________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૬ ]
[[ પ૭
જુઓ, કોઈ અપરીક્ષક એટલે અણઘડ ગુરુએ કોઈ ભોળા પુરુષને પોતાને ઇષ્ટ હોય તેનું ધ્યાન કરવા કહ્યું. ત્યાં તે ભોળો પુરુષ પોતાને ઇષ્ટ એવા પાડાનું ધ્યાન કરવા લાગ્યો. પાડો આવો પુષ્ટ શરીરવાળો, ભારે માથાવાળો અને ખૂબ મોટાં શિંગડાંવાળો છે એમ ધ્યાન કરતાં કરતાં અજ્ઞાનને લીધે તે પાડાને અને પોતાને એક માનવા લાગ્યો. પાડો આવો, પાડો તેવો એમ વિચાર કરતાં કરતાં હું જ આવો ગગનચુંબી શિંગડાંવાળો મોટો મહિષ છું એમ એને થઈ ગયું. અરે! આ બારણું નાનું અને શિંગડાં મોટાં છે. હવે હું બારણામાંથી બહાર કેમ કરીને નીકળું? પોતે મનુષ્ય છે અને મનુષ્યને યોગ્ય બહાર નીકળી શકાય એવું બારણું છે એ ભૂલી ગયો. પોતે બારણામાં થઈ ઓરડામાં પેઠો તે મનુષ્ય જ હતો, પણ હું મોટા શિંગડાંવાળો પાડો જ છું એમ અધ્યાસ થઈ જવાથી મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી તે ચુત થઈ ગયો હોવાથી હું પાડો છું તે પ્રકારના ભાવનો તે કર્તા પ્રતિભાસે
એમ અજ્ઞાનીને પરદ્રવ્ય મારાં છે એવી ચિરકાળની માન્યતાના કારણે પરદ્રવ્યમાંથી નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે. આ સ્ત્રી, પુત્ર, પરિવાર, મકાન, ધનસંપત્તિ, દેવ, ગુરુ ઇત્યાદિ બધાં પરદ્રવ્ય મારાં છે એવું એણે ધ્યાન કર્યું છે અને જાણે કે પોતે તે-રૂપ થઈ છે ગયો એમ માનવા લાગ્યો છે. એટલે હવે એમાંથી છૂટવું અને ભારે મુશ્કેલ થઈ ગયું છે. પરદ્રવ્યના વિચારમાં તે એવો તો એકાકાર થઈ ગયો છે કે હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું એ ભૂલી ગયો છે અને હું પરદ્રવ્યસ્વરૂપ છું એમ માનવા લાગ્યો છે. પોતાને ભૂલીને પરદ્રવ્યના ધ્યાનમાં મગ્દલ થયેલા તેને હવે પરદ્રવ્યથી ખસવું અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે. અહો! આચાર્યદવે અપાર કણા કરીને આવી વાત કરી છે. કહે છે-પદ્રવ્યને પોતાના માને તેને તેમાંથી બહાર નીકળવું
ભારે કઠણ પડે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગ ભલો છે એમ માને તેને એનાથી ભિન્ન થવું મુશ્કેલ છે.
હવે કહે છે-ધ્યાનાવિષ્ટ પુરુષ જેમ તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે “તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે શેયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો “હું પરદ્રવ્ય છું'' એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડ (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન-ઘન (પોતે) મૂર્શિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.'
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ દેવ-ગુરુ ઇત્યાદિ ખરેખર જ્ઞાનના ય છે. તે પરદ્રવ્યો આત્મામાં નથી. પોતે જ્ઞાયક છે અને તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com