Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૩૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પ્રત્યયાત્ત ગ્રહણનો પ્રતિષેધ નથી કરવો, પણ સંપૂર્ણ સંજ્ઞાવિધિમાં પ્રત્યયનું ગ્રહણ હોતે છતે પ્રત્યયાન્તના ગ્રહણનો પ્રતિષેધ કરવો છે. તેથી પૂર્વસૂત્ર શબ્દ સંપૂર્ણ સંજ્ઞાવિધિનું ઉપલક્ષણ છે એમ સમજવું.
શંકા - ‘સંધિવા 'ન્યાય મુજબ સંજ્ઞા પ્રકરણમાં પ્રત્યયનું ગ્રહણ હોતે છતે જો ફક્ત પ્રત્યયનું જ ગ્રહણ કરવાનું હોય તો ‘મધાતુવિ૦િ ૨.૧.ર૭' સૂત્રથી નામસંજ્ઞા કરવાના અવસરે ફક્ત કૃત અને તદ્ધિત પ્રત્યયોને જ નામસંજ્ઞા થશે, કૃદંત અને તદ્ધિતાંત શબ્દોને નહીં.(A)
સમાધાન - ભલેને તેમ થાય. એમાં શું વાંધો છે?
શંકા - તેમ થવાથી વિવ પ્રત્યયાત છે અને પિ વિગેરે સ્થળે 'અધાતુવિ૦િ ' સૂત્રથીનામસંજ્ઞા નહીં થઇ શકે. કેમકે ત્યાં નામસંજ્ઞા પામનાર સર્વથા ઇત્ એવો વિશ્વ પ્રત્યય ગેરહાજર છે.
સમાધાન - ‘અધાતુવિMo' સૂત્રથી અર્થવાન શબ્દને નામ સંજ્ઞા થાય છે. તેથી ભલે -મિત્ સ્થળે વિવપ્રત્યય ગેરહાજર હોય છતાં તેઓ પોતે છેદનાર’ અને ‘ભેદનાર” અર્થવાળા હોવાથી તેમને નામસંજ્ઞા થઇ જશે.
શંકા - “વિવવ વાતુર્વ નૌત્તિ દ્વગ્ન પ્રતિપદ?'ન્યાયમુજબ વિવFપ્રત્યયાન્તપિત્ ધાતુ ગણાય અને અધાતુવિMo' સૂત્રમાં નામસંજ્ઞા પામનારમાં ધાતુનો નિષેધ કર્યો છે. તેથી દ્િષ ને નામ સંજ્ઞા નહીં થઈ શકે.
સમાધાનઃ- “પ્રત્યજ્ઞોપરિ પ્રત્યક્ષનું કાર્ય વિજ્ઞા'ન્યાય મુજબ વિશ્વ પ્રત્યય લોપાયો હોવા છતાં ન્દ્રિ-મિત્ શબ્દોને વિશ્વપ્રત્યય નિમિત્તક નામસંજ્ઞા રૂપ કાર્ય થઇ જશે. માટે કોઇ આપત્તિ નથી.
શંકા - હાલ આપણે વિશ્વ પ્રત્યયના નિમિત્તે દ્િપદ્ શબ્દોને નામસંજ્ઞા કરવાની વાત નથી, પરંતુ “સંસાધા'ન્યાય મુજબ વિવ પ્રત્યયને પોતાને નામસંજ્ઞા થવાની વાત છે. હવે “પ્રત્યયોપેડ' ન્યાય લુપ્ત પ્રત્યયન નિમિત્તે જો કોઇ બીજાને કાર્યપ્રાપ્ત હોય તો તેનો લાભ કરાવી આપે છે, પરંતુલુમ પ્રત્યયને પોતાને પ્રાપ્ત કાર્યનો લાભ કરાવી આપતો નથી, કેમકે જે વસ્તુ લોપાઇ ગઇ છે તે અસત્ (લોકમાં અવિદ્યમાન) છે અને અસત્ વસ્તુ માટે સેંકડો કથન કરવામાં આવે તો પણ તે કાર્ય રૂપે પ્રાપ્ત ન થઈ શકે. પ્રસ્તુતમાં લુપ્ત વિશ્વ પ્રત્યય અસત્ છે માટે તે નામ સંજ્ઞાના કાર્યો રૂપે પ્રાપ્ત થશે નહીં.
(A) આવ્યાકરણમાં કૃદંત અને તદ્ધિપ્રત્યયાતોને નામસંજ્ઞા કરનારુ વિશેષ એવું કોઈ સૂત્રનથી. પરંતુ અપાતુવિપત્તિ
૨..ર૭' સૂત્રમાં વિભક્તિનો નિષેધ કરવા દ્વારા પર્યદાસ નગ્ન ને આશ્રયી બાકીના સર્વ પ્રત્યયાન્તોને નામ સંજ્ઞા કરવામાં આવી છે. હવે આ સૂત્રમાં ગત શબ્દ મૂકવાથી સંધિ'ન્યાય જ્ઞાપિત થાય છે. માટે આ શંકા ઊભી કરવામાં આવે છે.