________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* કળશ ૭૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
:' જીવ દ્રષી છે “ ચ' એવો એક નયનો પક્ષ છે. અજ્ઞાની કહે છે કે જીવ દ્વષાવાળો છે, પર્યાયથી જીવ દ્રષી છે. આવો વ્યવહારનયનો એક પક્ષ છે.
ન તથા' જીવ દ્વેષી નથી “પરચ' એવો બીજા નયનો પક્ષ છે. જીવ અષી છે એવો જે વિકલ્પ તે નિશ્ચયનયનો પક્ષ છે. હું અષી છું એવો જે વિકલ્પ-વૃત્તિ ઊઠે તે રાગ છે, દુ:ખરૂપ છે, બંધનું કારણ છે.
તિ' આમ વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “કયો:' બે નયોના “ી પક્ષપાતી' બે પક્ષપાત છે. આ બન્ને પક્ષને છોડી દઈને જે પક્ષપાતરહિત થાય તે જ્ઞાની છે.
૫: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તચ' તેને “નિત્ય' નિરંતર ‘વિત’ ચિસ્વરૂપ જીવ વસ્તુ વિત્ વ શસ્તિ' ચિસ્વરૂપ જ છે.
જે સમકિતી છે તેને હું દ્વેષી છું કે દ્વેષી નથી એવા નયપક્ષના વિકલ્પ છૂટી જાય છે; એ તો નિરંતર પોતાના શુદ્ધ ચિસ્વરૂપ દ્રવ્યને ચિસ્વરૂપ જ અનુભવે છે. ભાઈ ! આ જ અનાદિનો માર્ગ છે. અનંત તીર્થકરો થયા એમણે આ જ વાત કહી છે. વર્તમાનમાં ધર્મપિતા શ્રી સીમંધર ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજે છે. ગણધરો અને ઇન્દ્રોની સભામાં ૐધ્વનિ દ્વારા તેઓ આ જ વાત કહે છે. ભગવાન કુંદકુંદાચાર્ય વિદેહમાં ગયા હતા. ત્યાંથી જે વાત તે લાવ્યા તે આ વાત છે. આ પરમ સત્ય વાત છે.
* કળશ : ૭૪ શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * વર્તા' જીવ કર્તા છે “ ચ' એવો એક નયનો પક્ષ છે. જીવ રાગનો-વ્યવહારનો કર્તા છે એવો વ્યવહારનયનો પક્ષ છે. શુભરાગનો જે વિકલ્પ ઊઠે છે તેનો હુ કર્તા છે એમ વ્યવહારનયના પક્ષવાળો કહે છે.
ન તથા' જીવ કર્તા નથી “પરચ' એવો બીજા નયનો પક્ષ છે. નિશ્ચયના પક્ષમાં ઊભો છે તે કહે છે કે જીવ કર્તા નથી. જીવ રાગનો કર્તા નથી એ વાત તો યથાર્થ છે પણ આવો જે વિકલ્પ છે તે નવપક્ષ છે, રાગ છે, બંધનું કારણ છે.
ભગવાન આત્મા પર દ્રવ્યનો તો કર્તા છે જ નહિ. પણ દયા, દાનના જે વિકલ્પો થાય તેનો જીવ કર્તા છે એમ માને તેને વ્યવહારનો પક્ષ છે, અજ્ઞાનભાવ છે. ત્યારે વળી બીજો એમ પક્ષ છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ સ્વભાવભાવરૂપ વસ્તુ છે, તે રાગનો કર્તા નથી, તો એ પણ વિકલ્પ છે, રાગ છે. જીવ અકર્તા છે એ તો સત્ય છે, પણ એવો વિકલ્પ છે એ રાગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com