Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 407
________________ અસંખ્યાતમા ભાગના જેટલા સમયો, તેટલા સમય સુધી ઉત્કૃષ્ટથી એ સાતે રાશિઓમાં દરેકમાં જીવો નિરન્તર ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ (આવલિકાનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થયા બાદ) તીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય એ દરેકનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ણપ્રમાણ ઉત્પત્તિનો વિરહકાળ સિદ્ધાન્તમાં દર્શાવેલો છે. અને પંચેન્દ્રિય તિર્યંચ વિગેરે ચાર રાશિઓમાં અત્તરકાળ – વિરહકાળ કેટલો તે આ ગ્રંથમાં જ આગળ કહેવાશે. (અર્થાતુ એ સાત રાશિઓમાંથી ત્રણ રાશિનો અત્તરકાળ તો આગળની ગાથાઓમાં કહેવાશે તે માટે અહીં વૃત્તિમાં કહ્યો નથી, એ ભાવાર્થ છે. હવે કેટલા ઉત્પન્ન થાય ? તે પણ કહે છે). એ પ્રમાણે આવલિકાના અસંખ્યાતમા ભાગ(ના અસંખ્યાત સમયો) સુધી નિરન્તરપણે જઘન્યથી એકેક જીવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત અસંખ્યાત જીવ એ સાતે રાશિઓમાં દરેકમાં ઉત્પન્ન થાય છે. [અહીં પ્રતિસમય કેટલા જીવો ઉત્પન્ન થાય તે જો કે ગ્રંથમાં કહ્યું નથી તો પણ ઉપલક્ષણથી એ પ્રમાણે (જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવની ઉત્પત્તિનું કથન) પોતાની મેળે જાણે લેવું.] વળી એ પ્રમાણે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી જઘન્યથી એક જીવની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવોની પ્રતિસમય ઉદ્વર્તના પણ એ સાતે રાશિઓમાં દરેકમાં જાણવી [અર્થાત્ જેમ ઉત્પત્તિ કરી તેમ ઉદ્વર્તના પણ સરખી જ જાણવી], અને ત્યારબાદ તો (આવલિકાનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થયા બાદ તો) અત્તરકાળનો (ઉદ્વર્તનાના – મરણના વિરહકાળનો) જ સંભવ છે માટે, હિવે જો અસંખ્યાત રાશિવાળા જીવભેદો માટે નિરન્તર જન્મ - મરણ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી કહ્યું] તો સંખ્યાત રાશિવાળા (જેમાં સંખ્યાત જ જીવો છે એવા) જીવભેદોમાં શી વાત છે? (એટલે તેનો નિરન્તર ઉત્પત્તિકાળ તથા મરણકાળ કેટલો છે?) તે હવે કહેવાય છે – સંવિયસમયે સંવેઝયા- જે વળી ગર્ભજ મનુષ્યો અપ્રતિષ્ઠાન નરકાવાસના (સાતમી પૃથ્વીના પાંચ નરકાવાસમાંથી મધ્યવર્તી પહેલા નરકાવાસના) નારકો અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એ દરેક સંખ્યાતા જ છે, માટે એ સંખ્યાતરાશિવાળા ત્રણ રાશિઓમાંના પ્રત્યેક રાશિમાં ઉત્કૃષ્ટથી સંખ્યાત સમય સુધી નિરન્તર-પ્રતિસમય ઉત્પત્તિ અને ઉર્તના (મરણ) થાય છે, અને ત્યારબાદ ઉદ્ધત્ત્વના નથી થતી; કેમ કે પછી તો અન્તરનો જ (વિરહકાળનો જ) સદ્ભાવ હોય છે (અર્થાત્ સંખ્યાત સમય બાદ એ ત્રણ રાશિમાં ન કોઈ ઉત્પન્ન થાય કે ન કોઈ મરણ પામે – એ ભાવાર્થ છે). વળી અહીં એ ત્રણ રાશિઓમાં દરેકમાં જઘન્યથી એક અથવા બે જીવ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ જીવો ઉત્પન્ન થાય છે, અને તેટલા મરણ પામે છે, પરન્તુ અસંખ્યાત નહિ, એમ પોતાની મેળે જ જાણી લેવું. કારણ કે જીવો જ અસંખ્યાત નથી, એ ત્રણે રાશિઓમાં દરેકમાં સંખ્યાત સંખ્યાત જ જીવો છે માટે સંખ્યાતરાશિવાળા એ ત્રણમાં અસંખ્યાત જીવોની ઉત્પત્તિ તથા મરણ સંભવે જ નહિ, એ ભાવાર્થ છે. (એ પ્રમાણે સંખ્યાત રાશિનો સંખ્યાત સમય નિરન્તરકાળ કહ્યો). - તથા બહેવ સિદ્ધાપ – સિદ્ધોનો પુનઃ ઉત્કૃષ્ટથી નિરન્તરપણે આઠ સમય સુધી ઉત્પાદ હોય, (એટલે આઠ સમય સુધી પ્રતિસમય સિદ્ધ થયા કરે અને ત્યારબાદ કોઈપણ જીવ સિદ્ધ For Private 3 e çrsonal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496