________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪ર ]
[ ૩૧૭
ભગવાનની ભક્તિના રાગથી કે વ્રત, તપ આદિના વિકલ્પથી જ્ઞાયક પ્રભુ આત્મા દેખાય એમ નથી. હું દેશ્ય છું એવા વિકલ્પથી પણ તે દૂર છે. સર્વ પક્ષપાત મટાડતાં ચૈતન્ય ભગવાન જણાય છે, દેખાય છે અને તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. જેણે વિકલ્પથી પાર થઈને નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન શાયકને જાણ્યો અને દેખ્યો, તે સંસારથી મુક્ત જ થઈ ગયો.
ભગવાન ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસૂર્ય છે. તેનું ચૈતન્યસ્વરૂપ જ છે. તે દેખાવા યોગ્ય છે અને દેખાવા યોગ્ય નથી એવો વિકલ્પોનો તેમાં અવકાશ નથી. જે તત્ત્વવેદી છે તે પક્ષથી રહિત થઈને જેવો આત્મા છે તેવો નિરંતર અનુભવે છે.
* કળશ ૮૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
વેદ્ય:' જીવ વેધ (–વેદાવા યોગ્ય, જણાવા યોગ્ય) છે “ ' એવો એક નયનો પક્ષ છે. નિશ્ચયનયનો આ પક્ષ છે કે આત્મા વેદાવા યોગ્ય છે. આત્મા વેધ છે એ તો સત્ય છે પણ એવો જે નયપક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડાવવા માગે છે, કેમકે વસ્તુમાં આવો પક્ષ કય
છે? આવો પક્ષ કરતાં વસ્તુ કયાં વેદાય એમ છે? હવે કહે છે
ન તથા' જીવ વેધ નથી “પરસ્થ’ એવો બીજા નયનો પક્ષ છે. વ્યવહારનયનો પક્ષ છે કે જીવ વેદાવા યોગ્ય નથી. આ પક્ષનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં તો વેદાવા યોગ્ય છે એવા નિશ્ચયના પક્ષને પણ છોડવાની વાત છે.
તિ' આમ “જિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “દયો:' બે નયોના “કૌ પક્ષપાતી' બે પક્ષપાત છે. હું વેધ છું એવો પક્ષ છે તે રાગ છે, છોડવા યોગ્ય છે.
ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશમય મૂર્તિ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી એવો અરૂપી છે. આઠ વર્ષની બાલિકા પણ અંતર્દષ્ટિ કરીને સમ્યગ્દર્શન પામે છે ત્યારે તે નિર્વિકલ્પ ચેતન્યસ્વરૂપના આનંદ અનુભવે છે. શરીર ભલે સ્ત્રીનું હોય, એ શરીર આત્મામાં કયાં છે ? સ્ત્રીવેદનું કર્મ ભલે અંદર પડ્યું હોય, તે કર્મ કયાં આત્મામાં છે? અને સ્ત્રી વેદની જે વૃત્તિ ઉઠ તે વૃત્તિ પણ ક્યાં આત્મામાં છે? અહીં કહે છે કે હું વેધ છું એવો વિકલ્પ પણ આત્મામાં સમાતો નથી. આવા સૂક્ષ્મ વિકલ્પ વડે આત્મા જણાય એવો નથી. ભાઈ ! આત્મા જણાવા યોગ્ય છે એ તો સાચું છે, પણ એવો વિકલ્પ છે તેને છોડીને જે વેદ્ય છે તેનું વેદન કર; અન્યથા વેધનું વેદન નહિ થાય. ગંભીર વાત છે, ભાઈ !
લોકો દયા પાળે, વ્રત પાળે, તપ કરે, ઉપવાસ કરે ઇત્યાદિ બધું કરે પણ એ તો બધો શુભરાગ છે. એનાથી રાગરહિત ભગવાન કેમ જણાય? ભાઈ ! રાગ ગમે તેટલો સૂક્ષ્મ હો, પણ તેનાથી આત્મઅનુભવ કદીય ન થાય. તેથી તો સર્વ પક્ષપાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com