Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 471
________________ તથા તે તિર્યંચ સ્ત્રીઓથી સુર એટલે સામાન્યથી દેવો સંખ્યાતગુણા છે, કારણ કે મહાદંડકમાં એ પ્રમાણે સંખ્યાતગુણા જ દેવો કહ્યા છે. જેથી એમાં અસંખ્યાતગુણા કેમ નહિ? એ યુક્તિનું અહીં પ્રયોજન નથી). વળી એ દેવોથી પણ દેવીઓ સંખ્યાતગુણી છે; કારણ કે દેવોથી દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ અધિક કહેલી છે. પુનઃ એ દેવીઓથી પણ પૂર્વોક્ત (૨૭૧મી ગાથામાં કહેલી) યુક્તિ પ્રમાણે સિદ્ધ અનંતગુણા છે. અને તેથી પણ પૂર્વોક્ત (૨૭૧મી ગાથામાં કહેલી) રીતિ પ્રમાણે સર્વ તિર્યંચો અનન્તગુણા છે. એ ૨૭૨ મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૭૨ા. ૩વતરણ: હવે નારકાદિ ગતિમાં નારકાદિકોનું પોતપોતાના સ્થાનમાં જ પરસ્પર અલ્પબદુત્વ દર્શાવવાને અર્થે ગ્રંથકર્તા આ ગાથા કહે છે : थोवा य तमतमाए, कमसो घम्मतया असंखगुणा । थोवा तिरिक्खपिज्जत्तऽसंखतिरिया अणंतगुणा ॥२७३।। માથાર્થ: તમસ્તમ:પ્રભા પૃથ્વીમાં સર્વથી થોડા નારકો છે, અને ત્યાર બાદ ઘર્મા સુધીની સાતે પૃથ્વીઓમાં વિપરીત ક્રમે અસંખ્ય ગુણ અસંખ્યગુણ નારકો છે. તથા તિર્યંચીઓ થોડી છે, તેથી પર્યાપ્તા તિર્યંચો (પંચેન્દ્રિય તિર્યંચો) અસંખ્યગુણા છે, અને તેથી પણ સર્વ તિર્યંચો અનન્ત ગુણા છે. //ર૭૩ી. ટીક્કીર્થ: તમસ્તમામાં એટલે સાતમી પૃથ્વીમાં સર્વથી થોડા નારકો છે. અર્થાત્ શેષ છ નરકપૃથ્વીઓ(માંની કોઈ પણ એક પૃથ્વીની અપેક્ષાએ પણ) થોડા નારકો છે. તેથી છઠી પૃથ્વીના (તમ પ્રભાના) નારકો અસંખ્યાતગુણા છે. તેથી પણ પાંચમી પૃથ્વીના (ધૂમપ્રભાના) નારકો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે અનુક્રમે યાવત્ ઘર્મા પર્યન્ત એટલે રત્નપ્રભા પૃથ્વી સુધીના નારકો શર્કરામભાથી અસંખ્યગુણા છે. એ રીતે પહેલી પૃથ્વી સુધી કહેવું. એ ભાવાર્થ છે. એ પ્રમાણે નરકગતિમાં જ સ્વસ્થાને નારકજીવોનું પરસ્પર અલ્પબદુત્વ કહ્યું. હવે તિર્યંચગતિમાં કહેવાય છે : તિવિર - તિર્યંચગતિમાં સર્વથી થોડી તિર્યંચ સ્ત્રીઓ છે, તેથી પન્નત્ત= પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયો સંવ = અસંખ્યાતગુણા છે, કારણ કે મહાદંડકમાં પર્યાપ્ત પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો તિર્યંચ સ્ત્રીઓથી અસંખ્યાતગુણા કહ્યા છે માટે. પ્રશનઃ એ પ્રમાણે [તિર્યંચ સ્ત્રીઓથી પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયો] ભલે અસંખ્યગુણા હો, પરન્તુ [ગાથામાં તો પદ્મત્ત માત્ર જ કહેવાથી પર્યાપ્ત તિર્યંચો ગ્રહણ થાય પરન્તુ એ પર્યાપ્ત તિર્યંચોને પંચેન્દ્રિય વિશેષણ શી રીતે પ્રાપ્ત થાય? [અર્થાત્ પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચો શી રીતે ગ્રહણ થાય ? એ પ્રશ્ન છે]. ૧. સામાન્યથી એટલે ‘ભવનપત્યાદિ ચાર નિકાયની જુદી જુદી વિવક્ષા વિના ચારે નિકાયના સર્વ દેવોની અપેક્ષાએ” એવો અર્થ જાણવો, પરન્તુ પુરુષ – સ્ત્રીની ભેગી વિવક્ષા ગણવા માટે “સામાન્ય’ શબ્દ નથી. ૨, આ સાત પૃથ્વીઓના ક્રમમાં પ્રથમ તમસ્તમ:પ્રભાદિ નામો ગ્રંથકર્તાએ ગોત્રનામો કહ્યાં, અને ઘમ એ શબ્દથી ગ્રંથકર્તાએ મૂળ સ્વાભાવિક નામો ગ્રહણ કર્યા છે, જેથી બીજો કોઈ તફાવત નથી, અર્થાત્ માઘવતીથી ઘર્મા સુધીમાં બન્ને નામોનો ક્રમ ગ્રંથકારે કહ્યો છે. Jain Education International For Privateyo sonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496