Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 491
________________ આગમોનું ગ્રહણ કરાય છે. વળી (જીવસમાસાર્થમાં ઉપયોગવાળો જીવ એવા પ્રકારના જે દૂદાર્થોમાં સમર્થ થાય છે તે દૃષ્ટાર્થો) કેવા પ્રકારના છે? (તે કહે છે –) નિnોવા અર્થથી શ્રી જિનેશ્વરોએ કહેલા અને સૂત્રથી શ્રીગણધરોએ કહેલા – ગુંથેલા [એવા દૃષ્ટાર્થોમાં સમર્થ થાય છે. એ રીતે આ ગાથામાં કહેવાનો ભાવાર્થ એ છે કે – શ્રી જિનેશ્વરોના આગમમાં કહેલા જે સર્વ ભેદાનભેદયુક્ત જીવાદિ પદાર્થોને અવિસ્મૃતિપણે (ભૂલી ન જવાય એવી રીતે) ધારણ કરવામાં (જાણવામાં) તેજ જીવ સમર્થ થાય છે, કે જે જીવ આ કહેલા જીવસમાસ પ્રકરણના અર્થોમાં ઉપયોગવાળો હોય. માટે તેવા સામર્થ્યના જિજ્ઞાસુ જીવે આ જીવસમાસના અર્થના ઉપયોગમાં જ સદાકાળ પ્રયત્ન કરવો. એ ૨૮૫મી ગાથાનો અર્થ સમાપ્ત. || ૨૮૫ | તિ जीवसमासोपयुक्तानामेकं फलम् ।। નવતર: જીવસમાસના અર્થોમાં ઉપયુક્ત જીવોને [સિદ્ધાન્તમાં કહેલા પદાર્થોને ધારણ કરવામાં સામર્થ્ય પ્રાપ્ત થવારૂપ એક પ્રકારનું ફળ પૂર્વ ગાથામાં કહીને હવે આ ગાથામાં] બીજું પણ ફળ પ્રાપ્ત થાય છે, તે કહે છે : एवं जीवाजीवे, वित्थरभिहिए समासनिद्दिढे । उवउत्तो जो गुणए, तस्स मई जायए विउला ॥२८६॥ થાર્થ એ પ્રમાણે (સિદ્ધાન્તમાં) ઘણા વિસ્તારથી કહેલા જીવાજીવ પદાર્થોને જે અહીં સમાસથી-સંક્ષેપથી કહ્યા છે, તે (વિસ્તારથી અથવા સમાસથી કહેલા જીવાજીવ પદાર્થો)ને જે જીવ ઉપયોગવાળો થયો છતો ગુણે - સાંભળે અને વિચારે તેની મતિ-બુદ્ધિ અત્યંત વિડનીવિપુલ વિસ્તારવાળી થાય છે. (એ બીજું ફળ કહ્યું). [૨૮૬TI. - દીર્થ: જે જીવાજીવ પદાર્થોને સિદ્ધાન્તમાં વિસ્તારથી કહ્યા છે, એટલે પ્રતિપાદન કર્યા છે, અને અહીં વળી વં= પૂર્વે કહ્યા પ્રમાણે આ ગ્રંથમાં કહ્યા પ્રમાણે) સમાસથી - સંક્ષેપથી નિર્દેશ કર્યા છે (કહ્યા છે); તે જીવાજીવ પદાર્થોને જે જીવ ઉપયુક્ત એટલે દીધેલા એકાગ્ર ઉપયોગવાળો થયો છતો TUTU - ગુણે – એટલે સાંભળે અને વિચારે, તે જીવની મતિ વિપુલ - વિસ્તારવાળી થાય. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે – આગમોમાં વિસ્તારથી કહેલા અને આ ગ્રંથમાં પૂર્વે કહ્યા પ્રમાણે ગાથાઓના સંક્ષેપથી (કેવળ ૨૮૪ ગાથાઓમાં જ) દર્શાવેલા જે સત્પદપ્રરૂપણાદિ ભાવવાળા (સત્પદાદિ આઠ વારવાળા) જીવાજીવ પદાર્થોને ઉપયોગવાળો થયો છતો વિચારે, તે જીવને તેમ કરવાથી (ઉપયોગસહિત વિચારવાથી) અભ્યાસ વડે અનુક્રમે ઉત્તરોત્તર વિશેષોને પ્રાપ્ત કરતી (આગળ આગળ વિશેષ જીવાજીવભેદોમાં અવગાહવાળી થઈ) છતી વિપુ - વિસ્તારવાળી બુદ્ધિ થાય છે. એ ૨૮૬મી ગાથાનો અર્થ સમાપ્ત. [૨૮૬. એ પ્રમાણે આ જીવસમાસ પ્રકરણ સમર્થિત કર્યો છતે (સમાપ્ત કર્યો છતે), અને નિગમિત કર્યો છતે (પદાર્થોના નિશ્ચયથી નિશ્ચિત કર્યો છd) जीवा पोग्गल समया, दव्य पएसा य पञ्जया चेव । थोवाऽणंताऽणंता, विसेसमहिया दुवेऽणंता ॥१॥ Jain Education International ૪૭૦ For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496