Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 463
________________ અજ્ઞાનાદિક ભેદોમાં (ત્રણ અજ્ઞાનમાં) ક્ષાયોપશમિકભાવ કહ્યો તે વસ્તુના અવબોધમાત્રની અપેક્ષાએ જ કહ્યો (પરન્તુ વિપરીત કે અવિપરીતના વિશેષથી નહિ). કારણ કે - વસ્તુનો અવબોધ સર્વ પણ એટલે વિપરીત અવબોધ હોય અથવા તો અવિપરીત અવબોધ હોય તો પણ અવબોધ તો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જ થાય છે. અને એજ બોધમાં વિપર્યાસપણારૂપ જે અજ્ઞાનભાવ થાય છે તે તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વમોહનીય એ બે કર્મના ઉદયથી જ થાય છે. માટે એક જ અજ્ઞાનમાં ક્ષયોપશમભાવ અને ઔદિયકભાવ એ બે ભાવ કહેવા વિરોધવાળા નથી. એ પ્રમાણે બીજા જીવગુણોમાં પણ (જ્યાં બે ભાવની પ્રાપ્તિ હોય ત્યાં) વિરોધનો પરિહાર જાણવો. તથા અનય - અયતપણું એટલે અવિરતિપણું તે પણ અપ્રત્યાખ્યાનાવરણ કાયના ઉદયથી થાય છે. અને ખ્રસ્ત‰ળી - અસંક્ષિપણું મનઃઅપર્યાપ્તિનામ કર્મના ઉદયથી અને જ્ઞાનાવરણીયાદિકના ઉદયથી થાય છે. મિચ્છા - મિથ્યાત્વ તે મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી થાય છે. આહારે - આહારકપણું એ ક્ષુધા વેદનીય તથા આહાર પર્યાપ્તિ આદિ નામકર્મના ઉદયથી થાય છે. એ પ્રમાણે યથાયોગ્ય પોતપોતાના કર્મના ઉદય વડે ઉત્પન્ન થતા હોવાથી એ ગતિ આદિ જીવપર્યાયો સર્વે ઔદયિક ભાવમાં ગણાય છે. ૫ પ્રશ્ન: જો એ પ્રમાણે (ઔદયિકભાવના એ જ ભેદો) છે તો પાંચ નિદ્રા-વેદના હાસ્ય-રતિ-અરતિ-આદિ તેમજ અસિદ્ધત્વ, સંસારીપણું ઇત્યાદિ બીજા પણ કર્મોદયથી ઉત્પન્ન થયેલા અનેક પર્યાયો જીવોમાં છે, તો તે પર્યાયોને પણ અહીં (ઔદયિકભાવમાં) કેમ ન ગણ્યા? ઉત્તરઃ એ પૂછવું સત્ય છે, પરન્તુ એ કહેલા પર્યાયો પણ ઉપલક્ષણથી (આ ભાવમાં) જાણવા, અને સંભવતા એવા બીજા બીજા પર્યાયો પણ (તે ભાવમાં) જાણવા. હવે પારિગામિળમાવ કહેવાય છે. નિય મન્વિયરિયત્તિ ય સહાવો- જીવત્વ તથા ભવ્યત્વ અને તેથી ઇતર તે અભવ્યત્વ એ ત્રણ જીવના સ્વભાવ છે, અર્થાત્ અનાદિકાળથી વર્તતા ભાવ છે, અથવા આત્મગત સ્વરૂપ છે, અર્થાત્ અનાદિ પરિણામી ભાવ છે - એ ભાવાર્થ છે. એ ૧. ગ્રન્થાન્તરોમાં ૨૧ ઔયિકભાવ કહ્યા છે, તેમાં આ અસંક્ષિપણું ગણ્યું નથી. તેમજ આગળ કહેવાતું આહારીપણું પણ ઘણા ગ્રન્થોમાં ગણ્યું નથી, તેથી જો કે એ બે ભાવ ઔયિક ન હોય એમ તો નથી જ, એ બન્ને ઔદિયકભાવ જ છે. પરન્તુ અહીં ઔદયિકભાવોની સંખ્યાનો નિયમ ન રાખવાની અપેક્ષાએ એ બન્ને ભાવ ગણ્યા છે. ન ૨. અપર્યાપ્તનામકર્મ ઉચ્છવાસઅપર્યાપ્તનામકર્મ, ભાષાઅપર્યાપ્તનામકર્મ અને મનઃઅપર્યાપ્તનામકર્મ એમ ત્રણ પ્રકારનું છે. માટે અહીં મનઃઅપર્યાપ્તનામકર્મ ગ્રહણ કર્યું, કારણ કે મનના અભાવે જ અસંક્ષિપણું હોય છે. ૩, ક્ષુધાવેદનીય એ અશાતાવેદનીયમાં અન્તર્ગત છે. ૪. આહા૨૫ર્યાપ્તિનામકર્મના ઉદયથી આહારગ્રહણ અને ખલ૨સપરિણમન હોય છે. પરન્તુ (એ) નામકર્મના ઉદયથી ક્ષુધાની ઉત્પત્તિ માનવી એ કંઈક વિચારવા યોગ્ય તો છે, કારણ કે ક્ષુધા ઉત્પન્ન થયા બાદ આહારગ્રહણાદિમાં જ એનું પ્રયોજન છે. ૫. જેમ ક્ષાયોપમિકભાવમાં અન્ય ગ્રંથોમાં ૧૮ સંખ્યાનો, અને ઔયિકભાવમાં ૨૧ સંખ્યાનો નિયમ રાખ્યો છે, તેમ આ ગ્રંથમાં સંખ્યાનિયમ રાખવામાં આવ્યો નથી. કારણ કે ક્ષયોપશમભાવમાં ૨૧ ગણાવ્યા, અને અહીં ૨૮ ગણાવ્યા, અને અસિદ્ધત્વભાવ ગણાવ્યો નથી. એ સર્વ ગ્રંથકર્તાની વિવક્ષામાત્ર જેટલો ભેદ છે, પરન્તુ તેથી વિસંવાદ કે વિરોધ નથી. Jain Education International For Privatesonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496