________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૪ ].
[ ૩૪૫
(અનુકુમ ) विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम्। न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।।९५ ।।
વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે તેવી રીતે [નયં] આ આત્મા [ નિન–ોથાત્ ભુત: ] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચુત થયો થકો [ ભરિ–વિહ૫-નાન–દને પ્રાજ્યન] પ્રચર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને [–RIટુ વ] દૂરથી જ [ વિવે–નિમ્નરામનાત્] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા [ નિન–શોધું વત્તાત્ નીત:] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો; [ત–9–સિનામૂ ] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [ વિજ્ઞાન–વ–૨: માત્મા] જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, [માત્માનમ્ ત્મિનિ પર્વ સાદરન] આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને), [ સા તાતુ તતામ્ યાતિ] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.
ભાવાર્થ- જેમ જળ, જળના નિવાસમાંથી કોઇ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઇ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઇ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪.
હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે:
શ્લોકાર્થઃ- [વિ ન્ય: પૂર વર્તા] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [ વિરુત્વ: વન] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજાં કોઈ કર્તા-કર્મ નથી; ) [ સવિન્યસ્ય] જે જીવ વિકલ્પસહિત છે તેનું [ જરૃર્મવં] કર્તાકર્મપણું [ નાતુ] કદી [નશ્યતિ ન] નાશ પામતું નથી.
ભાવાર્થ- જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫.
જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com