Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 465
________________ તથા ત્રિસંયોગી દશ ભાંગાઓમાંથી “ઔદારિક-ક્ષાયિક-પારિણામિક' - એ ત્રણ ભાવનો બનેલો પાંચમો ભંગ કેવલીને હોય છે. તે આ પ્રમાણે – કેવલી ભગવાનને મનુષ્યગતિ ઔદયિકભાવની છે, કેવલજ્ઞાન આદિ ગુણો ક્ષાયિકભાવના છે, અને જીવત્વ પારિણામિકભાવનું છે. એ પ્રમાણે એ ત્રણ ભાવો કેવલી ભગવાનને હોય છે. અહીં પથમિક ભાવ હોય નહિ, કારણ કે ઔપશમિકભાવ તો મોહનીય કર્મના જ આશ્રયવાળો છે (અર્થાત્ મોહનીય કર્મવાળા જીવને જ હોય છે). અને મોહનીય કર્મ કેવલીને હોય નહિ (માટે ઉપશમભાવ પણ ન હોય). તથા અહીં કેવલી ભગવંતના ભાંગામાં ક્ષયોપશમભાવ પણ દૂર કરવા યોગ્ય છે (નહિ કહેવા યોગ્ય છે); કારણ કે કેવલીને ક્ષાયોપથમિકભાવનાં જ્ઞાનાદિ હોય નહિ. તે કારણથી બાકી રહેલા પૂર્વોક્ત ત્રણ ભાવનો જ સંયોગી પાંચમો ભાંગો કેવલીને સંભવે છે. તથા “ઔદયિક - ક્ષાયોપથમિક – પારિણામિક એ ત્રણ ભાવના યોગથી બનેલો ત્રિસંયોગી છઠો ભાંગો નારક આદિ ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : (ચારે ગતિના જીવોમાં પોતપોતાની) કોઈ પણ એક ગતિ (આદિ) ઔદયિકભાવની ૧. આ ગ્રંથકર્તાએ પાંચ ભાવોના અનુક્રમમાં ૨૬૫મી ગાથામાં ઉપશમ-ક્ષાયિક-લાયોપથમિક-ઔદયિક અને પરિણામિક એ અનુક્રમથી પાંચ ભાવ કહ્યા, અને ૨૬૬મી ગાથામાં ઔદયિક – ઔપથમિક – ક્ષાયિક – ક્ષાયોપથમિક અને પરિણામિક એ અનુક્રમથી પાંચ ભાવ કહ્યા. જેથી વૃત્તિકર્તાએ અહીં ભાંગાની ગણતરીમાં ૨૬ ૬મી ગાથાનો ક્રમ ગ્રહણ કરવાથી પ્રથમ ૨૬ પમી ગાથાની વૃત્તિના અર્થમાં ટિપ્પણીને વિષે ૨૬ પમી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે જ સાન્નિપાતિકભાવના ૨૬ ભાંગા દર્શાવ્યા છે, તે ભાંગાઓ સાથે આ ત્રિકસંયોગ આદિના કહેવાતા પાંચમા-છઠ્ઠા આદિ દરેક ભાંગામાં ભાવોના ક્રમની વિષમતા તેમજ ભાંગાનો અંક એ બન્ને જુદા પડી જાય છે, મળતા આવતા નથી, તેનું કારણ વૃત્તિકર્તાએ ૨૬૬મી ગાથામાં કહેલો ક્રમ ગ્રહણ કર્યો તે જ છે. બીજા ઘણા ગ્રંથોમાં એ (૨૬ ૬મી ગાથામાં કહેલો) ક્રમ ગ્રહણ કર્યો નથી, પરન્તુ ૨૬૫મી ગાથા પ્રમાણે જ અનુક્રમ લીધો છે. તે કર્મના ભાંગા આ કહેવાતા ભાંગાઓ સાથે મળતા ન જ આવે માટે હવે અહીં વૃત્તિકર્તાએ ગ્રહણ કરેલા ક્રમ પ્રમાણે પ્રાપ્ત થાય છે, તે દર્શાવાય છે. હિસંયોf ૧૦ - ૧, ઔદ.-ઉપ. | ૨. ઔદ. ક્ષા. | ૩. ઔદ. - ક્ષાયોપ. | ૪. ઔદ -પારિ. ૫. ઉપ.-ક્ષા. | ૬. ઉપ. - ક્ષયોપ. | ૭. ઉપ. - પારિ. | ૮, ક્ષાયિક – ક્ષાયોપ. | ૯, ક્ષા. - પારિ. (સિદ્ધને) | ૧૦. ક્ષાયોપ. - પારિણા. त्रिसंयोगी १० भांगा - चतुः संयोगी ५ भांगा ૧. ઉદય – ઉપ. - ક્ષાયિક. ૧. ઉદય – ઉપ. -- ક્ષા. - ક્ષયોપ. ૨. ઉદય - ઉપ. - ક્ષયોપ. ૨. ઉદય – ઉપ. - ક્ષા. - પારિ. ૩. ઉદય - ઉપ. - પારિ. ૩, ઉદય – ઉપ. - ક્ષયોપ. - પારિ. ૪. ઉદય – ક્ષા. -- ક્ષયો૫. (ચાર ગતિમાં) ૫. ઉદય – ક્ષા. - પારિ. (કેવલીને) ૪. ઉદય – ક્ષા. - ક્ષયોપ. - પારિ. ૬. ઉદય – ક્ષયોપ. -- પારિ. | (ચાર ગતિમાં) (ચાર ગતિમાં) ૫. ઉપ. - ક્ષા. ક્ષયોપ. - પારિ. ૭. ઉપ. - ક્ષા. - ક્ષયોપ. ૮. ઉપ. ક્ષા. પારિ. पंचसंयोगी १ भंग. ૯. ઉપ. - ક્ષયોપ. - પારિ. ૧. ઉદય – ઉપ. - ક્ષા. - ક્ષયોપ. - પારિ. ૧૦. ક્ષા. - ક્ષયોપ. - પારિ. (ઉપ. શ્રેણિમાં). એ પ્રમાણે આ ગ્રંથને અનુસાર ભંગ સંકલના દર્શાવી. Jain Education International For Priv 888ersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496