Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 408
________________ ન થાય). અને ઉદ્ધત્તના એટલે મરણ ત. સિદ્ધોનું હોતું જ નથી, (એટલે સિદ્ધ પુનઃ સંસારી તો થતો જ નથી). કારણ કે સિદ્ધપણું અપુનરાવૃત્તિવાળું જ (એટલે પુનઃ સિદ્ધિપણું પ્રાપ્ત ન થાય એવું જ) હોય છે. વળી એ આઠ સમય સુધી સિદ્ધોની નિરન્તર ઉત્પત્તિ પણ ત્યારે જ હોય છે કે જ્યારે પહેલે સમયે એક અથવા બે યાવત્ ઉત્કૃષ્ટથી બત્રીસ સુધી સિદ્ધ થયા હોય (પરન્તુ તેત્રીસ આદિ અધિક સંખ્યાવાળા સિદ્ધ ન થયા હોય). એ પ્રમાણે બીજે સમયે પણ જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સુધી સિદ્ધ થયા હોય; અને એ પ્રમાણે ત્રીજે સમયે, ચોથે સમયે યાવત્ આઠમે સમયે પણ જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સિદ્ધ થયા હોય. અને ત્યાર બાદ નવમે સમયે તો એકાદિ સમયનું અવશ્ય અત્તર પડે જ (એટલે નવમે સમયે કોઈપણ સિદ્ધ ન જ થાય; યાવત્ છ માસ સુધી પણ કોઈ સિદ્ધ ન થાય). એ રીતે જીવોની સિદ્ધિ નિરન્તર૫ણે આઠ સમય સુધી હોય છે. IIતિ અષ્ટક્ષમસિદ્ધિ: વળી જો જઘન્યથી તેત્રીસથી આરંભીને ઉત્કૃષ્ટથી અડતાલીસ સુધી પ્રતિસમય સિદ્ધ થાય તો સાત સમય સુધી જ ઉત્કૃષ્ટથી સિદ્ધિગતિ પામતા પ્રાપ્ત થાય છે, પરન્તુ અધિક નહિ, (અને ત્યારબાદ આઠમે સમયે અવશ્ય અત્તર એટલે સમયાદિકનો વિરહકાળ પ્રાપ્ત થાય છે). ।। વૃતિ सप्तसमयनिरन्तरसिद्धिः || તથા જઘન્યથી ઓગણપચાસથી આરંભીને ઉત્કૃષ્ટથી સાંઈઠ સુધી જો પ્રતિસમય સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી છ સમય સુધી જ સિદ્ધત્વ પર્યાયની ઉત્પત્તિ (સિદ્ધની ઉત્પત્તિ) નિરન્તરપણે પ્રાપ્ત થાય, ૫૨ન્તુ એથી અધિક સમય (સાતમાદિ સમયે) કોઈપણ સિદ્ધ ન થાય. કારણ કે ત્યારબાદ (; સમય વીત્યા બાદ) અન્તરકાળનો સદ્ભાવ હોવાથી (અવશ્ય વિરહકાળ પ્રાપ્ત થવાથી). ।। વૃતિ ષટ્સમયં નિરન્તરસિદ્ધિઃ 11 વળી જ્યારે જઘન્યથી એકસઠથી પ્રારંભીને ઉત્કૃષ્ટથી બોત્તેર સુધી પ્રતિસમય નિરન્તર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટથી પાંચ જ સમય સુધી નિરન્તર સિદ્ધિ પ્રાપ્ત થાય (નિરન્તર સિદ્ધ થાય), તેથી અધિક સમય નહિ. કારણ કે ત્યારબાદ (પાંચ સમય વીત્યા બાદ) અવશ્ય અન્તરકાળ પ્રાપ્ત થાય છે. II કૃતિ પંચસમયનિરન્તરસિદ્ધિઃ || વળી જ્યારે જઘન્યથી ત્ર્યોતર (૭૩)થી પ્રારંભીને ઉત્કૃષ્ટથી ચોર્યાસી (૮૪) સુધી પ્રતિસમય સિદ્ધ થતા જીવોની નિરન્તર સિદ્ધિ ચાર સમય સુધી જ હોય છે. (ત્યારબાદ એકાદિ સમય વિરહકાળ અવશ્ય પ્રાપ્ત થાય જ.) ।। રૂતિ ચતુઃસમયનિરન્તરસિદ્ધિ: 1 વળી જ્યારે જઘન્યથી પંચાસીથી પ્રારંભીને ઉત્કૃષ્ટથી છઠ્ઠું સુધી સિદ્ધ થતા જીવોની નિરન્તરસિદ્ધિ ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી જ હોય છે (અને ત્યારબાદ અવશ્ય સિદ્ધિગતિનો વિરહકાળ વર્તે છે). || તિ ત્રિસમયનિરન્તરસિદ્ધિઃ || વળી જ્યારે જધન્યથી સત્તાણુંથી પ્રારંભીને ઉત્કૃષ્ટથી એકસો બે સુધી સિદ્ધ થતા જીવોની નિરન્તર સિદ્ધિ ઉત્કૃષ્ટથી બે સમય સુધી જ હોય (અને ત્યારબાદ ત્રીજાદિ સમયે અવશ્ય વિરહકાળ જ વર્તે). II કૃત્તિ ક્રિસમયનિરન્તરસિદ્ધિ: || વળી જ્યારે જઘન્યથી એકસો ત્રણથી આરંભીને ઉત્કૃષ્ટથી એકસો આઠ સુધી એકેક સમયે For Priva39ersonal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496