________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૪ ]
(શાર્દૂનવિદ્રીડિત)
कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः । ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिर्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम् ।। ९८ ।।
अथवा नानट्यतां, तथापि -
[ ૩૪૭
(મંદ્દાાન્તા)
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथोच्चैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।। ९९ ।।
અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭.
ફરીને એ જ વાતને દઢ કરે છેઃ
શ્લોકાર્થ:- [હર્તા ર્મળિ નાસ્તિ, ર્મ તત્ અપિ નિયતં ર્તરિ નાસ્તિ] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી- [યવિ દ્વન્દ્વ વિપ્રતિષિધ્યતે] એમ જો બન્નેનો ૫રસ્પર નિષેધ કરવામાં આવે છે [તવા પૃર્મસ્થિતિ: 1] તો કર્તાકર્મની સ્થિતિ શી ? ( અર્થાત્ જીવ-પુદ્દગલને કર્તાકર્મપણું ન જ હોય શકે.) [જ્ઞાતા જ્ઞાતરિ, ર્મ સવા ર્મળિ] આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [કૃતિ વસ્તુસ્થિતિ: વ્યī] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [તથાપિ વત] તોપણ અરે! [ નેપથ્ય પૃષ: મોહ: ક્િ રમસા નાનટીતિ] નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)
ભાવાર્થ:- કર્મ તો પુદ્દગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્દગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્દગલકર્મનો કર્તા નથી; અને પુદગલકર્મ છે પુદ્દગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કે-આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે' એવો અજ્ઞાનીનો આ મોહ ( –અજ્ઞાન ) કેમ નાચે છે? ૯૮.
અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છેએમ હવે કહે છે:
શ્લોકાર્થ:- [ અવલં] અચળ, [વ્ય] વ્યક્ત અને [વિત્—શજ્ઞીનાં નિર્-ભરત:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com