Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 490
________________ અને અલોકાકાશ બે મળીને આકાશદ્રવ્ય તે પ્રદેશથી અનન્તગુણ છે, (અર્થાતુ પુદ્ગલપ્રદેશોથી સમયો, અને સમયોથી આકાશપ્રદેશો અનુક્રમે અનન્તગુણ છે). એ ૨૮૪ મી ગાથાનો અર્થ સમાપ્ત. ||૨૮૪ો ત્યનીવાજ્યવહુવમ્ // તત્સમાત વ સમાપ્ત કન્યવહુdદ્વારમ્ // નવતરUT: એ પ્રમાણે જીવ અને અજીવ સંબંધી અલ્પબદુત્વ કહ્યુંઅને તે કહેવાથી અલ્પબહુવૈદ્વાર સમાપ્ત થયું. અને તે સમાપ્ત થવાથી સત્પદપ્રરૂપણાદિ આઠ દ્વારો વડે જીવસમાસોનો વિચાર સમાપ્ત થયો. અને તે સમાપ્ત થવાથી સંતપથરૂવપયા, બપHIM | ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન સમાપ્ત થયું. અને તેથી આ નીવસમસ નામનું પ્રકરણ પણ સમાપ્ત થયું. વળી આ પ્રકરણના કર્તાનો પ્રયાસ આ પ્રકરણના ભણનારા ભણે અને સાંભળનારા સાંભળે તો જ સફળ થાય, તે કારણથી તેના (ભણવા-સાંભળવાના અથવા ભણનાર-સાંભળનારના) ઉત્સાહને માટે આ પ્રકરણના અર્થમાં ઉપયોગવાળાઓને શું ફળ થાય તે હવે આ ગાથામાં કહેવાય છે: बहुभंगदिट्टिवाए, दिद्रुत्थाणं जिणोवइट्ठाणं । धारणपत्तट्टो पुण, जीवसमासत्थ उवउत्तो ॥२८५।। થાર્થ: વળી આ જીવસમાસના અર્થોમાં ઉપયોગવાળો જીવ ઘણા ભાંગાવાળા દૃષ્ટિવાદ સૂત્રને વિષે (અર્થાત્ સર્વ સિદ્ધાન્તોને વિષે) દર્શાવેલા અર્થોમાં (સૂત્રરૂપ પદાર્થોને) તેમજ શ્રી જિનેશ્વરોએ કહેલા અર્થોને (અર્થરૂપ પદાર્થોને) ધારણ કરવામાં પ્રાર્થ સમર્થ થાય છે. અહીં વહૃમિંિઠવાઈ દ્રિસ્થા” એ પદો નિuોવાનું' પદના વિશેષણથી જિનેશ્વરોએ પ્રરૂપેલા અર્થને માટે છે, તેમજ ગણધરકથિત સૂત્રો માટે પણ છે જેથી ગણધરકથિત સૂત્રોમાં અને શ્રી તીર્થંકરપ્રરૂપિત અર્થોમાં એ બન્નેમાં સમર્થ થાય છે – એ ભાવાર્થ છે]. // ૨૮પી ટીછાર્થ: નવસમાસ – જીવસમાસ નામના આ પ્રસ્તુત-ચાલુ પ્રકરણના સલ્થ અર્થ છે અભિધેયરૂપ – વિષય, તેમાં ભણવું, પરાવર્તન કરવું, સાંભળવું અને વિચારવું, એ દ્વારા ઉપયોગવાળો જીવ તે જીવસમાસાર્થ- ઉપયુક્ત જીવ કહેવાય. એવો જીવ થાય છે; કેવા પ્રકારનો થાય છે ? તે કહે છે - ધારાપત્ત = ધારવામાં એટલે ચિત્તને વિષે સ્થિરપણે (આગળ કહેવાતા સૂત્ર તથા અર્થને) સ્થાપવામાં પ્રાર્થ-સમર્થ [થાય છે. હવે જીવસમાસાર્થમાં ઉપયુક્ત જીવ] કઈ બાબતમાં સમર્થ થાય છે? તે કહે છે - દૂષ્ટ અને તે અર્થ તે દૂાર્થ, અર્થાત્ જીવાદિક પદાર્થો તે દૃષ્ટાર્થ [તેમાં સમર્થ થાય છે]. વળી એ દૃષ્ટાર્થો (એટલે જીવાદિ અર્થો) ક્યાં રહેલા છે? કિ જેમાં દેખીને સમર્થ થાય?] તે કહે છે - પરિકર્મ-સૂત્ર ઇત્યાદિ ભેદો વડે વહુHT ઘણા ભંગ - ઘણા ભેદવાળો જે દૃષ્ટિવાદ (બારમું અંગ) તેને વિષે (તે દૃષ્ટાર્થો રહ્યા છે), અર્થાત્ (દૃષ્ટિવાદના ઉપલક્ષણથી) સર્વ સિદ્ધાન્તમાં જિ દૃષ્ટાર્થો રહ્યા છે, તેને વિષે સમર્થ થાય છે], એ ભાવાર્થ છે. કારણ કે દૃષ્ટિવાદ (નામના બારમા અંગ)માંથી જ એકાદશાંગીનો (આચારાંગાદિ અગિયાર અંગનો) ઉધ્ધાર કરેલો હોવાથી દૃષ્ટિવાદ કહેવાથી અહીં સર્વે ૧. અર્થાત્ પરિકર્મ - સૂત્ર - અનુયોગ -- પૂર્વ અને ચૂલિકા એ મોટા વિભાગો મળીને એક સંપૂર્ણ દૃષ્ટિવાદસૂત્ર છે, જેમાં પૂર્વ એ ચોથા વિભાગમાં જ ચૌદ પૂર્વ છે, એ રીતે બીજા અવાજોર ઘણા અધ્યાયવિશેષ છે. માટે ઘણા ભેદવાળું દૃષ્ટિવાદસૂત્ર. Jain Education International For Private sesonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496