Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૭૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ‘મારઃ ૨..૪૨' વિગેરે સૂત્રોથી ક્રમશઃ વિદ્ ના ૬ નો મો, થર્ વિગેરેના સ્ નો મા અને તદ્ ના ટુ નો આ વિગેરે સ્થળે વ્યંજનના સ્થાને આદેશ નહીં થઈ શકે.
સમાધાન - આ પરિભાષા લિંગવતી (ચિહ્નને આશ્રયીને પ્રવર્તનારી) છે. અર્થાત્ (સ્થાનિના નિર્દેશ વિનાના) જે સૂત્રોમાં સ્વરાત્મક આદેશ હસ્ત, દીર્ઘ કે સ્કુત સંજ્ઞારૂપચિહ્નને લઇને બતાવ્યા હોય ત્યાં જ આ પરિભાષા ઉપસ્થિત થાય છે, અન્યત્ર નહીં. ‘વિ : ' વિગેરે ત્રણે સૂત્રોથી ક્રમશઃ જે ઓ, મા અને ન આદેશ થાય છે, તે અનુક્રમે દીર્ઘ, દીર્ધ અને સ્વરૂપે નથી બતાવ્યા, પણ ગૌ, મા અને વર્ણ રૂપે બતાવ્યા છે. તેથી આવા સ્થળે પ્રસ્તુત પરિભાષા ઉપસ્થિત ન થવાથી ('જાન્યસ્થ ૭.૪.૨૦૬' પરિભાષા મુજબ) રિવ વિગેરેના અંત્ય વ્યંજનનો સ્વરાત્મક આદેશ થઇ શકે છે અને , પચા. તેમજ : વિગેરે પ્રયોગ સિદ્ધ થાય છે.
શંકા - પ્રસ્તુત મોન્તા: સ્વરા -દ્વિ-ત્રિમાત્રા હૃસ્વ-વીર્ઘ-સ્તુતા:' પરિભાષા ઉપરથી આવો અર્થ શી રીતે પ્રાપ્ત થઈ શકે ?
સમાધાનઃ- આ પરિભાષામાં ગો સુધીના વર્ગોને ઉપસ્થિત કરાવવા સાક્ષાત્ વત્તા: પદ મૂકી જ દીધું છે. તેથી ‘હસ્વતીનુતા:' પદ કાંઇ મો સુધીના વર્ગોની ઉપસ્થિતિ કરાવવા વાપરવાનું રહેતું નથી. તેથી તે સ્વરૂપ પદાર્થક = હસ્ય, દીર્ઘ અને ડુત સંશાત્મક અર્થને જ જણાવતું) છતું (સ્વરના આદેશરૂપે) વિધાન કરાતા મો સુધીના વર્ષોના વાચક મોન્તા: પદની વિશેષણતાને પામે છે. અર્થાત્ સ્વ-વર્ષ-સ્તુત: પદ મોત: પદ સાથે અન્વય પામે છે. તેથી પરિભાષાનો અર્થ આવો થશે કે ‘સ્વરના સ્થાને મો સુધીના વર્ગો આદેશ પામે છે. જે સુધીના વર્ણો કેવા કેવા ? હ્રસ્વ-દીર્ધ-પ્લત આવી સંજ્ઞારૂપે વિધાન કરાતા.” અર્થાત્ સ્વરના સ્થાને તે જ (એક, બે અને ત્રણ માત્રાવાળા) નો સુધીના વર્ગો આદેશ પામશે, જેઓ સૂત્રમાં હસ્વાદિ સંજ્ઞારૂપે વિધાન કરાયા હોય. આમ પ્રસ્તુત પરિભાષા થકી ઉપરોક્ત સમાધાનમાં કહેલો અર્થ પ્રાપ્ત થાય છે. શિવ મોઃ સૌ ૨.૪.૨૨૭' સૂત્રમાં આ આદેશ સ્વરૂપથી ( રૂપે) વિધાન કરાયો છે, દીર્ધરૂપે નહીં. આથી ત્યાં દીર્ધસંજ્ઞા રૂપ લિંગ ગેરહાજર હોવાથી સ્વર’ આદેશીરૂપે ઉપસ્થિત થતા વિના સ્વરનો નહીં પરંતુ વ્યંજનનો તે સૂત્રથી ઓ આદેશ થાય છે. અન્યત્ર પણ આમ સમજી લેવું, જેથી બધી ઘટમાનતા બરાબર થશે.
શંકા - પ્રસ્તુત પરિભાષાના અર્થને જણાવનાર ‘ચ તસ્વ--પનુ : 'ન્યાય છે જ. તેથી શા માટે ‘૧.૧.૪ અને ૧૧.૧.૫” આ બન્ને સૂત્રોનો સંહિતા પાઠ કરી પ્રસ્તુત પરિભાષાને ઘડવી પડે?
સમાધાન :- એ ન્યાય આ પરિભાષામૂલક જ છે અર્થાત્ એ ન્યાયથી થતું કાર્ય આ પરિભાષાને લઈને જ થાય છે. ન્યાય તો સુખેથી પરિભાષાનો અર્થ સમજાવી શકાય તે માટે તેના અનુવાદક રૂપે આચાર્યો વડે બોલાય છે.