SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, “હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું” એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ટ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે શયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, હું પરદ્રવ્ય છું” એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડ (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્ણિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. ભાવાર્થ- આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પર શેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તુત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તુત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દષ્ટાંત કહ્યું. * s. સમયસાર ગાથા ૯૬: મથાળું કર્તાપણાનું મૂળ અજ્ઞાન કર્યું એમ હવે કહે છે: * ગાથા ૯૬ : ટીકા ઉપરનું પ્રવચન * “ખરેખર એ રીતે, “હું ક્રોધ છું' ઇત્યાદિની જેમ અને ““હું ધર્મદ્રવ્ય છું'' ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે.” જુઓ, આ અજ્ઞાનીની વાત ચાલે છે. “હું ક્રોધ છું” એમ માનતો થકો પોતાના સવિકાર ચૈતન્યપરિણામનો આત્મા કર્તા થાય છે એ વાત ગાથા ૯૪માં લીધી. અને હું ધર્માદિ છ દ્રવ્ય છું એમ માનતો થકો પોતાના સોપાધિક ચૈતન્યપરિણામનો આત્મા કર્તા થાય છે એમ ગાથા ૯૫માં લીધું છે. એકમાં સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા અને બીજામાં સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા-એમ બેમાં ફરક પાડયો છે. હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું, રાગ છું, દ્વેષ ઇત્યાદિ ગાથા ૯૪માં સોળ બોલ લીધા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy