Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
९.१.३८
૨૯૧
આદિ પ્રકૃતિને પ્રત્યય સંજ્ઞા થવાની આપત્તિ આવે, ‘મળોઽમ્ .૨.૭૨' સૂત્રમાં ઉપપદ એવા કર્મવાચક નામને પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ આવે અને ‘કૃતિ-નાટ્યાત્ પશાવિ: ૧.૧.૧૭' સૂત્રમાં ‘પશુ’ ઉપાધિને^) પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ આવે.
સમાધાન :- ના, નહીં આવે. કેમકે પ્રત્યયઃ અધિકાર દરેક સૂત્રમાં ઉપસ્થિત થતા તેને લઇને જો પ્રકૃતિ, ઉપપદ, ઉપાધિને પ્રત્યયસંજ્ઞા કરવા જઇએ તો વાક્યભેદનો પ્રસંગ આવે અને એકવાક્યને લઇને કાર્ય સંભવતું હોય તો વાક્યભેદ કરવો વ્યાજબી ન કહેવાય. આશય એ છે કે ‘વૃતિ-નાથાત્ પશાવિ: ૧.૨.૧૭' સૂત્રમાં કૃતિ-નાથાત્ પદ પંચમ્યન્ત છે, પશો પદ સામ્યન્ત છે, અનુવર્તમાન હરતેઃ પદ ષષ્ટયન્ત છે અને રૂઃ પદ પ્રથમાન્ત છે. અધિકારને પામેલ પ્રત્યયઃ પદ પણ પ્રથમાન્ત છે. બન્ને પ્રથમાન્ત પદ વચ્ચે સમાન વિભક્તિને લઇને મેળ પડવાથી એકવાક્યને લઇને સૂત્રાર્થ વૃતિ-નાથાત્ હરતેઃ પશો રૂઃ પ્રત્યયઃ ચાત્' (કૃતિ અને નાથ શબ્દથી પરમાં રહેલ રૂ ધાતુને પશુકર્તામાં રૂ પ્રત્યય થાય છે.) આવો પ્રાપ્ત થાય. આ અર્થ મુજબ પ્રત્યયઃ પદનો મેળ રૂઃ સાથે જ થઇ શકે એમ હોવાથી ફક્ત રૂ ને જ પ્રત્યય સંજ્ઞા થાય. હવે પ્રકૃત્યાદિને જો પ્રત્યયસંજ્ઞા કરવી હોય તો તે સૂત્રમાં પ્રકૃતિ આદિના વાચક પદોને પ્રત્યયઃ પદ સાથે સમાન વિભક્તિ હોવી જરૂરી હોવાથી વાક્યભેદ (બે વાક્ય) કરવો પડે તે આ પ્રમાણે – ‘કૃતિ-નાથાપ્યાં ર્કાપ્યાં પરાત્ હરતેર્ધાતો: પશો તીર ફારો મવતિ' (કૃતિ અને નાય સ્વરૂપ કર્મથી પરમાં રહેલા હૈં ધાતુને પશુ કર્તામાં રૂ થાય છે.) આવું એક વાક્ય થાય, જેનાથી રૂ નું વિધાન થાય અને તે હૈં હૈં-કૃતિ-નાથ-પશવઃ પ્રત્યયસંજ્ઞાઃ' (અને તે હૈં પ્રકૃતિ, વૃતિ અને નાય ઉપપદ તથા પશુ ઉપાધિ પ્રત્યયસંજ્ઞા પામે છે.) આવું બીજું વાક્ય થાય, જેનાથી પ્રત્યયસંજ્ઞા થાય. એક વાક્યથી કામ પતતું હોય તો વાક્યભેદ (બે વાક્ય) કરવો યુક્ત ન કહેવાય. આવી રીતે જ 'ગુપ્તિનો ર્ફા-ક્ષાન્તો સન્ રૂ.૪.૬' વિગેરે સૂત્રોમાં પણ વિધાન કરાતા સન્ આદિ પ્રથમાન્ત હોવાથી પ્રત્યયઃ અધિકારની સાથે તેમને સમાન વિભક્તિ હોવાના કારણે એકવાક્ય જાળવવું હોય તો તેમને જ પ્રત્યયસંજ્ઞા થશે. જ્યારે તે સૂત્રોમાં બાકીના પદો જુદી વિભક્તિ વાળા હોવાથી તેમને પ્રત્યયસંજ્ઞા કરવામાં વાક્યભેદ કરવાનો રહે, જે યુક્ત ન ગણાય. તેથી પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિને પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ નહીં આવે.
શંકા – એકવાક્ય સંભવતું હોય તો વાક્યભેદ કરવો દોષ ગણાય, પરંતુ ન સંભવતું હોય તો વાક્યભેદ કરવામાં દોષ નથી. ફક્ત સન્ આદિને પ્રત્યયસંશા કરવી હોય તો પણ વાક્યભેદ કરવો જ પડે છે. કેમકે સન્ આદિ સંજ્ઞી અસત્ (અવિદ્યમાન) હોય તો પ્રત્યયસંજ્ઞા થઇ શકે નહીં. તેથી તેમને સત્ (ઉપસ્થિત) કરવા સૌ પ્રથમ ‘ગુપ્તિનઃ સન્ મતિ' આમ એક વાક્ય દ્વારા ગુપ્ આદિને સન્ આદિનું વિધાન કરવું પડે છે. ત્યાર પછી બીજા વાક્ય દ્વારા સત્ થયેલાં તેમને
(A) કૃતિ-નાયાત્ ૧.૨.૧૭' સૂત્રમાં અનુવર્તમાન હૈં ધાત્વાત્મક પ્રકૃતિ, વૃત્તિ અને નાથ નામ રૂપ ઉપપદ અને પશુરૂપ ઉપાધિ આ ત્રણે મળે છે. તેથી તે એક જ સૂત્રમાં પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિને પ્રત્યયસંજ્ઞાનો દોષ આપવો હોય તો પણ આપી શકાય.