________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[ ૬૯
(અનુકુમ) आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।। એ જ વાતને દઢ કરે છે:
શ્લોકાર્થઃ- [ માત્મા જ્ઞાન] આભા જ્ઞાનસ્વરૂપ છે, [ સ્વયં જ્ઞાન] પોતે જ્ઞાન જ છે; [ જ્ઞાના અન્ય વિરોતિ] તે જ્ઞાન સિવાય બીજું શું કરે? [માત્મા પરમાવસ્ય ર્તા ] આત્મા પરભાવનો કર્તા છે [] એમ માનવું (તથા કહેવું) તે [ વ્યવહારિણમ્ મોદ:] વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬ર.
સમયસાર ગાથા ૯૭ : મથાળું “તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે” અજ્ઞાનથી કર્તાપણું છે. તે કર્તાપણાનો જ્ઞાન વડે નાશ થાય છે. હું જ્ઞાતાદરા ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ છું એવા અનુભવથી ક્નત્વનો નાશ થાય છે અને તે ધર્મ છે એમ હવે કહે
* ગાથા ૯૭ : ટીકા ઉપરનું પ્રવચન * કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જ જાણે છે તે સમસ્ત બ્રૂત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે.”
ગાથા બહુ સરસ છે. પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનું ભાન નહિ હોવાથી અજ્ઞાનને લીધે જીવ રાગ અને પરદ્રવ્ય સાથે પોતાને એક કરીને સ્વપરના એકત્વનો આત્મવિકલ્પ કરે છે અને તેથી નિશ્ચયથી તે કર્તા પ્રતિભાસે છે. અજ્ઞાનથી રાગનો કર્તા છે એમ જે યથાર્થ જાણે છે તે સકલ ડ્રેને છોડી દે છે અર્થાત તે અકર્તા થઈ.
લોકો બહારથી છોડવાનું-ત્યાગવાનું માને છે. આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ માને છે, પણ એ ઉપવાસ નથી; એ તો લાંઘણ છે. આત્મામાં વસે તે ઉપવાસ છે. મેં આહારનો ત્યાગ કર્યો એમ જે માને તે મિથ્યાદષ્ટિ છે કેમકે આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. જડ રજકણને આત્મા કઈ રીતે ગ્રહે અને કઈ રીતે ત્યાગે ? મેં બૈરાં-છોકરાં, ધનસંપત્તિ ઇત્યાદિનો ત્યાગ કર્યો એવી માન્યતા મિથ્યાષ્ટિની છે. પરિશિષ્ટમાં ૪૭ શક્તિનું વર્ણન છે. તેમાં એક સોળમી ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિ કહેલી છે. ત્યાં કહ્યું છે- “જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ (-નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિ.'' જુઓ, આત્મા પરનું ગ્રહણ અને પરનો ત્યાગ કરે-એનાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com