________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૫નાતિ) स्थितेत्यविध्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः। तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता।। ६४ ।।
ટીકા:- જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થયું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ના પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે. શું જીવ સ્વયં અપરિણમતા પુદ્ગલ દ્રવ્યને કર્મભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને ? પ્રથમ, સ્વયે અપરિણમતાને પર વડ પરિણાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જો ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુદ્ગલ દ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.
હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ તિ] આ રીતે [પુનરચ] પુદ્ગલ દ્રવ્યની [ સ્વભાવમૂતા પરિણામશ9િ:] સ્વભાવભૂત પરિણમનશક્તિ [ વસ્તુ વિના રિચતા] નિર્વિન સિદ્ધ થઈ. [ તસ્યાં રિચાયાં ] એ સિદ્ધ થતાં, [ સ: આત્મિન: યમ્ ભાવે રોતિ] પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [તસ્ય સ: વ »ર્તા ] તેનો તે પુદ્ગલ દ્રવ્ય જ કર્તા છે.
ભાવાર્થ- સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪.
સમયસાર ગાથા ૧૧૬ થી ૧૨૦ મથાળું
હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com