Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૨૮.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન તેઅશ્વર્થશબ્દન બનવાથી સ્વરવિ શબ્દનો વિશેષ ન બની શકતા 'લિંગ, વિભક્તિ અને સંખ્યાની સાથે અન્વયે પામી વ્યય ન પામે એવો શબ્દ' આવો અર્થ જે જણાવવો છે તે નહીં જણાવી શકાય.
સમાધાન - તમે કહો છો તેવી કોઇ આપત્તિ નહીં આવે. કેમકે લોકમાં બે પ્રકારની સંજ્ઞા લેવામાં આવે છે -નૈમિત્તિકી અને પારિભાષિકી. વ્યક્તિ શ્યામવર્ણો હોય અને જો તેની ‘કૃષ્ણ” સંજ્ઞા કરવામાં આવે તો શ્યામવર્ણાત્મક નિમિત્તને લઇને પ્રવર્તી હોવાથી તે નૈમિત્તિકી સંજ્ઞા કહેવાય. જેમકે વાસુદેવ શ્યામવર્ણા હતા અને તેમનું કૃષ્ણ’ નામ રાખવામાં આવ્યું હતું. વ્યક્તિ ગૌરવર્ણી હોય અને જો તેની કૃષ્ણ” સંજ્ઞા રાખવામાં આવે તો આ પારિભાષિકી સંજ્ઞા કહેવાય. વ્યાકરણશાસ્ત્રોમાં બન્ને પ્રકારની સંજ્ઞા લેવામાં આવે છે. જેમકે નવ્યા, સર્વનામ, વેર વિગેરે નૈમિત્તિકી (અકૃત્રિમ/અન્વર્થ) સંજ્ઞા છે અને પાણિનિ વ્યાકરણમાં વપરાતીરિ, પવિગેરે સંજ્ઞાઓ પારિભાષિકી (કૃત્રિમ) સંજ્ઞા છે. સિદ્ધહેમવ્યાકરણમાં પારિભાષિક સંજ્ઞાઓ પ્રાયઃ જોવામાં નથી આવતી. આ રીતે બે પ્રકારની સંજ્ઞા હોતે જીતે પ્રસ્તુતમાં અવ્યયસંજ્ઞા કરવાના અવસરે તે નૈમિત્તિક સંજ્ઞા હોવાથી સ્વસ્ વિગેરે વ્યય ન પામનારા શબ્દો' આમ વિશિષ્ટને જ સંજ્ઞા કરાશે.
શંકા - અમે કહીતો ગયા કે સૂત્રનાઅવ્યય શબ્દને જો અન્વર્થ ગણશો તો તે સંજ્ઞાશબ્દ નહીં બની શકે અને એકજ અવ્યય શબ્દને બે વાર તો વપરાય નહીં?
સમાધાન - અવ્યય શબ્દને બે વાર વાપરવો નહીં પડે અને તે અન્વર્થ હોવા છતાં સંજ્ઞાશબ્દ બની શકશે. કેમકે તેનૈમિત્તિકી (અન્વથી સંજ્ઞા છે. વાસુદેવની'કૃષ્ણ' સંજ્ઞાનૈમિત્તિકી (શ્યામવર્ણના નિમિત્તે પ્રવર્તી હોવાથી ત્યાં જેમ કૃષ્ણ’ શબ્દ બોલાતા જ શ્યામવર્ણા વાસુદેવની (= વિશિષ્ટની) સંક્ષિરૂપે સહજ ઉપસ્થિતિ થાય છે, પરંતુ વાસુદેવમાં શ્યામવર્ણની ઉપસ્થિતિ કરાવવા ત્યાં જેમ બીજા કૃષ્ણ શબ્દનો પ્રયોગ નથી કરવો પડતો, તેમ અવય સંજ્ઞા પણનૈમિત્તિકી ('વ્યય ન પામવું આ નિમિત્તને લઈને પ્રવર્તી હોવાથી ત્યાં પણ એક જ અવ્યય શબ્દ સંજ્ઞાશબ્દ બની સ્વરાદિ વ્યય ન પામનાર શબ્દો’ આમ વિશિષ્ટની જ સંશી રૂપે ઉપસ્થિતિ કરાવશે.
આ રીતે સંજ્ઞાકરણકાળે સ્વરાદિ વ્યયન પામનારા શબ્દો આમ નિમિત્તથી વિશિષ્ટને જ અવ્યયસંશા કરાઇ હોવાથી ઘર, પટ વિગેરે જે શબ્દો ‘વ્યયન પામવું આ નિમિત્તથી શૂન્ય હશે, તેઓ અવ્યય સંજ્ઞાના સંક્ષી રૂપે નિયત
જશે.
શંકા - અવ્યયસંજ્ઞા સ્ટ) છે. સ્ત્ર શબ્દસ્થળે શબ્દની અવસ્થતા (વ્યુત્પાથી નથી વિચારતી. જેમકે જે શબ્દસ્ટ શબ્દ છે તો ત્યાં તેના જીતીતિ જે વ્યુત્પત્તિનો વિચારણા નથી કરાતી. કેમકે બેઠેલીગાયને પણ કહેવાય (A) यत्रावयवशक्तिनरपेक्ष्येण समुदायशक्तिमात्रेण यद् बुध्यते तदूढम्, यथा गो-मण्डलादिपदम्।
(ચા.સ.મુtpવી પરિવે-૮૨)