________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪૪
पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते
सम्मदंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं। सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ।। १४४ ।।
सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम् ।
सर्वनयपक्षरहितो भणितो य: स समयसारः ।। १४४ ।।
પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે–એમ હવે કહે છે:
સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘ સમયનો સાર ' છે. ૧૪૪.
.
ગાથાર્થ:- [ય: ] જે [ સર્વનયપક્ષતિ: ] સર્વ નયપક્ષોથી રહિત [મતિ: ] કહેવામાં આવ્યો છે [સ: ] તે [ સમયસાર: ] સમયસાર છે; [૪: ] આને જ (–સમયસારને જ ) [જેવાં] કેવળ [ સમ્યઃ વર્શનજ્ઞાનમ્] સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન [ તિ] એવી [ વ્યપવેશમ્ ] સંજ્ઞા ( નામ ) [ નમતે ] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે. )
ટીકાઃ- જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન સમયસારથી જુદાં નથી, એક જ છે.)
પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, ૫૨ પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વા૨ા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને ( –મતિજ્ઞાનના સ્વરૂપને ) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપ૨ જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, ૫રમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com