Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૯૯
આ છ પ્રકારના નમ્ માં અઘોષ ના નનો સમાવેશ ચોથા પ્રકારમાં થશે. અ = અલ્પ. ઘોષ = ધ્વનિ. જે વ્યંજનોનો ઉચ્ચાર કરવામાં અલ્પ(A) ધ્વનિ નીકળે છે, તેને અયો(B) વ્યંજન કહ્યાં છે.
૨.૧.૧૩
શંકા :- અઘોષ નો બહુવ્રીહિ સમાસ કર્યો છે તેના બદલે ‘7 ઘોષ તિ ઞયોવઃ' એમ ક્ તત્પુરૂષ સમાસ
=
કરી, અઘોષોઽસ્તિ અન્ય એમ મત્વર્થીય પ્રત્યય દ્વારા આ પ્રયોગ સિદ્ધ ન કરી શકાય ?
:
સમાધાન ઃ- ન કરી શકાય. કારણ કે નિયમ છે કે ‘7 વર્મધારવાન્નત્વર્થીવો બહુવ્રીહિક્ષેત્ તર્થપ્રતિપત્તિ: (C) ‘જો બહુવ્રીહિ સમાસથી અર્થની પ્રતીતિ શક્ય હોય તો અન્ય સમાસ કરી મત્વર્થીય પ્રત્યય કરાતો નથી.’ સમાસ કરી મત્વર્થીય પ્રત્યય ન કરવા પાછળ કારણ એ છે કે સમાસ અને તષ્ઠિત એમ બે વૃત્તિનો આશ્રય લેવો પડે છે, જેમાં પ્રક્રિયાગૌરવ થાય છે. જ્યારે બહુવ્રીહિ સમાસ કરવામાં સમાસરૂપ એક જ વૃત્તિનો આશ્રય કરવો પડે છે, જેમાં લાઘવ છે. તેથી ન વિદ્યતે ઘોષો યેવાં તે એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ જ થશે.
(3) ૢ વ્, ચ્ છુ, ર્ ર્, સ્ થ્, પ્ તથા ર્ ર્ અને સ્ આ વર્ણો અઘોષસંજ્ઞક થાય છે.
(4) શંકા :- માત્રાલાઘવ થાય તે હેતુથી બધા સૂત્રોમાં ‘મૂત્રત્નાત્ સમાહાર: ’ન્યાયથી જેમ સમાહાર કરાય છે, તેમ અહીં પણ સૂત્રકારે આદિતીયરાજસમ્) એમ સમાહાર કરવો જોઇએ, કારણ કે ‘અર્યમાત્રાતાયનમધુભવાય મન્યો લેવાનળા: ' અર્ધમાત્રા જેટલું પણ લાઘવ થાય તેને વ્યાકરણકારો ઉત્સવરૂપ માને છે.(E) (A) અહીં શંકા થશે કે ‘નમ્ નો અર્થ ‘પ્રતિષેધ' જ હોઇ શકે, તો શી રીતે અહીં તેનો ‘અલ્પતા’ અર્થ બતાવી શકાય?' પરંતુ અલ્પતા અર્થ હોવા છતાં નગ્ નો પ્રતિષેધ અર્થ તો ઊભો જ રહે છે. કેમકે નક્ દ્વારા મોટા ઘોષનો પ્રતિષેધ થઇ જાય છે.
(B) उच्चारणे वायोरल्पतया नादेषन्नादौ न श्रूयेते किन्तु श्वासोच्छ्वासौ श्रूयेते, अतस्ते अघोषा भवन्ति इति शेषः (शिक्षावल्लीविवृत्तिः) । (C) ર્મધારય શબ્દ અહીં ઉપલક્ષણ છે. તેથી તેનાથી અહીં બહુવ્રીહિ સિવાયના કોઇપણ સમાસથી પરમાં મત્વર્થીય પ્રત્યયનો પ્રતિષેધ સમજવો. પણ શરત એટલી કે જે અર્થ જણાવવો અભિપ્રેત હોય તે એકલા બહુવ્રીહિથી જણાતો હોવો જોઇએ.
(D) આઘદ્વિતીયાવસા:; અહીં વિસર્ગની પૂર્વે વર્તતા માઁ ની બે માત્રા થાય છે અને દ્વિતીયાપમ્ પ્રયોગ કરવામાં આવે તો મ્ ની પૂર્વે વર્તતા અઁ ની ફકત એક માત્રા થાય છે. તેથી સમાહાર ધન્ધ કરવામાં લાઘવ છે. બન્ને સ્થળો પૈકી એક સ્થળે વિસર્ગ છે અને બીજા સ્થળે મ્ છે, જેમની અડધી અડધી માત્રા હોવાથી તેમને લઇને ગૌરવલાઘવ બતાવવાનું નથી રહેતું અને બાકીનું બધું તો સરખું જ છે.
(E) લઘુન્યાસમાં આ શંકાનું સમાધાન આવું બતાવ્યું છે કે બહુવચન દરેક વર્ગના આદ્ય-દ્વિતીય વર્ણના પરિગ્રહને માટે છે. જો એકવચન કરવામાં આવે તો સૂત્રમાં દર્શાવેલા કેવલવર્ણ એવા , પ્ અને સ્ના સાહચર્યથી આદ્યદ્વિતીયવર્ણો પણ કેવળ ૢ અને વ્ રૂપે ગ્રહણ થવાની આપત્તિ આવે. અવ્યભિચારી દ્વારા વ્યભિચારીનું નિયંત્રણ કરવું એ સાહચર્યનું કામ છે. પ્રસ્તુતમાં ર્, પ્ અને સ્એ કેવળવર્ણ રૂપે જ હોવાથી તેઓ અવ્યભિચારી છે,જ્યારે–