________________
(૪), તેને ત્રીજા વર્ગમૂળરૂપ સમનન્તર વર્ગમૂળ વડે ગુણીએ (ચારને બે વડે ગુણીએ) તો સૌધર્મદેવોની વિસ્તાર સૂચિ થાય છે. એ પણ સદ્ભાવથી જો કે અસંખ્યાત શ્રેણિવાળી છે, તો
પણ કલ્પના વડે તો આઠ· શ્રેણિ જેટલી જ સિદ્ધ છે. એ પ્રમાણે આ અભિપ્રાય તો આ ગ્રંથકર્તાનો છે, અને તે અભિપ્રાય શ્રી પ્રજ્ઞાપનાજીના મહાદંડક સાથે અને અનુયોગદ્વાર આદિ સૂત્રો સાથે વિસંવાદવાળો છે. તે આ પ્રમાણે -
।।ભવન૦ - રત્નપ્રભા - અને સૌધર્મની શ્રેણિસૂચિનો પ્રજ્ઞાપનાજી સાથે વિસંવાદ ॥
શ્રી પ્રજ્ઞાપનાજીના મહાદંડકના આલાપકમાં ભવનપતિદેવોથી રત્નપ્રભાપૃથ્વીના નારકો અસંખ્યાતગુણા કહ્યા છે. અને ગ્રન્થની આ ગાથામાં તો રત્નપ્રભાની વિધ્યુંભસૂચિથી ભવનપતિદેવોની વિધ્વંભસૂચિ અસંખ્યાતગુણ મોટી હોવાથી-કહેવાથી રત્નપ્રભાના નારકોથી ભવનપતિદેવો અસંખ્યાતગુણા થયા, માટે એ પ્રગટ વિસંવાદ છે. અનુયોગદ્વારમાં પણ રત્નપ્રભાના નારકોની સંખ્યાના વિચારમાં અધિકારમાં તાસિરૂં સેઢીનું વિ ંમપૂર્વ અંગુતપઢમવામૂર્ત વીયવળમૂતપડુપ્પાં એમાં પડુપ્પાં પ્રત્યુત્પન્ન એટલે ગુણાકાર કરવો એ અર્થ છે,’ એ વચનથી, અને ભવનપતિની સંખ્યાના વિચારમાં ‘તાસિ ાં સેઢીમાં વિ ંમપૂર્વ અંશુલપઢનવમૂત્તસગસંવેદ્ધમાનો' એ વચનથી (એ રીતે બે પાઠનો સંબંધ વિચારતાં), રત્નપ્રભાનારકોની વિધ્વંભસૂચિથી ભવનપતિઓની વિધ્વંભસૂચિ અસંખ્યાતમા ભાગ જેટલી સ્પષ્ટ જ કહી છે, માટે આ ગ્રન્થની સાથે વિસંવાદ પણ સ્પષ્ટ જ છે. તે કારણથી અહીં મૂળપાઠમાં ધર્મો ભવળે તહેવ સોદર્ભો એવો ફેરફારવાળો પાઠ હોય તો કોઈક રીતે કેટલીક વાત મળતી આવે, પરંતુ એવા પ્રકારનો પાઠ કોઈપણ બીજી પ્રતિઓ (બીજી આ ગ્રન્થની પ્રતો)માં દેખાતો નથી. હવે એ બાબતના અધિક વિસ્તારથી સર્યું.
-
વળી આ ગ્રન્થમાં ઈશાનદેવલોકના દેવોની વિધ્યુંભસૂચિ કહી નથી, પરંતુ શ્રીપ્રજ્ઞાપનાજીના મહાદંડકમાં ઈશાનદેવોથી સૌધર્મકલ્પના દેવો સંખ્યાતગુણા કહ્યા છે, તે અનુસારે તેની (ઇશાનદેવોની) વિષ્ફભસૂચિ પણ પોતાની મેળે વિચારવી. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।૧૫૭૭]
અવતરણ: હવે આ ગાથામાં શર્કરાપ્રભાપૃથ્વીના નારકોનું અને સનત્કુમારાદિ દેવોનું પ્રમાણ અતિવિશેષપણે કહેવાય છે, તે આ પ્રમાણે :
बारस दस अद्धेव य, मूलाई छत्ति दुन्नि नरएसु ।
एक्कारस नव सत्त य, पणग चउक्कं च देवेसु || १५८ ||
ધાર્થ: તમઃતમાદિ ૬ પૃથ્વીઓમાં અનુક્રમે બારમું - દશમું - આઠમું - છઠ્ઠું - ત્રીજું - અને બીજું વર્ગમૂળ કરીએ તેટલા નારકો, અને દેવોમાં સનત્કુમારથી પ્રારંભીને અનુક્રમે અગિયારમું – નવમું - સાતમું – પાંચમું - અને ચોથું વર્ગમૂળ કરીએ તેટલા વૈમાનિકદેવો છે, એમ જાણવું. ૫૧૫૮ી
૧.પૃ. ૨૩૧માં ટિ. નં. ૨.૩ જુઓ.
Jain Education International
For Privatersonal Use Only
www.jainelibrary.org