SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૮૯ બને નયપક્ષ છે ને ! એ જ કહે છે ‘રૂતિ' આમ ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “કયો:' બે નયોના ‘કૌ પક્ષપાત' બે પક્ષપાત છે. ભગવાન આત્મા તો ચિસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. તેમાં હું આવો છું અને આવો નથી એવા વિકલ્પોનો અવકાશ કયાં છે? જ્ઞાનસ્વરૂપ આત્મા તો વિકલ્પના કાળે પણ વિકલ્પનો જાણનાર છે. વિકલ્પ સાથે આત્મા એકમેક-તતૂપ નથી. વિકલ્પને છોડી વિકલ્પનો જાણનાર છે તેને તું જો ને! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદનું ધામ પ્રભુ આત્મા છે તેમાં તું જો, ત્યાં નજર કર; તને પરમ નિધાન પ્રાપ્ત થશે. ભાઈ ! પ્રતિક્ષણ તું દેહ છૂટવાની નજીક જતો જાય છે કેમકે દેહુ તો એના નિયત કાળે અવશ્ય છૂટશે જ. આ રાગ છોડવાનો કાળ (અવસર) છે. પ્રભુ! તેમાં જ આત્માની સન્મુખ થઈ રાગ ન છોડયો તો કયાં જઈશ ભાઈ ? દેહ તો એના કાળે તત્પણ છૂટી જશે, પછી કયાં ઉતરીશ, બાપા? (ક્યાંય કાગડે, કૂતરે અને કંથને ચાલ્યો જઈશ). કેટલાક કહે છે આવો ધર્મ ! ભક્તિ કરો, પુજા કરો, દાન કરો, મંદિર બનાવો, ગજરથ કાઢો, શાસ્ત્રનો પ્રચાર કરો-ઇત્યાદિ તો ધર્મની પ્રવૃત્તિ છે. અરે ભાઈ ! એ તો બધી વિકલ્પોની ધાંધલ છે. એ તો ક્ષોભ અને આકુળતા ઉત્પન્ન કરનારી છે. અહીં તો કહે છે હું સ્વયંસિદ્ધ છું, કાર્ય નથી એવો જે સુક્ષ્મ વિકલ્પ છે તે પણ આકુળતારૂપ છે. માટે નયપક્ષના વિકલ્પનો ત્યાગ કરી શુદ્ધ ચિસ્વરૂપ વસ્તુનો અનુભવ કર. જ્ઞાની પુરુષો પણ પક્ષપાતરહિત થઈને એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ નિરંતર અનુભવે છે. એ જ કહે છે ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર ‘વિત’ ચિસ્વરૂપ જીવ “વહુ તિ વ મસ્તિ' ચિસ્વરૂપ જ છે. ધર્મી જીવ પોતાને જેવો ચિસ્વરૂપ જીવ છે તેવો જ નિરંતર અનુભવે છે. એનું નામ આત્મ-ખ્યાતિ છે ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! વિકલ્પરહિત આત્મા જેવો છે તેવો અનુભવવો તે આત્મખ્યાતિ એટલે આત્મપ્રસિદ્ધિ છે. * કળશ ૮૦: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * ‘માવ:' જીવ ભાવ છે (અર્થાત ભાવરૂપ છે) “વચ' એવો એક નયનો પક્ષ છે. જીવ ભાવ છે, અતિરૂપ સ્વભાવ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ સ્વભાવભાવ છે એવી જે વૃત્તિ ઊઠે છે તે વિકલ્પ છે અને તેને અહીં છોડવાની વાત છે. જાઓ, હાર ખરીદતી વખતે હાર કેવો છે, કેવડો છે, એની કિંમત કેટલી ઇત્યાદિ બધું પૂછે પણ તેને પહેરતાં તે વિકલ્પોને યાદ કરતો નથી. પહેરતી વેળા તો તે વિકલ્પોને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008286
Book TitlePravachana Ratnakar 05
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy