________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦૮
कथमिति चेत्
जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।। १०८ ।।
यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः। तथा जीवो व्यवहारत् द्रव्यगुणोत्पादको भणितः।। १०८ ।।
હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દાંતથી કહે છે:
ગુણદોષઉત્પાદક કહ્યો રામ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮.
ગાથાર્થઃ- [વથા ] જેમ [ Sાના ] રાજાને [ રોષગુણોત્પાવવ: તિ] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [ વ્યવહારત] વ્યવહારથી [ સાવિત:] કહ્યો છે, [ તથા] તેમ [ નીવ:] જીવને [દ્રવ્યોત્વા:] પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [વ્યવETRI] વ્યવહારથી [ મણિત:] કહ્યો છે.
ટીકાઃ- જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાયવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તો પણ તેમનો ઉત્પાદક રાજા છે” એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુદગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાય- વ્યાપકભાવનો અભાવ છે તોપણ-“તેમનો ઉત્પાદક જીવ છે' એવો ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થ- જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.
સમયસાર ગાથા ૧૦૮: મથાળું “હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દષ્ટાંતથી કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com