________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ततः स्थितं कर्तृत्वमूलमज्ञानम्।
एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ।। ९६ ।।
एवं पराणि द्रव्याणि आत्मानं करोति मन्दबुद्धिस्तु। आत्मानमपि च परं करोति अज्ञानभावेन।। ९६ ।।
તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન કર્યું ? એમ હવે કહે છે:
જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬.
ગાથાર્થઃ- [વં તુ] આ રીતે [મન્દ્રવુદ્ધિ: ] મંદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાની [ અજ્ઞાનમાવે ] અજ્ઞાનભાવથી [ પરાળ દ્રવ્યાળિ] પર દ્રવ્યોને [ માત્માનં] પોતારૂપ [વરાતિ] કરે છે [ પિ ૨] અને [ ગાત્માનમ્] પોતાને [૫૨] પર [ કરોતિ ] કરે છે.
ટીકાઃ- ખરેખર એ રીતે, “હું ક્રોધ છું” ઇત્યાદિની જેમ અને “હું ધર્મદ્રવ્ય છું' ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે; તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્ય હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દષ્ટાંતથી સમજાવવામાં આવે છે –
જેમ ભતાવિષ્ટ પુરષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર * આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે
* આરંભ = કાર્ય; વ્યાપાર; હિંસાયુક્ત વ્યાપાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com