Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૨.૧૭
૧૨૭
જેના અલ્પપ્રાણ છે તે સિવાયના બાકીના બધા વ્યંજનો ‘મહાપ્રાણ’ છે.
ઉદાત્ત-અનુદાત્ત અને સ્વરિત, એ ત્રણેય બાહ્યપ્રયત્નો સ્વરમાં જ સંભવે છે, વ્યંજનમાં નહીં. તેથી અહીં વ્યંજનમાં બાહ્યપ્રયત્નના વિભાજનમાં ઉદાત્તાદિનું કથન નથી કર્યું.
શંકા ઃ- બાહ્યપ્રયત્નોને વારવા સૂત્રમાં તમે ઞસ્ય શબ્દને પ્રયત્ન શબ્દનું વિશેષણ બનાવ્યું. છતાં અ વર્ણને સ્વ સંજ્ઞા નહીં થઇ શકે. કેમકે અ વર્ણનું સ્થાન આસ્યથી બાહ્ય કાકલીની નીચે વર્તતા ઉપજત્રુ^) સ્વરૂપ છે, માટે તેની નિષ્પત્તિમાં આસ્યપ્રયત્ન ઉપયોગી નહીં થઇ શકે. હવે જો અ વર્ણને આસ્યપ્રયત્ન જ ન સંભવે તો સ્વસંજ્ઞામાં હેતુભૂત આસ્યપ્રયત્નની તુલ્યતા તેની કોની સાથે બતાવવી ? અને તે ન બતાવી શકાતા અઢારે પ્રકારના અ વર્ણને પરસ્પર સ્વસંશા નહીં થઇ શકે.
ન
સમાધાન :- આ આપત્તિ નહીં આવે. કેમકે ઞ વર્ણ મુખના સર્વ સ્થાનવાળો(B) છે. અર્થાત્ મુખવર્તી સમગ્ર સ્થાનો અ વર્ણની નિષ્પત્તિમાં વપરાય છે. આથી તે મુખથી બાહ્ય સ્થાનવાળો નથી. તેથી તેની નિષ્પત્તિમાં આસ્યપ્રયત્ન ઉપયોગી થવાનો જ. આમ આસ્યપ્રયત્નની તુલ્યતાવાળા અઢારે પ્રકારના ૪ વર્ણ પરસ્પર સ્વ થઇ શકશે.
શંકા :- ઞ + ૐ = ૫ અને ઞ + ૩ = ઓ થાય. આથી ૬ અને ઓ નો પ્રથમ અંશ ઞ છે જે બીજા મૈં ને સ્થાન અને આસ્ય પ્રયત્નને લઇને સદશ હોવાથી ૬-ો અને અ વર્ણ વચ્ચે સ્વત્વની આપત્તિ આવશે.(C)
સમાધાન :- ૬-ઓ માં વર્તતો TM અંશ તેના બીજા અંશ રૂ-૩ સાથે ધૂળ અને પાણીની) જેમ પ્રશ્લિષ્ટ (= અત્યંત એકમેક થઇ ગયો) છે. તેથી ત્યાં અ અંશનો ભેદ પારખી તેની બીજા જ્ઞ ની સાથે સ્થાન અને આસ્યપ્રયત્નની તુલ્યતા બતાવવી શક્ય ન બનતા ૫- મો અને અ વર્ણ વચ્ચે સ્વત્વની આપત્તિ નહીં આવે.
શંકા :- ભલે ૬-ઓ સ્થળે તેમના અવયવો પ્રશ્લિષ્ટ હોય પરંતુ છે-ઓ સ્થળે ક્રમશઃ અ + રૂ અને ઞ + ૩ અવયવો વિશ્લિષ્ટ(E) (= એકમેક ન) હોવાથી તેમના – અવયવ સાથે બીજા ૬ ની તુલ્યતા બતાવવી શક્ય બનતા છેઓ તથા અ વર્ણ વચ્ચે સ્વત્વની આપત્તિ આવશે.
(A) ગળાની નીચેના ભાગમાં વર્તતા ખભાના સાંધારૂપ બે હાડકાને જવુ કહેવાય.
(B) અહીં મૈં વર્ણનું સ્થાન ‘ઉપજવુ’ છે, આ એક મત છે. તેથી તેનું સમાધાન ‘વક્ષાનુરૂપવૃત્તિ: ' ન્યાયે આ મતાંતરને આશ્રયીને કર્યું છે.
(C) -ો નો ઉત્તરાંશ રૂ અને ૩ છે. તેથી અહીં ૬-ઓ ને ક્રમશઃ ક઼-૩ સાથે પણ સ્વત્વની આપત્તિ અને સમાધાન ઉપર મુજબ સમજવા.
(D) ભળેલા ધૂળ અને પાણીમાં જેમ જુદા જુદા ભાગ નકકી કરી શકાતા નથી. તેમ -ઓ સ્થળે પણ આટલો ભાગ ઞ નો અને આટલો ભાગ ફૅ-૩ નો તેમ નક્કી થઇ શકતું નથી. બન્ને વર્ણો વચ્ચે ભેદ હોવા છતાં તેઓ અત્યંત ભળી ગયા હોવાથી તેઓ વચ્ચે ભેદ અનુભવી શકાતો નથી.
(E) હું અને અે સ્થળે ગ...રૂ અને સ.... આમ અવયવો પૃથક્ ધ્વનિત થાય છે, તે પ્રત્યક્ષસિદ્ધ છે.