________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
| [ ૩૧૩
તન્મય-એકમેક નથી. અજ્ઞાની માને કે જીવ રાગસ્વરૂપ છે, પણ જીવ તો ચિસ્વરૂપ જ છે અને જ્ઞાની પોતાને ચિસ્વરૂપ જ અનુભવે છે. એ જ કહે છે
“૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તસ્ય' તેને “નિત્ય' નિરંતર “વિત્' ચિસ્વરૂપ જીવ નુ ચિત્ વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે. નયપક્ષનો જેણે ત્યાગ કર્યો છે એવો ધર્મી જીવ ચૈતન્યમય જીવને જેવો છે તેવો જ અનુભવે છે અને તેનું જ નામ ધર્મ છે. વિકલ્પ વખતે પણ જ્ઞાની તેનું જ્ઞાન કરનારો જ્ઞાનસ્વરૂપે જ રહે છે.
ભીંત ઉપર જે ખડી લગાવે છે તે ખડીથી દિવાલ ભિન્ન જ છે. તેમ જગતના પદાર્થોને જાણનાર જ્ઞાની જગતથી તદ્દન ભિન્ન છે. જગત અને રાગના વિકલ્પોમાં તે એકમેક થતો નથી, પણ ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ રહે છે. આવી વાત છે.
* કળશ ૮૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નિત્ય:' જીવ નિત્ય છે “ શ્ય’ એવો એક નયનો પક્ષ છે. જીવ ત્રિકાળ નિત્ય છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ અવિનાશી નિત્ય છે એ વાત તો બરાબર છે પણ એવો જે વિકલ્પ છે તે રાગ છે. નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પને પણ તોડી નાખે તો ચિસ્વરૂપ જીવની પ્રાપ્તિ થાય છે. હવે કહે છે
“ન તથા' જીવ નિત્ય નથી “પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવ અનિત્ય છે, ક્ષણ વિનાશી છે એવો વ્યવહારનયનો પક્ષ છે. વ્યવહારનો વિકલ્પ તો પહેલેથી છોડાવતા આવ્યા છીએ, પણ જીવ નિત્ય છે એવો ચિંતનરૂપ વિકલ્પ પણ અહીં છોડવાની વાત છે, કેમકે એવો વિકલ્પ પણ રાગ છે, દુઃખદાયક છે.
રૂતિ' આમ “જિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “કયો:' બે નયોના “તી પક્ષપાતી' બે પક્ષપાત છે. બંને પક્ષરૂપ વિકલ્પો છે તે દુઃખદાયક છે. વિકલ્પ વસ્તુના સ્વરૂપમાં નથી. માટે નિત્યનો પણ વિકલ્પ છોડી નિત્ય જે વસ્તુ છે તેનું વેદન કર. પર્યાયમાં નિર્વિકલ્પ વેદના થાય તે ધર્મ છે. “નિત્ય ’નું વેતન છોડીને “નિત્ય’ના વિકલ્પમાં ઊભા રહેવું તે અધર્મ છે.
અમૃતનો સાગર ભગવાન આત્મા છે. તેમાં નયનો વિકલ્પ ઉઠાવવો તે અમૃત-સાગરથી વિરુદ્ધ ભાવ છે. ભાઈ ! શુકલ લશ્યાના શુભ પરિણામ થાય તે વિરુદ્ધ ભાવ છે. આ જીવ એવા શુકલ લેશ્યાના શુભ પરિણામ અનંતવાર કરી ચૂકયો છે. પણ એ બધું બંધનું જ કારણ બન્યું છે. જે સર્વ નયપક્ષના વિકલ્પને છોડી સ્વરૂપસન્મુખ થાય તેને ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ અનુભવાય છે. એ જ કહે છે
“ : તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તક્ષ્ય' તેને “નિત્ય' નિરંતર ‘વિત’ ચિલ્વરૂપ જીવ ‘વનુ વિત્ વ મસ્તિ' ચિસ્વરૂપ જ છે. વિકલ્પ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com