________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
‘મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્દગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.’
૨૬૨ ]
જુનાં કર્મનો ઉદય આવે તે સ્વતંત્ર, તે સમયે પુદ્ગલોનું નવા કર્મરૂપે પરિણમવું અને બંધાવું તે પણ સ્વતંત્ર અને જીવમાં મિથ્યાત્વાદિ ભાવોનું પરિણમવું એ પણ સ્વતંત્ર છે. ત્રણે એક જ સમયમાં થાય છે, પણ સૌ પોતપોતાની મેળે જ પરિણમે છે; કોઈ કોઈને પરિણમાવતું નથી.
[પ્રવચન નં ૧૮૮ શેષ, ૧૮૯ ચાલુ
* દિનાંક ૧૭-૯-૭૬ અને ૧૮-૯-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com