________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦૭
अत एतत्स्थितम्उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ।। १०७ ।।
उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च। आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।। १०७ ।।
હવે કહે છે કે ઉપરના હેતુથી આમ કર્યું -
ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે પુદગલદરવને આતમા-વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭.
ગાથાર્થ- [ માત્મા] આત્મા [પુનિંદ્રવ્યમ] પુદ્ગલદ્રવ્યને [ ઉત્પાદ્રયતિ] ઉપજાવે છે, [કરોતિ ] કરે છે, [વનાતિ] બાંધે છે, [પરિણામયતિ] પરિણમાવે છે [] અને [મૃતિ ] ગ્રહણ કરે છે-એ [ વ્યવહારનયચ] વ્યવહારનયનું [ વ ] કથન છે.
ટીકાઃ- આ આત્મા ખરેખર, વ્યાયવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યં-એવા પુદ્ગલદ્રવ્યાત્મક (પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્ય- વ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યં-એવા પુદ્ગલ- દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.
ભાવાર્થ- વ્યાયવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.
સમયસાર ગાથા : ૧૦૭ મથાળું હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યું:
* ગાથા ૧૦૭: ટીકા ઉપરનું પ્રવચન * “આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થ-એવા પુદ્ગલ દ્રવ્યાત્મક (પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી;.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com