________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૫
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.''
જ્ઞાનીઓને, અજ્ઞાનપણે વર્તતા જીવોને જોઈ કસણા આવે છે, તિરસ્કાર નહિ. હવે કહે
“: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તત્ત્વ' તેને “નિત્ય' નિરંતર “જિત' ચિસ્વરૂપ જીવ “વન જિત ઇવ રત્ન' ચિસ્વરૂપ જ છે. જે સમકિતી ધર્મી જીવ છે તેને નિરંતર ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો ચિસ્વરૂપે જ અનુભવાય છે.
* કળશ ૭૬ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * નીવ:' જીવ જીવ છે “ ચ' એવો એક નયનો પક્ષ છે. જીવ સચ્ચિદાનંદ-સ્વરૂપ ભગવાન ત્રિકાળ સ્વરૂપથી છે એવો નિશ્ચયનયનો એક પક્ષ છે. આવો જે પક્ષ છે તે વિકલ્પ છે. શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમૂર્તિ ભગવાન સ્વરૂપથી છે એ તો સત્યાર્થ છે, પણ એવો વિકલ્પ જે ઊઠે છે તે નિશ્ચયનો પક્ષ છે અને તે રાગ છે, દુઃખ છે.
‘ર તથા' જીવ જીવ નથી “પરસ્થ' એવો બીજા નયનો પક્ષ છે. પરની અપેક્ષાએ જીવ નથી, સ્વની અપેક્ષાએ છે, પણ પરની અપેક્ષાએ જીવ નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. એ પણ વિકલ્પ છે, રાગ છે.
ત' આમ ‘' ચિસ્વભાવરૂપ જીવ વિષે વયો:' બે નયોના ‘ પક્ષપાત' બે પક્ષપાત છે. બંને વિકલ્પ છે તે પર્યાયમાં ભૂલ છે કેમકે સ્વરૂપ તો નિર્વિકલ્પ છે. હવે કહે
‘: તત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘તસ્ય' તેને “નિત્ય' નિરંતર ‘વિત્' ચિસ્વરૂપ જીવ ‘વતુ વિત્વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે.
હું જીવ છું, જીવ છું, એમ વિકલ્પ કરવાથી કાંઈ નિજરસ વેદાતો નથી, પણ પક્ષપાત રહિત થઈને અંતર્લીનતાના બળે જે તત્ત્વવેદી છે તે નિરંતર ચૈતન્યરસને અનુભવે છે. ધર્મી જીવને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર વેદનમાં આવે છે.
આવી વાત કઠણ પડે એટલે મંડી પડે વ્રત, તપ આદિ બાહ્ય વ્યવહારમાં અને માને કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે, પુણ્યના બળે ભવિષ્યમાં કર્મક્ષય થશે; પણ એ તારી માન્યતા મિથ્યા છે, ભાઈ ! પરમાત્મપ્રકાશમાં “પુouોખ હોદ્દ વિહાવો...' ઇત્યાદિ ગાથા ૬૦ માં કહ્યું છે કે પુણ્યથી વૈભવ મળે છે, વૈભવથી અભિમાન-ગર્વ થાય છે, જ્ઞાન આદિ આઠ પ્રકારના મદથી બુદ્ધિભ્રમ-વિવેકમૂઢતા થાય છે. તેથી અમને આવું પુણ્ય ન હો. કયાં આચાર્ય યોગીન્દ્રદેવનું કથન અને કયાં તારી માન્યતા ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com