ તો જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. આવા પોતાના દેશને ઓળખી તેમાં જ સ્થિર થઈને વસવું-રહેવું તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, તે મોક્ષમાર્ગ અને મોક્ષપદરૂપ છે. * ગાથા ૧૦૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં “રાજાએ યુદ્ધ કર્યું'' એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ““જીવે કર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે.” પુદ્ગલદ્રવ્ય પોતે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે. આત્મા જડકર્મપણે પરિણમતો નથી. આત્માએ જડકર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. જડકર્મની જે પ્રકૃતિ બંધાય તે પુદ્ગલથી બંધાય છે, તેનો આત્મા કર્તા નથી. તો પછી વેપાર, ઉદ્યોગ વગેરે જે બહારની પરદ્રવ્યની ક્રિયા થાય તેને આત્મા કરે એ વાત જ કયાં રહી ? પરપરિણતિને કોણ કરે? અજ્ઞાનભાવે જે વિકારી ભાવ થાય તે એમાં નિમિત્ત છે. તેથી આત્માએ જડકર્મ કર્યું એમ કહેવું તે ઉપચાર છે, પરમાર્થ નથી. સંયોગદષ્ટિવાળાને આ વાત બેસવી મહા કઠણ છે. પરનાં કાર્ય જીવ કરે એમ માનવું એ બે દ્રવ્યોની એકતાબુદ્ધિ છે. તેણે બે દ્રવ્યોની ભિન્નતા માની નથી. બે દ્રવ્યો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૬ ] [ ૧૬૯ વચ્ચે અત્યંત અભાવ છે અને એક પરમાણુની પર્યાય અને બીજા પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે. સંયોગદષ્ટિવાળાને બધું એક ભાસે છે. પણ ભાઈ ! અભાવ શું કરે? જડકર્મ બંધાય તે તે પર્યાયની જન્મક્ષણ છે. જડકર્મની પર્યાય સ્વતંત્ર પરમાણુથી થઈ છે; રાગના પરિણામથી કર્મની પર્યાય થઈ છે એમ છે જ નહિ. આત્મા પરનું કાર્ય કરી શકતો નથી; આત્મા જડકર્મ બાંધતો નથી, જડકર્મને છોડતો નથી. પરને આત્મા શું કરે? ન જ કરે. ભાઈ ! આવી સૂક્ષ્મ તત્ત્વદષ્ટિ થયા વિના ધર્મ થવો સુલભ નથી. ભેદજ્ઞાન કરવું એ જ સાચો ઉપાય છે. [ પ્રવચન નં. ૧૭૯ * દિનાંક ૮-૯-૭૬] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૭ अत एतत्स्थितम्उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ।। १०७ ।। उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च। आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।। १०७ ।। હવે કહે છે કે ઉપરના હેતુથી આમ કર્યું - ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે પુદગલદરવને આતમા-વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. ગાથાર્થ- [ માત્મા] આત્મા [પુનિંદ્રવ્યમ] પુદ્ગલદ્રવ્યને [ ઉત્પાદ્રયતિ] ઉપજાવે છે, [કરોતિ ] કરે છે, [વનાતિ] બાંધે છે, [પરિણામયતિ] પરિણમાવે છે [] અને [મૃતિ ] ગ્રહણ કરે છે-એ [ વ્યવહારનયચ] વ્યવહારનયનું [ વ ] કથન છે. ટીકાઃ- આ આત્મા ખરેખર, વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યં-એવા પુદ્ગલદ્રવ્યાત્મક (પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્ય- વ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યં-એવા પુદ્ગલ- દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે. ભાવાર્થ- વ્યાયવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે. સમયસાર ગાથા : ૧૦૭ મથાળું હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યું: * ગાથા ૧૦૭: ટીકા ઉપરનું પ્રવચન * “આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થ-એવા પુદ્ગલ દ્રવ્યાત્મક (પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી;.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૭ ] [ ૧૭૧ જેમ યોદ્ધા યુદ્ધ લડે ત્યાં એમ કહેવું કે રાજા યુદ્ધ લડે છે-એ ઉપચારકથન છે તેમ જે કર્મનું બંધન થાય છે તે તેની પર્યાયની યોગ્યતાથી પોતાથી થાય છે તેને એમ કહેવું કે આત્મા કર્મ બાંધે છે તે ઉપચારનું, વ્યવહારનું કથન છે. જે કર્મ બંધાય છે તે વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એવા ભાવનો અભાવ છે. જડ કર્મ બંધાય છે તે વ્યાપ્ય અને ૫૨માણુ તેમાં વ્યાપક છે. જડ કર્મની પર્યાયનો કર્તા જડ પરમાણુ છે. આત્માને તે પર્યાય સાથે વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. માટે આત્મા જડ કર્મનો કર્તા નથી, અને જડ કર્મ આત્માનું કાર્ય નથી. જીવના જેવા વિકારી ભાવ હોય તેને અનુસાર જ કર્મપ્રકૃત્તિ બંધાય છે છતાં જે કર્મબંધનની પર્યાય થાય તે તેના પોતાના કારણે થાય છે; જીવના વિકારી ભાવના કારણે તે પર્યાય થતી નથી. જેટલું યોગનું કંપન અને કષાયભાવ હોય તેટલો ત્યાં સામે જડ કર્મમાં પ્રકૃત્તિ-બંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. યોગને લઈને પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય અને કષાયને લઈને સ્થિતિ અને અનુભાગબંધ થાય એમ જે શાસ્ત્રમાં આવે છે તે નિમિત્તનું કથન છે. અહીં કહે છે કે કર્મબંધની જે અવસ્થા થાય તે વ્યાપ્ય એટલે કાર્ય અને આત્મા તેનો વ્યાપક એટલે કર્તા એવા વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. કર્મબંધની અવસ્થા તે પરિણામ અને આત્મા પરિણામી-એવા પરિણામ-પરિણામીભાવનો અભાવ છે. જે ચાર પ્રકારે બંધ થાય તે પુદ્દગલપરમાણુની પર્યાય છે અને પરમાણુ તેમાં વ્યાપક છે. માટે કર્મબંધનની પર્યાયનો કર્તા પુદ્દગલપરમાણુ છે, પણ આત્મા તેનો કર્તા અને તે કર્મબંધ આત્માનું કાર્ય એમ છે નહિ. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! રુચિ-લગનીથી અભ્યાસ કરે તો પકડાય એમ છે. આત્મા જડકર્મ કરે અને આત્મા જડકર્મ ભોગવે-એ વાત ખોટી છે એમ અહીં કહે છે. જડકર્મ જે બંધાય તે પુદ્ગલથી પોતાથી બંધાય છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા-તે બન્ને જડકર્મની અવસ્થા પોતાના કારણે પરમાણુથી થાય છે. તેવી જ રીતે સ્થિતિ એટલે તેની મુદત અને અનુભાગ એટલે ફળદાનશક્તિ-તે કાર્ય પણ જડ પ૨માણુથી પોતાના કારણે થાય છે. આત્માને તેની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે. પરમાણુની કર્મબંધરૂપ પર્યાય વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એમ નથી. માટે આત્મા કર્મબંધનની પર્યાયનો કર્તા નથી. અને તે પર્યાય આત્માનું કાર્ય નથી. લોકો બિચારા બહારના વેપારધંધાની પાપની પ્રવૃત્તિમાં ગુંચાઈ ગયા છે. મજુ૨ની જેમ રાતદિવસ કષાયની મજુરી-વેઠ કરીને કાળ ગુમાવે છે. પણ ભાઈ! એ તો ચાર-ગતિમાં રખડપટ્ટીની મજુરી છે. ફુરસદ લઈને આ તત્ત્વ નહિ સમજે તો તારું કલ્યાણ નહિ થાય ભાઈ ! વ્યવહાર તો બોલવા માટે છે, કલ્પનામાત્ર છે. લૌકિક વ્યવહાર બધોય જૂઠો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આત્માને જડકર્મ સાથે પરિણામી પરિણામ સંબંધ નથી, કર્તાકર્મસંબંધ નથી. જડકર્મની પર્યાયનો આત્મા કર્તા નથી તો બહારનાં જે વેપારાદિ કામ થાય-જેમ કે માલ લીધોદીધો, પૈસા લીધાદીધા ઇત્યાદિ–તેનો કર્તા આત્મા કેમ હોય ? ત્રણકાળમાં નથી. બહારના પદાર્થોની ક્રિયા તે વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એમ છે નહિ. અરે ભાઈ! વિશ્વનો પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. પોતપોતાના પરિણામનો તે તે દ્રવ્ય કર્તા છે; બીજો તેનો કર્તા થાય એમ ત્રણકાળમાં બનતું નથી. કુંભાર ઘટરૂપી કાર્યનો કર્તા નથી તેમ આત્મા જડકર્મની પર્યાયનો કર્તા નથી. જડકર્મનો બંધ થાય તેના ચાર પ્રકાર છે; પરમાણુની સંખ્યા તેનું નામ પ્રદેશબંધ, તેનો સ્વભાવ તે પ્રકૃતિ બંધ, અમુક કાળની મુદત પડે તે સ્થિતિબંધ, અને ફળદાનશક્તિ તે અનુભાગબંધ. આ ચારેય અવસ્થાના તે તે પરમાણુ કર્તા છે, આત્મા તેનો કર્તા નથી. ચારેય પ્રકારે જે કર્મબંધનની અવસ્થા થાય તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. તે કર્મબંધની અવસ્થાને તે સમયે પરમાણુ પહોંચી વળે છે, તેને બીજો (જીવ) પહોંચતો નથી. માટે તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. આ રોટલી થઈ તે કાર્ય છે. તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. રોટલીના પરમાણુ તે નિયત પર્યાયને પહોંચીને પ્રાપ્ત કરે છે, રસોઈ કરનારી બાઈ તેને પહોંચીને પ્રાપ્ત કરતી નથી. બાઈએ રોટલી કરી એ તો બોલવામાત્ર કથન છે, વસ્તુસ્વરૂપ નથી. તેમ જડકર્મ જે સમયે બંધાય તે બંધની અવસ્થા તે કર્મના પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. તેને તે પરમાણુ પ્રાપ્ત કરે છે, આત્મા તેને પ્રાપ્ત કરતો નથી. આ પરમાગમ મંદિરની રચના થઈ તે કાર્ય છે. તે પુગલ પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. મંદિર સ્થિત પુદ્ગલદ્રવ્યના પરમાણુઓએ તે નિયત પર્યાયને પહોંચીને પ્રાપ્ત કરી છે. કારીગર કે અન્ય કોઈએ તે અવસ્થાને પહોંચીને પ્રાપ્ત કરી નથી. તેથી મંદિરની રચના તે યુગલપરમાણુનું કાર્ય છે, અન્ય કોઈનું તે કાર્ય નથી. આ લાદીના પથરા ઊંચા, નીચા થયા અને ગોઠવાઈ ગયા એ બધું જડનું પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલદ્રવ્ય તેને પહોંચી વળ્યું છે માટે તે પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે; તે આત્માનું કાર્ય નથી. ગજબ વાત છે! પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે કર્મની વાત સમયસારની ગાથા ૭૬, ૭૭, ૭૮ અને ૭૯ માં આવી ગઈ છે. તે વાત અહીં આ ૧૦૭ મી ગાથામાં કરી છે. પ્રવચનસાર ગાથા પર માં પણ આ શબ્દ આવે છે. આ અક્ષર “ વીતરાગાય નમ:' લખાય તે કાર્ય છે. તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. પરમાણમાં તે સમયે તે અક્ષરો લખવારૂપ કાર્ય થવા યોગ્ય છે તે થાય છે અને તેને તે તે પરમાણુ પ્રાપ્ત કરે છે તેથી તેને પ્રાપ્ય કર્મ કહે છે. વળી પરમાણુની પૂર્વની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૭ ] [ ૧૭૩ અવસ્થા બદલીને તે કાર્ય થાય માટે તેને વિકાર્ય કર્મ કહે છે. અને નવીન પર્યાયરૂપે ઊપજે છે માટે તેને નિર્વર્ત્ય કર્મ કહે છે. દ્રવ્યમાં જે ધ્રુવપણે (સ્વકાળ નિયત ) પર્યાય છે તેને પ્રાપ્ત કરી માટે તે પ્રાપ્ય, પૂર્વ અવસ્થા બદલીને થઈ માટે વિકાર્ય અને નવી ઊપજી માટે નિર્વર્ત્ય-એમ ત્રણે એક જ સમયની પર્યાયના ભેદ છે. તેનો કર્તા તે તે પુદ્ગલપરમાણુ છે; જીવ તેનો કર્તા નથી. જુઓ, સામા જીવનું આયુ અને તેના શરીરની જે અવસ્થા છે તે પરમાણુનું પ્રાપ્ય છે, તેનો કર્તા તે પરમાણુ છે. ત્યાં બીજો કોઈ કહે કે મેં એની દયા પાળી તો તે મિથ્યાદષ્ટિ છે. વીતરાગ જિનેશ્વરદેવનો માર્ગ બહુ જુદી જાતનો છે ભાઈ! આવી વાત જગતમાં બીજે કયાંય નથી. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એ ત્રણેય એક સમયની પર્યાયના ભેદ છે. તે વસ્તુની પરિપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરે છે. પુદ્દગલદ્રવ્યાત્મક કર્મ જે બંધાય તેને આત્મા ગ્રહતો નથી. જોગને લઈને કર્મ૫૨માણુને ગ્રહે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે, ઉપચાર છે. તે વાસ્તવિક કથન નથી. મોહનીય કર્મમાં ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરો-પમની સ્થિતિ પડે છે અને જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પડે છે તે તે પર્યાયની પોતાની યોગ્યતાથી છે. તે પર્યાયનો કર્તા કર્મના પરમાણુ છે. અહીં જીવને કષાય થયો માટે ત્યાં સ્થિતિબંધ થયો એમ છે નહિ. તેવી રીતે કર્મનો અનુભાગ બંધ થાય, ફળદાનશક્તિનો બંધ પડે તે તેની યોગ્યતાથી થાય છે. તે પુદ્દગલદ્રવ્યનું પ્રાપ્ય કર્મ છે. કર્મબંધની અવસ્થાને પુદ્ગલદ્રવ્ય ગ્રહે છે, આત્મા ગ્રહતો નથી. અરે ભાઈ! કર્મની સાથે તદ્દન નજીકનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છતાં તેનો આત્મા કર્તા નથી તો પછી બીજાં બહારનાં હાલવું, ચાલવું, ખાવું, પીવું, બોલવું ઇત્યાદિ કાર્ય થાય તેનો આત્મા કર્તા થાય એમ કેમ બને ? ત્રણકાળમાં ન બને. આ આંગળી હલે તે આંગળીના પરમાણુનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે. આત્મા આંગળીને હલાવી શકે નહિ. અહીં કહે છે કે જડ કર્મબંધનની અવસ્થા થાય તે પુદ્ગલદ્રવ્યનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, જીવ તેનો કર્તા નથી. જડ અને આત્માને વ્યાપ્યવ્યાપભાવનો અભાવ હોવાથી આત્મા જડ કર્મને ગ્રતો નથી, પરિણમાવતો નથી, ઊપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી. હવે કહે છે કે 66 ‘અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, ‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવા પુદ્દગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે’’ એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.’ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આ માટીમય ઘડો છે તે કાર્ય છે. તે માટીનું કાર્ય છે. માટી તેમાં વ્યાપક થઈને રહેલી છે તેથી માટી તેનો કર્તા છે. ઘડો તે કુંભારનું વ્યાપ્ય કર્મ નથી. કુંભાર ઘડામાં વ્યાપક થઈને, પ્રસરીને રહેલો નથી. ઘડાની અવસ્થાને અને કુંભારને વ્યાખવ્યાપકભાવનો અભાવ છે. માટે ઘડારૂપ કાર્યનો કુંભાર કર્તા નથી. ઘડો માટીમાંથી પોતાની અવસ્થારૂપે થાય છે અને કુંભાર તેમાં નિમિત્તમાત્ર છે. તેથી કુંભારે ઘડો કર્યો એમ ઉપચારથી કહેવાય છે. વાસ્તવમાં કુંભારે ઘડો કર્યો નથી. ૫૨ પદાર્થનાં જે કાર્ય થાય તે તેનાથી થાય છે. છતાં નિમિત્ત દેખીને બીજાએ કાર્ય કર્યું એમ કહેવું તે વ્યવહારનું કથન છે, ઉપચારકથન છે; તે વાસ્તવિક કથન નથી. અજ્ઞાની જીવનો જે વિકલ્પ છે કે પરનાં કામ હું કરું છું તે વિકલ્પ ઉપચાર છે. જ્ઞાનીને તો પોતાના જ્ઞાતાદષ્ટા સ્વભાવનું ભાન છે. તેથી તેના પરિણામ બંધમાં નિમિત્ત નથી. ખરેખર તો જ્ઞાનીને બંધ નથી. ધર્મીને વીતરાગ પરિણામ હોય છે. તેથી તેને કર્મનું બંધન થાય અને તેમાં તેના પરિણામ નિમિત્ત થાય એવું બનતું નથી. ધર્મી જીવને પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વરૂપનું ભાન થયેલું છે. તે જાણે છે કે હું તો શુદ્ધ ચૈતન્યમય અખંડ અભેદ એકરૂપ આત્મા છું. તે કાળે જે રાગ થાય અને જડ કર્મની પ્રકૃતિ બંધાય તે તેના જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તો સ્વપ૨ને જાણતું થકું પોતાના ઉપાદાનથી થયું છે તેમાં રાગ અને કર્મની અવસ્થા નિમિત્ત કહેવામાં આવે છે. કર્મના પ્રકૃતિ અને પ્રદેશબંધમાં જ્ઞાની નિમિત્ત છે એમ છે નહિ. અજ્ઞાની જોગ અને રાગનો કર્તા છે. તે અજ્ઞાનીના જોગ અને રાગ જે કર્મબંધ થાય એમાં નિમિત્ત છે. છતાં જો એમ કહ્યું હોય કે જોગ અને રાગથી કર્મબંધ થાય છે તો તે વ્યવહારનું ઉપચારકથન છે; તે પરમાર્થથન નથી. ઉપચારનો અર્થ વ્યવહાર કલ્પના છે. ૫૨નો કર્તા નથી છતાં કહેવું તે ઉપચાર છે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. પ્રતિસમય પદાર્થની જે અવસ્થા થાય તે તેના કાળે તેનાથી થાય છે. તે કાર્ય થવાની તે જન્મક્ષણ છે. પદાર્થની તે પર્યાયને કોઈ અન્ય કરે તે વાત તદ્દન ખોટી છે. પુદ્દગલદ્રવ્યસ્વરૂપ કર્મબંધની જે સમયે જે પર્યાય થાય તે તેનાથી પોતાથી થાય છે અને તે તેની જન્મક્ષણ છે. ૫૨માણુમાં તે પર્યાય ઉત્પન્ન થવાનો સ્વકાળ છે તેથી ત્યાં તે કર્મબંધની પર્યાય ઉત્પન્ન થાય છે. આત્મા તે કર્મબંધની પર્યાયને ગ્રહતો કે ઉપજાવતો નથી. જીવે રાગ કર્યો માટે તે કર્મબંધરૂપ કાર્ય થયું છે એમ નથી. રાગ તો નિમિત્તમાત્ર છે. રાગથી કર્મબંધન થયું વા આત્માએ કર્મબંધન કર્યું એમ કહેવું તે ઉપચાર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૭ ] [ ૧૭૫ * ગાથા ૧૦૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલ દ્રવ્યને ગ્રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.” વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ હોતો નથી. છતાં ત્યાં કર્તાકર્મ કહેવામાં આવે તે ઉપચાર છે. આત્મા જડને ગ્રહે, પરિણમાવે, ઉપજાવે-એમ કહેવું તે ઉપચારકથન છે, વાસ્તવિક નથી. [ પ્રવચન નં. ૨૦૮ (૧૯ મી વારનું) * દિનાંક ૧-૩-૭૯] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૦૮ कथमिति चेत् जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।। १०८ ।। यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः। तथा जीवो व्यवहारत् द्रव्यगुणोत्पादको भणितः।। १०८ ।। હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દાંતથી કહે છે: ગુણદોષઉત્પાદક કહ્યો રામ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮. ગાથાર્થઃ- [વથા ] જેમ [ Sાના ] રાજાને [ રોષગુણોત્પાવવ: તિ] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [ વ્યવહારત] વ્યવહારથી [ સાવિત:] કહ્યો છે, [ તથા] તેમ [ નીવ:] જીવને [દ્રવ્યોત્વા:] પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [વ્યવETRI] વ્યવહારથી [ મણિત:] કહ્યો છે. ટીકાઃ- જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાયવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તો પણ તેમનો ઉત્પાદક રાજા છે” એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુદગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાય- વ્યાપકભાવનો અભાવ છે તોપણ-“તેમનો ઉત્પાદક જીવ છે' એવો ઉપચાર કરવામાં આવે છે. ભાવાર્થ- જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે. સમયસાર ગાથા ૧૦૮: મથાળું “હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દષ્ટાંતથી કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૮ ] [ ૧૭૭ * ગાથા ૧૦૮: ટીકા ઉપરનું પ્રવચન * જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ-““તેમનો ઉત્પાદક રાજા છે' ' એવો ઉપચાર કરવામાં આવે છે....” લોકમાં કહેવાય છે કે “જેવો રાજા તેવી પ્રજા.' આ તો કથનમાત્ર છે, નિમિત્તનું કથન છે. બાકી રાજાની પર્યાય રાજામાં અને પ્રજાની પર્યાય પ્રજામાં છે. પ્રજાના ગુણદોષ અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ છે. પરંતુ પ્રજાના ગુણદોષ અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. રાજાના કારણે કાંઈ પ્રજા ગુણ કે દોષ કરતી નથી. રાજા પોતાના દષ્ટ પરિણામથી નરકગતિમાં જાય, અને પ્રજા પોતાના ગુણથી મોક્ષપદ પામે. ભાઈ ! દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. રાજા તેવી પ્રજા એ તો વ્યવહાર કર્યો છે, બાકી એ કાંઈ વાસ્તવિકતા નથી. પ્રજાના પોતાના ભાવથી પોતાના ગુણદોષની ઉત્પત્તિ થાય છે. પ્રજાના ગુણદોષને રાજા ઉત્પન્ન કરે છે વા રાજાના કારણે પ્રજામાં ગુણદોષ ઉત્પન્ન થાય છે એમ નથી, કેમકે પ્રજાના ગુણદોષ વ્યાપ્ય અને એનો રાજા વ્યાપક-એવો વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. આમ છે છતાં પ્રજાના ગુણદોષનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. “બાપ એવા બેટા” એ પણ નિમિત્તનું ઉપચારકથન છે. બાપ હોય તે નર્ક જાય અને દીકરો મોક્ષ જાય. તીવ્ર માનાદિ કષાય કરીને બાપ ઢોરગતિમાં જાય અને મંદરાગના પરિણામથી યુક્ત દીકરો મરીને સ્વર્ગે જાય, વા મનુષ્ય થાય. “બાપ એવા બેટા” એ કયાં નિયમ રહ્યો? એ તો માત્ર ઉપચારકથન છે. આ સ્ત્રીને લોકમાં અર્ધાગના નથી કહેતા? એમ કે મારું અડધું અંગ અને સ્ત્રીનું અડધું અંગ એમ બે મળીને એક છીએ. ધૂળેય એક નથી, સાંભળને. સ્ત્રી મરીને સ્વર્ગ જાય અને પતિ દુષ્ટભાવથી મરીને નર્ક જાય; કયાં એકપણું રહ્યું? અરે ! જીવ પરને પોતાનું માની માનીને અનંતકાળથી મરી રહ્યો છે-રઝળી રહ્યો છે! વાસ્તવમાં કોઈ કોઈનું કાંઈ કરતું નથી. પરદ્રવ્યની પર્યાયને જીવ કરે છે એમ કહેવું તે ઉપચારકથન છે. હવે કહે છે-“તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલ દ્રવ્યને વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ-“તેમનો ઉત્પાદક જીવ છે' એવો ઉપચાર કરવામાં આવે છે.” સ્વ-ભાવથી જ એટલે કે પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ જડ કર્મ બંધાય છે. કર્મની પ્રકૃતિના ગુણદોષને અને આત્માના વિકારી ભાવને નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આત્મા તેનો કર્તા નથી. અજ્ઞાની જોગ અને રાગનો કર્તા છે. તેના તે પરિણામ જડ કર્મની પર્યાયને નિમિત્ત કહેવામાં આવે છે, પણ તે પરિણામ જડ કર્મના કર્તા નથી. કોઈ સમિતી વેપારી હોય અને દુકાનના થડે બેઠો હોય. ત્યાં માલની જે લેવડ-દેવડની ક્રિયા થતી હોય તેનો તે જ્ઞાતા-જાણનાર છે, કર્તા નથી. જ્ઞાનીના જ્ઞાનમાં તે પદાર્થની ક્રિયા નિમિત્ત થાય છે, જ્ઞાની તેને નિમિત્ત નથી. જ્ઞાની તો જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં વ્યાપક થઈને જ્ઞાનની પર્યાયને પ્રાપ્ત કરે છે. તે કાળે જે રાગ આવ્યો અને પ્રકૃતિ બંધાઈ તેનું અહીં જ્ઞાન થયું પણ તે જડ પ્રકૃતિની પર્યાય અને જોગ અને રાગની પર્યાયનો જ્ઞાની કર્તા નથી. પુદ્દગલમાં શાતા બંધાય, અશાતા બંધાય એ બધા પુદ્દગલના ગુણદોષ કહેવામાં આવે છે. પુદ્દગલના ગુણદોષને પુદ્ગલ કરે છે, આત્મા તેને કરતો નથી. પુદ્દગલના ગુણદોષને અને જીવને વ્યાખવ્યાપકભાવનો અભાવ છે. પુદ્ગલની પર્યાય તે કાર્ય અને આત્મા તેનો કર્તા એવા ભાવનો અભાવ છે, તોપણ ‘તેમનો ઉત્પાદક જીવ છે' એમ ઉપચાર કરવામાં આવે છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચાર કરવામાં આવે છે. ભાવાર્થ:- જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. ૫રમાર્થદષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે. [પ્રવચન નં. ૨૦૮ (૧૯ મી વારનું) * ૧-૩-૭૯ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૦૯ થી ૧૧૨ __ (वसंततिलका) जीवः करोति यदि पुद्गलकर्मनैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।। ६३ ।। सामण्णपचया खलु चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा।। १०९ ।। तेसिं पुणो वि य इमो भणिदो भेदो दुतेरसवियप्पो। मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ।। ११० ।। एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा। ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा।।१११ ।। હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છે: श्लोार्थ:- ‘[ यदि पुद्गलकर्म जीवः न एव करोति] हो पुसभने ७५ २तो नथी [ तर्हि ] तो [ तत् कः कुरुते] तेने छोरा छ?' [इति अभिशङ्कया एव ] मेवी आशंडी ऽशने, [ एतर्हि ] वे [ तीव्र-रय-मोह-निवर्हणाय] तीव्र वेगवा भोनो (इताऽ५४॥न। शाननी) न॥ १२॥ भाटे, [ पुद्गलकर्मकर्तृ सङ्कीर्त्यते ] 'पुरानो [ 5ो छ' ते हामे छीमे; [शृणुत] ते (हे शानना ४२७६ पुरुषो!) तमे समो . 53. પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છેઃ સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા, -મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯. વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, - મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦. પુગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, तो ४२. मतो, भोतायतेनी ५ न. १११. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates १८० ] [ प्रवयन रत्ना३२ (भाग-५ गुणसण्णिदा दु एदे कम्मं कुव्वंति पच्चया जम्हा। तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि।। ११२ ।। सामान्यप्रत्ययाः खलु चत्वारो भण्यन्ते बन्धकर्तारः। मिथ्यात्वमविरमणं कषाययोगौ च बोद्धव्याः।। १०९ ।। तेषां पुनरपि चायं भणितो भेदस्त त्रयोदशविकल्पः। मिथ्यादृष्ट्यादिः यावत् सयोगिनश्चरमान्तः।। ११० ।। एते अचेतनाः खलु पुद्गलकर्मोदयसम्भवा यस्मात्। ते यदि कुर्वन्ति कर्म नापि तेषां वेदक आत्मा।। १११ ।। गुणसंज्ञितास्तु एते कर्म कुर्वन्ति प्रत्यया यस्मात्। तस्माज्जीवोऽकर्ता गुणाश्च कुर्वन्ति कर्माणि।। ११२।। જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યયો કર્મો કરે, तेथी मत 4 छ, 'गु' ६२ छे भन. ११२. थार्थ:- [ चत्वारः ] य२. [ सामान्यप्रत्ययाः ] सामान्य *प्रत्ययो [ खलु] निश्चयथा [बन्धकर्तारः] बंधन॥ 5 [भण्यन्ते] ठेवामां आवे छ- [ मिथ्यात्वम् ] मिथ्यात्य, [ अविरमणं] अविरम। [च] तथा [ कषाययोगौ] उपाय भने यो। ( अ या२) [बोद्धव्याः] 14. [पुनः अपि च] अने. वणी [ तेषां] मनो, [अयं] मा [त्रयोदशविकल्पः] ते२ प्रा२नो [भेद: त] (मेह [भणितः ] हेवाम माव्यो - [ मिथ्यादृष्ट्यादि:] मिथ्याष्टि (गुस्थान) थी भजीने [ सयोगिनः चरमान्तः यावत् ] सयोगवणी (गुस्थान) ॥ २२ समय सुधानो, [एते] ॥ (प्रत्ययो अथवा गुस्थानो) [खलु] ४ो निश्चयथा [अचेतनाः ] अयेतन छ [ यस्मात् ] ॥२४॥ ॐ [ पुद्गलकर्मोदयसम्भवाः ] Y६सन। यथा उत्पन्न थाय छ [ ते] तेओ [ यदि] [कर्म ] धर्म [ कुर्वन्ति] २. तो मत ४२; [ तेषां] तमनो (र्भानो) [वेदकः अपि] मोऽ। ५९॥ [ आत्मा न ] मामा नथी. [ यस्मात् ४थी [ एते] २॥ [ गुणसंज्ञिताः तु] 'गुए।' नमन। [प्रत्ययाः] प्रत्ययो [कर्म] धर्भ [ कुर्वन्ति] छ [ तस्मात् ] तेथी [ जीव: ] ७५ तो [अकर्ता] भनो मत छ [च ] भने [ गुणाः] 'गु' ४ [ कर्माणि ] भने [ कुर्वन्ति ] ७२. . ટીકા:- ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્યા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં ), * प्रत्ययो = निधन २५॥ अर्थात मासयो Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૯ થી ૧૧૨ ] [ ૧૮૧ મિથ્યાષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્યા છે. હવે, જેઓ પુદગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે “પુદગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાષ્ટિ થઈને પુદગલકર્મને કરે છે”. (તેનું સમાધાનઃ-) આ તકે ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી. તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો કે જેઓ “ગુણ' શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુલકર્મોનો અકર્તા છે, “ગુણો” જ તેમના કર્તા છે; અને તે “ગુણો” તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. ભાવાર્થ:- શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલ દ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (-કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે. * હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છે: * કળશ ૬૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * યતિ પુત્તિવર્ષ નીવ: ર વ રોતિ' જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી “તર્દિ' તો તત્ : તે' તેને કોણ કરે છે? “રુતિ મિશયી થવ' એવી આશંકા કરીને, –આશંકા કરીને એટલે આપે જે કહ્યું તે સત્ય ન હોય એમ શંકા કરીને નહિ, પણ સમજમાં ન બેસતા આ કેવી રીતે છે એમ યથાર્થ સમજવાની જિજ્ઞાસા કરીને- ‘તર્દિ' હવે “તીવ્ર-૨-મોહેંનિવર્ડ ' તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો) નાશ કરવા માટે, પુનિવર્મવેરૂં સદીત્યંતે' પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે કહીએ છીએ; “પુત' તે હે જ્ઞાનના ઇચ્છુક પુરુષો! તમે સાંભળો. અહાહા...! દ્રવ્ય તો શુદ્ધ છે; તે કર્મનો કર્તા નથી. તો કર્મનો કર્તા કોણ છે તે મિથ્યાત્વના નાશ માટે કહીએ છીએ તો હે જિજ્ઞાસુ પુરુષો! સાંભળો એમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ સમયસાર ગાથા ૧૦૯ થી ૧૧૨ : મથાળું પુદગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છે: * ગાથા ૧૦૯ થી ૧૧૨ : ટીકા ઉ૫૨નું પ્રવચન * ‘ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્દગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં ), મિથ્યાદષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે.’ તેર ગુણસ્થાનના જે ભેદ છે તે બધા અચેતન પુદ્ગલ છે એમ અહીં કહે છે. તેર ગુણસ્થાનો ભગવાન આત્મામાં-ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં કયાં છે? આ વાત ગાથા ૬૮માં આવી ગઈ છે. ૧. પુદ્દગલકર્મનો પુદ્દગલદ્રવ્ય જ એક કર્તા છે. ૨. એના વિશેષો ચાર-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચા૨ કર્તા છે. ૩. તેઓ જ ભેદરૂપ કરતાં મિથ્યાદષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે. જુઓ, પહેલાં એક કર્તા છે એમ કહ્યું, પછી તેના ચાર ભેદ કહ્યા અને પછી તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં મિથ્યાદષ્ટિથી માંડીને સયોગીકેવળી સુધીના તેર કર્તા છે એમ કહ્યું. અહીં એમ સમજાવવું છે કે આત્મા જે અખંડ એક શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે તેનું લક્ષ કર તો મિથ્યાત્વાદિ જે ભાવ છે તેનો નાશ થઈ જશે. તેર ગુણસ્થાન છે તે જીવનું સ્વરૂપ નથી કેમકે એ તો પુદ્દગલકર્મના કારણે પડેલા ભેદ છે. તેને પુદ્ગલ-કર્મ કરે તો કરો; એમાં આત્માને શું છે? એમ કહીને આત્મા અભેદ એક શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે એમ સિદ્ધ કરવું છે. શુદ્ધ જીવદ્રવ્ય છે તે આ તેર ગુણસ્થાનનું કર્તા નથી. હવે કહે છે ‘ હવે, જેઓ પુદ્દગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાખવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું ! ( કાંઈ જ નહિ.)' શું કહે છે? આ તેર ગુણસ્થાનો પુદ્દગલકર્મનો વિપાક છે. માટે તેઓ અચેતન છે. તેમાં ચિત્સ્વરૂપ ભગવાન આત્માનો પાક નથી. જીવની બધી અશુદ્ધ પર્યાયોને અહીં પુદ્દગલમાં નાખી દીધી છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન આનંદનો નાથ પ્રભુ છે. પુદ્દગલકર્મનો વિપાક જે મિથ્યાત્વથી માંડીને તે ગુણસ્થાનો છે તે એમાં નથી. મિથ્યાત્વ છે તે પુદ્દગલકર્મનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૯ થી ૧૧૨ ] [ ૧૮૩ વિપાક છે. તે શુદ્ધ ચૈતન્યનું ફળ એટલે પરિણમન નથી. અહીં આત્મા જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે. તેની દૃષ્ટિ કરાવવી છે કેમકે આત્માને શુદ્ધ જાણે તે શુદ્ધને અનુભવ અને અશુદ્ધને જાણે તે અશુદ્ધને અનુભવે-પામે. અહાહા...! આત્મા દ્રવ્ય જે વસ્તુ છે એ તો સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક-પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય છે. તે દ્રવ્યકમને કેમ કરે? પયોયના જે ભેદ પડ તે પણ પુગલકમનો પાક છે. મિથ્યાત્વ છે તે દર્શનમોહકર્મનો પાક છે, અવિરતિ છે તે ચારિત્રમોહકર્મનો પાક છે, મિથ્યાત્વથી માંડીને સયોગીકેવળી સુધીના તેર ગુણસ્થાનો કર્મનો વિપાક છે અને તેથી તેઓ અત્યંત અચેતન છે. સયોગી ગુણસ્થાન અચેતન છે. સયોગી છે ને? અહાહા..!! ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ પરમપારિણામિકસ્વભાવરૂપ વસ્તુ આત્મામાં કયાં છે એ? નથી. જે પુદ્ગલકર્મનો પાક છે એવાં અચેતન તેર ગુણસ્થાનો-તેર કર્તાઓ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને કરે તો કરે; તેમાં જીવને શું આવ્યું? જીવ તો શુદ્ધ અકર્તા છે; નવું જે કર્મ બંધાય તે આ તેર કર્તાઓનું વ્યાપ્ય છે. ખરેખર તો દરેક દ્રવ્ય પોતે વ્યાપક છે અને પોતાની પર્યાય તે વ્યાપ્ય છે. એ વાત અહીં નથી કહેવી. અહીં તો એમ કહેવું છે કે તેર ગુણસ્થાનો જે છે તે વ્યાપક છે અને નવાં કર્મ બંધાય તે વ્યાપ્ય છે. વિકારી ભાવ પ્રસરીને નવાં કર્મ જે વ્યાપ્ય તેને બાંધે છે-એમ અહીં સંબંધ લેવો છે. વ્યાપ્યવ્યાપકભાવ ખરેખર એક જ દ્રવ્યમાં હોય છે. દ્રવ્ય કર્તા તે વ્યાપક અને તેનું કર્મ વા પર્યાય તે એનું વ્યાપ્ય છે. પણ અહીં જુદી શૈલીથી વાત કરી છે. આત્મા શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે અને તેર ગુણસ્થાનો અચેતન છે. ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મા એ તેર અચેતન ગુણસ્થાનને કેવી રીતે કરે? કદી ન કરે. અચેતન એવાં ગુણસ્થાનો શુદ્ધ આત્મદ્રવ્યમાં છે જ નહિ તો પછી આત્મા નવાં કર્મ બાંધે એ ક્યાં રહ્યું? અહો ! ભેદજ્ઞાનની આ અલૌકિક વાત છે. દ્રવ્ય જે છે એ તો શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે. નવું કર્મ જે બંધાય તે તેર ગુણસ્થાનના કારણે બંધાય છે. ગુણસ્થાન તે વ્યાપક અને પુદ્ગલકર્મ તે એનું વ્યાપ્ય છે. આત્મા તેમાં વ્યાપક નથી. આત્મા જે તેર અચેતન ગુણસ્થાનમાં આવતો નથી તે નવા કર્મબંધનમાં કેમ આવે? કર્મબંધનને તે કેવી રીતે કરે? અહાહા...! શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરવાની જેને રુચિ જાગી છે તેને મિથ્યાત્વાદિ હોય તે અલ્પકાળમાં ટળી જાય એવી આ અપૂર્વ વાત છે. કહે છે-તેર ગુણસ્થાનો અચેતન છે, પુદ્ગલ છે. તે નવા કર્મને કરે તો કરે; તેમાં જીવને શું આવ્યું? ખૂબ ગંભીર વાત છે, ભાઈ ! જીવ તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. પર્યાયમાં ભલે મિથ્યાત્વાદિ હો, પણ શુદ્ધ ચૈતન્યમયસ્વરૂપનું લક્ષ કરતાં તે સર્વ છૂટી જશે, મટી જશે એમ વાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ જયસેન આચાર્યની ટીકામાં આવે છે કે હળદર અને ફટકડી બેના મળવાથી લાલ રંગ થાય, એકથી ન થાય. પુત્ર થાય તે માતા-પિતા બેથી થાય; પુત્ર એકનો ન થાય. તેમ જ વિકાર થાય છે તે ચૈતન્યની પર્યાયની યોગ્યતાથી થાય છે તેમાં પુદ્ગલ ભેગું છે. એમ કહીને તે પુલકર્મનું કાર્ય છે એમ બતાવવું છે. અહીં કહે છે કે આ તેર કર્તાઓ પુદ્ગલકર્મને કરે તો કરે; જીવને એમાં કાંઈ નથી. જીવ તો શુદ્ધ ચિદાનંદમય ભગવાન છે. ૬૮મી ગાથામાં આવી ગયું છે કે-જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. એ ન્યાયે, મિથ્યાત્વાદિ ગુણસ્થાનો મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. શુદ્ધ દ્રવ્યનું-ભગવાન સચ્ચિદાનંદ-સ્વરૂપનું જેને લક્ષ થયું છે તેને ભલે ગુણસ્થાનો થોડું પુદ્ગલકર્મ બાંધે, તે શુદ્ધના લક્ષ સ્વરૂપસ્થિરતાનો ઉગ્ર પુરુષાર્થ કરીને તેર ગુણસ્થાનથી રહિત થઈ અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. આચાર્ય કહે છે કે-હે જ્ઞાનના ઇચ્છક પુરુષ! તું સાંભળ. એકલા દ્રવ્યસ્વભાવથી જોતાં તું ચૈતન્યમૂર્તિ જ્ઞાનનો પુંજ, આનંદરસનો કંદ, શુદ્ધ જ્ઞાયક પ્રભુ આત્મા છો. એમાં આ મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાનો કયાં છે? નથી; કેમકે એ તો બધાં પુદગલકર્મનો વિપાક છે. પુદગલનાં ફળ છે; ચૈતન્યનું ફળ નથી. જુઓ, અશુદ્ધ નિશ્ચયથી જે જીવની પર્યાય છે તેને વ્યવહાર ગણીને અહીં પુદ્ગલકર્મનો વિપાક કહ્યો છે. આમ કહીને આચાર્યદવ ગુણસ્થાન-પર્યાયનું લક્ષ છોડાવીને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરાવે છે. કહે છે-હે ભાઈ ! તે તેર કર્તાઓ થોડો વખત કર્મબંધનના કત થાઓ તો થાઓ, તુ શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મદ્રવ્યનું લક્ષ કર અને તેમાં જ રમણ કર; તેથી તને સર્વ કર્મબંધન મટી જશે. અહો ! આચાર્યદવે અદભુત વાત કરી છે! પ્રવચનસારની ૧૮૯મી ગાથામાં નિશ્ચયથી રાગ અને પુણ્ય-પાપના પરિણામનો કર્તા જીવ છે એમ કહ્યું છે. ત્યાં તો વિકારી ભાવ જીવની પર્યાયમાં છે એમ બતાવવું છે. રાગની પર્યાયમાં પોતાનું ઊંધું બળ છે એમ ત્યાં દર્શાવવાનું પ્રયોજન છે. અહીં સદા એકસ્વરૂપ જ્ઞાનાનંદસ્વરૂપ નિજ પરમાત્માનું લક્ષ કરાવવું છે. ગુણસ્થાનથી ભિન્ન શુદ્ધ ચિદાનંદમય પરમપરિણામિકભાવરૂપ આત્મદ્રવ્યનું લક્ષ કરાવવું છે. તેથી કહે છે કે ગુણ-સ્થાન છે તે પુદ્ગલકર્મના વિપાકરૂપ અચેતન છે. તેને શુદ્ધ ચૈતન્યમય આત્મા કેમ કરે? ન કરે. અને તો પછી આત્મા પુદ્ગલકર્મને કેમ કરે ? ન જ કરે. શિષ્યને આશંકા થઈ કે પુલકર્મનો કર્તા આત્મા નથી તો તેનો કર્તા કોણ છે? તેને કહે છે કે આ મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાનો કે જે પુગલકર્મનો વિપાક છે અને અચેતન છે તેઓ નવા કર્મબંધનને કરે છે. વળી આચાર્યદવ પ્રેરણા કરે છે કે તેઓ થોડો કાળ કર્મને કરે તો ભલે કરે; તેથી શુદ્ધ જીવને કાંઈ નથી. મતલબ કે તું શુદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૮૫ જીવદ્રવ્યનું લક્ષ કર; તેથી તને વીતરાગપરિણતિ પ્રગટ થશે અને અલ્પકાળમાં સર્વ કર્મથી મુક્તિ થઈ જશે. ભગવાન આત્મા પરિપૂર્ણ ચિદઘનસ્વરૂપ વસ્તુ છે. તે વ્યાપક થઈને ગુણસ્થાનને કરે એમ છે નહિ. તો પછી નવાં કર્મ જે બંધાય તેને દ્રવ્યસ્વભાવ કરે એ વાત કયાં રહી? આ પરથી કોઈ એમ માને કે વિકાર થાય છે તે કર્મને લઈને થાય છે તો તે બરાબર નથી. વિકાર તો જીવમાં અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી થાય છે. શુદ્ધ જીવદ્રવ્યમાં વિકાર નથી અને વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ એનામાં શક્તિ-ગુણ નથી. અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી જીવમાં વિકાર પોતાથી ઉત્પન્ન થાય છે અને ત્યારે પુદ્ગલકર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. તેથી નિમિત્તની અપેક્ષાએ તેને પુદગલનો વિપાક કહ્યો છે. અહીં દ્રવ્યસ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી છે. તેથી કહે છે-ભગવાન! તારો સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘનરૂપ છે અને આ તેર ગુણસ્થાનો અચેતનસ્વભાવ છે. આમ બેની ભિન્નતા સિદ્ધ કરી છે. વળી જડ કર્મબંધન થાય તેમાં જડ કારણ છે, ચૈતન્ય કારણ નથી. આ તેર ગુણસ્થાન જડ છે અને તેઓ જડ પુદ્ગલકર્મના કર્તા છે. ભાઈ ! આ દ્રવ્યદૃષ્ટિની વાત છે. એકકોર ચૈતન્યદળ અને એકકોર જડનું દળ એમ બે ભાગ પાડી દીધા છે. અહાહા...! એકકોર રામ (આત્મા) અને એકકોર આખું ગામ (જડ ભાવો) છે. અચેતન એવાં ગુણસ્થાનો અચેતન કર્મને કરે તો કરો; એમાં ચેતનને શું છે? આ પ્રમાણે પુદ્ગલકર્મને કોણ કરે છે તે આશંકાનું અહીં સમાધાન કરે છે. ભાઈ ! તુ શુદ્ધ ચૈતન્યમય શાશ્વત મહાપ્રભુ છે અને આ તેર ગુણસ્થાન છે તે પ્રત્યયો. આગ્નવો છે; તે પુદ્ગલકર્મનો પરિપાક છે. એ આસ્રવો થોડો (કર્મનો) આસ્રવ કરો તો કરો; તેમાં તને (દ્રવ્યને) શું છે? તું તો શુદ્ધ ઉપાદાનસ્વરૂપ પ્રભુ છે. જે અશુદ્ધ ઉપાદાન છે તે નિમિત્તને (પુદગલકર્મને) આધીન-વશ થઈને વર્તે છે તેથી તે જડ અચેતન છે. મિથ્યાત્વાદિ જે ચાર ભેદ અથવા તેર ભેદ છે એ બધા અચેતન છે. અને ચેતનનો અચેતનમાં અને અચેતનનો ચેતનમાં કદીય પ્રવેશ નથી. અરે ! ચેતન, અચેતન દ્રવ્યો પરસ્પર અડતાંય નથી. અહીં એમ કહેવું છે કે પ્રભુ! તું તારા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય શાશ્વત વસ્તુની પ્રતીતિ-વિશ્વાસ કર. તે (શુદ્ધ આત્મા) કદીય પુદ્ગલકર્મનો કર્તા નથી. હવે કહે છે અહીં આ તર્ક છે કે “પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાષ્ટિ થઈને પુગલકર્મને કરે છે.'' (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય ?' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ શિષ્ય તર્કપૂર્વક શંકા કરે છે કે-જીવ પુદ્દગલમય મિથ્યાત્વાદિને વેઠે છે તો વેદતો થકો તે મિથ્યાદષ્ટિ થઈને પુદ્દગલકર્મને કરે છે. જે વેદે છે તે કરે છે એમ તર્ક છે. તેને કહે છે કે ભાઈ ! આ તર્ક તારો અવિવેક છે, કેમકે શુદ્ધ ચૈતન્યમય પ્રભુ આત્મા જડને ભોગવતો નથી. આ તેર ગુણસ્થાનો છે એ તો જડ અચેતન છે. તેને ચૈતન્યમય પ્રભુ કેમ ભોગવે? અહાહા...! તારું જીવદ્રવ્ય તો અખંડ અભેદ પરિપૂર્ણ ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્યમય વસ્તુ છે. આવું શુદ્ધ જીવદ્રવ્ય અચેતન એવાં ગુણસ્થાનને વેઠતું નથી તો પછી પુદ્ગલકર્મને કેવી રીતે વેદે ? ભાઈ ! જીવદ્રવ્ય પુદ્દગલકર્મને ભોગવતું નથી માટે તે પુદ્દગલકર્મનું કર્તા નથી. પુદ્ગલકર્મને આત્મા વેદે નહિ માટે તેનો આત્મા કર્તા પણ નથી એ ન્યાય છે. ભાવ્યભાવકભાવનો અભાવ છે માટે આત્મા પુદ્દગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા નથી. આત્મા ભાવક અને કર્મના વિપાકથી નીપજેલાં ભેદરૂપ અચેતન ગુણસ્થાન ભાવ્ય-એવા ભાવ્યભાવકભાવનો અભાવ છે. ખરેખર તો આ ગુણસ્થાનો ભાવક એવા જડ પુદ્દગલકર્મનું ભાવ્ય છે. પુદ્દગલકર્મ ગુણસ્થાનને ભોગવે તો ભોગવો; એમાં આત્માને શું છે? આત્મા શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે અને તેમાં પુદ્દગલમય રાગાદિનો અભાવ છે. તો પછી આત્મા જડ રાગાદિને કેમ વેદે? ન વેઠે. અહા! ખૂબ સૂક્ષ્મ અટપટી વાત છે પ્રભુ! ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય એમ છે. અહીં કહે છે કે અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો શાશ્વત સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન અચેતનમાં કેમ આવે? ન આવે. અને જો ન આવે તો તે અચેતન ગુણસ્થાન અને પુદ્દગલકર્મને કેમ વેદે ? (ન વેઠે.) આ સુખદુઃખની જે કલ્પના છે તે જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય છે, આત્મામાં–શુદ્ધ ચૈતન્યમાં તેનો અભાવ છે. ભગવાન આત્મા સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમાત્મા છે. તે અચેતન ગુણસ્થાનમાં કયાં આવે છે? ગુણસ્થાનો ભલે થોડાં કર્મ બાંધે તે બાંધે, આત્માને તેમાં કાંઈ નથી. આત્મા આનંદ અને શાંતિનો ત્રિકાળી ધ્રુવ ઢગલો છે. તે અચેતન કર્મનું ફળ જે મિથ્યાત્વાદિ ગુણસ્થાન તેને વેદતો ય નથી અને કરતો ય નથી. અને તો પછી તે પુદ્ગલકર્મને કરે છે એ વાત કયાં રહી ? વિકા૨નું વેદન એ જીવદ્રવ્યના સ્વરૂપમાં નથી. જીવદ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. એ તો જેવો છે તેવો ત્રિકાળ છે. પરંતુ રાગની આડમાં ઢંકાઈ ગયો છે. તે વિકારની અવસ્થાને અહીં અચેતન કહીને તેનાથી ભિન્ન શુદ્ધદ્રવ્યની દૃષ્ટિ કરાવી છે, તેથી તો કહ્યું કે મિથ્યાત્વાદિ અચેતન ગુણસ્થાને થોડું અચેતન કર્મ કરે તો કરો, શુદ્ધ જીવને એમાં કાંઈ નથી અર્થાત્ શુદ્ધ જીવ કર્મનો કર્તા નથી. આત્મામાં બધા ભાવ્યભાવભાવનો અભાવ છે. જડ પુદ્દગલકર્મનો વિપાક ભાવક છે અને મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાન તેનું ભાવ્ય છે. વળી તેર ગુણસ્થાન ભાવક છે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૮૭ નવાં કર્મ જે બંધાય તે એનું ભાવ્ય છે. બન્ને પ્રકારે આત્મામાં ભાવ્યભાવભાવનો અભાવ હોવાથી આત્મા ન ગુણસ્થાનને વેદે છે, ન પુદ્દગલકર્મને વેદે છે. અને નહિ વેદતો એવો તે પુદ્દગલકર્મનો કર્તા નથી. અહો! ચેતન-અચેતનના બે સ્પષ્ટ ભાગ પાડીને આચાર્યદેવે અલૌકિક ભેદજ્ઞાન કરાવ્યું છે. વિકૃત અવસ્થા પોતાથી પોતાના સ્વકાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન કરનારને શુદ્ધ દ્રવ્યનું લક્ષ હોય છે. ક્રમબદ્ધને જાણનારો અકર્તા છે; અને અકર્તા છે એટલે જ્ઞાતા છે. અંદર પોતાના શુદ્ધ જ્ઞાયકને જાણનારું જ્ઞાન, જે રાગાદિ ભાવ છે તે પોતાનો નથી, પ૨નો છે એમ જાણીને તેને કાઢી નાખે છે. આ ભેદજ્ઞાનની ક્રિયા છે. આવું ભેદજ્ઞાન જેને પ્રગટ છે એવા ધર્મી જીવને નિરંતર પર્યાયમાં આનંદનું વેદન છે. કર્મનું ફળ જે સુખદુ:ખની કલ્પના તેને ધર્મી વેદતો નથી. અહીં કહે છે કે આત્મા અનંતગુણનો રસકંદ ચૈતન્ય મહાપ્રભુ મહા-આત્મા છે. તેમાં વિકાર નથી અને વિકાર કરે એવો ગુણ પણ નથી. તો પછી આત્મા વિકારને અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનને કેવી રીતે કરે અને કેવી રીતે ભોગવે? પર્યાયને રાગનો સંબંધ છે, શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને રાગનો સંબંધ છે જ નહિ. માટે ભગવાન આત્મામાં રાગનું કરવું ય નથી અને રાગનું વેદવું ય નથી. આવો જ શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જિનેશ્વરદેવની આ વાણી છે. તેમાં કહે છે કે–ભગવાન! તું શુદ્ધ ચૈતન્યમય એકરૂપ ચિદ્રુપ છો ને! સદા નિરાવરણ છો ને! જો આવ૨ણ હોય તો ગુણસ્થાનના ભેદ પડે. પણ તારો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ નિરાવરણ છે. તેમાં ગુણ-સ્થાન કેવાં ? તેર ગુણસ્થાન તો અચેતન છે, પુદ્ગલ છે, જડ કર્મનો પાક છે. પ્રભુ! આનંદનો નાથ એવા તારામાં અતીન્દ્રિય આનંદનો પાક પાકે એવું તારું સ્વરૂપ છે. જ્યાં રાગ પાકે તે તું નહિ, એ તો પુદ્ગલ છે. રાગ છે એ તો ભાવક એવા પુદ્ગલકર્મનું ભાવ્ય છે. તેથી આત્મા પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો વેદનારો છે માટે તેનો કર્તા છે એવો તારો જે તર્ક છે તે મિથ્યા છે, અવિવેકથી ભરેલો છે. ભાઈ! જેમ આત્મા રાગનો કર્તા નથી તેમ રાગનો વૈદક પણ નથી અને જેમ રાગનો વેદક નથી તેમ રાગનો કર્તા પણ નથી. અહાહા...! પૂર્ણાનંદનો નાથ ચૈતન્યહીરલો શુદ્ધ ચૈતન્યસ્ફટિકરત્ન અંદર સદા બિરાજે છે. એમાં વિકારની ઝાંય કયાં છે? અહીં એકલું શુદ્ધ દ્રવ્ય સિદ્ધ કરવું છે. વર્તમાન પર્યાયમાં જે વિકાર છે તે તેની પોતાની યોગ્યતાથી છે. પણ અહીં વિકાર સિદ્ધ કરવો નથી. અહીં તો વિકારથી ભિન્ન ત્રિકાળ નિરાવરણ શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય સિદ્ધ કરવું છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય તે સિદ્ધ કરવું છે. તો કહે છે કે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધ પારિણામિકભાવ-સ્વરૂપ પરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું, ખંડ જ્ઞાન તે હું નહિ–એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ સમ્યગ્દષ્ટિ ભાવે છે. સમ્યગ્દર્શન થવા પહેલાં પણ આવું નિર્વિકાર નિજ દ્રવ્ય છે તેની ભાવના કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્રભુ! તું મોટો આવો મહાપ્રભુ છે તેને ભૂલીને અરેરે! રાગનો હું વેદનારો અને રાગનો હું કરનારો એવું માનવામાં ગુંચાઈ ગયો! ભગવાન આત્મા રાગ અને ગુણસ્થાનને વેદ અને કરે એવું એનું સ્વરૂપ જ નથી. હવે કહે છે માટે એમ ફલિત થયું કે જેથી પુદ્ગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેઓ ““ગુણ'' શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, ““ગુણો'' જ તેમના કર્તા છે; અને તે ““ગુણો'' તો પુદ્ગલ દ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.” પ્રત્યય કહો કે આસ્રવ કહો તે એક જ વાત છે. તે બધા પુદ્ગલદ્રવ્યમય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આસ્રવો છે. તેના ભેદરૂપ તેર વિશેષ આસ્રવો કે જેઓ “ગુણ' શબ્દથી કહેવામાં આવે છે તેઓ જ કેવળ કર્મને કરે છે. અને આ ગુણો” એટલે ગુણસ્થાનો પુદ્ગલદ્રવ્ય જ છે. માટે એમ સિદ્ધ થયું કે પુદ્ગલકર્મનો પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તા છે, જીવ તો અકર્તા જ છે. અરે! લોકો બિચારા વિષયકષાયમાં ગરી ગયા છે. વેપારંધધા અને બાયડી-છોકરાને સાચવવામાં આખી જિંદગી ગુમાવી દે છે. આવું તત્ત્વ સમજવાની ફુરસદ મેળવતા નથી. પણ એ વિષયકષાયનું ફળ બહુ માઠું આવશે; એ સહન કરવું મહા આકરું પડશે ભાઈ ! અહીં કહે છે કે પ્રભુ! તું ચૈતન્યમણિરત્ન છો. આવો તું અચેતન ધૂળમાં કેમ આવે? આ મિથ્યાત્વાદિ સામાન્ય ચાર અને વિશેષ તેર પ્રત્યયો અચેતન પુદ્ગલમય ધૂળમય જ છે, કેમકે તેઓ પુદ્ગલનું કાર્ય છે, જીવ તેનો કર્તા નથી. વળી તું એના વેદનની વાત કરે છે પણ ચિદાનંદઘન સ્વરૂપ એવો તું એ અચેતનને કેવી રીતે વેદે? અહાહા..! ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા અચેતનને કેવી રીતે વેદે? માટે આત્મા મિથ્યાત્વાદિને વેદે છે માટે કરે છે એવો જે તારો તર્ક છે તે જૂઠો છે. મિથ્યાદષ્ટિને પણ મિથ્યાત્વાદિ જે પ્રત્યયો છે તેનો કર્તા પુદ્ગલ છે, આત્મદ્રવ્ય તેનો કર્તા નથી. માટે એમ ફલિત થયું કે પુદગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયો અને તેના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેનું નામ ગુણસ્થાન છે તેઓ જ કેવળ કર્મોને કરે છે. ભગવાન આત્મા ગુણસ્થાનને કરતો નથી તો નવાં પુદ્ગલકર્મ બંધાય તેને કેમ કરે? તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે. ગુણો જ તેમના કર્તા છે; તે ગુણો-ગુણસ્થાનો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. આ તેર અચેતન ગુણસ્થાનો અચેતન કર્મને કરે તો કરો, એમાં આત્માને કાંઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૮૯ લાગતું વળગતું નથી એમ કહીને આચાર્ય શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માની દષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ કરાવી છે. * ગાથા ૧૦૯ થી ૧૧૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે. તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનો કર્તા (-કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.' જે ભાવથી નવાં કર્મ આવે તે ભાવને આસ્રવ કહે છે. પ્રત્યયો એટલે કે આસ્રવો. તેના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર ભેદ છે. તેને સિદ્ધાંતશાસ્ત્રોમાં બંધનાં કારણો કહેલા છે. તે રીતે તેર ગુણસ્થાનો પણ બંધનાં કારણ છે, કેમકે તેઓ પણ વિશેષ પ્રત્યયો છે. ચાર સામાન્ય પ્રત્યયો અને તેર વિશેષ પ્રત્યયો એ બધા બંધના કર્તા છે. જેમ સીડી ચઢવાનાં પગથિયાં હોય છે તેમ આત્માની પર્યાયમાં ચૌદ પ્રકારના ભાવ થાય છે. તેમાંથી મિથ્યાત્વાદિ તેર પ્રકારના ભાવ છે તે ચાર સામાન્ય પ્રત્યયોના વિશેષ ભેદો છે. તે તેર ગુણસ્થાનો પુદ્ગલકર્મના બંધના કર્તા છે. ગુણસ્થાનો અશુદ્ધ નિશ્ચયથી એટલે કે વ્યવહારથી જીવની પર્યાયના ભેદો છે. પણ અહીં શુદ્ધનિશ્ચયનું કથન છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં આ અચેતન આગ્નવો નથી એમ અહીં કહ્યું છે. અહાહા..! એકલો જાણગ-જાણગજાણગ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મામાં પદ્રવ્ય જે શરીર, મન, વાણી, લક્ષ્મી, સ્ત્રી, પરિવાર ઇત્યાદિ તો નથી કેમકે એ તો તદ્દન ભિન્ન ચીજ છે; પણ પર્યાયમાં જે રાગ થાય છે તે પણ આત્મામાં નથી. મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો અને ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો જેઓ અચેતન છે તે આત્મામાં નથી એમ કહે છે. આત્મામાં અનંત ગુણ છે. તેમાં રાગનો કર્તા થાય એવો કોઈ ગુણ નથી. સામાન્ય પ્રત્યયો ચાર અને વિશેષ પ્રત્યયો તેર જે અચેતન છે તેનો કર્તા પુદ્ગલકર્મ છે, જીવ તેનો કર્તા નથી. તથા જે નવાં કર્મબંધન થાય તેનો પણ આત્મા કર્તા નથી. તો કોણ કર્તા છે? આ ગુણસ્થાનાદિ જે અચેતન પ્રત્યયો છે તે જ નવા પુદ્ગલકર્મબંધનના કર્તા છે. આ અચેતનભાવો-પ્રત્યયો આત્માના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે. અશુદ્ધ નિશ્ચયથી તેમને જીવની પર્યાય કહેવાય છે પણ અશુદ્ધ નિશ્ચય તે વ્યવહાર છે અને તે વ્યવહારનો અહીં નિષેધ કર્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અરે! આવી શુદ્ધ તત્ત્વની વાત લોકોને સાંભળવા મળવી અત્યારે મહા મુશ્કેલ છે. આસ્રવના મલિન ભાવ મારા છે એવું માનીને ચોરાસીના અનંત અવતાર જીવ કરી ચૂક્યો છે. અને જ્યાં સુધી મિથ્યાત્વાદિ ભાવ મારા છે એમ માનશે ત્યાં સુધી ભવનું પરિભ્રમણ ઊભું રહેશે, અનંત જન્મમરણમાં રખડવું પડશે. ભાઈ ! આ અવસર તત્ત્વની સમજણ કરવાનો છે. અહીં ત્રણ વાત કરી છે ૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આસ્રવો છે. ૨. તેર ગુણસ્થાનો તે વિશેષ પ્રત્યયો છે; તે પણ આસ્રવો છે. ૩. નવા કર્મબંધનના તેઓ કારણ છે; આત્મા બંધનું કારણ નથી. ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. રાગદ્વેષના ભાવ અને ગુણસ્થાનાદિમાં શુદ્ધ ચૈિતન્યસ્વરૂપ જ્ઞાયકભાવનો અભાવ છે અને શુદ્ધ જ્ઞાયકમાં તેમનો અભાવ છે. તેથી ગુણસ્થાનોને અચેતન કહ્યા છે. એકકોર આત્મા એકલું ચૈતન્યદળ અને બીજીકોર ગુણસ્થાન આદિ અનેક ભેદરૂપ અચેતન દળ-બન્નેના તદ્દન જુદા ભાગ પાડી દીધા છે. જન્મ-મરણના અંત કરવાનો આ જ માર્ગ છે, ભાઈ ! અજ્ઞાનીઓ રખડવાના માર્ગમાં ભૂલા પડયા છે. અહા ! મોટો રાજા હોય ને મરીને ભૂંડ થાય અને મોટો શેઠ હોય ને મરીને ભેંસ થાય! આત્મા ચીજ શું છે એની જેને ખબર નથી એના આવા જ હાલ થાય. આચાર્યદવ અહીં સંસારપરિભ્રમણથી છૂટવાનો માર્ગ બતાવે છે. કહે છે આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એમાં દયા, દાન, વ્રત, ભક્તિ અને વિષય-કષાયના ભાવ નથી. એ બધા ભાવ તો આસ્રવ છે અને તે અચેતન છે. તે ભાવ નવા કર્મબંધનનું કારણ છે. વેપારધંધા અને કુટુંબ-કબીલાને સાચવવાના ભાવ એ પાપભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ વગેરે ભાવ એ પુણ્યભાવ છે. પુણ્ય અને પાપના બંને ભાવ બંધનું કારણ છે કેમકે તેઓ અચેતન છે. તેઓ અચેતન કેમ છે? તો કહે છે કે એ પુણ્યપાપના ભાવોમાં ચૈતન્યનું કિરણ નથી. જેમ સૂર્યનું કિરણ પ્રકાશમય હોય છે તેમ ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા છે તેનું કિરણ જ્ઞાનના પ્રકાશમય હોય છે. પણ આ પુણ્યપાપના ભાવમાં જ્ઞાનનું કિરણ નથી માટે તેઓ અચેતન છે. ભાઈ ! આ બાર વ્રતના પરિણામ અને પંચમહાવ્રતના પરિણામ અચેતન છે, કેમકે તેમાં ચૈતન્યપ્રકાશનું કિરણ નથી. કદી સાંભળ્યું નથી એટલે લોકોને આકરું પડે છે. પણ અહીં તો કહે છે કે પ્રત્યયો-તેર ગુણસ્થાનો બધા અચેતન છે, પુદ્ગલ દ્રવ્યમય જ છે અને તેઓ જ નવા કર્મબંધનાં કારણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧ ૯ થી ૧૧ર ] [ ૧૯૧ બાપુ! તે આ કદી સાંભળ્યું નહિ! કદી શુદ્ધ તત્ત્વ અનુભવ્યું નહિ! અરે! બહારના ઢસરડા કરી કરીને મરી ગયો! આખો દિવસ પાપ કરી કરીને તું ચાર ગતિમાં રખડી મર્યો છે. પ્રભુ! એકવાર ઉલ્લાસ લાવીને સાંભળ. આ અવસર છે. ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો હુકમ આચાર્યદવ તને સંભળાવે છે. કહે છે કે ભગવાન આત્મા અંદર એકલો શુદ્ધ ચૈતન્ય અને આનંદસ્વરૂપ છે. અને પુણ્ય-પાપરૂપ જે શુભાશુભ ભાવ થાય તે આસ્રવ છે, ભગવાન આત્માથી બાહ્ય છે, ભિન્ન છે. આ હીરા, માણેક, મોતી વગેરે છે તે અચેતન પુદ્ગલદ્રવ્યમય છે. અને હીરા વગેરે વેચીને ધૂળ (પૈસા) કમાવાનો જે ભાવ થાય તે મમતાનો ભાવ પણ અચેતન છે. વળી રાગ મંદ કરીને પૈસા દાનમાં, પૂજા-પ્રભાવનામાં ખર્ચવાનો જે શુભભાવ થાય તે પણ અચેતન છે; કેમકે રાગમાં જ્ઞાન કયાં છે? માટે રાગ સઘળોય અચેતન છે. જેમ સાકરના ગાંગડા ઉપર બાળકનો મેલો હાથ અડકી જાય તો તેના ઉપર મેલ ચોંટે છે; એ મેલ છે તે સાકરથી ભિન્ન છે, સાકરના સ્વરૂપભૂત નથી. તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ સાકરનો ગાંગડો છે; તેમાં (પર્યાયમાં) આ પુણ્યપાપના ભાવ છે તે મેલ છે અને એ મેલ છે તે આત્માથી ભિન્ન છે, શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી. અહાહા..! આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ, ધન-ધાન્ય આદિ ધૂળ-માટી તો કયાંય દૂર (ભિન્ન) રહી ગયાં. અહીં તો કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એમ ચાર પ્રત્યયો અને તેર ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યય-એ સર્વે અચેતન છે, પુલદ્રવ્યમય છે. તે સેવે અચેતનન કોઈ મારી ચીજ છે એમ માને તો એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના, જાઠા શ્રદ્ધાનના ભાવમાં અનંતભવ કરવાનો ગર્ભ પડેલો છે, ભાઈ ! માટે સ્વરૂપની સમજણ કરીને યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ. મિથ્યાત્વાદિ ચાર સામાન્ય પ્રત્યયો અને ગુણસ્થાનરૂપ તેર વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલ દ્રવ્યમય જ છે; તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલ દ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા છે. અચેતન જે તેર ગુણસ્થાનરૂપ પુદ્ગલદ્રવ્ય છે તે જ પુદ્ગલકર્મનું કર્તા છે, આત્મા તેનો કર્તા નથી. આ કાળમાં શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ કઠણ-દુર્લભ થઈ પડયો છે. જીવોનો સમય પ્રાયઃ સંસારના પાપકાર્યોમાં જ વ્યતીત થાય છે, અને પુણ્ય કરે છે તો એનાંય કાંઈ ઠેકાણાં નથી. કોઈવાર તેઓ થોડું પુણ્ય કરે છે પણ એ તો “એરણની ચોરી અને સોયનું દાન” એના જેવી વાત છે. ધનાદિ ખર્ચવામાં, દાન, ભક્તિ ઇત્યાદિમાં રાગ મંદ કરે તો થોડું પુણ્ય બંધાય પણ મિથ્યાત્વ તેને ખાઈ જાય છે. તેથી મહદંશે તો તે પાપ જ ઉપજાવે છે. તેને કહે છે કે ભાઈ ! આત્મા એક જ્ઞાયકસ્વરૂપ ભગવાન અંદર બિરાજે છે તેની દષ્ટિ કર્યા વિના બીજી કોઈ રીતે (પુણ્ય ઉપજાવીને પણ ) તારા જન્મ-મરણના ફેરા નહિ મટે. પ્રભુ! તું નરકના, પશુના, કાગડા, કુતરા ને કંથવાના ભવ અનંતવાર કરી કરીને મરી ગયો છે. દુ:ખીદુ:ખી થયો છે. હું ભાઈ ! તારે જો આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભવના દુ:ખથી છૂટવું હોય તો અંદર રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમૂર્તિ બિરાજે છે તેની દૃષ્ટિ કર, તેનો જ અનુભવ કર તેનું જ સેવન કર, દયા, દાન આદિ વિકલ્પમાં રાગમાં ન ઊભો રહે; અંદર જા અને શુદ્ધ ચૈતન્યતત્ત્વને પકડ. તેથી તારું કલ્યાણ થશે. આફ્રિકામાં બે હજાર વર્ષથી દિગંબર જિનમંદિર ન હતું. ત્યાં હમણાં જિનાલયનું ખાતમુહૂર્ત થયું. તેમાં કોઈ બે-પાંચ લાખનું દાન આપે અને તેમાં રાગની મંદતા કરે તો એનાથી તેને પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. ક્રોડ રૂપિયા આપે તોય શું? ક્રોડનું ધન મારું છે એમ માનીને તેને દાનમાં ખર્ચે તો એની માન્યતા મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ મહાપાપ છે. જન્મ-મરણરહિત થવાનો માર્ગ બહુ જુદો છે બાપુ! આકરી પડે પણ આ જ વાત સત્ય છે, પ્રભુ! અરે ભાઈ! હુજા જેને ચારગતિમાં રઝળવાના કારણરૂપ ભાવના સ્વરૂપની પણ ખબર નથી તેને ધર્મ કેમ પ્રાપ્ત થાય ? પ્રભુ! તું અનંત અનંત ગુણનો પિંડ ચિન્માત્ર ચૈતન્યહીરલો છો. અહાહા...! તેની કિંમત શું? અણમોલ-અણમોલ ચીજ ભગવાનસ્વરૂપે જિનસ્વરૂપે અંતરમાં વિરાજી રહી છે! કહ્યું છે ને કે “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન, મત-મદિરાકે પાન સૌ, મતવાલા સમુઝે ન.'' અહાહા..! ભગવાન ત્રિકાળ વીતરાગસ્વરૂપ પ્રભુ અંદર વિરાજે છે; અત્યારે હોં! તેનું ત્રિકાળસ્વરૂપ વીતરાગતા છે. ચૈતન્યસ્વરૂપ, અકષાયરૂપ, પરમાનંદમય પરમપ્રભુતા-સ્વરૂપ ભગવાન દ્રવ્યસ્વભાવ છે. તેનાથી વિપરીત જે આ પુણ્ય-પાપ અને ગુણસ્થાનના ભાવ છે તે નવાબંધના કારણ છે. આ વિકારી ભાવ સંસારની રઝળપટ્ટીનું કારણ છે. મિથ્યાપક્ષરૂપી મદિરાના સેવનથી ઉન્મત્ત થયેલો જીવ અરેરે ! આ સમજતો નથી! વાણિયા ઘાસલેટ બાળીને વેપારમાં નામું મેળવે પણ ભગવાન સર્વશદેવની શું આજ્ઞા છે તે જાણીને તેની સાથે પોતાના પરિણામ મેળવતા નથી. પરંતુ ભાઈ ! આ ભવ (અવસર) ભવનો ( સંસારનો ) અભાવ કરવા માટે છે. તેમાં આ વાત ન સાંભળી તો તું ક્યાં જઈશ, પ્રભુ! જેમ વંટોળિયામાં તણખલું ઉડીને કયાં જઈ પડશે તે ખબર નથી તેમ આત્મભાનરહિત થઈને સંસારમાં રઝળતો જીવ મરીને કાગડે, કૂતરે.......ક્યાં ચાલ્યો જશે ? વિચાર કર. અહા! પંડિત જયચંદજીએ કેવો સરસ ભાવાર્થ કર્યો છે. કહે છે કે-તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે. મિથ્યાત્વાદિ ભાવો છે તે આસ્રવ છે, બંધનું કારણ છે કેમકે તેઓ અચેતન છે, પુદ્ગલદ્રવ્યમય છે, જીવરૂપ નથી. દ્રવ્ય વસ્તુ છે તે તો શુદ્ધ ચિન્માત્ર પરમબ્રહ્મસ્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨] [ ૧૯૩ પરમાત્મા છે. તે વિકાર કેમ કરે? કદી ન કરે તેથી પર્યાયમાં જે આ વિકાર થાય છે તે અચેતન પુદ્દગલદ્રવ્યમય છે. જેમ સૂર્યમાંથી પ્રકાશનાં અસંખ્ય કિરણ નીકળે પણ કોલસા જેવું કાળું અંધકારનું કિરણ ન નીકળે, તેમ ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા ચૈતન્યસૂર્ય તેમાંથી ચૈતન્યપ્રકાશનાં કિરણ નીકળે પણ રાગાદિ અંધકારનું કિરણ ન નીકળે. તેથી પર્યાયમાં જે રાગાદિ ભાવ છે, ગુણસ્થાનરૂપ ભાવ છે તે ચૈતન્યના પ્રકાશરહિત હોવાથી અચેતન છે અને અચેતન છે માટે જડ પુદ્દગલદ્રવ્યમય છે. તથા આ ગુણસ્થાન આદિ ભાવો-આસવો બંધના કર્તા હોવાથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્દગલકર્મોનું કર્તા છે, જીવ કર્તા નથી. ગુણસ્થાન આદિ પ્રત્યયો નવા પુદ્દગલકર્મબંધનના કર્તા છે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા કર્તા નથી. આમ છે છતાં એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો આત્મા પુદ્દગલકર્મનો કર્તા છે એમ માનવું તે અજ્ઞાન છે, મૂઢપણું છે, મિથ્યાત્વ છે. [પ્રવચન નં. ૨૦૯ અને ૨૧૦ (૧૯મી વારનાં) * દિનાંક ૨-૩-૭૯ થી ૩-૩-૯૯ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૧૩ થી ૧૧૫ न च जीवप्रत्यययोरेकत्वम् जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो। जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं ।। ११३ ।। एवमिह जो दु जीवो सो चेव दुणियमदो तहाऽजीवो। अयमेयत्ते दोसो पच्चयणोकम्मकम्माणं ।। ११४ ।। अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा। जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ।। ११५ ।। यथा जीवस्यानन्य उपयोगः क्रोधोऽपि तथा यद्यनन्यः । जीवस्याजीवस्य चैवमनन्यत्वमापन्नम् ।।११३ ।। एवमिह यस्तु जीवः स चैव तु नियमतस्तथाऽजीवः । अयमेकत्वे दोषः प्रत्ययनोकर्मकर्मणाम्।। ११४ ।। अथ ते अन्यः क्रोधोऽन्यः उपयोगात्मको भवति चेतयिता। यथा क्रोधस्तथा प्रत्ययाः कर्म नोकर्माप्यन्यत्।। ११५ ।। વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે: ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો, તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩. તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે; नोभ, प्रत्यय, भनाइत्वमा ५५ोष स. ११४. જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે, તો ક્રોધવત્ નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫. थार्थ:- [ यथा] ४म [ जीवस्य ] पने [ उपयोगः] 6५यो। [अनन्यः ] अनन्य अर्थात् ३५. छ [ तथा ] तेम. [ यदि] ओ [ क्रोधः अपि] ओ५ ५५. [ अनन्यः ] अनन्य होय तो [ एवम् ] ओशत [जीवस्य] अपने [च ] भने [अजीवस्य ] अपने [अनन्यत्वम् ] अनन्य५j [आपन्नम् ] मावी ५ऽयु. [ एवम् च ] अम थतi, [इह] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૧૩ થી ૧૧૫ ] [ ૧૯૫ આ જગતમાં [ : ] જે [ નીવડ] જીવ છે [સ: પત્ત તુ] તે જ [ નિયમત:] નિયમથી [ તથા] તેવી જ રીતે [ નીવડ] અજીવ કર્યો; (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો; ) [ પ્રત્યયનોર્મવર્માન્] પ્રત્યય, નોકર્મ અને કર્મના [ક્યત્વે] એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [ નયન રોષ:] આ જ દોષ આવે છે. [ 3 ] હવે જો (આ દોષના ભયથી) [ તે ] તારા મતમાં [bોધ:] ક્રોધ [ સન્ય:] અન્ય છે અને [૩૫યો ત્મિ:]. ઉપયોગસ્વરૂપ [ રેતયિતા] આત્મા [અન્ય:] અન્ય [ભવતિ] છે, તો [પથી દ્રોધ:] જેમ ક્રોધ [તથા] તેમ [ પ્રત્યય:] પ્રત્યયો [*] કર્મ અને [નોર્મ ] નોકર્મ પણ [બન્યત] આત્માથી અન્ય જ છે. ટીકાઃ- જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિકૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, –એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી. ભાવાર્થ- મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આમ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. સમયસાર ગાથા ૧૧૩ થી ૧૧૫ : મથાળું વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે: * ગાથા ૧૧૩ થી ૧૧૫ : ટીકા ઉપરનું પ્રવચન * “જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિટૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે એ રીતે અન્યદ્રવ્યનો લોપ થાય.' ૧. પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન. ૨. ચિદ્રુપ = જીવ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાષા જુઓ, જીવ છે તે ઉપયોગમય જાણન–દેખનસ્વભાવ છે. જેમ ઉષ્ણતા અને અગ્નિ એક છે તેમ ભગવાન આત્મા અને જાણવા-દેખવારૂપ ઉપયોગ એક છે. આત્માનો જાણન-જાણનસ્વભાવ અને દેખન-દેખનસ્વભાવ આત્મા સાથે અભિન્ન છે, એક છે. તેમ જડ ક્રોધ પણ આત્માથી અનન્ય જ છે એમ પ્રતીતિ કરવામાં આવે તો જીવ, અજીવ થઈ જાય. વિકારના પરિણામ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ હોય, તેને ક્રોધ કહેવાય છે, કેમકે સ્વભાવથી તે વિદ્ધ ભાવ છે. જેમ આત્મા ઉપયોગમય પરમાત્મા છે તેમ જો આત્મા રાગમય હોય તો રાગ અચેતન હોવાથી જીવ અજીવ થઈ જાય. ગાથા બહુ સૂક્ષ્મ છે. શરીર જડ છે એ વાત પછી લેશે. અહીં તો શુભભાવ જે થાય છે તે વિકાર-ક્રોધ અચેતન છે, અને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઉપયોગમય છે. તે બન્નેને એક-અભિન્ન માનવામાં આવે તો જીવ છે તે અજીવ થઈ જાય એમ કહે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મદ્રવ્ય જ્ઞાયકસ્વભાવી વીતરાગભાવરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ટંકોત્કીર્ણ શાશ્વત નિત્ય પદાર્થ છે. અહાહા....! અતીન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃતતૃત (અતિશય ભરેલી) વસ્તુ છે. આવો ભગવાન આત્મા ચૈતન્યમય ઉપયોગથી જાણવા દેખવાના સ્વભાવથી અભિન્ન છે, એક છે. એ રીતે રાગભાવ જે ક્રોધરૂપ છે અને અચેતન છે તેની સાથે જીવને એકપણું માનવામાં આવે તો જીવ છે તે અજીવ થઈ જાય. આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવ છે તે અચેતન છે, કેમકે તેમાં ચૈતન્યનું કિરણ નથી. મહાવ્રતના પરિણામમાં ચૈતન્યનું કિરણ નથી. જેમ શરીર છે તે સ્પર્શ-રસ-ગંધવર્ણસહિત અજીવ છે કેમકે તેમાં જ્ઞાનનો અભાવ છે તેમ રાગભાવ છે તે સ્પર્શ-રસ-ગંધવર્ણરહિત અજીવ છે કેમકે તેમાં પણ જ્ઞાનનો અભાવ જ છે. અહીં કહે છે કે આત્મા જેમ જ્ઞાનદર્શનસ્વભાવથી અનન્ય છે તેમ જડ રાગ સાથે પણ અનન્ય હોય તો ચેતન આત્મા અચેતન જડ થઈ જાય. પંચમહાવ્રતના પરિણામ જો ચૈતન્યમય આત્માથી અભિન્ન હોય તો રાગ અચેતન હોવાથી આત્મા ચેતન મટી અચેતન થઈ જાય. પર્યાયમાં જે શુભાશુભ રાગ છે તે જડસ્વભાવ છે. આવું સાંભળીને અજ્ઞાનીઓનાં કાળજાં કંપી ઊઠે છે કેમકે રાગ મારો અને હું રાગનો કર્તા તથા શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય એવી એને અનાદિથી વિપરીત બુદ્ધિ છે. તેને અહીં દ્રવ્યદૃષ્ટિ કરાવતાં કહે છે કે ભાઈ ! રાગ છે તે જડ છે, આત્મા એનો કર્તા નથી. આત્મા જો રાગને કરે તો રાગ જડ હોવાથી આત્મા જડ થઈ જાય. અહીં ગાથામાં ક્રોધ શબ્દ કહ્યો છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઉપયોગમય અમૃતસ્વરૂપ પ્રભુ છે. તેને ભૂલીને વ્યવહાર-રત્નત્રયના રાગની જેને રુચિ છે તેને પોતાના ભગવાન સ્વરૂપ સ્વભાવ પ્રત્યે દ્વેષ છે. કહ્યું છે ને કે-દ્વેષ અરોચક ભાવ.” પરભાવની રુચિ અને સ્વભાવની જે અરુચિ છે તે દ્વેષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૧૩ થી ૧૧૫ ] [ ૧૯૭ છે, ક્રોધ છે. અહીં કહે છે કે ઉપયોગ જેમ આત્માથી અનન્ય છે તેમ જડ ક્રોધ જો આત્માથી અનન્ય છે એમ માનવામાં આવે તો આત્મા જડ થઈ જાય. પુદ્ગલકર્મનો કર્તા કોણ છે? પુદ્ગલકર્મનો કર્તા પુદ્ગલદ્રવ્ય જ છે એ વાત ગાથા ૧૦૯-૧૦-૧૧-૧૨ માં આવી ગઈ છે. ત્યાં તેર ગુણસ્થાનના ભાવો પુદ્ગલદ્રવ્યમય જ છે અને તેઓ જ નવા કર્મબંધનના કર્તા છે. આત્મા નહિ એ વાત સિદ્ધ કરી છે. અહીં કહે છે કે આત્મા શુદ્ધ ઉપયોગમય વસ્તુ છે. તે રાગનો કર્તા નથી. આત્મા જ રાગને કરે તો તે રાગમય થઈ જાય અને તો પછી આત્મા જેમ ઉપયોગમય છે તેમ તે જડ રાગમય પણ છે તેમ આવી પડે. એમ થતાં જે જીવ છે તે જ અજીવ ઠરે વા એ રીતે અન્યદ્રવ્યનો લોપ થઈ જાય. રાગનો કર્તા આત્મા નથી એમ અહીં સિદ્ધ કરવું છે. પુણ્યપાપરૂપ જે રાગાદિ ભાવ થાય તે ઉપર ઉપર (પર્યાયમાં) થાય છે. તે વિકારી ભાવનો શુદ્ધ ચૈતન્યમાં પ્રવેશ થઈ શક્તો નથી. જેમ પાણીમાં તેલનું બિંદુ ઉપર ઉપર જ તરે છે, અંદર પ્રવેશી શકતું નથી તેમ શુદ્ધ ચૈતન્યપ્રકાશમય ભગવાન આત્મામાં રાગના વિકલ્પો પ્રવેશી શકતા નથી, ઉપર ઉપર જ રહે છે. અહાહા...રાગ આત્મામાં પેસી શકે નહિ અને આત્મા રાગમાં જાય નહિ તો પછી આત્મા રાગને કેવી રીતે કરે ? કદીય ન કરે. તેથી કહે છે કે જો આત્મા રાગને કરે એમ માનવામાં આવે તો આત્મા જેમ શુદ્ધ ઉપયોગમય છે તેમ જડ રાગમય પણ છે એમ આવી પડે; અને એમ આવતાં ચેતનસ્વરૂપ જીવ અજીવ છે એમ ઠરે વા ચેતનનો લોપ થઈ જાય. સૂક્ષ્મ વાત છે પ્રભુ ! દુકાનના નામાના ચોપડા ઝીણવટથી ફેરવે અને સિલક વગેરે બરાબર મેળવે પણ આ ધર્મના ચોપડા (પરમાગમ શાસ્ત્ર ) જુએ નહિ તો પોતાના જે પરિણામ થાય છે તેને કોની સાથે મેળવે? ભાઈ ! બહુ ધીરજ અને શાંતિથી શાસ્ત્ર સાંભળવું જોઈએ, એટલું જ નહિ બહુ સૂક્ષ્મ બુદ્ધિ કરીને નિરંતર શાસ્ત્રનાં સ્વાધ્યાય અને મનન કરવા જોઈએ જેથી પોતાના પરિણામોની સમતા-વિષમતાનો યથાર્થ ભાસ થાય. રોજ પોતે પોતાની મેળે સ્વાધ્યાય-મનન કરે તો ગુરુએ બતાવેલા અર્થની પણ સાચી પ્રતીતિ અંતરમાં બેસે છે. આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ શુદ્ધચૈતન્યપ્રકાશના નૂરનું પૂર છે; અને રાગાદિ ભાવ જે આસ્રવ છે તે જડ અચેતન છે. ભગવાને નવ તત્ત્વ ભિન્ન-ભિન્ન કહ્યાં છે. તેમાં જીવ છે તે શુદ્ધ જ્ઞાયકતત્ત્વ છે, અને રાગ છે તે આત્માથી ભિન્ન આસ્રવતત્ત્વ છે. સમયસાર ગાથા ૭રમાં આસ્રવને જડ કહેલ છે કેમકે આગ્નવો પોતાને જાણતા નથી, પરને પણ જાણતા નથી. અહીં કહું છે કે આવો શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા જ જડ રાગને કરે તો તે જડ રાગમય થઈ જાય અને એમ થતાં જીવ છે તે જ અજીવ ઠરે અર્થાત્ જીવનો લોપ થઈ જાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાઈ ! જિનેન્દ્રદેવે પ્રરૂપેલા ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ અને અલૌકિક છે. પૂજા, ભક્તિ, વ્રત ઇત્યાદિ જે ભાવ છે તે શુભરાગ છે, ધર્મ નથી. ધર્મ તો શુદ્ધ વીતરાગ-પરિણતિ છે અને તે શુદ્ધ ચૈતન્યના લક્ષે ઉત્પન્ન થાય છે. ધર્મ છે તે સ્વાશ્રિત પરિણામ છે. અહાહા...! આવા સ્વાશ્રિત તત્ત્વની વાત સાંભળીને જો અંતરથી શુદ્ધ અંતઃતત્ત્વનો આદર અને સ્વીકાર થઈ જાય તો અનંતસુખમય સિદ્ધતત્ત્વની પ્રાપ્તિ થાય, નહિતર નિગોદગતિ તો ઊભી જ છે. ભાઈ ! તત્ત્વના આદરમાં સિદ્ધત્વ અને તેના અનાદરમાં નિગોદગતિ છે; વચ્ચે થોડાક ભવ કરવા પડ તેની અહીં ગણતરી નથી. હે જીવ! ત્રસનો કાળ બહુ થોડો (બે હજાર સાગરથી કાંઈક અધિક ) છે એમ જાણી તું તત્ત્વદષ્ટિ કર, તત્ત્વનો આદર કર. આ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર ઈત્યાદિ છે તે સંતોની વાણી છે. તેમાં ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભર્યો છે. તેમાં સંતો કહે છે કે-જાગ રે જાગ, નાથ ! તારો આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ભગવાન છે. તે જો રાગ કરે તો તે રાગમય થઈ જાય, આસ્રવરૂપ થઈ જાય, જડ થઈ જાય. એમ થતાં પ્રભુ! તારા ચૈતન્યનો જ નાશ થઈ જાય. પણ એમ છે નહિ; આત્મા રાગનો કર્તા છે નહિ. પર્યાયમાં જે રાગ થાય છે તેનો આત્મા જાણનાર છે પણ રાગનો કરનારો કર્તા નથી. જ્ઞાયકસ્વરૂપ જ આવું છે. અહાહા...! શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની જેને દૃષ્ટિ થઈ છે તે ધર્મીને પર્યાયમાં જે રાગ થાય છે તે રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે. રાગનું જે જ્ઞાન થયું તે જ્ઞાનનો આત્મા કર્તા છે. સ્વપરને જાણનારી એવી જે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય તેનો આત્મા કર્તા છે અને તે જ્ઞાનની પર્યાય એનું કર્મ છે. પરંતુ રાગ થાય છે તેનો તે કર્તા નથી. વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય છે તેનો જ્ઞાની કર્તા નથી, જ્ઞાતા જ છે. અહીં કહે છે કે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ અને અણુ-વ્રતમહાવ્રતાદિના ભાવ છે તે શુભરાગ છે, આસ્રવ છે. અને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનમય, ઉપયોગમય છે. આવો આત્મા જો રાગનો કર્તા હોય તો આત્મા રાગથી અનન્ય –એક થઈ જાય. આત્મા અને આસ્રવ બે ભિન્ન તત્ત્વ એકરૂપ થઈ જાય. અને તો પછી રાગથી આત્મા અભિન્ન ઠરતાં પોતાના ચૈતન્યનો નાશ થઈ જાય, જીવ પોતે જ અજીવ ઠરતાં જીવનો લોપ થઈ જાય. હવે કહે છે આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે.” પુણ્ય પાપના ભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ બધા આસ્રવો પ્રત્યયો છે, શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ છે અને જ્ઞાનાવરણાદિ આઠ જડકર્મ છે. તે બધાને જો આત્મા કરે તો તે બધાથી આત્મા અનન્ય એટલે એક થઈ જાય અને તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૧૩ થી ૧૧૫ ] [ ૧૯૯ પછી તે બધા જડસ્વરૂપ હોવાથી આત્મા જડ થઈ જાય અર્થાત્ ચૈતન્યદ્રવ્યનો લોપ થઈ જાય. ભગવાન આત્મા તો સ્વરૂપથી શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા છે. પુણ્ય પાપના ભાવનો જ્ઞાતાદ્રષ્ટા, શરીર-મનવાણીનો અને નોકર્મ-કર્મ સર્વનો જ્ઞાતાદષ્ટા છે. જ્ઞાતાદષ્ટા છે તે પરનો થતો નથી અને પરપદાર્થો જ્ઞાતાદરાના થતા નથી. તેથી જીવથી રાગ અનન્ય છે એમ માનતાં જે દોષ આવે છે તે જ દોષ પ્રત્યયો, કર્મ અને નોકર્મ આત્માથી એક છે એમ માનતાં આવે છે. હવે કહે છે “હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડવભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ, અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડ-સ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.' લ્યો, આ સિદ્ધ કર્યું કે ચૈતન્ય ઉપયોગમય જ્ઞાનસ્વરૂપ જીવ અન્ય છે અને જડ-સ્વભાવ ક્રોધ અન્ય છે. શુભાશુભભાવ જડ છે અને તે ચૈતન્યમય આત્માથી અન્ય છે. અરે ભાઈ ! તારું ચૈતન્યતત્ત્વ કોણ છે તેની તને ખબર નથી. પ્રભુ! તારું ચૈતન્યતત્ત્વ જ્ઞાનાદિ અનંત ગુણનું ગોદામ છે, અનંત સ્વભાવનો સાગર છે, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન છે. તે ક્રોધનું, રાગાદિ ભાવનું સ્થાન નથી. અહાહા.! અમૃતથી તૃપ્તતૃપ્ત (પૂર્ણ ભરેલો) અંદર અમૃતનો સાગર પ્રભુ ઉછળી રહ્યો છે. ધ્રુવ-ધ્રુવ-ધુવસ્વરૂપ ત્રિકાળ ચિદાનંદઘનસ્વરૂપ વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. તેને રાગવાળો માને વા રાગનો કર્તા માને તો તે જડરૂપ થઈ જાય. માટે ભગવાન આત્મા અન્ય છે અને જડસ્વભાવ કોઈ અન્ય છે એ જ નિર્દોષ સ્વરૂપસ્થિતિ છે. અને જો એમ છે તો એ જ રીતે આઠ કર્મ, શરીરાદિ નોકર્મ અને મિથ્યાત્વાદિ પ્રત્યયો જીવથી અન્ય છે, કેમકે તે બધાના જડસ્વભાવપણામાં કાંઈ ફરક નથી. જુઓ ! વ્યવહારથી નિશ્ચય થાય એમ કેટલાક લોકોનો જે પોકાર છે તેનો અહીં નિષેધ કરે છે. વ્યવહાર અન્ય છે અને ચૈતન્યમય વસ્તુ અન્ય છે એમ અહીં કહ્યું છે. અરે ભાઈ! જેમ અંધકારથી પ્રકાશ ન થાય તેમ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય. શુભરાગ મારું કાર્ય અને શુભરાગનો હું કર્તા એવી માન્યતાથી અનાદિ કાળથી તું સંસાર-સાગરમાં ડૂબી ગયો છે. આ તારા હિતની વાત કરતાં આચાર્ય કહે છે કે રાગ અન્ય છે અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અન્ય છે. આત્મા જ્ઞાનનો કર્તા છે પણ જે રાગપરિણામ થાય તેનો નિશ્ચયથી કર્તા નથી. રાગ થાય છે પણ રાગનો કર્તા નથી. આ રીતે જીવ અને પ્રત્યયો એક નથી, જીવ અને આસવો એક નથી; અન્ય-અન્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-આ બધા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ પ્રત્યયોથી ભગવાન આત્મા ભિન્ન છે. આવી ષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સિવાય રાગનો અને પરનો પોતાને કર્તા માનવાથી મિથ્યાત્વનો ભાવ ઉત્પન્ન થાય છે. * ગાથા ૧૧૩ થી ૧૧૫ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.’ મિથ્યાત્વાદિ ચાર આસવો જડસ્વભાવ છે. જે મિથ્યા માન્યતાઓ છે તે જડસ્વભાવ છે કેમકે તે ચૈતન્યસ્વભાવથી વિપરીત છે. મિથ્યાશ્રદ્ધાન આદિ ને અહીં જડ કહેલ છે. વળી પરમાણુ તો જડ છે જ. અને જીવ જાણગસ્વભાવની મૂર્તિ પ્રભુ ચૈતન્યસ્વભાવ છે. અહીં કહે છે કે જડ અને ચૈતન્ય જો એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થવાનો પ્રસંગ આવે. પણ એમ તો કદીય બનતું નથી. માટે આત્મા અન્ય છે અને જડસ્વભાવી આસવો, શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ ઇત્યાદિ સર્વ અન્ય છે. તેમ છતાં શુભાશુભ રાગ, શરીર, મન, વાણી, પૈસા, મકાન ઇત્યાદિ જે છે તે મારાં છે અને હું તેનો કર્તા છું એમ જે માને તે જડ થઈ જાય જડ થઈ જાય છે એટલે તેની વિપરીત માન્યતાને કારણે તેને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. માટે નિશ્ચયનયનો આ જે સિદ્ધાંત છે કે આસ્રવ અને આત્મા એક નથી, અન્ય છે, તે યથાર્થ જાણી આત્મદૃષ્ટિવંત થવું. [પ્રવચન નં. ૧૭૯ * * || દિનાંક ૮–૯–૭૬] * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૧૬ થી ૧૨૦ अथ पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति सांख्यमतानुयायिशिष्यं प्रतिजीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण। जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि।। ११६ ।। कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।। ११७ ।। जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण। ते समयपरिणमंते कहं णु परिणामयदि चेदा।। ११८ ।। अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा।। ११९ ।। णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव।।१२० ।। હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલ દ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે ( अर्थात, सध्यमती प्रवृति-पुरुषने अ५२९॥भी माने जे तेने समये छ) : જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬. જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૧૭. જો કર્મભાવે પરિણમાવે જીવ પુદગલદ્રવ્યને, કયમ જીવ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે ? ૧૧૮. સ્વયમેવ યુગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણાવે કર્મને કર્મત્વમાં- મિથ્યા બને. ૧૧૯. પુદગલદ૨વ જે કર્મપરિણત, નિશ્ચય કર્મ જ બને; જ્ઞાનાવરણઇત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates २०२ ] [ प्रवयन रत्न।७२. भाग-५ जीवे न स्वयं बद्धं न स्वयं परिणमते कर्मभावेन। यदि पुद्गलद्रव्यमिदमपरिणामि तदा भवति।। ११६ ।। कार्मणवर्गणासु चापरिणममानासु कर्मभावेन। संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा।। ११७ ।। जीवः परिणामयति पुद्गलद्रव्याणि कर्मभावेन। तानि स्वयमपरिणाममानानि कथं नु परिणामयति चेतयिता।। ११८ ।। अथ स्वयमेव हि परिणमते कर्मभावेन पुद्गलं द्रव्यम्। जीव: परिणामयति कर्म कर्मत्वमिति मिथ्या।। ११९ ।। नयमात्कर्मपरिणतं कर्म चैव भवति पुद्गलं द्रव्यम्। तथा तद्ज्ञानावरणादिपरिणतं जानीत तचैव।। १२० ।। ॥थार्थ:- [इदम् पुद्गलद्रव्यम् ] मा पुलद्रव्य [जीवे ] पम [ स्वयं] स्वयं [बद्धं न ] घायु नथी भने [कर्मभावेन] धर्ममाये [ स्वयं ] स्वयं [न परिणमते ] परिणामतुं नथी [ यदि] अम हो मानवामां आवे [ तदा] तो त [अपरिणामि] अपरि॥भी [भवति] ४२. छे; [च] भने [कार्मणवर्गणासु] वर्गो [कर्मभावेन] धर्ममावे [ अपरिणममानासु] नहि ५२मतi, [ संसारस्य] संसा२नो [अभाव: ] अमाप [प्रसजति] ४२ छ [ वा] अथवा [ सांख्यसमय: ] सांज्यमतनो प्रसं॥ माथे . पणी [जीव:] ७५ [पुद्गलद्रव्याणि] ५६सद्रव्योने [कर्मभावेन] भावे [ परिणामयति] ५२९।माये मेम भानपामा माये तो थे प्रश्न थाय छ ? [ स्वयम् अपरिणममानानि ] स्वयं नहि परिमती सेवा [ तानि] ते 4॥ोने [चेतयिता] येतन मात्मा [कथं नु] तुम [ परिणामयति] परिमाची शडे ? [अथ] अथवा हो [ पुद्गलम् द्रव्यम् ] पुतद्रव्य [ स्वयमेव हि] पोतानी मेणे ४ [कर्मभावेन ] ऽभभावे [परिणमते ] परिमे छ म भानपाम आये, तो [ जीवः] ७५ [ कर्म] भने अर्थात पुलद्रव्यने [कर्मत्वम् ] ५९) [ परिणामयति] परिमाचे छ [इति ] मेम हे [ मिथ्या] मिथ्या ४२. छ. [ नियमात ] भाटे ४म नियमथी [ कर्मपरिणतं] * ३५ परिमेj [पुद्गलम् द्रव्यम् ] ५६सद्रव्य [कर्म चैव ] धर्म ४ [भवति] छ [ तथा] तवी ते [ज्ञानावरणादिपरिणतं] शानाव२९॥६३५. ५२मेतुं [ तत् ] पुलद्रव्य [ तत् च एव ] ना१२९६ ४ [जानीत ] . * उर्भ = इतान आर्य, ४ -भाटानु धर्म . સમયસાર ગાથા-૧૧૬ થી [ २०3 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates (૩૫નાતિ) स्थितेत्यविध्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता।। ६४ ।। ટીકા:- જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ના પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે. શું જીવ સ્વયં અપરિણમતા પુદ્ગલ દ્રવ્યને કર્મભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને ? પ્રથમ, સ્વયે અપરિણમતાને પર વડ પરિણાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જો ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુદ્ગલ દ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ તિ] આ રીતે [પુનરચ] પુદ્ગલ દ્રવ્યની [ સ્વભાવમૂતા પરિણામશ9િ:] સ્વભાવભૂત પરિણમનશક્તિ [ વસ્તુ વિના રિચતા] નિર્વિન સિદ્ધ થઈ. [ તસ્યાં રિચાયાં ] એ સિદ્ધ થતાં, [ સ: આત્મિન: યમ્ ભાવે રોતિ] પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [તસ્ય સ: વ »ર્તા ] તેનો તે પુદ્ગલ દ્રવ્ય જ કર્તા છે. ભાવાર્થ- સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪. સમયસાર ગાથા ૧૧૬ થી ૧૨૦ મથાળું હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે): Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ * ગાથા ૧૧૬ થી ૧૨૦: ટીકા ઉપરનું પ્રવચન * જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) જુઓ, અજ્ઞાની જેવો વિકારભાવ કરે છે તે અનુસાર ત્યાં કર્મબંધન થાય છે. તે કર્મબંધન પુદ્ગલના પરિણમનની યોગ્યતાથી થાય છે. આત્માએ વિકાર કર્યો માટે એનાથી કર્મબંધન થયું એમ છે નહિ. વળી. જીવ પોતામાં પણ-પાપના ભાવ રચે તે સ્વતંત્રપણે રચે છે. તેમાં કર્મની અપેક્ષા નથી. જીવ શુભાશુભ વિકારભાવે પરિણમે છે તે પોતાના પકારકની ક્રિયાથી પરિણમે છે. વિકાર પરિણામનો કર્તા વિકાર પોતે, કર્મ પોતે, વિકારનું સાધન પોતે, વિકાર કરીને પોતાને આપે તે સંપ્રદાન પોતે, વિકાર પોતામાંથી થયો તે અપાદાન પોતે અને વિકારનું અધિકરણ પણ પોતે-એમ પોતાના પકારકની ક્રિયાથી વિકાર ઉત્પન્ન થાય છે. તેવી રીતે જે જડ કર્મની પ્રકૃતિ બંધાય તે પણ તેના પોતાના પારકની ક્રિયારૂપ પરિણમનથી બંધાય છે. અહીં સાંખ્યમતવાળાને પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સમજાવે છે. કહે છે-જો પુદ્ગલદ્રવ્ય કર્મભાવે સ્વયમેવ ન પરિણમે તો તે અપરિણામી જ ઠરે. પરિણમીને (પર્યાયપણે) બદલવાનો જો તેનો સ્વભાવ ન હોય તો તે અપરિણામી એટલે કૂટસ્થ સિદ્ધ થાય. એમ થવાથી સંસારનો અભાવ થાય, કેમકે સંસારનું નિમિત્ત જે કર્મરૂપ પર્યાય તે નહિ હોતાં જીવને સંસારનો અભાવ સિદ્ધ થશે. જડ કર્મના પુદ્ગલો સ્વયમેવ કર્મરૂપે ન પરિણમે તો વિકારના નિમિત્તનો અભાવ થઈ જશે, નિમિત્તના અભાવમાં વિકાર પણ રહેશે નહિ, અને વિકાર ન રહું તો સંસારનો અભાવ થઈ જશે. પુદગલદ્રવ્ય જો સ્વયમેવ ઉમેરૂપ ન પરિણમ તો જીવ કર્મરહિત થઈ જશે. કર્મરહિત જીવને સિદ્ધ કહેવામાં આવે છે. તો સંસાર તો રહેશે નહિ; તો પછી સંસાર કોનો? અહીં જો એમ તર્ક કરવામાં આવે કે- “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી,'' તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે:-શું જીવ સ્વયે અપરિણમતા પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જો ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ] [ ૨૦૫ હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો.' જુઓ, આ અજ્ઞાનીના તર્કનું નિરાકરણ છે. વિકલ્પ થયો કે આંગળીથી રોટલીના ટુકડા કરું, ત્યાં આંગળી પોતાથી સ્વયં પરિણમે છે કે જીવના વિકલ્પથી ? જો આંગળી સ્વયં પોતાથી ન પરિણમે તો જીવ તેને કેમ પરિણાવી શકે? અને જો આંગળી સ્વયં પોતાથી જ પરિણમે છે તો જીવે શું કર્યું? કાંઈ જ નહિ. માટે આંગળીનું પરિણમન સ્વયં આંગળીથી પોતાથી થયું છે, જીવની ઇચ્છાથી નહિ–આ ન્યાય છે. જુઓ, માટીમય ઘડાની પર્યાય થઈ તે માટીથી થઈ કે કુંભારથી થઈ ? જો માટી સ્વયં ઘડારૂપે પરિણમી ન હોય તો કુંભાર તેને પરિણાવી શકે નહિ; અને જો સ્વયં માટી ઘડારૂપે પરિણમી છે તો તેમાં કુંભારે શું કર્યું? તેમાં કુંભારની કોઈ અપેક્ષા રહી જ નહિ. ભાઈ ! આ આંખ ઊંચી-નીચી થાય તે પરિણમન આંખનું પોતાનું છે, જીવનું તેમાં કાંઈ કર્તવ્ય નથી; કેમકે જો આંખ સ્વયં પરિણમે નહિ તો તેને બીજો પરિણમાવી શકે નહિ અને જો આંખ સ્વયં પોતાથી પરિણમે છે તો અન્યની-જીવની તેમાં અપેક્ષા ન હોય. આ તો ન્યાયથી-લોજિકથી વાત છે. જો વસ્તુમાં પરિણમનશક્તિ સ્વત: ન હોય તો તેને બીજો પરિણમાવી શકે નહિ અને જો સ્વત: પરિણમન શક્તિ છે તો તેને પરિણમવામાં બીજા પરિણમાવનારની અપેક્ષા ન હોય કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. પ્રશ્ન:- પર્યાયમાં જે વિકાર થાય છે તેને કર્મની અપેક્ષા છે કે નહિ? ઉત્તર:- (જીવમાં) વિકારની જે કોઈ પર્યાય થાય છે તે પોતાના પકારકથી સ્વતંત્ર થાય છે, તેમાં કર્મના કારકોની અપેક્ષા ત્રણકાળમાં નથી. કર્મ છે તો જીવને પર્યાયમાં વિકાર થાય છે એ વાત તદ્દન જૂઠી છે. વિકારભાવ થવામાં નિશ્ચયથી કર્મની અપેક્ષા છે જ નહિ. વસ્તુમાં પરિણમનની પોતાની શક્તિથી પરિણમન થાય છે ત્યાં પરની અપેક્ષા શું? જો પોતાની પરિણમનશક્તિ ન હોય તો બીજો કેવી રીતે પરિણમાવી શકે? અન્ય અન્યને પરિણમાવે એ વસ્તુસ્થિતિ જ નથી. અહાહા....! પ્રત્યેક દ્રવ્યની સમયસમયની પ્રત્યેક પર્યાય તે તે કાળે (સ્વકાળે) પોતાથી થાય છે, પરથી નહિ, એ વાત અહીં સિદ્ધ કરવી છે. કર્મરૂપ જે પરિણમન થાય છે તે અજીવની-પુદ્ગલની પર્યાય છે. પુદ્ગલ કર્મરૂપ પરિણમે તે પોતાની શક્તિથી પરિણમે છે, પરથી નહિ. પુદ્ગલની પોતાની પરિણમનની શક્તિ ન હોય તો બીજો તેને પરિણાવી શકે નહિ; અને સ્વયં પોતાની શક્તિથી પરિણમે છે તો તેમાં બીજાની-જીવની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અપેક્ષા ન હોય. જીવે રાગદ્વેષ કર્યા માટે પુદ્ગલ કર્મરૂપે બંધાયું એમ છે નહિ. જડ કર્મની જે પર્યાય પરિણમે છે તે પોતાના પક્કરકથી સ્વયં પરિણમે છે. આવી જ વસ્તુસ્થિતિ છે. બંધ અધિકારમાં આવે છે કે બીજા જીવને તું જીવાડી શક્તો નથી. તેના આયુષ્યથી તે જીવે છે અને આયુષ્ય પૂરું થતાં તેનું મરણ નીપજે છે. ભાઈ ! કોઈનાં જીવન-મરણ કોઈ બીજો કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં જ નથી. વિકારી ભાવરૂપે અજ્ઞાની સ્વયં-પોતે પરિણમે છે, અને તે કાળે સામે જે કર્મબંધન થાય તે તેની પરિણમનશક્તિથી થાય છે. અજ્ઞાની વિકારના પરિણામ કરે છે માટે ત્યાં કર્મને બંધાવું પડે છે એમ નથી. (બન્નેનાં પરિણમન પોતપોતામાં સ્વતંત્ર છે ). - જ્ઞાનીને રાગ થાય છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનીને રાગ સંબંધીનું જ્ઞાન પોતામાં પોતાથી થાય છે. પોતાનું (સ્વદ્રવ્યનું) અને રાગ સંબંધીનું જ્ઞાન જે જ્ઞાનીને થાય છે તે જ્ઞાન પોતાની પરિણમનશક્તિથી થાય છે; રાગ છે તો તે જ્ઞાન થાય છે એમ નથી. પોતાના પરિણમનની શક્તિથી સ્વ-પરપ્રકાશક જ્ઞાન જ્ઞાનીને પ્રગટ થાય છે અને એમાં રાગનીપરની કોઈ અપેક્ષા નથી. જો જ્ઞાન સ્વશક્તિથી પોતાથી પરિણમે નહિ તો રાગ તેને પરિણમાવી શકે નહિ; રાગમાં એવી તાકાત નથી કે તે જ્ઞાનને પરિણાવી દે. જડની પરિણમનશક્તિથી જડ પરિણમે છે, જીવના કારણે તે પરિણમે છે એમ છે નહિ. જીવ રાગ, દ્વેષ, મોહ, વિષયવાસનાના પરિણામ કરે તે કાળે ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિ પોતાથી પરિણમે છે. એ તેનો પરિણમનનો કાળ છે માટે સ્વયં પોતાથી પરિણમે છે. જીવના રાગાદિ વિકારભાવ તેનું પરિણમન કરી દે છે એમ નથી. જો જડ કર્મ સ્વયં પરિણમે નહિ તો તેને રાગ પરિણમાવી શકે નહિ, અને તે કર્મપ્રકૃતિ જો પોતાથી સ્વયં પરિણમે છે તો તેને રાગની અપેક્ષા છે નહિ. ભાઈ ! પ્રત્યેક તત્ત્વ ભિન્ન-ભિન્ન છે. અજીવ તે જીવ નહિ અને જીવ તે અજીવ નહિ એમ સામાન્યપણે કહે, પણ અજીવનું પરિણમન હું કરી શકું અને મારું પરિણમન અજીવથી છે એવું માને તેને માન્યતામાં જીવ-અજીવની એકતા હોવાથી મિથ્યાત્વ છે. આ અક્ષરો લખાય છે તે પરમાણુઓનું પરિણમન છે. પરમાણુઓ ( પ્રત્યેક ) સ્વયં સ્વતઃ પરિણમીને અક્ષરરૂપ થયા છે. એ અક્ષરરૂપ પરિણમન તારી કલમથી કે તારાથી (જીવથી) થયું છે એમ નથી. મોતીના દાણા જેવા અક્ષરો લખાય ત્યાં તું અભિમાન કરે કેવાહ! કેવા સરસ અક્ષર મેં લખ્યા છે? ધૂળેય તે લખ્યા નથી, સાંભળને! પરમાણુઓ ત્યાં સ્વયં પોતાની શક્તિથી અક્ષરરૂપે પરિણમ્યા છે. આ આગમ-મંદિરમાં આરસમાં જે આગમ કોતરાયાં છે તેનો પ્રત્યેક અક્ષર અનંત પરમાણુનો પિંડ છે. તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ] [ ૨૦૭ પરમાણુઓ સ્વયં પોતાની સહજ પરિણમનની શક્તિથી આગમના અક્ષરરૂપે કોતરાઈ ગયા છે. આગમના અક્ષરરૂપ પરિણમનની ક્રિયા મશીનથી કે કારીગરથી થઈ છે એમ છે નહિ. અહીં કહે છે કે ૫૨માણુમાં જો અક્ષરૂપે પરિણમવાની નિજ શક્તિ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહિ, અને જો પોતાની સહજ પરિણમનશક્તિથી પરમાણુ અક્ષરરૂપે પરિણમ્યા છે તો તેમાં કોઈ અન્યની અપેક્ષા રહેતી નથી. જૈન પરમેશ્વરનો વીતરાગ-માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! અજ્ઞાની જ્યાં-ત્યાં કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. હું કેવો હોશિયાર છું! જગતના પદાર્થોની સરસ વ્યવસ્થા હું કરી શકું છું. આવું બધું ભ્રમથી અજ્ઞાની માને છે. અરે ભાઈ ! જડની અવસ્થા અને વ્યવસ્થા સ્વયં જડથી પોતાથી થાય એવી સહજ પરિણમનશક્તિ જડમાં રહેલી છે. તેનો તું કર્તા નથી. જડની વ્યવસ્થાની અવસ્થા જે થવા યોગ્ય હોય તે સ્વયં તેનાથી થાય ત્યાં તું શું કરી શકે ? તારા વિકલ્પની એમાં કયાં અપેક્ષા છે? તારી ઇચ્છાને લઈને જડમાં પરિણમન થાય એમ છે જ નહિ. આ આગમમંદિરને જોઈને કોઈ એમ કહે કે આ કોઈ ભારે નિષ્ણાત ઇજને૨નું કામ છે તો તે યથાર્થ નથી. અરે ભાઈ! આ આગમમંદિરની જે રચના થઈ તે ૫૨માણુની સહજ પરિણમનશક્તિથી સ્વતંત્ર તેનાથી થઈ છે, ઇજનેરથી, કડિયાથી કે અન્ય કોઈથી થઈ છે એમ છે નહિ. ગજબ વાત છે! ઉજ્જૈનમાં અઢી કરોડનો સંચો (મશીન ) વિનોદ મિલમાં છે. તેમાં રૂ નાખે તો કપડું બનીને બહાર આવે છે. તે રૂમાંથી જે કાપડ બને છે તે તેની પરિણમનશક્તિથી તેનાથી પોતાથી બને છે, મશીનને લઈને કે કોઈ અન્યથી તે કાર્ય થાય છે એમ છે નહિ. અરે! જૈનમાં રહીને આવા તત્ત્વની ખબર ન હોય એ તો બિચારા ભ્રમમાં પડેલા છે! જૈન તો એને કહીએ કે જે એમ માને કે-જડની અનંત પરમાણુની (પ્રત્યેકની ) જે પર્યાય જે કાળે જે થવાની હોય તે એનાથી થાય, મારાથી નહિ; અને જે રાગાદિ વિકારી ભાવ થાય તે પણ મારી ચીજ નહિ; હું તો એકમાત્ર જ્ઞાતાદષ્ટા છું. અહાહા...! આવું જે અંતરંગમાં માને તે જૈન છે બાકી બધા અજૈન છે. અહીં કહે છે-પ્રથમ, સ્વયં અપરિણમતાને ૫૨ વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને ૫૨ ( અન્ય ) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ ૫૨ની અપેક્ષા રાખતી નથી. (પરની અપેક્ષા રાખે તો વસ્તુ પરાધીન થઈ જાય). આ રીતે બન્ને પક્ષ અસત્ય છે. તેથી પુદ્દગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો એમ સિદ્ધાંત છે. વસ્તુમાં સમય-સમયની જે પર્યાય થાય તે પોતાથી થાય છે; તેને પરની અપેક્ષા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ ] યન રત્નાકર ભાગ-૫ નથી. આ મોટર જે ચાલે છે તે સ્વયં પોતાથી ચાલે છે, તેને પેટ્રોલની કે પર ચાલકની ( ચલાવનારની) અપેક્ષા નથી. અહા ! ગજબ વાત છે! આ ભેદજ્ઞાનની વાત લોકોને કઠણ પડ છે પણ આ સત્ય વાત છે. ભાઈ ! પરની પર્યાય તારાથી ન થાય, અને તારી પર્યાય પરથી ન થાય કેમકે વસ્તુ સ્વયમેવ પરિણમનસ્વભાવવાળી છે. જ્ઞાનાવરણીય આદિ કર્મ જે બંધાય તે જીવ રાગાદિ ભાવ કરે છે માટે બંધાય છે એમ નથી. અહાહા...! જડ અને ચૈતન્ય બન્નેનો પ્રગટ સ્વભાવ ભિન્ન છે અને બંને સ્વયમેવ પરિણમન સ્વભાવવાળા છે. શાસ્ત્રની વાણી કાને પડતાં જે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ તે શાસ્ત્રના શબ્દોથી થઈ છે એમ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાનથી સ્વત: ઉત્પન્ન થઈ છે, એને શબ્દોની અપેક્ષા નથી. શાસ્ત્રના શબ્દોને લઈને અહીં જ્ઞાન થયું છે એમ છે નહિ. અહો ! આ ગાથાઓ બહુ ઊંચી છે! કહે છેસ્વયે અપરિણમતાને બીજો કેમ પરિણમાવી શકે? અને સ્વયં જો પરિણમે છે તો તેને બીજાની અપેક્ષા શી ? પ્રશ્ન:- બીજી ચીજ નિમિત્ત તો છે ને? ઉત્તર:- હા, બીજી ચીજ નિમિત્ત છે. પણ એનો અર્થ શું? બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી કાર્ય થાય છે એ વાત ત્રણકાળમાં નથી. નિમિત્તનું કાર્ય નિમિત્તમાં અને ઉપાદાનનું કાર્ય ઉપાદાનમાં પોતાથી થાય છે. નિમિત્ત કોઈ પરવસ્તુને બદલાવી કે પરિણમાવી દેતું નથી, કેમકે સ્વયં પરિણમનારને કોઈ પરની અપેક્ષા નથી. વસ્તુતઃ કુંભાર ઘડાનો કર્તા નથી. કુંભાર ઘડો કરે તો કુંભારનો ઘડામાં પ્રવેશ થઈ જાય. આ વાત અગાઉ ગાથા ૧૦૪ માં આવી ગઈ છે. માટીમય ઘટકર્મ માટીથી થયું છે. કુંભાર તેમાં પોતાનાં દ્રવ્ય કે પર્યાયને ભેળવતો નથી; પોતાનાં દ્રવ્ય-પર્યાય નહિ ભેળવતો કુંભાર ઘટકર્મ કેમ કરે? પરમાર્થે કુંભાર ઘડાનો કર્તા છે જ નહિ. તેમ આ જીવને જે વિકાર થાય છે તે પોતાથી થાય છે, તેમાં કર્મની અપેક્ષા નથી. કર્મ નિમિત્ત હો ભલે, પણ કર્મને લઈને જીવમાં વિકારના પરિણામ થાય છે એમ છે નહિ. નિમિત્તથી કાર્ય થાય એવું માનનારનો અહીં સ્પષ્ટ નિષેધ કર્યો છે. પૂજા કરતી વખતે “સ્વાહા' ઇત્યાદિ પાઠ જે બોલે છે તે ભાષાની પર્યાય છે અને તે પરમાણુની પરિણમનશક્તિથી સ્વત: થાય છે. ભાષાની પર્યાયનો જીવ કર્તા નથી. જીવને વિકલ્પ થયો માટે ભાષાનું પરિણમન થયું છે એમ નથી. અહા ! નવ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. ત્યાં એક તત્ત્વ બીજાનું શું કરે? ભગવાને તત્ત્વોની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. ભાઈ ! આ વાત તને પરિચય નહિ એટલે સાધારણ લાગે પણ આ ભેદજ્ઞાનની અસાધારણ વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ] [ ૨૦૯ આ પુસ્તક જે અહીં (ઘોડી ઉ૫૨) રહ્યું છે તે ઘોડીના આધારે રહ્યું છે એમ નથી. અધિકરણ નામની દ્રવ્યમાં શક્તિ છે; તે પોતાની શક્તિના આધારે પુસ્તક રહ્યું છે, ઘોડીના આધારે નહિ. (પુસ્તક પુસ્તકમાં અને ઘોડી ઘોડીમાં છે). આ મકાનનું છાપરું છે તે કેંચીના આધારે નથી અને કેંચી છે તે ભીંતના આધારે રહી નથી. અહાહા...! ૫૨માણુ-૫૨માણુની પ્રતિસમય થતી પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે, ૫૨ને લઈને તે પર્યાય થતી નથી. જડ અને ચેતનમાં સમયે સમયે જે પર્યાય પ્રગટ થાય તે પોતાથી થાય છે, કોઈ અન્યની તેમાં અપેક્ષા નથી, કોઈ અન્ય તેને પરિણમાવતો નથી. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં આવે છે કે દરેક પર્યાયની જન્મક્ષણ હોય છે અને કાળે તે પર્યાય સ્વયં પોતાથી ઉત્પન્ન થાય છે, તેમાં બીજાની અપેક્ષા નથી. તેથી પુદ્દગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. હવે કહે છે . ‘એમ હોતાં ( હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્દગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિ કર્મ છે. આ રીતે પુદ્દગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.’ જુઓ, આ દાખલો આપ્યો કે ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે, ઘડારૂપે માટી પરિણમી છે. ઘડો માટીનું કાર્ય છે, કુંભારનું નહિ. પ્રશ્ન:- માટી લાખ વર્ષ પડી રહે તોપણ શું કુંભાર વિના ઘડો થાય છે? ઉત્ત૨:- હા, અહીં કહે છે કે માટીનો ઘડો થવાનું કારણ માટીમાં પોતામાં રહેલું છે. વસ્તુનો સહજ પરિણમનસ્વભાવ છે ને! માટી સ્વયં ઘડો થવાના કાળે ઘડારૂપે પરિણમે છે. એમાં કુંભારનું કાંઈ કર્તવ્ય નથી. કુંભાર તો બાહ્ય નિમિત્તમાત્ર છે. અહાહા...! ભાષા તો જુઓ ! કહે છે-ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે. ગજબ વાત છે! માટીમાં ઘડારૂપ પર્યાય થવાનો કાળ-જન્મક્ષણ છે તો માટીથી સ્વતઃ ઘડારૂપ પરિણામનો ઉત્પાદ થયો છે. કુંભારથી ઘડો ઉત્પન્ન થાય છે એમ ત્રણકાળમાં બનતું નથી. કોઈ સ્ત્રીના હાથથી રસોઈ સારી થતી હોય તો લોકો કહે છે કે આ બાઈ બહુ હોશિયાર છે અને એનો હાથ બહુ હળવો છે એટલે રસોઈ-ભજીયા, પુડલા વગેરે–સારી થાય છે. અરે, બાઈથી અને એના હાથથી ધૂળેય થતું નથી, સાંભળને! એ રસોઈરૂપ પરિણામ તો તે કાળે તે તે પુદ્ગલપરમાણુ સ્વતઃ પરિણમીને થયા છે, સ્ત્રી કે તેનો હાથ તે પરિણામનો કર્તા નથી. આ મેં કર્યું, આ મેં કર્યું-એમ કરી-કરીને અજ્ઞાની જીવ અનંતકાળથી મરી રહ્યો છે, ચાર ગતિમાં દુઃખી-દુ:ખી થઈને રખડી રહ્યો છે. આટલાં પુસ્તક બનાવ્યાં, ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આટલા શિષ્ય બનાવ્યા, આટલો ફાળો એકઠો કર્યો ઇત્યાદિ તું મિથ્યા કર્તુત્વનું અભિમાન કરે છે, પણ ભાઈ ! એ બહારનાં જડનાં કાર્ય કોણ કરે? એ તો થવા કાળે સ્વયં થાય છે. એ કાર્યો થવામાં તારી (પરની) અપેક્ષા કયાં છે? પ્રભો ! આ મિથ્યા અહંકારથી તને દુઃખ થશે. પ્રશ્ન:- આ મોરપીંછી નીચે પડી છે તે શું એની મેળે ઊંચી થશે? ઉત્તર- અરે ભાઈ ! સાંભળ. પુદ્ગલમાં જેમ પરિણમનશક્તિ છે તેમ ક્રિયાવતી-શક્તિ પણ છે. તેથી જે સમયે પીંછીનો ઊંચી થવાનો કાળ છે તે સમયે સ્વકાળને પ્રાપ્ત થયેલી પીંછી શક્તિથી જ ઊંચી થવાની પર્યાયને પ્રાપ્ત થાય છે. કોઈ અન્ય તેનો કર્તા નથી. જે સમયે ઊંચી થવાની પર્યાયરૂપ પરિણમન નથી તે સમયે બીજો તેને કેમ ઊંચી કરી શકે? અને જે સમયે ઊંચી થવાની પર્યાયરૂપ પરિણમન સ્વતઃ છે તો બીજો ત્યાં શું કરે? કાંઈ નહિ. આ આકાશ છે તેનો ટુકડો લઈને કોઈ તેને ઊંચો કરી શકે છે? ના. કેમ? એવો જ તેનો સ્વભાવ છે. તેમ આનો-પુદ્ગલનો ક્રિયાવતીશક્તિરૂપ સ્વભાવ છે જે વડે સ્વકાળને પ્રાપ્ત પીંછી સ્વયં ઊંચી થવાના પરિણામરૂપ પરિણમી જાય છે. (સંયોગદષ્ટિ છોડીને વસ્તુના સ્વભાવથી જોતાં એમ ભાસે છે. ). જેની દષ્ટિ વિપરીત છે તેને બધું ઊંધું દેખાય છે. તેને આ તત્ત્વની વાત બેસતી નથી. અરે ભગવાન! મિથ્યા શ્રદ્ધાને લઈને તેને અનંત-અનંત ભવ થયા છે. હવે દષ્ટિ પલટી દે. અહીં કહે છે કે ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે. ઘડો માટીનું કાર્ય છે, કુંભારનું કદાપિ નહિ. અહાહા...જે રૂપે પદાર્થ પરિણમે તે રૂપે જ તે પદાર્થ છે, પરરૂપે કદીય નહિ. તેથી જડસ્વભાવવાળા જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિ કર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે * કળશ ૬૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * રૂતિ' આ રીતે “પુનિસ્ય' પુદ્ગલદ્રવ્યની “સ્વભાવમુતા પરિણામશgિ:' સ્વભાવભૂત પરિણમનશક્તિ “વસુ વિષ્ણા સ્થિત ' નિવિઘ્ન સિદ્ધ થઈ. “તસ્યાં સ્થિતીયાં' એ સિદ્ધ થતાં, “સ: ગાત્મન: યમ ભાવ રાતિ' પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે “તસ્ય સ: કવ ર્તા' તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે. જુઓ, જીવ જ્યારે રાગાદિ ભાવે પરિણમે છે ત્યારે તે સમયે પુગલપરમાણુ પોતાની પર્યાયથી કર્મરૂપે પરિણમે છે, કેમકે તેમાં સહજ પરિણમનશક્તિ છે. પોતાની પરિણમનશક્તિથી પરિણમન થયું ત્યાં તે કર્મરૂપ પરિણમન થવામાં બાહ્ય કારણ શું છે? તો કહે છે કે જીવના વિકારના પરિણામ તેમાં નિમિત્ત છે. નિમિત્તનો અર્થ અનુકૂળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ] [ ૨૧૧ થાય છે. જેમ નદીમાં પ્રાણીનો પ્રવાહ ચાલે તેમાં કાઠો તેને નિમિત્ત છે. કાંઠાને લઈને પ્રાણીનો પ્રવાહ ચાલે છે એમ નથી; પ્રવાહ તો પોતાથી ચાલે છે એમાં બન્ને કાંઠા તેને અનુકૂળ છે, અર્થાત્ નિમિત્ત છે. તેમ નવાં કર્મ જે બંધાય તે પોતાથી બંધાય છે ત્યારે જીવના વિકારી ભાવ તેમાં નિમિત્ત છે. વિકારી ભાવ છે માટે ત્યાં કર્મબંધનની પર્યાય થાય છે એમ નથી. જીવને અનુકંપાના ભાવ થાય તે વખતે શાતાવેદનીય કર્મ બંધાય છે. તે કર્મ સ્વયં પોતાની યોગ્યતાથી બંધાય છે ત્યારે તેમાં જીવના અનુકંપાના ભાવને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત નામ અનુકૂળ અને જે પ્રકૃતિ બંધાય તેને અનુરૂપ કહેવાય છે. આ વાત ગાથા ૮૬માં આવી ગઈ છે. માટીમાંથી ઘડો બને તેમાં કુંભાર અનુકૂળ છે અને માટી તેને અનુરૂપ છે. ઘડો થવામાં કુંભાર અનુકૂળ છે એટલે કે નિમિત્ત છે, પણ ઘડો કુંભારથી બને છે એવું ત્રણકાળમાં નથી. નિમિત્તને અનુકૂળ અને નૈમિત્તિક પર્યાયને અનુરૂપ કહેવાય છે. આ લાકડી આમ ઊંચી થાય તેને આંગળી અનુકૂળ છે, પણ લાકડીની ઊંચી થવાની પર્યાયને આંગળીએ કરી નથી. પોતાના પરિણમનસ્વભાવથી લાકડી ઊંચી થાય છે, તેમાં આંગળી અનુકૂળ છે અને લાકડીની જે નૈમિત્તિક પર્યાય થઈ તે તેને અનુરૂપ છે. અનુરૂપની પર્યાયને અનુકૂળ નિમિત્તે બનાવી નથી. બન્ને પોતપોતામાં પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે. જીવમાં જે વિકાર થાય તે પોતાથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. તેમાં જડકર્મ નિમિત્ત છે પણ કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. જીવમાં જે વિકાર થાય તે અનુરૂપ છે અને જડકર્મ તેને અનુકૂળ છે. જીવને જે મિથ્યાત્વના પરિણામ થાય છે તે પોતાના ઊંધા પુરુષાર્થથી, પોતાની વીર્યશક્તિના ઊંધા પરિણમનથી સ્વતંત્રપણે થાય છે. તેમાં કર્મની અપેક્ષા બિલકુલ નથી. કર્મ નિમિત્ત હો, પણ નિમિત્તથી જીવને વિકાર થાય છે એમ ત્રણકાળમાં નથી. આવી સ્વતંત્રતાની વાત સાંભળી લોકો ખળભળી ઊઠે છે. પણ ભાઈ ! આ વાત પરમ સત્ય છે. લોકોને અનાદિથી નિમિત્તાધીન દષ્ટિ છે અને અભ્યાસ પણ તેવો જ છે. એટલે આ સ્વતંત્રતાની વાત સમજવી કઠણ પડે છે. પણ શું થાય? સ્વભાવની દષ્ટિ કરે તો સહેજે સમજાય તેમ છે. અહીં કહે છે કે પુદગલદ્રવ્યમાં નિરાબાધ પરિણમનશક્તિ છે. પોતાના ભાવે પરિણમતા પુદ્ગલદ્રવ્યને કોઈ પરદ્રવ્ય અન્યથા કરી દે એ ત્રણકાળમાં સંભવિત નથી. જીવમાં જ્યારે વિકાર થાય ત્યારે પુદ્ગલદ્રવ્ય સ્વતઃ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમી જાય છે. તે કર્મબંધનની પર્યાયને વિકાર નિમિત્ત છે, અનુકૂળ છે પણ વિકારને કારણે કર્મબંધન થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ છે એમ નથી. તે કર્મબંધનની પર્યાયનો કર્તા પુદ્ગલ પરમાણુ છે, રાગાદિ ભાવ તેનો કર્તા નથી. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે પોતાના પરિણમનનો કર્તા છે. ભાવાર્થ- “સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે.' દરેક દ્રવ્યમાં પરિણમનસ્વભાવ છે, એક અવસ્થાથી અવસ્થાંતરપણે બદલવાનો સ્વભાવ છે, એટલે પોતાના ભાવનો પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ સ્વતંત્રપણે પોતાના ભાવને કરે છે અને તેનો પુદગલદ્રવ્ય પોતે જ કર્તા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૨૧ થી ૧૨૫ जीवस्य परिणामित्वं साधयति ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं। जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि।। १२१ ।। अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।।१२२ ।। पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं। तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो।।१२३ ।। अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी। कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा।।१२४ ।। कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा। माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो।।१२५ ।। હવે જીવનું પરિણામપણે સિદ્ધ કરે છે: કર્મ સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે ! ૧૨૧. ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૨૨. જો ક્રોધ-પુદ્ગલકર્મ-જીવને પરિણાવે ક્રોધમાં, કયમ ક્રોધ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે ? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે-તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં- મિથ્યા બને. ૧૨૪. ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે, માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates २१४ ] [ प्रपयन रत्नार भाग-१ न स्वयं बद्धः कर्मणि न स्वयं परिणमते क्रोधादिभिः । यद्येषः तव जीवोऽपरिणामी तदा भवति ।। १२१ ।। अपरिणममाने स्वयं जीवे क्रोधादिभिः भावैः । संसारस्याभाव: प्रसजति सांख्यसमयो वा ।। १२२ ।। पुद्गलकर्म क्रोधो जीवं परिणामयति क्रोधत्वम्। तं स्वयमपरिणममानं कथं नु परिणामयति क्रोधः ।। १२३ ।। अथ स्वयमात्मा परिणमते क्रोधभावेन एषा ते बुद्धिः । क्रोधः परिणामयति जीवं क्रोधत्वमिति मिथ्या ।। १२४ ।। क्रोधोपयुक्तः क्रोधो मानोपयुक्तश्च मान एवात्मा । मायोपयुक्तो माया लोभोपयुक्तो भवति लोभः ।। १२५ ।। गाथार्थ:- सांख्यमतना अनुयायी शिष्य प्रति आयार्य हे छेड़े भाई ! [ एषः ] २॥ [ जीवः] a [ कर्मणि] ऽर्भमां [ स्वयं ] स्वयं [ बद्धः न ] अंधायो नथी अने [ क्रोधादिभिः ] श्रेधाहिलावे [ स्वयं ] स्वयं [न परिणमते ] परिएामतो नथी [ यदि तव ] खेम भे तारो भत होय [ तदा] तो ते ( 4 ) [ अपरिणामी ] अपरिणामी [ भवति ] हरे छे; जने [ जीवे ] a [ स्वयं ] पोते [ क्रोधादिभि: भावैः ] श्रेधाहिलावे [ अपरिणममाने] नहि परिएामतां, [ संसारस्य ] संसारनो [ अभाव: ] अभाव [ प्रसजति ] हरे छे [ वा ] अथवा [ सांख्यसमय: ] सांख्यमतनो प्रसंग आवे छे. [ पुद्गलकर्म क्रोधः ] वजी पुछ्गसर्भ में ओघ ते [ जीवं ] वने [ क्रोधत्वम् ] प्रेघपये [ परिणामयति ] परिएाभावे छे खेम तुं माने तो से प्रश्न थाय छे } [ स्वयम् अपरिणममानं ] स्वयं नहि परिश्रमता सेवा [ तं] वने [ क्रोध: ] ओघ [ कथं नु ] डेम [ परिणामयति ] परिभावी शडे ? [ अथ ] अथवा भे [ आत्मा ] आत्मा [ स्वयम् ] पोतानी भेणे [ क्रोधभावेन ] श्रेधभावे [ परिणमते ] परिलाभे छे [ एषा ते बुद्धि: ] ओम तारी बुद्धि होय, तो [ क्रोध: ] श्रेध [ जीवं ] वने [ क्रोधत्वम् ] श्रेधपणे [ परिणामयति ] परिभावे छे [ इति ] खेम म्हेपुं [ मिथ्या ] मिथ्या हरे छे. उपयुक्त ( अर्थात् नी उपयोग ] माटे से सिद्धांत छे } [ क्रोधोपयुक्तः ] श्रेधमां मेघाझरे परिणम्यो छे जेवो ) [ आत्मा ] आत्मा [ क्रोध: उपयुक्त आत्मा [मानः एव ] भान ४ छे, [ मायोपयुक्तः ] माया छे [ च ] अने [ लोभोपयुक्तः ] लोभमा उपयुक्त आत्मा [ लोभः ] लोभ [ भवति ] छे. ६ ४ छे, [ मानोपयुक्तः ] भानभां मायामां उपयुक्त आत्मा [ माया ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૧ થી ૧૨૫ ] (૩૫નાતિ) स्थितेति जीवस्य निरन्तराया स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ।। ६५ । ટીકા:- જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “પુદ્દગલકર્મ જે ક્રોધાદિક જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ-પુદ્દગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને ? પ્રથમ, સ્વયં અપરિણમતાને ૫૨ વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પ૨ (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી ), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. છે. ૬૫. ભાવાર્થ:- જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [ તિ] આ રીતે [નીવસ્યું] જીવની [ સ્વમાવભૂતા પરિણમશત્તિ: ] સ્વભાવભૂત પરિણમનશક્તિ [નિરન્તરાયા સ્થિતા] નિર્વિઘ્ન સિદ્ધ થઈ. [ તસ્યાં સ્થિતાયાં] એ સિદ્ધ થતાં, [ સ: સ્વચ યં ભાવું ોતિ] જીવ પોતાના જે ભાવને કરે છે [તત્ત્વ વ સ: ર્તા ભવેત્] તેનો તે કર્તા થાય છે. ભાવાર્થ::- જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય * [ ૨૧૫ * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ] સમયસાર ગાથા ૧૨૧ થી ૧૨૫ : મથાળું હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે: [ પ્રવચન રત્નાકર ભાગ-૫ * ગાથા ૧૨૧ થી ૧૨૫ : ટીકા ઉ૫૨નું પ્રવચન * જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય.' જુઓ, આ ગાથાઓ બહુ ઊંચી છે. અહીં ક્રોધ શબ્દથી વિકારી ભાવ સમજવું. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના વિકલ્પ એ જીવનું કર્મ-કાર્ય છે. તે વિકારના ભાવે જીવ સ્વયમેવ જો ન પરિણમે તો તે ખરેખર અપરિણામી-નહિ બદલનારો ફૂટસ્થ જ ઠરે. જીવમાં વિકાર થાય છે તે પોતાથી થાય છે; કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. પોતાના (ઊંધા ) પુરુષાર્થથી વિકાર થાય છે અને પોતાના (સમ્યક્) પુરુષાર્થથી વિકાર ટળે છે. વિકા૨ નિશ્ચયથી પોતાના ષટ્કારકથી થાય છે, તેમાં પર કારકોની અપેક્ષા નથી. પંચાસ્તિકાયની ગાથા ૬ર માં આવે છે કે વિકાર પોતાના ષટ્કારથી થાય છે, કર્મથી નહિ. કર્મ નિમિત્ત હો, અનુકૂળ હો; પરંતુ કર્મથી વિકાર થતો નથી. અહીં કહે છે કે જીવ સ્વયં વિકારરૂપે ન પરિણમતો હોય તો તે અપરિણામી સિદ્ધ થશે અને અપરિણામી સિદ્ધ થતાં સંસારનો અભાવ થશે. સંસાર એટલે આ બૈરાં-છોકરાં નહિ. પણ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામને સંસાર કહેવામાં આવે છે. જીવ પોતે સ્વયં મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામરૂપે ન પરિણમે તો સંસારનો અભાવ થઈ જશે. ‘અહીં જો એમ તર્ક કરવામાં આવે કે ‘પુદ્દગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ ,, પુદ્દગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને ? પ્રથમ, સ્વયં અપરિણમતાને ૫૨ વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં ) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો ૫૨ ( અન્ય ) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ ૫૨ની અપેક્ષા રાખતી નથી. ( આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો.’ આ બધું તારે સમજવું પડશે, ભાઈ! આ મકાન, બાગ-બંગલા, ધન, કુટુંબ ઇત્યાદિ તારાં નહિ રહે ભાઈ! બધું ક્ષણવારમાં જ છૂટી જશે. તું આ ૫૨ને પોતાનાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૧ થી ૧૨૫ ] [ ૨૧૭ માને છે એ તારું પાગલપણું છે, મૂઢતા છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં દષ્ટાંત આવે છે કે-એક પાગલ ( બહાવરો ) બેઠો હતો. ત્યાં રાજાએ સૈન્ય સહિત આવીને પડાવ નાખ્યો. હાથી, ઘોડા, રાજકુમાર, દાસ, દાસી એ બધાને જોઈને તે પાગલ આ બધાં મારાં એમ સમજવા લાગ્યો. ભોજન કરીને સૈન્ય સહિત જ્યારે રાજાએ પ્રયાણ કર્યું તો તે પાગલ વિચારવા લાગ્યો-અરે! આ બધાં કયાં ચાલ્યાં? એવા વિચારથી તે અત્યંત ખેદખિન્ન થયો. તેમ અજ્ઞાની જીવ, કય યથી પુત્ર, ધન આદિનો વર્તમાનમાં સંયોગ થતાં એ બધાં મારાં છે એમ માને છે તે મૂર્ખ પાગલ જેવો છે. ભાઈ ! એ બધાં તારાં નથી, તારા કારણે આવ્યાં નથી, તારાં કારણે રહ્યાં નથી. પોતપોતાના કા૨ણે સૌ આવ્યાં છે, પોતપોતાની યોગ્યતાથી રહ્યાં છે અને પોતપોતાના કારણે સૌ ચાલ્યાં જશે. કોઈના કારણે કોઈ છે એમ છે નહિ. અહીં કહે છે કે જીવમાં જે વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મના કા૨ણે નહિ. જીવ જો સ્વયં પોતે વિકારરૂપે ન પરિણમે તો તે કૂટસ્થ સિદ્ધ થશે અને એમ થતાં સંસારનો અભાવ થઈ જશે. ત્યારે આ તર્ક કરવામાં આવે છે કે-જીવ પોતે વિકારરૂપે પરિણમતો નથી પણ જડ કર્મ તેને વિકારરૂપે પરિણમાવે છે, તેથી સંસારનો અભાવ થતો નથી. આ તર્કનું અહીં નિરાકરણ કરવામાં આવે છે. કહે છે કે સ્વયં અપરિણમતા જીવને ક્રોધરૂપે-વિકારરૂપે પરિણમાવી શકાય નહિ કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને કોઈ અન્ય કરી શકે નહિ. પોતે જ સ્વયં પરિણમતો નથી તેને અન્ય કેમ પરિણમાવી શકે? ત્રણકાળમાં ન પરિણમાવી શકે. વસ્તુમાં પરિણમવાની શક્તિ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે એ ત્રણકાળમાં સંભવિત નથી. અહો! દિગંબર સંતોએ ગજબ વાત કરી છે! અહાહા...! દિગંબર મુનિવરો જાણે ચાલતા સિદ્ધ! ધન્ય એ અવતાર ! ધન્ય એ મુનિદશા ! અહાહા...! અમૃતચંદ્રસ્વામીએ શું અદ્દભુત ટીકા રચી છે! સ્ફટિકમાં ફૂલના નિમિત્તે જે લાલ-લીલી ઝાંય પડે છે તે ઝાંયરૂપે સ્ફટિક પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમે છે; ફૂલના કારણે તે લાલ-લીલી ઝાંય પડે છે એમ નથી. લાકડાની નજીક જો લાલ-લીલી ફૂલ રાખે તો ત્યાં ઝાંય પડતી નથી કેમકે લાકડામાં તે જાતનું પરિણમન થવાની યોગ્યતા નથી. નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન અને ક્રમબદ્ધપર્યાય આ પાંચ મહત્ત્વની વાત પર અત્યારે મુખ્યપણે ચર્ચા છે. જેને સમજાય નહિ તે વાંધા ઉઠાવે છે, પરંતુ દિગંબર સંતોએ સત્યને ખુલ્લું મૂક્યું છે. તે સમજ્યે જ જીવનું કલ્યાણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ગાથા ૩૦૮ થી ૩૧૨ ની ટીકામાં “કમનિયમિત' શબ્દ પડયો છે. ત્યાં કહ્યું છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી.” જુઓ, એકલો ક્રમ-એમ નહિ પણ કમનિયમિત છે એમ સ્પષ્ટ કહ્યું છે. તેનો અર્થ એ થાય છે કે જીવ અને અજીવની જે કાળે જે પર્યાય થવાની હોય તે ક્રમબદ્ધ પોતાથી થાય છે. કોઈ પણ પર્યાય આઘીપાછી કે આડી-અવળી ન થાય. ભાઈ ! ક્રમબદ્ધની આ વાત આમ શાસ્ત્રના આધારથી છે, કાંઈ અદ્ધરથી કલ્પનાની વાત નથી. જેમ મોતીના હારમાં જે મોતી જ્યાં છે ત્યાં જ તે છે, આગળ-પાછળ નથી. તેમ પ્રત્યેક દ્રવ્યમાં દરેક પર્યાય જે સમયે થવાની છે તે જ સમયે તે પર્યાય નિયતપણે થાય છે, આઘીપાછી કે આડી-અવળી થતી નથી. જીવ પોતામાં વિકારના પરિણામ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે કર્મને તેમાં અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે છે. જીવમાં વિકાર થાય ત્યારે કર્મનો ઉદય અનુકૂળ છે પણ ત્યાં કર્મ નિમિત્ત છે તો અહીં જીવમાં વિકાર થાય છે એમ નથી. અહાહા...! સ્વયં અપરિણમતાને અન્ય કોઈ પરિણમાવી શકે નહિ. જીવ સ્વયં વિકારરૂપે ન પરિણમે તો કર્મનો ઉદય જીવને વિકારરૂપે પરિણમાવે એ ત્રણકાળમાં બની શકે નહિ, કેમકે વસ્તુમાં જે શક્તિ સ્વત: ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. આ એક વાત. હવે બીજી વાત -સ્વયં પરિણમતાને પર પરિણમાવનારની અપેક્ષા ન હોય, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. જીવમાં સ્વયં વિકાર પોતાની યોગ્યતાથી થાય છે તો નિમિત્તથી-પરથી વિકાર થાય એ વાત કયાં રહી? સ્વયં પરિણમનારને પરની શું અપેક્ષા? જીવ વિકારરૂપે પરિણમે છે તે કાળે કર્મ નિમિત્ત છે, કર્મ તેમાં અનુકૂળ છે પણ કર્મ છે તો જીવ વિકારરૂપે પરિણમે છે વા કર્મને લઈને જીવ વિકારરૂપે પરિણમે છે એમ બિલકુલ નથી. જીવને સમ્યગ્દર્શન થાય ત્યાં વ્યવહાર હોય છે; તે વ્યવહાર જાણવા લાયક છે. પણ વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ છે નહિ, વ્યવહાર છે ખરો પણ એનાથી નિશ્ચય-સમ્યગ્દર્શન થતું નથી. જેમ નિમિત્તથી પરનું કાર્ય થતું નથી તેમ વ્યવહારથી નિશ્ચય થતો નથી. સર્વજ્ઞ ભગવાને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોક દેખ્યા છે. તો જે પર્યાય જે સમયે થવાની હોય તે જ સમયે તે પર્યાય થાય. તેને આઘીપાછી કરવા કોઈ સમર્થ નથી. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે કે સર્વજ્ઞ ભગવાને જે પ્રમાણે જોયું તે પ્રમાણે તે તે કાળે તે તે પર્યાય ત્યાં થશે. તેને ફેરવવા કોઈ ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૧ થી ૧૨૫ ]. [ ૨૧૯ નથી. જેને પર્યાયની સ્વતંત્રતાનો સાચો નિર્ણય નથી તેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થતી નથી. અહાહા...! સમયે સમયે થતી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વતંત્રપણે થાય છે એવી જેને શ્રદ્ધા નથી તેને પર્યાયરહિત ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ દષ્ટિ જતી નથી. અહીં કહે છે સ્વયં પરિણમનારને બીજાની અપેક્ષા નથી. વસ્તુની જે શક્તિઓ છે તેને પરની અપેક્ષા ન હોય. ગજબ વાત છે! આ મહાસિદ્ધાંત કહ્યો છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય જે જે પર્યાય થાય તે સ્વયં પોતાથી થાય છે, તેમાં સામે બીજી ચીજ નિમિત્ત હો, અનુકૂળ હો; અને તે કાળે જે પોતામાં પર્યાય થઈ તે નિમિત્તને અનુરૂપ હો; પણ નિમિત્તથી નૈમિત્તિક પર્યાય થાય છે એમ કદીય નથી. નિમિત્તથી (ઉપાદાનની) પર્યાય થાય તો નિમિત્ત ઉપાદાન થઈ જાય. (પણ એમ છે નહિ). અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને છે. તેમ જૈનમાં રહીને જો કોઈ કર્મને કર્તા માને તો તે અન્યમતી જેવો છે. કર્મ હેરાન કરે છે એમ માને એની દષ્ટિ વિપરીત છે; તે મિથ્યાદષ્ટિ છે. કર્મ તો જડ છે, તે શું કરે? પૂજામાં જયમાલામાં આવે છે કે કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત, લોકી સંગતિ પાઈ. જાઓ! અગ્નિ લોઢાનો સંગ કરે તો તેને ઘણના ઘા ખાવા પડે છે. તેમ જીવ સ્વયં વિકારનો સંગ કરે તો દુઃખી થવું પડે છે. કર્મ કે નોકર્મ તેને રાગ કરાવે છે એમ નથી. કર્મથી રાગ થાય છે એમ નથી. જીવ સ્વયે રાગરૂપે પરિણમે છે ત્યાં તેને પરની અપેક્ષા નથી, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. આ રીતે બન્ને પક્ષથી અજ્ઞાનીની વાત જૂઠી સિદ્ધ થાય છે. તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. હવે કહે છે-“એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્ર-સાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. ક્રોધ-માન-માયા-લોભરૂપ ભાવ છે તે અજ્ઞાનસ્વભાવવાળા છે. તે ક્રોધાદિ ભાવ જડકર્મથી થયા છે એમ નથી. વળી તે ક્રોધાદિ ભાવ જ્ઞાનીના છે એમ પણ નથી. એ બધા ભાવો અજ્ઞાનસ્વભાવવાળા છે. એવા સ્વભાવે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો (અજ્ઞાની) જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. * ગાથા ૧૨૧ થી ૧૨૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ જીવ અનાદિથી ધ્રુવપણે રહીને પરિણમે છે. તેનો પરિણમનસ્વભાવ અનાદિનો છે. પર્યાયમાં પલટવું–બદલવું એ પોતાનો સ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધ-માન-માયાલોભમાં જાય છે ત્યારે તે-રૂપે પોતે પરિણમે છે. કોઈ કર્મ કે બીજી ચીજ તેને ક્રોધાદિરૂપે પરિણમાવે છે એમ છે નહિ. પોતાનો જાણન-દેખન જે ઉપયોગ તે ક્રોધાદિરૂપ પરિણમે છે ત્યારે પોતે જ ક્રોધાદિરૂપ થાય છે. જીવનો પરિણમનસ્વભાવ હોવાથી તે વિકારરૂપે પરિણમે છે. તે પરિણામ તેનું કાર્ય છે અને જીવ તેનો કર્તા છે. ૫૨નું કાર્ય તો જીવ કિંચિત્ કરી શક્તો નથી. શરીરનું હાલવું-ચાલવું, ખાવું-પીવું, બોલવું ઇત્યાદિ ક્રિયા આત્મા કરી શક્તો નથી. હું શરીરનાં કામ કરું, દેશનીસમાજની સેવા કરું, પરની દયા પાળું, પ૨ને મદદ કરું ઇત્યાદિ અજ્ઞાની જીવ માને છે પણ તે તેનું મિથ્યા અભિમાન છે. મિથ્યાદષ્ટિ જીવ પોતાના પરિણામમાં જે ક્રોધ-માન-માયા-લોભ અને મિથ્યાત્વના ભાવ કરે છે તે ભાવનો તે પોતે કર્તા છે. તે ભાવોનો કર્તા જડકર્મ નથી. પોતાના પરિણામ સિવાય શરીર, મન, વાણી, કુટુંબ-કબીલા, ધંધો-વેપાર-ઉદ્યોગ ઇત્યાદિ એ બધાની પર્યાય આત્મા ત્રણકાળમાં કરી શક્તો નથી. તથાપિ એ બધાં પરનાં કાર્ય હું કરું છું એમ મિથ્યા અભિમાન કરીને પોતે મિથ્યાત્વાદિ ભાવે પરિણમે છે. કોઈ દર્શન-મોહનીય આદિ કર્મ તેને મિથ્યાત્વાદિરૂપે પરિણમાવે છે એમ છે નહિ; ક્રોધાદિરૂપે પરિણમતાં પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું. * * હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * * કળશ ૬૫ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘કૃત્તિ' આ રીતે ‘નીવસ્ય' જીવની ‘સ્વમાવભૂતા પરિણામશક્ત્તિ: ' સ્વભાવભૂત પરિણામશક્તિ ‘નિરન્તરાયા સ્થિતા' નિર્વિઘ્ન સિદ્ધ થઈ. જીવમાં પરિણમન થાય એવી સ્વભાવભૂત શક્તિ છે. કોઈ પ૨ પરિણમાવે તો પરિણમે એવી જગતમાં કોઈ ચીજ નથી. અહાહા...! સ્વભાવભૂત પરિણમનશક્તિ ‘નિરન્તરાયા સ્થિતા ’–નિર્વિઘ્ન સિદ્ધ થઈ. મતલબ કે જીવની પરિણમનશક્તિ કોઈ અન્યથી બાધિત નથી તથા તે કોઈ અન્યની સહાયની અપેક્ષા રાખતી નથી. કોઇ વિધ કરે તો પરિણમન રોકાઇ જાય વા કોઇ સહાય કરે તો પરિણમન થાય એમ છે નહિ. એકલો આત્મા સ્વયં નિરંતરાય પરિણમે છે. હવે કહે છે એમ સિદ્ધ થતાં, ‘સ: સ્વચ યં ભાવું જોતિ' જીવ પોતાના જે ભાવને કરે છે ‘તસ્ય વ સ: ર્તા ભવેત્’ તેનો તે કર્તા થાય છે. સ્વયં પરિણમતો જીવ પોતે જે પરિણામને કરે છે તે પરિણામનો તે કર્તા થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૧ થી ૧૨૫ ] [ ૨૨૧ છે. ચાહે તો મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ કરે, ચાહે તો સમ્યગ્દર્શન-જ્ઞાનના પરિણામ કરે; તે તે પરિણામ જીવ પોતે કરે છે અને પોતે પોતાના પરિણામનો કર્તા છે. પોતાના પરિણમનમાં કોઈ અન્યનો હસ્તક્ષેપ નથી અને કોઈ અન્યના પરિણામ પોતે કરતો નથી. અજ્ઞાની અજ્ઞાનભાવે રાગ-દ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાની જ્ઞાનભાવે જ્ઞાનનો કર્તા થાય છે. જડ પરમાણુઓનો-કર્મનો કર્તા જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. જડ કર્મ પોતે પોતાના સામર્થ્યથી પરિણમે છે અને જીવ પણ પોતે પોતાના સામર્થ્યથી પરિણમે છે. કોઈ પણ પળે કોઈ સંયોગી ચીજથી જીવમાં પરિણમન થાય છે એમ નથી. મિથ્યાત્વના જે પરિણામ થાય છે તે પોતાના કારણે થાય છે, કોઈ કુગુરુના કારણે એ પરિણામ થાય છે એમ નથી. તેવી રીતે સમ્યત્વના પરિણામ જે થયા છે તે સહજ પોતાથી થયા છે, કોઈ સુગુરુના કારણે એ પરિણામ થયા છે એમ નથી. અન્ય નિમિત્તથી જીવમાં કાર્ય થાય એમ ત્રણકાળમાં નથી. પોતાની પરિણમનશક્તિથી પોતામાં પોતાનું કાર્ય થાય છે. અહાહા..! આનું જ નામ અનેકાન્ત છે કે પોતે પોતાથી પરિણમન કરે છે, પરથી કદીય નહિ. ભાઈ ! એક પણ સિદ્ધાંત યથાર્થ બેસી જાય તો સર્વ ખુલાસો-સમાધાન થઈ જાય એવી આ વાત છે. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્ય દ્રવ્ય કરી શકે એ વાત ત્રણકાળમાં શકય નથી. જીવમાં નિર્વિઘ્ન પરિણમનશક્તિ છે. મતલબ કે જીવની પરિણમનશક્તિ કોઈ અન્યના આશ્રયે નથી. જીવ નિર્મળ કે મલિન ભાવે પરિણમે ત્યાં તેની નિર્મળ કે મલિન પર્યાય પોતાથી થાય છે. પરથી-કર્મથી નહિ, તેમ પરમાણ જે પલટે તે પોતાની પરિણમનશક્તિથી પલટે છે. આત્માથી તે પલટતા નથી. પ્રત્યેક પદાર્થમાં અનાદિ-અનંત પરિણામસ્વભાવ છે, તેથી પ્રતિસમય તે પોતાથી પરિણમે છે, પરથી નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે. આ વેપારધંધાના કામ આત્મા કરી શક્તો નથી એમ કહે છે. કોઈ પણ જીવ કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ કાળે પોતાની પર્યાયની પરિણતિનો કર્તા છે, પણ પરની પરિણતિનો કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ કાળે કોઈ જીવ કર્તા નથી. આ પગ ચાલે છે તે તેની પરિણમનશક્તિથી ચાલે છે, જીવને લઈને નહિ. જીવ તો જીવના પોતાના પરિણમનને કરે છે. જીવ જીવના પરિણમનમાં સ્વતંત્ર છે અને પર પરના પરિણમનમાં સ્વતંત્ર છે. કોઈનું પરિણમન કોઈ પરના આશ્રયથી થાય છે એવી વસ્તુસ્થિતિ જ નથી. અહો ! વીતરાગનું તત્ત્વ આવું અત્યંત સૂક્ષ્મ અને હિતકારી છે! * કળશ ૬૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે.” પરમાણુ પરિણામસ્વભાવી છે એ વાત આગળ આવી ગઈ. હવે કહે છે કે જીવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates રરર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ પણ પરિણામસ્વભાવી છે. ચાહે તો જ્ઞાનાનંદભાવે પરિણમે, ચાહે તો રાગાદિભાવે પરિણમે; પોતે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો તે કર્તા થાય છે. જીવ રાગભાવે પરિણમે ત્યારે જે કર્મબંધન થાય તે કર્મબંધનની પર્યાયનો કર્તા જીવ નથી, તે કર્મબંધનની પર્યાયનો કર્તા તે કર્મના પરમાણુ છે. તે કર્મ પોતાના પરિણમનથી બંધાય છે. આત્મા રાગ-દ્વેષના ભાવ જે પોતામાં કરે છે તેનો તે પોતે કર્તા છે, પણ જડ કર્મની પર્યાયનો આત્મા કર્તા નથી. જ્ઞાની જ્ઞાનભાવનો કર્તા છે, રાગ-દ્વેષનો નહિ; અજ્ઞાની રાગ-દ્વેષનો કર્તા છે, અને પરમાણ જડકર્મનો કર્તા છે; જ્ઞાની કે અજ્ઞાની કોઈ જડકર્મનો કર્તા નથી. આ પ્રમાણે જીવ જે ભાવરૂપે પોતે પરિણમે છે તે ભાવનો તે કર્તા થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૨૬ तथाहि जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स। णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स।। १२६ ।। यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः। ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः।। १२६ ।। જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છે: જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬. ગાથાર્થ:- [ માત્મા] આત્મા [ ૬ ભાવન્] જે ભાવને [ રોતિ] કરે છે [તસ્ય વર્મળ:] તે ભાવરૂપ કર્મનો [ 1: ] તે [ ર્તા ] કર્તા [ ભવતિ] થાય છે; [ જ્ઞાનિનઃ] જ્ઞાનીને તો [ સ:] તે ભાવ [ જ્ઞાનમય:] જ્ઞાનમય છે અને [ જ્ઞાનિન:] અજ્ઞાનીને [અજ્ઞાનમય:] અજ્ઞાનમય છે. ટીકાઃ- આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. ભાવાર્થ- જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. સમયસાર ગાથા ૧૨૬: મથાળું જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ * ગાથા ૧૨૬ : ટીકા ઉપરનું પ્રવચન * આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે ( અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે.)” પ્રત્યેક આત્મા સ્વયમેવ એટલે નિશ્ચયથી પરિણામસ્વભાવી છે. સ્વયં બદલવાના સ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ તે કર્તા થાય છે. જે ભાવરૂપે પોતે પરિણમે છે તે ભાવનો તે કર્તા થાય છે અને તે ભાવ તેનું કર્મ નામ કાર્ય છે. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી. આત્મા જે પરિણામ કરે છે તે એનું કર્મ નામ કાર્ય છે, અને પોતે તેનો કર્તા છે. અહા ! ભાષા તો ખૂબ સાદી છે પણ ભાવ ખૂબ ગંભીર છે. આ માથે ટોપી પહેરેલી છે તે અવસ્થારૂપે ટોપીના પરમાણુઓ પરિણમન કરવાથી ટોપી માથા ઉપર રહી છે; આત્માથી ટોપી માથા ઉપર રહી નથી. આત્મા તો આત્માના પરિણામનો કર્તા છે, ટોપીની અવસ્થાનો નહિ. ખૂબ ગંભીર વાત ! જુઓ, વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો આ હુકમ છે. ગણધરો અને ઇન્દ્રોની વચ્ચે પરમાત્મા દિવ્યધ્વનિ દ્વારા જે ફરમાવતા હતા તે વાત અહીં આવી છે. ભગવાન કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ગયા હતા અને સીમંધર પરમાત્માની વાણી તેમણે સાક્ષાત્ સાંભળી હતી. ત્યાંથી ભરતક્ષેત્રમાં આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે-ભગવાનનો હુકમ છે કે પ્રત્યેક આત્મા પોતાના જે ભાવને કરે છે તે ભાવનો પોતે કર્તા છે અને તે ભાવ તેનું કર્મ કહેતાં કાર્ય છે. હવે કહે છે તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.' શું કહ્યું? ધર્મી સમ્યકર્દષ્ટિ જીવ જેને એક ગ્લાયકભાવ હું છું એવો અંતરમાં અનુભવ થયો છે એવા જ્ઞાનીને જે પરિણામ થાય તે જ્ઞાનમય જ છે. અહાહા...! ધર્મીને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રના જે પરિણામ થાય છે તે જ્ઞાનમય જ છે. જ્ઞાનીના તે પરિણામ આત્મામયચૈતન્યમય જ હોય છે અને તે પરિણામનો જ્ઞાની કર્તા છે. પરંતુ દયા, દાન, વ્રત આદિ રાગના પરિણામનો જ્ઞાની કર્તા નથી. ભાઈ ! આ બધા કરોડપતિ છે તે ધૂળના પતિ છે. આ પૈસા (ધન) આવે-જાય તે પરમાણુની પર્યાય છે. આત્મા તેનો કર્તા નથી. તારા પ્રયત્નથી તે આવે-જાય છે એમ નથી. કોઈ એમ માને કે હું પૈસા કમાઉં છું અને યથેચ્છ (દાનાદિમાં ) વાપરું છું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧ર૬ ] [ ૨૨૫ તો એવું માનનાર જીવ મૂઢ અજ્ઞાની છે, કેમકે પૈસાના પરિણામનો કર્તા તે પૈસા (પૈસાના પરમાણુ ) છે. અરે ! આ હાથને હું હુલાવું છું એમ જે માને છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. પરમાણુમાં પરિણમનશક્તિ છે તો તેના પરિણમનથી હાથ હાલે છે; તે જડના પરિણામનો કર્તા આત્મા કદીય નથી. પોતાને પરનો કર્તા માને તે બધા મૂર્ખ-પાગલ છે. કુંદકુંદાચાર્યદેવ અને અમૃતચંદ્રાચાર્યદવ કેવળી ભગવાનના આડતિયા થઈને માલ બતાવે છે કે ભાઈ ! જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ છે. ધર્મી જીવના શ્રદ્ધા-જ્ઞાન અને શાન્તિના બધા વીતરાગી પરિણામ હોય છે અને તે બધા જ્ઞાનમય જ છે. શરીરના જે પરિણામ થાય તે જ્ઞાનીના પરિણામ નથી. તથા દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવના પરિણામ થાય તે પણ જ્ઞાનીના પરિણામ નથી. સ્વ અને પરને (રાગાદિને ) જાણવારૂપ જે ચૈતન્યના જાણવા-દેખવાના પરિણામ થાય છે તે જ્ઞાનીનું કાર્ય છે અને તે જ્ઞાનમય પરિણામનો જ્ઞાની કર્તા છે. અહાહા..! શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા જેની દષ્ટિમાં આવ્યો તેવા જ્ઞાનીના સમ્યક શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પરિણામમાં રાગાદિ અજ્ઞાનમય પરિણામ નથી. આ માસિક (આત્મધર્મ) બહાર પડે છે તેના અક્ષરો હું લખું છું એમ જો કોઈ માને તો તે મૂઢ જીવ છે. અક્ષરના પરમાણુથી તે પર્યાય થાય છે, તેને બીજા કરે છે અર્થાત્ બીજો અક્ષર લખે છે તે તદ્દન ખોટી વાત છે. અજ્ઞાની પોતાને પરનો કર્તા માને છે તે તેનું મિથ્યા અભિમાન છે. બીજાની હું રક્ષા કરું છું, બીજાને સુખી કરું છું, બીજાને હું મદદ કરું છું એમ માનનાર મૂઢ મિથ્યાદષ્ટિ છે. પરનું કાર્ય હું કરું છું એવા મિથ્યા પરિણામ જ્ઞાનીને હોતા નથી. તથા પોતાની પર્યાયમાં જે રાગાદિ ભાવ થાય તે મારું કર્તવ્ય (કાર્યો છે એમ પણ જ્ઞાની માનતા નથી. ચક્રવર્તી સમકિતીને છ ખંડનું રાજ્ય હોય, ૯૬OOO રાણીઓના વૃદમાં અને તત્સંબંધી રાગમાં તે ઊભો હોય તોપણ તે પરિણામોનો કર્તા હું છું એમ તેઓ માનતા નથી. ઝીણી વાત છે, ભાઈ ! હું તો જ્ઞાનાનંદસ્વભાવી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું એમ જ્ઞાની માને છે. અહા! શુદ્ધ ચૈતન્યના લક્ષે ઉત્પન્ન થયેલા શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ-સ્વચ્છતા-વીતરાગતારૂપ ધર્મીના પરિણામ જ્ઞાનમય જ હોય છે એમ કહે છે. અરે! ચોરાસી લાખ યોનિમાંથી એક-એક યોનિમાં જીવ અનંત-અનંતવાર જન્મ-મરણ કરી ચૂક્યો છે! પોતાના શુદ્ધ ચિદાનંદમય ભગવાનને ભૂલી જઈને પરને પોતાના માનવારૂપ મિથ્યાત્વના કારણે અનાદિ કાળથી જીવ મહા દુઃખકારી ભવભ્રમણ કરી રહ્યો છે. અરે ભાઈ ! જે પોતાનું નથી તેને પોતાનું માનવું તે મિથ્યાત્વ છે અને તે મિથ્યાત્વના ફળરૂપે તું અનાદિથી જન્મ-મરણરૂપ સંસારમાં રખડ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ થાય અહીં કહે છે કે જ્ઞાનીને તો જ્ઞાનમય પરિણામ છે. ભગવાનની ભક્તિના જે પરિણામ શાસ્ત્ર-સ્વાધ્યાયના-શાસ્ત્ર વાંચવા-સાંભળવાના જે વિકલ્પ ઊઠે તે જ્ઞાનીના પરિણામ નથી. ઝીંણી વાત છે પ્રભુ! ધર્મીના તો ધર્મ-પરિણામ જ હોય છે. વીતરાગી શાંતિ અને ( અતીન્દ્રિય ) જ્ઞાન અને આનંદના પરિણામ જે થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તે પરિણામનો જ્ઞાની કર્તા છે. આ પુસ્તક બનાવવાં, વેચવાં ઇત્યાદિ બધી જડની-૫૨ની પર્યાય છે. એ પરની પર્યાય તો જે થવાની હોય તે તેનાથી પોતાથી થાય છે. એ ૫૨નું કાર્ય તો આત્મા કરતો નથી, પરંતુ જ્ઞાનીને જે તત્ત્વપ્રચારનો, બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે છે તે વિકલ્પનો પણ જ્ઞાની કર્તા નથી. (કેમકે વિકલ્પ-રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે અને જ્ઞાનીને તો જ્ઞાનમય જ ભાવ હોય છે ). સંપ્રદાયમાં તો આખી લાઈન અવળે પાટે છે. મૂળ સત્ય શું છે તેને શોધવાની કોને દરકાર છે? બસ જેમાં (જે સંપ્રદાયમાં) પડયા તે વાત જ સાચી છે એમ માનીને બેસી જાય છે. પણ એનું ફળ બહુ દુઃખરૂપ આવશે ભાઈ! અહીં કહે છે કે ધર્મી જીવ પરની પર્યાયનો તો કર્તા નથી પણ તત્સંબંધી જે રાગ થાય છે તે રાગનો પણ કર્તા નથી. ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી વસ્તુ છે, તેથી તે સર્વને જાણે એવું તેનું સ્વરૂપ છે, પણ સર્વને કરે એવું તેનું સ્વરૂપ નથી. પોતાના સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ આત્માની જેને દૃષ્ટિ થઈ છે એવો ધર્મી જીવ સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયનો કર્તા છે પણ ૫૨નો અને રાગનો કર્તા નથી કેમકે ૫૨ને અને રાગને કરે એવો આત્માનો સ્વભાવ નથી. ૫૨માણુ અને આત્મા જેમ અનાદિના ધ્રુવ છે તેમ તેમાં પરિણમન પણ અનાદિનું છે. વસ્તુનો પરિણમનસ્વભાવ છે ને તેથી તેમાં પરિણમન અનાદિનું છે. અહીં કહે છે કે જ્ઞાનીનું વર્તમાન પરિણમન ( સમ્યક્) જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ છે અને તે જ્ઞાનમય પરિણમન છે. સમ્યગ્દર્શન થતાં ધર્મીને એવો નિશ્ચય થયો છે કે હું અખંડ એકરૂપ ચિદાનંદઘનસ્વરૂપ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છું. અહાહા...! ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપના લક્ષે ધર્મીને જ્ઞાનમય, શ્રદ્ધામય, શાંતિમય, સ્વચ્છતામય, પ્રભુતામય, વીતરાગતામય પરિણમન થાય છે. જેવો આત્મા પોતે વીતરાગસ્વરૂપ છે તેવું તેની પર્યાયમાં વીતરાગતાનું પરિણમન થાય છે અને એ જ ધર્મીનું સાચું પરિણમન છે. પ્રશ્ન:- નિશ્ચય સમ્યગ્દર્શન છે તે સરાગ સમ્યગ્દર્શન છે કે કેમ ? ઉત્ત૨:- ના, એમ નથી. જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ આત્મા છે, તેથી સ્વરૂપના લક્ષે ચોથા ગુણસ્થાને જે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે તે પણ વીતરાગરૂપ જ છે. કહ્યું છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧ર૬ ] [ ૨૨૭ “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન, મત-મદિરા કે પાનસૌં, મતવાલા સમુઝે ન.'' ભગવાન આત્મા જિનસ્વરૂપ છે. તેથી તેના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્ધાનની પર્યાય પ્રગટ થાય તે જિનસ્વરૂપ એટલે વીતરાગરૂપ જ હોય છે. સ્વરૂપના શ્રદ્ધાનરૂપ ચોથે ગુણસ્થાને જે સમ્યગ્દર્શન હોય છે તે વીતરાગી જ પર્યાય છે. સરાગ સમકિત-એવું ક્યાં કહ્યું છે ત્યાં તો સમકિતીને જે ચારિત્રના દોષરૂપ સરાગ પરિણામ છે તે બતાવવા માટે કહ્યું છે, બાકી સમકિત તો વીતરાગી જ પર્યાય છે. અરે ભાઈ ! અનંતકાળે આવું (દુર્લભ ) મનુષ્યપણું મળે છે. ઉપરાઉપરી વધારેમાં વધારે આઠ વખત મનુષ્યપણું મળે, પછી નવમા ભવે કાં તો મોક્ષ થાય, કાં તો નિગોદમાં જાય. અરેરે ! એને પોતાની દરકાર નથી! એને પોતાની દયા નથી ! પરની દયા તો કોણ પાળી શકે છે? સર્વજ્ઞ ભગવાને સર્વ જીવોનો જેવો સર્વજ્ઞસ્વભાવ જ્ઞાનમાં દેખ્યો છે એવો પોતાનો સર્વજ્ઞસ્વભાવ સમ્યગ્દષ્ટિને દેખવામાં-પ્રતીતિમાં આવે છે, તેથી જિન સર્વજ્ઞ વીતરાગ સ્વભાવને દેખનારી દષ્ટિ વીતરાગી પર્યાય છે. જ્ઞાનીના જ્ઞાનમય પરિણામ છે એનો અર્થ એમ છે કે જ્ઞાનીના વીતરાગતામય પરિણામ છે. જ્ઞાનીને વીતરાગી દષ્ટિ, વીતરાગી જ્ઞાન અને વીતરાગી આચરણ થયું હોય છે. જ્ઞાનીના સર્વ ભાવ વીતરાગી છે, તેથી જ્ઞાની વીતરાગ ભાવના કર્તા છે. અને વીતરાગી ભાવ એનું કર્મ છે. અત્યારે તો ચારે બાજુ ધર્મના નામે મોટા ગડબડ-ગોટા ચાલે છે. વાણિયાને કમાવા આડે નવરાશ નથી એટલે સત્ય-અસત્યની કસોટી કયારે કરે? બિચારાઓને ખબર નથી કે કમાઈને ક્રોડપતિ થાય તોય તે ધૂળપતિ છે. અને આત્મા? આત્મા તો જેની સંખ્યાનો પાર નથી એવા અનંત-અનંત ગુણોનો ભંડાર એવો ભગવાન છે. એ બધા ગુણો નિર્મળ વીતરાગી સ્વભાવે છે. આવા વીતરાગભાવી આત્માનું ભાન થતાં તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. અહો ! જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ છે એટલા શબ્દોમાં તો ખૂબ ગંભીર ભાવ ભર્યા છે. જ્ઞાની વીતરાગ ભાવનો કર્તા છે પણ વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ છે. વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તેને જ્ઞાની જાણે પણ એ રાગ કાંઈ જ્ઞાનીનું કાર્ય નથી. ભાઈ ! આ કોઈ લૌકિક વાર્તા નથી. આ તો ચૈતન્યનો નાથ એવા ભગવાન આત્માની કથા છે. વીતરાગ સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માની અકષાય કણાથી જે દિવ્ય વાણી નીકળી તેમાં જે વાત આવી તેને સંતો જગત પાસે જાહેર કરે છે. કહે છે-પ્રભુ! તું વીતરાગભાવે રહેલા અનંત-અનંત નિર્મળ ગુણોનો એકરૂપ પિંડ છો. રાગ કરે એવો કોઈ ગુણ તારામાં નથી. દયા પાળવી, ભક્તિ કરવી, પૂજા કરવી ઇત્યાદિ રાગને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ૨ચે એવો કોઈ ગુણ તારામાં નથી. અહાહા...! તું આત્મા જિનસ્વરૂપ વીતરાગરૂપ છે. એની દષ્ટિ કરતાં જે વીતરાગી પર્યાય પ્રગટે તે તારું કાર્ય છે અને તેનો તું કર્તા છો. વીતરાગસ્વભાવી આત્મા કર્તા અને વીતરાગી પર્યાય એનું કાર્ય એમ કહેવું વ્યવહારનય છે. ખરેખર તો વીતરાગી પર્યાયનો કર્તા તે વીતરાગી પર્યાય પોતે છે. આવો વીતરાગનો માર્ગ ખૂબ ગહન છે, ભાઈ ! જે વાણીને એકાવતારી ઇન્દ્રો અને ગણધરો કાન દઈને સાંભળે તે વાણીની ગંભીરતાની શી વાત! ધન્ય એ વાણી અને ધન્ય એ શ્રોતા ! પહેલો સૌધર્મ સ્વર્ગ નામનો દેવલોક છે. તેમાં ૩૨ લાખ વિમાન છે. એકેક વિમાનમાં ક્રોડો અપ્સરા અને અસંખ્ય દેવ છે. તે બધાનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર એક ભવ કરીને મોક્ષ જવાનો છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી બન્ને ક્ષાયિક સમકિતી છે. તે એમ જાણે છે કે-આ સ્વર્ગના વૈભવ તે મારી ચીજ નથી. હું છું ત્યાં એ વૈભવ નથી અને એ વૈભવ છે ત્યાં હું નથી. આ બત્રીસ લાખ વિમાન મારાં નહિ. અરે, દેવ અને ગુરુ એ પણ મારી ચીજ નહિ કેમકે એ સર્વ ૫રદ્રવ્ય છે. અહાહા...! હું તો ચૈતન્યસ્વભાવમય પ્રભુ છું અને ચૈતન્યની પ્રભુતારૂપે પરિણયું એ મારું કાર્ય છે. જુઓ, જ્ઞાની તો જ્ઞાનમય ભાવનો કર્તા છે-એની આ વ્યાખ્યા ચાલે છે. ધર્મી એને કહેવાય કે જેના પરિણામ ધર્મમય, વીતરાગતામય હોય. વીતરાગી પરિણામ એ ધર્મીનું કાર્ય અને વીતરાગભાવનો તે કર્તા છે. ભાઈ! મહાપુણ્ય હોય તો આવી વાત સાંભળવા મળે અને અંતરમાં જાગ્રત થાય એ તો કોઈ અલૌકિક ચીજ છે. કર્તાનું જે કાર્ય છે તે ભાવ જ્ઞાનીના જ્ઞાનમય જ છે. અહાહા...! જ્ઞાનમય અને આનંદમય જે ભાવ પ્રગટ થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તેના જ્ઞાની કર્તા છે. ગજબ વાત છે! અહીં એમ કહેવા માગે છે કે જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવ નથી. એટલે જ્ઞાનીને સરાગ સમકિત હોય છે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. આત્મા વીતરાગ-સ્વરૂપ છે અને એની વ્યક્તતા પણ વીતરાગસ્વરૂપ હોય છે; તેમાં રાગની વ્યક્તતા હોતી નથી. જ્ઞાનીને જે કમજોરીનો રાગ આવે છે તેના તે જ્ઞાતાદષ્ટા રહીને પોતે વીતરાગભાવમાં રહે છે; રાગમાં જ્ઞાની રહેતા નથી. આવો જ વીતરાગનો માર્ગ છે. આ સિવાય બધા ઉન્માર્ગ છે. અહા ! જગતને રાગની-સંસારની હોંશ છે, જ્ઞાનીને રાગની હોંશ હોતી નથી. અજ્ઞાનીનો ઉત્સાહ રાગમાં–વિકારમાં અને પરમાં હોય છે, જ્યારે જ્ઞાનીનો ઉત્સાહ આત્મામાં હોય છે. જ્ઞાનીનો ઉત્સાહ સ્વરૂપસન્મુખતાનો હોય છે. સ્વરૂપ તો વીતરાગરૂપ છે; માટે સ્વરૂપસન્મુખ થતાં જે શ્રદ્ધા-જ્ઞાન પ્રગટ થયાં તે વીતરાગી જ હોય છે. ધર્મીને સ્વરૂપના લક્ષે જે આચરણ પ્રગટ થાય તે પણ વીતરાગી પર્યાય છે. આ પ્રમાણે જ્ઞાનીના જે ભાવ છે તે જ્ઞાનમય જ હોય છે, કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧ર૬ ] [ ૨૨૯ જ્ઞાનીને સમ્યક પ્રકારે-એટલે ધારણાથી નહિ પણ સ્વરૂપના લક્ષે-સાચો વિવેક પ્રગટ થયો છે. હું સર્વ પદ્રવ્યભાવોથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આનંદમૂર્તિ ભગવાન આત્મા છુંએમ સ્વપરની ભિન્નતાનો સમ્યક પ્રકારે જ્ઞાનીને વિવેક પ્રગટ થયો છે. અહાહા..! શરીર, મન, વાણી, કુટુંબ એ બધાં પરદ્રવ્ય છે એ વાત તો ઠીક; આ દયા, દાન, ભક્તિ આદિનો જે શુભરાગ થાય છે તે પણ પરદ્રવ્ય છે, એ સર્વથી ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ છે-એમ ભિન્ન આત્માની ખ્યાતિ જ્ઞાનીને અત્યંત ઉદય પામી છે. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. ધર્મીને આત્મખ્યાતિઆત્મપ્રસિદ્ધિ પ્રગટ થઈ છે તેથી તેના જે ભાવ છે તે જ્ઞાનમય જ હોય છે. અજ્ઞાનીને સમયે-સમયે વિકારની પ્રસિદ્ધિ થયા કરે છે. સમ્યગ્દર્શન એટલે આત્મખ્યાતિ પોતાથી પ્રસિદ્ધ થાય છે, કોઈ પાસેથી મળતી નથી. પોતાથી પ્રગટ થાય ત્યારે ગુરુગમથી પ્રગટ થઈ એમ નિમિત્તની મુખ્યતાથી કહેવામાં આવે છે. ભગવાન ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજે છે. તેમની જે દિવ્યધ્વનિ છૂટે છે તે ઇન્દ્રિય છે. ભગવાનની વાણી ઇન્દ્રિયનો વિષય હોવાથી ઇન્દ્રિય છે એ વાત ગાથા ૩૧ માં આવી ગઈ છે. ભાઈ ! એ ઇન્દ્રિય પ્રત્યે તારું લક્ષ જશે તો રાગ ઉત્પન્ન થશે. અહાહા..! ભગવાન એમ કહે છે કે અમારા પ્રતિ અને દિવ્યધ્વનિ પ્રતિ તારું લક્ષ જશે તો તને ચૈતન્યની ગતિ ન થતાં દુર્ગતિ એટલે રાગ થશે. નિમિત્તનું લક્ષ છોડી અંતરસ્વભાવમાં એકાગ્ર થતાં જે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તેના જ્ઞાની કર્તા છે. જ્ઞાનીને દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી રાગ આવે છે પણ તે રાગ જ્ઞાનીનું કાર્ય નથી, જ્ઞાની તો તે રાગના જ્ઞાતામાત્ર છે, કર્તા નથી. ધર્મીને સમ્યક પ્રકારે ભિન્ન આત્માનું ભાન પ્રગટ થયું છે. હું તો એક શુદ્ધ ચૈતન્ય છું, આનંદ છું, શાંત છું, વીતરાગ છું, સ્વચ્છ છું–આવી આત્મખ્યાતિ અત્યંત ઉદય પામી છે તેથી જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનમય જ છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. ભગવાન આત્મા રાગથી ભિન્ન છે એવો વિવેક અજ્ઞાનીને નથી. તેથી ભિન્ન આત્માની ખ્યાતિ તેને અત્યંત અસ્ત થઈ ગઈ છે. એ કારણે અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય જ છે. અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય એટલે રાગમય, પુણ્ય-પાપમય હોય છે. પરનું કાર્ય તો અજ્ઞાની કાંઈ કરતો નથી. પરંતુ કર્તા થઈને અજ્ઞાની અજ્ઞાનભાવ એટલે કે પુણ્ય-પાપરૂપ શુભાશુભ રાગ-દ્વેષના ભાવને કરતો હોય છે અને તે ભાવ અજ્ઞાનીનું કાર્ય છે. પરનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. જ્ઞાની જ્ઞાનમય ભાવનો કર્તા છે અને અજ્ઞાની અજ્ઞાનનો એટલે રાગદ્વેષાદિ ભાવનો જ કર્તા છે. આ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીના ભાવની અત્યંત ભિન્નતા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦ ] * ગાથા ૧૨૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘જ્ઞાનીને તો સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વ-૫૨નું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.’ [ પ્રવચન રત્નાકર ભાગ-૫ જેને રાગ અને વિકલ્પથી પોતાનો ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવ ભિન્ન છે એવું ભેદજ્ઞાન થયું છે તેને જ્ઞાની કહે છે. આવો જ્ઞાની પોતાના જ્ઞાનમય ભાવનો જ કર્તા છે. જ્ઞાન અને આનંદ એ આત્માનો સ્વભાવ છે. અને પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે તે રાગ છે, વિભાવ છે. આ સ્વભાવ-વિભાવની ભિન્નતાનું સમ્યક્ પ્રકારે જેને જ્ઞાન થાય જ્ઞાની છે. તે જ્ઞાની પોતાના જ્ઞાન, શ્રદ્ધાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા-એવા નિર્મળ પરિણામનો કર્તા છે. તેના તે પરિણામ જ્ઞાનમય એટલે વીતરાગતા- મય છે. તેમાં રાગ નથી. ચોથે ગુણસ્થાને સમકિતી રાગથી ભિન્ન એવા પોતાના શુદ્ધ પરિણામનો કર્તા છે. પ્રશ્ન:- જ્ઞાનીને યથાપદવી રાગ આવે છે ને? ઉત્તર:- હા, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, પૂજા, વ્રત, દાન ઇત્યાદિનો જ્ઞાનીને યથા-પદવી રાગ આવે છે પણ જ્ઞાનભાવે પરિણમતા જ્ઞાનીના જ્ઞાનપરિણમનથી તે રાગ ભિન્ન રહી જાય છે. રાગથી પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે એવું ભેદજ્ઞાન પ્રગટ થયું હોવાથી જ્ઞાની જે શુભાશુભ રાગ આવે તેનો જ્ઞાતા રહે છે, જાણનાર રહે છે પણ તેનો કર્તા થતો નથી. જે રાગ આવે તેનાં જ્ઞાનીને રુચિ અને સ્વામિત્વ નથી. રાગના સ્વામિત્વપણે નહિ પરિણમતો એવો જ્ઞાની પોતાના શુદ્ધ પરિણામનો જ કર્તા છે. જ્ઞાનીના જ્ઞાનમય જ ભાવ છે, જે રાગ આવે તે કાંઈ જ્ઞાનીનું કર્તવ્ય નથી. ધર્મી તેને કહીએ કે જેને પોતાના નિર્મળ જ્ઞાન અને આનંદનું ધ્રુવધામ એવા ચિદાનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન પ્રગટ થયું છે. અહાહા...! પોતાનું શુદ્ધ ચૈતન્ય ધ્રુવધામ જેને દૃષ્ટિમાં આવ્યું, અનુભૂતિમાં આવ્યું તે જ્ઞાની છે. આવા જ્ઞાનીનું જ્ઞાન દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડી ગયું છે તેથી જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય જ છે અને તે જ્ઞાનમય પરિણામનો જ્ઞાની કર્તા છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન અનંતગુણમય પવિત્રધામ પ્રભુ પોતે સ્વ છે અને દયા, દાન, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે તે પર છે-એવું સ્વપ૨નું નિર્મળ ભેદજ્ઞાન અજ્ઞાનીને હોતું નથી. સ્વપ૨નું ભેદજ્ઞાન નહિ હોવાથી તે અજ્ઞાનમયભાવનો કર્તા થાય છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે તેનો અજ્ઞાની કર્તા થાય છે. લ્યો, ૧૨૬ પૂરી થઈ. * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૨૭ किं ज्ञानमयभावात्किमज्ञानमयाद्भवतीत्याह अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दु ण कुणदि तम्हा दु कम्माणि ।। १२७ ।। अज्ञानमयो भावोऽज्ञानिनः करोति तेन कर्माणि। ज्ञानमयो ज्ञानिनस्तु न करोति तस्मात्तु कर्माणि।। १२७ ।। જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છે: અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને; પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને. ૧૨૭. ગાથાર્થ:- [ અજ્ઞાનિન: ] અજ્ઞાનીને [અજ્ઞાનમય: ] અજ્ઞાનમય [ ભાવ:] ભાવ છે [ તેન] તેથી અજ્ઞાની [ વર્માળિ] કર્મોને [ રોતિ] કરે છે, [ જ્ઞાનિન: તુ] અને જ્ઞાનીને તો [ જ્ઞાનમય: ] જ્ઞાનમય (ભાવ) છે [તસ્માત્ તુ] તેથી જ્ઞાની [ ળિ] કર્મોને [રોતિ] કરતો નથી. ટીકા:- અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં ( હોવાથી), સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મસ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્યો છે એવા પોતે “આ હું ખરેખર રાગી છું, હેપી છું (અર્થાત્ આ હું રાગ કરું છું, લૅપ કરું છું )” એમ (માનતો થકો) રાગી અને હેવી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે. જ્ઞાનીને તો, સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક પ્રકારે સ્થિત) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથભૂતપણાને (ભિન્નપણાને) લીધે નિજરથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને હૃષી થતો નથી (અર્થાત રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ (માર્યા) ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः। अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः।। ६६ ।। ભાવાર્થ:- આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તેજ મારું સ્વરૂપ છે-તેજ હું છું.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીણી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે. જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીઢષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ કહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી. હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્થ- [ જ્ઞાનિન: ઉત: જ્ઞાનમય: gવ ભાવ: ભવેત્ ] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [ પુન:] અને [ સન્ય: ન] અન્ય (અર્થાત અજ્ઞાનમય) ન હોય? [ અજ્ઞાનિન: જીત: સર્વ: મયમ્ જ્ઞાનમય:] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [બન્ય: ન] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય ? ૬૬. સમયસાર : ગાથા ૧૨૭ જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છે: * ગાથા ૧૨૭: ટીકા ઉપરનું પ્રવચન * “અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મ-સ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્યો છે એવો પોતે ““આ હું ખરેખર રાગી છું, હૃષી છું ( અર્થાત્ હું રાગ કરું છું, વૈષ કરું છું )'' એમ (માનતો થકો) રાગી અને હૃષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.” સૂક્ષ્મ વાત છે પ્રભુ! અનંતકાળમાં એણે (જીવ) નિર્મળ ભેદજ્ઞાન કર્યું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૭ ] કળશ ( ૧૩૧ ) માં કહ્યું છે ને કે भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन । [ ૨૩૩ જે કોઈ આજ સુધીમાં મુક્તિ પામ્યા તે ભેદવિજ્ઞાનથી મુક્તિ પામ્યા છે. રાગથી પોતાનું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે એવા ભેદજ્ઞાનથી મુક્તિ પામ્યા છે. અને જે બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. પોતે શુદ્ધ જ્ઞાયકભાવરૂપ ચિદાનંદમય આત્મા અને રાગ પરરૂપ મલિન દુઃખરૂપ વિભાવ-એ બેની એકતાબુદ્ધિથી બંધાયા છે અર્થાત્ ચારગતિરૂપ સંસારમાં રખડયા કરે છે. અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નથી. નવ તત્ત્વ કહ્યાં છે ને? એમાં આત્મતત્ત્વ ભિન્ન છે અને પુણ્ય-પાપ, આસવ-બંધ તત્ત્વ ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ આસવ અને બંધ તત્ત્વ અને ભગવાન આત્મા શુદ્ધાયક તત્ત્વ અબંધ તત્ત્વ છે. બન્ને ભિન્ન-ભિન્ન છે, પણ અજ્ઞાનીને સ્વપરનો-સ્વભાવ-વિભાવનો સમ્યક્ પ્રકારે વિવેક નથી. ‘સમ્યક્ પ્રકારે ’–એમ કેમ કહ્યું? કે ધા૨ણામાં તો એણે લીધું હતું કે રાગથી આત્મા ભિન્ન છે. અગિયાર અંગનો પાઠી થયો ત્યારે શાસ્ત્રની વાત ધારણામાં તો લીધી હતી કે રાગ છે તે પુણ્ય-પાપ તત્ત્વ છે, આસ્રવ-બંધ તત્ત્વ છે અને આત્મા એનાથી ભિન્ન જ્ઞાયક અબંધ તત્ત્વ છે. પણ સમ્યક્ પ્રકારે એટલે સ્વરૂપના લક્ષે એણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું નહિ. ગંભીર વાત છે ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ ખૂબ સૂક્ષ્મ છે. દુનિયામાં બીજે કયાંય માર્ગની આવી વાત છે નહિ. અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે તત્ત્વોની ભિન્નતાનો ઉપદેશ મળ્યો નથી. કદાચિત્ મળ્યો તો તેણે સમ્યક્ પ્રકારે સ્વપરની જાદાઈનું જ્ઞાન કર્યું નથી. રાગની ક્રિયા અને સ્વભાવની ક્રિયા બે ભિન્ન છે એવું શુદ્ધ ચૈતન્યના લક્ષે રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન કર્યું નથી. આ પ્રમાણે સ્વભાવ-વિભાવની ભિન્નતાનું ભાન નહિ હોવાથી સ્વપરના વિવેકના અભાવને કારણે મિથ્યાદષ્ટિને અનાદિકાળથી આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. અહાહા...! અજ્ઞાની જીવને ભિન્ન આત્માની-શુદ્ધ ચૈતન્યની પ્રસિદ્ધિ અત્યંત આથમી ગઈ છે અર્થાત્ તે (મોહભાવ વડે) અંધ થઈ ગયો છે. જુઓ, આ માલ-માલ વાત છે. દેવાધિદેવ ભગવાન જિનેશ્વરદેવની આ વાણી છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ સીમંધર ભગવાન પાસે ગયા હતા અને ત્યાંથી આવીને આ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ કહે છે–ભગવાન આત્મા અનંતગુણનો પિંડ આનંદમૂર્તિ પ્રભુ સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ છે. તેને ભૂલીને રાગમાં અહંબુદ્ધિ-એકતાબુદ્ધિ કરવાથી અજ્ઞાની જીવને આત્માની પ્રસિદ્ધિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. રાગ, પુણ્ય અને પાપની પ્રસિદ્ધિ આડે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તેને આત્માની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ છે અર્થાત્ તે અંધ થઈ ગયો છે. તે રાગ અને પુણ્યને દેખે છે, પણ પોતાના શુદ્ધ ચૈતન્યસૂર્યને દેખતો નથી. પુણ્યના ફળમાં પાંચ-પચીસ ક્રોડની ધૂળ મળે એને અજ્ઞાની જીવ દેખે છે પણ પોતાના શુદ્ધ જ્ઞાયક તત્ત્વને દેખતો નથી. પુણ્ય-પાપના ભાવ મારા, એમ માનનારો તે એવો મોહાંધ બન્યો છે કે તે ચૈતન્ય મહાપ્રભુ શુદ્ધ આત્મદ્રવ્યને દેખતો નથી. તેથી તેને રાગાદિમય-અજ્ઞાનમય ભાવ જ હોય છે. રાગાદિ ભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં આત્માનાં જ્ઞાન અને આનંદ નથી. ચાહે ભગવાનની ભક્તિનો રાગ હો કે શાસ્ત્રના શ્રવણનો રાગ હો, રાગભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનનું કિરણ નથી, જ્ઞાનનો અંશ નથી. અહો! આચાર્યદેવે અદ્દભુત અલૌકિક વાત કરી છે! ભાઈ ! ભાગ્યવાન હોય તેને આ વાત રુચે એમ છે. સંસારનો જેને અંત કરવો છે તેના માટે આ વાત છે. ભગવાન આત્મા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન છે. અજ્ઞાનીને ભિન્નનો ભાસ નથી, અનુભવ નથી. તેથી અંતરંગમાં આત્મા પ્રગટ પ્રસિદ્ધ હોવા છતાં, તેની પ્રસિદ્ધિનો તેને અભાવ થઈ ગયો છે. પરિણામે તેને રાગ જ પ્રસિદ્ધ છે. અજ્ઞાનીને પુણ્ય-પાપના ભાવ જ પ્રસિદ્ધ છે, માટે તેને અજ્ઞાનમય ભાવ જ હોય છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહામુનિ ભાવલિંગી દિગંબર સંત સ્વાનુભવની અતીન્દ્રિય આનંદની મસ્તીમાં ઝૂલી રહ્યા હતા. તેઓ કહે છે-જ્ઞાનીને જે રાગ આવે છે તેને, તે પોતાના જ્ઞાનસ્વરૂપમાં રહીને, ૫૨ તરીકે જાણે છે; રાગ મારો છે એમ તે જાણતા નથી. પોતાની ચીજમાં અને પોતાની નિર્મળ પરિણતિમાં જ્ઞાની રાગને ભેળવતા નથી તેથી તેને જ્ઞાનમય જ ભાવ છે. પરંતુ અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ મારા છે એમ માને છે, તેથી ભેદજ્ઞાનના અભાવે તેને આત્મ-પ્રસિદ્ધિ થતી નથી, પરંતુ રાગાદિ ભાવની જ પ્રસિદ્ધિ રહે છે. માટે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જ હોય છે. અજ્ઞાનમય એટલે (એકલું) મિથ્યાત્વ એમ અર્થ નથી. રાગાદિ ભાવમાં ચૈતન્યનો-જ્ઞાનનો અંશ નથી તેથી પુણ્ય-પાપમય રાગાદિ ભાવને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા છે. હવે કહે છે અજ્ઞાનમય ભાવ હોવાથી, સ્વપરની એકતાના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતાના આત્મસ્વરૂપમાંથી અજ્ઞાની ભ્રષ્ટ થયેલો છે. પોતે આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે અને રાગ અજ્ઞાન અને આકુળતારૂપ દુઃખસ્વરૂપ છે; આ બંનેની એકતાનો અજ્ઞાનીને અધ્યાસ છે. બેની એકતાની તેને ટેવ પડી ગઈ છે. અનાદિથી સ્વપરની એકતાની વાત તેણે સાંભળી છે, તેનો જ એને પરિચય છે અને તેનો જ એને અનુભવ છે તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો છે. જુઓ, આ કોઈના ઘરની વાત નથી, કે સોનગઢની આ વાત નથી. આ તો ભગવાનની કહેલી વાત ભગવાન કુંદકુંદાચાર્યદેવે અને અમૃતચંદ્રાચાર્યદેવે જગત પાસે જાહેર કરી છે. ભગવાન આત્મા જાણન-દેખનસ્વભાવરૂપ જ્ઞાતા-દષ્ટા પ્રભુ છે. અહાહા...! આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૭ ] [ ૨૩૫ અનાદિ સામાન્ય જ્ઞાનસ્વભાવ, અનાદિ સામાન્ય દર્શનસ્વભાવ, અનાદિ સામાન્ય આનંદસ્વભાવ, અનાદિ સામાન્ય પુરુષાર્થસ્વભાવ-એમ અનાદિ સામાન્ય અનંતગુણસ્વભાવમય વસ્તુ છે. અને રાગાદિ ભાવ એનાથી ભિન્ન ચીજ છે. પરંતુ સ્વપરના એકત્વના અધ્યાસને કારણે અજ્ઞાની પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈ ગયો છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા કરો તો એનાથી આત્માનું કલ્યાણ થઈ જશે એવી અજ્ઞાનીને મિથ્યા શ્રદ્ધા છે; અને જગતમાં એવી મિથ્યા પ્રરૂપણા ચાલે છે. અરે ભાઈ! રાગથી લાભ ( ધર્મ ) થાય એ વીતરાગનો, જૈન પરમેશ્વરનો માર્ગ નથી. એ તો રાગી અજ્ઞાનીઓનો માર્ગ છે. આત્મા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ છે; તે રાગથી ભિન્ન છે. અજ્ઞાનીને પોતાનો વીતરાગ સ્વભાવ અને રાગ-એ બેની એકતાનો અધ્યાસ થઈ ગયો છે. આમ ભિન્ન પદાર્થમાં એત્વના અધ્યાસના કારણે જ્ઞાનમાત્ર એવા નિજસ્વરૂપથી તે ભ્રષ્ટ થઈ ગયો છે. આત્માનાં અતીન્દ્રિય આનંદ અને શાંતિથી અજ્ઞાની ભ્રષ્ટ થઈ ગયો છે. હવે કહે છે અજ્ઞાની જીવ, ૫૨ એવા રાગ સાથે એકત્વ થઈને જેને અહંકાર પ્રવર્તો છે એવો પોતે આ હું ખરેખર રાગી છું, દ્વેષી છું એમ માનતો થકો રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને ૫૨ એવા રાગ-દ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે. અહા ! હું રાગી છું, હું રાગનો કરનારો છું-એમ એને રાગમાં અહમ આવી ગયું છે. હું રાગથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છું એવું ભેદજ્ઞાન તેને આથમી ગયું છે. સૂક્ષ્મ વાત છે, પ્રભુ! બીજું બધું કર્યું પણ અનંતકાળમાં એણે ભેદજ્ઞાન કર્યું નહિ તેથી દુ:ખી થઈ રહ્યો છે. દોલતરામજીએ કહ્યું છે ને કે ‘‘મુનિવ્રત ધાર અનંત વાર, ગ્રીવક ઉપજાયૌ; પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.’’ મુનિવ્રત ધારણ કરી મહાવ્રતનું પાલન કર્યું, અઠ્ઠાવીસ મૂળગુણ પાળ્યા, નગ્ન દિગંબર થયો; પણ એ બધી તો રાગની-જડની ક્રિયા હતી. પૃથક્ આત્માની ઓળખાણ કરીને અંતરનો સમ્યક્ પુરુષાર્થ કર્યો નહિ તો કાળલબ્ધિ શું કરે ? કાળલબ્ધિ પણ પુરુષાર્થ થતાં પાકે છે. ભાઈ! ક્રમબદ્ધમાં તો અકર્તાપણાનો અનંત પુરુષાર્થ રહેલો છે. કાળલબ્ધિ એટલે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય, પણ આવો નિર્ણય કરનારને જ્ઞાતાદષ્ટાનો સમ્યક્ પુરુષાર્થ હોય છે (અને તેનું ક્રમબદ્ધ પરિણમન પણ નિર્મળ જ હોય છે). સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે સમય-સમયમાં જે પર્યાય થાય તે પ્રત્યેક ક્રમબદ્ધ થાય છે. પરંતુ ક્રમબદ્ધનો સાચો નિર્ણય કોને હોય છે? જેને પોતાના જ્ઞાતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ દષ્ટા સ્વભાવનું ભાન થયું છે તેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે. (અને તેની પરિણમન-ધારા પણ ક્રમબદ્ધ સમ્યફ છે ). અજ્ઞાનીને ક્રમબદ્ધનો નિર્ણય ક્યાં છે? એને તો રાગ-દ્વેષ સાથે એકત્વ થઈને રાગમાં અહપણું પ્રવર્તે છે. અજ્ઞાની પોતાને હું રાગી છું, હૃષી છું એમ માને છે; દયા, દાન, પૂજા આદિ રાગનો કર્તા છું એમ તે માને છે. પોતાની ચીજ અંદર ત્રિકાળી નિર્મળાનંદ પ્રભુ છે તેને ન જાણતાં હું રાગી છું, હૃષી છું એમ માનતો થકો તે રાગી અને હૃષી એટલે રાગ-દ્વેષનો કર્તા થાય છે. જાણે કે હું આત્મા છું જ નહિ એમ અજ્ઞાની રાગમાં આપણે પ્રવર્તી રહ્યો છે. આ અજ્ઞાનમય ભાવના કારણે પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો અજ્ઞાની કર્મોને કરે છે. કર્મોને કરે છે એટલે રાગદ્વેષના ભાવનો કર્તા થાય છે. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી. કર્મ એટલે શુભાશુભભાવ રૂપ જે રાગ-દ્વેષના પરિણામ તે રાગ-દ્વેષના પરિણામનો અજ્ઞાની કર્તા થાય છે. આ તો થોડામાં ઘણા ગંભીર ભાવો ભરી દીધા છે. હવે જ્ઞાની એટલે ધર્મી જીવ કેવા હોય છે તે વાત કરે છે: “જ્ઞાનીને તો, સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે.” ધર્મીને સ્વપરના વિવેક દ્વારા આનંદમૂર્તિ ભગવાન આત્મા અને દુ:ખસ્વરૂપ એવો રાગએ બેની ભિન્નતાનું સમ્યક પ્રકારે જ્ઞાન થયું છે. સમ્યક પ્રકારે એટલે કે સ્વરૂપના લક્ષ યથાર્થપણે. અહાહા....! જ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનું ભેદજ્ઞાન પ્રગટ થતાં ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. હું તો આનંદ છું, શાંત છું, વીતરાગસ્વભાવ છું, અકષાયસ્વરૂપ છું—એમ રાગથી ભિન્ન આત્માની જ્ઞાનીને પ્રસિદ્ધિ થઈ છે. ભાષા બહુ ટુંકી પણ ભાવ ખૂબ ગહન ભરી દીધા છે. ભિન્ન આત્માની ખ્યાતિ ઉદય પામી હોવાથી જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. ધર્મીને જ્ઞાનમય એટલે આત્મામય, વીતરાગમય ભાવ જ હોય છે. અહાહા..! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વીતરાગસ્વભાવી આત્માની જેને દષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. હુવે કહું અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક પ્રકારે સ્થિત) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથભૂતપણાને ( ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને હૃષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી.' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૭ ] [ ૨૩૭ સ્વપરના ભેદવિજ્ઞાનને લીધે જ્ઞાની પોતાના ચૈતન્યસ્વભાવમાં સ્થિત છે. ધર્મી રાગમાં સ્થિત નથી. પુણ-પાપના જે ભાવ આવે છે તે પર છે, ભિન્ન છે એમ જ્ઞાની જાણે છે. ધર્મી પોતાના ચિદાનંદરસમાં, શાંતરસમાં સ્થિત હોવાથી રાગ મારો છે એવો અહંકાર એમને નિવૃત્ત થયો છે, છૂટી ગયો છે. લક્ષ્મી મારી, મકાન મારાં, બૈરાં-છોકરાં મારાં-એ તો કયાંય રહી ગયું. અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે શુભરાગ આવે છે તે મારો છે એવો અહંકાર જ્ઞાનીને નિવૃત્ત થઈ ગયો છે. પોતાના શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્મામાં અહં સ્થાપિત થતાં રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયો છે. ભલે રાગની પ્રવૃત્તિ ન છૂટે પણ શ્રદ્ધામાં રાગનો અહંકાર છૂટી જવો જોઈએ. વ્યવહારના રાગની પ્રવૃત્તિના પરિણામ જ્ઞાનીને પણ હોય છે; પણ એ વ્યવહારનો રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયેલો હોય છે. આવી વાત! લોકોને એકાન્ત છે, વ્યવહારનો લોપ કરે છે એમ લાગે છે, પણ વાત તો આ જ પરમ સત્ય છે. ભાઈ ! વ્યવહારની જેટલી રાગની ક્રિયા થાય તે મારી છે એમ જે માને તે મિથ્યાષ્ટિ અજ્ઞાની જીવ છે. શરીર મારું, શરીરની ક્રિયા મારી, કર્મ મારાં એમ માને એ સ્થૂળ મિથ્યાત્વ છે. તથા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગની ક્રિયા મારી એમ માને તે પણ મિથ્યાત્વ છે. પ્રશ્ન- અનાસક્તિભાવે કર્મ કરીએ એમાં કોઈ દોષ નથી ને? ઉત્તર:- અરે ભાઈ ! કર્મ કરીએ એવો જે અભિપ્રાય છે તે જ આસક્તિ અને મિથ્યાત્વભાવ છે. કર્મ કરવું અને અનાસક્તિભાવે કરવું એ વાત જ ખોટી છે. કર્મ કરવું-એવા અભિપ્રાયમાં અનાસક્તિ હોઈ શકે જ નહિ. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે પણ રાગ મારો છે એવો અહંકાર એમને નિવૃત્ત થઈ ગયો છે. રાગ મારું કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ–ધણીપણું છૂટી ગયું છે. અહા! હું તો શુદ્ધ ચૈતન્યમય આનંદકંદ પ્રભુ છું; એના લક્ષ જે વીતરાગી પર્યાય પાકે તે મારું કર્તવ્ય છે એમ જ્ઞાની જાણે છે. જ્ઞાની રાગથી લંગડો ( ભિન્ન) થઈ ગયો હોય છે. પર એવા રાગ-દ્વેષથી ભિન્નપણાના કારણે નિજરથી જ અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી અર્થાત રાગ અને દ્વેષનો કર્તા થતો નથી. સમકિતી ચક્રવર્તી બહારથી છ ખંડના રાજ્યને સાધતા દેખાય પણ ખરેખર તે અંતરમાં અખંડને સાધતા હોય છે. અભિપ્રાયમાં તેમને રાગનું એકત્વ છૂટી ગયું છે. જે રાગાદિ થાય તેને કેવળ જાણે જ છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ ! આવી વાત સાંભળવાય ન મળે તે કે દિ સમજણ કરશે ? બાપુ! આ મનુષ્યપણાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ એકેક સમય કૌસ્તુભમણિ કરતાં પણ વધારે કિંમતી છે. અને આ ભેદજ્ઞાન અતિ દુર્લભ વસ્તુ છે. આ અવસરમાં જો ભેદજ્ઞાન પ્રગટ ન કર્યું તો જન્મ-મરણ કરતાં કરતાં મિથ્યા શ્રદ્ધાનના ફળમાં નિગોદમાં ચાલ્યો જઈશ. ફરી અનંતકાળે ત્રસ નહિ થાય. ભાઈ ! શુભરાગથી ધર્મ થાય એ મિથ્યા શ્રદ્ધાન છે, અને મિથ્યા શ્રદ્ધાનનું ફળ નિગોદ છે. અહીં કહે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે જેને ભેદજ્ઞાન પ્રગટ થયું છે એવા જ્ઞાની રાગ-દ્વેષના કર્તા નથી. જ્ઞાની ચૈતન્યમય, આનંદમય, વીતરાગતામય ભાવના કારણે પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતા થકા કર્મોને કરતા નથી. જ્ઞાની રાગદ્વેષરૂપ કાર્યના કર્તા નથી. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી. જડકર્મનો તો અજ્ઞાની પણ કર્તા નથી. જડકર્મની પર્યાય તો જડથી સ્વતંત્ર થાય છે. અહીં તો એમ કહેવું છે કે રાગ-દ્વેષરૂપ ભાવકર્મના જ્ઞાની કર્તા નથી, માત્ર જ્ઞાતા-દષ્ટા છે. અભિપ્રાયમાં જ્ઞાની રાગના કર્તા નથી; અજ્ઞાની અભિપ્રાયમાં રાગનો કર્તા થઈને મિથ્યાત્વભાવે પરિણમે છે. રાગનો કર્તા ન થતાં જ્ઞાતાદરા રહીને જે રાગને કેવળ જાણે છે તેને ધર્મી અને જ્ઞાની કહેવામાં આવે છે. * ગાથા ૧૨૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે.” ક્રોધ અને માન તે વૈષના બે ભેદ છે; માયા અને લોભ તે રાગના બે ભેદ છે. આ બધા સામાન્ય શબ્દથી મોટું કહેવાય છે. મોહકર્મની પ્રકૃતિનો ઉદય આવતાં પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. જેવો ઉદય આવે તેવો જ રાગ થાય એમ નહિ. ઉદયના પ્રસંગે રાગદ્વેષ થાય છે એમ અહીં સિદ્ધ કરવું છે. જે પ્રકારે ઉદય આવે તે જ પ્રકારે રાગદ્વેષ મ છે નહિ. પોતાની યોગ્યતા પ્રમાણે રાગદ્વેષ થાય છે. આ રાગદ્વેષનો સ્વાદ મલિન છે. અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે ““આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું.' આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરે છે, તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.” અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી. તેને રાગદ્વેષ અને પોતાના ઉપયોગની ભિન્નતાનું જ્ઞાન નથી, તેથી તે રાગદ્વેષ અને ઉપયોગને એક કરીને એમ માને છે કે આ રાગ-દ્વેષરૂપ જે મલિન ઉપયોગ છે તે જ હું છું. આ પ્રમાણે રાગ-દ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી-પી કરે છે, તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૭ ] [ ૨૩૯ જે રાગદ્વેષ થાય છે તે તેની પોતાની યોગ્યતાથી થાય છે. તે રાગદ્વેષ મારા ભાવ નથી એમ જ્ઞાની જાણે છે. ‘જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે ‘‘જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.'' આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.’ સમકિતીને સ્વપ૨નું ભેદજ્ઞાન વર્તે છે. તેને યથાપદવી રાગ આવે છે; પણ તેની દષ્ટિ એક શુદ્ધ જ્ઞાયક ઉપર છે. તે જાણે છે કે હું તો શુદ્ધ ચૈતન્યઉપયોગમય છું. તેથી તે જે રાગ આવે છે તેનો જ્ઞાતા રહે છે પણ કર્તા થતો નથી. ધર્મી જાણે છે કે જ્ઞાનમાત્ર શુદ્ઘ ઉપયોગ એ જ મારું સ્વરૂપ છે. રાગ-દ્વેષના ભાવ તો કર્મનો રસ છે, કર્મપુદ્દગલનો વિપાક છે. રાગદ્વેષ તે મારું સ્વરૂપ નથી. આ રીતે રાગદ્વેષમાં એકત્વ નહિ કરતો જ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે. તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી. હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ * કળશ ૬૬ : શ્લોકાર્થ * ‘ જ્ઞાનિન: ત: જ્ઞાનમય: પુત્ત્વ ભાવ: ભવેત્' અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય ‘પુન: ’ અને ‘ અન્ય: ન’ અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય ? ‘ અજ્ઞાનિન: છુત: સર્વ: અયમ્ અજ્ઞાનમય:' વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને ‘અન્ય: 7' અન્ય (અર્થાત્ જ્ઞાનમય ) ન હોય ? . જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય છે અને અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય છે? આવો શિષ્યનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપ હવે ગાથાઓ કહેશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૨૮-૧૨૯ णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो । जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया ।। १२८ ।। अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो । जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स ।। १२९ ।। ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः । यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावा: खलु ज्ञानमयाः ।। १२८ ।। अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः । यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः ।। १२९ ।। આ જ પશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કા૨ણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કા૨ણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯. ગાથાર્થ:- [ ચસ્માત્] કારણ કે [જ્ઞાનમયાત્ ભાવાત્] જ્ઞાનમય ભાવમાંથી [જ્ઞાનમય: વ] જ્ઞાનમય જ [માવ:] ભાવ [નાયતે] ઉત્પન્ન થાય છે [તસ્માત્] તેથી [ જ્ઞાનિન: ] જ્ઞાનીના [ સર્વે માવા ] સર્વ ભાવો [હતુ] ખરેખર [ જ્ઞાનમય: ] જ્ઞાનમય જ હોય છે. [7] અને, [ યસ્માત્] કારણ કે [અજ્ઞાનમયાત્ ભાવાત્] અજ્ઞાનમય ભાવમાંથી [અજ્ઞાન: વ] અજ્ઞાનમય જ [ ભાવ: ] ભાવ [ ખાયતે ] ઉત્પન્ન થાય છે [તસ્માત્] તેથી [ અજ્ઞાનિન: ] અજ્ઞાનીના [ માવા: ] ભાવો [ અજ્ઞાનમયા: ] અજ્ઞાનમય જ હોય છે. ટીકા:- ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૮–૧૨૯ ] | [ ૨૪૧ | (અનુષ્ટ્રમ) ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि। सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।।६७ ।। ભાવાર્થ- જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ- [ જ્ઞાનિન:] જ્ઞાનીના [ સર્વે ભાવા:] સર્વ ભાવો [ જ્ઞાનનિવૃત્તા: દિ] જ્ઞાનથી નીપજેલા (-રચાયેલા ) [ મવત્તિ] હોય છે [1] અને [ ગજ્ઞાનિનઃ ] અજ્ઞાનીના [ સર્વે પિ તે] સર્વ ભાવો [Hજ્ઞાનનિવૃત્તા:] અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [ ભવન્તિ] હોય છે. ૬૭. સમયસાર ગાથા ૧૨૮-૧૨૯: મથાળું આ જ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે: * ગાથા ૧૨૮-૧૨૯ : ટીકા ઉપરનું પ્રવચન * ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે. તેથી અજ્ઞાનીના ભાવો બંધાય અજ્ઞાનમય હોય છે.' દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના જે ભાવ થાય તે મારા છે અને હું તેનો કર્તા છું એમ અજ્ઞાની માને છે. એ રાગની એકતાબુદ્ધિરૂપ જે પરિણામ છે તે અજ્ઞાનમય ભાવ છે. તેથી અજ્ઞાનીને જે કોઈ ભાવ થાય છે તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નહિ હોવાથી બધાય અજ્ઞાનમય હોય છે. શાસ્ત્રનું જ્ઞાન ન હોય તે અજ્ઞાન એમ અજ્ઞાનનો અર્થ નથી. શાસ્ત્રનું જ્ઞાન તો હોય છે. કરોડો શ્લોકોનું જ્ઞાન હોય, પણ તે પરલક્ષી જ્ઞાન મારું સ્વરૂપ છે એમ જે માને છે તેનો તે અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાની શાસ્ત્રના સ્વાધ્યાયમાં પ્રવૃત્ત હોય તો પણ તેને રાગમાં તન્મયપણું હોવાથી તેનો તે ભાવ અજ્ઞાનમય જ છે. અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ ભાવ નીપજે છે તે અજ્ઞાનમય જ હોય છે. ઝીણી વાત છે, ભાઈ ! બહુ ધ્યાન દઈને ધીરજથી સાંભળવી જોઈએ. કોઈ દસ-વીસ લાખનો ખર્ચ કરીને મંદિર બંધાવે, તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા કરે, ભગવાનનાં દર્શન, સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે; પણ તે બધો શુભરાગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ છે, ધર્મ નથી. તથાપિ એ શુભરાગથી લાભ (ધર્મ) થાય અને શુભરાગ મારું કર્તવ્ય છે એમ માનીને શુભરાગમાં તન્મય થઈને જો તે પ્રવર્તે તો તેના તે સઘળા ભાવ અજ્ઞાનમય છે. ગજબ વાત છે, પ્રભુ ! માથું ફરી જાય એવી વાત છે પણ આ સત્ય વાત છે. રાગની ક્રિયા મારી અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી નીપજેલા અજ્ઞાનીના સઘળા ભાવો અજ્ઞાનમય જ છે. ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ પરમાત્મસ્વરૂપ છે. તેની જેને દષ્ટિ થઈ નથી તે અજ્ઞાનીને ક્ષણેક્ષણે રાગની એકતાબુદ્ધિવાળા ભાવ ઉત્પન્ન થાય છે. રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તેથી અજ્ઞાનીને બધા રાગમય-અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થાય છે. અજ્ઞાની ચાહે તો શાસ્ત્રના સ્વાધ્યાયમાં હો, ભગવાનની ભક્તિ-પૂજામાં હો કે મહાવ્રતાદિના પાલનમાં હો; તેના સઘળા ભાવો રાગની એકતાબુદ્ધિ-પૂર્વક હોવાથી અજ્ઞાનમયપણાને નહિ ઓળંગતા થકા અજ્ઞાનમય જ હોય છે. હવે કહે છે-“અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.' હું તો રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છું, આનંદસ્વરૂપ છું-એમ પોતાના શુદ્ધ ચૈતન્યની જેને અંતરમાં દષ્ટિ થઈ, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું એવા જ્ઞાનીને જે કોઈ ભાવ થાય છે તે બધાય જ્ઞાનમય જ હોય છે. જ્ઞાનીને કમજોરીના કારણે કદાચિત્ વિષયકષાયના ભાવ પણ આવી જાય તો તે સમયે પણ તેને જ્ઞાનમય ભાવ જ છે, રાગમય નહિ; કેમકે જે સમયે રાગ થાય તે સમયે તે તેનો સાક્ષીભાવે જ્ઞાતા છે પણ કર્તા નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! રાગથી પોતાને ભિન્ન જાણો તેને ક્ષણેક્ષણે જે કોઈ ભાવ થાય તે બધા જ્ઞાનમય છે. જે ભાવે સર્વાર્થસિદ્ધિનું પદ મળે તે ભાવની પણ જ્ઞાનીને ભાવના નથી, હોંશ નથી. આવો શુભભાવ જ્ઞાનીને આવે ખરો પણ તે પોતાનું કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. જ્ઞાનીને જે શુભાશુભ ભાવ આવે તેને પોતે નિજ સ્વભાવમાં સ્થિત રહીને માત્ર જાણે જ છે. કોઈવાર જ્ઞાની બહારથી લડાઈના ( રૌદ્ર ) ભાવમાં પણ ઊભેલા જણાય પણ ખરેખર તે લડાઈના ભાવમાં સ્થિત નથી પણ અંતરમાં તે નિજ સ્વભાવમાં સ્થિત છે. લડાઈનો જે ભાવ આવે તેના તે સમયે તે જ્ઞાતા જ છે, કર્તા નથી; કેમકે તેની દષ્ટિ સ્વભાવ ઉપર ચોંટેલી છે. પોતાને અને પર-રાગને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાનના જ્ઞાની કર્તા છે, રાગના નહિ અને તેથી જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનીના ભાવ બધાય જ્ઞાનમય જ છે, વીતરાગતામય જ છે. કોઈવાર જ્ઞાનીને આર્ત-રૌદ્રધ્યાન પણ થતું હોય છે. પણ તેના તે જ્ઞાતા રહે છે, કર્તા થતા નથી. તે તે સમયે તે સંબંધીનું જ્ઞાની જ્ઞાન કરે છે અને સ્વભાવના લક્ષે તેનો નાશ કરી સ્વભાવભાવમાં વૃદ્ધિ કરે છે, તેથી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૨૮-૧ [ ૨૪૩ * ગાથા ૧૨૮-૧૨૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું હોય છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.' અજ્ઞાનીને શુભ-અશુભ ભાવમાં એકત્વબુદ્ધિ પડી છે, તેથી તેના વ્રત, તપના ભાવ પણ અજ્ઞાનમય છે. જ્યારે જ્ઞાનીને રાગથી ભિન્ન નિર્મળાનંદસ્વરૂપ પોતાના ચૈતન્ય-ભગવાનનું ભાન થયું છે. તેને જે રાગાદિ ભાવ થાય તેને તે માત્ર જાણે જ છે. જ્ઞાની તે રાગ સંબંધી જ્ઞાનના કર્તા છે, પણ રાગના કર્તા નથી. તેથી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે. પરંતુ અજ્ઞાની વ્રત, તપનો જે ભાવ કરે છે તે ભાવનો તે કર્તા થાય છે, તેથી અજ્ઞાનમય જાતિને નહિ ઓળંગતા તેના ભાવ બધાય અજ્ઞાનમય છે. કહ્યું છે ને કે જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. અજ્ઞાનીની રાગ ઉપર દૃષ્ટિ છે તો તેને રાગમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. ધર્મી જીવને રાગથી ભિન્ન પોતાના ચૈતન્ય-સ્વભાવની દૃષ્ટિ છે તો તેને જ્ઞાનમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને વ્રત, તપ, સંયમ, ઉપવાસ, બ્રહ્મચર્ય આદિના જે કોઈ ભાવ થાય છે તે રાગમય છે કેમકે તેને એમાં એકત્વબુદ્ધિ છે. તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય છે. આ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં બહુ મોટો (આભ-જમીનનો) ફરક છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે – * કળશ ૬૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનિન:' જ્ઞાનીના “સર્વે માવા:' સર્વ ભાવો “જ્ઞાનનિવૃત્તા: દિ' જ્ઞાનથી નીપજેલા (રચાયેલા) “ભવન્ત' હોય છે. જુઓ, ધર્મી એને કહીએ કે જેને વિકલ્પથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન અને અનુભવ થયાં છે. અહાહા...! હું રાગથી ભિન્ન શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મદ્રવ્ય છું એવું જેને નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી રચાયેલા છે. જાણવું, દેખવું, ઠરવું, શાંતિરૂપ થવું એ જ્ઞાનીના પરિણામ છે. દયા, દાન, વ્રત આદિના રાગ કે પુણ્ય-પાપના શુભાશુભ વિકલ્પ જ્ઞાનીને (કર્તવ્યપણે ) હોતા નથી; અને જે વિકારી ભાવ થાય છે તેનો જ્ઞાની જાણનાર છે, કર્તા નથી. જ્ઞાનીને વિકારનું સ્વામિત્વ નથી, તેથી જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪ ] | પ્રવચન રત્નાકર ભાગ-૫ કોઈવાર અસ્થિરતાની નબળાઈને લીધે હિંસાદિરૂપ અલ્પ રાગ-દ્વેષના પરિણામ થઈ જાય તોપણ જ્ઞાની તેના જ્ઞાતા રહે છે, કેમકે દષ્ટિ નિજ સ્વભાવ ઉપર છે. અહાહા..! દષ્ટિ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવાથી જ્ઞાનીનો પ્રત્યેક પરિણામ જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, ધર્મમય જ હોય છે. જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી નીપજેલા જ્ઞાનમય જ હોય છે. તુ' અને “મજ્ઞાનિ:' અજ્ઞાનીના “સર્વે જિ તે' સર્વ ભાવો “અજ્ઞાનનિવૃત્તા:' અજ્ઞાનથી નીપજેલા ( રચાયેલા) “ મવત્તિ' હોય છે. અહાહા..! અજ્ઞાની કે જેને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માનું ભાન નથી અને જેણે રાગ સાથે એકત્વ માન્યું છે તેના સર્વ ભાવ અજ્ઞાનથી નીપજેલા-રચાયેલા છે. અજ્ઞાનીને વ્યવહારરત્નત્રયના જે વિકલ્પ છે તે અજ્ઞાનથી રચાયેલા અજ્ઞાનમય છે. અજ્ઞાની જીવ હજારો રાણીઓને છોડી નગ્ન દિગંબર મુનિદશા ધારે, જંગલમાં રહે, મહાવ્રતાદિનું પાલન કરે તોપણ રાગ સાથે એકત્વપણે પરિણમતો હોવાથી તેના તે ભાવ અજ્ઞાનમય છે એમ કહે છે. પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન, અને નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા-એ બધો રાગભાવ છે અને તે રાગભાવનો અજ્ઞાની કર્તા થાય છે તેથી તેના એ બધા ભાવ અજ્ઞાનમય છે. કોઈ બાળ-બ્રહ્મચારી હોય અને મહિના-મહિનાના ઉપવાસ કરે અને તે બ્રહ્મચર્ય અને ઉપવાસના વિકલ્પથી લાભ (ધર્મ) થાય એમ માને તો એના તે ભાવ અજ્ઞાનમય છે. અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનથી નીપજેલા હોય છે અને તે અજ્ઞાનમય છે. આ સિદ્ધાંત કહ્યો, હવે દષ્ટાંત કહેશે. [ પ્રવચન નં. ૧૮૬-૧૮૭ (ચાલુ) * દિનાંક ૧૫-૯-૭૬ થી ૧૬-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૩૦-૧૩૧ अथैतदेव दृष्टान्तेन समर्थयते कणयमया भावादो जायंते कुंडलादओ भावा। अयमयया भावादो जह जायंते दु कडयादी।।१३० ।। अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते। णाणिस्स दुणाणमया सव्वे भावा तहा होति।।१३१ ।। कनकमयागावाज्जायन्ते कुण्डलादयो भावाः। अयोमयकाद्भावाद्यथा जायन्ते तु कटकादयः।। १३० ।। अज्ञानमया भावा अज्ञानिनो बहुविधा अपि जायन्ते। ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवन्ति।। १३१ ।। હવે આ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે: જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩). ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧. ગાથાર્થ:- [ યથા] જેમ [નમયાત્ ભાવાત્] સુવણમય ભાવમાંથી [pપ્ટની વય: ભાવ:] સુવર્ણમય કુંડળ વગેરે ભાવો [નીયન્ત] થાય છે [1] અને [ડયોમયકાત ભાવાત્] લોહમય ભાવમાંથી [દાય:] લોહમય કડાં વગેરે ભાવો [નીયન્ત] થાય છે, [તથા] તેમ [ અજ્ઞાનિન:] અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) [ વહુવિધા: પિ] અનેક પ્રકારના [અજ્ઞાનમય: ભાવ: ] અજ્ઞાનમય ભાવો [નીયન્ત] થાય છે [ તુ] અને [ જ્ઞાનિનઃ] જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) [ સર્વે] સર્વ [ જ્ઞાનમય: ભાવ:] જ્ઞાનમય ભાવો [ મવત્તિ] થાય છે. ટીકાઃ- જેવી રીતે પુગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ (અનુકુમ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्। द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।। ६८ ।। આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય; તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય. ભાવાર્થ- “ જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે' એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભુષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. અવિરત સમ્યગ્દષ્ટિ (-જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તોપણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે; કારણ કે (જ્ઞાની) પોતે ઉધમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે તેથી તે ક્રોધાદિભાવોનો અન્ય શેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે. હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે: શ્લોકાર્થઃ- [અજ્ઞાની ] અજ્ઞાની [અજ્ઞાનમયમાવાનામ્ ભૂમિજાન્] (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં [ વ્યાણ] વ્યાપીને [દ્રવ્યશનિમિત્તાનાં ભાવાનાન] (આગામી) દ્રવ્યકર્મનાં નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [તુતામ્ તિ] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે ). ૬૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૦-૧૩૧ ] સમયસાર : ગાથા ૧૩૦-૧૩૧ મથાળું હવે આ અર્થને દષ્ટાંતથી દૃઢ કરે છે: [ ૨૪૭ * ગાથા ૧૩૦-૧૩૧ : ટીકા ઉ૫૨નું પ્રવચન * જેવી રીતે પુદ્દગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય. પુદ્દગલદ્રવ્ય સ્વયં એટલે પોતાની મેળે પરિણામસ્વભાવવાળું છે. જુઓ, આ દૃષ્ટાંત આપે છે. આ શરીર, મન, વાણી, આહાર, પાણી ઇત્યાદિ બધામાં સ્વયં પરિણામસ્વભાવ છે. અહાહા...! બદલવાનો તેનો સહજ સ્વભાવ તોપણ કારણ જેવું કાર્ય થાય છે. કારણ અને કાર્યની જાતિ એક હોય છે એમ કહે છે. સુવર્ણના પુદ્દગલોમાં સ્વયં બદલવાનો સ્વભાવ છે તોપણ સુવર્ણમાંથી સુવર્ણજાતિને નહિ ઓળંગતા એવા સુવર્ણમય કુંડળાદિ ભાવો જ થાય, સુવર્ણમાંથી લોઢાનાં કડાં આદિ ભાવો ન થાય. અને લોખંડમાંથી, તે ગમે તે ભાવે બદલે તોપણ, લોખંડજાતિને નહિ ઓળંગતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય, પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય. જુઓ, આ ન્યાય! કે સોનામાંથી લોઢું ન થાય અને લોઢામાંથી સોનું ન થાય. આ દષ્ટાંત આપ્યું હવે સિદ્ધાંત કહે છે– ‘તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ તેને–જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય. જીવનો સ્વયં-પોતાની મેળે જ પરિણમવાનો એટલે બદલવાનો સ્વભાવ છે. છતાં કારણ જેવાં જ કાર્યો થાય છે. ગાથા ૬૮ની ટીકામાં દાખલો આપ્યો છે કે જવપૂર્વક જે જવ થાય તે જવ જ હોય છે. અર્થાત્ જવમાંથી જવ જ થાય, ઘઉં વગેરે ન થાય અને ઘઉંમાંથી ઘઉં જ થાય, જવ વગેરે ન થાય. કારણ અને કાર્ય હમેશાં એક જાતિમય જ હોય છે એમ કહે છે. અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માની દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ શ૨ી૨, મન, વાણી, ઇન્દ્રિય, રાગ ઇત્યાદિ ૫૨ ઉપ૨ હોય છે. તેથી અજ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભાવ હોય છે. તેને પર અને રાગની જે એકતાબુદ્ધિ છે તે સ્વયં અજ્ઞાનમય ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે ભાવ થાય તે મારા છે, એનાથી મને લાભ (ધર્મ) થાય છે, એ મારું કર્તવ્ય છે અને હું એ ભાવોનો કર્તા છે એવી જે એની દષ્ટિ છે તે સ્વયં અજ્ઞાનમય છે. અને એ અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય છે. જેમ લોખંડમાંથી લોખંડમય કડાં આદિ ભાવો થાય છે તેમ રાગની એકતાબુદ્ધિના અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનીને અજ્ઞાનમય એટલે કે રાગમય, વિકારમય ભાવો જ ઉત્પન્ન થાય છે. ભગવાન કુંદકુંદાચાર્યદવ જંગલમાં વસનારા નિગ્રંથ મહા મુનિરાજ હતા. નિગ્રંથ એને કહીએ કે જેને રાગ સાથેની એકતાબુદ્ધિની-મિથ્યાત્વની ગાંઠ છૂટી ગઈ છે, ટળી ગઈ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પરિણામ શુભરાગરૂપ આસ્રવ છે. તેનાથી ભિન્ન પડીને અંદર આત્મા જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ છે તેનો જેને અનુભવ થયો છે તે નિગ્રંથ છે. આવા પરમ નિગ્રંથ અતીન્દ્રિય આનંદના સ્વામી આચાર્ય કુંદકુંદ-સ્વામીનાં આ વચનો છે કે બધા આત્મા ભગવાન-સ્વરૂપ છે. પર્યાયમાં જે ભૂલ હતી તેનો અમે સ્વરૂપના લક્ષ અભાવ કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે “સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.'' એમ અહીં કહે છે કે “સર્વ જીવ છે જ્ઞાનમય, જે સમજે તે થાય.' અહાહા.ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ આત્મા છે. તેમાં દયા, દાન, ભક્તિનાં, કે વ્યવહાર-રત્નત્રયના કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાના રાગનો સદાકાળ અભાવ છે. પરંતુ અરે! અજ્ઞાની શુભરાગને પોતાનું સ્વરૂપ માને છે. તેથી તે પોતે રાગમય થયો છે, અજ્ઞાનમય થયો છે. આથી અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી રાગાદિમય અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે, સુક્ષ્મ વાત છે, પ્રભુ! અજ્ઞાનીને પોતાના જ્ઞાનમય સચ્ચિદાનંદસ્વરૂપ આત્માનું ભાન નથી અને જે રોગ થાય તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે. રાગથી લાભ થાય, વ્યવહારથી નિશ્ચય પ્રગટ થાય-આવા મિથ્યાદર્શનના ભાવથી મિથ્યાત્વના ભાવ જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનમય ભાવમાંથી, બદલીને ગમે તે ભાવ થાય તોપણ અજ્ઞાનમય ભાવ જ થાય, જ્ઞાનમય ભાવ ન થાય. ખૂબ ગંભીર વાત છે, ભાઈ ! અજ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય ભાવ હોય છે. જડકર્મના કારણે તે ભાવ ઉત્પન્ન થયા છે એમ નથી. કર્મ તો જડ છે, કર્મ શું કરે ? પોતે સ્વયં અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે. કોઈ કર્મનો ઉદય તેને અજ્ઞાનભાવે પરિણાવે છે એમ નથી. કર્મનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વપણે પરિણમવું પડ્યું એમ પણ નથી. જેની દષ્ટિ નિમિત્તાધીન છે તે ગમે તે માને, પરંતુ અજ્ઞાનીને જે રાગમય-અજ્ઞાનમય ભાવ થાય છે તે સ્વયં પોતાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૦-૧૩૧ ] [ ૨૪૯ કારણે થાય છે એમ અહીં કહે છે. પંડિત બનારસીદાસજીએ નિમિત્ત-ઉપાદાનના દોહામાં ખૂબ સરસ વાત કરી છે “ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય.'' વળી “ “ ઉપાદાન બલ જહાં તહાં નહિ નિમિત્તકો દાવ.'' અહાહા..! આ દોહાઓમાં તો ગજબ વાત કરી છે. ત્યારે વળી કોઈ પંડિત એમ કહે છે કે પરના કર્તા ન માને એ જૈન નથી. પરનો કર્તા માને એ જૈન છે. અરે ભાઈ ! આ તું શું કહે છે? તને શું થયું છે પ્રભુ? જેને જૈનધર્મ એટલે મોક્ષમાર્ગ પ્રગટ થયો છે એવો જ્ઞાની પરનો કર્તા તો શું રાગનો પણ કર્તા થતો નથી. જ્ઞાની અને અજ્ઞાની કોઈ પરદ્રવ્યનું કાર્ય કરી શકતો નથી. કેમકે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે અને સ્વતંત્રપણે પરિણમે છે. એમાં બીજો શું કરે? શું પર્યાય વિનાનું, કાર્ય વિનાનું કયારેય કોઈ દ્રવ્ય છે? પ્રતિસમય દ્રવ્ય સ્વયં પોતાનું કાર્ય કરે છે ત્યાં બીજો શું કરે ? અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાર્ય કરે એમ માને એ તો સ્થૂળ ભૂલ છે, મિથ્યાદર્શન છે. એનું ફળ ખૂબ આકરું આવશે ભાઈ ! પરમાત્મા કહે છે કે પરનો કર્તા તો કોઈ થઈ શકતો નથી અને રાગભાવનો જે કર્તા થાય તે અજ્ઞાની છે. અહીં કહે છે-અજ્ઞાનીને અજ્ઞાનમયભાવમાંથી નીપજેલા સર્વ ભાવ અજ્ઞાનમય હોય છે કેમકે તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નથી. અજ્ઞાની બે ને બે ચાર કહે તોપણ તેનું ખોટું છે કેમકે કારણકાર્યના સ્વરૂપમાં તેને ફેર છે, ભૂલ છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં (ચોથા અધિકારમાં) આવે છે કે અજ્ઞાનીને કારણવિપરીતતા, સ્વરૂપવિપરીતતા અને ભેદાભદવિપરીતતા હોય છે. અહો ! ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પંડિતપ્રવર ટોડરમલજીએ શું અજબ કામ કર્યું છે ! અરે! કોઈને આવી વાત ન બેસે અને તે ગમે તેમ કહે તો તેથી શું થાય? ભાઈ ! કોઈ પ્રત્યે દ્વેષ કરવો કે વિરોધ કરવો એ તો માર્ગ નથી. “સત્વેષુ મૈત્રી' સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ જ્ઞાનીને હોય છે. કોઈને આ વાત બેસે તોય તે સ્વતંત્ર છે અને કોઈને ન બેસે તોય તે સ્વતંત્ર | યોગસારમાં આવે છે કે પાપને તો જગતમાં સૌ પાપ કહે છે; પણ પુણ્ય પણ ખરેખર પાપ છે એમ કોઈ વિરલા અનુભવી બુધપુરુષ જ કહે છે ““પાપતત્ત્વને પાપ તો કહે જગમાં સૌ કોઈ; પુણ્યતત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.'' ૭૧. (યોગસાર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ શુભરાગ મારો છે એમ અજ્ઞાની માને છે. પણ જ્ઞાની તો કહે છે કે પુણ્યભાવ પણ પાપ છે. દયા, દાન, વ્રતાદિના શુભરાગના ભાવ તે પાપ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ખસી જાય, પતિત થાય ત્યારે એ ભાવ થાય છે માટે તે પાપ તત્ત્વ છે. લોકોને પુણ્યબંધનું ફળ જે ભોગસામગ્રી અને અનુકૂળ સંજોગો-તેની મીઠાશ છે અને તેથી પુણ્યબંધના કારણરૂપ પુણ્યભાવ જે શુભરાગ તેની પણ મીઠાશ છે. તેથી આ વાત તેમને કડક લાગે છે. પરંતુ ભાઈ ! તને જે શુભરાગની મીઠાશ છે તે અજ્ઞાનમય ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને અતિક્રમતા નહિ હોવાથી અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતા નથી એમ અહીં કર્યું છે. ભાઈ ! આ શુભરાગની મીઠાશ તને કયાં લઈ જશે ? જન્મ-મરણરૂપ સંસારમાં અને અંતે તે નિગોદ લઈ જશે, કેમકે મિથ્યાત્વનું ફળ (અંતે) નિગોદ છે. હવે કહે છે-“જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને જ્ઞાનમયભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.” પદ્રવ્યના ભાવોથી રહિત, નિર્મળાનંદનો નાથ ચિત્યમત્કારમાત્ર ભગવાન આત્મા છે. આવા પોતાના આત્માનાં દષ્ટિ અને અનુભવ જેને થયાં છે તે જ્ઞાની છે. એ જ્ઞાની એમ જાણે છે કે જાણવું અને દેખવું બસ એ જ મારું કાર્ય છે. જ્ઞાનીને જ્ઞાનાનંદસ્વભાવ મારી ચીજ છે એમ સત્યનો આગ્રહ નામ દઢ નિશ્ચય અને શ્રદ્ધાન છે. તેની દષ્ટિ પોતાના ચૈતન્યસ્વભાવથી ખસતી નથી અને તેથી તેને જ્ઞાનમય ભાવ છે. જ્ઞાનમયભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઓળંગતા હોવાથી સર્વ જ્ઞાનમય ભાવો જ જ્ઞાનીને ઉત્પન્ન થાય છે પરંતુ અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન:- તો શું જ્ઞાનીને રાગ આવતો જ નથી ? ઉત્તર:- જ્ઞાનીને યથાપદવી રાગ આવે છે પણ તે તેના જ્ઞાતા છે, કર્તા નથી. જે અલ્પ રાગ આવે છે તેને તે પરશેયરૂપે જાણે છે. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ હોતું નથી. તેથી જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ હોય છે, અજ્ઞાનમય હોતા નથી. ભગવાન ઋષભદેવ પરમાત્મા અષ્ટાપદ પર્વત પરથી નિર્વાણ પામ્યા ત્યારે ભગવાનનો વિરહુ પડતાં ભરત મહારાજાને હૃદયમાં ખૂબ દુ:ખ થયું, આંખમાં આંસુ આવ્યાં. “અરે! ભારતવર્ષનો દેદીપ્યમાન સુર્ય અસ્ત થઈ ગયો !” એવા વિરહુના વિચારથી ઘણું દુઃખ અનુભવ લાગ્યા. ત્યારે ઇન્દ્ર કહ્યું-ભરતજી! તમારે તો આ છેલ્લો દે છે. અમે તો હજુ એક ભવ કરીને મોક્ષે જવાના છીએ. વિરહના દુઃખથી તમારી આંખોમાં આંસુ ! શું આ તમને શોભે? મહારાજા ભરતે કહ્યું આ તો કમજોરીનો-અસ્થિરતાનો રાગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૦-૧૩૧ ] [ ૨૫૧ આવ્યો છે; હું તો તેનો જાણનારમાત્ર જ્ઞાતા-દષ્ટા છું, હું તેનો કર્તા નથી. જુઓ, આ જ્ઞાનીની સ્વભાવદષ્ટિ ! જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. અજ્ઞાનીની દષ્ટિ રાગ ઉપર છે. તેથી અજ્ઞાનીને મિથ્યાત્વાદિ રાગમય-અજ્ઞાનમય ભાવો જ ઉત્પન્ન થાય છે. જ્યારે જ્ઞાનીની જ્ઞાનસ્વભાવ ઉપર દૃષ્ટિ છે, તેથી તેમને જ્ઞાનમય ભાવની જ સુષ્ટિ-ઉત્પત્તિ થાય છે. અલ્પ અસ્થિરતાનો જે રાગ થાય છે તેને જ્ઞાનમાં પરશય તરીકે જાણે છે. રાગ મારી ચીજ છે એમ રાગનું સ્વામિત્વ જ્ઞાની સ્વીકારતા નથી. તે રાગના જ્ઞાતા જ છે, કર્તા નથી. લોકોને વ્યવહારની ક્રિયાનો પ્રેમ છે, પરંતુ ક્રિયાનો વિકલ્પ છે એ રાગ છે. દયા, દાન, વ્રત આદિ ક્રિયાના શુભ વિકલ્પ રાગ છે. રાગ છે તે ખરેખર હિંસા છે. પુરુષાર્થસિદ્ધયુપાયના ૪૪ મા છંદમાં અમૃતચંદ્રસ્વામીએ કહ્યું છે કે નિશ્ચયથી રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું એ અહિંસા છે અને રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે હિંસા છે. આ જૈન સિદ્ધાંતનો સાર છે. ભાઈ ! પોડશકારણભાવનાનો રાગ તે ધર્મ નથી. તેના નિમિત્તે તીર્થંકરનામકર્મની પ્રકૃતિ બંધાય છે અને સમ્યગ્દષ્ટિને જ એવો શુભરાગ આવે છે તોપણ તે ધર્મ નથી. રાગ છે ને? તે રાગના જ્ઞાની કર્તા નથી, જ્ઞાતા છે. તથા રાગનો જેને પ્રેમ છે એવા અજ્ઞાનીની ભૂમિકામાં આવી જાતનો રાગ આવતો જ નથી અને તેને તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી. શ્રેણિક મહારાજ આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. માતાના ગર્ભમાં પધારશે ત્યારે ઇન્દ્રો અને દેવો મહોત્સવ ઉજવશે. માતાના ગર્ભમાં સવાનવ માસ રહે ત્યાં પણ સમ્યગ્દષ્ટિ રાગનો જ્ઞાતા-દષ્ટા છે, કર્તા નથી. અહાહા...જેના વડે જન્મ-મરણનો અંત આવે તે સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે, ભાઈ ! જેને આનંદનો નાથ અંદર જાગી ગયો છે તે ધર્મી જીવ નિરંતર જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવે જ્ઞાનભાવે પરિણમે છે, રાગભાવે નહિ. આવું જ સ્વરૂપ છે. કળશ-ટીકામાં શ્લોક ૬૭ માં કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયાસંબંધી વિષય-કપાય પણ એકસરખા છે, પરંતુ દ્રવ્યનો પરિણમનભેદ છે. સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રતક્રિયારૂપ છે અથવા ભોગઅભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ-માન-માયા-લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમકે જે કોઈ પરિણામ છે તે સંવર-નિર્જરાનું કારણ છે–એવો જ કોઈ દ્રવ્ય-પરિણમનનો વિશેષ છે. મિથ્યાષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ મિથ્યાદષ્ટિના પરિણામ છે તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્ર-સિદ્ધાંતના પાઠરૂપ છે અથવા વ્રત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તપશ્ચરણરૂપ છે અથવા દાન-પૂજા-દયા-શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધમાન-માયા-લોભરૂપ છે, –આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમકે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી;-દ્રવ્યનો એવો જ પરિણમન વિશેષ છે.'' આ પ્રમાણે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે, અજ્ઞાનમય નથી અને અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. જ્ઞાનમય નથી. * ગાથા ૧૩૦-૧૩૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે' એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને ( જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવ મારા છે એમ તેમાં આત્મબુદ્ધિ છે. તે શુભભાવથી પોતાને લાભ થાય અને તે પોતાનું કર્તવ્ય છે એમ માને છે. તેથી અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ છે. તથા જેટલા શુભાશુભ ભાવ છે તે બંધનું કારણ છે. “અવિરત સમ્યગ્દષ્ટિ (-જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે. તોપણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે.' જ્ઞાનીને ક્રોધ, માન આદિ ભાવ આવે છે, તેની રુચિ નથી છતાં નબળાઈથી તે ભાવ આવે છે; પરંતુ તે ભાવ મારી ચીજ છે અને તેનાથી મને લાભ છે એવી જ્ઞાનની બુદ્ધિ હોતી નથી. કર્મના ઉદયના નિમિત્તે થયેલા તે ભાવને જ્ઞાની ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતાં નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. જ્ઞાની જે કર્મ ઉદયમાં આવે છે તેમાં થોડા જોડાય પણ છે, છતાં તે રાગ ખરી જાય છે કેમકે તેને તેનું સ્વામીપણું નથી. તે એવો બંધ કરતો નથી કે જેથી સંસારનું પરિભ્રમણ વધે, કારણ કે જ્ઞાની પોતે ઉધમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી. વિકાર કરવા લાયક છે એવા ઊંધા પુરુષાર્થપણે જ્ઞાની પરિણમતા નથી. કર્મના ઉદયમાં તે પોતાની કમજોરીથી જોડાય છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને રાગમયપણે પરિણમતા નથી. હું જ્ઞાતા-દરા છું એ ભૂલીને તે રાગસ્વભાવે પરિણમતા નથી. ધર્મીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના શુભભાવ આવે છે પણ તેમાં આત્મબુદ્ધિ નથી. જ્ઞાનીનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૦-૧૩૧ ] [ ૨૫૩ સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. એની દૃષ્ટિ જ્ઞાનસ્વભાવ ઉપર જ સતત મંડાયેલી રહે છે. તેથી તે ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ સર્વજ્ઞસ્વભાવમય છે; એની જેને દૃષ્ટિ થઈ છે તે જ્ઞાની જ્ઞાનસ્વરૂપે પરિણમે છે. જ્ઞાનનું ઉલ્લંઘન કરીને જ્ઞાની પરિણમતા નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાનીને રાગાદિમાં સ્વામીપણું નથી. અશુભરાગ પણ કદાચિત્ જ્ઞાનીને થાય છે પણ તેનું તેને સ્વામીપણું નથી. જ્ઞાની અન્ય યોની માફક ક્રોધાદિ વિકારી ભાવોનો જ્ઞાતા જ છે, કર્તા નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પર પદાર્થ જેમ જ્ઞય છે, જાણવા લાયક છે તેમ નબળાઈથી થતા રાગાદિ વિકારી ભાવ જ્ઞાનીને જ્ઞાનના જ્ઞય છે, જાણવા લાયક છે, જ્ઞાની તેના કર્તા થતા નથી. રાગાદિ ભાવ કરવા લાયક છે એમ માનતા નથી માટે કર્તા નથી; પરિણમન છે એ અપેક્ષાથી કર્તા કહેવામાં આવે છે એ જુદી વાત છે. સમકિતીના અંતરની લોકોને ખબર નથી. લોકો તો બસ આ કરો ને તે કરો-વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, જાત્રા કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિરો બંધાવો, પ્રતિષ્ઠા કરાવો, એમ પાંચ-પચીસ લાખ ખર્ચ કરો ઇત્યાદિ વડે ધર્મ થવો માને છે, પણ એમાં તો ધૂળેય ધર્મ નથી. એ તો શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે. અજ્ઞાની અને ધર્મ માને છે તે મિથ્યાત્વ છે અને જ્ઞાની તેને પરજ્ઞય તરીકે પોતાના જ્ઞાનમાં જાણે છે. જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં મોટું અંતર છે, ઉગમણા-આથમણો ફેર છે. જેમ ધાવમાતા બાળકને ધવરાવે પણ એ મારો દીકરો છે એમ માનતી નથી, તેમ ધર્મી જીવને રાગ આવે છે પણ રાગ મારો છે એવું એને સ્વામિત્વ નથી. જે રાગ આવે છે તેને માત્ર પરશેય તરીકે જાણે છે. પોતાનું જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તે સ્વય છે. જ્ઞાનીની દૃષ્ટિ સ્વય જે શુદ્ધ આત્મા ત્યાંથી ખસતી નથી અને તેથી તેના સર્વ ભાવો જ્ઞાનમય જ હોય છે. સમ્યગ્દષ્ટિની રુચિ શુદ્ધ આત્મદ્રવ્યમાં છે. અંદર પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય એકલો ઉજ્વળ પવિત્ર અનંતગુણોનો પિંડ પ્રભુ આત્મા વિરાજી રહ્યો છે તેની જ્ઞાનીને નિરંતર રુચિ છે, તેને રાગાદિ ભાવની રુચિ નથી. જેમ કોઈ નોકર શેઠનું કામ કરતો હોય તે બોલે એમ કે અમારે માલ લેવો છે, અમારે માલ વેચવો છે ઇત્યાદિ. પરંતુ અંદર જાણે છે કે “અમારે” એટલે પોતાને ણ શેઠને માલ લેવાનો-વેચવાનો છે. તેમ રાગાદિ ભાવ જે જ્ઞાનીને આવે છે તેને અંદરથી એમ જાણે છે કે-આ રાગાદિ ભાવ છે તે મારો નથી, એ તો કર્મની ઉપાધિ છે; મારો તો એક ચિદાનંદમય શદ્ધ જ્ઞાયકભાવ છે. રાગ મારું કર્તવ્ય નહિ. જ્ઞાન મારું કર્તવ્ય છે રાગનો હું તો જ્ઞાતામાત્ર છું. એક શેઠને હંમેશાં ચૂરમુ ખાવાની આદત હતી. તેમને ચૂરમુ જ માફક આવે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ ] || પ્રવચન રત્નાકર ભાગ-૫ હવે એક દિ બન્યું એમ કે એમનો જુવાનજોધ દીકરો એકાએક ગુજરી ગયો. સ્મશાનેથી બાળીને સૌ ઘેર આવ્યા. ઘરમાં સૌ રો-કકળ કરે અને બધે શોકનું ગમગીન વાતાવરણ બની ગયું. દીકરાનો બાપ શેઠ કહે-રોટલા-રોટલી બનાવો, આજે ચુરમુ ન ખવાય. સૌ સગાંવહાલાં કહેતમને ચૂરમાની ટેવ છે માટે તમે ચૂરમુ જ ખાઓ, તમને બીજાં માફક નહિ આવે. તે વખતે ભોજન કર્યું. શેઠ ચૂરમુ ખાધું, પણ ચૂરમાની એમને હોંશ ન હતી. તેમ જ્ઞાનીને રાગ આવે છે પણ તેને રાગની હોંશ નથી. ધર્મીને રાગની રુચિ ખલાસ થઈ ગઈ હોય છે. પ્રશ્ન:- જ્ઞાનીને ઉદયની બળજરીથી રાગ આવે છે એટલે શું? ઉત્તર:- ઉદયની બળજરીથી રાગ આવે છે એ તો નિમિત્તની મુખ્યતાથી કહ્યું છે. એનો અર્થ એમ છે કે જ્ઞાનીને પુરુષાર્થની કમજોરી છે. જે રાગ આવે છે તે પોતાના અપરાધથી આવે છે અને તે પોતાના કારણે આવે છે. જડકર્મને લઈને રાગ થાય છે વા જડકર્મનો ઉદય રાગ કરાવે છે એમ છે જ નહિ, કર્મ તો જડ છે. કહ્યું છે ને કે ‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.' જ્યાં જ્યાં એમ કથન આવે કે કર્મના ઉદયની બળજોરીથી રાગ થાય છે ત્યાં ત્યાં એમ સમજવું કે રાગ પોતાની કમજોરીથી પોતાના કારણે થાય છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્તમાત્ર છે. (પુરુષાર્થ કમજોર છે તો કર્મ બળવાન છે એમ નિમિત્તથી કહેવામાં આવે છે ). હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે: કળશ ૬૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન મજ્ઞાની' અજ્ઞાની “અજ્ઞાનમયમાવાનામ ભૂમિ ' (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં ‘વ્યાણ' વ્યાપીને ‘દ્રવ્યવર્મનિમિત્તાનાં માવાનીમ' (આગામી) દ્રવ્યકર્મના નિમિત્ત જે (અજ્ઞાનાદિક ) ભાવો તેમના “દેતુનામ તિ' હેતુપણાને પામે છે. (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે.). અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં એટલે રાગની રુચિમાં પડ્યો છે. પોતાનો જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ, વીતરાગસ્વભાવ તેને છોડીને અજ્ઞાની રાગની રુચિમાં જોડાયો છે. અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને દ્રવ્યકર્મનાં નિમિત્ત જે અજ્ઞાનાદિક ભાવો છે. તેમના હેતુપણાને પામે છે. અર્થાત દ્રવ્યકર્મના નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે. જૂના કર્મના ઉદયનું લક્ષ કરીને, નવા કર્મબંધના કારણરૂપ જે અજ્ઞાનભાવ તેના હેતુપણાને પ્રાપ્ત થાય છે. આ અજ્ઞાનીની વાત કરી છે. [ પ્રવચન નં. ૧૮૭ * દિનાંક ૧૬-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૩ર થી ૧૩૬ अण्णाणस्स स उदओ जा जीवाणं अतचउवलद्धी। मिच्छत्तस्स दु उदओ जीवस्स असद्दहाणत्तं ।। १३२ ।। उदओ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं। जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ।। १३३ ।। तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा।। १३४ ।। एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु। परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं।। १३५ ।। तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया। तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ।। १३६ ।। આ જ અર્થપાંચ ગાથાઓથી કહે છે: અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨, જીવને અવિરતભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩. શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ છે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates २५६ ] [ प्रवयन रत्ना३२. भाग-५ अज्ञानस्य स उदयो या जीवानामतत्त्वोपलब्धिः। मिथ्यात्वस्य तूदयो जीवस्याश्रद्दधानत्वम्।। १३२ ।। उदयोऽसंयमस्य तु यज्जीवानां भवेदविरमणम्। यस्तु कलुषोपयोगो जीवानां स कषायोदयः।। १३३ ।। तं जानीहि योगोदयं यो जीवानां तु चेष्टोत्साहः। शोभनोऽशोभनो वा कर्तव्यो विरतिभावो वा।। १३४ ।। एतेषु हेतुभूतेषु कार्मणवर्गणागतं यत्तु :। परिणमतेऽष्टविधं ज्ञानावरणादिभावैः।। १३५ ।। तत्खलु जीवनिबद्ध कार्मणवर्गणागतं यदा। तदा तु भवति हेतु वः परिणामभावानाम्।। १३६ ।। थार्थ:- [ जीवानाम् ] पाने [ या] ४ [अतत्त्वोपलब्धिः ] तत्पनु मान (अर्थात वस्तुस्प३५नु अयथार्थ-विपरीत शान) छ [स:] ते [अज्ञानस्य] मानना [उदयः] य छ [तु] अने [जीवस्य ] पने [अश्रद्दधानत्वम् ] ४ (तत्त्यनु) सश्रद्धान छ ते [ मिथ्यात्वस्य ] मिथ्यात्वनो [ उदयः] ४५ छ; [ तु] 4जी [ जीवानां ] पोने [ यद् ] ४ [अविरमणम् ] अविरम। अर्थात सत्यागमा छ । [असंयमस्य ] असंयमनो [ उदयः] ध्य [भवेत् ] छ [ तु] भने [जीवानां] पोने [ यः] ४ [ कलुषोपयोग:] भलिन (अर्थात ९५९॥नी स्१२७॥ २हित) उपयोग छ [ सः] ते [ कषायोदयः] ४ायनो क्ष्य छ; [ तु] वणी [जीवानां] पाने [ यः] ४ [शोभन: अशोभन: वा] शुभ है अशुम [कर्तव्यः विरतिभावाः वा] प्रवृत्ति , निवृत्ति३५ [चेष्टोत्साहः] (मनवयनाया-आश्रित) येष्टानो उत्साह छ [ तं] ते [ योगोदयं ] योगनो ६५ [ जानीहि ] . [ एतेषु ] ॥ (यो) [ हेतुभूतेषु ] हेतुभूत थतi [ यत् तु] [ कार्मणवर्गणागतं] भ गत (भव॥३५) ५६गद्रव्य [ज्ञानावरणादिभावै: अष्टविधं ] शानाव२५॥हिमायो३५ मा प्रारे. [ परिणमते] ५२९ मे छ, [तत् कार्मणवर्गणागतं] ते वर्गगत पुसद्रव्य [यदा] न्यारे [ खलु ] ५२५२ [ जीवनिबद्धं ] qwi बंधाय छ [ तदा तु] त्यारे [ जीवः ] ७५ [परिणामभावानाम् ] ( पोताना सनमय) परिममावोनो [ हेतुः ] हेतु [ भवति ] थाय छे. ટીકાઃ- તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો (-સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવા) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩ર-૧૩૬ ] [ ૨૫૭ ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે ( અત્યાગભાવરૂપે ) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કામણવર્ગણાગત પદગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ : સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે. ભાવાર્થ- અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણારૂપ નવાં પુદગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવો રૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. | મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવા પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી. * સમયસાર : ગાથા ૧૩૨ થી ૧૩૬ મથાળું આ જ અર્થ પાંચ ગાથાઓથી કહે છે – * ગાથા ૧૩ર થી ૧૩૬ : ટીકા ઉપરનું પ્રવચન * તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો (સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય, અને યોગના ઉદયો-કે જેઓ (નવા) કમેના હેતુઓ છે તેઓ-તે-મય અથોતું અજ્ઞાનમય ચાર ભાવો છે.” જુઓ, આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવી પરમ પવિત્ર પ્રભુ છે. તેનું ભાન નહિ હોવાથી પર્યાયમાં અજ્ઞાનભાવે પરિણમે છે. જડ પુદ્ગલ ઉદયમાં આવતાં જ્ઞાનમાં જે અજ્ઞાનરૂપ, વિપરીતજ્ઞાનરૂપ સ્વાદ આવે છે તે ખરેખર જડ પુદ્ગલનો સ્વાદ છે, તે આત્માનો-શુદ્ધ ચૈતન્યનો પવિત્રતાનો સ્વાદ નથી. અહીં અજ્ઞાનમય ભાવના ચાર ભેદ કહ્યા છે-મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ. અજ્ઞાનભાવમાં આ ચારેય ઊભા છે અને જેને આત્મદષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને (દષ્ટિ અપેક્ષાએ) ચારેય ભાવ ટળી ગયા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં અહંબુદ્ધિ ન કરતાં પરમાં અહંબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. શુદ્ધ ચૈતન્યમાં ટકવાને બદલે પરમાં આસક્તિભાવે ટકવું તે અવિરતિ છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતાં મલિન ઉપયોગમાં રોકાવું તે કષાય છે. નિશ્ચલ નિષ્કપ સ્વભાવમાં ન રોકાતાં કંપનમાં રોકાવું તે યોગ છે. આ ચારેય અજ્ઞાનમય ભાવો છે. હવે જેને આત્માનું સમ્યક ભાન થયું તેને મિથ્યાત્વ ગયું. અંશે સ્થિરતા થઈ, મિથ્યાત્વસંબંધી કષાય ગયો અને મિથ્યાત્વસંબંધી યોગ પણ ગયો. અહાહા....! સમ્યગ્દર્શન થયું ત્યાં ચારેય ટળી ગયા. સમકિતીને સ્વભાવ પર દૃષ્ટિ છે અને સ્વભાવદષ્ટિમાં તેને ચારેય ટળી ગયા છે. વસ્તુમાં દ્રવ્યસ્વભાવમાં અજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, કષાય નથી, યોગ નથી. તેથી જેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા સમકિતીની દૃષ્ટિમાં પણ ચારેય નથી. સમકિતીને સદા જ્ઞાનભાવ છે અને જ્ઞાનભાવમાં અજ્ઞાનમય ભાવોનું કર્તાકર્મપણું નથી. જ્ઞાનભાવ થતાં અજ્ઞાનમય ભાવોનું કર્તાકર્મપણું હોતું નથી. સમકિતીને અલ્પ વિકારના પરિણામો થાય છે ખરા, પણ તેનો તે સ્વામી નથી, કર્તા નથી. સમકિતી તો અવસ્થામાં જે વિકાર થાય તેનો માત્ર જ્ઞાતા જ છે. પરંતુ આત્માના ભાન વિના અજ્ઞાનીને એ ચારેય અજ્ઞાનમય ભાવ છે. એ વાત અહીં કહે છે તત્ત્વના અજ્ઞાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવા) કર્મના હેતુઓ છે તેઓ-તમય અજ્ઞાનમય ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કપાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે.” આત્મા શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ છે. તેની પ્રતીતિ વિના જ્ઞાનમાં તત્ત્વની ભ્રાન્તિરૂપ જે સ્વાદ આવે છે તે કલુષિત છે, આકુળતામય છે અને તેમાં મિથ્યાત્વના ઉદયનું નિમિત્ત છે. તેવી રીતે વિષયોમાં આસક્તિરૂપ અસંયમનો, મલિન ઉપયોગરૂપ કષાયનો અને શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપ યોગનો જે જ્ઞાનમાં સ્વાદ આવે છે તે પણ કલુષિત છે, આકુળતામય દુઃખરૂપ છે, અને તેમાં અવિરતિ આદિ પૂર્વકર્મના ઉદયનું નિમિત્ત છે. હવે અહીં એમ સિદ્ધ કરવું છે કે જૂનાં પુદ્ગલકર્મનો ઉદય નવાં કર્મના બંધનું કારણ થાય છે. મિથ્યાત્વ. અવિરતિ આદિ જે પૂર્વનાં કર્મ છે તેનો ઉદય નવા બંધનું કારણ છે. પણ કોને? કે જે મિથ્યાત્વ, અવિરતિ આદિ અજ્ઞાનભાવરૂપે પરિણમે છે તેને. સૂક્ષ્મ વાત છે, પ્રભુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ લોકોને સાંભળવા મળ્યો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૨-૧૩૬ ] [ ૨૫૯ કહે છે કે જાનાં કર્મનો ઉદય-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ છે. પરંતુ કોને? જે અજ્ઞાનભાવે, મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમે તેને. જ્ઞાનીને પૂર્વકર્મનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ થતો નથી કેમકે તે સ્વામીપણે ઉદયમાં જોડાતા નથી અને તેથી તેને જૂનાં કર્મ છે તે ખરી જાય છે, નવો બંધ થતો નથી. કળશ ટીકામાં પણ કહ્યું છે કે ઉદયમાત્ર બંધનું કારણ નથી. ઉદયમાત્રથી જો બંધ થાય તો કદી મોક્ષ થઈ શકે નહિ. અહીં એક સમયમાં ત્રણ વાત છે ૧. દર્શનમોહ આદિ કર્મનો ઉદય, ૨. તે જ સમયે નવાં કર્મનો બંધ, ૩. અને તે જ સમયે અજ્ઞાની જીવ સ્વયં મિથ્યાત્વાદિ ભાવરૂપે પરિણમે છે તે. અજ્ઞાનીને નાં કર્મનો ઉદય છે તે નવા બંધમાં નિમિત્ત કહેવામાં આવે છે અને જે મિથ્યાત્વના ભાવ ન કરે તેને તે સમયે જૂનાં કર્મનો ઉદય (બંધ કર્યા વિના) ખરી જાય છે. આવી વાત છે અટપટી. હવે કહે છે ‘ આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્યણવર્ગણાગત પુદ્દગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્યણવર્ગણાગત પુદ્દગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વઅશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે.’ જુઓ, પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયકાળે જે નવાં કર્મ બંધાય છે તે સ્વયમેવ પરિણમે છે. નવાં કર્મ પરિણમે તે સ્વતંત્રપણે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તેને પરિણમાવે છે એમ નથી. બધું જ સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે. ૧. પૂર્વ કર્મનો ઉદય આવે છે તે સ્વતંત્ર, ૨. ઉદયકાળે નવાં કર્મ બંધાય તે પણ સ્વતંત્ર, અને ૩. જીવ મિથ્યાશ્રદ્ધારૂપ મિથ્યાત્વના ભાવ પોતામાં કરે છે તે પણ સ્વતંત્ર. રાગ મારી ચીજ છે, મારું કર્તવ્ય-કાર્ય છે, એવા મિથ્યાદષ્ટિના (મિથ્યાશ્રદ્ધાનરૂપ ) ભાવ નવા કર્મબંધમાં નિમિત્ત થાય ત્યારે જાનાં કર્મને નવા કર્મબંધનું નિમિત્ત કહેવામાં આવે છે. ઝીણી વાત છે ભાઈ! જૂનાં કર્મ પણ સ્વતંત્ર, નવો બંધ થાય તે પણ સ્વતંત્ર અને વચ્ચે જીવ રાગ-દ્વેષ અને અજ્ઞાનપણે પરિણમે તે પણ સ્વતંત્ર. અહો! સમયસાર ખૂબ ગંભી૨ ચીજ છે ભાઈ! પંચમઆરામાં આચાર્ય કુંદકુંદદેવે તીર્થંકરતુલ્ય કામ કર્યું છે અને આચાર્ય અમૃતચંદ્રદેવે ગણધરતુલ્ય કામ કર્યું છે. શ્રી કુંદકુંદદેવને નમસ્કાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૦ ] ચન રત્નાકર ભાગ-૫ કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે-“હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો આત્મ-સ્વરૂપના અનુસંધાનમાં હેતુભૂત થયાં છે તેથી તમને ભક્તિભાવે નમસ્કાર હો.'' એ આ વચનો છે. જુઓ, ઉદય આવ્યો માટે મિથ્યાત્વાદિરૂપ જીવ પરિણમે છે એમ નથી. મિથ્યાત્વાદિના ભાવ પણ જીવ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે નવાં કર્મ પણ સ્વતંત્રપણે બંધાય છે. જાનાં કર્મનો ઉદય પણ સ્વતંત્ર છે. ઉદયકાળે જો જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિ કરે તો આવેલો ઉદય છૂટી જાય છે, નવા બંધનમાં હેતુ થતો નથી. આત્મા શુદ્ધ-પવિત્ર જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ છે. અહાહા....! રાગરહિત વીતરાગસ્વભાવી નિર્વિકલ્પસ્વરૂપ નિજ આત્મા છે. આવા આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો જે અનુભવ કરે તે જ્ઞાનીને જાનાં કર્મનો ઉદય નવાં કર્મના બંધનું કારણ થતો નથી. પરંતુ જૂનાં કર્મના ઉદયમાં જોડાઈને મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવ જે જીવ કરે છે તેને જૂના કર્મનો ઉદય, નવા કર્મબંધનનું કારણ થાય છે. ભાઈ ! આ વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ બાદશાહનો અલૌકિક માર્ગ છે! અહા! દિગંબર મુનિવરો પણ જાણે ધર્મના (અચલ ) સ્થંભ! કોઈની એમને પરવા નહિ. નાગા બાદશાહથી આઘા! અંતરમાં નગ્ન અને બહાર પણ નગ્ન. મોટા બાદશાહની પણ એમને શું પરવા? જીવનમાં આવે છે ને કે-જંગલ વસાવ્યું રે જોગીએ.' અહાહા..! જંગલમાં આત્માના અતીન્દ્રિય આનંદની લહેરમાં પડેલા હોય છે. એવી સ્થિતિમાં જરા વિકલ્પ આવ્યો અને આવાં શાસ્ત્ર રચાઈ ગયાં છે. તેની પણ મુનિવરોને શું પડી છે? જંગલમાં સૂકાં તાડપત્રનાં પીંછાં પડ્યાં હોય તેના પર કઠણ સળીથી શાસ્ત્રો લખી જંગલમાં મૂકી ચાલ્યા જાય છે. ત્યાં વળી કોઈ ગૃહસ્થ તેને ભેગાં કરી સાચવીને મંદિરમાં રાખી દે છે. આ સમયસાર આ રીતે લખાયેલું શાસ્ત્ર મુનિવરો પ્રમત્ત-અપ્રમત્તભાવમાં ઝૂલતા હોય છે. શાસ્ત્ર લખતાં લખતાં પણ ક્ષણમાં નિર્વિકલ્પ આનંદની દશા આવી જાય છે. વિહાર વખતે ચાલતાં ચાલતાં નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થઈ જાય છે. પોણી સેકન્ડની અલ્પ નિદ્રા હોય છે; તરત જાગ્રત થઈ જાય છે અને આનંદમાં લીન થઈ જાય છે. અહો! આવી અદ્દભુત અલૌકિક મુનિદશા હોય છે. પરમેશ્વરપદમાં તેમનું સ્થાન છે. સિદ્ધાંતમાં (શાસ્ત્રમાં) તેમને સર્વજ્ઞના પુત્ર કહ્યા છે. ગૌતમ ગણધર સર્વજ્ઞના પુત્ર છે એમ શાસ્ત્રમાં કથન છે. સર્વજ્ઞપદના વારસદાર છે ને! તેથી ભાવલિંગી મુનિવરો ભગવાન સર્વશદેવના પુત્રો છે. સર્વશપણું લવાની અંદર તૈયારી થઈ ગઈ છે. અહીં ! અંતરઆનંદમાં શું જામી ગયા હોય છે! એ અલૌકિક દશા ધન્ય છે. અહીં કહે છે કે જૂનાં કર્મનો ઉદય આ મુનિવરોને નવાં કર્મબંધનનો હેતુ થતો નથી; પરંતુ ઉદયના નિમિત્તે સ્વયં રાગ-દ્વેષમોહભાવે પરિણમતા અજ્ઞાનીને જાનાં કર્મનો ઉદય નવા કર્મબંધનનું કારણ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૨-૧૩૬ ] [ ૨૬૧ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મના ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્યણવર્ગણાગત પુદ્દગલદ્રવ્ય કર્મભાવે સ્વયમેવ પરિણમે છે અને જીવમાં નિબદ્ધ થાય છે, ત્યારે જીવ સ્વયમેવ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે. કર્મના ઉદયને લઈને જીવને વિકારી ભાવ થાય છે એમ નથી. જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે મિથ્યાત્વાદિ ભાવોનો હેતુ થાય છે. આત્મા શુદ્ધ જ્ઞાયક તે સ્વ અને રાગ ૫૨-એ બન્નેના એકપણાનો અજ્ઞાનીને ચિરકાળથી અધ્યાસ છે. અહીં કહે છે જૂનાં કર્મના ઉદયકાળે જ્યારે નવાં કર્મ જીવમાં બંધાય છે ત્યારે સ્વપરના એકત્વના અધ્યાસને કારણે જીવ સ્વયમેવ તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે અને તે ભાવનો પોતે જ હેતુ થાય છે. નવાં કર્મ બંધાય તેનો જીવ હેતુ નથી. જૂનાં કર્મનો ઉદય આવ્યો તે નવા કર્મબંધનમાં હેતુ છે. અજ્ઞાનીને રાગ-શુભરાગ ગળે વળગ્યો છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સાથે ક્ષણિક રાગના ભાવને એક માની પરિણમતાં તેને થતા વિકારના પરિણામ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે; ત્યારે જૂનાં કર્મ નવા કર્મબંધમાં હેતુ થાય છે એમ કહેવામાં આવે છે. વિકારના પરિણામ છે તે જીવનો સ્વભાવ નથી, માટે કહ્યું કે જૂનાં કર્મનો ઉદય નવા કર્મબંધનો હેતુ છે. પણ કોને ? જે પોતાના ચૈતન્યસ્વભાવને ભૂલીને વિભાવપણે પરિણમે છે એવા મિથ્યાદષ્ટિને જૂનાં કર્મનો ઉદય નવા બંધનો હેતુ બને છે. આવી વાત છે. * ગાથા ૧૩૨ થી ૧૩૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્દગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્યણવર્ગણારૂપ નવાં પુદ્દગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.’ જીઓ, કર્મનો ઉદય આવે માટે જીવને વિકાર કરવો જ પડે એ વાત જૂઠી છે. વળી કર્મ ખસે તો ધર્મ થાય એ વાત પણ બરાબર નથી. વિકારરૂપે જીવ સ્વયં પરિણમે છે અને ધર્મના પરિણામ પણ સ્વયં પોતાથી પ્રગટ થાય છે. કર્મનું નિમિત્ત હો, પણ જીવના પરિણામ સ્વયં પોતાથી થાય છે. જીવ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી વિકા૨ીભાવરૂપ મિથ્યાત્વાદિ રાગ-દ્વેષમોહરૂપ ભાવે પરિણમે છે, અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ‘મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્દગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.’ ૨૬૨ ] જુનાં કર્મનો ઉદય આવે તે સ્વતંત્ર, તે સમયે પુદ્ગલોનું નવા કર્મરૂપે પરિણમવું અને બંધાવું તે પણ સ્વતંત્ર અને જીવમાં મિથ્યાત્વાદિ ભાવોનું પરિણમવું એ પણ સ્વતંત્ર છે. ત્રણે એક જ સમયમાં થાય છે, પણ સૌ પોતપોતાની મેળે જ પરિણમે છે; કોઈ કોઈને પરિણમાવતું નથી. [પ્રવચન નં ૧૮૮ શેષ, ૧૮૯ ચાલુ * દિનાંક ૧૭-૯-૭૬ અને ૧૮-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૩૭–૧૩૮ वात्पृथग्भूत एव पुद्गलद्रव्यस्य परिणाम: जइ जीवेण सह चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो । एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा ।। १३७ ।। एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण । ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो ।। १३८ ।। यदि जीवेन सह चैव पुद्गलद्रव्यस्य कर्मपरिणामः । एवं पुद्गलजीवौ खलु द्वावपि कर्मत्वमापन्नौ ।। १३७ ।। एकस्य तु परिणामः पुद्गलद्रव्यस्य कर्मभावेन । तज्जीवभावहेतुभिर्विना कर्मणः परिणामः ।। १३८ ।। જીવથી જુદું જ પુદ્દગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદ્ગલના બને, તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭. પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને, જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮. ગાથાર્થ:- [વિ] જો [પુાતદ્રવ્યષ] પુદ્દગલદ્રવ્યને [ નીવેન સહ ધૈવ] જીવની સાથે જ [ર્મવરિનામ: ] કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો [vi] એ રીતે [પુશન-નીવૌ દૌ અપિ] પુદ્દગલ અને જીવ બન્ને [વસ્તુ] ખરેખર [ર્મત્વમ્ આપના] કર્મપણાને પામે. [g] પરંતુ [ ર્મમાવેન ] કર્મભાવે [ પરિણામ: ] પરિણામ તો [પુજ્ઞાતવ્યસ્ય ૪ ] પુદ્દગલદ્રવ્યને એકને જ થાય છે [ તત્] તેથી [ નીવમાવòતુમિ: વિના] જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જાદું જ [ ર્મળ: ] કર્મનું [ પરિણામ: ] પરિણામ છે. ટીકા:- જો પુદ્દગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ-અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), કર્મરૂપ પરિણામ થાય છે–એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદગલ દ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ પુદ્ગલ દ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલકર્મનું પરિણામ છે. ભાવાર્થ- જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું કર્મપરિણામ છે. સમયસાર ગાથા ૧૩૭-૧૩૮: મથાળું જીવથી જુદું જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે: * ગાથા ૧૩૭-૧૩૮: ટીકા ઉપરનું પ્રવચન * જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિ–અજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત બંને ભેગાં મળીને જ ), કર્મરૂપ પરિણામ થાય છે–એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ, પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે.' જુઓ, જીવે રાગદ્વેષ કર્યા માટે કર્મને બંધાવું પડ્યું એમ નથી એમ કહે છે. જીવે રાગના પરિણામ પોતામાં સ્વતંત્ર કર્યા છે અને તે સમયે જડ કર્મ જે નવું બંધાય તે પણ સ્વતંત્રપણે થાય છે. જીવ અને પુદ્ગલ બંને મળીને પુદ્ગલદ્રવ્યના કર્મરૂપ પરિણામ થાય છે એમ નથી. પુદ્ગલદ્રવ્ય નવા કર્મરૂપે પરિણમે છે તેમાં જીવના રાગાદિ પરિણામ નિમિત્ત છે. જીવે રાગદ્વેષ કર્યા અને તે કાળે નવાં કર્મનું બંધન થયું ત્યાં જીવના પરિણામ અને પુદ્ગલ કર્મની પર્યાય બંને મળીને તે કર્મનો બંધ થયો છે એમ નથી. અજ્ઞાની રાગદ્વેષના પરિણામ કરે છે તે નવા કર્મબંધમાં નિમિત્ત છે, પરંતુ તે બંને ભેગા મળીને જડ કર્મબંધના પરિણામ થાય છે એમ નથી. પુદ્ગલદ્રવ્ય અને જીવના રાગાદિ પરિણામ-એ બંને ભેગા મળીને કર્મરૂપ પરિણામ થાય છે એવો વિતર્ક કરવામાં આવે તો તે ખોટો છે. કેમકે જો એમ સ્વીકારવામાં આવે તો જેમ હળદર (પીળી) અને ફટકડી (સફેદ) બંને ભેગા મળીને લાલ રંગ થાય છે તેમ પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ એમ છે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૭–૧૩૮ ] [ ૨૬૫ નવું કર્મ જે બંધાય છે તે કર્મપરિણામ પુદ્દગલદ્રવ્યથી પોતાથી સ્વતંત્રપણે થાય છે. જુઓ આ આંગળી હલે છે તે પુદ્દગલની પર્યાય છે અને તત્સંબંધી જે વિકલ્પ થયો તે જીવની પર્યાય છે. તે બંને મળીને આંગળી હલવાની ક્રિયા થઈ છે એમ છે નહિ. પુદ્દગલની પર્યાય પુદ્દગલથી સ્વતંત્રપણે થઈ છે અને જીવની પર્યાય જીવથી સ્વતંત્રપણે થઈ છે. અજ્ઞાનીએ એમ માની લીધું છે કે વિકલ્પ પણ હું કરું છું અને આંગળીની અવસ્થા પણ હું કરું છું. પરંતુ એ તો એનું અજ્ઞાન છે. કોઈ દ્રવ્યના પરિણામ કોઈ અન્ય દ્રવ્ય કરી શકતું નથી. સમયે સમયે દરેક દ્રવ્યના પરિણામ સ્વતંત્રપણે પોતપોતાથી થાય છે. જો પુદ્દગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે એમ માનવામાં આવે તો તે બંનેને કર્મરૂપ પરિણામ ઠરે. ‘પરંતુ પુદ્દગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે; તેથી જીવનું રાગાદિ-અજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્દગલકર્મનું પરિણામ છે.’ જીવને કર્મપણારૂપ પરિણામ થતું નથી કેમકે જડ કર્મરૂપે જીવ કદીય પરિણમી શકતો નથી. જો પુદ્ગલ અને જીવ બન્ને મળીને કર્મપરિણામરૂપ થાય તો જીવ જડપુદ્દગલ થઈ જાય, જીવની કોઈ અવસ્થા રહે જ નહિ. પણ એમ બનતું નથી. પુદ્દગલ-દ્રવ્ય એકને જ કર્મપણારૂપ પરિણામ થાય છે. તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે નવા કર્મબંધનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્દગલદ્રવ્યનું કર્મપરિણામ છે. * ગાથા : ૧૩૭-૧૩૮ ભાવાર્થ * જો પુદ્દગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડકર્મરૂપે કદી પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાનપરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્દગલદ્રવ્યનું કર્મપરિણામ છે. [પ્રવચન નં. ૧૮૯ ( ચાલુ ) દિનાંક ૧૮–૯–૭૬ ] * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૧૩૯-૧૪૦ पुद्गलद्रव्यात्पृथग्भूत एव जीवस्य परिणाम: जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी। एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा।।१३९ ।। एक्कस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं। ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो।। १४० ।। जीवस्य तु कर्मणा च सह परिणामाः खलु भवन्ति रागादयः। एवं जीवः कर्म च द्वे अपि रागादित्वमापन्ने।।१३९ ।। एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः । तत्कर्मोदयहेतुभिर्विना जीवस्य परिणामः।। १४० ।। પુગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે: જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને, તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે ! ૧૩૯. પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦. ગાથાર્થઃ- [ નીચ તુ] જો જીવને [ TI | સટ્ટ] કર્મની સાથે જ [૨ITય: પરિણામ:] રાગાદિ પરિણામો [૨વનુ ભવન્તિ] થાય છે (અર્થાત્ બને ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે [gd] તો એ રીતે [ નીવ: વર્ષ ૨] જીવ અને કર્મ [કે uિ] બન્ને [RI[વિત્વમ્ સાપુને] રાગાદિપણાને પામે. [1] પરંતુ [૨]વિક્રમ: પરિણામ:] રાગાદિભાવે પરિણામ તો [ નીવરી ચ ] જીવને એકને જ [ નીયતે] થાય છે [તત્] તેથી [ર્મોયદેતુfમ: વિના] કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત જાદુ જ [નીવચ] જીવનું [પરિણામ: ] પરિણામ છે. ટીકા- જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છેએમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૯–૧૪૦ ] [ ૨૬૭ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્દગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. ભાવાર્થ:- જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્દગલકર્મ તો રાગાદિરૂપે (જીવરાગાદિરૂપે ) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્દગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. * * * સમયસાર ગાથા ૧૩૯-૧૪૦ મથાળું પુદ્દગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ * ગાથા ૧૩૯-૧૪૦ : ટીકા ઉ૫૨નું પ્રવચન * · જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્દગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બંને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે–એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાન-પરિણામ આવી પડે.’ જીવને જે રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે તેમાં પૂર્વનું જૂનું કર્મ નિમિત્ત છે. અહીં એમ કહે છે કે જીવને જે રાગદ્વેષના પરિણામ થાય છે તે જીવ અને પૂર્વનું કર્મ એ બન્ને ભેગાં મળીને થાય છે એમ નથી. છતાં બંને ભેગાં મળીને જીવને રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે એમ જો કોઈ માને તો, જેમ ભેગાં મળેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ જીવ અને પુદ્દગલ બન્નેને રાગાદિના પરિણામ આવી પડે. એમ થતાં જડ પુદ્દગલને પણ રાગદ્વેષ આવી પડે, અને પુદ્દગલ પોતાની અવસ્થાથી ખાલી જ રહે. એમ તો ત્યારે જ બને જ્યારે પુદ્દગલ જીવરૂપ થઈ જાય વા પુદ્દગલ અને જીવ એક થઈ જાય. પરંતુ એમ તો થતું નથી. જીવ રાગદ્વેષના પરિણામ સ્વતંત્રપણે કરે છે, અને તે વેળા નવું કર્મ બંધાય તે પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂનાં કર્મ જે ઉદયમાં આવે છે તે પુદ્દગલકર્મની પર્યાય પણ સ્વતંત્રપણે થાય છે. જીવ રાગદ્વેષરૂપે સ્વયં પરિણમે ત્યારે સાથે જૂનાં કર્મનો ઉદય નિમિત્ત છે, પણ બન્ને મળીને જીવના રાગદ્વેષના પરિણામ કરે છે એમ નથી. જીવ પણ પોતાના રાગદ્વેષના પરિણામ કરે અને જૂનાં કર્મ પણ જીવના રાગદ્વેષના પરિણામને કરે એમ નથી. અરે ભાઈ! જીવના પરિણામ જુદા અને જડકર્મ જે ઉદયમાં આવ્યું તેના પરિણામ પણ જુદા છે. જીવે રાગદ્વેષ સ્વતંત્રપણે પોતાથી કર્યા છે, કર્મને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ લઈને બિલકુલ નહિ. વિકારના પરિણામ પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી સ્વતંત્ર થાય છે, તેમાં કર્મની કોઈ અપેક્ષા નથી. અજ્ઞાની એમ માને છે કે કર્મનો ઉદય રાગદ્વેષ કરાવે છે. આ પ્રમાણે માનીને તે સ્વચ્છંદપણે વિષય-કષાય સેવે છે. તેને અહીં કહે છે કે-ભાઈ! કર્મનો ઉદય તને રાગદ્વેષ કરાવતું નથી, તું પોતે જ તે-રૂપે પરિણમે છે. પોતાના ઊંધા પુરુષાર્થથી અજ્ઞાન-વડે તું પોતે જ રાગદ્વેષરૂપે પરિણમે છે. અહીં કહે છે–જીવ અને પુદ્ગલકર્મ બંને મળીને જો જીવને વિકાર થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો ભેગાં મળેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ જીવ અને પુદ્ગલ બન્નેને રાગદ્વેષના પરિણામ થાય એમ ઠરે. પરંતુ એમ થતું નથી. જીવ એકલો જ રાગદ્વેષના ભાવરૂપે પરિણમે છે. કર્મ શું કરે? કર્મ તો જડ છે, તે જીવના રાગાદિ પરિણામ કેમ કરે ? આવે છે ને કે કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ ’ જીવને પોતાની ભૂલથી રાગાદિ અજ્ઞાનમય ભાવ થાય છે અને તે જ સમયે સામે જાનાં કર્મ સ્વયં પોતાથી ઉદયમાં આવે છે. બસ; બન્ને પોતપોતામાં સ્વતંત્ર, કોઈ કોઈના કર્તા નહિ. અહા ! જગતનો પ્રત્યેક પદાર્થ (પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી ) સ્વતંત્ર છે, તેથી કર્મનો ઉદય આવે તો જીવને વિકાર કરવો પડે એમ છે નહિ; અને જીવને વિકારના પરિણામ છે માટે નવાં કર્મને બંધાવું પડે છે એમ પણ છે નહિ. ફટકડી સફેદ અને હળદર પીળી-એ બન્ને ભેગાં મળીને લાલરંગ થાય છે. તેમ જીવ અને કર્મ બન્ને ભેગાં મળીને જો જીવના રાગદ્વેષ પરિણામ કરે તો બન્નેને રાગાદિરૂપ પરિણમન થઈ જાય. પણ જીવ એકને જ રાગદ્વેષના પરિણામ થાય છે, કર્મને કાંઈ રાગદ્વેષ થતા નથી. કર્મનો ઉદય છે તે જડ પુદ્દગલની પર્યાય છે અને રાગદ્વેષ છે તે જીવની વિકારી પર્યાય છે. તેથી કર્મના ઉદયથી જીવના રાગદ્વેષપરિણામ થાય છે એ વાત યથાર્થ નથી. પોતાના અજ્ઞાનથી સ્વયમેવ જીવ રાગદ્વેષરૂપે પરિણમે છે અને તેમાં જૂના કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. જૂનાં કર્મ જીવને વિકાર થવામાં નિમિત્ત હો, પણ તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. જીવ પોતાથી જ વિકારી ભાવ કરે છે, કર્મથી નહિ; તથા કર્મ પોતાથી પરિણમે છે, જીવના રાગદ્વેષથી નહિ. પ્રત્યેક પદાર્થ પ્રતિસમય પોતાની પર્યાયને સ્વતંત્રપણે કરે છે તેમાં બીજાની જરૂ૨ કયાં છે? બે વાત સિદ્ધ કરીછે. ૧. જ્યારે જીવ પોતામાં, પોતાથી સ્વતંત્રપણે રાગદ્વેષ કરે છે તે સમયે નવાં પુદ્દગલ કર્મરૂપે પરિણમે છે. તે કર્મરૂપ પરિણામને જીવના રાગદ્વેષ પરિણમાવે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૩૯-૧૪૦ ] [ ર૬૯ પુદ્ગલ પણ પરિણમાવે એમ નથી. જીવ અને પુદ્ગલ બંને મળીને પુદ્ગલના કર્મરૂપ પરિણામ થતા નથી પણ એકલું પુદ્ગલ જ પોતે સ્વતંત્રપણે કર્મપર્યાયપણે પરિણમે છે. - ૨. જ્યારે જીવ પોતે રાગ-દ્વેષના પરિણામરૂપે પરિણમે છે ત્યારે જૂના પૌગલિક કર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. ત્યાં જીવ અને પદગલકર્મ બંને મળીને જીવને રા પરિણમાવે છે એમ નથી. જીવ એકલો જ પોતે પોતાથી સ્વતંત્રપણે રાગ-દ્વેષરૂપે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તો ત્યારે નિમિત્તમાત્ર છે. અહાહા...! કેટલી સ્પષ્ટ વાત છે! જીવ અને કર્મનો ઉદય બંને મળીને જીવના રાગ-દ્વેષ પરિણામ થાય છે એમ નથી. આત્મા સ્વયં પોતાથી વિકાર કરે છે; કર્મના નિમિત્તથી (કરાવેલો ) વિકાર થાય છે એમ નથી. જાઓ, આ લાકડી ઊંચી થાય છે તે ક્રિયા છે. તે લાકડીથી (પરમાણુઓથી) સ્વતંત્ર થઈ છે. તે ક્રિયા લાકડીથી પણ થઈ છે અને આંગળીથી પણ થઈ છે-એમ બંને મળીને થઈ છે એમ નથી. તથા તે ક્રિયા લાકડીથી થઈ છે અને જીવથી થઈ છે એમ પણ નથી. ખૂબ ગંભીર વાત છે, ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે તેની એકેક સમયની પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે, બીજાથી નહિ. બીજાની પર્યાય બીજાથી છે, જીવથી નથી અને જીવની પર્યાય જીવથી છે બીજાથી નથી. આ શેઠીયાઓને આવી વાતનો નિર્ણય કરવાની ફુરસદ કયાં છે? જેમ મોભને અનેક ખીલા લાગે તેમ બહારની મોટાઈમાં રોકાયેલા તે બિચારાઓને મમતાના અનેક ખીલા લાગ્યા છે. એ તત્ત્વનિર્ણય કયારે કરે? અહીં કહે છે-કર્મ છે તે અજીવતત્ત્વ છે, રાગાદિ ભાવ છે તે આસ્રવતત્ત્વ છે. બંને તત્ત્વો ભિન્ન છે. અજીવ અને આસ્રવ બંને મળીને જીવના આગ્નવપરિણામ થાય એમ છે જ નહિ. આ નવતત્ત્વની ભિન્નતા સમજાવી છે. અરે ભાઈ! એક તત્ત્વનો એક અંશ પણ બીજામાં મેળવવાથી તો નવ તત્ત્વનો નાશ થઈ જશે, નવતત્ત્વ ભિન્ન રહેશે નહિ. (અર્થાત્ મિથ્યાત્વ જ રહેશે) જડનો અંશ જીવને વિકાર કરાવે વા જીવનો અંશ જડનું કાંઈ કરે એમ ત્રણકાળમાં સંભવિત નથી. જેને હજુ ભિન્ન તત્ત્વોનું જ્ઞાન નથી તેને પોતાના શુદ્ધ જ્ઞાયકભાવની દષ્ટિ ક્યાંથી થઈ શકે? અહા ! પર્યાયની સ્વતંત્રતાનું જેને જ્ઞાન નથી તેને પર્યાયની પાછળ આખું ત્રિકાળી ધ્રુવ દળ ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપે રહેલો છે તેની પ્રતીતિ કયાંથી થાય? ન થાય. નવ તત્ત્વની ભિન્નતા સમજી એક શુદ્ધ જ્ઞાયકની પ્રતીતિ-અનુભવ કરવાં તે સમ્યગ્દર્શન છે. અહીં નિષ્કર્ષરૂપે એમ કહે છે કે “જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ * ગાથા ૧૩૯-૧૪૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે (જીવરાગાદિરૂપે) કદી પરિણમી શકતું નથી; તેથી પુગલકર્મનો ઉદય કે જે રાગાદિ પરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.” પુદ્ગલકર્મનો ઉદય જોકે જીવના રાગપરિણામનું નિમિત્ત છે તોપણ એનાથી રાગદ્વેષના પરિણામ જીવને થાય છે એમ બિલકુલ નથી. લોકો, ‘નિમિત્ત તો છે, નિમિત્ત તો છે”—એમ કહીને નિમિત્તને કર્તા માને છે તે એમની મોટી ભૂલ છે. નિમિત્ત હો, પણ નિમિત્તથી જીવના રાગદ્વેષના પરિણામ થાય છે એમ બિલકુલ નથી. દરેક સમયની પર્યાય પોતાથી થાય છે એમાં બીજી ચીજ નિમિત્ત હોય છે. ત્યાં નિમિત્તે પોતે પોતાની પર્યાયને કરે છે પણ પરની પર્યાયમાં કાંઈ કરતું નથી. પરની પર્યાયમાં નિમિત્તનો કાંઈ અધિકાર કે હસ્તક્ષેપ ચાલતો નથી. જગતમાં અનંત આત્મા અને અનંતાનંત પુદગલો છે. તે એકક દ્રવ્યમાં અનંત ગુણો છે. તે એકેક ગુણની એકેક સમયની એકેક પર્યાય પોતાથી સ્વતંત્રપણે થાય છે. એક ગુણની જે પર્યાય થાય તે બીજા ગુણની પર્યાયને લીધે થાય એમ નથી. આમ છે તો પછી જડ કર્મના ઉદયના કારણે જીવમાં વિકાર થાય એ વાત કયાં રહી? એમ છે જ નહિ. જૂના કર્મનો ઉદય છે તે જડ પુદ્ગલની પર્યાય છે, અને આત્મા જે રાગાદિ વિકાર કરે તે ચૈતન્યની વિકારી પર્યાય છે. હવે જો કર્મનો ઉદય અને જીવ બને મળીને જીવના રાગદ્વેષના પરિણામ થાય છે એમ માનવામાં આવે તો જીવ અને પુદ્ગલકર્મ બંનેને રાગદ્વેષના પરિણામ આવી પડે, પણ એમ તો ત્યારે બને કે પુદ્ગલ પોતે જીવરૂપ થઈ જાય. પરંતુ પુદ્ગલ કદીય જીવભાવને પામી શકતું નથી, તેથી કર્મનો ઉદય જીવને વિકાર કરાવે છે એ માન્યતા યથાર્થ નથી. જીવ પોતે વિકારરૂપે પરિણમે ત્યારે સાથે કર્મનો ઉદય પણ એમાં કાંઈક કરે છે એ માન્યતા ખોટી છે. કોઈ બે જણ વચ્ચે કલેશ (ઝગડો) થાય તો બન્નેનો વાંક હશે એમ લોકો કહે છે, તેમ અહીં પણ બંને-જીવ અને પુદગલ મળીને રાગ-દ્વેષના પરિણામ થાય છે એમ કોઈ કહે તો તે તદ્દન જૂઠી વાત છે. કામેણવગેણાગત યુગલો સ્વય નવા કમપણે બધાય છે અને જીવના રાગ-દ્વષના પરિણામ નિમિત્ત છે; અને જીવ સ્વયં રાગ-દ્વેષરૂપે પરિણમે છે તેમાં જાના કર્મનો ઉદય નિમિત્ત છે. બસ આટલું જ. કર્મનો ઉદય અને જીવ બંને મળીને જીવને પરિણાવે છે એમ કોઈ માને તો તે જpઠી માન્યતા છે. માટે સિદ્ધ થયું કે પુદ્ગલકર્મથી જુદું જ જીવનું પરિણામ છે. લ્યો, ૧૩૯-૧૪૦ પૂરી થઈ. [ પ્રવચન નં. ૧૮૯ (ચાલુ) * દિનાંક ૧૮-૯-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪૧ किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह जीवे कम्मं बद्धं पुढं चेदि ववहारणयभणिदं। सुद्धणयस्स दु जीवे अबद्धपुट्ठे हवदि कम्मं ।। १४१ ।। जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितम् । शुद्धयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म ।। १४१ ।। ‘આત્માનાં કર્મ બદ્ઘસ્પષ્ટ છે કે અબદ્વસૃષ્ટ છે’–તે હવે નયવિભાગથી કહે છેઃ છે કર્મ જીવમાં બદ્ધસૃષ્ટ-કથિત નય વ્યવહા૨નું; પણ બદ્ધસ્પષ્ટ ન કર્મ જીવમાં-કથન છે નય શુદ્ધનું. ૧૪૧. ગાથાર્થ:- [ નીવે] જીવમાં [ર્મ] કર્મ [વર્ષં ] ( તેના પ્રદેશો સાથે ) બંધાયેલું છે [7] તથા [ સ્વĒ] સ્પર્શાયેલું છે [ તિ] એવું [ વ્યવહારનયમળિતત્] વ્યવહારનયનું કથન છે [તુ] અને [ નીવે] જીવમાં [ર્મ] કર્મ [અવન્દ્વસૃષ્ટ] અણબંધાયેલું, અણસ્પર્શાયેલુ [ભવતિ ] છે એવું [ શુદ્ઘનયસ્ય ] શુદ્ઘનયનું કથન છે. ટીકા:- જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્વત્કૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્દગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્વત્કૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. * * * સમયસાર ગાથા : ૧૪૧ મથાળું ‘આત્મામાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબદ્ધસ્પષ્ટ છે’–તે હવે નયવિભાગથી કહે છેઃ * ગાથા ૧૪૧ ટીકા ઉપરનું પ્રવચન * જીવના અને પુદ્દગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્વત્કૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. ' જુઓ, આ વાસ્તવિક તત્ત્વ પામવાની રીત શું છે તે બતાવે છે. જ્ઞાનસ્વરૂપી ચૈતન્યમય પ્રભુ આત્મા અને જડ પુદ્દગલકર્મ-એ બેને એકબંધપર્યાયપણાથી અર્થાત્ બંનેને વર્તમાન પર્યાયની દષ્ટિથી જોતાં અર્થાત્ બંનેને નિમિત્તના સંબંધવાળી બંધપર્યાયથી જોતાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તેમને તે કાળે ભિન્નતાનો અભાવ છે. પરસ્પર નિમિત્તરૂપ સંબંધથી જોતાં જીવ અને કર્મને સંબંધ નથી એમ નથી, વર્તમાન બંધપર્યાયથી જોતાં બન્નેને સંબંધ છે. ભગવાન ચૈતન્ય-સૂર્ય અને જડકર્મ-એ બેને નિમિત્તરૂપ બંધ અવસ્થાથી જોતાં વ્યવહારથી તે કાળે ભિન્નતાનો અભાવ છે. તેથી જીવમાં કર્મ બદ્ધસ્પષ્ટ છે એવો વ્યવહારનયનો એક પક્ષ છે. હવે કહે છે “જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે.” જીવદ્રવ્ય અને પુદ્ગલકર્મ એ બેને અનેકદ્રવ્યપણું એટલે ભિન્ન દ્રવ્યપણું છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા અને જડસ્વભાવ એવું પુદ્ગલકર્મ એ બન્ને ભિન્ન દ્રવ્યો છે. આત્મા ભિન્ન છે અને પુદ્ગલ ભિન્ન છે-એમ ભિન્ન દ્રવ્યપણાથી જોતા બેને અત્યંત ભિન્નતા છે; બે એક નથી. બેને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. ભગવાન આત્મા કર્મના સંબંધથી રહિત છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. અહાહા..! શું કહે છે આ? કે આત્મા કર્મથી અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે એ વિકલ્પ છે. આગળ કહેશે-વ્યવહારનો નિષેધ તો કરાવતા આવ્યા છીએ પણ હવે નિશ્ચયના પક્ષનો પણ નિષેધ કરાવવામાં આવે છે. જુઓ, નિશ્ચયનયનો જે પક્ષ છે તે વિકલ્પ છે એમ દર્શાવીને તેનો નિષેધ કરવાની વાત અહીં કહે છે. પ્રશ્ન- તો “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની '” એમ કહ્યું છે ને? ઉત્તર:- હા, (ગાથા ૨૭ર માં) કહ્યું છે; પણ એ બીજી વાત છે. વસ્તુ અખંડ એક જ્ઞાયકસ્વરૂપ છે. તેના આશ્રયે જ મુનિવરો નિર્વાણને પામે છે. ત્યાં નિશ્ચયનય એટલે વિકલ્પની વાત નથી પણ નિર્વિકલ્પની વાત છે. વસ્તુ શુદ્ધ ચૈતન્યાનસ્વરૂપ જે આત્મા તેનો આશ્રય લેતાં મુક્તિ થાય છે. તેને નિશ્ચયનયના આશ્રયે મુક્તિ થાય છે એમ ત્યાં કહ્યું છે. અહીં જે વાત છે એ તો વ્યવહાર અને નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પોની વાત છે. સમજાણું કાંઈ ? શરૂઆતમાં વિચાર કરનારને આવા વિકલ્પ આવે છે. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ એકલા જ્ઞાન અને આનંદના દળસ્વરૂપ વસ્તુ છે અને પુદ્ગલકર્મ જડ-અચેતન અજીવ વસ્તુ છે. બન્નેને ભિન્નતા છે. બન્ને એક નથી. તેથી ભગવાન આત્મા કર્મથી અબદ્ધસ્પષ્ટ છેઆવા નિશ્ચયનયના પક્ષનો વિચાર આવે છે. પણ એ વિકલ્પ છે, રાગ છે; અને આ વિકલ્પનો જે કર્તા થાય તે મિથ્યાદષ્ટિ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આત્મા પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ અબદ્ધસ્પષ્ટ છે એવો શુદ્ધનયનો, અભેદનયનો-નિશ્ચયનો જે પક્ષ છે તે પણ એક વિકલ્પ છે. તે વિકલ્પથી શું? આવો નિશ્ચયનયનો પક્ષ છે પણ તેથી શું સાધ્ય છે? ભગવાન! તું આટલે સુધી આવ્યો પણ તેથી શું? એમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૧ ]. | [ ૨૭૩ આત્મા કર્મના સંબંધવાળો છે-એવા વ્યવહારનયનો તો નિષેધ કરતા આવ્યા છીએ. અહીં તો એ ઉપરાંત નિશ્ચયનયના પક્ષના નિષેધની વાત કરવી છે. ભગવાન આત્મા પૂર્ણજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ અમૃતનો સાગર-દરિયો છે. એવા આત્માને દ્રવ્યસ્વભાવથી જોઈએ તો એને કર્મના નિમિત્તના સંબંધનો અભાવ છે. શરૂમાં આવો એક નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ ઊઠે છે. અહીં કહે છે કે આવો વિકલ્પ થાય પણ તેથી શું? આવા વિકલ્પની સાથે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા તન્મય નથી, એકરૂપ નથી. પ્રભુ! “હું અબદ્ધસ્પષ્ટ છું”_એવી અંદર જે સુક્ષ્મ વૃત્તિ ઊઠે છે તે રાગનો કણ છે અને તે રાગના કણ સાથે ભગવાન આત્મા તન્મય નથી, તદ્રુપ નથી. તે પણ એક પક્ષ છે. આચાર્ય કહે છે “ -તત: ’િ–તેથી શું? એવા વિકલ્પથી આત્માને શું લાભ છે? એ વિકલ્પથી આત્મપ્રાપ્તિ નથી. લોકો રાડ પાડે છે કે વ્યવહાર કરતાં-કરતાં નિશ્ચય થાય. અહીં કહે છે-ભગવાન! એમ નથી. પ્રભુ! તને દુઃખ લાગે, પણ વસ્તુ એમ નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ કર્મના સંબંધ વિનાનો, નિમિત્તના સંબંધ વિનાનો, એક સમયની પર્યાયના સંબંધ વિનાનો એકલો શુદ્ધ જ્ઞાયકભાવ છે-એમ પ્રથમ અંદર વૃત્તિ ઊઠે છે, વિકલ્પ ઊઠે છે. પણ તેથી શું? એમ અહીં કહે છે. આવા સૂક્ષ્મ વિકલ્પ સુધી તું આવ્યો પણ એમાં (વિકલ્પમાં) સમ્યગ્દર્શન ક્યાં છે? આ અબદ્ધસ્પષ્ટનો જે પક્ષ છે તે તો રાગ છે, કષાયનો કણ છે, દુઃખરૂપ ભાવ છે. અને વળી તે કષાયકણને પોતાનું કર્તવ્ય માને, એનાથી નિશ્ચય થાય એમ માને એ મિથ્યાદર્શન છે. વીતરાગનો માર્ગ ખૂબ ગંભીર છે, ભાઈ ! વ્યવહારના પક્ષની વાત તો ક્યાંય ઊડી ગઈ. આત્મા પર્યાયથી જોતાં બદ્ધસ્કૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ તો નિષિદ્ધ છે જ. અહીં તો એમ કહે છે કે વિચારધારામાં આત્મા અખંડ આનંદઘન પ્રભુ અબદ્ધસ્પષ્ટ વસ્તુ છે-એવા વિચારની જે વૃત્તિ ઊઠે છે તે પણ નિષિદ્ધ છે કેમકે તે નિશ્ચયના પક્ષરૂપ રાગ છે. આચાર્યદવ કહે છે કે એવા વિકલ્પથી પણ આત્માને શું લાભ છે? એ વિકલ્પ સાથે ચૈતન્યસ્વભાવ તન્મય નથી. જ્યાં સુધી આવા વિકલ્પમાં રોકાઈને તે પોતાનું કર્તવ્ય છે એમ જીવ માને ત્યાં સુધી મિથ્યાદર્શન છે. સમયસારની ગાથા ૧૪ અને ૧૫માં અબદ્ધસ્કૃષ્ટની વાત કરી છે. ત્યાં વિકલ્પ વિનાની નિર્વિકલ્પ ચીજની વાત છે. જે ભગવાન આત્માને અબદ્ધસ્કૃષ્ટ એટલે રાગ અને કર્મના સંબંધથી રહિત એકલો અબંધસ્વરૂપ અંતરમાં દેખે છે તે જૈનશાસન છે એમ ત્યાં કહ્યું છે. એ નિર્વિકલ્પ પરિણમનની વાત છે અને અહીં તો અબદ્ધસ્પષ્ટના વિકલ્પમાં જે ઊભો છે એની વાત છે. ભાઈ ! ત્રિલોકનાથ જિનેશ્વરદેવની દિવ્યધ્વનિમાં આવી તે આ વાત છે. ગણધરો અને ઇન્દ્રોની સભામાં ભગવાને જે વાત કરી તે અહીં ભગવાન કુંદકુંદાચાર્યે કરી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪ ] પ્રવચન રત્નાકર ભાગ-૫ ૮૪ લાખ યોનિમાં ઉત્પન્ન થવું એવો આત્માનો સ્વભાવ નથી. આત્માનો તો જન્મ-મરણ રહિત અબંધસ્વભાવ છે. અહીં કહે છે-આવો હું અબંધસ્વરૂપ આત્મા છું એવો જે વિકલ્પ ઉપજે છે તે રાગ છે, નિશ્ચયનો પક્ષ છે. પણ તેથી શું? એનાથી આત્માને કાંઈ લાભ નથી. રાજા થયા પહેલાં, રાજા થવું છે, મારે ગાદીએ બેસવું છે એવો વિકલ્પ આવે છે. પરંતુ વિકલ્પ છે ત્યારે તે રાજા કયાં છે? અને રાજા થયો ત્યારે તે વિકલ્પ કયાં છે ? તેમ નિમિત્તના સંબંધરહિત અબદ્ધસ્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છું એવા સૂક્ષ્મ વિકલ્પથી ભાઈ ! તું આંગણામાં આવીને ઊભો છે પણ તેથી શું? એ વિકલ્પ છે ત્યાં સુધી અંદર ઘરમાં પ્રવેશ નથી, વસ્તુનો નિર્વિકલ્પ અનુભવ નથી કેમકે વિકલ્પ સાથે ભગવાન આત્મા તન્મય નથી. ભગવાનનો આવો માર્ગ છે, ભાઈ ! પ્રશ્ન:- આ પ્રમાણે શું આપ બધો વ્યવહાર નથી ઉથાપતા? ઉત્તર:- અરે ભાઈ ! વ્યવહાર છે એની કોણ ના કહે છે? અહીં તો વાત એમ છે કે આત્માનું સ્વરૂપ વ્યવહારથી રહિત છે, અને વ્યવહારનું લક્ષ છોડીને, પક્ષના વિકલ્પ છોડીને અંતર-અનુભવ કરતાં સમ્યગ્દર્શન છે એ વાત છે. સમજાય છે કાંઈ ? દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વ્યવહારના રાગસહિત હું છું એવો વ્યવહારનયનો અભૂતાર્થનયનો એક પક્ષ છે. અને રાગના સંબંધરહિત હું અબદ્ધસ્પષ્ટ છું એવો એક ભૂતાર્થનયનો પક્ષ છે. શુદ્ધનય કહો, નિશ્ચયનય કહો કે ભૂતાર્થનય કહો-બધી એક જ વાત છે. અહાહા...! હું અબદ્ધસ્પષ્ટ છું એ પણ નિશ્ચયનયનો પક્ષ નામ વિકલ્પ છે. આવા વિકલ્પની જે સૂક્ષ્મ વૃત્તિ ઊઠે છે તે બંધનું કારણ છે. આચાર્ય કહે છે કે ભાઈ ! તું આટલે સુધી આવ્યો પણ તેથી શું સિદ્ધિ છે? એમાં ભગવાન આત્માનો ભેટો તો થયો નહિ. અહાહા...! જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. આ એકલું માખણ છે. આત્મા અંદર અબદ્ધસ્પષ્ટ છે એ તો સત્ય છે, એ કાંઈ બીજી ચીજ નથી. પણ તે સંબંધીનો જે પક્ષ-વિકલ્પ છે તે ખોટો છે એમ અહીં કહેવું છે. નિશ્ચયનયનો પક્ષ પણ અહીં છોડાવે છે કેમકે વિકલ્પ મટતાં આત્મલાભ છે. નયપક્ષોને ઓળંગી જાય તે સમયસાર છે. [ પ્રવચન. ૧૯૦ * દિનાંક ૩-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ततः किम् ગાથા-૧૪૨ कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खादिक्कंतो पुण भण्णदि जो सो समयसारो ।। १४२ ।। कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षम् । पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः ।। १४२ ।। પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, - એમ હવે ગાથામાં કહે છેઃ ભાવાર્થ: છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘ સમયનો સા૨ ’ છે. ૧૪૨. ગાથાર્થ:- [ નીવે] જીવમાં [ર્મ] કર્મ [વશ્વમ્] બદ્ધ છે અથવા [ગલ્લું] અબદ્ધ છે– [ä તુ] એ પ્રકારે તો [નયપક્ષસ્] નયપક્ષ [ નાનીòિ] જાણ; [પુન: ] પણ [ ય: ] જે [ પક્ષાતિાન્ત: ] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો ) [મળ્યતે ] કહેવાય છે [સ: ] તે [ સમયસાર: ] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે. ટીકા:- ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે (-ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે) -જે ‘ જીવમાં કર્મ બદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિમતો નથી, અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; વળી જે ‘ જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે' એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે –અનુભવે છે. :- જીવ કર્મથી ‘ બંધાયો છે’ તથા ‘નથી બંધાયો’–એ બન્ને નયપક્ષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ यद्येवं तर्हि को हि नाम नयपक्षसन्नयासभावनां न नाटयति ? (ઉપેન્દ્રવજ્ઞા) य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्ताપ્ત થવ સાક્ષામૃત પિવન્તિાા ૬૬ . (૩૫નાતિ) एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७० ।। છે. તેમાંથી કોઈ એ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો કોઈએ અબંધ પક્ષ પકડ્યો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તેજ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે. હવે, “જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છે: શ્લોકાર્થઃ- [ચે વ] જેઓ [નયપક્ષપાત મુવÇા ] નયપક્ષપાતને છોડી [ સ્વરુપTHT: ] (પોતાના) સ્વરૂપમાં ગુમ થઈને [નિત્યમ્] સદા [ નિવસત્તિ] રહે છે [ તે વ] તેઓ જ, [વિત્પનાવ્યુતશાન્તવિક્તા:] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે. એવા થયા થકા, [સાક્ષાત્ પિવત્તિ] સાક્ષાત્ અમૃતને પીએ છે. ભાવાર્થ- જ્યાં સુધી કોઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯. હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડ છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છે - શ્લોકાર્થઃ- [વર્લ્ડ: ] જીવ કર્મથી બંધાયેલો છે [વસ્ય ] એવો એક નયનો પક્ષ છે. અને [ન તથા] જીવ કર્મથી બંધાયેલો નથી [૫૨] એવો બીજા નયનો પક્ષ છે; [ તિ] આમ [ રિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [કયો: ] બે નયોના [ૌ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ | [ ૨૭૭ (૩૫નાતિ) एकस्य मूढो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।।७१ ।। (૩૫નાતિ) एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७२ ।। પક્ષપાતો] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી (વસ્તુસ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે [તચ] તેને [નિત્ય] નિરંતર [વિત્] ચિસ્વરૂપ જીવ [વનું ચિત્ gવ સ્તિ] ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે ). ભાવાર્થ:- આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. એ રીતે જીવ-પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦. શ્લોકાર્થઃ- [ મૂઢ:] જીવ મૂઢ (મોહી) છે [ ] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ મૂઢ (મોહી) નથી [પુરસ્ય] એવો બીજા નયનો પક્ષ છે, [ તિ] આમ [ fપતિ] ચિસ્વરૂપ જીવ વિષે [દ્રયોઃ] બે નયોના [ પક્ષપાતી] બે પક્ષપાત છે. [ : તત્ત્વવેતી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [તી] તેને [ નિત્ય] નિરંતર [વિત] ચિસ્વરૂપ જીવ [વનું ચિત્ વ શસ્તિ] ચિસ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે ). ૭૧. શ્લોકાર્થઃ- [૨p:] જીવ રાગી છે [ ] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ રાગી નથી [પરચ] એવો બીજા નયનો પક્ષ છે; [ તિ] આમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates २७८ ] [ प्रवयन रत्न।७२ भाग-५ ( उपजाति) एकस्य दुष्टो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ७३ ।। (उपजाति) एकस्य कर्ता न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७४ ।। (उपजाति) एकस्य भोक्ता न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७५ ।। [ चिति] यित्स्५३५ ०५. विषे [द्वयोः] जे योन। [द्वौ पक्षपातौ] पक्षात जे. [यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्वही पक्षपातरहित छ [तस्य] तेने [ नित्यं] निरंत२ [चित् ] यित्स्व३५ ७५ [खलु चित् एव अस्ति ] यित्स्व३५ ०४ ७. ७२. ___eोडार्थ:- [ दुष्ट:] ५ द्वषी छ [ एकस्य ] सेयो मे नयनो ५६ छ भने [न तथा] 94 द्वषी नथी [परस्य] मेवो भी नयनो ५क्ष छ; [इति] आम [ चिति] यित्स्व३५ ७५ विषे [द्वयोः] नयोन। [द्वौ पक्षपातौ] . ५क्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] ४ तत्वही पक्षातरहित छ [ तस्य ] तेने [नित्यं] निरंत२ [ चित्] यित्स्५३५. ०५. [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ ७. ७3. श्लोडार्थ:- [कर्ता ] ०५ ता छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [ न तथा] ७५ [ नथी [ परस्य ] मेयो %0 नयनो ५६ छ; [ इति] म. [ चिति] यित्स्व३५ ७५ विषे [द्वयोः] मे नयोना [ द्वौ पक्षपातौ] ५क्षात छ. [ यः तत्ववेदी च्युतपक्षपातः] ४ तत्ववेही पक्षातरहित छ [तस्य ] तेने [ नित्यं] निरंत२ [चित् ] यित्स्व३५ ०५ [खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ छ. ७४. श्लोडार्थ:- [भोक्ता] 4. मोऽता छ [ एकस्य ] मेवो मे नयनो ५६ छ भने [न तथा ] 4. मोऽत। नथी [ परस्य ] मेवो भी नयनो ५६ छ; [ इति ] माम [ चिति] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates समयसा२ गाथा-१४२ । [ २७८ (उपजाति) एकस्य जीवो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७६ ।। (उपजाति) एकस्य सूक्ष्मो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७७ ।। (उपजाति) एकस्य हेतुर्न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७८ ।। यित्स्१३५. ०५. विषे [द्वयोः ] में नयोन। [ द्वौ पक्षपातौ] के पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] ४ तत्वही पक्षपातरहित छ [तस्य] तेने [ नित्यं] निरंत२. [ चित् ] यित्स्व३५ ७५ [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ०४ ७. ७५. सार्थ:- [जीवः ] ७५ ७५ छ [ एकस्य ] मेयो से नयनो ५६ छ भने [न तथा] ७५. ०५. नथी [ परस्य] मेवो भी नयनो ५६ छ; [इति] माम. [ चिति] यित्स्व३५ ०५ विषे [द्वयोः ] मे नयोन। [ द्वौ पक्षपातौ] के पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] ४ तत्व पक्षपातरहित छ [ तस्य ] तेने [नित्यं] निरंत२ [चित् ] यित्स्व३५ ७५ [खलु चित् एव अस्ति ] यित्स्५३५ ४ ७. ७६. श्लोsर्थ:- [ सूक्ष्मः ] ७५. सूक्ष्म छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [ न तथा] ७५ सूक्ष्म नथी [परस्य ] मेयो जी नयनो ५६ छ; [इति] साम [ चिति] यित्स्व३५ ५. विषे [द्वयोः] के नयोन। [द्वौ पक्षपातौ] जे पक्षपात छे. [ य: तत्त्ववेदी च्युतपक्षपात:] ४ तत्व पक्षपातरहित छ [ तस्य ] तेने [नित्यं] निरंत२ [चित् ] यित्स्व३५ ०५ [ खलु चित् एव अस्ति ] यित्स्५३५ ०४ छ. ७७. श्लोर्थ:- [ हेतुः ] 94 हेतु ( 51२९५) छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [न तथा] ७५ हेतु ( 5॥२९॥ ) नथी [ परस्य ] मेवो भी नयनो ५६ छ; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates २८० ] [ प्रवयन रत्नार भाग-१ ( उपजाति) एकस्य कार्यं न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७९ ।। ( उपजाति) एकस्य भावो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ८० ।। ( उपजाति) एकस्य चैको न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ८१ । [ इति ] आम [ चिति ] थित्स्व३५ व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] के तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित् ] यित्स्व३५ ̈a [ खलु चित् एव अस्ति ] [यित्स्व३५ ४ छे. ७८. श्लोSर्थ:- [ कार्य ] व अर्थ छे [ एकस्य ] जेवो खेड नयनो पक्ष छे अने [ न तथा ] 4 झर्य नथी [ परस्य ] जेवो जीभ नयनो पक्ष छे; [ इति ] आम [ चिति ] थित्स्व३५ व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [चित् ] यित्स्व३५ ७१ [ खलु चित् एव अस्ति ] थित्स्व३५ ४ छे. ७८. श्लोार्थ:- [ भावः ] व भाव छे ( अर्थात् भाव३५ छे ) [ एकस्य ] जेवो जेड नयनो पक्ष छे अने [ न तथा ] व भाव नथी ( अर्थात् अभाव३५ छे ) [ परस्य ] जेवो जीभ नयनो पक्ष छे; [ इति ] आम [ चिति ] चित्स्व३५ व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित् ] थित्स्व३५ ७१ [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ छे. ८०. श्लोऽर्थ:- [ एकः] १ मे छे [ एकस्य ] जेवो खेड नयनो पक्ष छे [च] अने [ न तथा ] व खेऽ नथी ( -अने छे ) [ परस्य ] जेवो जीभ नयनो पक्ष छे; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates समयसार गाथा-१४२ ] ( उपजाति) एकस्य सान्तो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८२ ।। ( उपजाति) एकस्य नित्यो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ८३ ।। ( उपजाति) एकस्य वाच्यो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।। ८४ ।। [ २८१ [ इति ] आम [ चिति ] त्स्वि३५ व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] के तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित् ] थित्स्व३५ ५ [ खलु चित् एव अस्ति ] चित्स्व३५ ४ छे. ८१. श्लोऽर्थः- [ सान्तः ] व सांत ( -अंत सहित ) छे [ एकस्य ] भेवो खेड नयनो पक्ष छे भने [न तथा ] व सांत नथी [ परस्य ] जेवो जीभ नयनो पक्ष छे; [ इति ] आम [चिति ] यत्स्व३५ व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः ] के तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [ चित् ] यित्स्व३५ ७१ [ खलु चित् एव अस्ति ] चित्स्व३५ ४ छे. ८२. श्लोऽर्थ:- [ नित्यः ] व नित्य छे [ एकस्य ] भेवो भेड नयनो पक्ष छे अने [ न तथा ] व नित्य नथी [ परस्य ] जेवो जीभ नयनो पक्ष छे; [ इति ] आम [ चिति ] यित्स्व३५ व विषे [ द्वयोः ] जे नयोना [ द्वौ पक्षपातौ ] जे पक्षपात छे. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्ववेही पक्षपातरहित छे [ तस्य ] तेने [ नित्यं ] निरंतर [चित् ] थित्स्व३५ ̈प [ खलु चित् एव अस्ति ] थित्स्व३५ ४ छे. ८३. श्लोऽर्थः- [ वाच्यः ] व वाय्य (अर्थात् वयनथी डुडी शाय भेवो ) छे Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates २८२ ] | પ્રવચન રત્નાકર ભાગ-૫ ( उपजाति) एकस्य नाना न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।८५ ।। (उपजाति) एकस्य चेत्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८६ ।। (उपजाति) एकस्य दृश्यो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ८७ ।। [ एकस्य ] मेवो मे नयनो ५६ छ भने [न तथा] ५ पाय (-पयनगोय२.) नथी [ परस्य] सेयो जी नयनो ५६ छ; [इति] साम [ चिति] यित्स्१३५ ७५ विषे [द्वयोः] मे नयोन। [ द्वौ पक्षपातौ] के पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्ववेदी ५१५तरहित छ [ तस्य ] तेने [ नित्यं] निरंत२ [ चित् ] यित्स्व३५ ०५ [खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ छ. ८४. alsर्थ:- [ नाना] ०५ नान॥३५ छ [ एकस्य ] मेयो मे नयनो ५६ छ भने [न तथा ] ७५ नान॥३५ नथी [परस्य ] सेयो जी नयनो ५६ छ; [ इति] साम [ चिति] यित्स्५३५. ५ विषे [द्वयोः] मे नयोन। [द्वौ पक्षपातौ] के पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपात:] ४ तत्वही पक्षातरहित छ [ तस्य ] तेने [नित्यं] निरंत२ [ चित्] यित्स्५३५. ७५ [ खलु चित् एव अस्ति ] यित्स्व३५ ४ ७. ८५. सोडार्थ:- [ चेत्यः ] ७५ येत्य (-येतायोज्य ) छ [ एकस्य ] मेवो मे नयनो ५६ छ भने [न तथा] १. येत्य नथी [परस्य] मेवो भी नयनो ५६ छ; [इति] भाम [ चिति] यित्स्व३५ ५ विषे [द्वयोः ] अनयोन। [द्वौ पक्षपातौ] पक्षपात छ. [ यः तत्त्ववेदी च्युतपक्षपातः] ४ तत्त्वही पक्षातरहित छ [ तस्य ] तेने [नित्यं निरंतर [ चित्] यित्स्व३५. ०५. [ खलु चित् एव अस्ति ] यित्स्५३५ ४ छ. ८६. श्लोार्थ:- [दृश्यः] ७५ ४२५ (-हेमापायोग्य ) छ [ एकस्य ] सेयो मे नयनो Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૮૩ (૩૫નાતિ) एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ८८ ।। (૩૫નાતિ) एकस्य भातो न तथा परस्य चिति द्वयो विति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८९।। પક્ષ છે અને [ન તથા] જીવ ચેત્ય નથી [૫રસ્ય] એવો બીજા નયનો પક્ષ છે; [તિ] આમ [ રિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [ઢયો.] બે નયોના [ પક્ષપાત ] બે પક્ષપાત છે. [: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [તસ્ય] તેને [ નિત્ય] નિરંતર [વિ ] ચિસ્વરૂપ જીવ [વતુ વિત્ વ મસ્તિ] ચિસ્વરૂપ જ છે. ૮૭. શ્લોકાર્ધઃ- [વેદ્ય: ] જીવ વેધ (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે [9 ] એવો એક નયનો પક્ષ છે અને [ન તથા] જીવ વેદ્ય નથી [૫૨] એવો બીજા નયનો પક્ષ છે; [ તિ] આમ [ રિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [કયો.] બે નયોના [પક્ષપાતી] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેતી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ તસ્ય] તેને [નિત્ય] નિરંતર [ વિસ્] ચિસ્વરૂપ જીવ [ 7 વિ શવ મસ્તિ ] ચિસ્વરૂપ જ છે. ૮૮. શ્લોકાર્થ- [ માત:] જીવ “ભાત' (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [ પસ્ય] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ “ભાત' નથી [૫રચ] એવો બીજા નયનો પક્ષ છે; [ ]િ આમ [ વિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [ કયો.] બે નયોના [ કૌ પક્ષપાતી] બે પક્ષપાત છે. [: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [૨] તેને [ નિત્યં] નિરંતર [fa] ચિસ્વરૂપ જીવ [૩નુ વિત્ 94 સ્તિ] ચિસ્વરૂપ જ છે (અર્થાત તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે ). ભાવાર્થ:- બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અઢષી, કર્તા અકર્તા, ભોકતા અભોકતા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્કૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દશ્ય અદશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪ ] | [ પ્રવચન રત્નાકર ભાગ-૫ (વસંતતિના) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्। अन्तर्बहिः समरसैकरसस्वभावं स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।। ९०।। (૨થોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोचलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं વૃત્નમતિ તમ વિનદ: 38ા કથન અનુસાર યથાયોગ્ય વિપક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે. જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. ૮૯. ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છે: શ્લોકાર્થઃ- [gd] એ પ્રમાણે [ સ્વેચ્છા–સમુચ્છન–અનન્ધ–વિવ7–નાના+] જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [મહત] મોટી [ નયપક્ષકામ ] નયપક્ષકક્ષાને (ન૫પક્ષની ભૂમિને) [ વ્યતીત્ય] ઓળંગી જઈ (તત્ત્વવેદી) [ સન્ત: વરિ.] અંદર અને બહાર [ સમરસૈર સ્વમાનં] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [ કનુભૂતિમાત્રમ્ છમ્ સ્વં ભાવમ] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને) [૩પયાતિ] પામે છે. ૯૦. હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ- [gછત્ત–૩–ચત્ત–વિવે–વીમિ: ઉચ્છનત્] પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી [ રૂમ્ વત્ કૃત્નમ્ રૂન્દ્રનામ્] આ સમસ્ત ઇદ્રજાળને [યરચ વિરપુરમ્ Ba] જેનું *ફુરણ માત્ર જ [ તલ્લi ] તત્ક્ષણ [ મરચતિ] ભગાડી મૂકે છે [ ત વિદ: ગરિમ] તે ચિત્માત્ર તેજ:પુંજ હું છું. ભાવાર્થ- ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિપ્રકાશ હું છું. ૯૧. * કુરણ = ફરકવું તે; ધનુષ્ય-ટંકાર કરવો તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] | [ ૨૮૫ સમયસાર ગાથા ૧૪૨: મથાળું નયપક્ષના વિકલ્પ આવે છે તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, એમ હવે ગાથામાં કહે છે: * ગાથા ૧૪ર : ટીકા ઉપરનું પ્રવચન * જીવમાં કર્મ બદ્ધ છે” એવો જે વિકલ્પ તથા “જીવમાં કર્મ અબદ્ધ છે” એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. શું કહે છે? જીવ કર્મથી બંધાયો છે અને જીવ કર્મથી બંધાયો નથી એવા જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. મતલબ કે સ્વરૂપ તો પક્ષાતિકાન્ત છે; એટલે જે આ નયપક્ષમાં ઊભો છે તે સ્વરૂપમાં ગયો નથી, તેને સ્વરૂપનો અનુભવ નથી. જે તે નયપક્ષને અતિક્રમે છે. (-ઓળંગી જાય છે, છોડ છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે.' જે નયપક્ષને અતિક્રમે છે એટલે કે નયપક્ષના સર્વ વિકલ્પોનો-રાગનો ત્યાગ કરે છે તે સર્વ વિકલ્પોને છોડતો થકો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ભગવાન આત્મા પોતે નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવમય વસ્તુ છે. જે નયપક્ષના વિકલ્પથી હુઠી અંતરસન્ન થાય છે તેઓને સાક્ષાત્ ભગવાન સમયસાર પ્રાપ્ત થાય છે. પહેલાંના વખતમાં શિયાળામાં ઘી એવાં આવતાં કે તેમાં આંગળી તો ખૂચે નહિ પણ તાવેથો નાખો તો તે પણ વળી જાય. આવાં કઠણ ઘી પહેલાં જામી જતાં. તેમ આ ભગવાન આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. તેમાં દયા, દાન આદિ ચૂળ રાગનો તો શું “હું અબદ્ધસ્વરૂપ આત્મા છું' એવા સૂક્ષ્મ વિકલ્પનો પણ પ્રવેશ થતો નથી. આત્મા વિજ્ઞાનઘન છે એટલે પર્યાયના પણ પ્રવેશથી રહિત એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. અહીં કહે છે-જે નયપક્ષને છોડીને ત્રિકાળી દ્રવ્યમાં દષ્ટિ કરે છે તે એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને જ્ઞાન જ્ઞાનરૂપે ઘટ્ટ જામીને સાક્ષાત્ સમયસાર થાય છે, અર્થાત્ સાક્ષાત્ આત્મા જેવો છે તેવો ઉપલબ્ધ કરે છે. દયા પાળવી, વ્રત પાળવા, દાન કરવું, ભક્તિ કરવી-ઇત્યાદિ વ્યવહારની ક્રિયા કરતાં કરતાં ધર્મ થશે એ વાત તો કયાંય રહી ગઈ. અહીં તો કહે છે કે હું અબદ્ધ-સ્પષ્ટ છું, નિશ્ચયથી શુદ્ધ છું, મુક્ત છું”—એવા સૂક્ષ્મ રાગના પક્ષથી પણ આત્મા સમકિત પામતો નથી. અહો ! આવી અંતરની વાત દિગંબરના શાસ્ત્રો સિવાય બીજે કયાંય નથી. જૈન પરમેશ્વરનો અનાદિ સનાતન માર્ગ તે આ છે. કહ્યું છે ને કે-નાગા બાદશાહથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આઘા ! સમાજ સમતોલ રહેશે કે નહિ વા સમાજ આ વાત માનશે કે નહિ એવી જેણે દરકાર કરી નથી એવા મહાન સંતોની આ વાણી છે. અંદર ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે. હું અબસ્પષ્ટ છું એવો જે વિકલ્પ તે એને સ્પર્શતો નથી; કેમકે વિકલ્પ છે તે ઔદિયક ભાવ છે, જ્યારે ભગવાન આત્મા પરમપારિણામિકભાવરૂપ છે. તો આવો આત્મા સકળ વિકલ્પને છોડતો થકો સાક્ષાત્ સમયસાર થાય છે એટલે શું? ‘સકળ વિકલ્પને છોડતો થકો’–એમ કહ્યું એ તો ઉપદેશની શૈલિ છે. એનો અર્થ એમ છે કે દૃષ્ટિ અંતરમાં વાળતાં વિકલ્પ બધા છૂટી જાય અને ત્યારે આત્માનો સાક્ષાત્ અનુભવ થઈ જાય છે. આ વિકલ્પ છે તેને છોડું છું એમ (વિકલ્પ ) છે નહિ. ( અંતર્દષ્ટિ પૂર્વક માત્ર અનુભવ છે.) શ્રી કુંદકુંદાચાર્યદેવ ભાવપાહુડમાં કહે છે કે જીવે બહારથી દ્રવ્યમુનિપણાં અનંતવાર ધારણ કર્યાં છે. પંચ મહાવ્રત, પાંચ સમિતિ ઇત્યાદિ અઠ્ઠાવીસ મૂલગુણનું પાલન એણે અનંતવાર કર્યું છે. પરંતુ એ તો બધો રાગ છે. તે રાગ શુદ્ધ વસ્તુમાં-આત્મામાં કયાં છે? જે આત્મામાં નથી એનાથી આત્મા કેમ પમાય ? અહીં કહે છે કે રાગનો સૂક્ષ્મ પક્ષ રહી જાય તે પણ અંદર જવામાં બાધાકારક છે. હું અખંડ, અભેદ પરમાત્મદ્રવ્ય છું, એવો જે વિકલ્પ તે પણ નુકશાનકર્તા છે. અહીં કહ્યું ને કે–સકળ વિકલ્પને છોડતો નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને જીવ સાક્ષાત્ સમયસાર થાય છે. મતલબ કે અંતર્મુખાકાર થતાં આત્મા જેવો પ૨માત્મસ્વરૂપે છે તેવો અનુભવમાં આવે છે. હવે કહે છે ‘ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે)–જે ‘ જીવમાં કર્મ બદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી.'' શું કહે છે? ભગવાન આત્માને કર્મનો સંબંધ છે એવા વિકલ્પના પક્ષમાં જે ઊભો છે તે ‘ જીવમાં કર્મ અબદ્ધ છે' એવા વિકલ્પને છોડે છે; કેમકે એક સમયે બે વિકલ્પ કેમ હોઈ શકે? ‘ અબદ્ધ ’ના વિકલ્પને તે છોડે છે તોપણ તે વિકલ્પને અતિક્રમતો નથી; કેમકે એક પક્ષનો વિકલ્પ તો છે જ. હવે કહે છે , · અને જે ‘ જીવમાં કર્મ અબદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે પણ ‘ જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી.’’ પરદ્રવ્ય સાથે મારે સંબંધ નથી, હું અબદ્ધ છું એવા વિકલ્પમાં જે ઊભો છે તે ‘જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને છોડે છે તોપણ વિકલ્પને અતિક્રમતો નથી, કેમકે હું અબદ્ધ છું એવા પક્ષને તે ગ્રહણ કરે છે. વાણિયા વેપાર-ધંધાની ધમાલમાં આખો દિવસ રોકાઈ રહે એટલે આવી વાતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૮૭ ઝીણી પડે, પણ શું થાય? (ફુરસદ લેવી જોઈએ). ભાઈ ! જગતથી તદ્દન જુદી એવી આ પરમ સત્ય વાત બહાર આવી છે. કહે છે તું અંદર પ્રભુ છો ને! તારું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. અરે ! હું પરમાત્મસ્વરૂપ છું એવો વિકલ્પ પણ કયાં એને સ્પર્શે છે? અહાહા...! વસ્તુ છે ત્રિકાળ જે દ્રવ્યસ્વભાવ તેમાં કર્મનો સંબંધ છે જ નહિ. અહીં કહે છે કે હું કર્મના સંબંધરહિત અબદ્ધ છું એવો જેને વિકલ્પ છે તે “જીવમાં કર્મ બદ્ધ છે” એવા વિકલ્પને છોડ છે, પણ અબદ્ધ 'ના લ્પને છોડતો નથી. આવો આ માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ ! ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્યહીરલો-તેને “હું આવો છું’ એવો વિકલ્પ વિજ્ઞકર્તા છે. હવે ત્રીજો બોલ કહે છે-પાઠમાં બે બોલ છે. ટીકાકાર આચાર્ય ત્રણ બોલથી વર્ણન કરે “વળી જે “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે” એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમો થકો વિકલ્પને અતિક્રમતો નથી.'' જુઓ, - ૧ જીવમાં કર્મ બદ્ધ છે એવો વિકલ્પ કરનાર અબદ્ધના વિકલ્પને છોડે છે પણ વિકલ્પને છોડતો નથી. ૨ જીવમાં કર્મ અબદ્ધ છે એવો વિકલ્પ કરનાર બદ્ધના વિકલ્પને છોડ છે પણ વિકલ્પને છોડતો નથી, અને ૩ જીવમાં કર્મ બદ્ધ પણ છે અને અબદ્ધ પણ છે એવો વિકલ્પ કરનાર તે બંને પક્ષને નહિ અતિક્રમો થકો વિકલ્પને છોડતો નથી. બન્નેના પક્ષમાં ઊભો છે તે વિકલ્પને અતિક્રમતો નથી. આ પ્રમાણે નયપક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે અને વિકલ્પ છે તે સંસાર છે. વિકલ્પ છે તે શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં વિઘ્નકર્તા છે. ૧ બદ્ધસ્પષ્ટ છું એવો વિકલ્પ અથવા ૨ અબદ્ધસ્પષ્ટ છું એવો વિકલ્પ અથવા ૩ બદ્ધ છું અને અબદ્ધ પણ છું એવો વિકલ્પ-એ સઘળા વિકલ્પ સંસાર છે, કેમકે શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં આ બધા વિકલ્પોનો અભાવ છે. અહાહા....! વ્રત કરવાં, દયા પાળવી, ભક્તિપૂજા કરવાં ઇત્યાદિ શુભના સ્થળ વિકલ્પો તો કયાય (સંસાર ખાતે) રહી ગયા; અહીં તો જેવી વસ્તુ છે તેવો વિકલ્પ ઊઠે તે પણ જીવને નુકશાનકર્તા છે. સમજાય છે કાંઈ? આ તો સર્વજ્ઞનો માર્ગ બાપુ! ધર્મ બહુ સૂક્ષ્મ ચીજ છે ભાઈ ! શ્રીમદ્ રાજચંદ્ર કહે છે ને કે સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ બદ્ધત્કૃષ્ટ અને અબદ્ધસૃષ્ટના નયપક્ષને છોડ, પ્રભુ! અને અંતર્દ્રષ્ટિ કર. તે સર્વજ્ઞનો ધર્મ છે અને તે જ શરણ છે, આરાધ્ય છે. એ જ હવે કહે છે ‘તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે–અનુભવે છે.' અહીં સમસ્ત નયપક્ષને છોડવાની વાત છે. ‘ભૂવત્વમસ્તિો હનુ સન્માવિકી નવવિ નીવો ’-ભૂતાર્થને આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે-એમ જે ગાથા ૧૧ માં કહ્યું છે ત્યાં નયપક્ષના વિકલ્પની વાત નથી. ત્યાં તો ભૂતાર્થ એટલે છતી શાશ્વત ચીજ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ ભગવાન આત્માને શુદ્ઘનય કઠેલ છે અને તેના આશ્રયે જે સ્વાનુભવ પ્રગટ થાય તેને સમ્યગ્દર્શન કહ્યું છે. જ્યારે અહીં તો હું આવો છું એવા નયપક્ષને છોડવાની વાત છે. આત્મા અબદ્વત્કૃષ્ટ છે એ તો સત્ય છે. અહીં અબદ્ધત્કૃષ્ટ આત્માને છોડવાની વાત નથી પણ ‘હું અબદ્ધત્કૃષ્ટ છું' એવો જે નયપક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડવાનું કહે છે કેમકે જે સમસ્ત વિકલ્પને છોડે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે. પ્રશ્ન:- અબદ્ધસૃષ્ટનો પક્ષ છોડ એમ કહ્યું તો શું અંદર ( અબદ્ધત્કૃષ્ટ સિવાયની ) કોઈ બીજી ચીજ છે? ઉત્ત૨:- ના, એમ નથી. અંદર વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા અબદ્ધત્કૃષ્ટ જ છે. ભગવાને પણ આત્મા અબદ્ધસ્પષ્ટ જ જોયો છે. ભલે (વાણીમાં) તેનો વિસ્તાર વિશેષ ન થઈ શકે પણ વસ્તુ સામાન્ય જે છે તે એવી જ છે; અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. પણ ‘હું અબદ્ઘસ્પષ્ટ છું' એવો જે વિચાર છે તે નયપક્ષ છે. એ નયપક્ષને જે ઓળંગે છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે ભગવાન સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને નિજ સ્વરૂપનો અનુભવ થતો નથી. અરે ભાઈ ! નયપક્ષના વિકલ્પને જે પોતાનું કર્તવ્ય માને છે તે મિથ્યાદષ્ટિ છે અને તેને આત્મા પ્રાપ્ત થતો નથી. સર્વ વિકલ્પનું લક્ષ છોડી, અંદર શુદ્ધ અભેદ એકાકાર ચૈતન્યસ્વભાવી ભૃતાર્થ વસ્તુ છે તેની દષ્ટિ કરતાં આત્મા જેવો છે તેવો પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીત કે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહારથી થાય કે ૫૨થી થાય એવું વસ્તુના સ્વરૂપમાં જ નથી. નિર્વિકલ્પ અનુભવથી આત્મા પ્રાપ્ત થાય એવો છે પણ વ્યવહારથી કે વિકલ્પથી પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. પ્રશ્ન:- તો શું વ્રત, તપ આદિ વ્યવહારની ક્રિયા કરીએ તે કાંઈ નહિ? ઉત્ત૨:- હી, તે કાંઈ નહિ. સમ્યગ્દર્શન વિના એ બધાં થોથેથોથાં છે. જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] | [ ૨૮૯ વ્યવહારની ક્રિયા છે એ તો રાગ છે. ભલે શુભરાગ હો, પણ એનાથી ભગવાન આત્મા ક્યાં તન્મય છે? જેનાથી જે તન્મય નથી એનાથી તે પ્રાપ્ત કેમ થાય? શુભરાગથી આત્મા તન્મય નથી તો એનાથી તે કેમ પ્રાપ્ત થાય ? ન જ થાય. વ્યવહારના પક્ષવાળાને આ આકરું લાગે હો; તેને દુઃખ થાય. દુઃખ થાય તો ભાઈ ! ક્ષમા કરજે, પણ માર્ગ તો આવો જ છે પ્રભુ! બાપુ ! તું ભગવાન સ્વરૂપ છો ને! તને દુઃખ થાય એવી વાત કોઈ ન કરે. પણ વસ્તુની સ્થિતિ જ આવી છે ત્યાં શું થાય? આ તો વસ્તુના સ્વરૂપની તારા હિતની વાત છે ભાઈ ! હું મુક્તસ્વરૂપ છું, પરમાત્મસ્વરૂપ છું, પરમબ્રહ્મ પરમેશ્વર છું-ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન થાય તે પણ નુકશાનકારક છે તો પછી વ્યવહારરત્નત્રયના વિકલ્પની શું કથા? અહા! આ તો શાસ્ત્ર આમ કહે છે. આ વીતરાગની વાણી છે ભાઈ ! કે જે સમસ્ત નયપક્ષને છોડે છે તે જ સમસ્ત વિકલ્પને છોડ છે અને તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. એ વળી કયો સમયસાર છે? દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ એવા સમયસારને પ્રાપ્ત થાય છે. પ્રાસની પ્રાપ્તિ થાય છે. (શક્તિરૂપે) જે પ્રાપ્ત હુતો તેની પ્રાપ્તિ થાય છે. બાપુ! આ તો તારા હિતની વાત છે. બધા આત્મા ભગવાન છે ને નાથ ! શ્રીમદે કહ્યું છે ને કે બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો તોયે અરે ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્યો.'' મહાપુણ્યને લઈને આવો આ મનુષ્યભવ મળ્યો છતાં ભવચક્રનો એકેય આંટો ટળ્યો નહિ. ખૂબ ગંભીર વાત પ્રભુ! નિગોદના જીવને ત્રસપણું મળવું મહાદુર્લભ છે. એવા સ્થાનમાંથી પણ નીકળીને તું મનુષ્યપર્યાયમાં આવ્યો, સંજ્ઞી પંચેન્દ્રિય થયો, ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞદેવની વાણી તને કાને પડી. હવે આ બહારનો સંબંધ તોડી, સમસ્ત વિકલ્પને મટાડી, વિજ્ઞાનઘનસ્વભાવી આત્માનો અનુભવ પ્રગટ કર. તેથી ચાર-ગતિના અતિ દુઃખમય ભવભ્રમણનો અંત આવશે. આત્મા નિર્વિકલ્પ આનંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ છે. તે ભગવાન આત્મા ચોરાસીના અવતાર કરવા યોગ્ય નથી. આત્મા તો પરમાત્મપદની પ્રાપ્તિને યોગ્ય છે. અહા ! સર્વાર્થ-સિદ્ધિ દેવલોકમાં ઉપજવું એવી પણ આત્માની યોગ્યતા નથી. ભવ અને ભવનો ભાવ આત્માના સ્વભાવમાં નથી. તું ભવ અને ભવના ભાવથી રહિત છો પ્રભુ! માટે સમસ્ત વિકલ્પને છોડી તને તું પ્રાપ્ત કર. (આ અવસર છે ). આ બહારના પૈસા, મકાન, રૂપાળું શરીર ઇત્યાદિ બધાં અજીવ તત્ત્વ છે. જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ મસાણમાં હાડકાંનો ફોસ્ફરસ ચમકે છે તેમ આ શરીરની સુંદરતા એ હાડ-ચામની ચમક છે. એ બધી બહારની ચીજના આકર્ષણમાં જે જીવ રોકાઈ ગયો છે તે મિથ્યાષ્ટિ છે. અને આ નયપક્ષના વિકલ્પમાં રોકાઈને એમાં જે અટકી ગયો છે તે પણ મિથ્યાષ્ટિ છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને સમયસારની–ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. ભાઈ ! એકવાર શ્રદ્ધામાં હા તો પાડ કે આ આત્મા વિકલ્પરહિત વિજ્ઞાનઘન-સ્વભાવરૂપ વસ્તુ છે. તેની પ્રાપ્તિ થાય એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. કહ્યું ને કે ય વ સમસ્તે વિકલ્પમતિમતિ સ વ સમયસારં વિન્દતિ' જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આ આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વભાવી પરમાત્મ-સ્વરૂપ છે. એને જે અંતરસન્મુખ થઈ જાણે અને અનુભવે તે આત્મજ્ઞાન અને આત્મદર્શન છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. * ગાથા ૧૪૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જીવ કર્મથી “બંધાયો છે” તથા “નથી બંધાયો”—એ બન્ને નયપક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડ્યો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો કોઈએ અબંધપક્ષ પકડ્યો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો અને કોઈએ બન્ને પક્ષ પકડ્યા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું.' જુઓ, જેને નયપક્ષ છે તે જ્ઞાનના અંશમાં રાગને ભેળવે છે. જ્ઞાનને જુદું પાડતો નથી. બંધ અને અબંધના પક્ષવાળો વિકલ્પનું જ ગ્રહણ કરે છે, તે આત્માને ગ્રહતો નથી. તેવી રીતે બંધ પણ છે અને અબંધ પણ છે-એમ બન્ને પક્ષને પકડે છે તે પણ વિકલ્પને જ ગ્રહણ કરે છે, પણ આત્માને ગ્રહતો નથી. આ પ્રમાણે નયપક્ષમાં જે રોકાયો છે તે આત્માના અનુભવને પ્રાપ્ત થતો નથી. હવે કહે છે ““પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.'' જુઓ, બ્રહ્મચારી ક્ષુલ્લક ધર્મદાસજી આત્મજ્ઞાની હતા. તેમણે “સમ્યજ્ઞાન દીપિકા' નામનું શાસ્ત્ર લખ્યું છે. તેમાં દષ્ટાંત આપ્યું છે કે-પૂર્વવાળો કહે કે પશ્ચિમમાં છે, પશ્ચિમવાળો કહે કે પૂર્વમાં છે, ઉત્તરવાળો કહે કે દક્ષિણમાં છે, દક્ષિણવાળો કહે કે ઉત્તરમાં છે. પરંતુ એ તો જ્યાં છે ત્યાં જ છે. વળી ત્યાં જ (સમ્યજ્ઞાન દીપિકામાં) કહ્યું છે કે સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે, પુણ્ય કરે, કુશીલ સેવે-તેમાં સૂર્યને શું? તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સૂર્ય છે. તેના પ્રકાશમાં કોઈ રાગાદિ વિકલ્પ આવી જાય તો જ્ઞાનને શું? જ્ઞાન તો રાગને જાણનારું છે. આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. તે સ્વરૂપમાં રાગનું તો અડવું (સ્પર્શ) ય નથી. આશય એમ છે કે ભગવાન જ્ઞાયકસ્વભાવી ચૈતન્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૯૧ જ્યોતિસ્વરૂપ આત્મા જેને દૃષ્ટિમાં આવ્યો છે તેને પર્યાયમાં જે રાગાદિ દોષ હોય તેનો તે જાણનાર છે, કર્તા નથી. જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે એમ નિર્જરા અધિકારમાં આવે છે. તેનો અર્થ એમ છે કે જ્ઞાનસ્વરૂપી આત્માનો જેને અનુભવ થયો છે તેને રાગાદિભાવ જે આવે તે ખરવા માટે છે. જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ છે એમ કહ્યું છે ત્યાં આશય એમ છે કે જ્ઞાની જે વિકલ્પ આવે તેનું જ્ઞાન કરે છે. જે વિકલ્પ છે તેનું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાની તે જ્ઞાનના કર્તા છે, પણ વિકલ્પના કર્તા નથી. જે પ્રકારનો વિકલ્પ હોય તે જ પ્રકારની જ્ઞાનમાં સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. ૫રમાર્થ વનિકામાં કહ્યું છે કે-આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે, અધ્યાત્મ-પદ્ધતિનો વ્યવહાર કઠણ છે. શુદ્ધ પરિણતિ પ્રગટ કરવી તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહા૨ છે. વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષને ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે. હું અબદ્ઘત્કૃષ્ટ છું–એવો નયપક્ષ પણ રાગ છે. તેથી સમસ્ત નયપક્ષ છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે. * * હવે ‘જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે?' એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છેઃ નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? મતલબ કે આત્મા વસ્તુદૃષ્ટિથી અબદ્ધ છે અને પર્યાયની અપેક્ષાએ બદ્ધ છે. આ બંને નયપક્ષ છે; તેથી બંને પક્ષોને છોડી દઈ, પોતાના સ્વભાવની નિર્વિકલ્પ દષ્ટિ કરીને અનુભવ કરવો તે નયપક્ષના ત્યાગની ભાવના છે. આ આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય છે. તે પર્યાયમાં જે રાગ છે તેની સાથે તન્મય નથી. નિશ્ચયથી જ્ઞાનસ્વભાવ આત્મદ્રવ્ય સાથે તન્મય છે. સ્વભાવ સ્વભાવવાન સાથે તન્મય છે. આત્મા ચૈતન્યસૂર્ય છે. જેમ સૂર્યના પ્રકાશમાં કોઈ પ્રાણી ગમે તે ક્રિયાકાંડ કરતો હોય તેમાં સૂર્યના પ્રકાશને શું? એનાથી તેને લાભેય નથી અને એનાથી તેને ડાધેય નથી. (કાંઈ સંબંધ નથી ). તેમ એક સમયની પર્યાયને ગૌણ કરીને જોતાં આત્મા અનાદિઅનંત નિત્યાનંદસ્વરૂપ પ્રભુ ચૈતન્યજ્યોતિમય છે. તેને દયા, દાન, વ્રતાદિના રાગપરિણામ સાથે તો સંબંધ નથી, પણ હું આવો છું, આવો નથી-ઇત્યાદિ નયપક્ષના વિકલ્પ (−રાગ) સાથે પણ કાંઈ સંબંધ નથી. તેથી વિકલ્પરહિત થઈને જે આત્માને અનુભવે છે તે સમકિતી છે. તેને નયપક્ષના ત્યાગની ભાવના છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આચાર્ય કહે છે કે નયપક્ષના ત્યાગની ભાવનાને કોણ ન નચાવે? આમ કહીને હવે તે સંબંધી ૨૩ કળશરૂપ કાવ્ય કહે છે – * કળશ ૬૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * જે સ્વ' જેઓ “નયપક્ષપાત મુસ્વા' નયપક્ષપાતને છોડી–એટલે કે હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, અબદ્ધ છું-ઇત્યાદિ જે વૃત્તિ ઊઠે છે તેનો ત્યાગ કરી “સ્વરુપાક્ષ:' સ્વરૂપમાં ગુપ્ત થઈ ‘નિત્યમ' સદા ‘નિવસન્તિ' રહે છે “તે વ’ તેઓ જ વિવેeત્પનાખ્યુતશત્તિપિત્તા:' જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, ‘સાક્ષાત અમૃત પિવત્તિ' સાક્ષાત્ અમૃતને પીએ છે. જુઓ, હું એક છું, અબદ્ધ છું ઇત્યાદિ જે વૃત્તિ ઊઠે છે તે નયપક્ષનો વિકલ્પ છે. તેનો જે ત્યાગ કરે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત થઈને રહે છે. જુઓ, આ ત્યાગ. બાહ્ય ચીજનાં ગ્રહણત્યાગ તો સ્વરૂપમાં છે નહિ. અહીં તો એક સમયની અવસ્થામાં જે નયપક્ષના વિકલ્પ ઊઠે છે તેના ત્યાગની ભાવનાની વાત છે. બાપુ! જેના ફળરૂપે સ્વરૂપનો સ્વાદ-એકલા અમૃતનો અનુભવ થાય તે ચીજ કોઈ અલૌકિક છે! તે બાહ્ય ત્યાગથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી. નિમિત્તાધીનદષ્ટિવાળાને વાત આકરી લાગે પણ માર્ગ તો આ જ પરમ સત્ય છે. નિમિત્ત નિમિત્ત તરીકે છે. (નિમિત્તની કોણ ના પાડે છે?) પણ ઉપાદાનની અપેક્ષાએ, સ્વની અપેક્ષાએ તે અસત્ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાન વિના દયા, દાન, વ્રત, તપના રાગ વડે ધર્મ માને પણ એ બધું સંસાર ખાતે છે, ભાઈ ! અહીં કહે છે-હું બદ્ધ છું, હું અબદ્ધ છું-એવા નયપક્ષોને જે સમસ્ત ત્યાગે છે તે સ્વરૂપમાં સદા ગુપ્ત રહે છે. અહા ! ભગવાન આત્મા બદ્ધ-અબદ્ધના વિકલ્પથી પ્રાપ્ત થાય એવી ચીજ નથી તો દયા, દાન ઇત્યાદિના વિકલ્પથી તે કેમ પ્રાપ્ત થાય? માર્ગ સૂક્ષ્મ છે, ભાઈ ! પણ પ્રથમ સાચો નિર્ણય તો કરવો પડશે ને ? જુઓ, કંદમૂળની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને એકેક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. પ્રત્યેક જીવ એક શ્વાસમાં ૧૮ ભવ કરે છે. એક શ્વાસમાં ૧૮ વખત જન્મમરણ કરનાર નિગોદના જીવના દુઃખની શી વાત ! એ તો અકથ્ય છે. એવા અકથ્ય દુઃખથી છૂટવાના ઉપાયની આ વાત છે. પર્યાયમાં દુઃખ છે અને સ્વરૂપ દુઃખ-મુક્ત છે-એ બને નયપક્ષ છે, વિકલ્પ છે અને એ બન્ને વિકલ્પનો જાણનાર આત્મા છે. સ્વદ્રવ્યની દૃષ્ટિમાં જતાં બંને વિકલ્પ છૂટી જાય છે. ચૈતન્યસ્વરૂપની દષ્ટિ થતાં વિકલ્પ છૂટી જાય છે તો તેને છોડ છે, ત્યાગે છે એમ કહેવામાં આવે છે. આનંદનો નાથ પ્રભુ આત્મા છે. તેને, જેમ ઘાણીમાં તલ પીલાય તેમ, રાગથી પીલી નાખ્યો છે. જડકર્મે તેને પીલ્યો છે એમ નથી. આ વસ્તુ પોતે ભગવાન સ્વરૂપ છે તેને તે વિકલ્પના પક્ષમાં રગદોળી નાખ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૯૩ પં. શ્રી ટોડરમલજીનો હાથીના પગ નીચે ચગદાઈને દેહ-વિલય થયો. હાથી પગ ઉપાડતાં અચકાયો. ત્યારે ૫. ટોડરમલજીએ હાથીને સંબોધન કરી કહ્યું -અરે હાથી ! રાજાનો હુકમ છે, તું શા માટે ડરે છે? તારા સ્વામીના હુકમનું પાલન કર. અહા! હાથીએ પગ ઉપાડયો ત્યાં ક્ષણમાં દેહ છૂટી ગયો. બસો વર્ષ અગાઉ કેવો કરુણ બનાવ બની ગયો ! અરે કોઈ જૈન તે રોકવા હાજર નહીં! સમકિતી ઇન્દ્ર પણ હાજર ન થયો! અરે ભાઈ ! ક્રમબદ્ધમાં દેહની જે સ્થિતિ થવાની હોય તે ત્યાં થાય. તેને ફેરવવા કોણ સમર્થ છે? કોઈ નહિ. સ્વરૂપના ભાન સહિત સમભાવપૂર્વક ક્ષણમાં દેહ છૂટી ગયો. અહીં કહે છે ભગવાન તે નયપક્ષના વિકલ્પો હેઠળ નિર્મળાનંદના નાથ ભગવાન આત્માને ચગદી નાખ્યો છે. ભાઈ ! હું એક છું, અબંધ છું, પવિત્રતાનો પિંડ છું-એવો નયપક્ષનો જે વિકલ્પ છે તે રાગ છે અને તે આત્માની શાંતિને દઝાડનારો છે; તો પછી અન્ય સ્થૂળ વિકલ્પોનું તો શું કહેવું? જેમણે નયપક્ષને છોડી દીધા છે તેઓ સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે. નયપક્ષના વિકલ્પને જે પોતાનો માને છે તે બહિરાત્મા છે, અને નયપક્ષને છોડીને જે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે અંતરાત્મા છે. વસ્તુ સહજાનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે. તેની સન્મુખ થતાં સ્વરૂપમાં ગુપ્ત થવાય છે. જેઓ સ્વરૂપમાં ગુમ થઈને રહે છે તેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થાય છે. વિકલ્પ છે એ તો અશાંતિ છે. હું શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું –એવો જે વિકલ્પ છે તે અશાંતિ છે. વિકલ્પ મટતાં શાંતિ છે. ભગવાન આત્મા શાંતરસનો સાગર છે. તેમાં નિમગ્ન થઈને, ડૂબકી મારીને જ્ઞાનીનું ચિત્ત શાંત-શાંત થયું છે. આ સમકિતીની ક્રિયા છે. ધર્મીને અશાંતિ છૂટીને શાંતિ પ્રગટ થઈ છે અને એવા થયા થકા તે સાક્ષાત્ અમૃતને પીએ છે. છે ને-“તે છવ સાક્ષાત અમૃd fપંવિત્તિ'તેઓ જ-જેઓ નયપક્ષરહિત થયા છે તેઓ જ વિકલ્પરહિત થઈને સાક્ષાત્ અમૃતને પીએ છે. અહાહા..! ભગવાન આત્મા નિત્ય અમૃતસ્વરૂપ છે તેમાં એકાગ્ર થઈને તેઓ સાક્ષાત્ અમૃતને અનુભવે છે, પર્યાયમાં નિરાકુળ આનંદને અનુભવે છે. આ જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ધર્મ ભાઈ ! આ ભવનો અભાવ કરવાનો અવસર છે. ભગવાન ફરમાવે છે કે આ ભવ અનંતભવના અભાવ માટે છે. તો તારું સ્વરૂપ છે ત્યાં તું જા ને! તારામાં પરવસ્તુ નથી. દયા, દાન આદિનો રાગ પણ નથી અને નયપક્ષના વિકલ્પ પણ તારા સ્વરૂપમાં નથી. હું આવો છુંએવો વિકલ્પ પણ તારી ચીજમાં કયાં છે? પ્રભુ! તું તો નિર્વિકલ્પ સહજાનંદસ્વરૂપ-એકલા આનંદનો સમુદ્ર છો. સર્વ વિકલ્પ છોડીને તેમાં ડૂબકી લગાવ, તેમાં જ મગ્ન થઈ જા. એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મની ક્રિયા છે. ધર્મી જીવો આ રીતે જ સાક્ષાત્ અમૃત પીએ છે, પ્રત્યક્ષ અમૃતનું પાન કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આવી વાત સાંભળીને લોકો કહે છે-આ તો નિશ્ચયાભાસ છે, આગમવિરુદ્ધ છે. અરે ભાઈ ! તને આગમની ખબર નથી. આગમમાં તો વીતરાગતા પ્રગટ કરવાનો ઉપદેશ છે. પરંતુ વીતરાગતા કયારે થાય ? તો કહે છે-નયપક્ષના વિકલ્પો મટાડીને પોતાના જ્ઞાતાદષ્ટા-સ્વરૂપમાં સમાઈ જાય ત્યારે વીતરાગરસરૂપ અમૃતનો પર્યાયમાં અનુભવ થાય છે, અને એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. આ સિવાય વ્રત, તપ ઇત્યાદિ બાહ્ય ક્રિયા રણમાં પોક મૂકવા જેવી છે. બહારની ક્રિયાના વિકલ્પો એ તો રાગની ક્રિયા છે. રાગની ક્રિયા છે તે સંસારસમુદ્ર છે અને ભગવાન આત્મા ચૈતન્યનો-આનંદનો સમુદ્ર છે. અહો! સંતોએ સુગમ શૈલીથી કથન કરીને મોક્ષનો પંથ બતાવ્યો છે. નયપક્ષનું જે એકત્વ છે તે દર્શનમોહ છે. શ્રીમદે નથી લખ્યું ? કે ‘દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે,' ત્યાં દર્શનમોહ એટલે નયપક્ષના વિકલ્પજાળના એકત્વનો વ્યય થઈને જ્ઞાન ઉત્પન્ન થયાની વાત છે અને એ જ સમ્યજ્ઞાન છે, ધર્મ છે. જૈન પરમેશ્વરે જે કહી છે તે જ વસ્તુ છે. તે સિવાય વસ્તુનું બીજું કોઈ સ્વરૂપ નથી. જેઓ નયપક્ષને ઓળંગીને સાક્ષાત્ વસ્તુમાં આત્મામાં નિમગ્ન થાય છે તેઓ જ વીતરાગરસરૂપ અમૃતનું પાન કરે છે. * કળશ ૬૯ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘જ્યાંસુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાંસુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી.’ જીઓ વ્રત, તપ ઇત્યાદિના વિકલ્પ છે તે શુભરાગ છે. એનો પક્ષપાત રહે ત્યાંસુધી ચિત્તમાં ક્ષોભ રહે છે એ તો ઠીક. અહીં કહે છે-હું શુદ્ધ છું, અભેદ એકરૂપ ચિત્તૂપ છું-એવો નિજસ્વરૂપ સંબંધી નયપક્ષનો વિકલ્પ જ્યાંસુધી ઉઠે ત્યાંસુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. એ નયપક્ષનો વિકલ્પ પણ ક્ષોભ છે, આકુળતા છે. હવે કહે છે જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે.’ 6 શું કહ્યું આ ? જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે વીતરાગ દશા થાય છે, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. જુઓ ચોથે ગુણસ્થાને જે સમ્યગ્દર્શન થાય છે તે નિર્વિકલ્પ એટલે રાગરહિત વીતરાગી પરિણામ છે. એમ નથી કે જીવ ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાને જ વીતરાગ દશા પામે છે. સમ્યગ્દર્શન છે એ વીતરાગી દશા છે, ભાઈ ! હું એક છું, શુદ્ધ ચિત્તૂપ છું, અબદ્ધ છું-એવા જે નય-વિકલ્પો અર્થાત રાગની લાગણીઓ છે તે છૂટી જાય છે ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપનું શ્રદ્ધાન નિર્વિકલ્પ થાય છે. ભાઈ ! આ તારી સ્વદયાની વાત છે. તારું જીવન જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ છે. રાગ કે વિકલ્પ તારું જીવન નથી. તારામાં એક જીવત્વશક્તિ અનાદિથી રહેલી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૯૫ છે. આ જીવત્વના કારણે દર્શન, જ્ઞાન આદિ ચૈતન્યસ્વરૂપ ભાવપ્રાણથી તું જીવી રહ્યો છે. આવા શક્તિવાન દ્રવ્યને તું પકડ. અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે; તેને પકડતાં નિર્વિકલ્પ વીતરાગદશા થાય છે અને એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ તારું જીવન છે. વ્યવહાર સાધન છે અને તે કરતાં કરતાં આગળ વધાશે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે એવી તારી માન્યતા મિથ્યા શલ્ય છે. ભાઈ! તું અનાદિથી આ મિથ્યા શલ્યમાં રોકાઈને સંસારમાં (ચાર ગતિમાં) રઝળતો થકો દુ:ખી થયો છે. માટે ગુલાંટ માર અને સાવધાન થા. વીતરાગ સર્વજ્ઞદેવની વાણીમાં એમ કહ્યું છે કે અને જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે ૧. વીતરાગદશા થાય છે, નિર્વિકલ્પદશા થાય છે ૨. સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. ૩. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. રાગમાં પ્રવૃત્તિ હતી તે છૂટીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. ૪. અતીન્દ્રિય સુખ અનુભવાય છે. અહાહા...! આવી વાત આકરી લાગે એટલે જીવો આગમપદ્ધતિનો વ્યવહાર અનાદિથી કરે છે અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારની ઉપેક્ષા કરે છે. શુદ્ધ પરિણતિ, વીતરાગ પરિણતિ પ્રગટ થાય તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે અને તે પ્રગટ થાય ત્યારે જ જીવને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. આ જ માર્ગ છે. * * " * હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર ) સ્વરૂપને પામે છે. કળશ ૭૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન . बद्ध જીવ કર્મથી બંધાયેલો છે ‘VT’ એવો એક નયનો પક્ષ છે અને ‘ન તથા જીવ કર્મથી બંધાયેલો નથી ‘પરફ્ય’ એવો બીજા નયનો પક્ષ છે; ‘કૃતિ’ આમ ‘વિતિ’ચિત્સ્વરૂપ જીવ વિષે ‘હ્રયો:' બે નયોના ‘ૌ પક્ષપાતૌ’ બે પક્ષપાત છે. ‘ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત: ' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘તસ્ય ’ તેને ‘નિત્યં’ નિરંતર ‘વિક્’ ચિસ્વરૂપ જીવ ‘ વસ્તુ ચિંત્ વ અસ્તિ' ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે) - બહુ ઝીણી અને ઊંચી વાત છે પ્રભુ! પ્રથમ જ્ઞાનમાં એવો પક્ષપાત આવે છે કે વસ્તુ આ જ છે; પછી તે પક્ષપાતરૂપ વિકલ્પને મટાડીને જે અનુભવ થાય તે ધર્મ છે. આ આત્મધર્મની વાત છે. સ્તવનમાં આવે છે કે- હોંશીલા હોંશ ન કીજીએ ’–મતલબ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કે આ બાહ્ય વૈભવ અને શરીરની સુંદરતા દેખીને તેમાં હોંશ ન કર, ભાઈ! અને રાગનીવ્યવહારની બાહ્ય ક્રિયામાં પણ હોંશ ન કર. અહા! અંદર સુંદર નાથ-ભગવાન ચિત્સ્વરૂપ બિરાજે છે; તો હોંશ કરીને ત્યાં જા ને! લોકોને એકાન્ત જેવું લાગે, પણ એમ નથી. નિશ્ચયથી જ પ્રાપ્ત થાય અને વ્યવહારથી ન થાય-એનું નામ અનેકાન્ત છે. તત્ત્વવેદી ચિસ્વરૂપ પોતાને નિરંતર ચિત્સ્વરૂપે જ વેદે છે. આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે છે તો આત્માને (પોતાને) ચિત્સ્વરૂપે જ વેદે છે, અનુભવે છે. અરે ! દેડકો–મેઢક પણ અંદર પોતાના સ્વરૂપમાં જાય ત્યારે એને શુદ્ધ ચૈતન્યના આનંદનુ વેદન આવે છે. દેડકાનું શરીર તો માટી–ધૂળ અજીવ તત્ત્વ છે. પણ તે બહારનું લક્ષ છોડીને અંતર-સ્વરૂપમાં જાય ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહાહા...! તત્ત્વવેદી ધર્મીજીવ ચિસ્વરૂપને ( પોતાને ) ચિસ્વરૂપે જ નિરંતર અનુભવે છે. એક સમયનો પણ આંતરો પડયા વિના ધર્મીને નિરંતર ચૈતન્ય-મૂર્તિ ઝળહળજ્યોતિસ્વરૂપ ભગવાન આનંદસ્વરૂપે જ અનુભવાય છે. આ તો ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની તો શી વાત! ઉપરના ગુણસ્થાને તો જે પ્રચુર આનંદનો અનુભવ છે એ તો કોઈ અદ્દભુત અલૌકિક ચીજ છે! વ્યવહારના આગ્રહવાળાને એમ લાગે કે અમારી તુચ્છતા બતાવીને નિંદા કરે છે. બાપુ! આ નિંદા નથી. ભગવાન! તારી નિંદા ન હોય. તું ભગવાન છે ને! પણ પર્યાયમાં જે ભૂલ છે તેનું અહીં જ્ઞાન કરાવે છે. આ તો તારા પરમ હિતની વાત છે. તને એમાં દુઃખ લાગે, પણ હે મિત્ર ! હૈ સજ્જન ! ધર્મનું સ્વરૂપ જ આવું છે. તારું ચૈતન્યસ્વરૂપ એકલા આનંદથી ભરેલું છે; ત્યાં તું જા ને! તને અવશ્ય આનંદ થશે. પ્રભુ! જાણનારને જાણ અને દેખનારને દેખ. તારી ચીજને અંતરમાં દેખતાં તે ચિસ્વરૂપ જ દેખાય છે, આનંદસ્વરૂપ જ અનુભવાય છે. બસ આ જ માર્ગ છે. લોકોને લાગે કે આ તો નિશ્ચયનો માર્ગ! હા, માર્ગ તો નિશ્ચયનો જ છે, અને નિશ્ચયનો છે એટલે સત્યનો માર્ગ છે. અહીં આ શ્લોકમાં ત્રણ વાત કરી છે. ૧. જીવ કર્મથી બંધાયેલો છે એવો એક વ્યવહારનયનો પક્ષ છે, ૨. જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજો નિશ્ચયનયનો પક્ષ છે, અને ૩. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરંતર ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો અનુભવાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૯૭ * કળશ ૭૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “આ શાસ્ત્રમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે.' છઠ્ઠી અને અગિયારમી ગાથામાં પહેલેથી જ પર્યાયને ગૌણ કરીને આચાર્ય કથન કરતા આવ્યા છે. ભગવાન આત્મા પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી, એકમાત્ર જ્ઞાયક પ્રભુ છે; તે શુભાશુભભાવના સ્વભાવે કદીય થતો નથી એવો ચૈતન્યસ્વરૂપ જ્ઞાયક ત્રિકાળ છે-એમ પર્યાયને ગૌણ કરીને પ્રથમથી આ શાસ્ત્રમાં કથન કરતા આવ્યા છે. પર્યાયને ગૌણ કરીને એટલે કે પેટામાં રાખીને, અભાવ કરીને નહિ, આ શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પર્યાય છે નહિ એમ અભાવ કરીને નહિ પણ ગૌણ કરીને એટલે કે પેટામાં રાખીને કથન કરવામાં આવ્યું છે. પર્યાયમાં રાગ-દ્વેષના જે ભાવો થાય છે તેને પહેલેથી જ ગૌણ કરતા આવ્યા છે. તે ભાવો શુદ્ધ આત્મદ્રવ્યમાં નથી તેથી તે ભાવો અભૂતાર્થ છે, ભગવાન આત્મા એક ભૂતાર્થ છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી (રાગાદિરૂપ) અનેક પ્રકારના થાય છે એનો અર્થ એ કે સામે બીજી ચીજ નિમિત્ત છે જેના લક્ષે અનેક પ્રકારના રાગાદિ પરિણામ થાય છે. બસ આટલું જ; એનો અર્થ એમ નથી કે પરનિમિત્ત અનેક પ્રકારના પરિણામ કરાવે છે. નિમિત્તના લક્ષે થાય છે તેને નિમિત્તથી થાય છે એમ કહેવામાં આવે છે. આ દેહ તો મૃતક કલેવર છે. અત્યારે હાં, અત્યારેય એ મડદું છે. તેમાં અમૃત-સાગર પ્રભુ આત્મા મૂર્છાઈ ગયો છે. શરીરનાં ચળકાટ, નમણાઈ, ઉજળાશ વગેરે દેખીને અમૃતનો નાથ મૂછ પામ્યો છે. પણ દેહુ તો એના કાળે છૂટવાનો જ છે. અહીં કહે છે કે દેહ પ્રત્યેનો રાગ તો શું, વ્રતાદિ સંબંધી થતા વિકલ્પનો રાગ પણ મૃતક છે, મડદું છે; કેમકે ચૈતન્યનો તેમાં અભાવ છે. આવી રાગની પર્યાયને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે, અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. હવે કહે છે એ રીતે જીવ પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ, ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધ નયનો પણ પક્ષપાત ( વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય.' અહો ! આ સમયસાર તો પરમ દેવી ભાગવત શાસ્ત્ર છે! કહે છે-“શુદ્ધ નો આશ્રય છોડી “શુદ્ધ' નો પક્ષપાત-વિકલ્પ કરશે તેને શુદ્ધ સ્વરૂપનો સ્વાદ નહિ આવે. અરે ભાઈ ! આ શરીર કંચનવર્ણ હોય તોપણ કાળ પાકતાં તત્ક્ષણ છૂટી જશે. જુઓ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ એક ભાઈને લગ્ન પ્રસંગે બરફી, જલેબી વગેરે મીઠાઈ ખાતાં ખાતાં શ૨ી૨ની સ્થિતિ બગડી; ડબલ ન્યુમોનિયા થઈ ગયો. અંદર પીડાનો પાર નહિ, દેહ છૂટવાની તૈયારી. તે વખતે તેની પત્ની ઘરના દરદાગીના, તેની ચાવીઓ વગેરેની પૂછપરછ કરવા લાગી. આ બાજુ દર્દીને અસહ્ય વેદનાને કારણે આંખમાંથી ચોધાર આંસુ વહી જતાં હતાં તેવા પ્રસંગે ધર્મના બે શબ્દ સંભળાવવાને બદલે પત્ની ઘરની પૂછપરછ કરતી હતી. કેવી વિચિત્રતા! જુઓ, આ સંસાર ! નિયમસારમાં કહ્યું છે કે-તને જે કુટુંબીજનો મળ્યાં છે તે ધૂતારાની ટોળી છે. ‘સ્વાનીવનાય મિલિત વિટપેટાં તે' પોતાની આજીવિકા અર્થે ધૂતારાની ટોળી મળી છે. સંસારમાં બધાં સ્વાર્થનાં જ સગાં છે. અરે ભાઈ! ક્ષણમાં દેહ છૂટી જશે. જગતમાં કોઈ શરણ નથી. શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ એક જ શરણ છે એમ સમજી આ મનુષ્યભવમાં પોતાનું હિત કરી લેવા જેવું છે. આચાર્યદેવ વ્યવહારને તો ગૌણ કરાવતા આવ્યા છે અને હવે કહે છે કે-જે કોઈ શુદ્ધનયનો પક્ષપાત કરશે તે પણ શુદ્ધસ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? હું રાગવાળો છું, પુણ્યવાળો છું, વ્યવહારનું પાલન કરનારો છું-એમ જેની દૃષ્ટિ છે એની તો વાત જ શી? એ તો આત્માનુભવથી દૂર છે જ. અહીં તો એમ કહે છે કે જે શુનયનો પણ પક્ષપાત કરશે તેને આત્માનુભવ પ્રગટ નહિ થાય, વીતરાગતા નહિ થાય. ઝીણી વાત છે, ભાઈ! પહેલાં વ્યવહારને તો ગૌણ કરી તેનો નિષેધ કરાવ્યો છે. હવે શુદ્ઘનયના પક્ષપાતનેવિકલ્પને પણ છોડવાની વાત કરે છે. ભાઈ ! તું તારી દયા કર! તું જેવડો છે તેવડો તને માન; ઓછો કે અધિક માનીશ તો તારી દયાને બદલે તારી હિંસા થશે. ભાઈ! આ જુવાની ઝોલાં ખાય છે; કયારે દેહ છૂટી જશે એનો શું ભરોસો ? આ દેહ તારી ચીજ નથી. દેહમાં તું નથી અને તારામાં દેહ નથી. દેહ તને અડતોય નથી. અને દેહ સંબંધી મમતાના જે વિકલ્પ થાય છે તેય તને અડતા નથી. ખરેખર તો વિકલ્પરહિત નિર્વિકલ્પ તારું સ્વરૂપ છે. અહીં કહે છે-હું નિર્વિકલ્પ છું એવા શુદ્ધનયનો પણ પક્ષપાત કરીશ તો તને પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. હવે કહે છે ‘પક્ષપાતને છોડી ચિન્માત્રસ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ઘનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગદશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ' * * . * * કળશ ૭૧ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘મૂહ: ' જીવ મૂઢ ( મોહી ) ક્ષ્ય' એવો એક નયનો પક્ષ છે. આ કર્તા-કર્મનો અધિકાર સૂક્ષ્મ છે. કહે છે-જીવ મૂઢ છે, મોહી છે એવો વ્યવહારનયનો એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૯૯ પક્ષ છે. ભગવાન આત્મા પરમ પવિત્રસ્વરૂપ પ્રભુ પર્યાયમાં રાગ-દ્વેષ-મોહ સહિત છે એવો વ્યવહારનયનો પક્ષ છે. હવે કહે છે ન તથા' જીવ મૂઢ (મોહી) નથી “પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેમાં મોટું નથી એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવમાં મોહ છે એ વ્યવહારનયનો પક્ષ છે. એનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં હવે શુદ્ધ પરમાત્મદ્રવ્યમાં મોહ નથી એવા નિશ્ચયનયના પક્ષનો પણ નિષેધ કરવામાં આવે છે. આત્મા શુદ્ધ સચ્ચિદાનંદમય પ્રભુ પવિત્રતાનું ધામ છે, તેમાં મોટું નથી એવો જે નિશ્ચયનયનો પક્ષ છે તે પણ એક વિકલ્પ છે, રાગ છે અને તે બંધનું કારણ છે. હું મોહી નથી એવો જે વિકલ્પ થાય તે શુભરાગ છે અને તે મારું કર્તવ્ય છે એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. આકરી વાત પ્રભુ! ભાઈ ! જન્મ-મરણના અંતનો માર્ગ કોઈ જુદી જાતનો છે. દયા, દાનના વિકલ્પથી પુણ્યનો બંધ થાય છે; પણ એનાથી ભવિષ્યમાં કર્મનો ક્ષય થશે એમ કોઈ માને તો તે મિથ્યા અભિપ્રાય છે. આત્મા મોહરહિત ચૈતન્યમૂર્તિ ભગવાન છે-એવા નિશ્ચયનયના પક્ષમાં જે ઊભો છે તે વિકલ્પમાં ઊભો છે. એ વિકલ્પ બંધનું કારણ છે, મુક્તિનું નહિ. રૂતિ' આમ વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “યો:' બે નયોના “કૌ પક્ષપાતી' બે પક્ષપાત છે. જુઓ, કોઈ મહાવ્રતાદિ અંગીકાર કરે અને તેની બાહ્ય ક્રિયાના વિકલ્પ-રાગ મારા છે અને એનાથી મારું કલ્યાણ થશે એમ માને તે મિથ્યાષ્ટિ છે. આ સ્થૂળ વાત થઈ. અહીં સૂક્ષ્મ રાગ છે તે છોડવાની વાત છે. હું એક અભેદ આત્મા છું, મોહ રહિત છું એવો જે વિકલ્પ થાય તે રાગ છે, તે નવપક્ષ છે, અને તે બંધનું કારણ છે, જન્મ-મરણની સંતતિને વધારનાર છે. જ્ઞાની આ બન્ને પક્ષને છોડી દઈ ચૈતન્યસ્વરૂપ આત્માને તેવો જ અનુભવે છે. ‘ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે. “તસ્ય' તેને “નિત્ય' નિરંતર “વિત્' ચિસ્વરૂપ જીવ “જુ વિત્ થવ શસ્તિ' ચિસ્વરૂપ જ છે. જે તત્ત્વવેદી એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને અનુભવનારો-સ્પર્શનારો છે તે બંને નયોના પક્ષપાત રહિત થયો છે. અહાહા...! બને નયોના પક્ષપાતનો જેણે ત્યાગ કર્યો છે તે ચિસ્વરૂપ આત્માને તે જેવો છે તેવો ચિસ્વરૂપ જ અનુભવે છે, અને તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી મંદિરો બનાવે, ઉત્સવો ઉજવે, વરઘોડા કાઢે, વાજાં વગડાવે ઇત્યાદિ બહારની ધમાલ તો રાગ છે, ધર્મ નથી. એ બધી ઉપર-ઉપરની ક્રિયાઓ છે અને એમાં કદાચ શુભભાવ હોય તો તે પુણ્યબંધનું કારણ છે પણ ધર્મ નથી. આવી વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩00 ] પ્રવચન રત્નાકર ભાગ-૫ * કળશ: ૭૨ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “રજી:' જીવ રાગી છે “ સ્ય' એવો એક નયનો પક્ષ છે. એક જીવ એમ કહે છે કે જીવ રાગી છે, રાગવાળો છે, રાગ એનો સ્વભાવ છે. આ એક વ્યવહારનયનો પક્ષ છે. ન તથા' જીવ રાગી નથી “પર' એવો બીજા નયનો પક્ષ છે. બીજો જીવ કહે છે કે જીવ રાગી નથી, એના સ્વરૂપમાં રાગ નથી, એ તો વીતરાગ ચૈતન્યમૂર્તિ છે. આ નિશ્ચયનયનો પક્ષ છે. તિ' આમ “જિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “યો:' બે નયોના “દી પક્ષપાતો' બે પક્ષપાત છે. આવા જે બે પ્રકારે વિકલ્પ ઊઠે છે તે રાગ છે, બંધનું કારણ છે. હવે કહે છે ૫: તત્ત્વવેતી યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી છે તે પક્ષપાત રહિત છે. “તચ' તેને નિત્ય' નિરંતર વિત’ ચિસ્વરૂપ જીવ “વસુ રિત રવ મસ્તિ' ચિસ્વરૂપ જ છે. હું અરાગી છું એવો જે વિકલ્પ તેનાથી રહિત થઈને તત્ત્વવેદી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વેદે છે. હું અરાગી છું એવો જે વિકલ્પ છે એ તો દુઃખરૂપ છે. એવા વિકલ્પથી હુઠી જે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને વેદે છે, અનુભવે છે તે સમકિતી ધર્મી છે. સમ્યજ્ઞાનદીપિકામાં બહુ સરસ વાત કરી છે. વિશ્વમાં છ દ્રવ્ય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા “સપ્તમ્ દ્રવ્ય” છે. એમ કે જગતમાં છ દ્રવ્યો છે એનાથી ભિન્ન હું સપ્તમ્ દ્રવ્ય છું-આવા વિકલ્પના પક્ષને છોડીને પોતાના નિર્મળ આનંદસ્વરૂપનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં “અવ્યક્ત 'ના છ બોલ છે. સમ્યજ્ઞાનદીપિકામાં તેના પ્રથમ બોલનો આમ અર્થ કર્યો છે-છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞય છે તે વ્યક્ત છે, તેનાથી ભિન્ન આત્મા સપ્તમ દ્રવ્ય છે તે અવ્યક્ત છે. એમ કે એકકોર રાજા અને એકકોર આખું ગામ; એકકોર ચૈતન્ય મહાપ્રભુ આતમરામ સપ્તમ્ દ્રવ્ય અને એક કોર પોતાથી ભિન્ન વિશ્વના છે દ્રવ્યો. આવો માર્ગ છે, પ્રભુ! વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, એનાથી ધર્મ થશે એ તો જીવને અનાદિનું મિથ્યાશલ્ય છે. જીવ અરાગી છે એ વાત તો સાચી છે, સત્યાર્થ છે, પણ એવો અંદર વિકલ્પ ઉઠાવવો એ રાગ છે. ધર્મી જીવ આવા બંને પક્ષપાતથી રહિત છે. તેને ચિસ્વરૂપ જીવ નિરંતર ચિસ્વરૂપ જ અનુભવાય છે. * સમયસાર ગાથા-૧૪૨ | [ ૩૦૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates * કળશ ૭૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * :' જીવ દ્રષી છે “ ચ' એવો એક નયનો પક્ષ છે. અજ્ઞાની કહે છે કે જીવ દ્વષાવાળો છે, પર્યાયથી જીવ દ્રષી છે. આવો વ્યવહારનયનો એક પક્ષ છે. ન તથા' જીવ દ્વેષી નથી “પરચ' એવો બીજા નયનો પક્ષ છે. જીવ અષી છે એવો જે વિકલ્પ તે નિશ્ચયનયનો પક્ષ છે. હું અષી છું એવો જે વિકલ્પ-વૃત્તિ ઊઠે તે રાગ છે, દુ:ખરૂપ છે, બંધનું કારણ છે. તિ' આમ વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “કયો:' બે નયોના “ી પક્ષપાતી' બે પક્ષપાત છે. આ બન્ને પક્ષને છોડી દઈને જે પક્ષપાતરહિત થાય તે જ્ઞાની છે. ૫: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર ‘વિત’ ચિસ્વરૂપ જીવ વસ્તુ વિત્ વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે. જે સમકિતી છે તેને હું દ્વેષી છું કે દ્વેષી નથી એવા નયપક્ષના વિકલ્પ છૂટી જાય છે; એ તો નિરંતર પોતાના શુદ્ધ ચિસ્વરૂપ દ્રવ્યને ચિસ્વરૂપ જ અનુભવે છે. ભાઈ ! આ જ અનાદિનો માર્ગ છે. અનંત તીર્થકરો થયા એમણે આ જ વાત કહી છે. વર્તમાનમાં ધર્મપિતા શ્રી સીમંધર ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજે છે. ગણધરો અને ઇન્દ્રોની સભામાં ૐધ્વનિ દ્વારા તેઓ આ જ વાત કહે છે. ભગવાન કુંદકુંદાચાર્ય વિદેહમાં ગયા હતા. ત્યાંથી જે વાત તે લાવ્યા તે આ વાત છે. આ પરમ સત્ય વાત છે. * કળશ : ૭૪ શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * વર્તા' જીવ કર્તા છે “ ચ' એવો એક નયનો પક્ષ છે. જીવ રાગનો-વ્યવહારનો કર્તા છે એવો વ્યવહારનયનો પક્ષ છે. શુભરાગનો જે વિકલ્પ ઊઠે છે તેનો હુ કર્તા છે એમ વ્યવહારનયના પક્ષવાળો કહે છે. ન તથા' જીવ કર્તા નથી “પરચ' એવો બીજા નયનો પક્ષ છે. નિશ્ચયના પક્ષમાં ઊભો છે તે કહે છે કે જીવ કર્તા નથી. જીવ રાગનો કર્તા નથી એ વાત તો યથાર્થ છે પણ આવો જે વિકલ્પ છે તે નવપક્ષ છે, રાગ છે, બંધનું કારણ છે. ભગવાન આત્મા પર દ્રવ્યનો તો કર્તા છે જ નહિ. પણ દયા, દાનના જે વિકલ્પો થાય તેનો જીવ કર્તા છે એમ માને તેને વ્યવહારનો પક્ષ છે, અજ્ઞાનભાવ છે. ત્યારે વળી બીજો એમ પક્ષ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ સ્વભાવભાવરૂપ વસ્તુ છે, તે રાગનો કર્તા નથી, તો એ પણ વિકલ્પ છે, રાગ છે. જીવ અકર્તા છે એ તો સત્ય છે, પણ એવો વિકલ્પ છે એ રાગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ‘કૃત્તિ’ આમ ‘વિત્તિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘હ્રયો:' બે નયોના ‘āૌ પક્ષપાતૌ’ બે પક્ષપાત છે. ભગવાન આત્મા તો ત્રિકાળ એકસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ, જ્ઞાયકસ્વરૂપ, ચિસ્વરૂપ છે. એમાં કર્તા અને અકર્તાના વિકલ્પોનો સદંતર અભાવ છે. આવા ચિસ્વરૂપ નિજ તત્ત્વને જાણવું અને વેદવું તેનું નામ ધર્મ છે, સુખ છે. આ સિવાય કોઈ બાહ્ય ક્રિયાના લક્ષે શુભભાવ કરે અને એના ફળમાં સ્વર્ગાદિ મળે તોપણ બધો કલેશ છે. આ બધા કરોડપતિ અને અબજોપતિ છે તે દુઃખી છે. પૈસા તરફ જે લક્ષ છે તે રાગ છે અને તે ક્લેશ છે, દુઃખ છે. પુણ્યના ફળમાં કદાચિત્ જીવ સ્વર્ગમાં દેવ થાય તો ત્યાં પણ કલેશનું વેદન છે. ભગવાન આત્મા ચૈતન્યદેવ છે, એનો અનુભવ કર્યા વિના સ્વર્ગના દેવો પણ રાગના કલેશને જ ભોગવે છે. આ વસ્તુસ્વરૂપ છે. ભાઈ! બહારની વાતોમાં કાંઈ સાર નથી, બાપુ! લોકો ભલે બહારની ક્રિયાથી, વ્યવહારના વિકલ્પોથી રાજી થાય, પરંતુ એથી ભવનો અંત નહિ આવે ભાઈ! સમકિતીમાં જ ભવનો અંત કરવાની તાકાત પ્રગટે છે. ‘ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘તસ્ય’ તેને ‘નિત્યં’ નિરંતર ‘વિક્’ ચિસ્વરૂપ જીવ ‘ વસ્તુ વિત્ વ અસ્તિ ' ચિત્સ્વરૂપ જ છે. અહાહા...! કર્તા છું એ પણ નહિ અને અકર્તા છું એ પણ નહિ–એમ બંને નયોના પક્ષપાતથી રહિત થઈને તત્ત્વવેદી ધર્મી જીવ નિરંતર પોતાના ચૈતન્યસ્વરૂપને અનુભવે છે. લ્યો, એકલું માખણ છે. લોક ખુશી થાય એવી વાત નથી પણ પોતાનો આત્મા આનંદિત થાય એવી વાત છે. આવી વાત બેસે નહિ એટલે વિરોધ કરે, પણ શું થાય? અમારે તો બધા આત્મા આત્મા તરીકે સાધર્મી છે. પર્યાયમાં કોઈની કોઈ ભૂલ હોય પણ તેથી કોઈ પ્રત્યે દ્વેષ કરવો તે માર્ગ નથી. કોઈ પ્રાણી પ્રત્યે વેર-વિરોધ ન હોય. બધા આત્મા પ્રતિ મૈત્રીભાવ હોય. ‘સત્ત્વપુ મૈત્રી'ની જ ભાવના હોય. આત્મા દ્રવ્યસ્વભાવે ત્રિકાળ શુદ્ધ છે. નિજ સ્વભાવના આશ્રયે જેણે પોતાની ભૂલને કાઢી નાખી તે બીજાની ભૂલને શું કામ જુએ? અહીં તો બધા આત્માને પ્રભુ કહીએ છીએ. વ્યવહા૨નો પક્ષ હો કે નિશ્ચયનો પક્ષ હો; બન્ને વિકલ્પ છે, ઉદયભાવ છે, સંસારભાવ છે. આત્મા એનાથી ભિન્ન ચીજ છે. તત્ત્વવેદી ધર્મી જીવ પક્ષપાતરહિત થઈને નિરંતર પોતાના ચૈતન્યસ્વરૂપને ચૈતન્યરૂપે જ અનુભવે છે. અહા ! આવો સરસ અધિકાર આવ્યો છે! * * * * કળશ ૭૫ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘મોત્તા’ જીવ ભોક્તા છે ‘ ઘુસ્ય’ એવો એક નયનો પક્ષ છે. જે વિકલ્પ ઊઠે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૦૩ તેનો જીવ ભોક્તા છે એવો વ્યવહારનયનો પક્ષ છે. વર્તમાન પર્યાયને જોનારનો આ વિકલ્પ છે કે જીવ ભોક્તા છે. આ વ્યવહારનો નિષેધ તો પહેલેથી જ કરાવતા આવ્યા છીએ. હવે કહે છે 4 'ન તથા' જીવ ભોક્તા નથી ‘પરસ્ય’ એવો બીજા નયનો પક્ષ છે. ભગવાન આત્મા રાગનો ભોક્તા નથી, આનંદનો ભોક્તા છે-આવો જે વિકલ્પ છે તે નિશ્ચયનયનો પક્ષ છે. એ વિકલ્પ દુઃખરૂપ છે. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અભોક્તા છે એ તો સત્ય છે, પણ એવો જે વિકલ્પ છે તે રાગ છે, દુઃખરૂપ છે. એ વિકલ્પ એક સમયની પર્યાયમાં ભૂલ છે. ‘કૃતિ’ આમ ‘વિતિ’ ચિસ્વરૂપ જીવ વિષે ‘હ્રો:’ બે નયોના ‘કૌ પક્ષપાતૌ’ બે પક્ષપાત છે. હું રાગનો ભોક્તા છું અને ભોક્તા નથી એ બંને પક્ષ વિકલ્પ છે, દુઃખ છે. નિર્મળાનંદનો નાથ, નિત્યાનંદ, સહજાનંદસ્વરૂપ અખંડ અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં હું ભોક્તા છું અને ભોક્તા નથી એવા વિકલ્પોનો અભાવ છે. હું રાગનો ભોક્તા નથી એવો વિકલ્પ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. આવો ભગવાન આત્મા છે. આવી સત્ય વાત સાંભળીને કોઈને તે ન બેસે તો તેને દુ:ખ થાય; પણ શું કરીએ ? તને દુઃખ થાય તો પ્રભુ! માફ કરજે. ભાઈ! તું ભગવાન છો. કોઈ વાતનું સત્ય વાતનું નિરૂપણ કરતાં તને દુઃખ લાગે ત્યાં તને દુ:ખ થાય એવો અમારો ભાવ નથી. અહીં તો વસ્તુના સ્વરૂપનું સત્ય નિરૂપણ જ કરીએ છીએ. ભગવાન ! આ તો હિતની જ વાત છે. આત્મા રાગનો કર્તા છે એવો વિકલ્પ તને શોભતો નથી એ તો ઠીક. અહીં કહે છે કે આત્મા રાગનો ભોક્તા છે અને ભોક્તા નથી એવા વિકલ્પ પણ તને શોભતા નથી. એ વિકલ્પ તારો શણગાર નથી. તું તો નિર્વિકલ્પ છો ને પ્રભુ! વિકલ્પની દશા એ તારી દશા નહિ. શ્રીમદે કહ્યું છે ને કે ‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય;' ' - બીજાં કહીએ કેટલું, કર વિચાર તો પામ ’’ ‘ કર વિચાર તો પામ' એમ કહ્યું છે. વિચારનો અર્થ જ્ઞાન થાય છે. મતલબ કે જ્ઞાન કરે તો પામીશ. રાગ કરે તો પામીશ એમ ત્યાં કહ્યું નથી. આત્મસિદ્ધિમાં બહુ ઊંચી તત્ત્વની વાત છે. સંપ્રદાયવાળાને બેસવું કઠણ પડે છે કેમકે સંપ્રદાયમાં જન્મે ત્યાં સાચું માનીને અટકી જાય છે. પરંતુ ભાઈ! સત્યને તું ન માને તો દુ:ખી થઈશ. વિપરીત માન્યતા વડે જીવ વર્તમાનમાં દુઃખી છે અને ભવિષ્યમાં પણ દુઃખી થશે. આ કોઈના અનાદરની-તિરસ્કારની વાત નથી; એકલી કરુણાનો ભાવ છે. શ્રીમદે કહ્યું છે ને કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪ ] | પ્રવચન રત્નાકર ભાગ-૫ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.'' જ્ઞાનીઓને, અજ્ઞાનપણે વર્તતા જીવોને જોઈ કસણા આવે છે, તિરસ્કાર નહિ. હવે કહે “: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તત્ત્વ' તેને “નિત્ય' નિરંતર “જિત' ચિસ્વરૂપ જીવ “વન જિત ઇવ રત્ન' ચિસ્વરૂપ જ છે. જે સમકિતી ધર્મી જીવ છે તેને નિરંતર ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો ચિસ્વરૂપે જ અનુભવાય છે. * કળશ ૭૬ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * નીવ:' જીવ જીવ છે “ ચ' એવો એક નયનો પક્ષ છે. જીવ સચ્ચિદાનંદ-સ્વરૂપ ભગવાન ત્રિકાળ સ્વરૂપથી છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. આવો જે પક્ષ છે તે વિકલ્પ છે. શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમૂર્તિ ભગવાન સ્વરૂપથી છે એ તો સત્યાર્થ છે, પણ એવો વિકલ્પ જે ઊઠે છે તે નિશ્ચયનો પક્ષ છે અને તે રાગ છે, દુઃખ છે. ‘ર તથા' જીવ જીવ નથી “પરસ્થ' એવો બીજા નયનો પક્ષ છે. પરની અપેક્ષાએ જીવ નથી, સ્વની અપેક્ષાએ છે, પણ પરની અપેક્ષાએ જીવ નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. એ પણ વિકલ્પ છે, રાગ છે. ત' આમ ‘' ચિસ્વભાવરૂપ જીવ વિષે વયો:' બે નયોના ‘ પક્ષપાત' બે પક્ષપાત છે. બંને વિકલ્પ છે તે પર્યાયમાં ભૂલ છે કેમકે સ્વરૂપ તો નિર્વિકલ્પ છે. હવે કહે ‘: તત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘તસ્ય' તેને “નિત્ય' નિરંતર ‘વિત્' ચિસ્વરૂપ જીવ ‘વતુ વિત્વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે. હું જીવ છું, જીવ છું, એમ વિકલ્પ કરવાથી કાંઈ નિજરસ વેદાતો નથી, પણ પક્ષપાત રહિત થઈને અંતર્લીનતાના બળે જે તત્ત્વવેદી છે તે નિરંતર ચૈતન્યરસને અનુભવે છે. ધર્મી જીવને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર વેદનમાં આવે છે. આવી વાત કઠણ પડે એટલે મંડી પડે વ્રત, તપ આદિ બાહ્ય વ્યવહારમાં અને માને કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે, પુણ્યના બળે ભવિષ્યમાં કર્મક્ષય થશે; પણ એ તારી માન્યતા મિથ્યા છે, ભાઈ ! પરમાત્મપ્રકાશમાં “પુouોખ હોદ્દ વિહાવો...' ઇત્યાદિ ગાથા ૬૦ માં કહ્યું છે કે પુણ્યથી વૈભવ મળે છે, વૈભવથી અભિમાન-ગર્વ થાય છે, જ્ઞાન આદિ આઠ પ્રકારના મદથી બુદ્ધિભ્રમ-વિવેકમૂઢતા થાય છે. તેથી અમને આવું પુણ્ય ન હો. કયાં આચાર્ય યોગીન્દ્રદેવનું કથન અને કયાં તારી માન્યતા ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪ર ] [ ૩૦૫ આ તારા આત્માની સ્વદયાની વાત છે. જીવ જેવો (ચિસ્વરૂપ) છે તેવો વિકલ્પ રહિત થઈને અનુભવવો તે સ્વદયા છે. જીવને દયા, દાનના રાગવાળો માનવો, વા નયપક્ષના વિકલ્પોમાં ગુંચવી દેવો તે જીવતી જ્યો-ચૈતન્યજ્યોતિ સ્વરૂપ ભગવાન આત્માનો અનાદર છે, ઘાત છે. રાગથી લાભ માનનાર પોતાની હિંસાનો કરનારો છે. નિજ ચૈતન્યસ્વરૂપનો અનાદર કરવો તે સ્વહિંસા છે, અદયા છે. પ્રભુ! તે અનંત ભવમાં અનંત જન્મમરણ કર્યા. તારું મરણ થતાં તારી માતાના આંખમાંથી જે આંસુ ટપક્યાં તે બધાં આંસુ ભેગા કરીએ તો દરિયાના દરિયા ભરાય. આટલાં જન્મ-મરણ કર્યા છે તેં! એના અતિ ઘોર દુ:ખની શી વાત! (ચાર ગતિનાં) આવાં તીવ્ર દુ:ખથી છૂટવાનો ઉપાય આ જ છે. નયપક્ષના વિકલ્પને છોડીને અંતર્લીન થઈ ચિસ્વરૂપ જીવને ( પોતાને) ચિસ્વરૂપે અનુભવવો તે જન્મ-મરણના અંતનો ઉપાય છે. જે તત્ત્વવેદી છે તે પણ નિરંતર પોતાને ચિસ્વરૂપ જ અનુભવે છે. * કળશ ૭૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સૂક્ષ્મ:' જીવ સૂક્ષ્મ છે “ સ્ય' એવો એક નયનો પક્ષ છે. જીવ રાગાદિથી ભિન્ન ચૈિતન્યપિંડ પ્રભુ સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. નિશ્ચયથી દયા, દાન, વ્રતના જે વિકલ્પ ઊઠે તેની સાથે જીવ એકરૂપ નથી. આવો જીવ સૂક્ષ્મ છે. જીવ સૂક્ષ્મ છે એ તો સાચું જ છે પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે અને તે છોડવા યોગ્ય છે. શરીર સાથે આત્મા એકપિંડરૂપ નથી. નિમિત્તના સંબંધથી શરીર સાથે એકરૂપ છે એમ વ્યવહારથી ભલે કહેવાય, પણ વસ્તુ તરીકે શરીર સાથે આત્મા એક નથી. જો શરીર સાથે Iભા એક થઈ જાય તો જેમ આત્મા વસ્તુ નિત્ય છે તેમ શરીર પણ નિત્ય થઈ જાય, શરીરનો પણ નાશ ન થાય. પણ એમ છે નહિ. તેવી રીતે આત્મા લોકાલોક સાથે એકમેક હોય તો જેમ લોકાલોક દેખાય છે તેમ આત્મા પણ દેખાવો જોઈએ. પણ એમ છે નહિ. તેથી આત્મા શરીરથી, રાગથી, લોકાલોકથી ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ ભગવાન સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. આ પક્ષ છે તે રાગ છે તેથી તેને છોડવાની અહીં વાત છે. ચૈતન્યરત્ન પ્રભુ આત્મા, શરીર, મન, વાણી, ઇન્દ્રિય કે રાગ સાથે તન્મય નથી એવો સૂક્ષ્મ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. હવે કહે છે ન તથા' જીવ સૂક્ષ્મ નથી “પરચ' એવો બીજા નયનો પક્ષ છે. જીવ રાગવાળો, કર્મવાળો છે માટે સ્થૂળ છે, સૂક્ષ્મ નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. આનો તો પ્રથમથી જ આચાર્યદવ નિષેધ કરતા આવ્યા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અહીં બન્ને પક્ષની વાત સાથે લીધી છે. એમાં રાગથી ભિન્ન હું સૂક્ષ્મ છું એવો નિશ્ચયનયના પક્ષનો જે વિકલ્પ ઉઠે છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે કેમકે તે રાગ છે. આ પ્રથમ ભૂમિકાની-સમ્યગ્દર્શનની વાત ચાલે છે. અહીં કહે છે કે દયા, દાન, વ્રત આદિ રાગના પૂળ વિકલ્પો સાથે જે તન્મય-એકમેક નથી એવો ચૈતન્યજ્યોતિ-સ્વરૂપ ભગવાન આત્મા સૂક્ષ્મ છે. પણ હું સૂક્ષ્મ છું એવા નયપક્ષના વિકલ્પમાં રોકાવું તે રાગ છે. એ નયપક્ષના સૂક્ષ્મ વિકલ્પ સાથે આત્મા તદ્રુપ નથી. ભાઈ ! હું સૂક્ષ્મ છું એવા નિશ્ચયના પક્ષરૂપ સૂક્ષ્મ વિકલ્પથી પણ આત્મા જણાય એમ નથી તો પછી વ્યવહારનો સ્થૂળ રાગ કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત કયાં રહી? એ તો બહુ શૂળ, વિપરીત વાત છે, (અને શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને કર્મ તો કયાંય દૂર રહી ગયાં.) જગતને આકરો લાગે પણ અનંત તીર્થકરો, અનંત સર્વજ્ઞો અને અનંત સંતોએ જાહેર કરેલો આ માર્ગ છે. કોઈને લાગે કે અમારો માનેલો અને અમને ગોઠેલો માર્ગ ઉથાપે છે તો તેને કહીએ છીએ કે-પ્રભુ! ક્ષમા કરજે; પણ માર્ગ તો આ જ છે, ભાઈ ! હું સૂક્ષ્મ છું એવા નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પમાં રોકાવાથી પણ નુકશાન છે કેમકે એવા વિકલ્પથી આત્મા વેદનમાં આવી શકતો નથી. તો પછી દયા, દાન, વ્રત, ભક્તિના સ્થૂળ વિકલ્પથી આત્મા જણાય છે કેમ બની શકે? વિકલ્પ છે એ તો કલંક છે અને વસ્તુ છે તે નિરંજન નિષ્કલંક છે. કલંકથી નિષ્કલંક વસ્તુ પમાય એવી માન્યતા તો મહાવિપરીતતા છે. ભાઈ ! બીજી રીતે માન્યું હોય એટલે દુઃખ થાય, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે. (માન્યતા બદલે તો સુખ થાય એમ છે). આ તો હજુ પ્રથમ ભૂમિકાની સમ્યગ્દર્શનની વાત ચાલે છે. ચારિત્ર તો મહા અલૌકિક વસ્તુ છે. આત્મા સ્વપરપ્રકાશકસ્વભાવના સામર્થ્યરૂપ ચૈતન્યતત્ત્વ છે. પરને પોતાના માને એવો તેનો સ્વભાવ નથી. અહાહા..! એકલી ચિસ્વરૂપ વસ્તુમાં સૂક્ષ્મ છું અને સૂક્ષ્મ નથી એવા નયપક્ષના વિકલ્પોને અવકાશ જ કયાં છે ? આવા ચિસ્વરૂપ આત્માને વિકલ્પરહિત થઈને અનુભવવો તે સમ્યગ્દર્શન છે. અહીં કહે છે ત' આમ “જિત' ચિસ્વરૂપ જીવ વિષે “યો:' બે નયોના “ૌ પક્ષપાતી' બે પક્ષપાત છે. આવા નયપક્ષ છે તે વિકલ્પ છે અને બન્ને પ્રકારના વિકલ્પ નિષેધવા યોગ્ય છે કેમકે વિકલ્પમાં રોકાતાં આત્માનુભવ થતો નથી. શરીર, મન, વાણી, વિકલ્પ એ બધું જાણનારમાં જણાય છે, પણ જાણનાર બીજી ચીજ સાથે એકમેક નથી. અહીં કહે છે કે જે જાણનાર છે તે ચિસ્વરૂપ ભગવાન આત્માને જો. રાગના વિકલ્પને તું જુએ છે પણ રાગ તો અંધકાર ' જાણનારને જાણ. જે તત્ત્વવેદી છે તે વિકલ્પ રહિત થઈને પોતાના સ્વરૂપને-શાયકને જ અનુભવે છે. એ જ કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૦૭ ય: તત્ત્વવેતી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તસ્ય' તેને “નિત્ય' નિરંતર “વિત્' ચિસ્વરૂપ જીવ “રંતુ વિત્ પર્વ અસ્તિ' ચિસ્વરૂપ જ છે. ધર્મી જીવોને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો અનુભવાય છે. અહા ! દિગંબર સંતો-કેવળીના કેડાયતો જગતું સમક્ષ જાહેર કરે છે કે ચિસ્વરૂપ તો ચિસ્વરૂપ જ છે. તેમાં નયના પક્ષપાતને અવકાશ નથી. વ્યવહારના પક્ષનો તો અવકાશ નથી, પણ હું સૂક્ષ્મ છું એવા સૂક્ષ્મ વિકલ્પનો પણ અવકાશ નથી. આવી વસ્તુનો અનુભવ સમ્યગ્દર્શન છે. * કળશ ૭૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘હેતુ:' જીવ હેતુ (કારણ) છે “પ્રવચ' એવો એક નયનો પક્ષ છે. જીવને જે રાગાદિ થાય છે તેનું જીવ કારણ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવ છે તો દયા, દાન, વ્રતાદિનો રાગ થાય છે; માટે રાગભાવનું જીવ કારણ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. આનો તો આચાર્યદેવ પહેલેથી નિષેધ કરતા આવ્યા છે. અહીં નિશ્ચયના પક્ષનો પણ નિષેધ કરે છે. કહે છે ન તથા' જીવ હેતુ (કારણ) નથી “પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. રાગ અને પરનું કારણ આત્મા છે જ નહિ એવો નિશ્ચયનયનો પક્ષ છે. આ પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે. તેને અહીં છોડાવે છે. ભાઈ ! આ અલૌકિક વાત છે. એને લોકના અભિપ્રાય સાથે જરાય મેળ ખાય એમ નથી. ભગવાન આત્મા અનાદિ અનંત જ્ઞાનનો ધ્રુવ-ધ્રુવ પ્રવાહ છે. નાળિયેરમાં છૂટા પડેલા ગોળાની જેમ આત્મા રાગ અને પરથી ભિન્ન ચૈતન્યગોળો છે. તે રાગ અને પરનું કારણ નથી. વ્યવહારરત્નત્રયના રાગનું આત્મા કારણ નથી. છે તો એમ જ, પણ એવો જે નયપક્ષ છે તે વિકલ્પ છે. રાગ છે. ભાઈ ! આ તો અંતરની વાત છે. બધું જાણું પણ જાણનારને જાણ્યો નથી. જે પદાર્થો જણાય છે તેના અસ્તિત્વને માને છે પણ જાણનાર એવા પોતાના અસ્તિત્વને જાણતો નથી. અહા! કેવું વિચિત્ર! જે નયપક્ષના વિકલ્પ છે તેને જાણે છે પણ વિકલ્પથી ભિન્ન પોતાને જાણતો નથી. અહીં કહે છે-હું કોઈનું કારણ નથી એવો વિકલ્પ પણ નુકશાનકર્તા છે કેમકે તે વિકલ્પમાં રોકાઈ રહેવાથી આત્મા જણાતો નથી. એ જ કહે છે રૂતિ' આમ “વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “કયો:' બે નયોના “ક પક્ષપાતી' બે પક્ષપાત છે. જીવ કારણ છે અને જીવ કારણ નથી એ તો બે નયોના બે પક્ષપાત છે, વિકલ્પ છે. તે વિકલ્પ સાથે ભગવાન આત્મા તન્મય નથી. વિકલ્પ સાથે વસ્તુ તન્મય નથી તો વિકલ્પથી વસ્તુ કેમ જણાય? અહાહા...! જીવ પરનું અને રાગનું કારણ નથી એવો વિકલ્પ પણ છોડીને આત્મસન્મુખતા કરી આત્માનુભવ કરવાનું આચાર્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કહે છે. હું કોઈનું કારણ નથી એવા વિકલ્પરૂપ આંગણાને છોડીને ચિસ્વરૂપ ઘરમાં પ્રવેશી જા, એને વેદ એમ આચાર્યદવ કહે છે કેમકે આનું જ નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. કુંભારથી ઘડો થાય છે એ વાતનો તો પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ પણ અહીં તો માટીથી ઘડો થાય છે એવો જે પક્ષ-વિકલ્પ છે એનો પણ નિષેધ કરીએ છીએ. ભાઈ ! આ તારા હિતની વાત છે. તેનો તું યથાર્થ-સમ્યક નિર્ણય કર. જો ૧. જીવ પરનું કારણ છે એ વાતનો તો પ્રથમથી જ નિષેધ કરવામાં આવ્યો છે, ૨. જીવ કારણ નથી એવો જે વિકલ્પ છે તેનો પણ અહીં નિષેધ કરવામાં આવે છે. માટે, ૩. નયોના પક્ષપાતને છોડી, વિકલ્પનું લક્ષ છોડી એક ચિસ્વરૂપ આત્મા છે તેનું લક્ષ કરી આત્માનુભવ પ્રગટ કર. એ જ સમ્યગ્દર્શન અને ધર્મ છે. તત્ત્વવેદી જીવો પણ શુદ્ધ આત્માનો જ નિરંતર અનુભવ કરે છે. એ જ કહ્યું છે ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર “વિત’ ચિસ્વરૂપ જીવ “વસુ રિત છવ શસ્તિ' ચિસ્વરૂપ જ છે. ધર્મી જીવો નયોના પક્ષપાતથી હઠીને ચૈતન્યસ્વરૂપ પોતાને જેવો છે તેવો જ અનુભવે છે. આ તો સર્વજ્ઞનો માલ સંતો આડતિયા થઈને જાહેર કરે છે. તેનાં રુચિ અને પોષાણ કર. * કળશ : ૭૯ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વાર્ય' જીવ કાર્ય છે “પસ્ય' એવો એક નયનો પક્ષ છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એનાથી આત્મા પ્રાપ્ત થાય એવો વ્યવહારનયનો એક પક્ષ છે. જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહારનયનો પક્ષ છે એનો તો પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ. અહીં હવે એનાથી આગળ વાત લઈ જાય છે. ન તથા' જીવ કાર્ય નથી “પરણ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ ત્રિકાળ ચૈતન્યસ્વભાવમય સ્વયંસિદ્ધ અકૃત્રિમ વસ્તુ છે; રાગનું તે કાર્ય નથી એવો નિશ્ચયનયનો પક્ષ છે. અહાહા.! નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા રાગનું કાર્ય નથી એવો જે નિશ્ચયનો પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે, તેનાથી આત્મા પ્રાપ્ત થતો નથી. ૧. જીવ રાગનું કાર્ય છે એવો જે વ્યવહારનયનો પક્ષ છે તેનો તો પહેલેથી જ નિષેધ કરતા આવ્યા છે, અને ૨. જીવ રાગનું કાર્ય નથી એવો જે વિકલ્પ છે તે નિશ્ચયનયનો પક્ષ છે તે પણ નિષિદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૮૯ બને નયપક્ષ છે ને ! એ જ કહે છે ‘રૂતિ' આમ ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “કયો:' બે નયોના ‘કૌ પક્ષપાત' બે પક્ષપાત છે. ભગવાન આત્મા તો ચિસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. તેમાં હું આવો છું અને આવો નથી એવા વિકલ્પોનો અવકાશ કયાં છે? જ્ઞાનસ્વરૂપ આત્મા તો વિકલ્પના કાળે પણ વિકલ્પનો જાણનાર છે. વિકલ્પ સાથે આત્મા એકમેક-તતૂપ નથી. વિકલ્પને છોડી વિકલ્પનો જાણનાર છે તેને તું જો ને! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદનું ધામ પ્રભુ આત્મા છે તેમાં તું જો, ત્યાં નજર કર; તને પરમ નિધાન પ્રાપ્ત થશે. ભાઈ ! પ્રતિક્ષણ તું દેહ છૂટવાની નજીક જતો જાય છે કેમકે દેહુ તો એના નિયત કાળે અવશ્ય છૂટશે જ. આ રાગ છોડવાનો કાળ (અવસર) છે. પ્રભુ! તેમાં જ આત્માની સન્મુખ થઈ રાગ ન છોડયો તો કયાં જઈશ ભાઈ ? દેહ તો એના કાળે તત્પણ છૂટી જશે, પછી કયાં ઉતરીશ, બાપા? (ક્યાંય કાગડે, કૂતરે અને કંથને ચાલ્યો જઈશ). કેટલાક કહે છે આવો ધર્મ ! ભક્તિ કરો, પુજા કરો, દાન કરો, મંદિર બનાવો, ગજરથ કાઢો, શાસ્ત્રનો પ્રચાર કરો-ઇત્યાદિ તો ધર્મની પ્રવૃત્તિ છે. અરે ભાઈ ! એ તો બધી વિકલ્પોની ધાંધલ છે. એ તો ક્ષોભ અને આકુળતા ઉત્પન્ન કરનારી છે. અહીં તો કહે છે હું સ્વયંસિદ્ધ છું, કાર્ય નથી એવો જે સુક્ષ્મ વિકલ્પ છે તે પણ આકુળતારૂપ છે. માટે નયપક્ષના વિકલ્પનો ત્યાગ કરી શુદ્ધ ચિસ્વરૂપ વસ્તુનો અનુભવ કર. જ્ઞાની પુરુષો પણ પક્ષપાતરહિત થઈને એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ નિરંતર અનુભવે છે. એ જ કહે છે ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર ‘વિત’ ચિસ્વરૂપ જીવ “વહુ તિ વ મસ્તિ' ચિસ્વરૂપ જ છે. ધર્મી જીવ પોતાને જેવો ચિસ્વરૂપ જીવ છે તેવો જ નિરંતર અનુભવે છે. એનું નામ આત્મ-ખ્યાતિ છે ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! વિકલ્પરહિત આત્મા જેવો છે તેવો અનુભવવો તે આત્મખ્યાતિ એટલે આત્મપ્રસિદ્ધિ છે. * કળશ ૮૦: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * ‘માવ:' જીવ ભાવ છે (અર્થાત ભાવરૂપ છે) “વચ' એવો એક નયનો પક્ષ છે. જીવ ભાવ છે, અતિરૂપ સ્વભાવ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ સ્વભાવભાવ છે એવી જે વૃત્તિ ઊઠે છે તે વિકલ્પ છે અને તેને અહીં છોડવાની વાત છે. જાઓ, હાર ખરીદતી વખતે હાર કેવો છે, કેવડો છે, એની કિંમત કેટલી ઇત્યાદિ બધું પૂછે પણ તેને પહેરતાં તે વિકલ્પોને યાદ કરતો નથી. પહેરતી વેળા તો તે વિકલ્પોને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ લક્ષમાંથી છોડી દે છે. પહેરતી વખતે તો તેની શોભા ઉપર જ લક્ષ છે તેમ અહીં કહે છે-જીવ ભાવસ્વરૂપ છે એ તો સત્ય જ છે. પણ તેવો જે વિકલ્પ ઊઠે છે તે જીવની શોભા નથી. વિકલ્પ છોડીને જે ભાવસ્વરૂપ આત્મા છે તેને વેદવું-જાણવું એ શોભા છે, એ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન લોકોને સાંભળવા મળ્યું નથી એટલે નવું લાગે છે, પણ ભાઈ ! આ તો અનાદિથી ચાલ્યો આવતો મૂળ માર્ગ છે. અનંત કેવળીઓએ અને અનંત સંતોએ કહેલો આ માર્ગ છે. જીવ ચૈતન્યસ્વભાવભાવ, આનંદસ્વભાવભાવ, શાંતિસ્વભાવભાવ, ઇશ્વરસ્વભાવભાવએવો આત્મા ભાવ છે એ તો સત્યાર્થ જ છે. પણ હું આવો છું એવો વિકલ્પ નિશ્ચયનો પક્ષ છે. આવું ઊંડે ઊંડે ચિંતન કરવું તે વિકલ્પ એટલે રાગ છે, અને તે છોડવા યોગ્ય છે. હવે કહે છે ન તથા' જીવ ભાવ નથી (અર્થાત્ અભાવરૂપ છે) “પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ ભાવ નથી એટલે કે પરથી અભાવરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. દયા, દાન, પૂજા આદિના વિકલ્પથી જીવ અભાવરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે. આનો તો આચાર્ય ભગવાન પહેલેથી જ નિષેધ કરતા આવ્યા છે. અહા! શ્રદ્ધામાં તો નક્કી કર કે વિકલ્પ છોડવા યોગ્ય છે, એનાથી લાભ નથી. રૂતિ' આમ તિ' ચિસ્વરૂપ જીવમાં “યો:' બે નયોના “ૌ પક્ષપાતી' બે પક્ષપાત છે. બન્ને નયપક્ષ વિકલ્પ છે. અહો ! ચિસ્વરૂપ આત્માની શી વાત કરવી? વાણીમાં તો એનું સ્વરૂપ ન આવે પણ વિકલ્પથી પણ એ જણાય એવી ચીજ નથી. પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે લોકોને આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારની ખબર નથી. આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવભાવરૂપ છે. તેનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે. હું ભાવસ્વરૂપ છું એવો જે વિકલ્પ ઊઠે તે અધ્યાત્મ-વ્યવહાર નથી; વિકલ્પ છૂટીને નિર્વિકલ્પદશાને પ્રાપ્ત થયું તે અધ્યાત્મ-વ્યવહાર છે. જ્ઞાનીઓને આવો આત્મવ્યવહાર હોય છે. એ જ કહે છે ય: તત્ત્વવેત ચુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર “વિત’ ચિસ્વરૂપ જીવ “વહુ ચિત્ વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે. અહાહા...! નયપક્ષના વિકલ્પથી રહિત જ્ઞાનીને ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપે જ અનુભવાય છે, અને તે ધર્મ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૧૧ * કળશ ૮૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘:' જીવ એક છે “ઇસ્ય' એવો એક નયનો પક્ષ છે. હું એક છું એવો નિશ્ચયનયનો પક્ષ છે તે વિકલ્પ છે. હવે કહે છે ન તથા' જીવ એક નથી (–અનેક છે) “પુરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવને અનંત ગુણ છે, પર્યાય છે એ અપેક્ષા જીવ અનેક છે એવો વ્યવહારનયનો પક્ષ છે. અહીં આ વિકલ્પની વાત છે. ૪૭ શક્તિના અધિકારમાં ‘એક’ એવો આત્માનો ગુણ છે અને અનેક” એવો પણ આત્માનો ગુણ છે એની વાત કરી છે. એ તો આત્માના એક-અનેક સ્વભાવની વાત છે. અહીં તો હું એક છું, અનેક છું એવા નયપક્ષની વાત ચાલે છે. ‘રૂતિ'-આમ ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘યો:' બે નયોના ‘કૌ પક્ષપાતૌ' બે પક્ષપાત છે. જીવ અનેકસ્વરૂપ છે એ વ્યવહારનયનો પક્ષ છે. તેને તો પહેલેથી છોડાવતા આવ્યા છીએ. પણ જીવ એક છે એવો નિશ્ચયનો પક્ષ પણ છોડવા યોગ્ય છે. વસ્તુ ત્રિકાળ એકરૂપ ચિતૂપ છે એવું જીવનું સ્વરૂપ છે ખરું, પણ એવો વિકલ્પ ઊઠે તે રાગ છે માટે નિષેધવા યોગ્ય છે-એમ કહે છે. આત્મા અનંતગુણનું ધામ એક વસ્તુ છે એવી જે વૃત્તિ ઊઠે તે દુ:ખરૂપ છે, બંધનું કારણ છે. જીવ ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. એકલું જ્ઞાન, જ્ઞાન જ્ઞાન એનું સ્વરૂપ છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નહિ. જેમ સાકરનો મીઠો સ્વભાવ, અફીણનો કડવો સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે. તેમાં એક-અનેકના વિકલ્પ કયાં સમાય છે? હું એક છું એવો વિકલ્પ પણ ચિસ્વરૂપમાં નથી. દયા, દાન, ભક્તિના પરિણામથી નિશ્ચય થાય એ વાત તો તદ્દન વિરુદ્ધ છે. કોઈને ન બેસે તોય માર્ગ તો આવો જ છે. દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આ વાત આવી છે. સમોસરણસ્તુતિમાં આવે છે ને કે રે રે સીમંધરનાથના વિરહ પડયા આ ભરતમાં !” ભગવાનના ભરતક્ષેત્રમાં વર્તમાનમાં વિરહ પડયા છે. વિદેહક્ષેત્રમાં સીમંધર પ્રભુ સાક્ષાત્ બિરાજે છે. ત્યાં દરરોજ ત્રણ વખત છ છ ઘડીäધ્વનિ છૂટે છે. અહા ! ભરતમાં ભગવાનનો વિરહ પડયો! આ તો પરદ્રવ્યની અપેક્ષાએ વાત થઈ. અહીં કહે છે કે-નયપક્ષની જાળમાં ગુંચાઈ જવાથી, પોતે આત્મા અનંતગુણનો નાથ, પોતાના અનંત ગુણોની મર્યાદાને ધરનાર સીમંધરનાથ છે તેનો પોતાને વિરહ પડયો છે. બહારની વાત તો ક્યાંય રહી ગઈ. આ લોકાલોક છે એમાં જીવ ક્યાં છે? અહાહા..લોકાલોકને જાણનારો જીવ લોકાલોકથી તદ્દન જુદો છે. દેથી પણ આત્મા જુદો છે. દેહ સાથે જો આત્મા એકમેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧ર ] ચન રત્નાકર ભાગ-૫ હોય તો આત્મા જેમ નિત્ય છે તેમ દેહ પણ નિત્ય થઈ જાય, દેહાવસાન ન થાય, મરણ ન થાય. પણ એમ છે નહિ, કેમકે દેહ આત્માથી ભિન્ન છે, આત્મા દેહથી ભિન્ન છે. આવો આત્મા છે તેમાં નયપક્ષનો વિકલ્પ ઊઠાવે તો ભગવાનના વિરહુ પડી જાય છે, આત્મા દૂર રહી જાય છે, અર્થાત્ અનુભવમાં આવતો નથી. પરંતુ નયપક્ષનો ત્યાગ કરીને જે આત્મસન્મુખ થાય છે તે નિજાનંદરસને અનુભવે છે. એ જ કહે છે ‘: તત્વવેલી વ્યુતપક્ષપત:' જે તત્ત્વવેદી પક્ષપાતથી રહિત છે ‘તચ' તેને “નિત્ય' નિરંતર “વિત’ ચિસ્વરૂપ જીવ “વસુ તિ છવ સ્તિ' ચિસ્વરૂપ જ છે. જેણે નય-પક્ષના વિકલ્પોને છોડી દીધા છે તે ધર્મી જીવ પક્ષપાતરહિત થઈને પોતાના ચૈતન્ય-સ્વરૂપને જેવું છે તેવું સદાય અનુભવે છે, ધર્મી જીવ પોતાના ચૈતન્યતત્ત્વને વેદે છે, પણ વિકલ્પને વેદતો નથી. * કળશ ૮૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સાન્ત:' જીવ સાત (-અંતસહિત) છે “ ચ' એવો એક નયનો પક્ષ છે. જીવ એક સમયની દશા જેટલો સાત એટલે અંતસહિત છે એવો વ્યવહારનયનો પક્ષ છે. એક સમયની અવસ્થા જેટલો જ જીવ છે, જીવ ક્ષણિક છે એવો બૌદ્ધ આદિનો એકાંત મત છે. એ તો મિથ્યાત્વ છે. તેઓ ત્રિકાળી ચીજને માનતા જ નથી. અહીં તો એક સમયની દશાને દેખીને જીવ સાંત છે એમ માનવું તે વ્યવહારનયનો પક્ષ છે. એનો નિષેધ તો પહેલેથી કરતા આવ્યા છીએ. હુર્ત કર્યું છે ન તથા' જીવ સાત નથી “પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ અનાદિ-અનંત ત્રિકાળ ધ્રુવ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ-ધ્રુવ ધ્રુવ એમ ત્રિકાળ ધ્રુવ છે એ વાત તો સાચી છે પણ એવો વિકલ્પ ઉઠાવવો તે નયપક્ષ છે અને તે વસ્તુની અંદર પ્રવેશ કરવામાં વિઘ્ન કરનાર છે. ‘રૂતિ' આમ ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘યો:' બે નયોના ‘કૌ પક્ષપાતૌ' બે પક્ષપાત છે. હું સાત છું, પર્યાય જેવડો છું એવો વ્યવહારનયનો જે પક્ષ છે તેનો તો નિષેધ પહેલેથી કરાવ્યો છે. અહીં હું અનાદિ અનંત ધ્રુવ ચૈતન્યધામ છું એવો નિશ્ચયના પક્ષનો જે વિકલ્પ છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે. ભગવાન આત્મા ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળ સત્ મોજુદગીવાળી સચ્ચિદાનંદસ્વરૂપ ચીજ છે. આવી ચીજ સાત નથી, ત્રિકાળ છે એ સત્યાર્થ છે. પરંતુ એવો જે વિકલ્પ છે તે રાગ છે, વસ્તુનો અનુભવ થવામાં બાધારૂપ છે. પક્ષ છે ને! તે અનુભવ થવામાં વિપ્ન-કર્તા છે માટે તેનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે. ચિસ્વરૂપ જીવ વિકલ્પ સાથે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] | [ ૩૧૩ તન્મય-એકમેક નથી. અજ્ઞાની માને કે જીવ રાગસ્વરૂપ છે, પણ જીવ તો ચિસ્વરૂપ જ છે અને જ્ઞાની પોતાને ચિસ્વરૂપ જ અનુભવે છે. એ જ કહે છે “૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તસ્ય' તેને “નિત્ય' નિરંતર “વિત્' ચિસ્વરૂપ જીવ નુ ચિત્ વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે. નયપક્ષનો જેણે ત્યાગ કર્યો છે એવો ધર્મી જીવ ચૈતન્યમય જીવને જેવો છે તેવો જ અનુભવે છે અને તેનું જ નામ ધર્મ છે. વિકલ્પ વખતે પણ જ્ઞાની તેનું જ્ઞાન કરનારો જ્ઞાનસ્વરૂપે જ રહે છે. ભીંત ઉપર જે ખડી લગાવે છે તે ખડીથી દિવાલ ભિન્ન જ છે. તેમ જગતના પદાર્થોને જાણનાર જ્ઞાની જગતથી તદ્દન ભિન્ન છે. જગત અને રાગના વિકલ્પોમાં તે એકમેક થતો નથી, પણ ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ રહે છે. આવી વાત છે. * કળશ ૮૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નિત્ય:' જીવ નિત્ય છે “ શ્ય’ એવો એક નયનો પક્ષ છે. જીવ ત્રિકાળ નિત્ય છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ અવિનાશી નિત્ય છે એ વાત તો બરાબર છે પણ એવો જે વિકલ્પ છે તે રાગ છે. નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પને પણ તોડી નાખે તો ચિસ્વરૂપ જીવની પ્રાપ્તિ થાય છે. હવે કહે છે “ન તથા' જીવ નિત્ય નથી “પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ અનિત્ય છે, ક્ષણ વિનાશી છે એવો વ્યવહારનયનો પક્ષ છે. વ્યવહારનો વિકલ્પ તો પહેલેથી છોડાવતા આવ્યા છીએ, પણ જીવ નિત્ય છે એવો ચિંતનરૂપ વિકલ્પ પણ અહીં છોડવાની વાત છે, કેમકે એવો વિકલ્પ પણ રાગ છે, દુઃખદાયક છે. રૂતિ' આમ “જિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “કયો:' બે નયોના “તી પક્ષપાતી' બે પક્ષપાત છે. બંને પક્ષરૂપ વિકલ્પો છે તે દુઃખદાયક છે. વિકલ્પ વસ્તુના સ્વરૂપમાં નથી. માટે નિત્યનો પણ વિકલ્પ છોડી નિત્ય જે વસ્તુ છે તેનું વેદન કર. પર્યાયમાં નિર્વિકલ્પ વેદના થાય તે ધર્મ છે. “નિત્ય ’નું વેતન છોડીને “નિત્ય’ના વિકલ્પમાં ઊભા રહેવું તે અધર્મ છે. અમૃતનો સાગર ભગવાન આત્મા છે. તેમાં નયનો વિકલ્પ ઉઠાવવો તે અમૃત-સાગરથી વિરુદ્ધ ભાવ છે. ભાઈ ! શુકલ લશ્યાના શુભ પરિણામ થાય તે વિરુદ્ધ ભાવ છે. આ જીવ એવા શુકલ લેશ્યાના શુભ પરિણામ અનંતવાર કરી ચૂકયો છે. પણ એ બધું બંધનું જ કારણ બન્યું છે. જે સર્વ નયપક્ષના વિકલ્પને છોડી સ્વરૂપસન્મુખ થાય તેને ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ અનુભવાય છે. એ જ કહે છે “ : તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તક્ષ્ય' તેને “નિત્ય' નિરંતર ‘વિત’ ચિલ્વરૂપ જીવ ‘વનુ વિત્ વ મસ્તિ' ચિસ્વરૂપ જ છે. વિકલ્પ તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અજ્ઞાન છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. તત્ત્વને જાણનારો-અનુભવનારો વિકલ્પરહિત છે. તે વિકલ્પનો જાણનારમાત્ર છે. તેને નિરંતર ચિત્સ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ અનુભવાય છે. આવી વાત છે. 4 * * કળશ ૮૪ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * . वाच्यः જીવ વાચ્ય ( અર્થાત્ વચનથી કહી શકાય એવો) છે ‘સ્ય' એવો એક નયનો પક્ષ છે. જીવ વાચ્ય છે એવો વ્યવહારનયનો પક્ષ છે. ૪૭ નયમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ–એમ ચાર નયનું કથન આવે છે. તેમાં વચનથી કહી શકાય એવો એક જીવમાં ધર્મ છે તેને નામનય કહેલ છે. જીવ વક્તવ્ય છે એટલે કે વચનથી કહી શકાય છે. અહા! કયાં ભગવાન આત્મા અને કયાં વાણી? વાણી જડની પર્યાય છે અને આત્મા એનાથી ભિન્ન ચૈતન્યમય વસ્તુ છે. અહીં કહે છે-જીવ વાચ્ય એટલે વચનગોચર છે અર્થાત્ વચનથી કહી શકાય છે. આવો એક વ્યવહારનયનો પક્ષ છે. જેમ ભગવાન આત્મામાં સ્વપને જાણવાનું સામર્થ્ય છે તેમ વાણીમાં સ્વપ૨ને કહેવાનું સામર્થ્ય છે. હવે કહે છે * ‘ન તથા ’જીવ વાચ્ય (–વચનગોચર) નથી ‘પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ વચનગોચર નથી એવો જે વિકલ્પ થાય તે નિશ્ચયનયનો પક્ષ છે. શ્રીમમાં આવે છે ને કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ તે પણ શ્રી ભગવાન જો.' જીવ વચનગોચર નથી, અનુભવગોચર છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પગોચર પણ જીવ નથી. તેથી આવો નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ પણ અહીં નિષેધ્યો છે. ‘કૃતિ’ આમ ‘વિત્તિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘ધૈર્યો:' બે નયોના ‘āૌ પક્ષપાતૌ' બે પક્ષપાત છે. આ બંને પક્ષ વિકલ્પ છે અને વસ્તુ નિર્વિકલ્પ છે. બંને નયોના પક્ષપાત રહિત તત્ત્વ ચિસ્વરૂપ છે. તેને તેવું જ અનુભવવું તે ધર્મ છે. એ જ કહે છે * ‘ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાત રહિત છે ‘તસ્ય’ તેને ‘નિત્યં’ નિરતંર ‘વિક્’ ચિસ્વરૂપ જીવ ‘ હતુ વિસ્ વ મસ્તિ' ચિસ્વરૂપ જ છે. * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] * કળશ ૮૫ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘નાના’ જીવ નાનારૂપ છે ‘PT’ એવો એક નયનો પક્ષ છે. જીવ અનેક ગુણપર્યાયની અપેક્ષાએ નાનારૂપ એટલે અનેકરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. ‘ન તથા’ જીવ નાનારૂપ નથી ‘ પરફ્ય’ એવો બીજા નયનો પક્ષ છે. એકવસ્તુપણાની દૃષ્ટિએ જીવ અનેકરૂપ નથી અર્થાત્ એક છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. ‘કૃતિ’ આમ ‘વિત્તિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘હ્રયો:' બે નયોના ‘ૌ પક્ષપાતૌ' બે પક્ષપાત છે. બંને પક્ષ છે તે વિકલ્પ છે. હું અનેક છું, અનેક નથી, એક છું-એવા વિકલ્પમાં રોકવું તે સહજ અવસ્થાને વિઘ્નકર્તા છે. અહો! દિગંબર સંતોએ જંગલમાં રહીને અમૃતના સાગર ઊછાળ્યા છે! [ ૩૧૫ જ્ઞાનસ્વરૂપ આત્મા ચૈતન્યચમત્કારરૂપ વસ્તુ છે. તેમાં નયપક્ષના વિકલ્પ નથી. બંને નયોના પક્ષપાતને છોડી જે તત્ત્વવેદી છે તે પોતાના ચૈતન્યચમત્કારરૂપ ઘરમાં પ્રવેશી જાય છે. વિકલ્પરૂપી આંગણાને છોડી દઈને ધર્મી જીવ શુદ્ધ ચૈતન્મય ઘરમાં જ નિરતર રહે છે. એ જ કહે છે ‘ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘તસ્ય' તેને ‘નિત્યં’ નિરંતર ‘વિત્’ ચિસ્વરૂપ જીવ ‘વ્રુત્તુ વિત્ વ અસ્તિ' ચિસ્વરૂપ જ છે. ધર્મી જીવ નિરંતર ચૈતન્યના સ્વાદને જ વેદે છે. * * * * કળશ ૮૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘ શ્વેત્ય: ’ જીવ ચેત્ય (–ચેતાવા યોગ્ય ) છે ‘પુત્સ્ય’ એવો એક નયનો પક્ષ છે. આત્મા ચેતાવા અર્થાત્ જણાવા યોગ્ય છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. આત્મા ચેતાવા યોગ્ય છે એ વાત તો બરાબર છે, કેમકે જગતની ચીજોથી તે ભિન્ન છે. વિકલ્પ સહિત આખું જગત્ તેનાથી ભગવાન જગદીશ્વર ભિન્ન છે માટે તે ચેતાવા યોગ્ય છે. પરંતુ હું ચૈત્ય કહેતાં ચેતાવા યોગ્ય છું એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે. હું ચેત્ય છું એવા વિકલ્પથી ભગવાન ‘ચેત્ય ’ ભિન્ન છે, તે વિકલ્પ સાથે એકમેક નથી. ભાઈ! પરનો કર્તા અને ભોક્તા છે એ વાત તો કય ય રહી, અહીં કહે છે હું ચેત્ય છું એવા વિકલ્પથી પણ ચેત્ય જે વસ્તુ છે તે ભિન્ન છે ભગવાન ! તે ‘ચેત્ય' ના વિકલ્પને છોડી જે ‘ચેત્ય’ છે તેને ચેત, તેને વેદ. આવી વાત છે. અહાહા...! ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ચૈત્ય એટલે ચેતાવા યોગ્ય છે એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે, દુઃખદાયક છે. ‘ન તથા ’જીવ ચેત્ય નથી ‘પરસ્ય’ એવો બીજો નયનો પક્ષ છે. જીવ ચેતાવા યોગ્ય નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. આવો એક વ્યવહારનયનો પક્ષ છે. મન અને ઇન્દ્રિયોથી જીવ જણાવા યોગ્ય નથી એનો તો નિષેધ પ્રથમથી કરતા આવ્યા છીએ. હવે કહે છે– Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૫ રુતિ' આમ “વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “ઢયો:' બે નયોના “દી પક્ષપાતી' બે પક્ષપાત છે. અહાહા...! વિશ્વથી વિશ્વેશ્વર પ્રભુ આત્મા જુદો છે. એક બાજુ આખું લોકાલોક છે અને એક બાજા “ચેત્ય” ભગવાન આત્મા છે. પરંતુ આત્મા ચેત્ય છે, હું ચેત્ય છું એવો જે વિકલ્પ તેને અહીં છોડાવવા માગે છે, કેમકે એવો સૂક્ષ્મ વિકલ્પ પણ આત્માનુભવમાં બાધક છે. જે તત્ત્વવેદી છે તે બન્ને પક્ષથી રહિત થઈને નિજાનંદ-સ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદને અનુભવે છે. એ જ કહે છે ય: તત્ત્વવેતી ચુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર “વિત્' ચિસ્વરૂપ જીવ ‘તિ વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે. કળશ ૮૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘દશ્ય:' જીવ દેશ્ય (–દેખાવા યોગ્ય) છે “વચ' એવો એક નયનો પક્ષ છે. ચેતનાના બે ભાગ-જાણવું અને દેખવું. જીવ ચેતાવા યોગ્ય છે-એમાં જાણવું અને દેખવું એ બન્નેની ભેગી વાત કરી છે. તેને અહીં જુદી પાડીને કહે છે. ભગવાન આત્મા દેશિ શક્તિથી દેખાવા યોગ્ય છે. ૪૭ શક્તિઓમાં જેમ ચિતિ એક શક્તિ છે તેમ દેશિ એક શક્તિ કહી છે. શક્તિ એટલે સામર્થ્યની વાત છે. જીવ દેખાવા યોગ્ય છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ દેખાવા યોગ્ય છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ છે તે છોડવા યોગ્ય છે કેમકે તે વિકલ્પ દર્શનમાં બાધારૂપ છે. પ્રથમ આંગણામાં ઊભો રહીને આવો સમ્યક નિર્ણય કરે તેટલું જ પૂરતું નથી, અહીં તો આંગણું છોડી અંદર ઘરમાં પ્રવેશી અનુભવ કરવાની વાત છે. જીવા દેખાવા યોગ્ય છે એવો વિચાર ન પક્ષ છે. હવે કહે છે ‘ન તથા' જીવ દેખાવા યોગ્ય નથી “પરસ્ય' –એવો બીજા નયનો પક્ષ છે. ભગવાન આત્મા અરૂપી છે. તે કેમ દેખાય? તે દેખાવા યોગ્ય નથી એવો વ્યવહારનયનો એક પક્ષ છે. એનો તો આચાર્યદવ પ્રથમથી નિષેધ કરતા આવ્યા છે. ‘રૂતિ' આમ ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “યો:' બે નયોના “કૌ પક્ષપાતો' બે પક્ષપાત છે. આ નવોના પક્ષપાત છે તે સ્વરૂપના અનુભવમાં વિઘ્ન કરનારા છે. હું દશ્ય છું એવા વિકલ્પને પણ છોડી અંતર્લક્ષ કરતાં દશ્ય પ્રભુ આત્માનો અનુભવ થાય છે. જે તત્ત્વવેદી એટલે તત્ત્વનો જાણનાર છે તે પક્ષપાત છોડીને પોતાને એક ચિસ્વરૂપ જ અનુભવે છે. એ જ કહે છે ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર વિત’ ચિસ્વરૂપ જીવ “સુ ત્િ સ્વસ્તિ ' ચિસ્વરૂપ જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪ર ] [ ૩૧૭ ભગવાનની ભક્તિના રાગથી કે વ્રત, તપ આદિના વિકલ્પથી જ્ઞાયક પ્રભુ આત્મા દેખાય એમ નથી. હું દેશ્ય છું એવા વિકલ્પથી પણ તે દૂર છે. સર્વ પક્ષપાત મટાડતાં ચૈતન્ય ભગવાન જણાય છે, દેખાય છે અને તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. જેણે વિકલ્પથી પાર થઈને નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન શાયકને જાણ્યો અને દેખ્યો, તે સંસારથી મુક્ત જ થઈ ગયો. ભગવાન ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસૂર્ય છે. તેનું ચૈતન્યસ્વરૂપ જ છે. તે દેખાવા યોગ્ય છે અને દેખાવા યોગ્ય નથી એવો વિકલ્પોનો તેમાં અવકાશ નથી. જે તત્ત્વવેદી છે તે પક્ષથી રહિત થઈને જેવો આત્મા છે તેવો નિરંતર અનુભવે છે. * કળશ ૮૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વેદ્ય:' જીવ વેધ (–વેદાવા યોગ્ય, જણાવા યોગ્ય) છે “ ' એવો એક નયનો પક્ષ છે. નિશ્ચયનયનો આ પક્ષ છે કે આત્મા વેદાવા યોગ્ય છે. આત્મા વેધ છે એ તો સત્ય છે પણ એવો જે નયપક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડાવવા માગે છે, કેમકે વસ્તુમાં આવો પક્ષ કય છે? આવો પક્ષ કરતાં વસ્તુ કયાં વેદાય એમ છે? હવે કહે છે ન તથા' જીવ વેધ નથી “પરસ્થ’ એવો બીજા નયનો પક્ષ છે. વ્યવહારનયનો પક્ષ છે કે જીવ વેદાવા યોગ્ય નથી. આ પક્ષનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં તો વેદાવા યોગ્ય છે એવા નિશ્ચયના પક્ષને પણ છોડવાની વાત છે. તિ' આમ “જિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “દયો:' બે નયોના “કૌ પક્ષપાતી' બે પક્ષપાત છે. હું વેધ છું એવો પક્ષ છે તે રાગ છે, છોડવા યોગ્ય છે. ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશમય મૂર્તિ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી એવો અરૂપી છે. આઠ વર્ષની બાલિકા પણ અંતર્દષ્ટિ કરીને સમ્યગ્દર્શન પામે છે ત્યારે તે નિર્વિકલ્પ ચેતન્યસ્વરૂપના આનંદ અનુભવે છે. શરીર ભલે સ્ત્રીનું હોય, એ શરીર આત્મામાં કયાં છે ? સ્ત્રીવેદનું કર્મ ભલે અંદર પડ્યું હોય, તે કર્મ કયાં આત્મામાં છે? અને સ્ત્રી વેદની જે વૃત્તિ ઉઠ તે વૃત્તિ પણ ક્યાં આત્મામાં છે? અહીં કહે છે કે હું વેધ છું એવો વિકલ્પ પણ આત્મામાં સમાતો નથી. આવા સૂક્ષ્મ વિકલ્પ વડે આત્મા જણાય એવો નથી. ભાઈ ! આત્મા જણાવા યોગ્ય છે એ તો સાચું છે, પણ એવો વિકલ્પ છે તેને છોડીને જે વેદ્ય છે તેનું વેદન કર; અન્યથા વેધનું વેદન નહિ થાય. ગંભીર વાત છે, ભાઈ ! લોકો દયા પાળે, વ્રત પાળે, તપ કરે, ઉપવાસ કરે ઇત્યાદિ બધું કરે પણ એ તો બધો શુભરાગ છે. એનાથી રાગરહિત ભગવાન કેમ જણાય? ભાઈ ! રાગ ગમે તેટલો સૂક્ષ્મ હો, પણ તેનાથી આત્મઅનુભવ કદીય ન થાય. તેથી તો સર્વ પક્ષપાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ રહિત થઈને તત્ત્વજ્ઞાનીઓ અંતર્લક્ષ કરીને પોતાના ચૈતન્યસ્વરૂપને તેવો જ અનુભવે છે. એ જ કહે છે– . 'ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘તસ્ય’ તેને ‘નિત્યં’ નિરંતર ‘વિત્’ ચિસ્વરૂપ જીવ ‘ હતુ વિત્ વ મસ્તિ' ચિસ્વરૂપ જ છે. જ્ઞાતા તો જ્ઞાતા જ છે, બસ ! એવો જ અનુભવ થાય એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યગ્દર્શન નથી. * * * * કળશ ૮૯ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘ભાત: ' જીવ ‘ભાત ’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ ) છે ‘VT’ એવો એક નયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એ વાત તો સત્ય જ છે. જીવ સ્વભાવથી પ્રત્યક્ષ જ્ઞાતા છે એવો તેનો ગુણ છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ની ટીકામાં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે-આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્મા દ્રવ્યસ્વરૂપથી જ સ્વરૂપપ્રત્યક્ષ છે; પરોક્ષ રહેવાનો તેનો સ્વભાવ નથી. રાગ અને મનની ઉપેક્ષા કરી ભગવાન આત્મા પોતાના જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે. પરંતુ આત્મા વર્તમાન પ્રત્યક્ષ છે એવો જે વિકલ્પ ઉઠે છે તે નયપક્ષ છે. હું વર્તમાન પ્રત્યક્ષ છું એવા વિકલ્પથી વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી, પણ ખેદ જ થાય છે. તેથી અહીં આ સૂક્ષ્મ વિકલ્પને છોડવાની વાત છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ છે એવા પક્ષને છોડ એમ કહ્યું એટલે એમ સમજવું કે અંદર (વર્તમાન પ્રત્યક્ષ સિવાયની) કોઈ બીજી ચીજ છે વસ્તુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ચીજ તો સ્વરૂપપ્રત્યક્ષ જ છે. ભગવાને પણ એવો જ આત્મા જોયો અને કહ્યો છે, અને એની દષ્ટિ કરતાં તે પર્યાયમાં પ્રત્યક્ષ સ્વાદમાં આવે છે. પણ હું પ્રત્યક્ષ છું એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે. તે વિકલ્પ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવમાં બાધક છે. તેથી અહીં નયપક્ષના વિકલ્પને નિષેધવામાં આવ્યો છે. અજ્ઞાની જીવોએ વરરાજાને છોડીને જાન જોડી છે. શુદ્ધ ચૈતન્યના ભાન વિના વ્રત, તપ, ભક્તિના વિકલ્પ બધા વ૨ વિનાથી જાન જેવા વા એકડા વિનાનાં મીડાં છે. ભાઈ! વિકલ્પ કરતાં કરતાં ધર્મ થશે એ તારી માન્યતા ચિરકાળનું મિથ્યા શલ્ય છે. ક્રિયાકાંડના રાગથી આત્મા જણાય એવો એનો સ્વભાવ જ નથી. આત્મા પ્રત્યક્ષ છે એવો જે વિકલ્પ છે તે પણ રાગાંશ છે અને તે પણ છોડવા યોગ્ય છે. હવે કહે છે ‘ન તથા ’જીવ ‘ભાત ’ નથી ‘પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ વર્તમાન પ્રત્યક્ષ નથી એવો વ્યવહારનયનો જે પક્ષ છે તેનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪ર ] [ ૩૧૯ તિ' આમ “વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “યો:' બે નયોના “દી પક્ષપાતી' બે પક્ષપાત છે. બંને નયપક્ષ છે તે વિકલ્પ છે અને પક્ષ છે ત્યાંસુધી આત્માનો અનુભવ થઈ શકતો નથી તેથી નિશ્ચયનો પક્ષ પણ અહીં છોડાવવામાં આવ્યો છે. નિશ્ચયના આશ્રયને છોડવાની વાત નથી, નિશ્ચયના પક્ષને છોડવાની વાત છે. નિશ્ચયના પક્ષને પણ છોડી નિશ્ચય સ્વરૂપનો જે આશ્રય કરે છે તે તત્ત્વવેદી નિરંતર પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપને અનુભવે છે. એ જ કહે છે “ચ: તત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર “વિત’ ચિસ્વરૂપ જીવ “વહુ તિ વ સ્તિ' ચિસ્વરૂપ જ છે. આત્મા જ્ઞાનના પ્રકાશસ્વરૂપ સ્વપરના પ્રકાશના સામર્થ્યવાળું શુદ્ધ ચૈતન્ય તત્ત્વ છે. તેનું અંતરમાં લક્ષ કરીને ધર્મી જીવો તેને જેવો છે તેવો સદાય ચિસ્વરૂપે અનુભવે છે. * કળશ ૮૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, પી અષી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ શૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દેશ્ય અદશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે.' આશય એમ છે કે વસ્તુ જે આત્મદ્રવ્ય છે તે બદ્ધ અબદ્ધ આદિ વિકલ્પથી ભિન્ન છે. ચૈતન્યપ્રકાશમય પ્રભુ આત્મા વીતરાગી શીતળસ્વરૂપનો પિંડ જિનચંદ્ર છે. તેમાં બદ્ધ અબદ્ધ વગેરે વિકલ્પ નથી. હું અબદ્ધ છું એવો વિકલ્પ પણ તેના સ્વરૂપમાં નથી. ચૈતન્યઘન પ્રભુ આત્મા વિકલ્પથી તન્મય નથી તો તે વિકલ્પ વડ કેમ પ્રાપ્ત થાય ? ન થાય. તેથી જ આચાર્ય કહે છે કે ભાઈ ! વ્યવહારનો પક્ષ તો અમે પહેલેથી છોડાવ્યો છે, પણ નિશ્ચયના પક્ષથી પણ તું વિરમી જા, કેમકે નયોના પક્ષથી વિરામ પામી અંતર્દષ્ટિ કરતાં આત્મા પ્રાપ્ત થાય એવો છે. અહીં બધા વીસ બોલ કહ્યા છે. તેમાં કારણ અકારણનો એક બોલ છે. તે વિશે થોડી વધુ સ્પષ્ટતા કરવામાં આવે છે. આત્મામાં અકારણકાર્ય નામનો એક ગુણ છે. અકારણકાર્યત્વ આત્માનો સ્વભાવ છે. તેથી આત્મા રાગનું કારણ પણ નથી અને રાગનું કાર્ય પણ નથી. ભગવાન આત્મા એકલા ચૈતન્યપ્રકાશનું પુર છે. તેમાં રાગ કયાં છે? નથી. તો તે રાગનું કારણ કેમ હોય ? ન હોય. તે રાગનું કાર્ય પણ કેમ હોય? ન જ હોય. જો તે રાગનું કાર્ય હોય તો સ્વયં રાગમય જ હોય (ચૈતન્યમય ન હોય); અને જો તે રાગનું કારણ બને તો રાગ મટી કદીય વીતરાગ ન થાય. પણ એમ નથી કારણ કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આત્મામાં અકારણકાર્યત્વ શક્તિ-સ્વભાવ એવો છે કે તે વડે તે રાગનું કારણ પણ નથી, કાર્ય પણ નથી. અહાહા....! વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેનું ભગવાન આત્મા કારણ નથી. તેમ વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેનું આત્મા કાર્ય પણ નથી. (પછી વ્યવહારથી નિશ્ચય પ્રગટે એ કયાં રહ્યું?) આત્મા તો પોતાના શુદ્ધ સ્વરૂપનું કારણ અને શુદ્ધ સ્વરૂપનું કાર્ય છે. સૂક્ષ્મ વાત છે, ભાઈ ! પણ આ બધું તારે નક્કી કરવું પડશે. ભાઈ ! ૮૪ના અવતારમાં જીવ દુઃખી જ દુ:ખી થયો છે. જાઓને! ક્ષણવારમાં હાર્ટલ થઈ જાય છે! પણ દેહુ તારી ચીજ કયાં છે? એ તો પર ચીજ છે. એક ક્ષેત્રે હોવા છતાં આત્માથી હમણાં પણ ભિન્ન જ છે. શરીર, કર્મ અને રાગથી ચૈતન્યસત્ત્વ ભિન્ન છે. જેમ નાળિયેરમાં ગોળો કાચલીથી ભિન્ન ચીજ છે તેમ ચૈતન્યગોળો શરીરથી અને રાગથી ભિન્ન તત્ત્વ છે. ચૈતન્યદ્રવ્યનું સામર્થ્ય જ એવું છે કે તે રાગનું કારણ ન થાય અને રાગનું કાર્ય પણ ન થાય. ચૈતન્યપ્રકાશરૂપ વસ્તુ આત્મા પદાર્થ છે કે નહિ? હા, પદાર્થ છે; તો તેને અન્ય પદાર્થ સાથે કોઈ સંબંધ નથી. વળી પર પદાર્થના લક્ષે જે શુભ વિકલ્પ થાય છે તે પુણ્ય તત્ત્વ છે અને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે. બંને ભિન્ન ભિન્ન છે. માટે પુણ્ય તત્ત્વથી જ્ઞાયક તત્ત્વની પ્રાપ્તિ ન થાય. વ્યવહારથી નિશ્ચય ન થાય. ભાઈ ! અનાદિ અનંત સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો અકારણકાર્યસ્વભાવ જ એવો છે કે સંસારના કોઈ પણ પદાર્થનું આત્મા કારણ ન થાય અને જગતના કોઈ પણ અન્ય પદાર્થથી (નિમિત્તથી કે રાગથી) આત્માને સમ્યગ્દર્શન આદિ ચૈતન્યપરિણમન ન થાય. અહાહા...! રાગના અભાવસ્વભાવસ્વરૂપ શુદ્ધ ચૈતન્યતત્ત્વ આત્મા છે તે નિજ ચૈતન્યસ્વરૂપ સિવાય કોઈનું કારણ-કાર્ય નથી. આવું જ સ્વરૂપ છે; પણ તે નયોના પક્ષપાતરૂપ વિકલ્પોથી પ્રાપ્ત થતું નથી. તેથી કહે છે “જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિપક્ષાપૂર્વક તત્ત્વની વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે.” જુઓ, પ્રથમ વસ્તુસ્વરૂપનો નિર્ણય કરતી વેળા નય વિકલ્પ આવે છે ખરા, પણ જે પુરુષ તેને ઓળંગી જઈ સ્વભાવસમ્મુખ થાય છે તેને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે. વિકલ્પથી ભિન્ન પડી, ચૈતન્યની પર્યાય જે સ્વભાવમાં તન્મય થાય છે તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. પહેલાં પર્યાય વિકલ્પમાં એકમેક હતી તે જ્ઞાયકમાં એકમેક થાય છે એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્ઞાનીને નિરંતર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપે અનુભવાય છે. હવે કહે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] | [ ૩૨૧ જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે.' ભગવાન આત્મામાં બીજાં દ્રવ્યોમાં છે એવા પોતાના અનેક સાધારણ ધર્મો છે. પોતામાં હોય અને બીજાં દ્રવ્યોમાં પણ હોય તેવા ધર્મોને સાધારણ ધર્મો કહે છે. એ રીતે આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્ર આદિ પોતાના સાધારણ ધર્મો અનંત છે; અને અસાધારણ ધર્મ પણ અનેક છે. ચિસ્વભાવ, જાણગસ્વભાવ ભગવાન આત્માનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. પોતાનો ચૈતન્યસ્વભાવ બીજાં દ્રવ્યોમાં નથી. પોતમાં અસ્તિત્વ ગુણ છે તેવો ગુણ બીજા દ્રવ્યોમાં છે, પણ ચૈતન્યધર્મ પોતામાં છે અને બીજામાં નથી. તે ચૈતન્ય-ધર્મ અનુભવમાં આવી શકે તેવો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. જે વિકલ્પ ઉઠે છે તે તો અંધકાર છે, કેમકે તેમાં ચૈતન્યનો અભાવ છે. તે ચૈતન્યસ્વભાવને-પ્રકાશ-સ્વભાવને પ્રાપ્ત કરાવી શકે નહિ. અંધકાર પ્રકાશનું કારણ કેમ થાય ? ન થાય. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું બાહ્ય જ્ઞાન, અને પંચમહાવ્રતના પરિણામ-એ બધા વિકલ્પરૂપ છે તેથી તેનાથી ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ. ચૈતન્ય આત્માનો અસાધારણ ધર્મ છે. આત્મા ઉપરાંત ધર્માદિ દ્રવ્યો પણ અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ અરૂપી છે અને એક પુદ્ગલરૂપી છે. તેમાં આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન નહિ, પણ જેમ સાકરનો ગળપણ સ્વભાવ છે તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ચિસ્વભાવ છે. તે પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ હોવાથી અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છેઃ * કળશ ૯૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વું' એ પ્રમાણે “સ્વેચ્છા-સમુચ્છ-૧નત્ય-વિવેન્યૂ-નાનામ' જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે-અહો ! દિગંબર સંતોએ તત્ત્વને શું સહેલું કરીને બતાવ્યું છે? કહે છેએ પ્રમાણે બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એટલે કે વિકલ્પોની જાળ વસ્તુનાઆત્માના સ્વભાવમાં નથી. હું અબદ્ધ છું, શુદ્ધ છું, એક છું, પૂર્ણ છું—એવી અનેક પ્રકારની રાગની વૃત્તિઓ જે ઊઠે છે તે આપોઆપ ઊઠે છે, એટલે કે તે સ્વભાવમાં નથી. વિકલ્પની જાળ ઊઠે એવો આત્મામાં ગુણ નથી. જુઓ, અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યો છે. તેમાં અસંખ્ય સમકિતી તિર્યંચો છે. હજાર જોજનના મચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિંહ, નોળ, કોળ-એવા અસંખ્ય જીવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ત્યાં સમ્યગ્દર્શન પામેલા છે. શરીર તિર્યંચનું છે પણ અંદર તો આત્મા છે ને! અહા! વિકલ્પથી ભિન્ન પડીને અંદર ચૈતન્યમાં ઊંડે ઉતરી ગયા છે. તેમાં પંચમ ગુણસ્થાનવાળા તિર્યંચો પણ અસંખ્ય છે. કોઈને જાતિસ્મરણ થયું છે તો કોઈને આત્માનું અંદર સ્મરણ થયું છે. અહીં સંતો પાસે સાંભળેલું હોય, અનુભવ ન થયો હોય અને પશુમાં જન્મ થયો હોય તો ત્યાં પણ ચેતન્યનો અનુભવ કરી સમ્યગ્દર્શન પામે છે. પૂર્વે જ્ઞાની પાસે જે સાંભળેલું તેનું અંદર લક્ષ જાય છે કે –અહો! હું તો ચૈતન્યજ્યોતિસ્વરૂપ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું. વિકલ્પના અભાવરૂપ નિર્વિકલ્પ મારું ચૈતન્યરૂપ છે. લોકાલોકથી માંડીને જેટલા વિકલ્પ થાય છે તેને હું અડયોય નથી. આ પ્રમાણે અંતરમાં લક્ષ કરીને સમ્યગ્દર્શન પામે છે. તિર્યંચોને સમકિત થયા પછી ખોરાક સાદો ફળફૂલનો હોય છે. તેને માંસનો આહાર ન હોય. હજા૨-હજાર યોજનના સરોવરમાં કમળ થાય છે. પરમાત્માની વાણીમાં આવ્યું છે કે તે લાખો વર્ષ રહે છે અને તેમને ફળફૂલ, કમળ વગેરેનો આહાર હોય છે. સમકિતી સિંહ હોય તેને માંસનો આહાર ન હોય, વનસ્પતિ વગેરે નિર્દોષ આહાર હોય છે. પ્રશ્ન:- તો શું કાળ નડતો નહિ હોય? ઉત્ત૨:- ના, કાળ તો બાહ્ય ચીજ છે. ચોથો કાળ, પંચમ કાળ એ તો બાહ્ય વસ્તુ છે. ભગવાન આત્મા ત્રિકાળસ્વરૂપ છે. અરે, એની એક સમયની પર્યાયને પણ પરકાળ કહેવામાં આવેલ છે. કળશટીકાનો ૨૫૨ મો શ્લોક છે ત્યાં આમ કહ્યું છેઃ ૧. સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, ૨. સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, ૩. સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, ૪. સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; ૧. પરદ્રવ્ય એટલે વિકલ્પ ભેદકલ્પના, ૨. પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદકલ્પનાથી ૫૨પ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે. ૩. પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાંતર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. ૪. પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદકલ્પના, તેને પરભાવ કહેવાય છે. પંડિત રાજમલજીએ બહુ સરસ કળશટીકા બનાવી છે. તેના આધારે પં. શ્રી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૨૩ બનારસીદાસજીએ સમયસાર નાટક બનાવ્યું છે. ભાઈ! આત્મહિત વિચારી શાસ્ત્રોનાં વાંચન, સ્વાધ્યાય, મનન કરવાં જોઈએ. જીવોને ઘણાં શલ્ય પડયાં હોય છે. માટે બરાબર સ્વાધ્યાય કરવો જોઈએ. અહીં એમ કહે છે કે આગમના અભ્યાસના વિકલ્પમાં રોકાય તેને પણ આત્માનુભવ નહિ થાય. ભગવાન આત્મા નિર્વિકલ્પ અભેદ વસ્તુ છે, તેમાં ગુણ અને ગુણીનો ભેદ પાડીને વિકલ્પ ઉઠાવવો તે પરદ્રવ્ય છે. વસ્તુનો આધારમાત્ર પ્રદેશ-તેમાં અસંખ્ય પ્રદેશી વસ્તુ એમ ભેદ-વિકલ્પ ઉઠાવવો તે પરક્ષેત્ર છે. બાપુ! આ વીતરાગનો માર્ગ બહુ અલૌકિક છે અને એનું ફળ ૫૨મ અલૌકિક છે. દ્રવ્યની મૂળની અવસ્થા ત્રિકાળી તે સ્વકાળ છે. એક સમયની પર્યાય વિનાની ત્રિકાળી નિર્વિકલ્પ વસ્તુ તે સ્વકાળ છે અને તેના અવસ્થાંતરરૂપ ભેદકલ્પના તે પરકાળ છે. એક સમયની પર્યાયનો ભેદ પાડવો તે પરકાળ છે. અહો! જે ભાગ્યશાળી હોય તેના કાને પડે એવી આ વાત છે. વસ્તુ ત્રિકાળી આનંદકંદ પ્રભુ તે સ્વકાળ અને એક સમયની પર્યાયનો ભેદ લક્ષમાં લેવો તે પરકાળ છે. તે પરકાળની સ્વકાળમાં નાસ્તિ છે. ચોથો કાળ અને પંચમ કાળ એ તો કયાંય બહાર રહી ગયા! અહીં કહે છે-એ પ્રમાણે બહુ વિકલ્પની જાળો આપોઆપ ઊઠે છે. આ શું કહ્યું? કે આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે, તેમાં (પર્યાયમાં ) અબદ્ધ છું, શુદ્ધ છું એવી વૃત્તિ આપોઆપ ઊઠે છે અર્થાત્ એ વૃત્તિ નિજ ચૈતન્યસ્વરૂપમાં નથી. અરે! આવા વિકલ્પોની જાળમાં આત્મા ગૂંચવાઈ ગયો છે! પ્રભુ! તું નિર્વિકલ્પ છો ને! આ જે વિકલ્પ ઊઠે છે એ નયપક્ષની બાહ્ય ભૂમિકા છે. વિકલ્પ અદ્વરથી ઊઠે છે. તેને જે તત્ત્વવેદી છે તે ઓળંગી જાય છે. આઠ વર્ષનો બાળક પણ આ રીતે અનુભવ કરીને કેવળજ્ઞાન પામે છે. તેમાં પરકાળ નડતો નથી, કર્મ પણ નડતાં નથી. સમ્યજ્ઞાન દીપિકામાં દાખલો આપ્યો છે. એક શેઠનો દીકરો પોતાની પત્નીને ઘરે મૂકીને પરદેશમાં રળવા ગયો. ઘણાં વર્ષ થઈ ગયાં પણ તે દેશમાં પાછો ન આવ્યો. તેની પત્ની બિચારી જાણે વિધવા જેવું જીવન ગુજારે. એટલે એના પિતાએ દીકરાને ચિઠ્ઠી લખી કે-ભાઈને માલૂમ થાય કે તારી પત્ની વિધવા થઈ છે તો તરત ઘેર આવો. ચિઠ્ઠી વાંચીને આ તો પોક મૂકીને ખૂબ જોરથી રોવા લાગ્યો. આજુબાજુનાં સૌ ભેગાં થઈ ગયાં. ભાઈ, છાના રહો એમ ધીરજ આપવા લાગ્યાં. પછી પૂછ્યું-ભાઈ, કોણ ગુજરી ગયું એ તો કહો, ત્યારે તે કહેવા લાગ્યો-મારી પત્ની વિધવા થઈ ગઈ. પડોશીઓએ કહ્યું-કેવી વાત ! તમે તો હયાત છો ને પત્ની કેવી રીતે વિધવા થઈ ? ત્યારે તેણે કહ્યું-હા, એ તો બરાબર છે, પણ પિતાજીની ચિઠ્ઠી આવી છે કે તારી પત્ની વિધવા થઈ ગઈ, તો એ પણ ખોટી કેમ માનું? એમ અજ્ઞાની કહે છે કેદાદાજીના શાસ્ત્રમાં-ગોમ્મટસાર આદિમાં થન છે કે જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાય ઇત્યાદિ-એ ખોટાં કેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ માનું? પણ ભાઈ, એ તો વ્યવહારનયનાં કથન છે. કર્મ તો જડ છે, તે કઈ રીતે જ્ઞાનનો ઘાત કરે? એનો અર્થ તો એવો છે કે પોતે પોતાને ભૂલીને પર્યાયમાં હીણી દશારૂપે પરિણમે છે ત્યારે ઘાતી કર્મને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. કર્મ નડે છે એમ વાત જ નથી. અહીં એ બધી વાત ઉડાડી દીધી છે. ભગવાન આત્મદ્રવ્ય પૂર્ણાનંદ પ્રભુ અનંતગુણે વિરાજમાન પરિપૂર્ણ દ્રવ્ય છે. તેનો હીણી પર્યાયથી ઘાત થતો નથી એવી પરિપૂર્ણ વસ્તુ એ છે. અજ્ઞાની કહે છે કે હું કર્મથી હણાઈ ગયો છું. ભગવાન કહે છે-ભાઈ ! તું હણાઈ ગયો નથી. વસ્તુમાં હીણાપણું છે જ નહિ; વસ્તુ તો સદાય પરિપૂર્ણ સ્વરૂપે છે. પર્યાયમાં પોતે હીણી દશારૂપે પરિણમે છે ત્યારે કર્મને નિમિત્ત કહે છે. નિમિત્ત પરદ્રવ્ય છે, તે તને અડતુંય નથી. તો પરદ્રવ્ય તને શું કરે? આત્મા ચૈતન્યવહુ પરિપૂર્ણ છે. તેમાં ઘાત કેવો? ઓછપ કેવી ? હીણપ કેવી? અહીં કહે છે કે નયપક્ષની કક્ષા એના સ્વરૂપમાં કેવી ? બદ્ધ છું, અશુદ્ધ છું, –એ તો પહેલેથી કાઢી નાખ્યું છે પણ અબદ્ધ છું, શુદ્ધ છું એવો જે નયપક્ષનો વિકલ્પ ઊઠે છે તે પણ વસ્તુના સ્વરૂપમાં નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. તેમાં એકલી શાંતિશાંતિ-શાંતિ અનંત વીતરાગતા પડી છે; તેમાં આ નયપક્ષની કક્ષાનો અભાવ છે. સ્થૂળ વ્યવહારનો તો અભાવ છે પણ નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પનો પણ તેનામાં અભાવ છે. આવા શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર દૃષ્ટિ દેવી તે દ્રવ્યદૃષ્ટિ એટલે કે સમ્યક દૃષ્ટિ છે. હવે કહે છે આવી “મદતી' મોટી “નયપક્ષક્ષામ' નયપક્ષકક્ષાને (નવપક્ષની ભૂમિને) વ્યતીત્ય' ઓળંગી જઈને (તત્ત્વવેદી) “મન્ત: વદિ:' અંદર અને બહાર “સમરસૈવરસસ્વભાવ', સમતારસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા “અનુભૂતિમાત્રમ્ છમ્ વં માવ' અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને) “૩યાતિ' પામે છે. હું એક છું, શુદ્ધ છું એવો જે વિકલ્પ છે તે રાગની આગ છે. છ૭ઢાલામાં આવે છે ને “યહ રાગ-આગ દહે સદા, તાતેં સમામૃત સેઈયે'' શું કહ્યું? હું આવો છું એવો જે વિકલ્પ છે તે રાગરૂપી આગ છે. તેને ઓળંગી જઈને જે તત્ત્વવેદી છે તે અંદર અને બહાર સમતારસરૂપી એકરસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને પામે છે. અંદર અને બહાર સમતારસરૂપી એક જ આત્માનો સ્વભાવ છે. અંતર સ્વભાવ તો વીતરાગસ્વરૂપ છે અને બહાર પર્યાયમાં પણ એક સમરસભાવ પ્રગટ થાય એ સ્વભાવ છે. ત્યાં હું આવો છું એવા વિકલ્પને છોડી જેણે દૃષ્ટિને દ્રવ્ય ઉપર જોડી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૨૫ છે તેને દ્રવ્યમાં જે સમતારસ પડ્યો છે તે સમતારસ પર્યાયમાં પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. પહેલાં વિકલ્પ અનેક પ્રકારના હતા, તેને છોડી જેણે પર્યાયનું સમરસસ્વભાવ-વીતરાગસ્વભાવ સાથે એકપણું કર્યું તેને સમરસભાવ બહાર પ્રગટ થાય છે. અહો! અદભુત કળશ છે! દિગંબર સંતોએ સને યથાવત્ જાહેર કર્યું છે. આવી વાત બીજે કયાય નથી. કળશમાં ખૂબ ઊંડો ભાવ ભરેલો છે. ભગવાન આત્મા સમરસસ્વભાવથી ભરેલો સમુદ્ર છે. તેમાં પર્યાય જ્યાં ભળી (એકાગ્ર થઈ ) ત્યાં સમરસભાવ ઉછળીને પર્યાયમાં પ્રગટ થાય છે અને તે જ અનુભૂતિ છે, ધર્મ છે. આત્મા અનુભૂતિસ્વરૂપ ત્રિકાળ છે એ વાત ૭૩ મી ગાથામાં આવી ગઈ છે. પર્યાયમાં પદ્ધારકનું જે પરિણમન છે એનાથી ભિન્ન અનુભૂતિમાત્ર આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. ત્યાં અનુભૂતિમાત્ર ત્રિકાળીની વાત કરેલી છે. અહીં પર્યાયમાં અનુભૂતિરૂપ થાય છે એની વાત છે. | નિયમસારમાં પ્રાયશ્ચિત્ત અધિકારમાં કહ્યું છે કે વસ્તુ પ્રાયશ્ચિત્ત સ્વરૂપ છે. તેના આશ્રયથી પર્યાયમાં વીતરાગી નિર્મળ પ્રાયશ્ચિત્ત પ્રગટ થાય છે. પ્રાયઃ એટલે પ્રકૃષ્ટપણે, ચિત્ત એટલે જ્ઞાન. પ્રકૃષ્ટપણે જ્ઞાન પ્રગટ થાય છે તે રાગરહિત નિર્મળ દશા છે. પરમ સંયમી આવા પ્રકૃષ્ટ ચિત્તને નિરંતર ધારણ કરે છે. તેને ખરેખર નિશ્ચય પ્રાયશ્ચિત્ત છે. વસ્તુ ત્રિકાળ પ્રાયશ્ચિત્તસ્વરૂપ છે. તેમ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છે. તેના આશ્રયે પર્યાયમાં પોતાના સમરસભાવરૂપ અનુભૂતિ પ્રગટ થાય છે એ વાત અહીં કરી છે. બીજી રીતે કહીએ તો અનુભૂતિસ્વરૂપ આત્મા છે તે અનુભૂતિ પામે છે. આત્મા આબાલગોપાળ સૌને અંદર પરમાત્મસ્વરૂપે બિરાજે છે. દેહની અવસ્થા તો જડની છે. બાળ કે ગોપાળ-એ દેહની અવસ્થા અંદર એમાં કયાં છે? સામ્યરસનો સ્વભાવ અંદર ત્રિકાળ છે. જે વિકલ્પની વિષમતા છોડીને અંદર એકાગ્ર થાય છે તેને પર્યાયમાં સમરસભાવની અનુભૂતિ પ્રગટ થાય છે. વિકલ્પની વિષમતા છોડી એમ કહેવાય, બાકી છોડવાનું છે જ કયાં? અંદર સમરસસ્વરૂપમાં નિજ ચૈતન્યસ્વરૂપમાં લક્ષ જાય છે ત્યારે વિકલ્પોની વિષમતા ઉત્પન્ન થતી નથી એટલે તેને છોડી એમ કહેવામાં આવે છે. લોકો બિચારા અનંતકાળથી મહાદુઃખી છે. તેમને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે, પણ અધ્યાત્મપદ્ધતિના વ્યવહારને-આત્માનુભૂતિસ્વરૂપ ચારિત્રને જાણતા નથી. અહીં કહે છે કે આગમપદ્ધતિના વ્યવહારનો તો નિષેધ કરતા આવ્યા છીએ અને શુદ્ધ અધ્યાત્મનો જે પક્ષ છે તેનો પણ નિષેધ છે કેમકે તે પક્ષ વસ્તુના સ્વભાવમાં નથી. અહાહા...! ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છે તે એકરૂપ સમરસપણે પરિણમે તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને તેમાં સ્થિરતાનું આચરણ થાય તે ચારિત્ર છે. આવી વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ હવે નવપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છે: * કળશ ૯૧ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પુષ7-8–-વિવેન્યૂ-વવિમિ: ઉછરંત' પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી ‘રૂવન કવન 7ન રૂદ્રનામ' આ સમસ્ત ઇન્દ્રજાળને “યસ્થ વિષ્ણુરાન ઇવ' જેનું ફુરણમાત્ર જ ‘તલ' તëણ “સ્થતિ' ભગાડી મૂકે છે “તદ્ વિનદ: સ્મિ' તે ચિન્માત્ર તેજ:પુંજ હું છું. જુઓ, નયપક્ષના વિકલ્પોને અહીં ઇન્દ્રજાળ કહેલ છે. વ્યવહારના શુભરાગને ઝેર કહેલ છે. પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો ઊઠે તે તે સમસ્ત ઇન્દ્રજાળ છે. જ્ઞાયકસ્વરૂપમાં નથી ને! તેથી વિકલ્પો બધા ઇન્દ્રજાળની જેમ જૂઠા છે એમ કહે છે. વસ્તુ તરીકે વિકલ્પ છે પણ તે સ્વભાવ નથી માટે વિકલ્પ બધા જpઠા છે. વિકલ્પની આડમાં-હું શુદ્ધ છું, એક છું-એવા વિકલ્પની આડમાં ઊભો રહે એમાં જ્ઞાયક વસ્તુનું સ્વરૂપ નથી. વિકલ્પની આડમાં રોકાવું એ તો મોહભાવ છે, મૂર્છા છે. - હવે કહે છે-ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં જ્યાં એકાગ્રતારૂપ ટંકાર થયો કે તરત જ બધા વિકલ્પો નાશ પામી જાય છે. ચૈતન્યજ્યોતિ જાગ્રત થતાં જ્યાં શ્રદ્ધા અને જ્ઞાનમાં જાણ્યું કે હું તો ચિસ્વરૂપ પરમાત્મા છું ત્યાં સમસ્ત વિકલ્પો દૂર ભાગી જાય છે, નાશ પામી જાય છે. જ્ઞાનની ધારાના ટંકારમાત્રથી રાગનો નાશ થઈ જાય છે. બાપુ! આત્માનું સામર્થ્ય કેટલું છે તેની તેને ખબર નથી. અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ આત્મા છે. જ્ઞાન કહો તો જ્ઞાનનો પિંડ, શ્રદ્ધા કહો તો શ્રદ્ધાનો પિંડ, આનંદ કહો તો આનંદનો પિંડ, વીર્ય કહો તો વીર્યનો પિંડ, અહાહા..! અનંત સામર્થ્યથી ભરેલા એક એક એમ અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. આવો પૂર્ણ પુરુષાર્થ ભરેલો ભગવાન જ્યાં અંતર-સ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યાં સર્વ વિકલ્પો તત્ક્ષણ ભાગી જાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે કે તેનું ફુરણમાત્ર વિકલ્પોને ભગાડી દે છે. આવો ચિન્માત્ર તેજ:પુંજ હું છું. ભગવાન આત્મા અનુભવમાં આવતાં સમસ્ત નયોના વિકલ્પની ઇન્દ્રજાળ ક્ષણમાં વિલય પામે છે, અદશ્ય થઈ જાય છે. આ રીતે આત્મા પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આત્મા પ્રાપ્ત થાય તેમ નથી. નિમિત્તથી કે વ્યવહારથી આત્મા પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. નિમિત્ત છે ખરું, વ્યવહાર છે ખરો, પણ એનાથી આત્મા પ્રાપ્ત થાય નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે. ત્યારે કોઈ કહે કે-થોડું તમે ઢીલું મૂકો, થોડું અમે ઢીલું મૂકીએ તો બંનેનો મેળ ખાઈ જાય અર્થાત્ સમન્વય થઈ જાય. અરે ભાઈ ! એવી આ ચીજ નથી. દિગંબર સંતો-કુંદકુંદાચાર્યદવ, અમૃતચંદ્રાચાર્યદેવ શું કહે છે તે સાંભળ. તેઓ પોકારીને કહે છે કે આત્મા ચૈતન્ય મહાપ્રભુ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૨૭ તેની મોટપની તને ખબર નથી, ભાઈ ! આ વિકલ્પ છે એ તો કલંક છે, હીણપ છે. હીણપથી મોટપ કેમ પમાય? ભગવાન! વીતરાગમૂર્તિ આત્મા છે તે રાગની હીણપથી કેમ પમાય? તું સહેલું કરવા માગે અને બીજી રીતે માને પણ એનાથી વસ્તુ પ્રાપ્ત નહિ થાય. વ્યવહારનું લક્ષ છૂટીને જ આત્માનુભવ પ્રગટ થાય છે. આ જ રીત છે. પ્રશ્ન:- તો પ્રવચનસારમાં આવે છે કે ક્રિયાકાંડથી જ્ઞાનકાંડ થાય છે, તે કેવી રીતે છે? ઉત્તર:- ભાઈ ! એ તો વ્યવહારનયનું કથન છે. એનો અર્થ એમ છે કે કર્મકાંડનો જે રાગ છે તેનાથી છૂટી જાય છે ત્યારે જ્ઞાનકાંડ થાય છે. જિનવચન પૂર્વાપર વિરોધરહિત સત્ય હોય છે. તેને યથાર્થ સમજવું જોઈએ. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો આશ્રય લે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેમાં વ્યવહારની કોઈ અપેક્ષા નથી અર્થાત્ એટલી અપેક્ષા છે કે વ્યવહારની ત્યાં ઉપેક્ષા કરવામાં આવી છે. સ્વભાવની અપેક્ષા કરતાં વ્યવહારની ઉપેક્ષા થઈ જાય છે. * કળશ ૯૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિપ્રકાશ હું છું.” આવો છું, આવો છું એમ કહે પણ એ તો વિકલ્પ છે. સ્વરૂપમાં વિકલ્પ કયાં છે? નિર્વિકલ્પ ચૈતન્યમાં દષ્ટિ દેતાં સર્વ વિકલ્પ મટી જાય છે અને એ જ સ્વાનુભવરૂપ ધર્મ છે. [ પ્રવચન નં. ૧૯૦ શેષ થી ૧૯૭ ચાલુ * દિનાંક ૩-૧૦-૭૬ થી ૧૦-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪૩ पक्षातिक्रान्तस्य किं स्वरूपमिति चेत् दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो।। १४३ ।। द्वयोरपि नययोर्भणितं जानाति केवलं तु समयप्रतिबद्धः। न तु नयपक्षं गृह्णाति किञ्चिदपि नयपक्षपरिहीनः ।। १४३ ।। પક્ષીતિકાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?'—એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છે: નયદ્ધયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩. ગાથાર્થ - [ નયપક્ષપરિદીન:] નયપક્ષથી રહિત જીવ, [સમયપ્રતિવર્લ્ડ:] સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો ), [દયો: ]િ બન્ને [નયયો.] નયોના [ભણિત ] કથનને [વાં તુ] કેવળ [ નાનાતિ] જાણે જ છે [1] પરંતુ [ નયપક્ષ ] નયપક્ષને [ વિચિત્ બ]િ જરા પણ [ન ગૃતિ] ગ્રહણ કરતો નથી. ટીકા:- જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતેજ વિજ્ઞાનઘન થયા હોઇને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે ( અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઇ પણ નયપક્ષને ગ્રહતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહુ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત; ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઇને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્ષલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડ સમસ્ત નયપક્ષના ગ્રહણથી દુર થયો હોવાથી. કોઈ પણ નયપક્ષને ગ્રહુતો નથી, તે (આત્મા) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૩ ] ( સ્વાગતા) चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम् । बन्धपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारम् ।। ९२ ।। ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે. ભાવાર્થ:- જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા ) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઇ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું. તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છેઃ શ્લોકાર્થ:- [ વિશ્ર્વમાવ-મર-માવિત-માવ-અભાવ-ભાવ-પરમાર્થતયા [] ચિત્ત્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે ( -કરાય છે) –એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [ અપારમ્ સમયસારમ્] અપાર સમયસારને હું, [ સમસ્તાં વન્ધપદ્ધતિક્] સમસ્ત બંધપદ્ધતિને [અપાચ] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [ ચેતયે ] અનુભવું છું. * [ ૩૨૯ ભાવાર્થ:- નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. ‘હું અનુભવ છું' એવો પણ વિકલ્પ હોતો નથી–એમ જાણવું. ૯૨. * સમયસાર ગાથા ૧૪૩ : મથાળું ‘પક્ષાતિક્રાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?' એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ જુઓ, શિષ્યનો પ્રશ્ન છે કે જેને નયપક્ષના વિકલ્પ છૂટી ગયા છે તેનું શું સ્વરૂપ છે? નિશ્ચયના પક્ષને ઓળંગી ગયો છે માટે વસ્તુ અંદર નિશ્ચયથી કાંઈ જુદી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ છે એમ કોઈ માને તો એમ નથી. વસ્તુ તો અબદ્ધસ્પષ્ટ, એક, ચૈતન્ય સ્વરૂપ જ છે. અહાહા..! ભગવાન આત્મા ત્રિકાળ જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ છે. આત્મા (અન્યરૂપ) કષાયવાળો કેમ હોય? આત્મા સદાય નિર્વિકાર, અકષાયસ્વરૂપ છે. અકષાયસ્વરૂપ કહો કે ચારિત્રસ્વરૂપ કહો બંને એક જ વાત છે. તેના આશ્રયથી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. કહ્યું છે ને કે (ગાથા ૨૭રમાં ) નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની આ વસ્તુ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયની વાત છે. આ વીતરાગ માર્ગ છે, જૈનદર્શન છે. જૈનદર્શન એટલે વસ્તુદર્શન. અહીં વસ્તુ નહિ, વસ્તુનો વિકલ્પ છોડવાની વાત છે. અહીં નિશ્ચય વસ્તુ નહિ, પણ નિશ્ચયનો પક્ષ-વિકલ્પ જેને છૂટી ગયો છે તે પક્ષીતિક્રાન્તનું શું સ્વરૂપ છે એવા પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે * ગાથા ૧૪૩ ટીકા ઉપરનું પ્રવચન * ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રદેવ ભગવાન કેવળીનું દષ્ટાંત આપી સમજાવે છે જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈ ને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડ (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી.” અહીં છ બોલથી વર્ણન કર્યું છે. ૧. કેવળી ભગવાન વિશ્વના સાક્ષી છે, ૨. શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. કેવળી ભગવાનને વ્યવહાર-નિશ્ચયનય છે નહિ, ફક્ત જ્ઞાતાપણે તેમના સ્વરૂપને જ જાણે છે. શ્રુતજ્ઞાન પ્રમાણ અવયવી છે અને નિશ્ચય અને વ્યવહાર નય તેના બે અવયવ છે. કેવળી ભગવાનને કેવળજ્ઞાન પૂર્ણપ્રમાણ છે, શ્રુતજ્ઞાન નથી. માટે કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત નિશ્ચય વ્યવહારનયના સ્વરૂપને જ કેવળ જાણે છે, ૩. કેવળી ભગવાન નિરંતર પ્રકાશમાન સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા છે; તેથી ૪. શ્રુતજ્ઞાનની ભૂમિકાને અતિક્રમ્યા છે, અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા છે; શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિકાન્તપણા વડ ૫. સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે; માટે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૩ ] ૬. કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી. આ દષ્ટાંત થયું. અહો! સમ્યગ્દષ્ટિને અનુભવના કાળમાં કેવળી ભગવાન સાથે મેળવે છે. એ જ હવે સિદ્ધાંત કહે છે [ ૩૩૧ ‘તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા ), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ. અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-દિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વર્ડ) તે વખતે (અનુભવ વખતે ) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્બલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ ૫૨, ૫રમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે.’ ૧. શ્રુતજ્ઞાની આત્મા, ક્ષયોપશમથી જેનું નીપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનના વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં ૫૨નું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહથી નિવૃત્ત થયો છે; તેથી ૨. શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે; ૩. પરંતુ, અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ, નિત્ય-ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે તે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાનધન થયો છે; તેથી ૪. શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાને અતિક્રમ્યો છે, ઓળંગી ગયો છે; તે વડે ૫. સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો છે; માટે ૬. કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી. આ છ બોલમાં સમકિતીને ભગવાન કેવળી સાથે મેળવે છે. આ પ્રમાણે ૧. જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના એટલે લોકાલોકના સાક્ષી છે, જ્ઞાતા-દષ્ટા છે તેવી રીતે શ્રુતજ્ઞાની પણ શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહથી નિવૃત્ત થયો હોવાને લીધે ૫૨નો જ્ઞાતા છે, સાક્ષી છે. ૨. કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. તેવી રીતે શ્રુતજ્ઞાની આત્મા, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આ બીજા બોલમાં બંનેને સરખા કહ્યા છે ત્યાં કેવળી ભગવાનને શ્રુતજ્ઞાન નથી અને તેથી નય પણ નથી; માત્ર તેના સ્વરૂપને જ જાણે છે. તેમ શ્રુતજ્ઞાની પણ સમ્યગ્દર્શનના અનુભવકાળે વ્યવહાર નિશ્ચયનયનો પક્ષ છૂટી ગયો હોવાથી નયપક્ષના સ્વરૂપને જ કેવળ જાણે છે, વિકલ્પ નથી. કેટલાક માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય, પણ એ વાત તદ્દન ખોટી છે. અહીં તો એમ કહે છે કે સમકિતી જીવ પણ કેવળીની જેમ શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને કેવળ જાણે છે. ૩. નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે કેવળી ભગવાન પોતે જ સદા વિજ્ઞાનઘન થયા છે; તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે એટલે કે ચૈતન્યમય આત્માના અનુભવન વડે, તે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાનન થયો છે. નયપક્ષના ગ્રહણના ઉત્સાહથી નિવૃત્ત થવાને લીધે ધર્મો જીવ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિ વડે સ્વરૂપમાં એકાગ્ર થઈને પોતે જ તે કાળે વિજ્ઞાનઘન થયો છે. અહીં આટલો ફેર છે કે કેવળી ભગવાન સદા વિજ્ઞાનઘન થયા છે, જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ અનુભવના કાળે વિજ્ઞાનઘન થયો છે. કેમકે સમ્યગ્દષ્ટિને પછી વિકલ્પ ઉઠે છે માટે અનુભવના કાળે તે વિજ્ઞાનન થયો છે એમ કહ્યું છે. ધર્મની પ્રથમ ભૂમિકા શરૂ થવાના કાળની આ વાત ચાલે છે. નિશ્ચય-વ્યવહારના વિકલ્પના પક્ષથી જ્ઞાની રહિત થયો છે, તો વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? હું બદ્ધ છું, અબદ્ધ છું-એ બંને પક્ષથી જ્ઞાની રતિ થયો છે. કેવળી ભગવાન સદા વિજ્ઞાનઘન થયા છે, આ ધર્મી જીવ અનુભવના કાળમાં વિજ્ઞાનઘન થયો છે, આટલો ફેર છે. ભાઈ! આ તારા ઘરની-સ્વરૂપની વાત ચાલે છે. પ્રથમ સમ્યગ્દર્શન શુદ્ધોપયોગના કાળમાં થાય છે. અત્યારે આ વાત ચાલતી નથી એટલે કોઈને દુઃખ લાગે કે અમારી માન્યતાને જૂઠી પાડે છે, પણ પ્રભુ! માર્ગ તો આ છે. તારા હિતની આ વાત છે. બાપુ! આમાં વિરોધ કરવા જેવું નથી. અરે કોઇને ન બેસે ને વિરોધ કરે તો તેના પ્રત્યે દ્વેષ ન હોય. અંદર ભગવાન વિરાજે છે ને! એક સમયની પર્યાયમાં ભૂલ છે તે પોતે જ સુધારશે. અહા! ગાથા ઘણી અલૌકિક છે. ભાઈ! નયોના વિકલ્પ થાય તે જીવનું કર્તવ્ય નથી. હું શુદ્ધ છું, અબદ્ધ છું- એવો નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પ જીવનું કર્તવ્ય નથી; કેમકે ભગવાન આત્મા જે ચૈતન્યઘનસ્વરૂપ છે, પવિત્રસ્વરૂપ છે તે રાગરૂપ અપવિત્રતાનો કર્તા કેમ થાય? ત્રિકાળ શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ પરમાત્મા ક્ષણિક રાગની મલિનતાનો કર્તા કેમ થાય? ન જ થાય. ભાઈ! વસ્તુનું સ્વરૂપ આવું છે. એમાં વાદિવવાદને અવકાશ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૩ ] | [ ૩૩૩ અરે ! આ કાળમાં ભગવાનના વિરહ પડયા! અને તે સાથે ભગવાનની વાત કહેનારા સાચા સંતોના પણ વર્તમાનમાં વિરહ પડયા ! આ સ્થિતિમાં સત્ય વાત બહાર આવતાં કોઈ વિરોધ કરે પણ શું થાય? ભાઈ વસ્તુનું સ્વરૂપ જ આવે છેતેમાં બીજું શું થઈ શકે? અહીં અનુભવના કાળમાં સમ્યગ્દષ્ટિને કેવળી સાથે મેળવે છે. તેના ત્રણ બોલ થયા. હવે ચોથો બોલ ૪. કેવળજ્ઞાન વડે સદા વિજ્ઞાનઘન થયા હોઈને કેવળી ભગવાન શ્રુતજ્ઞાનની ભૂમિકાને અતિક્રમ્યા છે અર્થાત્ ઓળંગી ગયા છે. તેવી રીતે ચૈતન્યમય આત્માના અનુભવન વડે વિજ્ઞાનઘન થયો હોઈને, અનુભવના કાળે શ્રુતજ્ઞાની જીવ શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ અને બહિર્ષલ્પરૂપ વિકલ્પોને અતિક્રમ્યો છે, ઓળંગી ગયો છે. હું શુદ્ધ છું એવો જે અંદર વિકલ્પ ઉઠે તે અંતર્જલ્પ છે અને બહાર વાણી નીકળે તે બહિર્શલ્પ છે. શ્રુતજ્ઞાની અનુભવના કાળમાં સમસ્ત અંતર્જલ્પરૂપ અને બહિર્બલ્પરૂપ વિકલ્પોને ઓળંગી ગયો છે. અહો ! કેવળી સાથે જ્ઞાનીને મેળવીને શ્રી અમૃતચંદ્રાચાર્યદવે ગજબ કામ કર્યું છે! હવે કહે છે નયપક્ષની ભૂમિકાને ઓળંગી જવાને લીધે ૫. કેવળી ભગવાન જેમ સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ પણ સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો છે. અને તેથી ૬. જેમ કેવળી ભગવાન કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ પણ કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી. ભાઈ ! તું કોણ છો અને તેને કેમ પમાય તેની આ વાત છ બોલ દ્વારા કહી છે. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ કહ્યું છે, પણ કયાંય પક્ષમાં બંધાઈ જઈશ તો ભગવાન આત્મા હાથ નહિ આવે; અને તું સુખી નહિ થઈ શકે. બાપુ! તે દુઃખમાં જ દહાડા ગાળ્યા છે. જેનું વર્ણન થઈ ન શકે એવા અકથ્ય દુઃખમાં અનંતકાળ તારો વ્યતીત થયો છે. જેમ કોઈ રાજકુમારને જીવતો જમશેદપુરની તાતાની ભઠ્ઠીમાં નાખે અને એને જે વેદના થાય એનાથી અનંતગુણી વેદના પહેલી નરકમાં છે. ભાઈ ! તને શાના અભિમાન અને શાનો અહંકાર થાય છે? ઓછામાં ઓછી દસ હજાર વર્ષની આયુની સ્થિતિ ત્યાં હોય છે. અને સાતમી નરકની ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે. એમાં તું અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયો છે. પ્રભુ! તું ભૂલી ગયો ! (યાદ કર). શ્રેણીક મહારાજા ક્ષાયિક સમકિતી હતા. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. હાલ પ્રથમ નરકમાં છે. અંદરથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો નાશ થયો છે એટલે એટલાં ત્યાં સુખ અને શાંતિ છે. સ્વભાવનો આશ્રય છે એટલું ત્યાં સુખ છે, પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ત્રણ કપાય જે વિદ્યમાન છે એટલે ત્યાં દુઃખ અનુભવે છે. સંયોગનું વેદન નથી પણ જે ત્રણ કષાય છે તેનું ગૌણપણે વેદન છે. અઢી હજાર વર્ષ વીતી ગયાં છે. હજુ ૮૧૫૦૦ વર્ષની આયુની સ્થિતિ બાકી છે. બાપુ! વિચાર તો કર કે જેને આગામી કાળમાં તીર્થકર થવાનું છે એવો સમકિતી જીવ વર્તમાનમાં નરકગતિમાં આવાં દુ:ખ વેદે છે તો મિથ્યાત્વપૂર્વકના પરિણામની વિષમ વિચિત્રતાનું તો શું કહેવું? એ જ જીવ જ્યારે માતાના ગર્ભમાં પધારશે ત્યારે ઉપરથી ઇન્દ્રો માતાની સેવા કરવા આવશે અને કહેશે-ધન્ય માતા ! આપની કૂખે ત્રણલોકના નાથ ભગવાન પધાર્યા છે. જાઓ, આ ત્રણલોકના નાથ તીર્થંકરદેવનો જ્યારે અંતિમ જન્મ થશે ત્યારે ઇન્દ્રો અને દેવો મોટો ઉત્સવ ઉજવશે. આવો જીવ પણ વર્તમાનમાં નરકગતિમાં પોતાના પૂર્વ દોષનું ફળ ભોગવે છે તો પછી મિથ્યાષ્ટિ જીવના પરિણામ અને એના ફળની શી વાત કરવી? ભાઈ ! જેની દષ્ટિ વિપરીત છે તેના દુઃખથી પરાકાષ્ટાની શું વાત કહેવી? વિપરીત દષ્ટિના ફળમાં જીવ અનંતકાળ અનંત દુઃખ ભોગવે છે. એમાંથી ઉગરવાના ઉપાયની આ વાત છે. ભાઈ ! પ્રથમ નિર્ધાર તો કર કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી પૂર્ણાનંદનો નાથ છે, અને તેની સન્મુખ થતાં નિર્વિકલ્પ દશા થાય છે. આવી નિર્વિકલ્પ દશા થયા વિના કોઈને રાગની મંદતા થાય પણ તેથી શું? અંદર આત્માનો આશ્રય નથી તેથી તેને અનંતાનુબંધીનો કષાય વિદ્યમાન છે. બહારથી ભલે તે ક્રોધ ન કરે, તોપણ તેને ઉત્તમક્ષમાં નથી. અહાહા...! ક્ષમાનો દરિયો પ્રભુ પોતે છે; તેનો આશ્રય લીધા વિના ઉત્તમક્ષમાં હોઈ શકે નહિ. અહીં કહે છે કેવળી ભગવાન જેમ નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે, કોઈ પણ નવપક્ષને ગ્રતા નથી તેમ સમકિતી જીવ પણ સ્વાનુભવના કાળમાં કોઈ પણ નવપક્ષને ગ્રહતો નથી. જ્ઞાનની પર્યાય જ્યાં સ્વદ્રવ્ય ભણી ઝુકી છે ત્યાં પછી (અન્ય) કોને ગ્રહે? ભગવાન ચૈતન્યમૂર્તિને જેણે ગ્રહણ કર્યો છે તે નિશ્ચય-વ્યવહારના કોઈ પક્ષને ગ્રહતો નથી. આત્મા શાશ્વત, અમૃતનો સાગર છે. તેનો ગમે તેટલો વિસ્તાર કરીને વાત કરો તોપણ પાર આવે તેમ નથી. આત્મા વસ્તુ વિકલ્પાતીત છે. એના અનુભવ વિના જેટલા નિશ્ચયવ્યવહારનયના વિકલ્પો આવે તે બધા સંસાર ખાતે છે. ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમકિતીને જે શાંતિ પ્રગટી છે તેના કરતાં પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને અધિક શાંતિ હોય છે અને છઠ્ઠી ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજને તો શાંતિ અને વીતરાગતા ઔર વધી ગયાં હોય છે. મુનિરાજને પંચમહાવ્રતનો જે વિકલ્પ આવે તેને સમયસાર નાટકમાં પં. બનારસીદાસે જગપંથ કહ્યો છે. ત્યાં મોક્ષદ્વારના ૪૦ માં છંદમાં કહ્યું છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૩ ] [ ૩૩૫ “તા કારન જગપંથ ઇત, ઊત શિવમારગ જોર; પરમાદી જગક ધુકે, અપરમાદિ સિવ ઓર.'' અર્થ:- તેથી પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે. પ્રમાદી જીવ સંસાર તરફ ઝુકે છે અને અપ્રમાદી જીવ મોક્ષ તરફ ઝુકે છે. ભાવલિંગી મુનિને દ્રવ્યનો આશ્રય સવિશેષ છે, શ્રાવક કરતાં ઘણો અધિક છે, છતાં પૂર્ણ નથી; જો પૂર્ણ હોય તો કેવળજ્ઞાન થઈ જાય. તેવા મુનિરાજને જેટલો પ્રમાદનો અંશ છે તે જગપથ છે. છઠ્ઠ ગુણસ્થાને જે મહાવ્રતાદિના વિકલ્પ આવે તે પ્રમાદભાવ છે અને તે જગપથ છે. પ્રમાદ છોડી જેટલો સ્વરૂપમાં ઠરે તે શિવપંથ છે, મોક્ષપંથ છે. અહીં છ બોલથી કેવળી અને અનુભવ કાળમાં રહેલા સમકિતીને-બંનેને સરખા ગણેલા છે. આ તો હજુ જેને કર્તાકર્મપણું છૂટયું છે એવા ચોથા ગુણસ્થાનવર્તી જીવની વાત છે. હવે કહે તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ, અનુભૂતિમાત્ર સમયસાર છે. જ્ઞાની જીવ સમસ્ત વિકલ્પોથી અતિ પર પરમાત્મા છે. અહાહા...! પોતાના પરમ સ્વરૂપનો જેને અનુભવ થયો તેને અહીં અનુભવ કાળમાં પરમાત્મા કહ્યો છે. દષ્ટિમાં સદા મુક્તસ્વરૂપ નિર્વિકલ્પ ભગવાન આવ્યો છે તેથી તેને પરમાત્મા કહ્યો છે. વળી તે જ્ઞાનાત્મા છે. પોતે એકલો જ્ઞાનનો ગોળો ત્રિકાળી ધ્રુવ પ્રભુ છે. તેના ઉપર દૃષ્ટિ પડતાં તે જ્ઞાનાત્મા છે. જેવો જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ભગવાન છે તેવો અનુભવમાં આવ્યો તેથી જ્ઞાનાત્મા છે. આ તો નિર્વિકલ્પ અનુભવમાં તે વખતે જ્ઞાનાત્મા થયો તેની વાત છે. જ્યાં વિકલ્પ રહ્યો નથી તે જ્ઞાનઘન થયો થકો જ્ઞાનાત્મા છે. તે પ્રત્યજ્યોતિ છે. વિકલ્પરહિત થતાં વિકલ્પથી પૃથક્ જ્યોતિસ્વરૂપ છે. અહાહા..! બાપુ ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. સમ્યકદર્શન એટલે સત્ય દર્શન. અંદર પોતાની વિકલ્પ વિનાની ત્રિકાળી ધ્રુવ ચીજનો અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. સમકિતીને પોતાના પૂર્ણ આત્માની પ્રતીતિ થઈ છે તેથી તે જ્ઞાનાત્મા થયો છે, પ્રત્યજ્યોતિ સ્વરૂપ થયો છે, આત્મખ્યાતિરૂપ થયો છે. આ ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે ને! આત્મખ્યાતિ કહેતાં આત્માની પ્રસિદ્ધિ. પહેલાં રાગ અને વિકલ્પની પ્રસિદ્ધિ થતી હતી તે હવે ધર્મીને નિર્વિકલ્પ અનુભવની દશામાં આત્માની પ્રસિદ્ધિ થઈ તેથી તે આત્મખ્યાતિરૂપ થયો. અંદર આત્મા તો પરિપૂર્ણ પડયો છે તે પર્યાયમાં પ્રસિદ્ધિ થતાં આત્મખ્યાતિરૂપ થયો. ભાઈ ! વ્યવહારના વિકલ્પ તે સાધન નથી. નય વિકલ્પને (પ્રથમ) જે સાધન માન્યું છે તે તો બાધક છે. રાગ કે વિકલ્પ તે વસ્તુના સ્વરૂપમાં નથી અને પર્યાયમાં જે રાગ કે વિકલ્પ ઉઠ તે બધો સંસાર છે. અહાહા...! જગતથી જગતેશ્વર ભગવાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભિન્ન વસ્તુ છે. આવા પોતાના શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માની અનુભૂતિ થતાં તે અનુભૂતિમાત્ર સમયસાર થયો. ભાઈ ! સમયસાર રાગમાં આવતો નથી અને રાગથી તે જણાતો નથી. દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પમાં કે નયપક્ષના વિકલ્પમાં ભગવાન આત્મા આવતો નથી અને તે વિકલ્પ વડે તે જણાતો નથી. આવો આત્મા પૃથક જ્યોતિસ્વરૂપ અનુભવમાં આવ્યો એનું નામ સામાયિક છે. સામાયિકનો અર્થ છે સમતા. વિકલ્પની વિષમતા ટળતાં જે વીતરાગતાનોસમતાનો સમકિતીને લાભ થાય તેનું નામ સામાયિક છે. અજ્ઞાનીએ બહારની ક્રિયામાં સામાયિક માની છે, પણ એ સાચી સામાયિક નથી. અહો ! આ ગાથામાં ગજબની વાત કરી છે. ભગવાન જિનેશ્વરદેવ એમ કહે છે કે દેહમાં રહેલો આત્મા સ્વરૂપથી જિનચંદ્ર છે. વીતરાગી શાંતિનો પિંડ પ્રભુ શીતળ ચંદ્ર છે. આવા નિજ સ્વરૂપમાં વિકલ્પનો અવકાશ કયાં છે? અહાહા...! જેમાં રાગનો અંશ નથી એવા શુદ્ધ ચૈતન્યમય આત્માનો અનુભવ કરનારને અહીં પ્રથમ પરમાત્મા કહ્યો, પછી એનો જ્ઞાનગુણ લક્ષમાં લઈને જ્ઞાનાત્મા કહ્યો, વળી રાગથી ભિન્ન પાડીને તેને જ પ્રત્યજ્યોતિ કહ્યો, પછી તેને આત્મખ્યાતિ કહ્યો અને છેલ્લે તેને જ અનુભૂતિમાત્ર સમયસાર કહ્યો. કેટલાકે તો જિંદગીમાં સાંભળ્યું પણ ન હોય એવી આ વાત છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહક્ષેત્રમાંથી ભગવાનનો આ સંદેશ લાવ્યા છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શનનું સ્વરૂપ કેવું છે તેની આ વાત છે. શ્રાવકનું પંચમ ગુણસ્થાન તો કોઈ અલૌકિક ચીજ છે, બાપા! એને તો અંદર સ્વાનુભવના આનંદની રેલમછેલ હોય છે. અને પ્રચુર આનંદના વેદનમાં ઝૂલતા મુનિની દશાની તો શી વાત? ભાઈ ! “ણમો લોએ સવ્વસાહૂણં' –એવા ણમોકાર મંત્રના પાંચમા પદમાં જેમનું સ્થાન છે તે વીતરાગી નિગ્રંથ મુનિનો તો અત્યારે નમૂનો દેખવા મળવો મુશ્કેલ છે. અહાહા...! જેમને ત્રણ કષાયના અભાવથી અંતરમાં આત્મા પ્રસિદ્ધ થઈ ગયો છે તે મુનિ અંતર્બાહ્ય નિગ્રંથ હોય છે. જરા પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તે અપરાધ છે પણ તે ટળવા ખાતે છે. ભાઈ ! જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. જે ભાવથી પ્રકૃતિનો બંધ થાય તે ભાવ ધર્મ કેમ હોય ! તે ભાવ શુભ છે અને તે અપરાધ છે. મુનિને તે હોય છે પણ તે ટળવા ખાતે છે. ભાઈ ! આવું જ વસ્તુનું સ્વરૂપ છે. * ગાથા ૧૪૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતા-દષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે.' જાઓ, કેવળી ભગવાન આખા વિશ્વના સાક્ષી એટલે જ્ઞાતા-દષ્ટા છે. હું કેવળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૩ ] | [ ૩૩૭ છું, હિતોપદેશી છું—એવો કેવળી ભગવાનને વિકલ્પ નથી. કેવળજ્ઞાન વડે ભગવાન વિશ્વના અનંત પદાર્થોને, પ્રત્યેકને, દ્રવ્ય-ગુણ-પર્યાયસહિત ભિન્ન ભિન્ન સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે છે, પણ ત્યાં વિકલ્પ નથી. તે કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અંશરૂપ નયપક્ષના સ્વરૂપના પણ સાક્ષી એટલે જ્ઞાતા-દષ્ટા છે. હું દ્રવ્ય શુદ્ધ અને પર્યાયે પણ શુદ્ધ-એવા નયપક્ષના વિકલ્પ ભગવાનને નથી. ભગવાનને તો કેવળજ્ઞાન છે અને તે વડે નયપક્ષના સ્વરૂપના તે જ્ઞાતામાત્ર જ છે. તેમ પ્રથમ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ભાવશ્રુતજ્ઞાની સમસ્ત નયપક્ષના વિકલ્પથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્રભાવનું અનુભવન કરે છે તે વખતે તે નવપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. હવે કહે છે-“એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય.' પર્યાયમાં બદ્ધ છે, દ્રવ્ય અબદ્ધ છે-એ જેમ છે તેમ માને નહિ અને એકાંતે એક પક્ષને ગ્રહણ કરે તે મિથ્યાષ્ટિ છે. પર્યાયમાં અશુદ્ધતા છે એમ વ્યવહારનયનો પક્ષ છે અને દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એમ નિશ્ચયનયનો પક્ષ છે. હવે જો એક નયને માને અને બીજા નયને ન માને તો મિથ્યાદષ્ટિ છે. વસ્તુ દ્રવ્ય પર્યાયસ્વરૂપ છે તેમાં એકને જ માને તે મિથ્યાષ્ટિ છે. ભલે જૈનનો સાધુ કે શ્રાવક નામ ધરાવતો હોય, પણ હું ત્રિકાળ, શુદ્ધ ચૈતન્યમય આનંદકંદ પ્રભુ છું એમ જાણે નહિ અને વ્રતાદિના શુભરાગને માત્ર ગ્રહણ કરે તો તે (વ્યવહારાભાસી) મિથ્યાષ્ટિ છે. વળી આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે એમ કહે પણ પર્યાયમાં રાગાદિ છે એને સ્વીકારે નહિ તો તે પણ (નિશ્ચયાભાસી) મિથ્યાષ્ટિ છે. વળી બન્ને પક્ષને ગ્રહે પણ આત્માને ગ્રહે નહિ તો તે પણ વિકલ્પના ફંદમાં ફસાયેલો મિથ્યાષ્ટિ છે. જૈન થવામાં તો આ શરત છે કે કોઈ પણ નયપક્ષને ન ગ્રહતાં આત્માને જ ગ્રહવો. હવે કહે છે-“પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે.” શુદ્ધ, અખંડ, એકરૂપ આનંદસ્વરૂપ હું જ્ઞાયક છું એવું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારનયના પક્ષને ગૌણ કરી, નિશ્ચયનયને મુખ્ય કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વરહિત માત્ર ચારિત્રમોહનો રાગ રહે. અનુભવ થયા પછી પણ હું શુદ્ધ છું એવો જે પ્રધાનપણે પક્ષ રહે તે રાગરૂપ ચારિત્રનો દોષ છે. (તેને જ્ઞાની યથાવત્ જાણે છે અને સ્વભાવનો ઉગ્ર આશ્રય કરી દૂર કરે છે ). હવે કહે છે-“અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું” ત્યારે કોઈ કહે કે સમ્યગ્દર્શન સરાગ અને વીતરાગ એમ બે પ્રકારનું છે તો તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ વાત યથાર્થ નથી. અહીં તો સ્પષ્ટ વાત છે કે સમ્યગ્દર્શન એક જ પ્રકારનું વીતરાગભાવસ્વરૂપ જ છે. વિકલ્પ વિનાની નિર્વિકલ્પ સ્વાનુભૂતિ તે વીતરાગી દશા છે. આવો અનુભવ કરે ત્યારે ભાવશ્રુતજ્ઞાની કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું. * * * તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છેઃ * કળશ ૯૨ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘વિસ્વભાવ-ભર-માવિત-ભાવ-ભાવ-ભાવ-પરમાર્થતયા પુખ્' ચિસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે (-કરાય છે)–એવું જેનું ૫૨માર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા શું કહ્યું ? આત્મા ચિત્ત્વભાવનો પુંજ છે. એમાં સંસારના વિકલ્પો નથી. ઉદયભાવના વિકલ્પોથી માંડીને જગતની બીજી બધી ચીજોથી રહિત આત્મા ચિસ્વભાવનો પુંજ છે. તે ચૈતન્યપુંજ વડે એટલે ત્રિકાળી જે ચીજ છે એના વડે પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે, કરાય છે એમ કહે છે. અહાહા...! ત્રિકાળી જ્ઞાયક ચૈતન્યસ્વભાવભાવરૂપ જે પરમાત્મા તેના વડે નવી અવસ્થા જે ઉત્પન્ન થાય તે ઉત્પાદ, જાનીનો અભાવ થાય તે વ્યય અને ટકીને રહે તે ધ્રુવસ્વભાવ અનુભવાય છે, કરાય છે. એકલો જ્ઞાનસ્વભાવ કે જેમાં રાગ નથી, પર્યાય પણ નથી એવા જ્ઞાનકુંજ વડે પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે. કોઈ રાગના વિકલ્પથી કે અન્ય નિમિત્તથી ઉત્પાદ, વ્યય કરાય કે ધ્રુવ જણાય એવું એનું સ્વરૂપ નથી. ‘ચિત્સ્વભાવ-ભર’ એમ કહ્યું છે ને! ગાડામાં જે ઘાસ ભરે તેને ‘ભર' કહે છે. એમ ભગવાન આત્મા ચિત્ત્વભાવનો ભર એટલે ચિત્ત્વભાવનો પુંજ છે. તે ચિત્ત્વભાવના પુંજ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. વિકલ્પને કરવો પણ નથી, ટાળવો પણ નથી. અહીં તો પોતાની નિર્મળ પર્યાયથી ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયથી વ્યય થાય અને વસ્તુ ધ્રુવપણે રહે –એમ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને એ કરે છે. ગજબ વાત છે! કર્તા-કર્મ અધિકાર છે ને? આત્મા ચૈતન્યપુંજ પ્રભુ ન કરે રાગને, ન કરે જગતની કોઈ અન્ય ચીજના કાર્યને; તે કરે એક માત્ર પોતાના સ્વરૂપને. અહાહા...! ચિસ્વભાવનો પુંજ આત્મા છે. તે વડે ‘ભાવ’ એટલે ઉત્પાદ, ‘અભાવ’ એટલે વ્યય અને ‘ભાવ’ એટલે ધ્રૌવ્યએમ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે, સમ્યગ્દષ્ટિ શુદ્ધ સ્વભાવનો અનુભવ કરે ત્યારે આમ થાય છે એમ કહે છે. જુઓ, વ્યવહારના વિકલ્પથી કરાય એ વાત તો કાઢી નાખી, પણ હું શુદ્ધ છું, પૂર્ણ છું-એવા નિશ્ચયના વિકલ્પથી પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય એ વાત પણ કાઢી નાખી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૩ ] [ ૩૩૯ ભાઈ ! ધર્મની પહેલી દશા, પ્રથમ સોપાન જે સમ્યગ્દર્શન તે આ રીતે થાય છે એમ કહે છે. વીતરાગનો માર્ગ આવો છે, બાપુ! રાગ વડ કે નિમિત્ત વડે ભવાય એવી વસ્તુ નથી. અહીં તો પર્યાય વડે ભવાય એમ પણ નથી કહ્યું. અહીં તો કહે છે કે ત્રિકાળી ચીજ જે જ્ઞાનસ્વભાવનો ભર પડ્યો છે તેના વડે કરીને પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ભવાય છે એટલે હોય છે, કરાય છે. આ ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન થાય એની વાત છે. કોઈ કહું કે આ ચારિત્રની વાત છે તો એમ નથી. આત્મામાં જે ચૈતન્યનો ભર ભર્યો છે એના વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કરાય છે, હોય છે-એમ એકાન્ત કહ્યું છે. વ્યવહારથી થાય એ વાત છે જ નહિ, એને તો અહીં ઉડાડી દીધી છે. આત્મા એવું નબળું તત્ત્વ નથી કે રાગને લઈને એનું કાર્ય થાય. આત્મા પૂર્ણ શક્તિમાન બળવાન ચીજ છે. એના પોતાના સ્વભાવના બળ વડે કરીને એનાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય હોય છે, કરાય છે, ભવાય છે. આત્મા એવી નબળી ચીજ નથી કે તે પરના આશ્રયે પ્રગટ થાય (અર્થાત્ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થવામાં એને પરની અપેક્ષા નથી). ત્રણલોકના નાથ જિનેશ્વરદેવનું આ ફરમાન છે. અહા ! આવી વાત હુજા સાંભળવાય ન મળે તે બિચારા કે દિ ધર્મ કરે અને કે દિ એમનાં જન્મ-મરણ મટે? ચોરાસીના અવતારમાં જન્મ-મરણ કરી કરીને મરી ગયો છે. બાપા! અનંત કાળ અનંત ભવ કરવામાં ગાળ્યો છે. ભાઈ ! એ બધો કાળ તે દુ:ખમાં ગાળ્યો છે. પ્રભુ! સ્વર્ગમાં પણ તું દુ:ખી જ હતો. ભવ છે તે સ્વભાવથી વિરુદ્ધ પરાધીન દશા છે. આ વિકલ્પ છે તે દુઃખરૂપ ભાવ છે અને ભગવાન આત્મા ચિસ્વભાવ છે. અહીં જ્ઞાનપ્રધાન કથન છે તેથી કહે છે ચિસ્વભાવનો પુંજ એવા આત્મા વડે પોતાનાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય કરાય છે. મતલબ કે વ્યવહારના વિકલ્પ વડે પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થાય એમ છે પ્રભુ! તારી મોટપની તને ખબર નથી. વસ્તુના સ્વભાવના મહિમાની તને ખબર નથી. બહારમાં દયા, દાન, ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં તને મહિમા ભાસે છે પણ એ ભાવ તો દુઃખરૂપ છે, પુણ્યનો જેને મહિમા છે તે આ બધા શેઠિયા પરાધીન દુઃખી છે. અહીં કહે છે કે ભગવાન આત્મા જે જ્ઞાનસ્વભાવનો પુંજ છે એના વડે પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. ધ્રુવ ધ્રુવપણે રહે છે અને તેના આશ્રયે નિર્મળ વીતરાગી પર્યાયનો ઉત્પાદ કરાય છે. ઓહોહોહો ! એક લીટીમાં કેટકેટલું સમાવ્યું છે! અહો! દિગંબર સંતોની કરુણા ! જે વસ્તુ શબ્દમાં નથી જણાય એવી નથી તેને શબ્દ દ્વારા કહી છે, બતાવી છે! વાહ! સંતો વાહ!! પ્રશ્ન:- શબ્દોથી જણાય નહિ તો શબ્દો શું કામ કહ્યા? ઉત્તરઃ- શબ્દો તો શબ્દોના કાળે પોતાના કારણે થયા છે. શબ્દોમાં વસ્તુનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૦ ] | પ્રવચન રત્નાકર ભાગ-૫ કથન કરવાની શક્તિ છે, પણ વસ્તુનું પરિણમન કરવાની શક્તિ નથી. હવે કોઈ જીવ શબ્દો સાંભળીને, તેનો વિકલ્પ મટાડીને ચિસ્વભાવનો પુંજ એવા આત્મામાં એકાગ્ર થાય છે તો તે સમકિતની દશાને, સ્વાનુભવની દશાને પામે છે. ત્યારે શબ્દોને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્તથી વસ્તુ જણાય છે, પ્રાપ્ત થાય છે એમ છે નહિ. અરે! મુંબઈથી મદ્રાસ જતાં દરિયામાં એકાએક એરોપ્લેન તૂટી પડ્યું અને ૯૦ માણસો ક્ષણમાં મરણને શરણ થયા! ભાઈ ! આવાં (મરણનાં) દુઃખ તે અનંતવાર સહન કર્યા છે. જે ક્ષણે દેહ છૂટવાનો હોય તે ક્ષણે છૂટી જાય, એક ક્ષણ પણ આગળ-પાછળ ન થાય. આ લસણ અને ડુંગળીની કટકીમાં અસંખ્ય શરીર છે. પ્રત્યેક શરીરમાં અનંત જીવો છે. તેલમાં નાખીને તળે ત્યાં તે જીવોના દુઃખનું શું કહેવું? એ બધા કંદમૂળ અનંતકાય અભક્ષ્ય છે. જૈન કે આર્યન એવો ખોરાક ન હોય. પણ અરે! એને તળીને ખાય! (નામધારી જૈનને પણ ન શોભે.) ભાઈ ! સ્વરૂપને ભૂલીને આમ અનંતવાર તું તળાઈ ગયો છું, અનંતવાર ભરખાઈ ગયો છું. ભગવાન! તું તને ભૂલી ગયો! તું ચિસ્વભાવનો પુંજ છે પ્રભુ! અહીં કહે છે-એવા ચૈતન્યસ્વભાવ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. વિકલ્પમાત્ર આત્માના સ્વભાવમાં નથી. ધીરાનાં કામ છે, બાપા ! આ તો વીતરાગનો માર્ગ છે. તે વીતરાગ ભાવથી જ પ્રગટ થાય છે. ત્રિકાળી તેજનો પુંજ પ્રભુ આત્મા છે, તે વડ ભાવિત થઈને નિર્મળ પર્યાયની દશા ઉત્પન્ન થાય છે અને તેને ધર્મ કહેવામાં આવે છે. ભગવાન સર્વજ્ઞદેવનું આ ફરમાન છે. શ્રીમદે એકવાર કહ્યું કે અમારો નાદ કોણ સાંભળશે? કે એક તણખલાના બે ટુકડા કરવાની તાકાત આત્મામાં નથી. મતલબ કે જડની પર્યાયનો કર્તા આત્મા નથી. તણખલાના ટુકડા એના અકાળે જે થવાના હોય તે તેના કારણે થાય છે, આંગળીથી નહિ, ચપુથી નહિ કે આત્માથી નહિ. એ બધાં તો નિમિત્ત છે. નિમિત્ત છે, નિમિત્ત છે એ વાતનો અહીં નિષેધ નથી પણ નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાતનો અહીં નિષેધ કરવામાં આવે છે. અહો ! શું સરસ વાત કરી છે! કે આત્માનો ચિસ્વભાવ છે; રાગભાવ નહિ, પુણ્યભાવ નહિ, સંસારભાવ નહિ, એક સમયનો પર્યાયભાવ પણ એનો સ્વભાવ નહિ. આવા પોતાના ચિસ્વભાવના પુંજ વડ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. અહાહા....! પોતાની વીતરાગી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયનો વ્યય થાય અને ધ્રુવ ધ્રુવપણે રહે તે ચિસ્વભાવના પુંજ વડે કરાય છે, હોય છે. ભાઈ ! ક્ષણમાં આ દેહ સ્વકાળ છૂટી જશે. માટે ચિસ્વભાવના પુંજરૂપ તારી વસ્તુ છે તેની ભાવના કર. આ રાગની ભાવનામાં તને દુ:ખનો અનુભવ છે. માટે વિકલ્પો છોડીને સ્વરૂપમાં સાવધાન થા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૩ ] [ ૩૪૧ હવે કહે છે-જ્ઞાનસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કરાય છેએવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા “મપારમ્ સમયસારમ્’ અપાર સમયસારને હું, ‘સમસ્ત વંધપદ્ધતિમ્' સમસ્ત બંધપદ્ધતિને “સાચ' દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને ‘વેત' અનુભવું છું. આવું જ આત્માનું પરમાર્થ સ્વરૂપ છે માટે તે એક છે. તેમાં વિકલ્પ આદિ બીજી ચીજ છે જ નહિ. આવા નિજ સ્વભાવની ભાવના થતાં એકરૂપ નિર્મળ દશા પ્રગટ થાય છે, પર્યાય અને દ્રવ્ય એકમેક થઈ જાય છે, એટલે કે ત્યાં ભેદનું લક્ષ રહેતું નથી. પ્રભુ તું કોણ છો અને તને ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે-આવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા અપાર સમયસારને હું અનુભવું છું. જેનો જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ઇત્યાદિ-અપાર અનંત સ્વભાવ છે એવો સમયસાર છે. એવા સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિને-વિકલ્પોને છોડીને અનુભવું છું. જાઓ, હું શુદ્ધ છું એવો વિકલ્પ પણ બંધપદ્ધતિરૂપ છે, તેને છોડીને હું સમયસારને અનુભવું છું. કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સર્વ ભાવોને છોડીને હું અપાર એવા સમયસારને અનુભવું છું પંચમહાવ્રતનો જે વિકલ્પ ઉઠે છે તે બંધપદ્ધતિમય છે; તે વિકલ્પને છોડીને હું સમયસારને અનુભવું છું એમ આચાર્યદવ કહે છે. માનો કે ન માનો; ભગવાન! માર્ગ તો આ છે. સંવત ૪૯ની સાલમાં શ્રી કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં પધાર્યા હતા. આઠ દિવસ ત્યાં રહ્યા હતા. કેવળી અને શ્રુતકેવળીનો પરિચય કરીને પછી ભારતમાં પધાર્યા હતા. પોતે વીતરાગભાવમાં ઝૂલતા હતા. તેમણે આ પરમાગમ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ એમ કહે છે કે છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રતાદિનો શુભરાગ હોય છે. તેને છોડીને મુનિ પોતાના ચિસ્વભાવને અનુભવે છે. મુનિને સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. આવી અલૌકિક મુનિદશા છે. * કશળ ૯૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, “હું અનુભવું છું' એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું.' ચોથા ગુણસ્થાને આત્માના સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થતાં જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકને તો સમ્યગ્દર્શન ઉપરાંત ઘણી શાંતિ વધી છે. અને મુનિદશાની તો શી વાત! એ તો પ્રચુર આનંદ અને શાંતિના સ્વામી છે. અહાહા....! કેવળજ્ઞાનાદિ એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું સુખ, એકલું વીર્ય, એકલી પ્રભુતા ઇત્યાદિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨ ] | પ્રવચન રત્નાકર ભાગ-૫ અપાર અનંત-ગુણનો પિંડ પ્રભુ સમયસાર આત્મા છે. મુનિરાજને તેનું સ્વાનુભવમાં પ્રચુર સંવેદન છે. અનુભવ કાળે “હું અનુભવું છું' એવો વિકલ્પ હોતો નથી; માત્ર પરમસ્વરૂપ પરમાત્માનો અનુભવ જ વર્તે છે. આ લક્ષ્મીનો સ્વામી થાય એ તો જડનો સ્વામી છે; અને ધર્મી સ્વાનુભવજનિત આનંદનો સ્વામી છે. અહા ! ધર્મીને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે “હું અનુભવું છું” એવો વિકલ્પ પણ રહેતો નથી એવી અદભુત અલૌકિક ધર્મીની દશા છે. [ પ્રવચન નં. ૧૯૭-૧૯૮ * દિનાંક ૧૦-૧૦-૭૬ અને ૧૧-૧૦-૭૬ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪૪ पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते सम्मदंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं। सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ।। १४४ ।। सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम् । सर्वनयपक्षरहितो भणितो य: स समयसारः ।। १४४ ।। પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે–એમ હવે કહે છે: સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘ સમયનો સાર ' છે. ૧૪૪. . ગાથાર્થ:- [ય: ] જે [ સર્વનયપક્ષતિ: ] સર્વ નયપક્ષોથી રહિત [મતિ: ] કહેવામાં આવ્યો છે [સ: ] તે [ સમયસાર: ] સમયસાર છે; [૪: ] આને જ (–સમયસારને જ ) [જેવાં] કેવળ [ સમ્યઃ વર્શનજ્ઞાનમ્] સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન [ તિ] એવી [ વ્યપવેશમ્ ] સંજ્ઞા ( નામ ) [ નમતે ] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે. ) ટીકાઃ- જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન સમયસારથી જુદાં નથી, એક જ છે.) પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, ૫૨ પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વા૨ા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને ( –મતિજ્ઞાનના સ્વરૂપને ) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપ૨ જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, ૫રમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪ ] - પ્રવચન રત્નાકર ભાગ-૫ (શાક્તવિશાહિત) आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्। विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।। ९३ ।। (શાર્દૂત્રવિક્રીડિત). दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्। विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।।९४ ।। દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ભાવાર્થ- આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તેજ સમ્યગ્દર્શન” અને “સમ્યજ્ઞાન” એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઇ અનુભવથી જુદાં નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- [ નયાનાં પક્ષે: વિના ] નયોના પક્ષો રહિત, [ ગતં વિવસ્વમવન્] અચળ નિર્વિકલ્પભાવને [ સામન] પામતો [ 4: સમય સાર: ભાતિ] જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે [ સ: Us:] તે આ સમયસાર (શુદ્ધ આત્મા) – [ નિમૃતૈ: સ્વયમ્ સાસ્વાદ્યમાન:] કે જે નિત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાધમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે- [વિજ્ઞાન––૨: માવાન] વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે, [પુષ્ય: પુરાણ: પુસા ] પવિત્ર પુરાણ પુરુષ છે; [ જ્ઞાન નમ્ fપ યં] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ (સમયસાર) જ છે; [ અથવા ]િ અથવા વધારે શું કહીએ? [વત્ ગ્વિન નય :] જે કાંઈ છે તે આ એક જ છે (–માત્ર જુદાં જુદા નામથી કહેવાય છે ). ૯૩. આ આત્મા જ્ઞાનથી ચુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છે: શ્લોકાર્થઃ- [ તોયવત્ ] જેમ પાણી પોતાના સમૂહથી ચુત થયું થયું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂર્વ તરફ બળથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ]. [ ૩૪૫ (અનુકુમ ) विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम्। न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।।९५ ।। વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે તેવી રીતે [નયં] આ આત્મા [ નિન–ોથાત્ ભુત: ] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચુત થયો થકો [ ભરિ–વિહ૫-નાન–દને પ્રાજ્યન] પ્રચર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને [–RIટુ વ] દૂરથી જ [ વિવે–નિમ્નરામનાત્] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા [ નિન–શોધું વત્તાત્ નીત:] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો; [ત–9–સિનામૂ ] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [ વિજ્ઞાન–વ–૨: માત્મા] જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, [માત્માનમ્ ત્મિનિ પર્વ સાદરન] આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને), [ સા તાતુ તતામ્ યાતિ] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ભાવાર્થ- જેમ જળ, જળના નિવાસમાંથી કોઇ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઇ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઇ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪. હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે: શ્લોકાર્થઃ- [વિ ન્ય: પૂર વર્તા] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [ વિરુત્વ: વન] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજાં કોઈ કર્તા-કર્મ નથી; ) [ સવિન્યસ્ય] જે જીવ વિકલ્પસહિત છે તેનું [ જરૃર્મવં] કર્તાકર્મપણું [ નાતુ] કદી [નશ્યતિ ન] નાશ પામતું નથી. ભાવાર્થ- જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫. જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ (રથોદ્ધતા) यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स वचित्।। ९६ ।। (ન્દ્રવજ્ઞા) ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ९७ ।। શ્લોકાર્ધ - [ : રોતિ : છેવત્ત રોતિ] જે કરે છે તે કેવળ કરે જ છે [1] અને [ 4: વેત્તિ સં. તુ છેવતમ્ વેત્તિ ] જે જાણે છે તે કેવળ જાણે જ છે; [ 4: રોતિ સ: વચિત્ ન હિ વેરિ] જે કરે છે તે કદી જાણતો નથી [1] અને [: વેત્તિ સ: વવત્ રોતિ] જે જાણે છે તે કદી કરતો નથી. ભાવાર્થ:- કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. ૯૬. એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બન્ને ભિન્ન છે એમ હવે કહે છે: શ્લોકાર્ધ - [ રોતી અન્ત: જ્ઞત્તિ: ન હિ ભાસતે] કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી [૨] અને [ જ્ઞો મન્ત: રોતિ: ન માસ] જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [તત: જ્ઞપ્તિ: રાતિ: ૨ વિક્રમને] માટે જ્ઞતિક્રિયા અને “કરોતિ' ક્રિયા બન્ને ભિન્ન છે; [૨ તત: રુતિ સ્થિતં] અને તેથી એમ ઠર્યું કે [ જ્ઞાતા વર્તાઈ ન] જે જ્ઞાતા છે તે કર્તા નથી. ભાવાર્થ- “હું પરદ્રવ્યને કરું છું” એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ “કરોતિ” ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું” એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કપાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ? તેનું સમાધાન -અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] (શાર્દૂનવિદ્રીડિત) कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः । ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिर्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम् ।। ९८ ।। अथवा नानट्यतां, तथापि - [ ૩૪૭ (મંદ્દાાન્તા) कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथोच्चैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।। ९९ ।। અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭. ફરીને એ જ વાતને દઢ કરે છેઃ શ્લોકાર્થ:- [હર્તા ર્મળિ નાસ્તિ, ર્મ તત્ અપિ નિયતં ર્તરિ નાસ્તિ] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી- [યવિ દ્વન્દ્વ વિપ્રતિષિધ્યતે] એમ જો બન્નેનો ૫રસ્પર નિષેધ કરવામાં આવે છે [તવા પૃર્મસ્થિતિ: 1] તો કર્તાકર્મની સ્થિતિ શી ? ( અર્થાત્ જીવ-પુદ્દગલને કર્તાકર્મપણું ન જ હોય શકે.) [જ્ઞાતા જ્ઞાતરિ, ર્મ સવા ર્મળિ] આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [કૃતિ વસ્તુસ્થિતિ: વ્યī] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [તથાપિ વત] તોપણ અરે! [ નેપથ્ય પૃષ: મોહ: ક્િ રમસા નાનટીતિ] નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.) ભાવાર્થ:- કર્મ તો પુદ્દગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્દગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્દગલકર્મનો કર્તા નથી; અને પુદગલકર્મ છે પુદ્દગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કે-આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે' એવો અજ્ઞાનીનો આ મોહ ( –અજ્ઞાન ) કેમ નાચે છે? ૯૮. અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છેએમ હવે કહે છે: શ્લોકાર્થ:- [ અવલં] અચળ, [વ્ય] વ્યક્ત અને [વિત્—શજ્ઞીનાં નિર્-ભરત: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અત્યન્ત-શમ્મીમ્] ચિત્શક્તિઓના ( –જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહના ભારથી અત્યંત ગંભી૨ [yતત્ જ્ઞાનજ્યોતિ: ] આ જ્ઞાનજ્યોતિ [અન્ત: ] અંતરંગમાં [હવ્વ: ] ઉગ્રપણે [ તથા જ્વલિતમ્] એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે– [ યથાર્તા હર્તા ન ભવતિ] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે વે કર્તા થતો નથી અને [ર્મ ર્મ અપિ ન વ] અજ્ઞાનના નિમિત્તે પુદ્દગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી; [ યથા જ્ઞાનં જ્ઞાનં મવતિ TM] વળી શાન જ્ઞાનરૂપ જ રહે છે અને [પુ।ત: પુન: અવિ] પુદ્ગલ પુદ્દગલરૂપ જ રહે છે. ભાવાર્થ:- આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્દગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્દગલ પુદ્દગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે. ૯૯. ટીકા:- આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા. ભાવાર્થ:- જીવ અને અજીવ બન્ને કર્તા-કર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમનાં જાદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજ રૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીંપણ જાણવું. જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બર્ણ કરતા સો, તાકર બંધન આન તણું ફલ લે સુખ દુ:ખ ભવાશ્રમવાસો; જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલે ૫૨૫ાસો, આતમમાંહિ સદા સુવિલાસ કરૈ સિવ પાય ૨હૈ નિતિ થાસો. આમ શ્રી સમયસારની (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની ) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તાકર્મનો પ્રરૂપક બીજો અંક સમાસ થયો. * * * સમયસાર ગાથા ૧૪૪ : મથાળું પક્ષાતિક્રાન્ત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે–એમ હવે કહે છે: હું અબદ્ધ છું, એક છું, શુદ્ધ છું-એવો જે પક્ષનો રાગ છે એને જે છોડી દે છે તે સમયસાર છે, એનું નામ આત્મા છે એમ નિયમથી ઠરે છે એ વાત હવે ગાથામાં કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૪૯ * ગાથા ૧૪૪: ટીકા ઉપરનું પ્રવચન * જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.)” હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું-એવા જે નયપક્ષના વિકલ્પ ઉઠે તે વડે જે ખંડિત થતો નથી તે સમયસાર છે. શું કહ્યું? ભગવાન આત્મા સદા જ્ઞાનાનંદસ્વભાવી નિત્યાનંદ પ્રભુ છે; આ નયપક્ષનો વિકલ્પ છે તે તેની શાંતિનો ખંડ કરે છે. જે જીવ નયપક્ષના વિકલ્પ કરે છે તે આત્માની શાન્તિનો ખંડ એટલે ભંગ કરે છે. સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી એમ કહ્યું ત્યાં મતલબ એમ છે કે પૂર્વે નયપક્ષ વડે ખંડિત થતો હતો તે હવે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે સમસ્ત નયપક્ષ છૂટી જવાથી જેને સર્વ વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો તે સમયસાર છે. જુઓ, આ વીતરાગ સર્વશદેવની વાણીનો સાર ભગવાન કુંદકુંદાચાર્યદેવ જાહેર કરે છે. મહાવિદેહમાં વર્તમાનમાં સાક્ષાત્ સીમંધરસ્વામી સર્વજ્ઞપદે બિરાજી રહ્યા છે. પ00 ધનુષ્યનો દેહ છે, કોડ પૂર્વનું આયુષ્ય છે. અબજો વર્ષોથી બિરાજે છે અને હજુ અબજો વર્ષ પછી નિર્વાણપદને પામશે. ભગવાન કુંદકુંદાચાર્યદવ ત્યાં પધાર્યા હતા. આઠ દિવસ ત્યાં રહીને ભારતમાં ભગવાનનો આ સંદેશ લાવ્યા છે. દેવસેન આચાર્ય નામના મહામુનિ થઈ ગયા. તેઓ શ્રી દર્શનસાર નામના શાસ્ત્રમાં કહે છે-“(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?' અહા ! આવા શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે કે જે ખરેખર સમસ્ત નયપક્ષો વડ ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. જડકર્મ, શરીરાદિ નોકર્મ અને વિકલ્પરૂપી ભાવકર્મથી જે રહિત થયો છે તે સમ્યક પ્રકારે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. ભગવાન આત્મા જ્ઞાતા-દષ્ટાના સ્વભાવથી, એકલા ચૈતન્યરસથી ભરેલું અનાદિ અનંત નિર્મળ તત્ત્વ છે. આત્મા ત્રિકાળી શુદ્ધ, એક, પરમ પવિત્ર પરમાત્મદ્રવ્ય છે એ તો બરાબર જ છે. પણ આવો જે નયપક્ષનો વિકલ્પ ઉઠે છે તે વસ્તુના સ્વભાવમાં નથી. વિકલ્પ છે તે ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે. અંતરસ્વભાવની દષ્ટિ થતાં જ સર્વ નયપક્ષના વિકલ્પ ખંડિત થઈને વિલય પામી જાય છે અર્થાત્ નાશ પામી જાય છે. (ઉત્પન્ન થતા નથી.) અહાહા...! હું જ્ઞાનસ્વભાવી ત્રિકાળી ધ્રુવ પરમાત્મદ્રવ્ય છું એવો વિકલ્પ પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦ ] | પ્રવચન રત્નાકર ભાગ-૫ જેમાં નથી એવો ચૈતન્ય મહાપ્રભુ આત્મા છે. તેના ઉપર દૃષ્ટિ પડતાં અર્થાત્ વર્તમાન જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં એકત્વ પામતાં સમસ્ત વિકલ્પનો વ્યાપાર જેને અટકી ગયો છે એવો તે સમયસાર છે. જેવો શુદ્ધ ચૈતન્યમય આત્મા છે તેવો નિર્વિકલ્પ અનુભવમાં આવતાં આ સમયસાર છે એમ જાણવામાં આવે છે અને એ જ આત્મા છે. આ અપૂર્વ વાત છે, ભાઈ ! આ સિવાય રાગની કે વિકલ્પની વૃત્તિ ઉઠ તે અનાત્મા છે, જડ છે, અચેતન છે. સ્વાનુભવ દશામાં પ્રગટ થતા સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ એકડા વગરનાં મીઠાં છે. વળી એ રાગમાં તન્મય થવું એ મિથ્યાત્વભાવ છે. અહા ! જીવ પૂર્વે અનંતવાર નગ્ન જૈન સાધુ થયો અને પંચમહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણનું એણે પાલન કર્યું. પણ એ તો બધો શુભરાગ હતો. તેમાં (શુભરાગમાં) એકતા કરીને પરિણમવું એ મિથ્યાત્વભાવ છે અને એનું ફળ સંસાર જ છે. અહીં કહે છે-નયપક્ષથી રહિત થઈને જે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તે સમયસાર છે. અહાહા...! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન! જાણગસ્વભાવનું દળ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેને અનુભવતાં સમસ્ત વિકલ્પનો નાશ થઈ જાય છે અર્થાત્ ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. આને સમયસાર અર્થાત્ આત્મા કહે છે અને તે એકને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવકપણું અને મુનિપણું તો તેનાથી આગળની કોઈ અદ્દભુત અલૌકિક દશાઓ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું બાહ્ય શ્રદ્ધાન કે નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન નથી. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિત પ્રવર શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે “જૈનમતમાં કહેલાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહારસમ્યકત્વ વડે તે સમ્યકત્વની નામને પામે નહિ, માટે સ્વપરભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યકત્વ જાણવું.' વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે, તેનો અંતર-અનુભવ કરવો તે એકને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવું નામ મળે છે, તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સયમસારથી જુદા નથી, સમયસાર જ છે. જેમ સિદ્ધ પરમાત્માને કોઈ પરદ્રવ્ય કે વિકલ્પ સાથે સંબંધ નથી તેમ પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માને કોઈ પરદ્રવ્ય કે વિકલ્પ સાથે સંબંધ નથી. અરે ભાઈ! પરદ્રવ્યની વ્યવસ્થા કરે એવું આત્માનું સ્વરૂપ નથી. શુભાશુભ રાગ કરે એવું પણ આત્માનું સ્વરૂપ નથી. શુભાશુભ રાગનો જે કર્તા થાય એ મિથ્યાષ્ટિ છે, અનાત્મા છે. પરદ્રવ્યની કોઈ પર્યાયને આત્મા કરે (કરી શકે) એ તો વાત છે જ નહિ, પણ પોતાની પર્યાયમાં રાગ કરે, વિકલ્પ કરે (કર્તા થઈને) એ મિથ્યાષ્ટિ છે. જાઓ, આ કર્તાકર્મ અધિકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૫૧ છે ને! વિકલ્પ કરવો એ ચૈતન્યના સ્વરૂપમાં નથી. તથાપિ કોઈ વિકલ્પનો કર્તા થાય અને વિકલ્પ પોતાનું કર્તવ્ય માને તે મિથ્યાદષ્ટિ છે. આત્મા વિજ્ઞાનયન પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મા છે, એમાં ૫૨નો અને વિકલ્પનો કયાં અવકાશ છે? ક્ષુલ્લક ધર્મદાસજીએ એને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં અવ્યક્તના છ બોલ છે. તેમાં પહેલા બોલમાં કહ્યું છે કે-‘છ દ્રવ્યસ્વરૂપ લોક શેય છે અને ભક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.'' છ દ્રવ્ય જ્ઞાનમાં જણાવા લાયક છે માટે વ્યક્ત છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. છમાં હોવા છતાં છ દ્રવ્યથી ભિન્ન છે માટે તેને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. એકકોર રામ અને એકકોર આખું ગામ, અર્થાત્ આ વિશ્વના છ દ્રવ્યો બધા આત્માથી ભિન્ન છે અને આત્મા એ સર્વથી ભિન્ન છે. પોતે સ્વને જાણતાં એ સર્વને જાણે એવો એનો જ્ઞાનસ્વભાવ છે. પોતાનો સ્વપ૨પ્રકાશકસ્વભાવ હોવાથી પોતાને જાણતાં એ બધું સહજ જણાઈ જાય છે. પરંતુ એકલું ૫૨ને જ જાણવું એ મિથ્યાજ્ઞાન છે. સ્વભાવમાં તન્મય થઈને પોતાને જાણતાં ૫૨ જણાઈ જાય તેને વ્યવહાર કહે છે. આનું નામ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન સ્વરૂપના અનુભવ સહિત હોય છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ કાંઈ આત્માથી જુદો ભાવ નથી. આટલી વાત પ્રથમ કરીને હવે શરૂઆત કેમ કરવી તે હવે કહે છેઃ ‘પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને-' શું કહ્યું ? કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનાં જે શાસ્ત્રો છે તેના અવલંબનથી પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરવો. આ નિર્ણય પ્રથમ વિકલ્પ દ્વારા કરવાની વાત છે. નિર્વિકલ્પ થવા માટે જ્ઞાનસ્વભાવી આત્માનો વિકલ્પથી નિર્ણય કરવો એમ કહ્યું ત્યાં એમ ન સમજવું કે આ વિકલ્પાત્મક નિર્ણય નિર્વિકલ્પનું કારણ છે. આ તો વિકલ્પાત્મક નિર્ણય પ્રથમ દશામાં હોય છે એની અહીં વાત કરી છે. હું ત્રિકાળી શુદ્ધ જ્ઞાનસ્વભાવી નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છું એમ પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી રાગમિશ્રિત વિચારથી નિર્ણય કરે છે. શ્રુતજ્ઞાનના અવલંબનથી ’–એમ કહ્યું એનો અર્થ એમ છે કે જીવ સર્વજ્ઞદેવ અને સાચા નિગ્રંથ ગુરુ આગમની જે વાત કહે તે સાંભળીને નિર્ણય કરે છે. ગુરુએ કહ્યું-વિકલ્પથી માંડીને સર્વ લોકાલોકથી ભિન્ન તારો આત્મા શુદ્ધ જ્ઞાનસ્વભાવી છે તેને તું જાણ. આમ સાંભળીને પ્રથમ તે મનના સંબંધથી વિકલ્પાત્મક નિર્ણય કરે છે તેની આ વાત છે. સમ્યગ્દર્શન તો હજી પછીની વાત છે. આ તો (વિકલ્પના ) આંગણામાં ઊભો રહીને પ્રથમ અંદરનો નિર્ણય કરે છે એની વાત છે. 6 પ્રથમ, આત્માના અનુભવની શરૂઆત જેને કરવી છે, જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે તેણે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરવો એમ કહે છે. દયા, દાન આદિના વિકલ્પ છે તે વિભાવ છે, ચૈતન્યનો સ્વભાવ નથી અને ભગવાન આત્મા એનાથી ભિન્ન એકલો જાણગ-જાણગસ્વભાવી ચૈતન્યનો પિંડ છે. અનાદિનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ આ જ પ્રભુ આત્માનું અસ્તિત્વ છે એમ શ્રીગુરુ પાસેથી સાંભળીને હું એકલો જ્ઞાનકુંજ નિર્વિકલ્પસ્વરૂપ આત્મા છું એમ વિકલ્પ દ્વારા પ્રથમ નિર્ણય કરે છે. હવે કહે છે આમ નિર્ણય કરીને, “પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (–મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે.' શું કહે છે આ? –કે જ્ઞાનસ્વરૂપ આત્મા છે એવો વિકલ્પ દ્વારા નિર્ણય કર્યો પણ એમાં આત્માની પ્રગટ પ્રસિદ્ધિ ન થઈ. નિર્ણય તો કર્યો કે આત્મા કેવળજ્ઞાનસ્વભાવી (કેવળજ્ઞાન પર્યાયની વાત નથી) એટલે કે એકલો જ્ઞાનનો પિંડ છે, પણ એ વિકલ્પરૂપ નિર્ણયમાં આત્મપ્રસિદ્ધિ કહેતાં આત્મખ્યાતિ પ્રગટ ન થઈ. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્મખ્યાતિ જ પ્રયોજન છે ને? કહે છે વિકલ્પ દ્વારા અવ્યક્તપણે આત્માનો નિર્ણય કર્યો પણ તેમાં આત્મપ્રસિદ્ધિ અર્થાત્ આત્માનુભવ ન થયો. જુઓ, સર્વજ્ઞ પરમેશ્વરની જે વાણી છે તે દ્રવ્યશ્રતરૂપ છે. ધવલમાં આવે છે કે કેવળી ભગવાન શ્રુતજ્ઞાન દ્વારા ઉપદેશ આપે છે. આશય એમ છે કે સમજનાર દ્રવ્યશ્રુતદ્વારા સમજે છે એટલે ભગવાનની વાણી દ્રવ્યશ્રુતરૂપ છે એમ કહ્યું છે. અને તે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત છે. ખરેખર વાણી તો જડ છે અને ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ અંદર ભિન્ન છે. પણ જે ભગવાનની વાણી સાંભળીને હું ભિન્ન ચૈતન્યતત્ત્વ છું એવો નિર્ણય કરી વિકલ્પરહિત થઈને અંતર-સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય છે તેને વાણી ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત થાય છે. અહીં કહે છે કે ભગવાનની વાણી સાંભળીને હું જ્ઞાનસ્વભાવી આત્મા છું એવો વિકલ્પમાં નિર્ણય કર્યો પણ હુજી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ અર્થાત્ આત્માનો અનુભવ નથી થયો. જેમ કોઈ ઝવેરાતની દુકાનની બહાર આંગણામાં ઊભો રહે પણ અંદર દુકાનમાં પ્રવેશે નહિ તો તેને ઝવેરાતની કાંઈ સમજ નથી, તેમ વિકલ્પના આંગણામાં ઊભો રહીને નિર્ણય કરે કે આત્મા જ્ઞાનસ્વભાવી છે પણ અંદર વસ્તુમાં પ્રવેશે નહિ ત્યાંસુધી તેને આત્માનુભવ થતો નથી, આત્માની પ્રગટ પ્રસિદ્ધિ થતી નથી. વિકલ્પ દ્વારા નિર્ણય કરે પણ વિકલ્પમાં આત્માનુભવ પ્રગટ કરવાની ગુંજાશ (શક્તિ) નથી. પર્યાયમાં આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે મતિજ્ઞાન-તત્ત્વને આત્મસંમુખ કરવાની વાત કહે છે. જુઓ, આ સમ્યગ્દર્શન પ્રગટ કરવાની વિધિ બતાવે છે. બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર અને નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન કરે એનું નામ સમ્યગ્દર્શન નથી. નવતત્ત્વને ભેદથી જાણે એ તો રાગ છે અને ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. અહાહા...! નિગોદની અવસ્થામાં જીવ હોય તે કાળે પણ તે ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. આવો જ્ઞાયકસ્વરૂપ આત્મા પર્યાયમાં પ્રગટ કેમ થાય એની અહીં વાત ચાલે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૫૩ કહે છે-આ ઇંદ્રિયો અને મન છે તે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો છે. સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ અને કર્ણએમ જે પાંચ ઇંદ્રિયો છે તે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો છે. ઇન્દ્રિયો વડ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય એવી ચીજ આત્મા નથી. વીતરાગની વાણી અને પંચા પરમેષ્ઠી ભગવાન એ બધાં પરદ્રવ્ય છે. ઇન્દ્રિયો અને મન દ્વારા આ બધા પર પદાર્થ પ્રસિદ્ધ થાય છે પણ આત્મા પ્રસિદ્ધ થતો નથી. ‘નો લિયે નિત્તા...' એમ ગાથા ૩૧માં જે વાત કરી હતી એ વાત અહીં બીજી રીતે કહે છે. અહાહા..! ભગવાન આત્મા ચૈતન્યમતિ મહા ચૈતન્યહીરલો છે, તેની પ્રસિદ્ધિ માટે એટલે પર્યાયમાં તેનો અનુભવ કરવા માટે પર પદાર્થના પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધાને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસંમુખ કરવું એમ કહે છે. શરીર, મન, વાણી એ બધા પર પદાર્થ છે. ભગવાનની પ્રતિમા પણ પર પદાર્થ છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ સાક્ષાત્ સમોસરણમાં બિરાજમાન હોય તે પણ પર પદાર્થ છે. એ બધા પરપદાર્થ ઇન્દ્રિયો દ્વારા પ્રસિદ્ધિ થાય છે અર્થાત્ જણાય છે. અહીં તો સ્વદ્રવ્યને-આત્માને જાણવાની વાત છે. તેથી કહે છે-ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી જે બુદ્ધિઓ એટલે જ્ઞાનની અવસ્થાઓ-તે બધીને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ કરતાં આત્મા પ્રસિદ્ધ થાય છે. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતા જ્ઞાનનો જે પરસમ્મુખ ઝુકાવ છે તેને ત્યાંથી સમેટી લઈને સ્વસમ્મુખ કરતાં ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તે પ્રથમ સ્વરૂપનો વિકલ્પ દ્વારા નિશ્ચય કરીને પછી પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મન દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિ કરનારું જે જ્ઞાન તેને ત્યાંથી મર્યાદામાં લાવીને અર્થાત્ સમેટી લઈને જેણે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસંમુખ કર્યું છે એવો થાય છે. અહાહા....! મતિજ્ઞાનના સ્વરૂપને તેણે જાણનાર પ્રતિ વાળી દીધું છે, પરયથી હઠાવીને મતિજ્ઞાનના સ્વરૂપને સ્વયમાં જોડી દીધું છે. આવો માર્ગ અને આવી વિધિ છે. બાપુ! એને જાણ્યા વિના એમ ને એમ અવતાર પૂરો થઈ જાય છે! અરેરે ! આવું સત્ય સ્વરૂપ સાંભળવા મળે નહિ તે બિચારા કે દિ ધર્મ પામે? કેટલાક તો મિથ્યાત્વને અતિ પુષ્ટ કરતા થકા સંપ્રદાયમાં પડયા છે. અહા ! ક્રિયાકાંડના રાગમાં તેઓ બિચારા જિંદગી વેડફી નાખે છે! અહીં કહે છે કે મતિજ્ઞાન જે મન અને ઇન્દ્રિયો દ્વારા પર પદાર્થ પ્રતિ ઝુકેલું હતું તેને ત્યાંથી વાળીને આત્મસંમુખ કર્યું છે એવો થયો છે. આ એક વાત થઈ. હવે બીજી વાત કરે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને,...' જુઓ, શ્રુતજ્ઞાનના અનેક પ્રકારના નયપક્ષોના આલંબનથી અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન થાય છે. હું અબદ્ધ છું, એક છું, અભેદ છું, શુદ્ધ છું ઇત્યાદિ નયપક્ષના આલંબનથી અનેક વિકલ્પ ઉત્પન્ન થાય છે. તે બધા રાગના ભાવ આકુળતા ઉત્પન્ન કરનારા છે. હું બદ્ધ છું, અશુદ્ધ છું ઇત્યાદિ નયપક્ષના વિકલ્પ તો આકુળતા ઉત્પન્ન કરનારા છે જે, પણ હું અબદ્ધ છું, શુદ્ધ છું ઇત્યાદિ જે સ્વરૂપ સંબંધી વિકલ્પ છે તે પણ આકુળતા ઉત્પન્ન કરનારા છે. વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે એ તો આકુળતા ઉપજાવનાર છે જ, પણ નયપક્ષનો જે રાગ છે તે પણ આકુળતા ઉપજાવનારો છે, દુઃખકારી છે. પરંતુ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં રાગ અને દુઃખ કયાં છે? શ્રુતજ્ઞાનના વિકલ્પથી ઉત્પન્ન થતી આકુળતા તે વસ્તુમાં ક્યાં છે? હું પૂર્ણ છું, શુદ્ધ છું, નિર્લેપ છું –એવા જે વિકલ્પ ઊઠે તે આત્માથી ભિન્ન છે. આવા વિકલ્પથી ભિન્ન આત્માને અનુભવવો તે સમ્યગ્દર્શન છે. રહસ્યપૂર્ણ ચિટ્ટીમાં આવે છે કે-હવે સવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. ત્યાં આ સમ્યગ્દર્શન થયા પછીની વાત છે. આત્માનું જેને ભાન થયું છે તેને સ્વાનુભવ પૂર્વે “હું ચિદાનંદ છું, શુદ્ધ છું” એવો વિકલ્પ ઊઠે છે. ત્યારપછી એવો વિચાર છૂટી જઈને સ્વરૂપ કેવળ ચિત્માત્ર ભાસવા લાગે અને પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે તેને નિર્વિકલ્પ અનુભવ કહે છે અને એનું જ નામ શુદ્ધોપયોગ છે. સમયસાર તો હવે ઘેર ઘેર પહોંચી ગયું છે. તેના સ્વાધ્યાય અને મનન કરવાં જોઈએ. દુકાનના ચોપડા ફેરવે છે પણ આ વીતરાગનો ચોપડો મન દઈને જુએ તો તારી સ્વરૂપલક્ષ્મીની તને ખબર પડે. અહો ! આ (૧૪૪મી) ગાથા બહુ ઊંચી છે! ભાગ્યશાળીને કાને પડે એવી આ વાત છે. કહે છે-ભગવાન! તું તો ભાગવતસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છો. તેમાં હું આવો છું ને તેવો છું એવા નવિકલ્પને કયાં અવકાશ છે? પરનું તું કરે અને પર તારું કરે એ વાત તો છે જ નહિ. અહીં તો કહે છે કે આકુળતાને ઉત્પન્ન કરનારા જે નયપક્ષના વિકલ્પ છે એનાથી ભગવાન! તું ભિન્ન છો. આવું તારું સ્વરૂપ નિર્વિકલ્પ અનુભવમાં પ્રસિદ્ધ થાય તેમ છે. નિર્વિકલ્પ અનુભવમાં ભગવાન આનંદનો નાથ પ્રસિદ્ધ થાય છે. તેથી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને એટલે કે શ્રુત-વિકલ્પથી હઠાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ કરવું એમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૫૫ જેમ મતિજ્ઞાનને સ્વાભિમુખ વાળ્યું છે તેમ શ્રુતજ્ઞાનના સ્વરૂપને પણ આત્મસન્મુખ વાળવું એમ કહે છે. શ્રુતજ્ઞાનની બુદ્ધિઓ એટલે જ્ઞાનની દશાઓ જે નવવિકલ્પમાં ગૂંચવાઈ પડી હતી તેને ત્યાંથી સમેટીને સ્વસમ્મુખ વાળવી એમ કહે છે. જાઓ, આ ધર્મની વિધિ બતાવે છે. શીરો બનાવવાની વિધિ હોય છે ને? લોટને પહેલાં ઘીમાં શેકે, પછી સાકરનું પાણી નાખે તો શીરો તૈયાર થાય. પણ એના બદલે જો કોઈ સાકરના પાણીમાં લોટ શેકે અને પછી ઘી નાખે તો એવી વિધિથી શીરો તૈયાર નહિ થાય; શીરો તો શું, ગુમડા પર ચોપડવાની પોટીશ (લોપરી) પણ નહિ થાય. તેમ સમસ્ત નયપક્ષના વિકલ્પથી છૂટીને શ્રુતજ્ઞાનતત્ત્વ અંતરસ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમ્યગ્દર્શન અને ધર્મ છે અને તે પ્રગટ કરવાની આ જ વિધિ છે. પરંતુ આ વિધિ છોડી દઈને કોઈ અજ્ઞાનીઓ પહેલાં વ્રત, તપ, પૂજા, ભક્તિ, દયા, દાન આદિ કરવા મંડી પડે તો તેથી સમ્યગ્દર્શન નહિ થાય. જેમ સાકરના પાણીમાં લોટ શેકનારને ઘી, લોટ અને સાકર ત્રણે પાણીમાં ફોગટ જશે તેમ આત્માના ભાન વિના ક્રિયાકાંડમાં રોકાય તેનાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર-ત્રણેમાં વિપરીતતા થશે અર્થાત્ તેને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર થશે. ભાઈ ! ચારિત્ર શું છે બાપુ! એની તને ખબર નથી. ચારિત્ર એટલે તો સ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું, સ્થિર થવું. પણ સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન વિના શામાં ચરવું અને શામાં રમવું? ચૈતન્યસ્વરૂપના અનુભવ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ. અહીં આત્માના અનુભવની વિધિ બતાવે છે. કહે છે–અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને આત્મસંમુખ કરે છે તે વખતે જ વિકલ્પરહિત થયેલા તેને આત્મા સમ્યકપણે દેખાય છે, શ્રદ્ધાય છે. વિકલ્પ છે તે બહિર્મુખ ભાવ છે. જે વિકલ્પમાં જ અટકી રહે છે તે બહિરાત્મા છે. તેથી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને જે મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનને અંતરમાં આત્માભિમુખ વાળે છે તેને આત્માનુભવ અને આત્મદર્શન થાય છે. આ સમ્યગ્દર્શન પામવાની રીત છે. સંપ્રદાયમાં તો આ વાત ચાલતી જ નથી. વ્રત કરો, તપ કરો, જાત્રા કરો-બસ, આવી વિકલ્પની, રાગની વાતો છે. અહીં તો કહે છે કે હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું એવો વિકલ્પ ઉઠે તે આકુળતામય રાગ છે; તે પર તરફ જતી બુદ્ધિને અંતરમાં વાળવી તે સ્વાનુભવની રીત છે. પ્રથમ કહ્યું કે મતિજ્ઞાન તત્ત્વને આત્મસંમુખ કરવું. અહીં કહ્યું કે શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ વાળવું. અહાહા..! આમાં કેટલો પુરુષાર્થ છે! આખી દિશા (પરથી સ્વદ્રવ્ય તરફ ) બદલી નાખવાની વાત છે. હવે કહે છે શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.” મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આત્મસંમુખ થતાં જે અનુભવ થાય તેમાં અત્યંત વિકલ્પ રહિતપણું છે. હું આવો છું અને આવો નથી એવા વિકલ્પને પણ જો અવકાશ નથી તો પછી પરનું આ કરવું અને તે કરવું એ વાત કયાં રહી? અહા! આમ થતાં અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. અંતરમાં જ્યાં દૃષ્ટિ પડી, જ્ઞાનની દશા જ્યાં જ્ઞાતા તરફ વળી કે તરત જ તે જ ક્ષણે નિજરસથી જ ભગવાન આત્મા પ્રગટ થાય છે. નિજરસ એટલે જ્ઞાનરસ, ચૈતન્યરસ, આનંદરસ, શાંતરસ, સમરસ, વીતરાગરસથી તત્કાળ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. આત્મા આદિ, મધ્ય અને અંતરહિત વસ્તુ છે. એને આદિ કયાં છે? અંત કયાં છે? એ તો છે, છે ને છે. અને મધ્ય કેવો? આનંદકંદ પ્રભુ જ્ઞાનનો પિંડ અનાદિ-અનંત એવો ને એવો વિરાજમાન છે. કયારે ન હતો? ક્યારે નહિ હોય? સદાય છે, છે, છે. આવો ત્રિકાળ અતિરૂપ ભગવાન આત્મા છે. તેને વિકલ્પરહિત થઈને જ્યારે સ્વસમ્મુખ થઈને જીવ અનુભવે છે ત્યારે તે જ ક્ષણે તે નિજ રસથી પ્રગટ પ્રસિદ્ધ થાય છે. તે વિકલ્પથી પ્રગટ થતો નથી. હું શુદ્ધ છું એવો જે વિકલ્પ ઊઠે છે તે વ્યવહાર છે અને એનાથી આત્મા પ્રસિદ્ધ થતો નથી. | વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ થતું નથી પણ અંતરમાં સ્વભાવસન્મુખ થતાં તત્કાળ નિજરથી જ આત્મા પ્રગટ થાય છે. “નિજરથી જ '—એમ “જ” નાખ્યો છે. સમ્યક એકાન્ત કર્યું છે. એટલે નિજરસથી પણ થાય અને વિકલ્પના રાગથી પણ થાય એવું એનું સ્વરૂપ નથી. ટીકામાં છે-“સ્વરસત વ વ્યમિન્તમ’–મતલબ કે નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. (અન્યથી નહિ.) માર્ગ તો આ છે, બાપુ ! તને ન બેસે તેથી વિરોધ કરે, પણ શું થાય? ખરેખર તો તું પોતાનો જ વિરોધ કરે છે; કેમકે પરનો વિરોધ શું કોઈ કરી શકે છે? (પરમાં કોઈ કાંઈ કરી શકતું નથી). અહીં કહે છે-રાગ અને નયપક્ષના વિકલ્પોને છોડી જ્યાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનતત્ત્વને અંતર્મુખ વાળ્યું ત્યાં તત્કાળ નિજરસથી જ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. પહેલાં વિકલ્પની આડમાં અપ્રસિદ્ધ હતો તે નિર્વિકલ્પ થતાં પ્રસિદ્ધ થાય છે. અહાહા...! શું ટીકા છે? એકલો અમૃતરસ રેડયો છે. આત્મપ્રસિદ્ધિ થતાં સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું, સમ્યકચારિત્ર થયુંએમ અનંતગુણનો નિર્મળ રસ વ્યક્ત થયો. વસ્તુ છે તે અનંતગુણમય છે. તેમાં જ્ઞાન મુખ્ય છે, જ્ઞાન સાથે સર્વ અનંતગુણ અવિનાભાવી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૫૭ આખું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એની સન્મુખ થતાં તે તત્કાળ નિજરસથી જ પ્રગટ થાય છે; આદિ-મધ્ય-અંતરહિત, અનાદિ અનંત પરમાત્મરૂપ સમયસાર તે વખતે જ સમ્યપણે શ્રદ્ધાય છે, જણાય છે. વસ્તુ તો ત્રિકાળ છે, ને છે. પહેલાં ન હતો અને હવે થયો એમ નથી. પર્યાયમાં પ્રસિદ્ધિ આવી છે છે ત્યાં પ્રસિદ્ધિમાં આવી એવી ચીજ જે છે એ તો આદિ-મધ્યઅતરતિ ત્રિકાળ છે. અનાદિથી ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદના સ્વરૂપે જ છે. આવો તે નિર્મળાનંદનો નાથ પ્રભુ શ્રતના વિકલ્પોની આકુળતાને છોડીને નિરાકુળ આનંદરૂપે પર્યાયમાં પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં નિરાકુળ આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. અનાકુળ, કેવળ એક આખા વિશ્વના ઉપર જાણે તરતો હોય તેમ જ્ઞાની નિજ આત્માને અનુભવે છે. કેવળ એકને જ અનુભવે છે એટલે કે આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ ત્યાં અનુભવમાં નથી. કેવળ એક એવો જે જ્ઞાયકસ્વભાવભાવ આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એમ પરમાત્મરૂપ સમયસારને જ્ઞાની અનુભવે છે. વિકલ્પથી માંડીને આખો જે લોકાલોક તેનાથી ભિન્ન ભગવાન આત્મા તરતો હોય એમ જ્ઞાની અનુભવે છે. ભાઈ ! આ ભગવાનની સીધી વાણીનો સાર છે. કહે છે-આખા વિશ્વ ઉપર જાણે તરતો હોય એવો એટલે કે વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાની અનુભવે છે. ભિન્ન છું કે અભિન્ન છું એવો વિકલ્પ પણ એમાં કયાં છે? આ અનુભવ કરું છું એવું પણ ત્યાં અનુભવમાં નથી. પાણીનું ગમે તેટલું દળ હોય છતાં તુંબડી તો ઉપર તરે છે, તેમ વિકલ્પથી માંડીને આખા લોકાલોકથી ભગવાન આત્મા ભિન્નપણે જાણે તરતો હોય એવું જ્ઞાનીને અનુભવાય છે. સમજાય એટલું સમજો, બાપુ! બાર અંગનો સાર આ છે. સમ્યગ્દર્શન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એની આ વાત ચાલે છે. ચારિત્ર તો બહુ આગળની વાત છે, પ્રભુ! કહે છેભગવાન આત્મા સદા સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે. નાટક સમયસારમાં આવે છે કે “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો.'' ભગવાન આત્મા સદાય સિદ્ધસ્વરૂપ છે. તેમાં સંસારના વિકલ્પ તો દૂર રહો, નયપક્ષના વિકલ્પ પણ એના સ્વરૂપમાં નથી. આવા નિજસ્વભાવ તરફ ઝુકવાથી આત્મા નિજરસથી જ પ્રગટ થાય છે. રાગ અને નયના વિકલ્પથી તે પ્રસિદ્ધ થાય એવી ચીજ તે નથી. અહો ! જૈનદર્શન–વીતરાગદર્શન કોઈ અલૌકિક ચીજ છે! આ વાત બીજે કયાંય છે નહિ. દિગંબર સંતો કહે છે-ભગવાન! તારી વર્તમાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પર્યાય પર તરફ ઝુકે છે તેથી તેને પરપદાર્થની પ્રસિદ્ધિ થાય છે. હવે સ્વપદાર્થની પ્રસિદ્ધિ માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના તત્ત્વને અંતરસ્વભાવ તરફ વાળીને સ્વસમ્મુખ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ થા; તેથી આત્મા નિજરસથી જ પર્યાયમાં પ્રગટ થશે. આત્મા નિર્વિકલ્પ, વીતરાગભાવથી જ પ્રગટ થાય છે. માર્ગ આવો છે, ભાઈ ! ભગવાન આત્મા નયપક્ષના વિકલ્પની લાગણીથી પ્રગટ થાય એવી વસ્તુ નથી; કેમકે વિકલ્પથી તો આત્મા ખંડિત થાય છે. હું શુદ્ધ છું, અબદ્ધ છું, સિદ્ધસ્વરૂપ છું-ઇત્યાદિ જે બધા નયવિકલ્પ છે તે વડ અખંડ આત્મામાં ખંડ પડે છે. ભેદ પડ છે. ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ અભેદ વિજ્ઞાનઘનસ્વભાવ છે. તેમાં અંતર્દષ્ટિ કરતાં તે નિજરસથી જ તક્ષણ પર્યાયમાં પ્રગટ થાય છે. કોઈ દેવ-ગુરુ-શાસ્ત્રથી નહિ, કે વિકલ્પથી પણ નહિ; પણ નિજરસથી જ પ્રગટ થાય છે. એમ અહીં સ્પષ્ટ કહ્યું છે. સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ સોપાનઃ તેની અહીં વાત ચાલે છે. જ્ઞાનની દશા પર તરફના ઝુકાવથી ખસીને જ્યાં સ્વસમ્મુખ થઈ ત્યાં નિજરસથી જ ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે, અનુભવાય છે. ત્યાં જે અનુભવમાં આવ્યો તે આત્મા કેવો છે? તો કહે છેઆદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ આનંદનું ધામ, કેવળ એક, જાણે આખા વિશ્વના ઉપર તરતો હોય તેવો વિશ્વથી ભિન્ન અખંડ પ્રતિભાસમય વસ્તુ આત્મા છે. પર્યાયમાં વસ્તુ પરિપૂર્ણ, અખંડ પ્રતિભાસમય પ્રતિભાસે છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પરિપૂર્ણ અખંડ દ્રવ્યનો પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આખી વસ્તુના પૂર્ણ સામર્થ્યનું પર્યાયમાં જ્ઞાન થાય છે. વિકલ્પથી છૂટીને અંતરમાં જાય છે તેને વર્તમાન જ્ઞાનની દશામાં ત્રિકાળી એકરૂપ અખંડનો પ્રતિભાસ થાય છે. ૧ ૧ લોકોને આવો સત્યમાર્ગ સાંભળવા મળતો નથી એટલે બહારની ક્રિયાકાંડની કડાકૂટમાં જિંદગી નિષ્ફળ વિતાવી દે છે. અહીં કહે છે કે ભગવાન આત્મા જીવતી-જાગતી ચૈતન્યજ્યોત વિશ્વથી ભિન્ન અનાદિ-અનંત વસ્તુ છે. જાણે વિશ્વની ઉપર તરતી હોય એવી વિશ્વથી ભિન્ન છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યવસ્તુ વિશ્વની સાથે કદીય તન્મય નથી. અહા ! પર તરફનું વલણ છોડીને આવા પરિપૂર્ણ સ્વદ્રવ્યમાં જે જ્ઞાનની પર્યાય ઝુકે છે તે પર્યાયમાં આખાય પદાર્થનું પરિજ્ઞાન કરવાનું સામર્થ્ય છે અને તે સમ્યજ્ઞાન છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો અને પંચમહાવ્રતનો જે વ્યવહાર ને વિકલ્પ ઉઠે છે તે શુભરાગ છે. તે શુભરાગ આકુળતામય છે. દુઃખરૂપ છે. તેનાથી શું આત્માનું સુખ પ્રાપ્ત થાય? ન થાય. અરે, હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું –એવો નિર્ણય જે વિકલ્પમાં થયો તે વિકલ્પ પણ દુઃખરૂપ છે અને તેનાથી આત્માનું સુખ પ્રાપ્ત ન થાય તો સ્થૂળ રાગની તો શું વાત કહેવી ? શ્રુતના સૂક્ષ્મ વિકલ્પ પણ છૂટીને, જ્ઞાનની દશામાં જેને ત્રિકાળી ધ્રુવ, કેવળ એક, અનાકુળ, અખંડ વિજ્ઞાનઘનસ્વરૂપ સ્વદ્રવ્યનો પ્રતિભાસ થાય તેને આત્મા અને આત્માનું સુખ પર્યાયમાં પ્રગટ થાય છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે, અને આવો જ માર્ગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૫૯ અત્યારે તો માર્ગમાં ખૂબ ગરબડ થઈ છે. શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય એવી પ્રરૂપણા થવા લાગી છે; પરંતુ તે યથાર્થ નથી. અહીં કહે છે ભગવાન આત્મા અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં “હું શુદ્ધ છું” એવો વિકલ્પ પણ પ્રવેશી શકતો નથી. અહા ! આ તો ૧૪૪ મી ગાથા છે! જેમ સરકારમાં ૧૪૪ મી કલમ છે કે બે માણસો ભેગા ન થઈ શકે અને થાય તો દડપાત્ર થાય તેમ ભગવાનની આ ૧૪૪ મી કલમ છે કે આત્મા અને રાગ ભેગા ન થાય; અને (અભિપ્રાયમાં) થાય તો ચારગતિરૂપ સંસારની જેલ થાય. ગજબ વાત છે ૧૪૪ માં! ૧૪૪ નો આંક છે એના અંકોનો સરવાળો ૧+૪+૪=૯ આવે. આ નવની ગુણક સંખ્યાના અંકો પણ મળીને નવ થાય છે. જેમકે ૯૪૧= ૯ ૯૪૨=૧૮; ૧+૪=૯ ૯૩=૨૭; ૨૭ ૯ ૯૪૪=૩૬; ૩૬=૯ ઇત્યાદિ. આ નવનો અંક (નવ કેવળલબ્ધિ પ્રગટ કરનાર) વીતરાગભાવનો સૂચક છે. જ્ઞાતાદ્રવ્યમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયમાં આદિ-મધ્ય-અંતરહિત અનાદિઅનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘનરૂપ વસ્તુનો જે પ્રતિભાસ થયો તે પરમાત્મરૂપ સમયસાર છે. અહાહા..! આત્માની શક્તિ, એનું સામર્થ્ય, એનું સ્વરૂપ પરમાત્મરૂપ છે. આત્માનું સિદ્ધસ્વરૂપ કહો કે પરમાત્મસ્વરૂપ કહો-એક જ વાત છે. આવા અખંડ પ્રતિભાસમય પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે; દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યક્રજ્ઞાન છે. આત્માનો અનુભવ એટલે શુદ્ધ દ્રવ્યનો અનુભવ, અનાદિ અનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન પરમાત્મરૂપ સમયસારનો અનુભવ. આ અનુભવમાં આત્મા સમ્યપણે દેખાય છે, શ્રદ્ધાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને તે ભગવાન સમયસારથી ભિન્ન નથી, એક જ છે ભાઈ, દેવ-શાસ્ત્ર-ગુરુની બાહ્ય શ્રદ્ધા તે સમ્યગ્દર્શન અને લઈ લ્યો વ્રત એટલે ચારિત્ર-એમ કેટલાક માને છે પણ એ તો તદ્દન વિપરીત માન્યતા છે. પરમાત્મરૂપ આત્મદ્રવ્યની સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની દશાઓ કેવી હોય છે તે અહીં સમજાવે છે. જ્યારે આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ પરમાત્મરૂપ સમયસારનો અનુભવ કરે છે તે સમયે જ આત્મા સમ્યક પ્રકારે દેખવામાં આવે છે અને તે જ સમયે આત્માનાં સમ્યક શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ અહા! ભગવાન સર્વજ્ઞદેવનું કહેલું આ સત્ય તત્ત્વ છે. કોઈને તે ન બેસે અને ન ગોઠ એટલે વિરોધ કરે પણ તેથી શું કરીએ? અહીં તો કોઈ સાથે વિરોધ છે જ નહિ. પ્રભુ! ભગવાન આત્મા કેવો છે અને તે કેમ પ્રાપ્ત થાય તેની તને ખબર નથી. ભગવાન આત્મા અનાદિઅનંત, કેવળ એક, નિરાકુળ, અખંડ પ્રતિભાસમય, વિજ્ઞાનઘન-સ્વરૂપ પરમાત્મ-દ્રવ્ય છે. અને તે વિકલ્પ રહિત નિર્વિકલ્પદશાથી પ્રાપ્ત થાય છે, વ્યવહારના વિકલ્પથી પ્રાપ્ત થતો નથી. અહાહા...! સ્વરૂપમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે એમાં પરિપૂર્ણ પરમાત્મરૂપ સમયસારનો પ્રતિભાસ થાય છે અને તે જ સમયે આત્મા આવો પરિપૂર્ણ છે એવું શ્રદ્ધાન પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન છે અને આ જ જૈનદર્શન છે. ઇન્દ્રો અને ગણધરોની સભામાં ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ જે વાત કહે છે તે વાત અહીં આચાર્યદવ કહે છે. કહે છે-કેવળ એક, અનંત વિજ્ઞાનઘનરૂપ પરમાત્મા જે વખતે જ્ઞાનની દશામાં પ્રતિભાસે છે તે જ સમયે આવો જ આત્મા છે એમ શ્રદ્ધાય છે. આવું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. બાકી શાસ્ત્ર દ્વારા કે નયના વિકલ્પ દ્વારા આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવતો નથી. બાર અંગનો સરવાળો આ છે. બાપુ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે. સમ્યગ્દર્શન શું ચીજ છે? તો કહે છે-ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાયના ભેદથી રહિત જે ત્રિકાળી શુદ્ધ અનંત વિજ્ઞાનઘન સ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્ય છે તેનો નિર્વિકલ્પ અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. ભાવબંધ અને ભાવમોક્ષ પર્યાય છે અને વસ્તુ આત્મા તો એનાથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે. દ્રવ્યબંધની તો વાત જ શી ? જડકર્મ તો તદ્દન ભિન્ન છે. જડકર્મ તો બાહ્ય નિમિત્ત છે. રાગમાં અટકવું તે ભાવબંધ છે અને રાગરહિત થવું તે ભાવમોક્ષ છે. બન્ને પર્યાય છે અને વસ્તુ આત્મા જે છે તે ભાવબંધ અને ભાવમોક્ષથી રહિત સદાય અબંધ મુક્તસ્વરૂપ જ વીતરાગ સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માની સમોસરણમાં કારધ્વનિ છૂટે છે. તે નિરક્ષરી એટલે એકાક્ષરી હોય છે. તે સાંભળી ગણધરદેવ આદિ આચાર્યો શાસ્ત્રરચના કરે છે. એ ભગવાનની વાણીથી કે સાંભળવાના વિકલ્પથી આત્મા જાણવામાં આવે છે એમ નથી, પરંતુ ભગવાને જેવો એક, અખંડ, અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા કહ્યો એવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે તે કાળમાં આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવે છે. સ્વદ્રવ્યમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ પરમાત્મસ્વરૂપ દ્રવ્યનો પ્રતિભાસ જે સમયે થાય છે તે જ સમયે એ પૂર્ણ વસ્તુનું શ્રદ્ધાન પ્રગટ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે. જુઓ, અહીં આગમમંદિરમાં ચારે બાજુ જિનવાણી કોતરાયેલી છે. પોણાચાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૬૧ લાખ શબ્દો છે. જેમ પાંચ પરમેશ્વર છે તેમ આ પાંચ શાસ્ત્ર છે-સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય અને અષ્ટપાહુડ. આ બધાં શાસ્ત્ર આ પરમાગમમંદિરમાં આરસમાં કોતરાઈ ગયાં છે. તેની સમીપ બેસીને આ વાત ચાલે છે કે જે સમયે પરમાત્મરૂપ સમયસારનો જ્ઞાનમાં અખંડ પ્રતિભાસ થાય છે તે જ સમયે આત્મા શ્રદ્ધામાં-પ્રતીતિમાં આવે છે અને એ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શનમાં અનંતગુણની અંશે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. ભગવાન આત્મા ચૈતન્યરાજા પરમાત્મસ્વરૂપે નિત્ય વિરાજમાન છે. તેનો નિર્વિકલ્પ અનુભવ થતાં તે જ સમયે તે જેવો છે તેવો સમ્યક શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ભગવાન સમયસારથી ભિન્ન નથી, અભિન્ન છે. તે આત્માની પર્યાય છે માટે આત્મા જ છે. જેમ જગતથી ભિન્ન છે તેમ સમયસાર સમ્યગ્દર્શનથી ભિન્ન નથી. માટે સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એ વાત આ ગાથામાં કહી છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આત્મસંમુખ કરી, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે શ્રદ્ધામાં આવે છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે, અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે. નિજરથી જ પ્રગટ થતો તે સમયસાર કેવો છે? તો કહે છે ૧. આદિ-મધ્ય-અંતરહિત છે અર્થાત અનાદિઅનંત, ત્રિકાળ, શાશ્વત, નિત્ય વસ્તુ છે. ૨. અનાકુળ છે. શ્રુતજ્ઞાનમાં જે વિકલ્પ ઊઠે છે તે આકુળતારૂપ છે અને ભગવાન આત્મા નિરાકુળ આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. ૩. કેવળ એક છે. આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ જેમાં નથી એવો કેવળ એક છે. અનંતગુણનો પિંડ પ્રભુ ગુણ-ગુણીના ભેદથી રહિત અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ છે. ૪. આખાય વિશ્વ ઉપર જાણે કે તરતો હોય એવો છે. એટલે કે રાગથી માંડીને આખાય લોકાલોકથી ભિન્ન વસ્તુ છે. ૫. અખંડ પ્રતિભાસમય છે. સ્વસંવેદનશાનમાં જેવો પૂર્ણ સ્વરૂપ છે તેવો પ્રતિભાસમાન થાય છે. જિનસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે તેવો જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. કહ્યું છે ને કે જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ; યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨ ] [પ્રવચન રત્નાકર ભાગ-૫ જેમાં ગુણ-પર્યાયના ખંડ નથી, ભેદ નથી, ભંગ નથી એવો અભેદ આત્મા પરિપૂર્ણરૂપે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે અખંડ પ્રતિભાસમય છે. જ્ઞાનમાં અખંડનો પ્રતિભાસ થવો તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ૬. અનંત, વિજ્ઞાનઘન છે. જેમાં સૂક્ષ્મ રાગનો પણ કદી પ્રવેશ નથી એવો અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ સમયસાર છે. ૭. આવો ૫૨માત્મરૂપ સમયસાર છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચિસ્વરૂપ સદા સિદ્ધસ્વરૂપ એવો પ૨માત્મરૂપ સમયસાર છે. આવા સમયસારને જ્યારે આત્મા વિકલ્પરહિત થઈને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે શ્રદ્ધામાં આવે છે અને જ્ઞાનમાં જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ગાથા ૧૪૪ : ભાવાર્થ આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પો મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન ’ અને ‘સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન કાંઈ અનુભવથી જુદાં નથી. 6 * હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ * * કળશ ૯૩ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * . . * નયાનાં પક્ષ: વિના' નયોના પક્ષો રહિત, ‘અન્નનં વિભાવમ્' અચળ નિર્વિકલ્પભાવને ‘ આામન્' પામતો ‘ ય: સમસ્ય સાર: ભાતિ' જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે ‘સ: ષ:’ તે આ સમયસાર (શુદ્ધ આત્મા )–‘નિવૃતૈ: સ્વયં ગાવાઘમાન: ' કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાધમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે– ’ આત્મા સદા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહારના સ્થૂળ વિકલ્પ ઉઠે એ તો બહારની ચીજ છે. એ વિકલ્પ કાંઈ ( આત્મ-પ્રાપ્તિનું ) સાધન નથી. એ તો છે. અહીં કહે છે-હું દ્રવ્યે શુદ્ધ છું, અબદ્ધ છું અને પર્યાયે અશુદ્ધ છું, રાગથી બદ્ધ છું એવા જે બે નયના બે પક્ષ છે તે નિષેધવા યોગ્ય છે, સમયસાર ગાથા-૧૪૪ ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com [ ૩૬૩ Page #376 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates કેમકે તે નયપક્ષના વિકલ્પ છે તે રાગમય છે, આકુળતામય છે; એવા વિકલ્પથી પણ આત્મપ્રાપ્તિ નથી. આચાર્યદવ વ્યવહારનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવ્યા છે. અહીં નિશ્ચયનયનો પક્ષ પણ રાગમય હોવાથી છોડવાની વાત છે. તો “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની” –એમ (ગાથા ૨૭ર માં ) કહ્યું છે ને? હા, ત્યાં સ્વના આશ્રયે નિર્વાણ થાય છે એમ કહ્યું છે. પણ અહીં તો સ્વના આશ્રય સંબંધી જે વિકલ્પ ઉઠે તેની વાત છે. નિશ્ચયનયના પક્ષનો જે વિકલ્પ ઉઠે છે એ તો રાગ છે, દુઃખદાયક છે અને તેથી તે છોડવા યોગ્ય છે. એ સૂક્ષ્મ રાગનો પણ પોતાને કર્તા માને તે મિથ્યાષ્ટિ છે. આત્મા તો વિજ્ઞાનઘન સ્વરૂપ પ્રભુ છે. તે રાગનો કર્તા કેમ હોઈ શકે? અને તે રાગ વડે પ્રાપ્ત કેમ થાય ? તેથી સમસ્ત નયપક્ષનો રાગ છોડાવી નયપક્ષરહિત થવાની અહીં વાત છે. વ્યવહારથી નિશ્ચય થાય એ વાત તો કયાંય રહી ગઈ. શાસ્ત્રમાં કોઈ ઠેકાણે એવું કથન આવે ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. છઠ્ઠી ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજને વિકલ્પ હોય છે. તે છૂટીને સાતમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાનની જે શુદ્ધિ છે તે સાતમાં ગુણસ્થાનનું કારણ છે. તેને કારણ ન કહેતાં છઠ્ઠા ગુણસ્થાનના શુભ વિકલ્પને કારણ કહ્યું એ તો ઉપચારથી નિમિત્તનું વા સહુચરનું જ્ઞાન કરાવવા કથન કર્યું છે. પણ તેથી છઠ્ઠીના શુભ વિકલ્પથી સાતમું ગુણસ્થાન થાય છે એમ ન સમજવું. અહીં કહે છે નયપક્ષના જે વિકલ્પ છે તે આકુળતામય છે અને તેનાથી આત્મા જણાય એવો નથી. જેમ સૂર્યબિંબ તેના પ્રકાશ વડે જણાય, અંધકાર વડે ન જણાય તેમ ભગવાન આત્મા તેના જ્ઞાનપર્યાયરૂપ પ્રકાશથી જણાય પણ વિકલ્પરૂપ અંધકારથી ન જણાય. ભગવાન આત્મા સદા અચળ એટલે ચળે નહિ તેવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનરૂપ સમયસાર છે. તે અચળ નિર્વિકલ્પભાવને પામતો એટલે નિર્વિકલ્પ નિર્મળ જ્ઞાનની દશાને પ્રાપ્ત થઈને પ્રકાશે છે. અર્થાત્ સમયનો સાર પ્રભુ આત્મા ચૈતન્યની નિર્મળ નિર્વિકલ્પ જ્ઞાનપ્રકાશરૂપ પર્યાય દ્વારા પ્રકાશે છે પણ વ્યવહારથી કે નયપક્ષના વિકલ્પથી તે પ્રકાશતો નથી. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા નિર્વિકલ્પ જ્ઞાનની નિર્મળ દશાથી પ્રાપ્ત થાય એવો છે પણ શ્રુતજ્ઞાનના બાહ્ય વિકલ્પથી પ્રાપ્ત થાય એમ નથી. આવો સમયસાર એટલે શુદ્ધાત્મા નિભૂત એટલે નિશળ, આમલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે. અહાહા...! જે પુરુષો ચિંતારહિત, વિકલ્પરહિત થઈને સ્વરૂપમાં લીન થયા છે તેમને આત્મા સ્વયં આસ્વાધમાન છે એટલે કે આસ્વાદમાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ નિર્મળ જ્ઞાન અને આનંદની પર્યાય દ્વારા તેમને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના આનંદના સ્વાદનું વેદન થાય છે. આત્મા આવો છે ને તેવો છે-એવી ચિંતાથી રહિત આત્મલીન પુરુષો સ્વયં આત્માના આનંદને અનુભવે છે. પુરુષનો અર્થ આત્મા થાય છે. પુરુષનું કે સ્ત્રીનું શરીર તે કાંઈ આત્મા નથી. દેહ તો જડ છે. સ્ત્રીનો દેહ હો કે પુરુષનો, આત્મલીન પુરુષો વડે, અંતરના જ્ઞાનના પ્રકાશના ભાવ વડા આત્મા અનુભવાય છે. આવી વસ્તુ છે. આ તો હજુ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આ ૧૪૪મી ગાથાનો કળશ છે. અહીં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની વાત ઉપાડી છે. ચારિત્રની અહીં વ્યાખ્યા નથી. કહે છે–વસ્તુ આત્મા નિર્વિકલ્પ જ્ઞાનપ્રકાશનો પૂંજ છે. તે નિર્વિકલ્પ જ્ઞાનના પ્રકાશ દ્વારા પ્રકાશે છે અને તે વડે જ તે આસ્વાદ્યમાન છે. જ્ઞાનની નિર્મળ પર્યાય દ્વારા આનંદનું વેદના થાય છે. એ વેદનમાં આત્મા પૂર્ણ પ્રતિભાસે અર્થાત્ જણાય એવો છે. નયપક્ષનો જે વિકલ્પ છે એ તો દુ:ખ છે, અંધકાર છે. એનાથી (વિકલ્પથી) આત્મા જણાય એવો નથી. આવો સમયસાર આમલીન પુષો દ્વારા સ્વયં આસ્વાદ્યમાન છે. અહીં “સ્વયં”નો અર્થ એમ છે કે આત્માનુભવમાં વિકલ્પ કે વ્યવહારની અપેક્ષા નથી. આવી વાત છે. કેટલાકને પોતાને ગોઠતી વાત ન હોય એટલે રાડ પાડ કે-એકાન્ત છે, એકાન્ત છે; એમ કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય એમ વાત નથી માટે એકાન્ત છે. પ્રભુ! તને ખબર નથી. અહીં આચાર્ય ભગવાન તો એમ કહે છે કે-વ્યવહારના પક્ષથી તો ધર્મ ન થાય પણ હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું, ચેત્ય છું, દેશ્ય છું, વેધ છું -ઇત્યાદિ જે નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પ ઉઠે છે એનાથી પણ ભગવાન આત્મા પ્રાપ્ત થાય એવો નથી. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ નયપક્ષના ૨૦ કળશમાં ૨૦ બોલ કહ્યા છે. એ નવપક્ષના જે વિકલ્પ છે તે બધા આત્માનુભવ થવામાં બાધક નિશ્ચળ, આત્મલીન પુરુષો વડે આત્મા સ્વયં આસ્વાદ્યમાન છે. અહીં “સ્વયં” શબ્દ ઉપર વજન છે. મતલબ કે નિર્વિકલ્પ નિર્મળ પર્યાય વડે આત્મા સ્વયં અનુભવાય છે, તેને કોઈ વ્યવહાર કે નિશ્ચયના પક્ષના વિકલ્પની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં કહ્યું છે કે શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે, એને રાગ કે ભેદની અપેક્ષા નથી. તેમ અહીં પણ આત્મા સ્વયં આસ્વાધમાન છે એમ કહ્યું છે, એટલે કે પોતે પોતાથી પોતાના આનંદનું વેદન કરી શકે એવો આ આત્મા છે. હવે, જે ત્રિકાળી વસ્તુ આત્મલીન પુરુષો વડે સ્વયં અનુભવાય છે તે કેવી છે? તો કહે છે–‘વિજ્ઞાન-પ-૨૪: ભવાન' તે વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે. નિર્મળ પર્યાયમાં જે વેદનમાં આવે છે તે આત્મા એક વિજ્ઞાનરસમય વસ્તુ છે. વિશેષ જ્ઞાનનો ઘન એકરૂપ દ્રવ્ય તે એકલો જ્ઞાનસ્વભાવનો પિંડ પ્રભુ છે. શાસ્ત્રનું જ્ઞાન-તે જ્ઞાનની આ વાત નથી. આ તો સામાન્ય એકરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ વસ્તુની વાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૬૫ છે. વિજ્ઞાન જ જેનો એક રસ છે એટલે જેમાં કોઈ ભેદ છે જ નહિ એવો ભગવાન આત્મા છે. આ સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યાતાના ધ્યાનનું ધ્યેય છે. આવો વિજ્ઞાન-એકરસરૂપ આત્મા પોતે પોતાથી જણાય એવો છે. તેને કોઈ પરની અપેક્ષા નથી એવી તે નિરપેક્ષ વસ્તુ છે. પ્રશ્ન:- આ તો એક નયની વાત આવી; સાક્ષેપ કથન તો આવ્યું નહિ? બીજો નય તો આમાં આવ્યો નહિ? ઉત્તર:- ભાઈ ! પરની ઉપેક્ષા કરી એટલી અપેક્ષા તેમાં આવી જાય છે. પરની ઉપેક્ષા કરીને આ તરફ સ્વની અપેક્ષા (એકાગ્રતા, સન્મુખતા) કરી–એ રીતે બને નય એમાં આવી જાય છે. જૈનતત્ત્વમીમાંસામાં પં. શ્રી ફૂલચંદજીએ આનો સરસ ખુલાસો કર્યો છે. આ ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન પામવાના કાળે કેવી દશા હોય છે તેની વાત ચાલે છે. સમ્યગ્દર્શન અને તેની સાથે થતું સમ્યજ્ઞાન-એ બેની વાત અહીં અત્યારે ચાલે છે. અહીં ચારિત્રની વાત નથી. જોકે એ વખતે ધર્મીને સ્વરૂપાચરણ-ચારિત્રનો અંશ પ્રગટ થાય છે, પણ પાંચમા ગુણસ્થાન અને છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનનું જે ચારિત્ર છે તે હોતું નથી. નિર્વિકલ્પ જ્ઞાનમાં જ્યારે વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો આત્મા વેદાય છે ત્યારે દર્શન પણ છે, જ્ઞાન પણ છે અને ચારિત્રનો અંશ પણ ત્યાં છે. આત્મામાં સંખ્યામાં જેટલી અનંત શક્તિઓ છે તે બધાનો એક અંશ વ્યક્તપણે વેદનમાં આવે છે. શ્રીમદે કહ્યું છે કે-“સર્વ ગુણાંશ તે સમકિત.” આત્મામાં અનંત શક્તિઓ છે. જ્ઞાન દ્વારા જ્યારે દ્રવ્ય જાણવામાં આવે ત્યારે દ્રવ્યની એ સર્વ શક્તિઓનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થઈને તેનો સ્વાદ આવે છે. કેવળજ્ઞાનમાં સર્વદશ અને અહીં એકદેશ પર્યાય વ્યક્ત થાય છે. તે દ્વારા વિજ્ઞાન-એકરસસ્વરૂપ ભગવાન જાણવામાં આવે છે, અને ત્યારે દષ્ટિમાં આવતાં દેખવામાં-શ્રદ્ધવામાં આવ્યો એમ કહેવાય છે. ૧૪૪મી ગાથાની ટીકામાં આવી ગયું કે પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે શ્રદ્ધાય છે અને જણાય છે. વળી નિર્મળ જ્ઞાન દ્વારા જે વેદનમાં આવ્યો તે કેવો છે? તો કહે છે પુષ્ય: પુરા: પુમાન' –તે પવિત્ર પુરાણ પુરુષ છે. પુણ્ય શબ્દનો અર્થ અહીં પવિત્ર થાય છે. પુણ્ય એટલે શુભભાવની અહીં વાત નથી. શુભભાવરૂપ પુણ્યથી તો એ રહિત છે. આત્મા સ્વરૂપથી પરમ પવિત્ર વસ્તુ છે. વળી તે પુરાણ કહેતાં શાશ્વત, ત્રિકાળ વસ્તુ છે. શાશ્વત મોજૂદગીવાળી અનાદિની ચીજ એવો વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. એ અનાદિની હયાતીવાળી પુરાણી ચીજ છે, કોઈ થી એ નવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ કરાયેલો નથી, કોઈએ તેને ઉત્પન્ન કર્યો છે એવું એનું સ્વરૂપ નથી. ટીકામાં જે આવ્યું કે આદિમધ્ય-અંતરહિત છે એનો જ અર્થ અહીં પુરાણ કર્યો છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અનાદિ-અનંત પ્રવાહરૂપ છે. પ્રવાહ એટલે અહીં પર્યાયની વાત નથી; ધ્રુવપ્રવાહરૂપ સામાન્યની વાત છે. વળી તે પુરુષ છે. આત્માને સેવે તે પુરુષ છે. રાગને સેવે તે પુરુષ નહિ, તે નપુંસક છે. ૪૭ શક્તિના અધિકારમાં એક વીર્યશક્તિનું વર્ણન છે. સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. પોતાના પરિપૂર્ણ પવિત્રપદની રચના કરે તેનું નામ વીર્ય અને પુરુષાર્થ છે. રાગને જે રચે તે વીર્યગુણનું કાર્ય નથી. અરે, વ્યવહારરત્નત્રયના રાગને રચે તે પણ વીર્યગુણનું કાર્ય નથી, એ તો નપુંસકતા છે; કેમકે જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવવાળાને પણ આત્મધર્મરૂપ પ્રજા હોતી નથી. રાગની રુચિવાળાને લાગે કે આ તે શું વાત છે! બાપુ! માર્ગ તો આવો છે. ભાઈ ! તું પણ ભગવાન છો. દ્રવ્ય બધા આત્મા સાધર્મી છે. બધા આત્મા વિજ્ઞાન જ જેનો એક રસ છે એવા ભગવાન છે. એની દૃષ્ટિમાં એ ભલે ન આવે, પણ એ ભગવાન છે. કોઈ સાથે વેર-વિરોધ ન હોય. અહીં પાંચ વિશેષણથી આત્મા કહ્યો છે ૧. વિજ્ઞાન જ જેનો એકરસ છે એવો વિજ્ઞાન-એકરસસ્વરૂપ છે; ૨. એવો ભગવાન છે; ૩. પવિત્ર છે; ૪. પુરાણ છે; ૫. પુરુષ છે. પુમાનો અર્થ પુરુષ થાય છે. હવે કહે છે-આવો વિજ્ઞાન જ એકરસ જેનો છે તેને “જ્ઞાનું વર્ણનમ પિ મય' જ્ઞાન કહો કે દર્શન કહો તે આ (સમયસાર) જ છે. અહાહા...!! આવો વિજ્ઞાનઘન પ્રભુ છે! તેને જ્ઞાન કહો તો તે, દર્શન કહો તો તે, આનંદ કહો તો તે, પરમેશ્વર કહો તો તે-એમ અનંત નામથી કહો તો તે આ જ છે. ભગવાનના એક હજાર આઠ નામનું વર્ણન આદિપુરાણમાં છે. પં. શ્રી બનારસીદાસે પણ જિનસહસ્રનામ સ્તોત્ર બનાવ્યું છે, તેમાં ૧૦૦૮ નામનું વર્ણન કર્યું છે. અહીં કહે છે-તેને જ્ઞાન કહો કે દર્શન કહો-તે બધું આત્મા જ છે, સમયસાર જ છે. અનંતગુણનું ધામ પરિપૂર્ણ વસ્તુ આત્મા પોતે છે. જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ બધું કાંઈ આત્માથી જુદી ચીજ નથી. નિશ્ચયમાં વ્યવહારની અપેક્ષા નથી. વ્યવહાર હો, બીજો નય હો; બીજો નય છે, બીજા નયનો વિષય પણ છે; પણ તે બીજા નયની અપેક્ષા નથી. એવો નિરપેક્ષ માર્ગ છે. પ્રશ્ન:- તો “નિરપેક્ષ નયા મિથ્ય:' એમ શાસ્ત્રમાં કહ્યું છે ને ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૬૭ ઉત્તર:- હા, “નિરપેક્ષા નયા મિથ્યાઃ” એમ જે વાત આવે છે તેનો અર્થ એ છે કેવ્યવહાર છે એવું એનું જ્ઞાન ન કરે તો તે મિથ્યાજ્ઞાન છે. પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એનો અર્થ નથી. નિમિત્ત છે ખરું; નિમિત્ત વસ્તુ જ નથી એમ નથી. “ઉપાદાન જિંદાબાદ, નિમિત્ત મુર્દાબાદ”—એમ એકાંત નથી. ભાઈ, નિમિત્ત બીજી બાહ્ય ચીજ છે, પણ તે ઉપાદાનના કાર્યની કર્તા નથી એમ વાત છે. હુમણાં કોઈએ લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તને માનતા નથી માટે નિષેધે છે એમ નથી; નિમિત્તથી (પરમાં) કાર્ય થાય એ વાતનો તેઓ નિષેધ કરે છે એ બરાબર છે. નિમિત્ત નથી, વ્યવહાર નથી-એમ વાત નથી; નિમિત્ત છે, પણ નિમિત્ત પરના કાર્યનું કર્તા નથી. એ રીતે વ્યવહાર છે, પણ વ્યવહાર નિશ્ચયનું વાસ્તવિક કારણ નથી. આમ યથાર્થ સમજવું જોઈએ. હવે કહે છે-“અથવા વિક્રમ' અથવા વધારે શું કહીએ? “યત રિશ્ચન પિ મયમ વ:' જે કાંઈ છે તે આ એક જ છે. (માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે.) વિજ્ઞાન-એકરસ ભગવાન આત્મા છે તેને પરમેશ્વર કહો, ભગવાન કહો, વિષ્ણુ કહો, બ્રહ્માનંદ કહો, સહજાનંદ કહો, વીતરાગ કહો, ચારિત્રનિધિ કહો-ગમે તે નામથી કહો; વસ્તુ તો જે કાંઈ છે તે આ એક જ છે. પ્રવચનસારની ગાથા ૨૦૦ ની ટીકામાં આવે છે કે- “જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે. (અર્થાત્ બીજી રીતે જણાય છે-મનાય છે), તે શુદ્ધાત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું .'' જ્ઞાયકભાવની સાથે અવિનાભાવપણે અનંત ગુણો છે. તે જ્ઞાયકભાવ એક જ્ઞાયકભાવ જ છે. અજ્ઞાનીને તે પ્રસિદ્ધ નથી એટલે બીજી રીતે જણાય છે. અજ્ઞાની તેને બીજી રીતે માને છે. હું રાગ છું, પુણ્ય છું. અલ્પજ્ઞ છું-એમ અજ્ઞાની અનેક પ્રકારે માને છે. પરંતુ વસ્તુ તો જે છે તે જ છે. માત્ર જુદાં જુદાં નામથી તે કહેવાય છે, છતાં વસ્તુ વિજ્ઞાનઘન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન એક જ છે; અને તે જ ધ્યાનનો, દષ્ટિનો અને સ્વસંવેદનજ્ઞાનનો વિષય છે. અહા ! ૧૪૪મી ગાથાના કળશમાં અલૌકિક વાત કરી છે! આવા સમયસારનો નિર્વિકલ્પ અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ૫. ટોડરમલજી સાહેબે કહ્યું છે-“જૈનમતમાં કહેલાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહાર સમ્યત્વ વડે તે સમ્યકત્વી નામને પામે નહિ, માટે સ્વ-પરભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યકત્વ જાણવું.'' શુદ્ધાત્માનાં દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ-એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. વ્યપદેશ...” એવો શબ્દ ગાથામાં છે. સમયસારને જ કેવળ સમ્યગ્દર્શન અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮ ]. [ પ્રવચન રત્નાકર ભાગ-૫ સમ્યજ્ઞાન એવી સંજ્ઞા મળે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન સમયસારથી કોઈ ભિન્ન ચીજ નથી. સમયસાર જ છે. આ આત્મા જ્ઞાનથી ચુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છે: * કળશ : ૯૪ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * તો વત' જેમ પાણી પોતાના સમૂહથી ચુત થયું થયું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહુ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહુમાં આવી મળે...' | નદીનું પાણી ચાલ્યું આવતું હોય એમાંથી થોડું પાણી વહેળારૂપે બીજે રસ્તે ચઢી જાય એને ગહન વનમાં ભમતું દૂર ચાલ્યું જાય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પાણીના મૂળ સમૂર્વ તરફ બળથી વાળવામાં આવે પછી તે પાણી, પાણીને પાણીના સમૂહુ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને પાણીના મૂળ સમૂહમાં ભળી જાય છે. આ દષ્ટાંત છે. પર્યાયમાં ભૂલ છે તે કઈ રીતે થઈ તે સમજાવે છે. અહીં દષ્ટાંતમાં પણ પાણીને બળથી વાળવામાં આવે તેમ કહ્યું છે. પાણી છૂટું પડીને ગહનવનમાં ચાલ્યું ગયું તેને કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવતા પ્રવાહરૂપ થઈને પાણીના સમૂર્વ સાથે ભળી ગયું. આ દિષ્ટાંત છે તે સિદ્ધાંત સમજવા માટે છે. દષ્ટાંત વડે સિદ્ધાંત સમજાવે છે તેવી રીતે “યં' આ આત્મા “નિન-ગોપાત યુત:' પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી શ્રુત થયો થકો “મૂરિ-વિવે ત્ય-જ્ઞાન-દિને તૂરં બ્રામ્યન’ પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને “તૂરત વ’ દૂરથી જ “વિવે-નિનામનાત’ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા “નિન-મોધું સાત નીત:' પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો.... આ ભગવાન આત્મા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી અનાદિ કાળથી ટ્યુત થયો છે, ભ્રષ્ટ થયો છે. પોતાનો ત્રિકાળ ધ્રુવ પ્રવાહ પડયો છે, પોતાની આખી વસ્તુ ત્રિકાળ જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરી પડી છે તેનાથી તે પર્યાયમાં શ્રુત થયો છે. ધ્રુવનો વિજ્ઞાનઘન વસ્તુનો-એકરૂપ પ્રવાહ તો એમનો એમ છે. એમાંથી તે જરા પર્યાયમાં અનાદિથી ભ્રષ્ટ થયો છે. તેને, કહે છે-દૂરથી જ એટલે કે એકદમ પુરુષાર્થથી વિવેકરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૬૯ કળશટીકામાં રાજમલજીએ “વિવેક-નિમ્રગમના” એ પદનો આમ અર્થ કર્યો છે કે“શુદ્ધ સ્વરૂપનો અનુભવ એવો જે નીચો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું.'' અહા ! જ્ઞાનનો સમૂહું એવો ભગવાન આત્મા અનાદિથી પર્યાયમાં રાગાદિમાં ચાલ્યો ગયો છે; તેને ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ વાળવામાં આવ્યો-એમ કહે છે. વિજ્ઞાનઘનસ્વભાવથી વ્યુત થયો હતો તે કર્મના કારણે ટ્યુત થયો હતો એમ નથી. દર્શનમોહનીય કર્મના કારણે ભ્રષ્ટ થયો હતો એમ નથી કહ્યું. કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતાના ઊંધા પુરુષાર્થથી જ પોતે ટ્યુત થયો હતો, કર્મને લીધે નહિ. અનાદિથી જ ભ્રષ્ટ થયેલો છે ત્યાં કર્મનું શું કામ છે? લોકોના આ જ વાંધા છે કે કર્મને લઈને રાગાદિ ભાવ થાય. પણ ભાઈ ! સમાધાન એમ છે કે પોતે જ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી અનાદિથી ભ્રષ્ટ થયેલો છે. જડકર્મ તો પરદ્રવ્ય છે. જડની પર્યાય તો નિશ્ચયથી આત્માને અડતી જ નથી. એકબીજામાં બન્નેનો અભાવ છે. અનાદિથી પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી વ્યુત થયો હતો તેને દૂરથી જ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ ભણી બળથી વાળવામાં આવ્યો. પોતાનો પુરુષાર્થ રાગથી ખસીને સ્વભાવ તરફ વળ્યો એટલે વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવ્યો એમ કહ્યું છે. દર્શનમોહકર્મનો અભાવ થયો માટે સ્વભાવ તરફ વળ્યો એમ નથી. ‘નિન-mોઈ નાત નીતઃ' એમ કહ્યું છે. પોતે જ સ્વભાવથી ભ્રષ્ટ થઈને રાગના વલણમાં રહ્યો હતો, તે પોતાના અંતર-પુરુષાર્થથી ભેદજ્ઞાન પ્રગટ કરીને આત્મા તરફ વળ્યો. રાગનું વલણ છોડીને, રાગથી ભિન્ન પડી વિવેકરૂપી નિજ બળથી આત્માને આત્મામાં વાળ્યો. પોતાના બળથી પોતે જ પોતા તરફ દોરાઈ ગયો, ઢળી ગયો. આ મૂળ મુદ્દાની રકમની વાત છે. વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થયેલો તે પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો. ભગવાન આત્મા સ્વ-સ્વરૂપથી ભ્રષ્ટ થઈને અનેક પ્રકારના રાગની વિકલ્પજાળમાં ભમતો હતો. અસંખ્ય પ્રકારના વિકલ્પો છે, અને સૂક્ષ્મપણે અનંત પ્રકારના વિકલ્પોની જાળમાં પોતે પોતાથી ભ્રષ્ટ થઈને ભમતો હતો. દયા, દાન, વ્રત આદિ અને હિંસા, જૂઠ, ચોરી આદિ પુણ્યપાપરૂપ અનેક પ્રકારના શુભાશુભ વિકલ્પોની વા અનેક પ્રકારના નવિકલ્પોની ઇન્દ્રજાળમાં પોતે સ્વભાવથી દૂર ભમતો હતો. તેને દૂરથી જ એટલે કે રાગમાં ભળ્યા વિના, રાગમાં જોડાયા વિના આમ સ્વભાવ તરફ જોડી દીધો; ભેદજ્ઞાન વડે પ્રાપ્ત પોતાના બળથી પોતાના ચૈતન્યસ્વભાવ તરફ વાળી દીધો. ખૂબ ગંભીર વાત છે, ભાઈ ! અહો ! જેમ મંદિરના શિખર ઉપર સોનાના કળશ ચઢાવે છે તેમ અમૃતચંદ્રાચાર્યદવે આ પરમાગમના શિખર ઉપર અમૃતના કળશ ચઢાવ્યા છે ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ હવે કહે છે-“ત-પૂર્વ-પસિનામ' કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને “વિજ્ઞાન-રસ: માત્મા' જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, “માત્માનમ માત્મનિ થવ માઇન’ આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનમાં ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને), બેસવા જતાનુIતતામ્ પાયાતિ' સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ભવે છે. અહાહા...! વિજ્ઞાનઘનના રસીલા પુરુષોને આત્મા વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે. રસ એટલે સ્વભાવ, શક્તિ. આત્માના રસિક પુરુષો પોતાને વિજ્ઞાનસ્વભાવમય જ અનુ આવો આત્મા ઘણા વિકલ્પોની જાળમાં ભમતો હતો ત્યાંથી છૂટીને સ્વરૂપમાં ઢળતાં તે એક વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. કરવાનું તો આ છે, ભાઈ ! બહારની સંપદા એ તો બધી આપદા છે. આ તો અંદર આનંદની સંપદાથી ભરેલો આનંદઘન પ્રભુ આત્મા છે એનો અનુભવ કરવાની વાત છે. આત્માના રસિક પુરુષોને જે એકલો આનંદરસમય અનુભવાય છે તે આત્માને અનુભવવાની વાત છે. આવો આત્મા આત્માને આત્મામાં જ ખેંચતો થકો સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. આત્માને આત્મામાં જ ખેંચતો એટલે પર્યાયને આત્મા તરફ વાળતો એમ સમજવું. વિકલ્પ જે રાગ હતો તે અનાત્મા હુતો. ત્યાંથી ખસીને પર્યાય આત્મા ભણી વાળીને પોતે શુદ્ધ ચૈતન્યપણે પરિણમતો સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. જે નિર્મળ પરિણતિ થઈ તે દ્રવ્યમાં ભળી ગઈ. નિર્વિકલ્પ દશાથી આત્મા તરફ ગયો તેને આત્માને આત્મામાં ખેંચતો-એમ કહ્યું છે. ભાઈ ! આ તો સમયસાર છે! દ્રવ્યાનુયોગનું કથન બહુ સૂક્ષ્મ અને ગંભીર છે. નિર્મળ પરિણતિ ધ્રુવ પ્રવાહરૂપ આત્મામાં ઠરી ગઈ, ભળી ગઈ એનું નામ સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે અને એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. જે છે, છે, ને છે એવો સદા વિજ્ઞાનઘનસ્વભાવ આત્મા છે. તેમાં પરિણતિ એકાગ્રપણે સ્થિત થઈ એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. અહીં ચારિત્રની વાત નથી. આ તો ચોથા ગુણસ્થાનની સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની વાત છે. ભાઈ ! તને સૂક્ષ્મ પડે તોપણ માર્ગ તો આ જ છે. અરે ! અનાદિકાળથી હેરાન-હેરાન થઈને ચાર ગતિમાં રખડે છે. અનંતકાળમાં અનંત અનંત ભવ કરીને તું દુઃખી જ દુઃખી થયો છે. પૂર્વે અનંત દુઃખ તે સહન કર્યા છે. બાપુ! હવે પાછો વળ અને તારા વિજ્ઞાનઘનસ્વભાવમાં જા. પરમાં અને રાગમાં તું નથી, ત્યાંથી વળી જા અને તારી અનાકુળ આનંદઘનસ્વરૂપ ચીજમાં ભળી જા. બસ, એ જ દર્શન અને જ્ઞાન છે અને એ જ મોક્ષનો ઉપાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૭૧ * કળશ ૯૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જેમ જળ, જળના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા, એમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.” પાણી પોતાના નિવાસમાંથી કોઈ માર્ગે બહાર નીકળી વનમાં ભમે, અને પછી ઢાળવાળા માર્ગ દ્વારા જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવીને મળી જાય છે. તેવી રીતે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી બહાર નીકળી અનાદિથી મિથ્યાત્વના માર્ગે વિકલ્પરૂપી વનમાં ભમે છે. દયા, દાન અને કામ, ક્રોધ આદિ જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે મારા છે એમ જે માને તે અજ્ઞાની મિથ્યાત્વના માર્ગે છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવરૂપ છે. રાગાદિ વિકલ્પ એની ચીજ નથી, એના સ્વરૂપમાં નથી. છતાં રાગાદિ ભાવ મારા છે એમ જે માને તે મિથ્યાત્વના માર્ગ છે; તે સ્વરૂપથી ભ્રષ્ટ થઈને એટલે કે બહાર નીકળીને પુણ્ય-પાપરૂપ અનેક વિકલ્પોના વનમાં ભમે છે. પરની દયા પાળું, પરને સહાય કરું, પરને જીવાડું, પરને મારું-એવા અનેક પ્રકારના વિકલ્પોના વનમાં જીવ મિથ્યાત્વના માર્ગે પરિભ્રમણ કરે છે. અજ્ઞાની સ્વભાવથી બહાર નીકળી મિથ્યાત્વના માર્ગે અનેક વિકલ્પોના વનમાં ભ્રમણ કરી રહ્યો છે. પુણ્ય-પાપના વિકલ્પ જે પોતાની ચીજ નથી તેને પોતાની માનતો થકો તે બહિરાત્મા છે. અહીં હવે તે બહિરાત્મપણું છોડી કેવી રીતે સમ્યકત્વના માર્ગ પડી પોતાના સ્વભાવમાં આવી મળે છે તે બતાવે છે. કહે છે-ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. “વિવેક-નિમ્નગમનાત્” એમ લોકમાં પાઠ છે એનો અર્થ એ કે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતે પોતાના જ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ઢાળવાળો માર્ગ એટલે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ-એમ અર્થ છે. | વિજ્ઞાનઘનસ્વભાવમય આત્મા ચૈતન્યતત્ત્વ છે. શુભાશુભ રાગાદિ ભાવ છે તે પુણ્ય અને પાપતત્ત્વ છે. અજ્ઞાની પોતાના ચૈતન્યતત્ત્વને પુણ્ય-પાપ તત્ત્વરૂપ માનીને અનાદિથી વિકલ્પના વનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેણે પોતાના ચૈતન્યતત્ત્વને છોડી દીધું છે. પણ હવે તે ભેદજ્ઞાનરૂપી ગંભીર માર્ગ દ્વારા અંતરમાં સ્વભાવસભુખ થાય છે. જે વિકલ્પ ઊઠે છે એનાથી એણે ભેદ કર્યો છે કે આ રાગ તે હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યતત્ત્વ છું, વિજ્ઞાનઘનસ્વભાવમય છું આ પ્રમાણે વિવેક અર્થાત્ ભેદજ્ઞાન કરીને, ઢાળવાળા ગંભીર માર્ગ દ્વારા, પોતે જ પોતાને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ખેંચતો અર્થાત પોતાની પરિણતિને પોતાના તરફ વાળતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. રાગથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વભાવને જાણીને પોતાની નિર્મળ જ્ઞાનની પર્યાય દ્વારા પોતાના પુરુષાર્થથી અંતરસ્વભાવમાં ગતિ કરે છે. રાગથી ભિન્ન પડેલી જ્ઞાનની પર્યાયને અંતરસ્વભાવ સાથે જોડી દે છે. પ્રશ્ન:- જ્ઞાનીને પણ વિકલ્પ તો આવે છે? ઉત્તર:- હા, જ્ઞાનીને વિકલ્પ આવે છે તેને તે પોતાની ચીજ નથી એમ જાણે છે. જ્ઞાની વિકલ્પના સ્વામિત્વપણે પરિણમતો નથી. જ્ઞાની જે વિકલ્પ આવે છે તેનો કર્તા થતો નથી. સમયસાર નાટકમાં કહ્યું છે કે “કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનનારા; જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.'' અહાહા...! વીતરાગ પરમેશ્વરે મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિના માર્ગ સાવ ભિન્ન કહ્યા છે. શુભાશુભ રાગ છે તે ખરેખર પુદગલમય પરિણામ છે. તેને પોતાના માની અજ્ઞાની ગહન વિકલ્પ-વનમાં પરિભ્રમણ કરે છે; જ્યારે જ્ઞાની રાગ અને વિકલ્પથી ભિન્ન પોતાની જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે એમ જાણી સ્વભાવ ભણી ગતિ કરી સ્વભાવમાં જઈને મળે છે. ભેદજ્ઞાનરૂપી જે ગંભીર ઢાળવાળો માર્ગ છે તે અંદર સ્વભાવમાં જતો માર્ગ છે અને જે વિકલ્પ છે તે બહાર પર તરફ જતો માર્ગ છે. ભેદજ્ઞાન વડે જેને સ્વભાવનો આશ્રય થાય છે તે વિકલ્પથી ભિન્ન પડી ગયો હોય છે અને તેથી તે વિકલ્પનો કર્તા થતો નથી. અજ્ઞાની દયા, દાન, વ્રત આદિ શુભ વિકલ્પોને પોતાનું સ્વરૂપ માની, વિકલ્પનો કર્તા થઈ, નિજ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈને વિકલ્પવનમાં ચિરકાળ પરિભ્રમે છે. મોક્ષમહેલનું પ્રથમ સોપાન સમ્યગ્દર્શન છે. રાગથી ભિન્ન થઈ, ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં એકાકાર થઈ પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન છે અને તે મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે. શુભાશુભ રાગથી ભિન્ન નિજ ચૈતન્યતત્ત્વનો આશ્રય કરીને જેણે સ્વરૂપની પરિણતિ પ્રગટ કરી છે તે સમકિતી જીવ રાગનો કર્તા નથી; કેમકે રાગથી ભિન્ન તે નિર્મળદશારૂપે પરિણમે છે, રાગને તે પોતામાં ભેળવતો જ નથી. જ્યારે અજ્ઞાની જીવ આ શરીર, મન, વાણી મારાં, હું પરને જીવાડું, સુખી-દુઃખી કરું ઇત્યાદિ અનેક વિકલ્પની જાળમાં ગુંચાઈ જઈને સંસારવનમાં દીર્ઘ પરિભ્રમણ કરે છે. કયારેક તે ભેદજ્ઞાન માર્ગ દ્વારા રાગથી અને પરથી ખસીને બળપૂર્વક પુરુષાર્થ વડે પોતાની પરિણતિને સ્વભાવ ભણી વાળી ચૈતન્યસ્વભાવમાં જોડી દે છે ત્યારે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. અહો ! ભગવાન શ્રી જિનેશ્વરદેવે અને દિગંબર સંતોએ કહેલો આ કોઈ દિવ્ય અલૌકિક માર્ગ છે! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૭૩ હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે: * કળશ ૯૫ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * ‘વિકલ્પી: ૫૪ ર્તા' વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે. વિકલ્પ એટલે જે રાગ ઉત્પન્ન થાય છે તેનો કરનાર જ કેવળ કર્તા છે. બીજો કોઈ કર્તા નથી. પોતાને વિકલ્પનો કર્તા માને તે મિથ્યાદષ્ટિ જીવ જ વિકલ્પનો કેવળ કર્તા છે; અને વિકલ્પનો ભેદ કરી ભેદજ્ઞાન કરનાર, જાણનાર જ્ઞાની જ્ઞાતા છે, ધર્મી છે. અહા! રાગનો કર્તા થાય તે કેવળ કર્તા છે (જ્ઞાતા નથી ). શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો કર્તા તો આત્મા છે જ નહિ. પરની દયા કરવી કે હિંસા કરવી-એ ત્રણકાળમાં આત્મા કરતો નથી, કરી શકતો નથી. પરદ્રવ્યની અવસ્થાનો આત્મા કદીય કર્તા નથી. અજ્ઞાનપણે તે રાગનો કર્તા થાય છે અને ત્યારે તે રાગનો કેવળ કર્તા છે. સિવાય આત્મા જડકર્મનો કર્તા નથી અને જડ દ્રવ્યકર્મ રાગનું કર્તા નથી. અજ્ઞાનપણે રાગને કરનાર મિથ્યાત્વી જીવ રાગનો કેવળ કર્તા છે. લોકોને આ વાત સૂક્ષ્મ પડે છે, પણ ભાઈ ! જન્મ-મરણરહિત થવાનો આ એક જ માર્ગ છે. વીતરાગ માર્ગ વીતરાગસ્વરૂપ જ છે, તે રાગથી કેમ ઉત્પન્ન થાય? રાગથી ઉત્પન્ન થાય તે બીજી ચીજ છે, વીતરાગમાર્ગ નથી. અહીં તો કહે છે કે રાગનો કરવાવાળો કેવળ એટલે એકલો કર્તા છે. હવે કહે છે ‘વિવ૫: વનં ' વિકલ્પ જ કેવળ કર્મ છે. જુઓ, આ વીતરાગ પરમેશ્વર દેવાધિદેવ જિનેન્દ્રદેવનો હુકમ છે. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા ણમો અરિહંતાણં' પદમાં બિરાજે છે. તેમની દિવ્યધ્વનિ ત્યાં નિરંતર છૂટી રહી છે. સંવત ૪૯માં શ્રી કુંદકુંદાચાર્યદવ ત્યાં ગયા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે-આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ હોવા છતાં જ્યાં સુધી રાગનો કર્તા થાય ત્યાંસુધી તે એકલો કર્તા છે, અને તે રાગ તેનું કેવળ કર્મ છે. અજ્ઞાનીનું રાગ એકલું કાર્ય છે. પરના કાર્યનો કર્તા તો આત્મા છે નહિ, તેથી રાગનો કર્તા થનાર અજ્ઞાનીનું કેવળ રાગ કર્મ છે. આવું વસ્તુસ્વરૂપ છે; તેના ભાન વિના અનાદિ કાળથી અજ્ઞાની મૂઢ થઈને ચાર ગતિમાં રૂલે છે. ભગવાન આત્મા સદા જિનપદરૂપ છે, સિદ્ધપદરૂપ છે; અત્યારે પણ હોં! વર્તમાનમાં પણ તે વીતરાગસ્વરૂપ જ છે. જો સ્વરૂપથી વીતરાગ ન હોય તો વીતરાગતા પ્રગટશે કયાંથી? વીતરાગતા કાંઈ બહારથી આવતી નથી. આવા વીતરાગસ્વભાવને ભૂલીને પોતાને રાગનો કર્તા માને, રાગને પોતાનું કર્મ માને તેને આત્માની શાંતિ બની રહી છે, દાઝી રહી છે. ભગવાન આત્મા સદા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. તેનાથી ભ્રષ્ટ થઈને જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ રાગનો કર્તા થાય તેનું રાગ એકલું કાર્ય છે. મિથ્યાષ્ટિનું રાગ એકલું કાર્ય છે, પછી ભલે તે શ્રાવકપદ ધરાવતો હોય કે મુનિપદ ધરાવતો હોય. છત્ઢાલામાં આવે છે કે “મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાય; પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાય.'' અહા! એણે અનંતવાર મુનિવ્રત ધારણ કર્યા, પંચમહાવ્રત અને અટ્ટાવીસ મૂલગુણનું અનંતવાર પાલન કર્યું, પણ તે બધું શુભરાગના કેવળ કર્તા થઈને કર્યું તેથી કેવળ રાગ તેનું કર્મ થયું, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું. પરિણામે તેને લેશમાત્ર આત્માનું સુખ ન મળ્યું. પંચમહાવ્રતના પરિણામ પણ તેને દુ:ખરૂપ બોજારૂપ થયા. ભાઈ ! વીતરાગના માર્ગ સિવાય આવી સત્ય વાત બીજે ક્યાંય નથી. અહો ! દિગંબર સંતોએ મોક્ષમાર્ગ અતિ અતિ સ્પષ્ટ ખોલી દીધો છે, સુગમ કરી દીધો છે. હવે કહે છે સવિવેચ' જે જીવ વિકલ્પસહિત છે તેનું વર્તુવર્મત્વ' કર્તાકર્મપણું ‘નાતુ નિતિ ' કદી નાશ પામતું નથી. વિકલ્પ મારી ચીજ છે એમ જે વિકલ્પસહિત હોય તેને “હું વિકલ્પનો કર્તા અને વિકલ્પ મારું કાર્ય' –એવું કર્તાકર્મપણું અવિરત ચાલ્યા જ કરે છે, તેને નિશ્ચય સમ્યગ્દર્શન કદી પ્રગટ થતું નથી. ત્યારે કોઈ કહે છે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય; તેને અહીં કહે છે-ન થાય. જે રાગનો કર્તા થાય તેનું રાગ જ કેવળ કર્મ છે અને તેનું કર્તાકર્મપણું નાશ પામતું નથી. ભાઈ ! જેનાથી ભિન્ન પડવું છે, જેનાથી ભેદજ્ઞાન કરવું છે તે રાગથી ધર્મ કેમ થાય? ન થાય. ભલે આ વાત દુર્ગમ લાગે તોપણ માર્ગ તો આ જ સત્ય છે કે ભગવાન આત્મા રાગથી કદી પ્રાપ્ત થતો નથી; વ્યવહારથી નિશ્ચય કદી પ્રગટતો નથી. પોતે જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મદ્રવ્ય છે તેને છોડીને હું રાગવાળો છું, રાગમય છું એમ જે માને તેને રાગનું કર્તાકર્મપણું કદી મટતું નથી. ત્યારે કોઈ કહે-અમે તો મોટાં મોટાં વેપારનાં-ઝવેરાત આદિનાં કામ કરીએ અને અમારી હોશિયારીથી ખૂબ ધન કમાઈએ-એ તો કામ અમે કરીએ છીએ ને? સમાધાન- ધૂળેય તું ધન કમાતો નથી, સાંભળને; એ ધન તો પૂર્વનાં પુણ્ય હોય તો આવે છે. તું તો માત્ર રાગની–મોહની મજૂરી કરે છે અને હું કમાઉં છું એમ માને છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. પહેલાં કહ્યું ને કે પરદ્રવ્યનું કાર્ય અજ્ઞાની પણ કરી શકતો નથી. પરદ્રવ્યની અવસ્થા તે તે દ્રવ્યથી પોતાથી થાય છે. પોતાની પર્યાયની વ્યવસ્થિત વ્યવસ્થા કરનાર પોતાનું દ્રવ્ય છે, તેને બીજું દ્રવ્ય કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. તું વેપારની બાહ્ય ક્રિયા અને ધન નું કામ કરે છે એ વાત તદન અસત્ય છેઃ હા, અજ્ઞાનવશ તેવા રાગનો કર્તા થઈ મિથ્યાત્વને સેવે છે, પણ તેનું ફળ બહુ આકરું આવશે. ભાઈ! મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૭૫ વળી તું ધન કમાવામાં પોતાની હોશિયારી માને છે પણ હોશિયારી તો જ્ઞાનનો ક્ષયોપશમ છે. તે શું પરદ્રવ્યમાં ઘુસી જાય છે? ના, કદીય નહિ. તો પરના કાર્યમાં તારો ક્ષયોપશમ શું કરે? કાંઈ નહિ. ધનના-પૈસાના પરમાણુઓ જે તે કાળે યથાસમયે ધનરૂપ થઈ જમા થઈ જાય છે એમાં તારું કે તારી હોશિયારીનું કાંઈ કાર્ય નથી. કોઈ દ્રવ્ય કોઈ પરદ્રવ્યનું કાર્ય કરે એવું વસ્તુસ્વરૂપ જ નથી. પોતાના જ્ઞાતાસ્વભાવની દૃષ્ટિ છોડીને રાગનો કર્તા થાય તે જ કેવળ એક કર્તા છે, બીજો કોઈ તેનો કર્તા નથી. રાગનો કરનારો જીવ પણ કર્તા, અને નિમિત્ત પણ કર્તા-એમ બે કર્તા નથી. (બે પ્રકારે કથન છે.) આત્મામાં કર્તા, કર્મ નામની શક્તિ છે. પોતાની નિર્મળ પર્યાયનો આત્મા કર્તા અને નિર્મળ પર્યાય તેનું કર્મ–એવી ત્રિકાળ શક્તિ છે. જેમ જીવમાં જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ છે તેમ કર્તા, કર્મ પણ સ્વભાવ છે. તેનું કાર્ય શું? કે નિર્મળ પરિણતિનો જીવ કર્તા અને નિર્મળ પરિણતિ તેનું કર્મ હોય એ તેનું કાર્ય છે. ૪૭ શક્તિઓમાં અશદ્ધતાની વાત જ લીધી નથી. કોઈ શક્તિમાં અશુદ્ધતા છે જ નહિ. દરેક દ્રવ્યમાં ગુણો અક્રમે છે અને પર્યાયો કમસર એક પછી એક થાય છે. દ્રવ્યમાં ત્રિકાળી દ્રવ્ય અને અનંતશક્તિઓ અક્રમે છે અને નિર્મળ પર્યાય ક્રમસર ઉત્પન્ન થાય છે. આ નિર્મળ પરિણમન તે જીવનું કાર્ય છે; રાગ જીવનું કાર્ય નથી અને જીવ રાગનો કર્તા નથી. જ્ઞાનીને રાગ થાય છે પણ તેનો કર્તા જ્ઞાની નથી. પરંતુ રાગ સંબંધી જે જ્ઞાન પોતામાં પોતાથી ઉત્પન્ન થાય છે તે જ્ઞાનનો તે કર્તા છે. જ્ઞાનીને રાગ થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર જ્ઞાનીને પોતાનું જ્ઞાન અને રાગનું જ્ઞાન વર્તમાન જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં પોતાથી ક્રમબદ્ધ થાય છે, પોતાની શક્તિનું સહજ આવું કાર્ય છે. આવું સમજ્યા વિના કોઈ પુણ્યના ફળમાં મોટો દેવ થાય વા અબજોપતિ શેઠ થાય, પણ તે બિચારો દુઃખી છે. જેને લૌકિકમાં સુખી કહે છે તેઓ મોહભાવને લીધે વાસ્તવમાં દુઃખી જ છે. જુઓ, આ ધૂળપતિઓની (લક્ષ્મીવંતોની) બહારની લક્ષ્મી છે તે અજીવ તત્ત્વ છે અને લક્ષ્મીનો જે રાગ-આસક્તિ છે તે આસ્રવ તત્ત્વ છે; તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. પરંતુ આ અજીવ લક્ષ્મી અને તેના પ્રત્યેનો રાગ જે આસ્રવ તત્ત્વ તે મારાં છે એમ જે માને છે તે મૂઢ મિથ્યાદૃષ્ટિ છે. તેને રાગનું-આસ્રવનું–કર્તાકર્મપણું કદી મટતું નથી. અહાહા..! પ્રભુ! તું ભગવાન છો ને! ભગ કહેતાં જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણોથી ભરેલી સ્વરૂપલક્ષ્મી; અને એનો તું સ્વામી એવો ભગવાન છો. પ્રભુ! તારા સ્વરૂપ સંપદાનાં અનંતાં અખૂટ નિધાન છે. તે તરફ અંતર્મુખ થઈ અંતર્દષ્ટિ કર. રાગથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ખસીને અંતર્દષ્ટિ કરતાં તને તારી સ્વરૂપસંપદા પ્રાપ્ત થશે. પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ કેમકે તારી ચૈતન્યસંપદા અનંત શાંતિનું કારણ છે. * કળશ ૯૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્યાંસુધી વિકલ્પભાવ છે ત્યાંસુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. બહુ થોડામાં ખૂબ ગંભીર વાત કરી છે. જ્યાં સુધી વિકલ્પનો ભાવ મારો છે એમ માને ત્યાંસુધી કર્તાકર્મભાવ છે. પરંતુ વિકલ્પથી ભિન્ન મારો તો જ્ઞાતાદાસ્વભાવ છે એમ ભેદજ્ઞાનવિવેક પ્રગટ કરે ત્યારે કર્તાકર્મભાવનો અભાવ થઈ જાય છે અને ત્યારે અંતરમાં ધર્મ પ્રગટ થાય છે. જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે: * કળશ ૯૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * : રોતિ : વત્ત રોતિ' જે કરે છે તે કેવળ કરે જ છે “તુ’ અને ‘ા: વેરિ : તુ વર્તમ વેરિ' જે જાણે છે તે કેવળ જાણે જ છે; “ : વરાતિ : વજિત ર દિ વેરિ' જે કરે છે તે કદી જાણતો નથી “તુ’ અને ‘ય: વેત્તિ : વરિત નવરાતિ' જે જાણે છે તે કદી કરતો નથી. જે કર્તા છે તે કેવળ કર્તા જ છે અને જે જાણે છે તે કેવળ જાણે જ છે. કહ્યું છે ને (સમયસાર નાટકમાં ) “કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સૌ જાનનારા; જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.'' અજ્ઞાની રાગ મારો છે એવું માને છે, તે કર્તા જ છે. જે જ્ઞાની છે તે જાણે જ છે, તે રાગના જાણનાર જ છે. રાગને અને પોતાને જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય દ્વારા માત્ર જાણે જ છે. કથંચિત્ જાણે છે અને કથંચિત્ રાગને કરે છે એમ નથી. બાપુ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે! કોઈ માગણ કહેતા હોય છે-“દાદા ! બીડી આપજો, એક દિવાસળી આપજો; તમને ધર્મ થશે.'' ધર્મ આવી ચીજ નથી, ભાઈ ! અજ્ઞાની કહે છે કે પરની દયા પાળવી તે ધર્મ, પૈસા દાનમાં આપે તે ધર્મ પણ ભાઈ ધર્મનું આવું સ્વરૂપ નથી. ધર્મ શું ચીજ છે તેને જાહેર કરતાં દિગંબર સંતો કહે છે-જે કર્તા છે તે કેવળ કર્તા જ છે. રાગનો કર્તા છે તે માત્ર કર્તા જ છે. તેનો તે કર્તા પણ છે અને જાણનાર પણ છે એવું સ્વરૂપ નથી. પ્રભુ! તું વિજ્ઞાનઘનસ્વરૂપ છો ને! જગતથી તદ્દન ભિન્ન તું જગદીશ છો ને! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૭૭ રાગથી માંડીને આખું લોકાલોક છે તે જગત છે. એ જગતથી ભિન્ન, એનો જાણનાર દેખના૨ તું જગદીશ છો. ૫૨ને જીવાડી શકે વા મારી શકે એવું ભગવાન! તારું સ્વરૂપ નથી. શું તું પ૨ને આયુષ્ય દઈ શકે છે? ના; માટે તું બીજાને જીવાડી શકતો નથી. શું તું ૫૨નું આયુષ્ય હરી શકે છે? ના; માટે તું પ૨ને મારી શકતો નથી. ભાઈ ! આવું જ સ્વરૂપ છે. લૌકિકમાં કોઈની ચીજ કોઈ હરી લે તો તે ચોર કહેવાય. તેમ પોતાના ચૈતન્યસ્વરૂપમાં જે ચીજ નથી તેને પોતાની માનવી તે ચોરી છે. બીજાની ચીજને પોતાની માને તે ચોર છે. રાગ ચીજ પોતાની નથી તેને પોતાની માને તે ચોરી છે. બનારસીદાસે કહ્યું છે કે ‘સત્તાકી સમાધિમઁ વિરાજી રહૈ સોઈ સાહુ, સત્તાતેં નિકસ ઔર ગહૈ સોઈ ચોર હૈ.’’ પોતાની ચૈતન્યસ્વરૂપ સત્તાથી બહાર જઈ રાગનો કર્તા થાય તે ચોર છે. અહીં કહે છે–રાગનો જે કર્તા થાય તે કર્તા જ છે; તે કર્તા પણ છે અને જ્ઞાતા પણ હોય એમ કદી હોઈ શકે નહિ. કર્તાપણું અને જ્ઞાતાપણું સાથે રહી શકે નહિ. જે કર્તા છે તે એકલો કરનાર જ છે, તેને જ્ઞાતાપણું નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. રાગનો કર્તા પણ થાય અને એનો જ્ઞાતા પણ રહે એમ કદીય બની શકે નહિ. જ્ઞાની રાગના કર્તા નથી. રાગ છે તે નિશ્ચયથી પુદ્દગલના પરિણામ છે. રાગને પુદ્દગલના પરિણામ કેમ કહ્યા ? કારણ કે રાગ આત્માના ચૈતન્યસ્વરૂપમાં નથી તથા તે પુદ્દગલના નિમિત્તે થાય છે માટે તેને પુદ્દગલના પરિણામ કહ્યા છે. આત્માના ચૈતન્યસ્વભાવથી રાગ વિરુદ્ધ ભાવ છે. તેથી રાગને અચેતન, અજીવ અને પુદ્દગલનો ભાવ કહ્યો છે. ૭૨મી ગાથામાં રાગને અશુચિ, જડ અને દુઃખનું કારણ કહેલ છે. આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ પ્રભુ છે. તે દુ:ખનું અકારણ છે. આત્મા રાગનું કારણ નથી, રાગનું કાર્ય પણ નથી. વ્યવહારનો રાગ છે તો સમકિત થયું એમ રાગનું આત્મા કાર્ય નથી. તેવી રીતે આત્મા રાગનું કારણ નથી, આત્મા રાગનો કર્તા નથી. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ કેટલાક માને છે પણ વ્યવહારથી જો નિશ્ચય થાય તો સમ્યગ્દર્શન રાગનું કાર્ય સિદ્ધ થશે. પણ એમ છે નહિ, કેમકે વીતરાગતા તે વળી રાગનું કાર્ય કેમ હોય? ધર્મી જીવ રાગનો માત્ર જાણનાર જ છે. જેને પોતાના શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો તે રાગનો માત્ર જાણનાર જ છે. જાણનાર પણ છે અને રાગનો કરનાર પણ છે એમ નથી. જ્ઞાતાપણું અને રાગનું કર્તાપણું બે સાથે હોઈ શકતાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ નથી. જ્ઞાતા શાતા જ છે, કર્તા નથી. સમ્યગ્દષ્ટિ રાગનો જાણનાર છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો રાગ સંબંધીનું જે પોતાનું જ્ઞાન તેનો તે જાણનાર છે. આ પ્રમાણે તે જાણનાર જ છે, કર્તા નથી. * કળશ ૯૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી.’ ઓહોહોહો...! એક લીટીમાં ઘણું ભરી દીધું છે. શું કહે છે? સદા વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ છોડીને શુભાશુભ રાગનો કર્તા થાય તે જ્ઞાતા ન હોઈ શકે. સ્વરૂપની દૃષ્ટિ રહિત અજ્ઞાની જીવ અશુદ્ધ પરિણામનો કર્તા થાય છે અને અશુદ્ધ પરિણામ જ કેવળ તેનું કર્મ બને છે. અશુદ્ધતા જ અજ્ઞાનીનું કર્મ છે, એ સિવાય બીજું કોઈ એનું કર્મ નામ કાર્ય નથી; તથા અશુદ્ધતા છે તે બીજા કોઈનું પણ કર્મ નથી. પ્રશ્ન:- તો શ્રી સમંતભદ્રાચાર્યદેવે કાર્યમાં બે કારણ કહ્યાં છે ને ? ઉત્ત૨:- હા, કાર્ય થવામાં બે કારણ કહ્યાં છે, પણ ત્યાં તો પ્રમાણજ્ઞાન કરાવવા માટે જોડે બીજી ચીજ નિમિત્ત છે એની વાત કરી છે. પણ નિમિત્ત છે તે કાંઈ વાસ્તવિક કારણ નથી. ૫રમાર્થે વાસ્તવિક કારણ તો એક (ઉપાદાન) જ છે. પં. શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે-મોક્ષમાર્ગ બે નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. હવે મોક્ષનો માર્ગ કહો, કારણ કહો કે ઉપાય કો-એ બધું એક જ છે. મોક્ષના કારણનું નિરૂપણ બે પ્રકારે છે. વાસ્તવિક કારણ તો એક જ છે. બીજું કારણ તો સહચર નિમિત્ત દેખીને આરોપથી કહ્યું છે. બે કા૨ણની વાત જે શાસ્ત્રમાં કહી છે ત્યાં તો પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે-એમ સમજવું, પણ નિમિત્ત પણ વાસ્તવિક કારણ છે એમ ન માનવું. અહીં કહે છે-રાગ છે તે બહિર્મુખ ભાવ છે, તે ચૈતન્યના સ્વરૂપભૂત નથી. તેનો જે કર્તા થાય છે તે જ્ઞાતા હોઈ શકે નહિ. રાગનો રચનારો છે તે કર્તા જ છે, તે જ્ઞાતાપણે રહી શકે નહિ. તથા પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માનું જેને સ્વાશ્રયે ભાન થયું છે એ જ્ઞાની તો જ્ઞાતા જ છે, તે રાગનો કર્તા થતો નથી. રાગદ્વેષના પરિણામ થાય તે આત્માનો ધર્મ નથી; રાગદ્વેષના પરિણામ થાય તે ભાવમનનો ધર્મ છે અને દ્રવ્યમન તેમાં નિમિત્તમાત્ર છે. પુણ્ય-પાપના ભાવ તે આત્માનો ધર્મ નથી. સંકલ્પવિકલ્પરૂપ વિકૃત અવસ્થા તે મનનું કાર્ય છે. તેને પોતાનું કર્તવ્ય માનીને જે કર્તા થાય છે તે એનાથી ભિન્ન પડીને જ્ઞાતાપણે રહી શકે નહિ. તથા જે શુદ્ધ ચૈતન્યતત્ત્વ જે અંત:તત્ત્વ છે તેનો અનુભવ કરીને જ્ઞાતાપણે પરિણમ્યો છે તે રાગનો કર્તા થતો નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. લ્યો, આ કર્તાકર્મની વ્યાખ્યા કરી. હવે ક્રિયાની વાત કરે છે. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૭૯ એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બર્ન ભિન્ન છે એમ હવે કહે છે: * કળશ ૯૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વરોત મન્ત: જ્ઞ િર દિ માસ?' કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી “ઘ' અને “જ્ઞપ્તી મન્ત: રાતિ: ન મારતે' જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી. શું કહે છે? જે જીવ રાગના પરિણામરૂપ ક્રિયા કરે છે તેને જાણવારૂપ મારો સ્વભાવ છે એમ ભાસતું નથી. શુભરાગની ક્રિયા મારી છે એમ જે માને તે જ્ઞાતાપણાની ક્રિયા કરી શકતો નથી. જુઓ, અહીં જડની ક્રિયાની અત્યારે વાત નથી. પુદ્ગલનો કર્તા આત્મા નથી એ વાત પછી કરશે. અહીં તો અત્યારે અશુદ્ધતા અને આત્મા એ બે વચ્ચેની વાત છે. કહે છે-હું રાગની ક્રિયા કરું છું એમ જેને ભાસે છે તેને જાણનક્રિયા છે જ નહિ, છે નહિ એટલે ભાસતી નથી. ગંભીર વાત છે, ભાઈ ! શુભરાગની ક્રિયા હું કરું છું એમ માને એ તો નપુંસકતા છે, કેમકે તે આત્માના વીર્યનું કાર્ય નથી. આત્મામાં વીર્ય નામનો એક ગુણ છે, શક્તિ છે. જ્ઞાતાપણાની રચના કરવી તે એનું કાર્ય છે, રાગની રચના કરવી તે એનું કાર્ય નથી. રાગની રચના કરે એ તો નપુંસકતા છે. અહીં કહે છે-રાગની ક્રિયા કરવામાં જ્ઞાતાપણાની ક્રિયા ભાસતી નથી એટલે કે જાણવારૂપ ક્રિયા ત્યાં હોતી નથી. રાગની ક્રિયા કરવાના કાળમાં હું જ્ઞાતા છું એવી જ્ઞાનની દશા હોતી નથી. હોતી નથી એટલે ભાસતી નથી. લોકો દયા, દાન, વ્રત આદિ બાહ્ય ક્રિયામાં રોકાઈને તેને ધર્મનું સાધન માને છે. પણ બાપુ! આવી માન્યતામાં તને ભારે નુકશાન છે. અહીં આ તારા હિતની વાત છે, આ કાંઈ તારા અનાદર માટે નથી, અહા ! અંદર વિજ્ઞાનઘનસ્વભાવમય પ્રભુ પરિપૂર્ણ પરમાત્મા પડયો છે તેનો આદર છોડીને તું રાગની રચનામાં જોડાઈ જાય એ નપુંસકપણું છે, કેમકે તે કાળે શુદ્ધ જ્ઞાનની રચનારૂપ નિર્મળ ક્રિયા હોતી નથી, તેથી જ્ઞાનની ક્રિયા ત્યાં ભાસતી નથી. રાગની ક્રિયાના કરવાપણામાં જ્ઞાતાપણાનું પરિણમન હોતું નથી. જ્ઞાતાપણાનું પરિણમન એટલે કે સ્વનું જ્ઞાન અને રાગનું જ્ઞાન–એવું જે જ્ઞાનનું પરિણમન તે અજ્ઞાનીને હોતું નથી. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું સંવેદન થઈને જે જાણવારૂપ ક્રિયા થાય છે તેને જ્ઞાનની ક્રિયા કહે છે. જ્ઞાનરૂપે, શ્રદ્ધારૂપે, વીતરાગી શાંતિરૂપે, આનંદરૂપે જે પરિણમન થાય તે જ્ઞાનની ક્રિયા છે. અહીં કહે છે આવી જ્ઞાનની ક્રિયાના કાળમાં (રાગના) કરવારૂપ ક્રિયા ભાસતી નથી. જ્ઞાનની ક્રિયામાં રાગની કરવારૂપ ક્રિયા હોતી નથી હોતી નથી એટલે ભાસતી નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #393 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ વ્યવહારથી નિશ્ચય થાય એવું જે શાસ્ત્રમાં કથન આવે છે એ તો આરોપથી ત્યાં વાત કરેલી છે; ખરેખર એમ છે નહિ. ક્ષુલ્લક શ્રી ધર્મદાસજીએ હાથીના દાંતનું દૃષ્ટાંત આપ્યું છે કે હાથીને ચાવવાના દાંત જુદા હોય છે અને બહારના દેખાડવાના દાંત જુદા હોય છે. તેમ વ્યવહારનાં કથન શાસ્ત્રમાં આવે તેથી શું? એ તો આરોપનાં ઉપચારકથન છે, એ કાંઈ વસ્તુ સ્વરૂપ નથી. ભગવાન આત્માની સન્મુખ થઈને જેને જ્ઞાન, શ્રદ્ધાન અને શાન્તિની ક્રિયાનું પરિણમન થયું છે તેને રાગની ક્રિયાનો હું કર્તા છું એમ નથી; એમ નથી માટે એને કરોતિ ક્રિયાનું કર્તાપણું ભાસતું નથી. જુઓ, ભારત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય, છહજાર રાણીઓ, છ— ક્રોડ પાયદળ ઇત્યાદિ મહા વૈભવ બહારમાં હતો, છતાં તેમને અંતરમાં જ્ઞાતાપણાનું પરિણમન થઈ રહ્યું હતું. ભરત ઘરમેં વૈરાગી” એમ કહેવાય છે ને! મતલબ કે આવા સમૃદ્ધ વૈભવના સંયોગ વચ્ચે પણ તેઓ અંદરમાં ઉદાસ ઉદાસ હતા. જ્ઞાનીનું અંતર તો જ્ઞાનપરિણમનથી સમૃદ્ધ હોય છે. જેમ નાળિયેરમાં અંદર કાચલીથી ગોળો છૂટો પડી જાય તેમ જ્ઞાનીને અંદર ચૈતન્યગોળો રાગથી છૂટો પડી ગયો હોય છે અને તેથી તેને જાણવા-દેખવાની ક્રિયા હોય છે પણ તેમાં રાગના કર્તાપણાની ક્રિયા હોતી નથી; અને હોતી નથી માટે ભાસતી નથી. પ્રશ્ન:- તો શું જ્ઞાનીને રાગ થતો જ નથી? ઉત્તર:- ના, એમ નથી. જ્ઞાનીને રાગ થાય છે પણ તે રાગની ક્રિયા મારી છે એમ તેને ભાસતું નથી. આ ચોથા ગુણસ્થાનની વાત છે. પુરુષાર્થની કચાશને લઈને અલ્પ રાગની રચના થાય છે પણ તે ક્રિયા મારી છે, હું તેનો કરનારો છું એમ સમ્યગ્દષ્ટિ માનતો નથી. જ્ઞાનીને જ્ઞાનની રચના થાય છે એમાં રાગની રચના ભાસતી નથી. મતલબ કે જે રાગ થાય છે તેનો ધર્મી સ્વામી નથી. “ભાસતી નથી” એનો અર્થ એમ છે કે જે અલ્પ રાગ થાય છે એનો જ્ઞાની સ્વામી નથી. જેમ જાણવાના પરિણમનનો સ્વામી છે તેમ તે રાગની ક્રિયાનો સ્વામી નથી. આત્મામાં એક સ્વ-સ્વામિત્વ નામની શક્તિ છે. પોતાનાં દ્રવ્ય-ગુણ અને શુદ્ધ પર્યાય તે સ્વ; અને જ્ઞાની તેનો સ્વામી છે. અશુદ્ધતાનો સ્વામી જ્ઞાની નથી. અરે ભાઈ ! આત્મામાં એવો એકેય ગુણ નથી કે તેને અશુદ્ધતા થાય. પરવશપણે પરના લક્ષે પર્યાયમાં અશુદ્ધતા થાય છે. પર કરાવે છે એમ નહિ, પણ પરનો-નિમિત્તનો પોતે આશ્રય કરે છે માટે પર્યાયમાં અશુદ્ધતા થાય છે. (અશુદ્ધતા પણ પર્યાયનો ધર્મ છે), પરંતુ જ્ઞાની તેનો સ્વામી થતો નથી. ધર્મીને જે રાગની ક્રિયા થાય છે તેનું જ્ઞાન થાય છે; કેમકે જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જે પ્રકારે ત્યાં રાગદ્વેષ, વિષયવાસના આદિ ભાવ ઉત્પન્ન થાય તે કાળે તેનું જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #394 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૮૧ અહીં પોતાથી જ ઉત્પન્ન થાય. રાગને લઈને તેનું જ્ઞાન થાય એમ નહિ; પણ જ્ઞાનના સ્વપરપ્રકાશક સ્વભાવના કારણે જ્ઞાનીને સ્વપરપ્રકાશક પરિણતિ પ્રગટ થાય છે. માટે કહે છે કે જ્ઞાનની ક્રિયામાં અશુદ્ધતાની ક્રિયા ભાસતી નથી. હવે કહે છે ‘તત: જ્ઞતિઃ વરાતિ: ૨ વિfમને' માટે જ્ઞતિક્રિયા અને કરોતિ' ક્રિયા બન્ને ભિન્ન છે; “વ તત: રુતિ સ્થિત' અને તેથી એમ ઠર્યું કે “જ્ઞાતા વર્તાન' જે જ્ઞાતા છે તે કર્તા નથી. શું કહે છે? કે “કરોતિ” એટલે રાગની કરવારૂપ ક્રિયા અને જ્ઞતિ એટલે જાણનારને જાણવારૂપ ક્રિયા-એ બને ભિન્ન છે. અજ્ઞાનીને રાગની ક્રિયા છે, તેને જ્ઞાનની ક્રિયા નથી અને જ્ઞાનીને જ્ઞાનની ક્રિયા છે, તેને રાગની ક્રિયા નથી. અહાહા..! બન્ને ભિન્ન છે તેથી એમ સિદ્ધ થયું કે જે જ્ઞાતા છે તે કર્તા નથી. સમકિતી ધર્મી જીવ પોતાના શાશ્વત ધ્રુવ જ્ઞાતાસ્વભાવનો જાણનાર છે. શુદ્ધ ચૈતન્યની દષ્ટિમાં તે વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગની ક્રિયાનો માલિક નથી. તેથી તે બન્ને ક્રિયા ભિન્ન છે અર્થાત્ બંને એકસાથે હોતી નથી. ચોથા ગુણસ્થાને જ્ઞાનીને અશુદ્ધ ક્રિયા હોવા છતાં તેનો તે સ્વામી નથી માટે તે જ્ઞાતા જ છે. કળશ ૧૧૦ માં આવે છે કેજ્ઞાનધારા જ્ઞાનપણે પ્રવહે છે અને રાગધારા રાગપણે પ્રવહે છે. બંને સાથે છે પણ બન્ને એકમેક નથી. એમ ત્યાં સિદ્ધ કર્યું છે. જ્ઞાનધારા છે તે ધર્મ છે, સંવર નિર્જરાનું કારણ છે અને રાગધારા તે કર્મધારા છે અને તે બંધનું કારણ છે. અહીં તો જ્ઞાનીને એકલી જ્ઞાનધારા છે એમ કહ્યું છે. રાગ હોવા છતાં તે એનો કર્તા ? જે સમયે રાગાદિ ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. કાળ એક જ છે પણ બન્નેના ભાવ ભિન્ન છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું છે એમ નથી. રાગના કાળે જ સ્વપરને જાણવાની જ્ઞાનક્રિયા સ્વતઃ પોતાથી જ ઉત્પન્ન થાય છે. આ વાત ગાથા ૭૫ માં આવી ગઈ છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એમ કહ્યું છે; રાગને જ્ઞાન નિમિત્ત છે એમ ત્યાં કહ્યું નથી. સમયસાર ગાથા ૧૦૦માં કહ્યું છે કે પરદ્રવ્યની ક્રિયા એના કાળે એનાથી થાય છે. તેમાં નિમિત્ત કોણ છે? કે જે જીવ જોગ અને રાગનો કર્તા થાય છે એવા અજ્ઞાનીના જોગ અને રાગ તે કાળે તેમાં નિમિત્ત છે અને તેને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની તો જોગ અને રાગનો કર્તા નથી. તેથી તેના સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયમાં રાગ અને જોગ નિમિત્ત છે, ઉપાદાન તો ત્યાં પોતાનું છે. રાગનું જે જ્ઞાન થાય છે તે રાગથી થાય છે એમ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય સ્વયં પોતાના સામર્થ્યથી તે કાળે ઉત્પન્ન થાય છે. જાણવા-દેખવાનો જે સ્વભાવ છે તે જાણવા-દેખવારૂપે પરિણમે છે તેમાં જ્ઞાનીને રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે. માટે જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ જ્ઞાતાને જ્ઞાનરૂપ પરિણમન થાય તે કાળે તેને રાગાદિ હોય છે. ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી સિવાયનો બીજો રાગ હોય છે, પાંચમે બે કપાયનો રાગ હોય છે. પરંતુ જ્ઞાનીને જ્ઞાનના પરિણમનમાં તે રાગ નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત એટલે નિમિત્તકર્તા નહિ. જ્ઞાની રાગમાં તન્મય નથી અને રાગ જ્ઞાનમાં તન્મય નથી. જ્ઞાની રાગનો કર્તા નથી અને રાગ જ્ઞાનની સ્વપરપ્રકાશક પયોધનો કતો નથી. આવું જ સહુજ વસ્તુસ્વરૂપ છે. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે. નિમિત્ત છે એનો અર્થ શું? શું લોકાલોક છે માટે લોકાલોકનું જ્ઞાન થાય છે? ના, એમ છે નહિ. લોકાલોકનું જ્ઞાન પોતાની પર્યાયના કાળે પોતાની ઉપાદાન યોગ્યતાથી સ્વતઃ થાય છે અને તેમાં લોકાલોક નિમિત્ત હોય છે. વળી લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે, તો શું કેવળજ્ઞાન છે માટે લોકાલોક છે? એમ બિલકુલ નથી. લોકાલોક તો અનાદિસ્થિત છે અને કેવળજ્ઞાન તો નવું ઉત્પન્ન થાય છે. ભાઈ, નિમિત્તનો અર્થ એ છે કે લોકાલોક અને કેવળજ્ઞાન બંને પરસ્પરમાં કાંઈ કરતાં નથી; માત્ર છે, બસ એટલું જ. બીજી ચીજ નિમિત્ત હો; પણ બીજી ચીજ કર્તા છે એવી માન્યતામાં મોટો ફેર છે, બે વચ્ચે પૂર્વ-પશ્ચિમનો ફેર છે. અહીં કહે છે-જે જ્ઞાતા છે તે કર્તા નથી. અહાહા...! એક કળશમાં તો આચાર્યદવે કેટલું ગંભીર અને ગઢ રહસ્ય ભર્યું છે! ધર્મી રાગનો જ્ઞાતા છે એમ કહેવું એ પણ વ્યવહા રાગમાં જ્ઞાની તન્મય નથી. જ્ઞાની તો રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં તન્મય છે અને તે જ્ઞાનનો તે જાણનાર છે. લોકાલોકને કેવળી જાણે છે એ પણ અસદભૂત વ્યવહારનય છે; કારણ કે લોકાલોક પદ્રવ્ય છે, ભગવાન કેવળી લોકાલોકમાં તન્મય થઈને જાણતા નથી. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે જ નહિ. ભગવાનને કેવળજ્ઞાનની પર્યાય વર્તમાન પોતાના સામર્થ્યથી જ પ્રગટ થઈ છે, લોકાલોકને કારણે નહિ. આવું જ સ્વરૂપ છે. તેથી જે જ્ઞાતા છે તે કર્તા નથી. * કળશ ૯૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * હું પરદ્રવ્યને કરું છું' એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ “કરોતિ' ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે “હું પદ્રવ્યને જાણું છું' એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. નિશ્ચયથી રાગ પરદ્રવ્ય છે. તેનો હું કર્તા છું એમ જ્યારે પરિણમે છે ત્યારે કર્તાભાવરૂપ પરિણમનની ક્રિયા કરતો હોવાથી તે જીવ કર્તા જ છે. “કરોતિ' ક્રિયા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #396 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] કરતો હોવાથી તે કર્તા જ છે. રાગનો કરનારો અને રાગનો રચનારો જ તે છે. પરંતુ જ્યારે પરદ્રવ્યને હું જાણું જ છું એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમે છે. એટલે કે તે જીવ જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. સ્વપ૨પ્રકાશક જ્ઞાનની પર્યાયના પરિણમનમાં સ્વને જાણતાં પરને પણ, પ૨ની હયાતીને પણ પોતાના જ્ઞાનની પર્યાયના સામર્થ્યથી જાણે જ છે. આ જ્ઞાતાભાવરૂપ પરિણમનની શપ્તિક્રિયા કરતો હોવાથી તે જ્ઞાતા જ છે. [ ૩૮૩ ‘અહીં કોઈ પૂછે છે કે અવિરત સમ્યગ્દષ્ટિ આદિને જ્યાંસુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ?’ જુઓ, આ શીષ્યનો પ્રશ્ન છે. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળાને ચારિત્રમોહના ઉદયથી રાગ તો છે, અને તમે તેને જ્ઞાતા જ કહો છો. તો તે કેવી રીતે છે? જો રાગ છે તો તે રાગનો કર્તા કહેવાય નહિ? જ્ઞાનીને હજી રાગ-દ્વેષના પરિણામ થાય છે. ધમસાણ યુદ્ધ ચાલતું હોય ત્યાં જ્ઞાની ઊભો હોય છે, તો તે સંબંધીના રાગનો તે કર્તા છે કે નહિ? ભરત અને બાહુબલીજી વચ્ચે યુદ્ધ થયું. બન્ને ક્ષાયિક સમકિતી અને તદ્દભવમોક્ષગામી હતા. બન્ને સામસામા જળયુદ્ધ, મલ્લયુદ્ધ, દષ્ટિયુદ્ધમાં ઉતર્યાં. તો તે જાતના રાગદ્વેષના પરિણામના તે કર્તા ખરા કે નહિ? કોઈને વિષયવાસનાના પરિણામ થાય છે. ભરત ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ સાથે ભોગના પરિણામ હતા. ચારિત્ર ન હોય ત્યારે ભોગના પરિણામ હોય છે, તો તેનો તે કર્તા કહેવાય કે નહિ? આમ શિષ્યનો પ્રશ્ન છે. તેનું સમાધાનઃ- ‘અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી.’ સમ્યગ્દષ્ટિ વગે૨ે એટલે ચોથા, પાંચમા, છઠ્ઠાગુણસ્થાનવાળાની વાત છે. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી. રાગને કરું એવો અભિપ્રાય નથી. રાગનું પરિણમન છે પણ તે કરવા લાયક છે, કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં કહ્યું છે કે જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેનો તે પોતે કર્તા છે એમ ર્ધ્વનયથી જાણે છે. અહીં એ વાત નથી. અહીં તો દષ્ટિપ્રધાન વાત છે. દૃષ્ટિની પ્રધાનતામાં નિશ્ચયથી જ્ઞાનીને રાગનું કર્તાપણું નથી. જે અપેક્ષાથી વાત હોય તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ. સમયસારના ત્રીજા કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે-મોહ નામના કર્મના ઉદયરૂપ વિપાકને લીધે જે રાગાદિ પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી મારી પરિણતિ કલ્પાષિત (મેલી ) છે. તે આ સમયસારની વ્યાખ્યાથી જ મારી અનુભૂતિની ૫૨મ વિશુદ્ધિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #397 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ થાઓ. દ્રવ્યે તો હું શુદ્ધ છું, પણ પર્યાયમાં ક્લુષિતપણું છે એટલું દુઃખ છે. તેનો આ ટીકા કરવાના કાળમાં નાશ થાઓ. સ્વભાવની દષ્ટિનું અમને જોર છે, તે જોરના કારણે ટીકા કરવાના કાળમાં અશુદ્ધતાનો નાશ થશે એમ અર્થ છે. જ્ઞાનીને રાગની રુચિ નથી, સ્વભાવની જ રુચિ છે. જ્ઞાની ચારિત્રમોહના ઉદયે કષાયરૂપે પરિણમે છે, માટે તેનો કર્તા કહેવાય કે નહિ તેનું સમાધાન કરે છે– ૧. સમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં ૫૨દ્રવ્યના સ્વામીપણારૂપ અભિપ્રાય નથી; ૨. કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; ૩. તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. પ્રશ્ન:- કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે. તો શું જ્ઞાનીને રાગનું પરિણમન કર્મના ઉદયને લઈને છે? ઉત્ત૨:- ના, એમ નથી. જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગ કરવાનો તેને અભિપ્રાય નથી. છતાં રાગ થાય છે. રાગ થાય છે તે તે કાળનો પર્યાયધર્મ છે અને તે તેની પુરુષાર્થની કમજોરી સૂચવે છે, પણ પ૨ને લઈને વા પરની (કર્મની ) જોરાવરીને લઈને રાગ થાય છે એમ છે જ નહિ. દૃષ્ટિની પ્રધાનતામાં રાગને પુદ્દગલના પરિણામ કહે છે અને તેને અહીં ઉદયની બળજોરીથી થાય છે એમ કહ્યું છે. રાગ તો સ્વતંત્રપણે પોતાથી થાય છે. તેમાં નિમિત્તની બળજોરી કેવી? પણ જ્ઞાનીને રાગની રુચિ નથી, તેને રાગના સ્વામીપણારૂપ અભિપ્રાય નથી. છતાં થાય છે તો નિમિત્તની બળજોરીથી થાય છે એમ આરોપ કરીને કથન કર્યું છે. ખરેખર ત્યાં ઉદયની બળજોરી છે એમ અર્થ નથી. દષ્ટિપ્રધાન કથનમાં રાગનું પરિણમન ઉદયની બળજોરીનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું છે. જેમ કોઈને રોગ થાય અને તેની દવા કરે, પણ તેને તેની રુચિ હોતી નથી. તેમ જ્ઞાનીને રાગનું પોષણ નથી, રુચિ નથી. નબળાઈને લઈને થાય છે તેનો તે જ્ઞાતા છે. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું જ્ઞાનીને નથી. જ્ઞાનીને અસ્થિરતાનું પરિણમન છે. પરિણમનની અપેક્ષાએ એટલું તેને કર્તાપણું છે. પ્રવચનસારમાં ૪૭ નય અધિકારમાં આ વાત આવે છે. અસ્થિરતાના પરિણામનો જ્ઞાની કર્તા પણ છે અને ભોક્તા પણ છે. પરંતુ દષ્ટિની અપેક્ષાએ તેને શુદ્ધતારૂપ જ પરિણમન છે એમ કહેવાય છે, કેમકે અશુદ્ધતાના પરિણામની એને રુચિ નથી. જ્ઞાન જાણે છે કે પોતાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૮૫ નબળાઈથી રાગ પરિણામ થાય છે અને રાગને ભોગવે પણ છે; પણ તે કર્તવ્ય છે અને ભોગવવા લાયક છે એમ માનતા નથી. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું જ્ઞાનીને નથી. હવે કહે છે-“નિમિત્તની બળજરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. નિમિત્તની બળજોરીથી એટલે કે પુરુષાર્થની નબળાઈથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે. કર્મનાં તીવ્ર સ્થિતિ કે રસ પડતાં નથી; અલ્પ સ્થિતિ અને રસ હોય છે. તે અલ્પ રાગ અનંત સંસારનું કારણ નથી. એકાદ બે ભવ હોય તે જ્ઞાનીને જ્ઞાતાનું શેય છે. ભવ અને ભવનો ભાવ જ્ઞાનીને જ્ઞાતાનું જ્ઞય છે. કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ કે દુઃખ છે જ નહિ તો ભાઈ ! એમ નથી. દ્રવ્ય-દષ્ટિ પ્રકાશમાં શ્રી ન્યાલચંદભાઈએ કહ્યું છે કે જ્ઞાનીને શુભરાગ ધધકતી ભટ્ટી જેવો લાગે છે. વાત બરાબર છે. ચોથ, પાંચમે, છટ્ટ ગુણસ્થાને જ્ઞાનીને જેટલો રાગ છે તે દુઃખરૂપ ભાવ છે, દુઃખના વેદનરૂપ છે. અંદર અકષાય આનંદનું વેદન છે, સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન પણ છે-એમ જ્ઞાન યથાર્થ જાણે છે. દુઃખનું બિલકુલ વેદન ન હોય તો સર્વજ્ઞ વીતરાગ હોય. કેવળી ભગવાનને એકલું પરિપૂર્ણ આનંદનું વેદન છે, મિથ્યાદષ્ટિને એકલું દુઃખનું વેદન છે અને સમકિતી સાધકને આનંદ અને સાથે કંઈક દુઃખનું પણ વેદન છે. તથાપિ દષ્ટિ અને દષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહેવાય છે. માટે જ્યાં જેમ છે ત્યાં તેમ યથાર્થ સમજવું. ફરીને એ જ વાતને દઢ કરે છે: * કળશ : ૯૮ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * í »ર્મળ નાસ્તિ, કર્મ તત્ કપિ નિયતં કર્તરિ નાસ્તિ' કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી. શું કહે છે? જે વિકલ્પ થાય છે તે હું કરું છું એવા મિથ્યાત્વભાવે પરિણમેલો જીવ કર્તા છે. તે કર્તા જડ કર્મની (જ્ઞાનાવરણાદિની) પર્યાયમાં નથી. કર્તાની જડકર્મમાં નાસ્તિ છે અર્થાત્ મિથ્યાત્વભાવે પરિણમેલો જીવ જડ કર્મનો કર્તા નથી. વળી જડ કર્મ છે તે પણ કર્તામાં નથી. મતલબ કે જડ કર્મ છે તે મિથ્યાત્વભાવે પરિણમેલા જીવનું કર્મ નથી. જડ કર્મની કર્તામાં નાસ્તિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ વિ કુન્દુ વિપ્રતિgિધ્યતે' જો એમ બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે તેવા વર્તુવર્મસ્થિતિ: વેશ' તો કર્તાકર્મની સ્થિતિ શી ? ( અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોઈ શકે.) આત્મા પોતાના અશુદ્ધ પરિણામને કરે પણ જડ કર્મને ન કરે; અને જડ કર્મ જડની પર્યાયને કરે પણ જીવના મિથ્યાત્વના પરિણામને ન કરે. આમ સ્થિતિ છે પછી એ બંને વચ્ચે કર્તાકર્મપણું ક્યાં રહ્યું? આત્મા કર્તા અને જડ કર્મ એનું કાર્ય એમ છે નહિ. તથા જડ કર્મની પર્યાય કર્તા અને જીવના મિથ્યાત્વના પરિણામ એનું કાર્ય એમ પણ નથી. બન્નેનો એકબીજામાં અભાવ છે. ભાઈ ! શરીર, મન, વાણીની ક્રિયાનો કર્તા આત્મા અજ્ઞાનભાવે પણ નથી, કેમકે પરસ્પર દ્વન્દ્ર છે, ભિન્નતા છે. જ્યાં ભિન્નતા છે ત્યાં કર્તાકર્મની મર્યાદા કેવી ? આત્મા અજ્ઞાનભાવે મિથ્યાત્વના પરિણામને કરે અને જડ કર્મની પર્યાયને પણ કરે એમ છે નહિ. તેવી રીતે જડ કર્મ જડ કર્મની પર્યાયને કરે અને જીવના મિથ્યાત્વના પરિણામને પણ કરે એમ છે નહિ; કારણ કે જીવપુદ્ગલને પરસ્પર દ્વન્દ્ર છે, ભિન્નતા છે. તેથી જીવ અને પુદ્ગલને પરસ્પર કર્તાકર્મપણું ન હોઈ શકે. બે ચીજ જ્યાં ભિન્ન છે ત્યાં કર્તાકર્મપણું કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે. પરનાં કાર્ય પોતાનાથી (જીવથી) થાય એમ લોકો માને છે પણ એ ભ્રમ છે. તન, મન, ધન ઇત્યાદિ બધું પુદ્ગલ છે. આત્મા એનાથી અત્યંત ભિન્ન છે. માટે જડ પુદ્ગલની અવસ્થાનો આત્મા કર્તા નથી. લક્ષ્મીને લાવે, લક્ષ્મી આપે-એ કાર્ય આત્માનું નથી. અજ્ઞાનભાવે રાગદ્વેષ અને મિથ્યાત્વના જે ભાવ થાય તે આત્માનું કાર્ય છે, પણ જડ પુદગલનું કાર્ય આત્મા કદીય શકતો નથી. બાપુ! તારું તો એકલું ચૈતન્યઘનસ્વરૂપ છે. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દષ્ટિ છોડી દે તો વસ્તુ અંદર એકલી ચિદાનંદઘન સ્વરૂપ છે. રાગનો ઉપદ્રવ એમાં નથી. વ્યવહારનો જે વિકલ્પ-રાગ છે તે ઉપદ્રવ છે, દુઃખ છે, આકુળતા છે, પરદ્રવ્ય છે. એનાથી રહિત ચિસ્વરૂપ ભગવાન આત્મા છે. જેમ રૂનું ધોકડું હોય છે તેમ ભગવાન આત્મા એકલું જ્ઞાન અને આનંદનું ધોકડું છે. આવા નિજ સ્વરૂપમાં અંતર્દષ્ટ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે દિગંબર ધર્મ છે. દિગંબર ધર્મ એ કોઈ પંથ છે? ના, એ તો વસ્તુધર્મ-આત્મધર્મ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણ્યા વિના લોકોને એમ લાગે છે કે આ બધાં પરનાં કાર્ય અમે કરીએ છીએ. પણ ભાઈ ! એ તો તારી ભ્રમણા જ છે કેમકે પરનું કાર્ય આત્મા કરી તો જ નથી. પર સાથે આત્માને કર્તાકર્મભાવ છે જ નહિ. આ તો હુજુ સમ્યગ્દર્શન કેમ થાય એની વાત છે. મુનિદશા એ તો એનાથી આગળની કોઈ અલૌકિક દશા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #400 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૮૭ અહાહા...અંતરમાં જેને ત્રણકષાયના અભાવપૂર્વક વીતરાગી શાંતિ પ્રગટ હોય અને બહારમાં દેહની જેને નગ્ન દિગંબર અવસ્થા હોય, વસ્ત્રનો એક ધાગો પણ રાખવાની જેને વૃત્તિ ઉઠતી નથી, પોતા માટે બનાવેલ આહાર જે પ્રાણ જાય તો પણ લેતા નથી અને જેઓ જંગલવાસી થયા છે-આવી જેની દશા થઈ છે તે ભાવલિંગી સંતને સાચી મુનિદશા છે. અહો ! મુનિદશા કોઈ અલોકિક આનંદની દશા છે ! અહીં તો પ્રથમ ભૂમિકાની સમ્યગ્દર્શનની વાત છે. કહે છે પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપને ભૂલીને, અજ્ઞાનવશ આત્મા રાગનો કર્તા થાય અને રાગ એનું કાર્ય થાય પણ જડકર્મની અવસ્થાને આત્મા કરે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. તેવી રીતે જડકર્મ જડકર્મની અવસ્થાને કરે પણ જીવના રાગાદિના પરિણામને કરે એ ત્રણકાળમાં સત્યાર્થ નથી. કહ્યું ને કે કર્તા કર્મમાં નથી અને કર્મ કર્તામાં નથી. એટલે કે જીવ મિથ્યાત્વનો કર્તા છે પણ જડ કર્મનો કર્તા નથી અને જડકર્મ છે તે જીવના મિથ્યાત્વભાવનો કર્તા નથી. પરસ્પર અભાવ છે ને? તેથી પરસ્પર કર્તાકર્મભાવ નથી. હવે કહે છે-“જ્ઞાતા જ્ઞાતરિ, કર્મ સવા ર્મf ' આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે ‘રૂતિ વસ્તુસ્થિતિ: વ્યવત્તા' એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે. શું કહ્યું? જ્યારે પરના કર્તાપણાની બુદ્ધિ છૂટી જાય છે ત્યારે હું જ્ઞાયક છું –એમ જ્ઞાતાપણાની દષ્ટિ ખીલી જાય છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે પરદ્રવ્યની પર્યાય ઉપરથી લક્ષ છૂટી જતાં સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે. અર્થાત્ પરદ્રવ્યનો હું કર્તા નથી એમ જ્યાં અંદર નિર્ણય કર્યો ત્યાં એકદમ સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે અને સ્વદ્રવ્યનું લક્ષ થતાં રાગનું પણ કર્તાપણું છૂટી જાય છે. આમ જ્ઞાતા જ્ઞાતામાં જ છે અને કર્મ કર્મમાં જ છે એવું સહજ ભાન થાય છે. ભાઈ ! આ સમજવાનો અત્યારે અવસર છે. જુઓને! આ શરીર તો ધૂળ, માટી છે. આયુ પૂરું થતાં એક ક્ષણમાં છૂટી જશે. સ્થિતિ પૂરી થયે ક્રોડ ઉપાય કરીને પણ કોઈ રાખવા સમર્થ નથી. માટે દેહની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી આવું તત્ત્વ સમજી લે, ભાઈ ! દુનિયા માને કે ન માને. એનાથી તને શું સંબંધ છે? અહાહા..! આ તો ચીજ જ જુદી છે; બસ જ્ઞાતા છે. શુભાશુભ વિકલ્પ સહિત આખા જગતથી ભગવાન જગદીશ ભિન્ન જ્ઞાતા છે એમ જિનેશ્વર પ્રભુ કહે છે. શુભરાગ હો ભલે, પણ તે જડ અચેતન છે. તે શુદ્ધ ચૈતન્યમય આત્માની ચીજ નથી. ગમે તેવો મંદ હોય તોપણ રાગ ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન કરાવે એવી એનામાં તાકાત નથી. તેમ વ્યવહાર છે તે નિશ્ચયને પમાડે એવી વ્યવહારમાં તાકાત નથી. જેનો વસ્તુમાં અભાવ છે તે વસ્તુને કેમ પમાડ ? અરે ! ભગવાનના વિરવું પડયા! અવધિજ્ઞાની અને મન:પર્યયજ્ઞાની પણ રહ્યા નહિ! ભાવશ્રુતજ્ઞાનના આધારે પોતાને સમજવાનું અને બીજાને સમજાવવાનું રહ્યું! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #401 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ બીજાને સમજાવવાના પરિણામ કે દયા, દાનના પરિણામ એ કાંઈ ધર્મ નથી. કોડ રૂપિયા દાનમાં આપે ત્યાં રાગના મંદ પરિણામ હોય તો પુણ્ય થાય, ધર્મ ન થાય. જન્મ-મરણ રહિત થવાનો રાગ કાંઈ ઉપાય નથી. અહીં કહે છે-આત્મા જ્ઞાતા છે તે જ્ઞાતામાં જ છે. રાગમાંય તે નથી અને જડ કર્મમાંય તે નથી. ભાઈ ! આવી અંતર્દષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે. એ સિવાય બીજું ધૂળધાણી છે. ભાઈ ! તું કોણ છો! જડની પર્યાય અને પરની પર્યાય થાય તેનો તું કર્તા નથી. ભગવાન! તું તો જ્ઞાતા છો. સ્ત્રી, પુરુષ કે નપુંસકના લિંગ તારામાં નથી. મનુષ્ય, તિર્યંચ, દેવ આદિ ગતિ તારા સ્વરૂપમાં નથી. તે ગતિના કારણરૂપ જે શુભાશુભભાવ છે તે પણ તારા સ્વરૂપમાં નથી. આવો ભગવાન જ્ઞાતા તું જ્ઞાતામાં જ છે. તું કદીય રાગમાં કે પરમાં આવ્યો નથી. હું રાગી છું. રાગ મારું કર્તવ્ય છે એમ માન્યું ભલે હોય, પણ રાગમાં તું કદીય આવ્યો નથી. પ્રવચનસાર ગાથા ૨૦૦ માં કહ્યું છે કે જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે. સદા શુદ્ધ ચિતૂપ, એકરૂપ, શાશ્વત વસ્તુ હું છું એમ જ્યાં અંતરમાં અનુભવ થયો ત્યાં ભાન થયું કે જ્ઞાતા તો ત્રિકાળ જ્ઞાતાપણે જ રહ્યો છે. તે કદીય રાગમાં કે વ્યવહારમાં આવ્યો નથી. વ્યવહાર તો મનનો ધર્મ છે, ચિંતા છે, વિકલ્પ છે. જ્યારે ભગવાન આત્મા તન, મન, વચન અને વિકલ્પથી રહિત વસ્તુ છે. માટે હું ભાઈ ! બહારથી દષ્ટિ ખસેડીને શુદ્ધ દ્રવ્યમાં દષ્ટિ લગાવ. વ્યવહારના વિકલ્પથી ખસીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં અંતર્દષ્ટિ કર. પ્રભુ! આ તારા હિતની વાત છે. વ્યવહારના વિકલ્પથી આત્મા જણાય એમ નથી કેમકે રાગ છે તે અચેતન છે, અંધકાર છે. જેમ સૂર્ય પ્રકાશ અને અંધકાર એ બેમાં ફેર છે તેમ ચૈતન્યસ્વભાવ અને રાગમાં ફેર છે. આત્મા ચૈતન્યમય ઝળહળ જ્યોતિ જ્ઞાતા પ્રભુ-સદા જ્ઞાતા જ છે. અહાહા....! એક શબ્દમાં તો કેટલું ભર્યું છે! જાણનાર જાણનારમાં જ છે. જાણનાર પરને જાણે એમ પણ નહિ. જાણનાર પોતાને જાણે એવો એ પોતે છે. જાણનાર સદા જાણનાર જ છે. માટે વિકલ્પથી ખસી જા અને જ્યાં પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક છે ત્યાં દષ્ટિ દે. જ્ઞાતા સદા જ્ઞાતામાં જ રહ્યો છે અને કર્મ સદા કર્મમાં જ છે; રાગ સદા રાગમાં જ છે. પ્રથમ જડ કર્મમાં આત્મા નથી અને આત્માના અશુદ્ધ પરિણામમાં જડ કર્મ નથી એટલું સિદ્ધ કરીને પછી વાત ફેરવીને કહ્યું કે ભગવાન આત્મા ચિતૂપ, જ્ઞાનરૂપ, આનંદસ્વરૂપ, ઇશ્વર અપરિમિત સ્વભાવરૂપ છે. તેના સ્વભાવની શક્તિ બેહુદ-અપરિમિત્ત છે. એવો જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે. તેની અંતર્દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે, એ ધર્મની પ્રથમ દશા છે. બાપુ! ચારિત્ર તો કોઈ અલૌકિક દશા છે! અહાહા....! ધન્ય અવતાર! ધન્ય એ મુનિદશા !! જ્યાં અતીન્દ્રિય આનંદની છોળો ઉછળે છે એ મુનિદશા ધન્ય છે. જાણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ ૩૮૯ ચાલતા સિદ્ધ ! જ્યાં પંચમાવતનો વિકલ્પ કે દયા પાળવાનો વિકલ્પ અંતરની શાંતિને ખલેલ કરનારા ભાસે છે તે મુનિદશા કોઈ અપૂર્વ ચીજ છે. અહાહા...! જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, કર્મ સદા કર્મમાં જ છે અને રાગ રાગમાં જ છે આવી વસ્તુસ્થિતિ જેમાં પ્રગટ ભાસે છે તે મુનિદશાની શી વાત! સમ્યગ્દર્શન પામવામાં પરની અપેક્ષા નથી, વ્યવહારની પણ અપેક્ષા નથી. આવી વસ્તુની મર્યાદા પ્રગટ છે. “તથાપિ વત' તોપણ અરે! “ નેપચ્ચે ષ: મો: વિક્રમ મસા નાનીતિ' નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.) અહા ! અજ્ઞાનીને જ્યાં ત્યાં મોટું નાચી રહ્યો છે. મેં દાન કર્યા, મેં દયા પાળી, મેં વ્રત કર્યા, મેં પુણ્ય કર્યા-એલો અજ્ઞાનીને પરના અને રાગના કર્તાપણાનો મોહ નાચી રહ્યો છે. શરીર, મન, વાણીની ક્રિયાનો હું કર્તા તથા વીતરાગ સ્વભાવથી વિરુદ્ધ એવા વિકારના પરિણામને કરે ત્યારે તે જાતના કર્મનો જે બંધ થાય તે કર્મનો હું કર્તા-એવો મોહ ભગવાન! તને કેમ નાચે છે? આચાર્યદવ ખેદ અને આશ્ચર્ય પ્રગટ કરે છે કે-પ્રભુ! આ તને શું થયું? તું ભગવાન સ્વરૂપ છો ને! તું પામરતામાં કેમ નાચી રહ્યો છે? તારી અખંડ પ્રભુતાને છોડી તું દયા, દાનના વિકલ્પની પામરતામાં કેમ ભરાઈ ગયો છે ? ભાઈ ! જગતમાં ચાલતા પ્રવાહથી આ તદ્દન જુદી વાત છે. બાપુ! આ તો અનાદિનો માર્ગ છે. અનંત તીર્થકરો, અનંત કેવળીઓ અને અનંત સંતોએ કહેલો આ માર્ગ છે. ભાઈ ! તું ચૈતન્ય-ચૈતન્ય પરમાત્મરૂપ પરમસ્વરૂપ છે. જ્ઞાનપરમસ્વરૂપ, આનંદપરમસ્વરૂપ, સુખપરમસ્વરૂપ, વીર્યપરમસ્વરૂપ, વીતરાગતા પરમસ્વરૂપ –એમ અનંત અનંત પરમસ્વરૂપનો મહાસાગર તું છો. તેમાં આ રાગ અને મોહ કેમ નાચે છે? તારા પરમસ્વરૂપમાં નથી, છતાં અરેરે ! પર્યાયમાં આ મોહ કેમ નાચે છે? એમ આચાર્યદવને ખેદ અને આશ્ચર્ય થાય છે. * કળશ ૯૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * કર્મ તો પુદગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બંનેને અત્યંત ભેદ છે, જીવ પુદગલમાં નથી અને પુદગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે ? ' આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા એનું કાર્ય એમ કેમ હોઈ શકે? વળી જડ કર્મ કર્તા અને જીવના વિકારના પરિણામ એનું કાર્ય એમ કેમ હોઈ શકે ? ( ન હોઈ શકે.) ઘણાનો મોટો ભ્રમ છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે નહિ. નિમિત્તથી વિકાર થાય એમ કથન શાસ્ત્રમાં આવે તેનો અર્થ નિમિત્તથી વિકાર થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #403 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૦ ] ચિન રત્નાકર ભાગ-૫ એમ નથી પણ નિમિત્તના આશ્રયથી વિકાર થાય એમ એનો અર્થ છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે જીવ પુદ્ગલમાં નથી, પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તા-કર્મભાવ કેમ હોઈ શકે? હવે કહે છે. માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્ય ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ““હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે'' એવો અજ્ઞાનીઓનો આ મોહ (અજ્ઞાન) કેમ નાચે છે?' જુઓ, જડકર્મની પર્યાયનો અને પરદ્રવ્યનો આત્મા કર્તા નથી એમ આચાર્યદેવ અહીં સિદ્ધ કરે છે. ત્યારે કોઈ વળી એમ કહે છે કે પરદ્રવ્યનો આત્માને કર્તા ન માને તે દિગંબર નથી. અરે ભાઈ ! આ તું શું કહે છે? ભગવાન! તને શું થયું છે? જરા વિચાર કર. આત્મા અને પુદ્ગલને કર્તાકર્મભાવ ત્રણકાળમાં નથી. સંપ્રદાયમાં સ્ત્રીને મુક્તિ માને, વસ્ત્રસહિત સાધુપણું માને, કેવળી ભગવાનને આહાર માને એ બધી જૂઠી માન્યતાઓ છે, કલ્પિત છે. વળી ભગવાન કેવળીને એક સમયે કેવળદર્શન અને કેવળજ્ઞાન બંને હોય છે. એવી જ એ અવસ્થાની અદ્ભુતતા છે; છતાં એક સમયમાં જ્ઞાન અને બીજા સમયમાં દર્શન કેવળીને હોય એવું જે માને તે યથાર્થ નથી, વસ્તુસ્વરૂપ નથી. કેવળીના કડાયતો દિગંબર સંતો એમ કહે છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન ભગવાન કેવળીને એક સમયમાં હોય છે. અરે! ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે અને તે કેમ પ્રગટ થાય એની લોકોને ખબર નથી, દરકાર પણ નથી. માંદગીનો ખાટલો બાર મહિના રહે તો એને મુંઝવણ થાય; પરંતુ અનંતકાળથી જન્મમરણ કરતો આવે છે એની એને મૂંઝવણ થતી નથી! અરે ભાઈ ! આત્માના સુખના તને વિરહા પડયા છે. તું સુખના વિરહે દુ:ખના વેદનમાં પડયો છું તેની તને કેમ દરકાર નથી, કેમ મૂંઝવણ નથી? તારું સ્વરૂપ તો સદા જ્ઞાતારૂપ છે. ભાઈ ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે. તું પરના કર્તાપણાના મોહની જાળમાં ફસાયો છે ત્યાંથી નીકળી જા. અજ્ઞાની હું પરદ્રવ્યનાં કાર્ય કરું છું એવી ભ્રમણાની ભૂલભૂલામણીમાં ભરાઈ ગયો છે. તેને જ્ઞાનીઓ અહીં માર્ગ બતાવે છે કે-જીવ જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી, અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યદવે ખેદપૂર્વક કહ્યું છે કેપ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ “હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે” એવો અજ્ઞાનીનો આ મોહ કેમ નાચે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #404 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૯૧ અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો તથાપિ વસ્તુસ્વરૂપ તો કેવું છે તેવું જ છેએમ હુવે કહે છે: * કળશ ૯૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “' અચળ, “વ્ય$' વ્યક્ત અને “વિ–શીનાં નિરમરત: અત્યન્ત અશ્મીરમ' ચિ7ક્તિઓના (-જ્ઞાનના અવિભાગ પરિચ્છેદાના) સમૂહના ભારથી અત્યંત ગંભીર “તત જ્ઞાનળ્યોતિ:' આ જ્ઞાનજ્યોતિ “મન્ત:' અંતરંગમાં ‘સર્વે:' ઉગ્રપણે ‘તથા ધ્વનિતમ્' એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે અહાહા..! શું કહે છે? કે આત્મા ચિન્શક્તિઓના સમૂહનો ભર છે, મોટો જ્ઞાનનો ઢગલો છે. જેમ ગાડામાં ઠાંસીને ઘાસ ભરે એને ભર ભર્યો કહેવાય છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનશક્તિઓનો ભર કહેતાં ભંડાર છે. વળી તે અચળ નામ ચળે નહિ તેવો નિત્ય ધાતુમય છે, વ્યક્ત અર્થાત્ પ્રગટ છે. ચૈતન્યધાતુમય ભગવાન આત્મા પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે પણ વસ્તુ અપેક્ષાએ તો એ સદા વ્યક્ત છે, પ્રગટ છે. પર્યાય છે તે દ્રવ્યની ઉપર ને ઉપર તરે છે, દ્રવ્યમાં પ્રવેશતી નથી. શું કહ્યું? આ શરીર, મન, વાણી અને દયા, દાન આદિ વિકલ્પો વસ્તુમાં પ્રવેશતા નથી એ તો છે, પણ દયા, દાન આદિ વિકલ્પને જાણનારી જ્ઞાનની જે પર્યાય છે તે પણ દ્રવ્યમાં પ્રવેશતી નથી. ચીજ બહુ સૂક્ષ્મ, ભાઈ ! આત્મા આવો ચિલ્શક્તિઓના એટલે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહુના ભારથી અત્યંત ગંભીર જ્ઞાનજ્યોતિસ્વરૂપ છે. અહાહા..! આત્માના જ્ઞાન અને આનંદના ગંભીર સ્વભાવનું શું કહેવું? એની શક્તિના સત્ત્વની મર્યાદા શું હોય ? અહાહા...! અનંત અનંત અનંત એવું જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત પ્રભુતા-અહાહા..! આવી અનંત ચિલ્લેક્તિના સમૂહથી ભરેલો અત્યંત ગંભીર ભગવાન આત્મા છે. ચિત્નક્તિ કહો કે ગુણ કહો; જ્ઞાનગુણ એવા અનંત ગુણોનો સમૂહ પ્રભુ આત્મા છે. અત્યંત ગંભીર છે અર્થાત્ એની શક્તિની ઉંડપનો પાર નથી, અપરિમિત શક્તિના સમૂહથી ભરેલો છે. સંખ્યાએ શક્તિઓ અનંત છે અને એકેક શક્તિનો સ્વભાવ પણ અનંત છે. આવા અનંત સ્વભાવથી ભરેલા અનંત મહિમાવંત પોતાના આત્માને જાણે નહિ અને પરની દયા કરે તે આત્મા અને દાન આપે તે આત્મા એમ ખોટી માન્યતા કરી કરીને પ્રભુ! તું અનંતકાળથી સંસારમાં આથડે છે. અહીં કહે છે-ભગવાન! જેનો દેખવા-જાણવાનો બેહદ સ્વભાવ છે એવા દેખનારાને દેખ અને જાણનારાને જાણ. તેથી તારું અવિચળ કલ્યાણ થશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #405 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ ભગવાનની ભક્તિમાં ભક્તો કહે છે ને કે ભગવાન! આપ સિદ્ધ છો, મને સિદ્ધપદ દેખાડો. ત્યાં સામેથી પડઘો પડે છે કે આપ સિદ્ધ છો, તું તારામાં સિદ્ધપદ જો. અહાહા..! આવો આત્મા સ્વભાવે સિદ્ધસ્વરૂપ છે, કેવળજ્ઞાનસ્વરૂપ છે. તેમાં અંતર્નિમગ્ન થઈ સ્થિત થતાં પર્યાયમાં વ્યક્ત સિદ્ધસ્વરૂપ થઈ જાય છે. ભગવાન! તને આત્માના સામર્થ્યની ખબર નથી. આત્મા ચિન્શક્તિઓના અર્થાત્ જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહના ભારથી ભરેલી ગંભીર જ્ઞાનજ્યોતિ સ્વરૂપ વસ્તુ છે. જેના બે વિભાગ ન થાય તેવા આખરી સૂક્ષ્મ અંશને અવિભાગ પરિચ્છેદ કહે છે. એવા અનંત અનંત અવિભાગ અંશનો પિંડ તે જ્ઞાન છે. એવા ચિન્શક્તિના સમૂહુના ભારથી ભરેલી જ્ઞાનની જ્યોત પ્રભુ આત્મા છે. અહીં કહે છે-તે જ્ઞાનજ્યોતિ “સત્ત: સર્વે: તથા શ્વતિ' અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે “યથા વર્તા વર્તા ન મવતિ' આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી; “યથા જ્ઞાનું જ્ઞાન ભવતિ ' વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને ‘પુન: પુન: પિ' પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે. અજ્ઞાનમાં પહેલાં રાગનો અને પરનો કર્તા માનતો હતો તે હવે જ્યાં પોતાના જ્ઞાનસ્વરૂપ થયો ત્યાં કર્તા થતો નથી. વળી રાગના નિમિત્તે જે પુદ્ગલ કર્મરૂપે થતું હતું તે હવે અજ્ઞાન મટતાં પુદ્ગલ કર્મરૂપ થતું નથી. અહીં પોતે રાગનો કર્તા થતો નથી, અને ત્યાં પુદ્ગલ કર્મરૂપ થતું નથી. વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે, અને પુગલરૂપ જ રહે છે. ભગવાન ચિદ્દન ચિદાન જ રહે છે. બે જુદાં જાણ્યાં તેનું નામ ભેદજ્ઞાન છે અને તેનું ફળ કેવળજ્ઞાન છે, સિદ્ધપદ * કળશ ૯૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્ગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિક ભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે.' અજ્ઞાનઅવસ્થાને લઈને વિકાર થતો હતો અને તેના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપે બંધાતું હતું. વળી કર્મનો ઉદય આવતાં તેના નિમિત્તે વિકારરૂપ પરિણમતો હતો અને નવાં કર્મ બંધાતાં હતાં. પરંતુ હવે જ્ઞાનભાવ પ્રગટ થતાં એવી જાતનો નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. ટીકાઃ- “આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા.' * ભાવાર્થ ઉપરનું પ્રવચન * જીવ અને અજીવ બને કર્તાકર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #406 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૪ ] | [ 393 દાખલ થયા હતા. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે. તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજરૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીં પણ જાણવું. જ્યાં આત્માનું ભાન થયું, સમ્યજ્ઞાન થયું ત્યાં જ્ઞાન જ્ઞાનરૂપે રહી ગયું અને પુદ્ગલકર્મ પુગલરૂપ જ થઈ જાય છે અને કર્તાકર્મપણું છૂટી જાય છે. “જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બર્ણ કરતા સો, તાકરિ બંધન આન તણું ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો; જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલે પરપાસો, આતમમાંહિ સદા સુવિલાસ કરે સિવ પાય રહૈ નિતિ થાસો.'' જીવ અનાદિથી પોતાના ચૈતન્યસ્વરૂપના અજ્ઞાનને કારણે રાગ-દ્વેષરૂપ વિકાર ઉપજાવીને કર્તા થતો હતો, તેથી બંધન થતું હતું અને તેને લઈને ચોરાસીના ચક્કરમાં ભગવાસ કરતો સુખદુ:ખ ભોગવતો હતો. હવે જ્યારે આત્માનું ભાન થયું ત્યારે કર્તા થતો નથી, માત્ર જાણનાર જ રહે છે. તેથી બંધન થતું નથી, પરનો પાસ બંધન) છૂટી જાય છે, અને પોતાના આનંદમાં સદા વિલાસ કરે છે, અને મોક્ષ જાય છે. મોક્ષ પ્રગટ થયા પછી અનંતકાળ સુધી નિત્ય અનંતસુખરૂપ રહે છે. આમ આ સમયસારશાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનનો બીજો કર્તાકર્મ અધિકાર સમાપ્ત થયો. [ પ્રવચન નં. 199 ચાલુ થી 206 * દિનાંક 12-10-76 થી 19-10-76 ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com