Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 440
________________ અવતરણ: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં જીવભેદોનું તથા ગુણસ્થાનોનું જઘન્ય અત્તર તથા ઉત્કૃષ્ટ અંતર કહ્યું. હવે એ જ ગુણસ્થાનોમાંનાં કયાં કયાં ગુણસ્થાન લોકમાં કોઈ વાર સર્વથા ન પણ વર્તતાં હોય. તેવા ગુણસ્થાનોનું સર્વથા અભાવરૂપ અત્તર નિરૂપણ કરવાની ઈચ્છાએ ગ્રન્થકર્તા આ ગાથા કહે છે ઃ पल्लाsसंखियभागं, सासणमिस्सासमत्तमणुएसु । वासवुत्तं उवसामसु खवगेसु छम्मासा ॥ २५९॥ ગાથાર્થ: સાસ્વાદન ગુણસ્થાન, મિશ્ર ગુણસ્થાન અને અપર્યાપ્ત મનુષ્ય એ ત્રણનો ઉત્કૃષ્ટ અભાવકાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી છે. . ઉપશમકનાં (એટલે ઉપશમશ્રેણિસંબંધી) ગુણસ્થાનોનો અભાવકાળ વર્ષ પૃથક્પ્રમાણ છે. અને ક્ષપકનાં (અપૂર્વાદિ ચાર અને અયોગી એ પાંચ) ગુણસ્થાનોનો અભાવકાળ છ માસ પ્રમાણનો છે (એટલા કાળ સુધી તે ગુણસ્થાન કોઈ વખત લોકમાં વર્તતું જ ન હોય). ૨૫૯॥ ટીાર્થ: સાસણ ઇત્યાદિ - સાસ્વાદની, મિથ્યાદૃષ્ટિ અને અપર્યાપ્ત મનુષ્ય એ ત્રણના સમાસથી ‘સાસ્વાનમિશ્રાસમાપ્તમનુષ્યેષુ′ એ વાક્ય થયું. ત્યાં સાસ્વાદન અને મિશ્ર એ બે તો પ્રસિદ્ધ જ છે, અને સમત્ત = અસમાપ્ત = અપર્યાપ્ત મનુષ્ય તે લબ્ધિથી અને કરણથી પણ સદા કાળ અપર્યાપ્ત હોય એવા મનુષ્ય જ અહીં ગ્રહણ કરવા. અને એવા પ્રકારના મનુષ્ય તો સમ્પૂર્ચ્છિમ મનુષ્યો જ હોય છે; કારણ કે ગર્ભજ મનુષ્યો તો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને પ્રકારના હોય છે (અને સમૂર્છિમ મનુષ્યો તો હંમેશા અપર્યાપ્તા જ હોય છે). તેથી સાસ્વાદન ગુણસ્થાન, મિશ્ર ગુણસ્થાન અને અસમાન્ન મનુષ્યો† (સમ્મóિમ મનુષ્યો) એ ત્રણનું પ્રત્યેકનું અંભાવરૂપ અન્તર (સર્વથા અભાવ) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું છે, એમ જાણવું. અહીં તાત્પર્ય એ છે કે – એ ત્રણે રાશિના જીવો સમગ્ર લોકને વિષે કોઈ વખત પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી ન પણ હોય. તથા મોહનીય કર્મને જે ઉપશમાવે તે ઉપશમક કહેવાય. એટલે ઉપશમશ્રેણિમાં વર્તનારા સંયતો – મુનિઓ, તેઓનું અભાવરૂપ અત્તર વર્ષ પૃથકત્વ (બે થી નવ વર્ષનું) જાણવું. અર્થાત્ કોઈ વખત પૃથક્ક્ત્વવર્ષો સુધી પણ લોકમાં કોઈ પણ જીવ ઉપશમશ્રેણિને પ્રાપ્ત જ ન કરે, એ ભાવાર્થ છે. તથા મોહનીયકર્મને જે ખપાવે તે ક્ષપક કહેવાય, એટલે ક્ષપકશ્રેણિમાં વર્તનારા સંયતો જ. અને તેઓનું અત્તર છ માસનું જાણવું. અર્થાત્ કોઈ વખત ઉત્કૃષ્ટથી છ માસ સુધી લોકમાં કોઈ પણ જીવ ક્ષપકશ્રેણિ પ્રારંભે જ નહિ, અને ત્યારબાદ (છ માસ બાદ) તો ક્ષપકશ્રેણિ કોઈને કોઈ જીવ અવશ્ય કરે જ. અહીં ઉપશમક અને ક્ષપક એ બેના ગ્રહણથી અપૂર્વકરણ - અનિવૃત્તિબાદર - સૂક્ષ્મ સં૫રાય-ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ એ છ ગુણસ્થાનોનું ઉત્કૃષ્ટ અત્તર કહ્યું તથા અયોગિકેવલી ગુણસ્થાનનું પણ છ માસનું જ અત્તર છે તે તો પોતાની મેળે જ જાણી લેવું. તથા ૧. અહીં ગુણસ્થાનોનું અભાવરૂપ અન્તર કહેવાના પ્રસ્તુત વિષયમાં સમૂર્ણિમ મનુષ્યોનું પણ અભાવરૂપ અન્તર એક સ૨ખું હોવાથી પ્રસંગતઃ કહ્યું છે. Jain Education International For Privateersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496