Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન છેડે સનકાદિનો ઉદ્ધાર કરવા પોતાનું ડમરું ચૌદવાર વગાડ્યું. એના નાદમાંથી ચૌદ પ્રત્યાહાર સૂત્રોની ઉત્પત્તિ થઈ છે. જો કે આ વાતમાં વિવાદ છે, પરંતુ તે બીજેથી જાણી લેવો. હવે ચૌદ પ્રત્યાહાર સૂત્રોને લઇને આદિ સંજ્ઞાઓની વ્યવસ્થાને ગોઠવવા પાણિનિ ઋષિએ 'દિરત્યેન સહેતા' (T.મૂ. ..૭૩) સૂત્ર બનાવ્યું છે. તે સૂત્ર એમ કહે છે કે પ્રત્યાહાર બનાવવા અર્થાત્ વર્ગોનો ટૂંકમાં નિર્દેશ કરતી લઘુ સંજ્ઞાઓ બનાવવા તમારે આ ચૌદ સૂત્રોમાં વર્તતા કોઇપણ એક વાર્ણને આદિ તરીકે લેવો. ત્યારબાદ તેને તેના પછીનો જે ઇત્ વર્ગ જોડવામાં આવે ત્યાં સુધીના બધા વર્ગોને જણાવતી લધુ સંજ્ઞા તૈયાર થશે. દા.ત. આદિ અક્ષર તરીકે પ્રથમ સૂત્રમાં વર્તતો ન લેવામાં આવે અને તેને ચોથા સૂત્રના અંતે રહેલો ઇત્ અનુબંધ જોડવામાં આવે તો મ આવી એક લધુસંજ્ઞા તૈયાર થશે અને તે 5 થી લઈને અનુબંધ સુધીમાં આવતા દરેક વર્ગોની (=થી ગો સુધીના વર્ગોની) વાચક સંજ્ઞા બનશે. જો કે અહીં ચાર પ્રત્યાહાર સૂત્રોમાં દર્શાવેલા મ થી લઇને ગો સુધીના સ્વરો નવ જ છે. પરંતુ તેઓ સવર્ણ (= પરસ્પર સ્વ) સહિતના લેવાતા હોવાથી એ સંજ્ઞા દ્વારા ચૌદ સ્વરો આવરી લેવાય છે. એવી જ રીતે પાંચમાં સૂત્રમાં વર્તતો આદિ અક્ષર તરીકે લેવામાં આવે અને તેને ચૌદમાં સૂત્રના અંતે વર્તતો – અનુબંધ જોડવામાં આવે તો હજૂ સંજ્ઞા તૈયાર થશે, જે પાંચમાં સૂત્રના પ્રથમ અક્ષર થી લઇને ચૌદમાં સૂત્રના – અનુબંધ સુધીમાં રહેલા બધા જ વ્યંજનોની ગ્રાહક એવી સંજ્ઞા બનશે. આમ ઘોષવાન વિગેરે વ્યંજનો માટે વપરાતી આદિ સંજ્ઞાઓ માટે પણ સમજી લેવું. તેમજ મજુ, બ, ક અને તે વિગેરે સંજ્ઞાઓથી કમશઃ
-૩ વર્ણ, સમાન સ્વરો, ગુણસંજ્ઞા અને વૃદ્ધિસંજ્ઞા વિગેરે સમજવી. હવે પાણિનિ વ્યાકરણમાં ‘બિપિોિડ રૂ.રૂ.૨૦૪' આવું સૂત્ર છે. તે સૂત્ર ૬ ઈવાળી તેમજ પિ વિગેરે ધાતુઓને મ પ્રત્યય કરવા માટે છે. હવે પ્રત્યાહારની રીત મુજબ મ દ્વારા માં થી ગો સુધીના સ્વરોનું ગ્રહણ થાય. આમ અહીં ન થી મ પ્રત્યાહાર (૪ થી મો સ્વર) નું ગ્રહણ થવાની આપત્તિ આવે છે.
શંકા - પરંતુ ‘ચાયાતો વિશેષાર્થ તિત્તિઃ'ન્યાય મુજબ વ્યકિત તે સૂત્રની વ્યાખ્યા જોશે એટલે તેને ખબર પડી જશે કે અહીં મ પ્રત્યાહારનું નહીં, પણ પ્રત્યયનું ગ્રહણ કરવાનું છે.
સમાધાન - બરાબર છે. પણ સૂત્ર જોતા વ્યકિતને સંદેહ તો ઉપજે ને કે અહીં મ પ્રત્યાહારનું ગ્રહણ કરવાનું હશે કે મ પ્રત્યયનું?” “વત્પાક્ષરમજિય.” સૂત્રનું સ્વરૂપ બતાવતી આ કારિકા મુજબ સૂત્ર હંમેશા સંદેહ ન ઉપજાવે તેવું બનાવવું જોઇએ.
શંકા - સંદેહ તો સમજ્યા, પણ અતિવ્યામિ દોષ શી રીતે આવે છે?
સમાધાન - ગરૂડ, ઋનૃ, gો અને હેમોઆ ચાર પ્રત્યાહાર સૂત્રોને આશ્રયીને આ સંજ્ઞા કરવા દ્વારા એ થી જ સુધીના વર્ગોનું ગ્રહણ કરવા જતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રત્યાહાર સૂત્રને છેડે રહેલા નુ, શું (A) नृत्यावसाने नटराजराजो ननाद ढक्कां नव-पञ्चवारान्। उद्धर्तुकामः सनकादिसूत्रानेतद्विमर्श शिवसूत्रजालम्।।