Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.२७
૨૦૧ હોય ત્યાં તે આદેશ પરવર્તી વસ્તુનું આદિ અવયવ બને છે અને પૂર્વવર્તી તથા પરવર્તી બન્નેને એકસાથે કાર્ય કરવાના હોય તેવા અવસરે ઉભયસ્થાનનિષ્પન્ન આદેશ કોઇનો પણ અંત્ય અવયવને આદિ અવયવનથી બનતો. આ લૌકિકી વિવેક્ષા (વ્યવસ્થા) કુળવધૂની જેમ ક્યારેય મર્યાદાને ઓળંગતી નથી. અર્થાત્ આ વ્યવસ્થામાં ક્યારેય વ્યભિચાર (બાંધછોડ) જોવામાં નથી આવતો. તો પથુદાસન પ્રમાણે વિભત્યંતથી ભિન્ન અને અર્થવાનરૂપે તેને સદશને નામસંજ્ઞાનું વિધાન હોવાથીનપુંસકલિંગ કાઇડે અને ચેને નામસંજ્ઞા થતા વિન્ગવે ૨.૪.૧૭' સૂત્રથી તેમના અંત્યસ્વરને હસ્વ આદેશ થવાની આપત્તિ આવશે.
સમાધાન - આપત્તિ નહીં આવે. કેમકે ‘ત્તિ સંધ્યાહ્નવ્ય' નિયમ મુજબ નપુંસકલિંગનો અન્વય દ્રવ્યને જ સંભવે. દ્રવ્યવાચિત્વનામમાં જ હોય, વિભત્યંતમાં નહીં. કેમકે વિભત્યંત શકિતપ્રધાન હોય છે. શકિત પ્રધાન એટલે કારકશકિત છે પ્રધાન જેને તે. ડે અને ક્યું ‘૩મસ્થાનનિષત્રો'ન્યાયના કારણે વિભત્યંત નથી મનાતા. બાકી વાસ્તવિકતાએ ન જોતાવેન નાનત્વે સત્યપિ – સંધ્યાપ્રાથનાં ઢીયતે' નિયમ મુજબ તેઓ પ્રથમ વિભક્તિના ર્ફ પ્રત્યયને લઈને કર્તૃત્વશક્તિના બોધક હોવાથી શક્તિપ્રધાન તેઓ વિભત્યંત છે, માટે તેમને નપુંસકલિંગનો અન્વયન થવાથી ‘વિજ્ઞવે ૨.૪.૧૭' સૂત્રથી તેમના સ્વરનો હસ્વ આદેશ થવાની આપત્તિ નહીં આવે.
શંકા - પ્રકૃતિ અને વિભક્તિના પ્રત્યયમાં વિભક્તિના પ્રત્યયો કર્તુત્વાદિ કારકશક્તિના બોધક હોય છે, જ્યારે નામાત્મક પ્રકૃતિ શક્તિમાન દ્રવ્યની બોધક હોય છે. જેમકે ‘વૈત્ર: Tછતિ' અહીં પ્રત્યય કર્તૃત્વશક્તિને જણાવે છે. અને ચૈત્ર પ્રકૃતિ કર્તૃત્વશક્તિથી વિશિષ્ટ શક્તિમાન ચૈત્ર કર્તાને જણાવે છે અર્થાત્ ગમનક્રિયાના કર્તા એવા ચૈત્રને જણાવે છે. આમ વિભત્યંતથી શક્તિ અને શક્તિમાન (દ્રવ્ય) બન્ને જણાતા હોવાથી ‘
નિસંધ્યાવદ્રવ્ય' નિયમ મુજબ વિભજ્યતને પણ લિંગનો અન્વય થઈ શકે છે. તેથી વડે તથા શ્વે ને નપુંસકલિંગનો અન્વય થઈ શકતા તેમના સ્વરના હસ્વઆદેશની આપત્તિ ઊભી જ છે.
સમાધાનઃ- અસત્ત્વવાચી હોવાથી અવ્યયને જેમ લિંગનો અન્વયનથી થતો, તેમ વિભર્યંતને પણ લિંગનો અન્વયનહીંથાય. માટે કોઇ આપત્તિ નથી. કહેવાનો ભાવ એ છે કે વિભત્યંત ક્યાંક સાધન (વિભાર્થ) પ્રધાન હોય છે. જેમકે –ાખે અને રુચે ; અને ક્યાંક તે ક્રિયાપ્રધાન હોય છે, જેમકે – રમતે બ્રાહ્મણjનમ્, અહીં વિભર્યંત રમતે ક્રિયાપ્રધાન છે. ડે અને ચેનો અર્થ કાષ્ઠના સ્થાને અને કુષ્યના સ્થાને થતો હોવાથી અહીં સપ્તમી વિભજ્યર્થ ‘અધિકરણ” અર્થ પ્રધાન બને છે અને રમતે સ્થળે રમવાની ક્રિયા' અર્થ પ્રધાન બને છે. કોઈપણ વસ્તુનો પ્રધાનની સાથે અન્વય થાય. અહીં પ્રધાન અધિકરણતા અને રમવાની ક્રિયા બને છે. જે અસત્ત્વવાચી (અર્થાત્ અદ્રવ્યવાચી) હોવાથી એમનામાં લિંગપ્રતિપાદનનું સામર્થ્ય નથી. કેમકે ભાવશક્તિ એટલે કે પદાર્થશક્તિ વિચિત્ર હોય છે. આમ અહીંનપુંસકલિંગનો અન્વય નહીં થાય. કેમકે આગળ આપણે જોઈ ગયા છીએ કે લિંગ અને સંખ્યાનો અન્વય દ્રવ્ય સાથે થાય છે. આમ વડે અને ચે તથા રમતે નપુંસક ન થવાથી ત્યાં હસ્વ આદેશની આપત્તિ નહીં આવે.