Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૯૧ શંકા - જે અર્થવત્ ન હોય તેને નામસંજ્ઞા થઇ જાય તો શું વાંધો છે?
સમાધાન - વ્યુત્પત્તિપક્ષે વન સમજો, ધન શત્રે એ પ્રમાણે વ અને ધન્ ધાતુ ઉપરથી જેમ વન અને ધન શબ્દો નિષ્પન્ન થયેલા મનાય છે, તેમ અવ્યુત્પત્તિપક્ષેA) વન અને ધન શબ્દોમાં ધાતુ અને પ્રત્યય આવા કોઇ વિભાગ મનાતા ન હોવાથી વન અને ધન શબ્દો અખંડ મનાય છે. તેથી જ્યારે અવ્યુત્પત્તિ પક્ષનો આશ્રય કરાય ત્યારે વન, ધન એ અખંડ શબ્દ જ અર્થાત્ બને, તેના વન્કે ધન્ અવયવ નહીં.
હવે સૂત્રમાં જો અર્થવ પદનો નિવેશન કરાય તો અનર્થક એવો વકે ઘન અવયવ પણ નામ થવાથી નાનં: પ્રથમૈતા. ર.૨.૩' વિગેરે સૂત્રથી તેને સ્વાદ્રિ પ્રત્યય થતા તે પદ બનવાથી ‘નાનો નો ૨..૨૨' સૂત્રથી ન ના લોપનો પ્રસંગ આવશે.
શંકા - છતાં વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરીએ તો એ પ્રકૃતિ (ધાતુ) અને મ પ્રત્યયહોવાથીવન અર્થવાનું છે જ. તેથી વન્ નામ બનવાથી દ્રિ પ્રત્યય પર છતાં લોપનો પ્રસંગ છે.
સમાધાન - વ્યુત્પત્તિપક્ષ એ ધાતુ હોવાથી ધાતુ પદથી જ તેને નામસંજ્ઞાનું વર્જન સિદ્ધ છે, તેથી – લોપનો સંભવ જ નથી.
(10) શંકા - માનો કે કોક વ્યક્તિએ ઉચ્ચારણશક્તિની વિકલતાના કારણે જે એવો પ્રયોગ કરવાના બદલે જો પ્રયોગ કર્યો. હવે તેની સમીપમાં રહેલી વ્યક્તિને કો'ક ત્રીજી વ્યક્તિએ પૂછ્યું કે - “પેલા ભાઇ શું બોલ્યા?” ત્યારે આ વ્યકિત પેલાનું અનુકરણ કરતા કહેશે કે - “ એમ બોલ્યા.' તો પ્રશ્ન એ છે કે અનુકરણરૂપમા જો શબ્દ નામ કહેવાય કે નહીં?
સમાધાન - અમે આનો જવાબસ્યાદ્વાદનો) આશ્રય કરીને આપશું. (૧) જો અનુકાર્ય-અનુકરણની C) (A) અવ્યુત્પન્ન શબ્દોમાં પ્રકૃતિ અને પ્રત્યય એવો વિભાગ ઘટતો નથી, તે રૂઢિ શબ્દો છે. (B) અનુકર્તા જ્યારે નામ7-ધાતુત્વ વિગેરે ધર્મોની અપેક્ષાએ કોઇક શબ્દનું અનુકરણ કરે છે, ત્યારે નામ-ધાતુ
વિગેરે અનુકાર્યને ઉદ્દેશીને થનારા કાર્યો અનુકરણમાં પણ થશે. પરંતુ અનુકર્તા જો ‘શબ્દવીરૂપ સામાન્યધર્મને લઈને જ નામ-ધાતુ વિગેરેનું અનુકરણ કરે તો નામ-ધાતુ વિગેરેને ઉદ્દેશીને થનારા કાર્યો અનુકરણમાં નહીં થાય. આમ અનુકર્તાની વિવક્ષારૂપસ્યાદ્વાદના બળથી ઉભયપક્ષ સંભવે છે. આને જ કેટલાક વૈયાકરણો શબ્દાર્થનું અનુકરણ અને શબ્દનું અનુકરણ એમ બે પ્રકારે વર્ણવે છે. (વિશેષ જાણવા ન્યાય સમુચ્ચય” ની ‘પ્રકૃતિવનું
રા'ન્યાયની તરંગટીકા જુઓ.) અનુકાર્ય એટલે જેનું અનુકરણ કરવામાં આવ્યું છે તે મૂળ વક્તાનો શબ્દ. જેમકે પ્રસ્તુતમાં ઉચ્ચારણ શક્તિથી | વિકલ એવી પ્રથમ વ્યકિતએ ઉચ્ચારેલ જો શબ્દ અનુકાર્ય છે. તથા અનુકરણ એટલે અનુકાર્ય (મૂળ વક્તાના શબ્દ) માં જેવી વર્માવલી છે તેવા પ્રકારની જ વર્ષાવલીપૂર્વક પુનઃ ઉચ્ચારાયેલો શબ્દ. જેમકે રામીપવર્તી વ્યકિતએ જો એમ કરેલું અનુકરણ.