Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
શંકા ઃ- છતાં આ સમાસ પૂર્વપદાર્થપ્રધાન છે અને અહીં પૂર્વપદ અતિ એ અવ્યય છે. તેથી સમાસને થયેલી સ્યાદિ વિભક્તિનો ‘અવ્યયસ્ય રૂ.૨.૭' સૂત્રથી લોપ થવો જોઇએ.
૨૨૬
શંકા :- અતિ શબ્દ વાદ્દિ ગણનો છે. ચારિ ગણના શબ્દો જો અસત્ત્વ(અદ્રવ્ય)વાચી હોય તો જ તેમને ‘ચાયોઽસત્ત્વ૦ ૧.૧.રૂ’સૂત્રથી અવ્યયસંજ્ઞા થાય છે. પ્રસ્તુતમાં અતિ શબ્દ અતિક્રાન્ત અર્થમાં વર્તે છે. ત્યાં લિંગકારક–વિભક્તિ-સંખ્યાનો યોગ થતો હોવાથી અતિ શબ્દ સત્ત્વ (દ્રવ્ય)(A) વાચી છે. માટે તે અવ્યય ન બની શકવાથી(B) ‘અવ્યવસ્ય રૂ.૨.૭’ સૂત્રથી સમાસની સ્યાદિ વિભક્તિનો લોપ નથી થઇ શક્યો. અથવા અવ્યય ક્યારે અવ્યય બને તેની યુક્તિ આગળ કહેવાશે. પ્રસ્તુતમાં મૃત્યુસ વિગેરે સ્થળે જે સ્યાદિ વિભક્તિ થઇ છે તે સમાસાત્મક સમુદાયની છે, તેના અવયવની નહીં. માટે ‘અવ્યયસ્ય રૂ.૨.૭’સૂત્રથી તેનો લોપ નથી થયો.
પરમોઘે:, પરમનીચે: ફત્ર તુ સ્થળે બૃહત્કૃત્તિકારે ‘તુ’ નું ઉપાદાન પૂર્વે કરાયેલ અત્યુદ્ધેસો વિગેરે કરતા પરમોચ્છેઃ વિગેરેમાં કંઇક વિશેષતા બતાવવા માટે કર્યું છે. એ વિશેષતા કઇ છે ? તો પરમોર્વ્યઃ વિગેરે સમાસો ; કે જ્યાં સ્વરદ્દિ અવ્યયો પ્રધાનતાએ અંતે રહેલા છે, ત્યાં અવયવ અને સમુદાય બન્નેને અવ્યયસંજ્ઞા થાય છે. જેમકે- ઉર્ધ્વસ્ વિગેરે અવ્યયાન્ત આ સમાસમાં બ્વેત્ વિગેરે અવ્યય મુખ્ય હોવાથી ઇન્વેસ્, નીચેક્ એ અવયવ અને વરમોર્વ્યઃ, પરમનીયેઃ એ સમુદાય ; બન્નેને અવયવસંજ્ઞા થશે. કારણકે સમાસ ઉત્તરપદાર્થપ્રધાન છે. તથા ઉત્તરપદરૂપે રહેલાં ઉર્ધ્વસ્ અને નીશ્વેત્ શબ્દો લિંગ-કારક-વિભક્તિ-સંખ્યા સાથે અન્વય નથી પામતા. તેથી સમાસને થયેલ સ્થાવિ વિભક્તિ અવ્યય સંબંધી જC હોવાથી ‘અવ્યયસ્ય રૂ.૨.૭’ સૂત્રથી તેનો લોપ થશે.
(6) ‘‘સૂત્રમાં ફકત ‘સ્વર્ આદિ શબ્દો અવ્યય સંજ્ઞક થાય છે.’ આટલું જ કહ્યું છે. તો ‘લિંગ-કારક (= વિભક્તિ)-સંખ્યાની સાથે અન્વય ન પામનારા સ્વર્ આદિ શબ્દો અવ્યયસંજ્ઞક થાય છે’ આવો અર્થ સૂત્રમાં કોઇ વિશેષ પદ મૂક્યા વિના શી રીતે જણાય ?'’ આ પ્રશ્નના સંદર્ભમાં બૃ. વૃત્તિમાં અન્વયંસંજ્ઞા ચેયમ્...' પંક્તિ બતાવી છે. તેનો અર્થ ‘અવ્યય એ જેથી અન્વર્થ (વ્યુત્પત્યર્થ ઘટે એવી) સંજ્ઞા છે, તેથી લિંગ, કારક, વિભક્તિ વિગેરે અનેક પ્રકારના હોવા છતાં જે તેમને લઇને વિવિધ સ્વરૂપને ન પામે તેને અવ્યય કહેવાય.' આવો થશે. આશય એ છે કે અવ્યયોમાં લિંગ વિશેષના પ્રતિપાદનનું સામર્થ્ય ન હોવાથી તેમને વિવિધ પ્રકારના લિંગ નથી સંભવતા. જે (A) નિş—સડ્યાવન્ દ્રવ્યમ્। (૧.૧.રૂo રૃ. વૃત્તિ:)
(B) પૂ. લાવણ્યસૂરિજી દ્વારા સંપાદિત બુ. ન્યાસમાં તિ-ર-વિત્તિ-સંધ્યાવિશેષોપાવાનાવ્યયયોભિત્વમ્' આવો પાઠ છે, જે અશુદ્ધ હોય તેમ લાગે છે. પાઠ ‘તિજ્ઞ –ાર-વિમત્તિ-સંધ્યાવિશેષોષાવાનાત્ સત્ત્વવાયિત્વાન્નાઽવ્યયત્વમ્' આવો હોવો જોઇએ.
(C) જકાર દ્વારા અહીં અવ્યયસંજ્ઞાના નિષેધનું નિરાકરણ કર્યું છે.