________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
છે એમ નથી. તે કર્મબંધનની પર્યાયનો કર્તા પુદ્ગલ પરમાણુ છે, રાગાદિ ભાવ તેનો કર્તા નથી. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે પોતાના પરિણમનનો કર્તા છે.
ભાવાર્થ- “સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે.'
દરેક દ્રવ્યમાં પરિણમનસ્વભાવ છે, એક અવસ્થાથી અવસ્થાંતરપણે બદલવાનો સ્વભાવ છે, એટલે પોતાના ભાવનો પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ સ્વતંત્રપણે પોતાના ભાવને કરે છે અને તેનો પુદગલદ્રવ્ય પોતે જ કર્તા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com