Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૯૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(૩) ‘આદિ’ નો પ્રકાર અર્થ પણ નહીં થઇ શકે. કારણ કે દ્-વ્-[ વિગેરે વર્ણો પરસ્પર અત્યન્ત વિસદશ (અસમાન) છે. જ્યાં સદશતા હોય, ત્યાં જ ‘આદિ’ શબ્દ પ્રકાર અર્થમાં હોય.
શંકા :- -વ્-[ વિગેરે અક્ષરો વર્ણત્વન સદશ છે, છતાં તમે કેમ વિસદશ કહો છો ?
સમાધાન :- ૬, ૬, જૂ વિગેરે ‘વર્ણરૂપે' સદશ હોવા છતાં તે ધર્મને આગળ કરીને જો વ્યાન સંજ્ઞા કરીએ તો આ, આ, રૂ વિગેરે પણ વર્ણો હોવાથી તેને ય વ્યાન સંશા થવાની આપત્તિ આવશે. માટે અહીંવર્ણત્વેન સદશતા નહીં લઇ શકાય. જ્યારે આારત્વેન કે ઉચ્ચારત્નેન તો -વ્ વિગેરે વિસદશ છે.
(૪) ‘આદિ’ નો અવયવ અર્થ અહીં સંગત થશે. કારણકે એ થી ૬ સુધીના વ્યંજનસમુદાયનો એક અવયવ છે. તેથી 'વ્હાર આવિવયવો યસ્ય (વર્ણસમુવાવસ્ય) સ વિ:' આવો અર્થ થશે.
આમ અહીં આવિ ‘અવયવ’ અર્થક છે. અવયવ અવશ્યપણે સમુદાયરૂપ અન્યપદાર્થમાં અંતર્ભાવ પામે. તેથી વિઃ સ્થળે જે બહુવ્રીહિ સમાસ થયો છે તે તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિસમાસ છે. જે બહુવ્રીહિ સ્થળે સમાસના ઘટક શબ્દોથી વાચ્ય એવા પદાર્થો અન્યપદાર્થ ભેગા આવરાઇ જતા હોય તો ત્યાં તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ હોય છે. જેમકે ‘તન્વર્ઝમાનવ’સ્થળે આનયન ક્રિયામાં રાસભની ભેગા તેના લાંબા કાન પણ અન્વય પામે છે, તેથી તે તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ છે. જે બહુવ્રીહિ સ્થળે સમાસના ઘટક શબ્દથી વાચ્ય પદાર્થ અને અન્યપદાર્થ વચ્ચે સંયોગ કે સમવાય^) સંબંધ હોય ત્યાં તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ થશે. પ્રસ્તુતમાં વવિઃ બહુવ્રીહિસ્થળે મતિ શબ્દ અવયવ અર્થક છે અને અવયવ-અવયવી વચ્ચે સમવાય સંબંધ હોવાથી તે તદ્ગુણસંવિજ્ઞાન(B) બહુવ્રીહિ છે.
:
શંકા :- બહુવ્રીહિ સમાસથી પ્રાપ્ત થતા વાલિ શબ્દસમુદાયમાં તો ઘણા શબ્દો છે. તેથી ાવવ: આમ બહુવચન થવું જોઇએ. કેમ એકવચન કર્યું છે ?
સમાધાન :- ગ્રન્થકારે અહીં અવયવોની ગૌણતા અને સમુદાયની પ્રધાનતા વિવક્ષી છે, માટે વિઃ આમ એકવચન કર્યું છે.
(A) છીમાવેનાઽપૃથામનું સમવાયઃ સંશ્ર્લેષ:। (આવ. નિર્યુક્તિ, પૂ. મલયગિરિજી વૃત્તિ) અવયવી અવયવ વિના (કે ગુણી ગુણ વિના) સ્વતંત્ર પ્રાપ્ત થવો શક્ય નથી, કારણ એકમેકપણાને પામેલાં હોય છે, તેથી તેઓનો સમવાય સંબંધ હોય છે. માટે અવયવી જે ક્રિયામાં અન્વય પામશે ત્યાં અવયવ પણ અન્વય પામશે જ. માટે આવા સ્થળે અવયવી અવયવમાં સમવેત (સમવાય સં.થી વૃત્તિ) હોવાથી તે સંબંધને લઇને તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ પ્રાપ્ત થશે એમ સમજવું.
(B) ગુણસંવિજ્ઞાન અને અતદ્ગુણસંવિજ્ઞાન; એમ બહુવ્રીહિના બન્ને ભેદને વિશે વિસ્તારથી જાણવા ‘૧.૪.૭’ સૂત્રમાં નં. (1) નું અમારું વિવરણ જુઓ.