Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 428
________________ થાર્થ નવ દિવસ વીસ મુહૂર્ત - બાર દિવસ દશર્મુહૂર્ત- (અર્ધ તથા બાવીસ એટલે) સાડા બાવીસ દિવસ - પિસ્તાલીસ દિવસ - એંસી દિવસ - સો દિવસ - સંખ્યાત માસ - સંખ્યાત વર્ષ - સંખ્યાત સો વર્ષ – સંખ્યાત હજાર વર્ષ – તથા સંખ્યાત લાખ વર્ષ. અહીં સંખ્યાત માસ આદિ પાંચ વિરહકાળ અનુક્રમે બે દ્વિકમાં અને ત્રણ ત્રિકમાં એ પાંચ દેવલોકમાં છે. તથા પાંચ અનુત્તરમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વિરહકાળ છે. રપપરપદી [અહીં સુ પદ નવમા દેવલોકથી જાણવું. અને નવનિ પદ ત્રીજા દેવલોકથી ગણવું. એ રીતે દેવલોકનો અનુક્રમ જાણવો]. ટીફાઈ: અહીં ભવનપતિ, વ્યત્તર તથા જ્યોતિષી દેવોમાં અને સૌધર્મ તથા ઈશાન દેવલોકના દેવોમાં તિર્યંચ અને મનુષ્યગતિના જીવો જો કે નિરન્તર પ્રતિસમય ઉત્પન્ન થાય છે, છતાં કોઈક વખત વિરહ પણ હોય છે (એટલે કંઈક વખત સુધી ઉત્પન્ન ન પણ થાય). હવે જો કોઈ વખત ન ઉત્પન્ન થાય તો કેટલા કાળ સુધી એ પાંચ દેવોમાં કોઈપણ જીવ ઉત્પન્ન ન થાય ? એમ જ પૂછતા હો તો કહેવાય છે કે – જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્ત સુધી પણ ન ઉત્પન્ન થાય. એ પ્રમાણે એ પાંચ દેવરાશિઓમાં વિરહકાળ જો કે આ (જીવસમાસ ગ્રંથમાં આ ગાથાને વિષે) કહ્યો નથી તો પણ સિદ્ધાન્તમાં કહેલો હોવાથી અહીં કહ્યો છે, એમ પોતાની મેળે જ જાણી લેવું. જે કારણથી સિદ્ધાન્તમાં કહયું છે કે – ‘સુ મારા णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एक समयं, उक्कोसेणं चउवीसं मुहुत्ता, एवं जाव थणियकुमाराणं, एवं वाणमंतराणं, जोइसियाणं, सोहम्मीसाणकप्पेसु वि ।' તથા નવા વીસમુહૂTI - સનમ કલ્પમાં તિર્યંચગતિના અને મનુષ્ય ગતિના જીવોની ઉત્પત્તિનો વિરહકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી નવ દિવસ ઉપરાંત વીસ મુહૂર્ત જેટલો છે. એ પ્રમાણે જઘન્ય વિરહકાળ તો સર્વ સ્થાને એક સમય જ જાણવો (જેથી વારંવાર દરેક સ્થાને કહેવાશે નહિ, પરન્તુ ઉત્કૃષ્ટ વિરહકાળમાં જ સર્વ સ્થાને તફાવત છે તેથી તે ઉત્કૃષ્ટ વિરહકાળ સર્વત્ર જુદો જુદો કહેવાય છે). તથા મહેન્દ્રqમાં (જઘન્ય વિરહ એક સમય અને) ઉત્કૃષ્ટ વિરહકાળ બાર દિવસ ઉપરાંત દશ મુહૂર્તનો છે, એ ઉત્પત્તિનો અન્તરકાળ જાણવો. તથા ૩ä તેહ વીવીસા - પાંચમા વૃદ્ધત્વમાં સાડા બાવીસ દિવસ (૨૨ દિવસ)નો ૧. અહીં સંક્ષિપ્ત સંગ્રહ આ પ્રમાણે - [ ભવનપતિથી ઈશાન સુધી ૨૪ મુહૂર્ત ], ત્રીજે ૯ દિવસ - ૨૦ મુહૂર્ત, ચોથે ૧૨ દિવસ – ૧૦ મુહૂર્ત, પાંચમે ૨૨ દિવસ, છક્કે ૪૫, સાતમે ૮૦, આઠમે ૧૦૦ દિવસ, ૯-૧૦ મે સંખ્ય માસ, ૧૧-૧૨ મે સંખ્ય વર્ષ, પહેલા ત્રણ રૈવેયક સંખ્યાત સો વર્ષ, મધ્યત્રિકે સંખ્યાત હજાર વર્ષ, ઊર્ધ્વત્રિક સંખ્યાત લાખ વર્ષ, પાંચ અનુત્તરે પલ્યાસખ્યભાગ (પરંતુ પાંચમે પલ્યસંખ્યભાગ) વિરહ છે. ૨. હે ભગવન્! અસુ૨કમારો ઉત્પત્તિ વડે કેટલા કાળ સુધી વિરહવાળા કહ્યા છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કટથી ચોવીસ મુહૂર્ત સુધીએ પ્રમાણે સ્વનિતકુમાર સુધીના શેષ નવે નિકાયના દેવોમાં, એ રીતે વ્યન્તર દેવોમાં, અને એ રીતે જ સૌધર્મ દેવલોક તથા ઈશાન દેવલોકના દેવોમાં પણ (જઘન્યથી સમય, ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્ણ) વિરહ જાણવો. ૩. અહીં વિશેષ એ કે – તિર્યંચગતિના જીવો દેવલોકમાં ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી સતત ઉત્પન્ન થાય, અને મનુષ્યગતિના જીવો તો સંખ્યાત સમય સુધી જ. Jain Education International For Priyo Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496