Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 429
________________ ઉત્પત્તિવિરહ છે, નાન્તમાં પિસ્તાલીશ દિવસનો, શુ દેવલોકમાં એંસી દિવસનો, અને સહસ્ત્રાર કલ્પમાં સો દિવસ (૧૦૦ દિવસ)નો વિરહકાળ છે. તથા સંવેઝમાસ ઇત્યાદિ પદોનો સંબંધ અનુક્રમે ટુ કુસુ ઇત્યાદિ પદોની સાથે જોડવો, તેથી સનત અને પ્રતિ કલ્પમાં સંખ્યાતા માસનો ઉત્પત્તિવિરહ ઉત્કૃષ્ટથી છે. તથા અને ઉચ્ચત એ બે કલ્પમાં સંખ્યાતા વર્ષનો વિરહકાળ છે. તથા નીચેના ત્રણ રૈવેયક્રમાં - ત્રણ પ્રતરોમાં (રૈવેયકનાં નવ પ્રતર છે તેમાંથી ત્રણ પ્રતરમાં) સંખ્યાતા સો વર્ષોનો વિરહકાળ જાણવો. તથા મધ્યમ રૈવેયકના ત્રણ પ્રતરોમાં તો સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ ઉત્કૃષ્ટ ઉત્પત્તિવિરહ જાણવો. તથા ઉપરના ત્રણ રૈવેયક પ્રતિરોમાં તો સંખ્યાત લાખ વર્ષ પ્રમાણ ઉત્પત્તિનો ઉત્કૃષ્ટ વિરહકાળ છે. (એ પ્રમાણે દુ; યુસુ એટલે બે દ્વિકમાં અને તિ, તિસુ એટલે ત્રણ ત્રિકમાં સંખ્યાત માસ આદિ પદોનો સંબંધ જોડીને કહેલો અર્થ સમાપ્ત થયો). પંસુ ૩પુત્તરે ઈત્યાદિ – પાંચ અનુત્તર વિમાનોમાં મનુષ્યગતિના જ જીવો (મનુષ્યો જ) ઉત્પન્ન થાય છે. માટે તે મનુષ્યગતિમાંથી ઉત્પન્ન થનારા પાંચ અનુત્તર વિમાનોમાં દેવોને ઉત્પન્ન થવાનું જઘન્ય અત્તર એક સમય છે, અને ઉત્કૃષ્ટ અત્તર તો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. એ પ્રમાણે અહીં પાંચે અનુત્તર વિમાનોમાં સામાન્યથી સર્વમાં એક સરખું અત્તર કહ્યું. પરન્તુ સિદ્ધાન્તમાં તો વિશેષથી આ પ્રમાણે કહ્યું છે કે : विजयवेजयन्तजयन्तापराजितदेवी णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एकं समयं उक्कोसेणं असंखेजं कालं || सव्वट्ठसिद्धदेवा णं भंते ! पुच्छा (केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ?) गोयमा ! जहण्णेणं एक समयं ઉસે નિવમસ્ત સંવેરૂમાં ' (એ પ્રમાણે ચાર અનુત્તર માટે અસંખ્યાતકાળ અને સર્વાર્થસિદ્ધ માટે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વિરહ દર્શાવ્યો છે, માટે એ બાબતમાં તત્ત્વ શું છે? શ્રી સર્વજ્ઞો જાણે. અહીં જેટલો ઉત્પત્તિનો અન્તરકાળ કહ્યો તેટલો ૩ર્તના કે જેનું લક્ષણ પૂર્વે કહેવાયું છે, (અર્થાત્ ઉદ્વર્તના એટલે મરણ એ લક્ષણ પૂર્વે કહેવાયું છે, તેનો અત્તરકાળ પણ તેટલો જ કંઈપણ તફાવત રહિત જાણવો. (તિ ૩પપાત - ઉદ્વર્તના વિર૮:) || તથા સિદ્ધિતિમાં તો સિદ્ધોને ઉપજવાનું અન્તર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ જેટલું અત્તર (જો કે આ ગ્રંથમાં - ગાથામાં) નથી કહ્યું, તો પણ પોતાની મેળે જાણી લેવું. ૧. બૃ૦ સંગ્રહણીના બાલાવબોધમાં આનતમાં ૧૦માસ કહ્યા છે, અને પ્રાણતમાં ૧૧ માસ કહ્યા છે, કારણ કે આનતથી પ્રાણતમાં અધિક વિરહ હોય, અને વર્ષથી પહેલાંના માસ ૧૧ પણ હોય, બીજા કોઈ ગ્રંથોમાં એવી સ્પષ્ટ અંક સંખ્યા દેખાતી નથી. ૨. અહીં સંખ્યાત લાખ વર્ષની મર્યાદા વૃત્તિમાં દર્શાવી નથી. તો પણ સંખ્યાત લાખ એટલે એક ક્રોડ વર્ષથી ન્યૂન વર્ષો જાણવાં, એમ બૃહત્સંગ્રહણીની વૃત્તિ વિગેરેમાં સ્પષ્ટ કહ્યું છે. ૩. હે ભગવંત ! વિજય-વિજયંત - જયંત-અપરાજિત એ ચાર અનુત્તર દેવો ઉત્પત્તિ વડે કેટલા કાળ સુધી વિરહિત For Privato Grsonal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496