Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 439
________________ (મિથ્યાત્વમાં) એ બે પુજની સત્તા રહે ત્યાં સુધી પુનઃ ઉપશમ સમ્યકત્વ પામે નહિ, અને (ઉપશમ સમ્યક્ત્વ ન પામે તો ઉપશમથી જ ઉત્પન્ન થતું) સાસ્વાદન સમ્યક્ત્વ (પણ) ન પામે. વળી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલો જીવ એ બન્ને પુંજને પ્રતિસમય ઉદ્વર્તિત કરે છે (સત્તામાં ક્ષય પમાડતો જાય છે); એટલે કે એ બે પુંજનાં પુદ્ગલોને પ્રતિસમય મિથ્યાત્વમાં પ્રક્ષેપે છે (અર્થાત્ મિથ્યાત્વરૂપે પરિણાવે છે). અને એ પ્રમાણે એ બે પુંજની ઉત્તેના કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ થાય ત્યારે સંપૂર્ણ ઉવેલાઈ જાય છે (ક્ષય પામી જાય છે), એટલે સર્વથા અભાવ સ્વરૂપને પ્રાપ્ત થાય છે; પરન્તુ તે પહેલાં (પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પહેલાં એ બે પુંજનો સર્વથા અભાવ થાય) નહિ, કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોમાં એ પ્રમાણે જ કહ્યું છે માટે. જેથી એ રીતે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થયે સમ્યકત્વપુંજ અને મિશ્રપુંજ જ્યારે સંપૂર્ણ ઉવેલાઈ રહે, ત્યારે (તેટલા કાળને અન્ને) જ જીવ પુનઃ પણ ઉપશમ સમ્યકત્વ (પામે) અને (તે પામવાથી) સાસ્વાદન ભાવ (પણ) પામે. તે કારણથી એ પ્રમાણે એ એનું જઘન્ય અત્તર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું થાય છે. તથા સંતોમુનિયરે (કન્તર્મુહૂર્ત તરે) – ઈતર એટલે પૂર્વોક્ત સાસ્વાદન સિવાય કહેવાના બાકી રહેલાં મિથ્યાષ્ટિ – મિશ્ર – અવિરત – દેશવિરત – પ્રમત્ત – અપ્રમત્ત - ઉપશમશ્રેણિનાં અપૂર્વકરણ – અનિવૃત્તિ બાદર – તેમજ સૂક્ષ્મસંપરાય અને ઉપશાન્તમોહ, એ દશ ગુણસ્થાનવાળા જીવોમાં (અર્થાત્ એ દશ ગુણસ્થાનોમાં વર્તતા જીવો) પોતપોતાના ગુણનો (ગુણસ્થાનનો) ત્યાગ કરીને પુનઃ તે જ ગુણસ્થાન પામવામાં જઘન્યથી અન્તર્મુહૂર્ત જેટલો અન્તરકાળ લાગે છે (અર્થાત્ અન્તર્મુહૂર્ત બાદ પુનઃ તે જ ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે), એમ જાણવું. અને એ મિથ્યાદૃષ્ટિ આદિ જીવોના જઘન્ય અત્તરની ભાવના તો પ્રાયઃ પૂર્વે પણ કહેવાઈ ગઈ છે. ઉપશમશ્રેણિનાં અપૂર્વકરણાદિ ગુણસ્થાનોના અત્તરની ભાવના પ્રાયઃ નથી કહી (એટલે એ અત્તર કેવી રીતે જાણવું ? તે સંબંધી વિચાર પ્રાયઃ નથી કહેવાયો, તો) તે ભાવના આ પ્રમાણે – ઉપશમશ્રેણિથી પડીને પુનઃ અન્તર્મુહૂર્ત માત્રમાં બીજી વાર ઉપશમશ્રેણિ પ્રારંભે તો એ ગુણસ્થાનો પ્રાપ્ત કરવાથી જઘન્યથી અન્તર્મુહૂર્તનું અંતર જાણવું. કારણ કે સિદ્ધાન્તમાં એક જ ભવને વિષે બે વાર ઉપશમશ્રેણિ કરવાનું કહેવું છે માટે. વળી અહીં પ્રશ્ન થાય કે - અહીં અપૂર્વકરણાદિ ગુણસ્થાનો ઉપશમશ્રેણિનાં જ શા માટે ગ્રહણ કર્યા? તો તેનો ઉત્તર કહેવાય છે કે - ક્ષેપકને એટલે ક્ષપકશ્રેણિનાં અપૂર્વકરણાદિ (અપૂર્વ - અનિવૃત્તિ અને સૂક્ષ્મસંપરાય એ ત્રણ) ગુણસ્થાનોમાં તથા ક્ષીણમોહ, સયોગિકેવલી અને અયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનો મળીને છ ગુણસ્થાનોમાં તો અન્તર જ નથી, કારણ કે એ ગુણસ્થાનોથી પડવાનો અભાવ છે એમ કહેલું જ છે (તો જઘન્ય કે ઉત્કૃષ્ટ અંતરની વાત જ શું?) એ ૨૫૮ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. / રૂતિ ૧૪ સ્થાનેષુ સન્તાનપ્રમાણમ્ // છે ૧૪ ગુણસ્થાનોમાં સર્વથા અભાવરૂપ અત્તર ! ૧. મુદ્રિત જીવસમાસવૃત્તિમાં પ્રેસદોષથી અથવા અન્ય કારણથી એ મિશ્ર ગુણસ્થાન અહીં ગણાવ્યું નથી, તો પણ જઘન્યથી અન્તર્મુહૂર્તના અન્તરમાં એ મિશ્ર ગુણસ્થાન પણ ગણવું. ૨. સિદ્ધાન્તમાં બે વાર ઉપશમશ્રેણિ માની છે, પરન્તુ એકવાર ઉપશમ અને બીજી વાર ક્ષેપક એમ બે શ્રેણિ નથી માની, અને કર્મગ્રંથમતે તો એક ભવમાં ઉપશમ-ક્ષપક એ બે પણ માની છે - એ વિશેષ:. Jain Education International For Private uersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496