SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ (૪), તેને ત્રીજા વર્ગમૂળરૂપ સમનન્તર વર્ગમૂળ વડે ગુણીએ (ચારને બે વડે ગુણીએ) તો સૌધર્મદેવોની વિસ્તાર સૂચિ થાય છે. એ પણ સદ્ભાવથી જો કે અસંખ્યાત શ્રેણિવાળી છે, તો પણ કલ્પના વડે તો આઠ· શ્રેણિ જેટલી જ સિદ્ધ છે. એ પ્રમાણે આ અભિપ્રાય તો આ ગ્રંથકર્તાનો છે, અને તે અભિપ્રાય શ્રી પ્રજ્ઞાપનાજીના મહાદંડક સાથે અને અનુયોગદ્વાર આદિ સૂત્રો સાથે વિસંવાદવાળો છે. તે આ પ્રમાણે - ।।ભવન૦ - રત્નપ્રભા - અને સૌધર્મની શ્રેણિસૂચિનો પ્રજ્ઞાપનાજી સાથે વિસંવાદ ॥ શ્રી પ્રજ્ઞાપનાજીના મહાદંડકના આલાપકમાં ભવનપતિદેવોથી રત્નપ્રભાપૃથ્વીના નારકો અસંખ્યાતગુણા કહ્યા છે. અને ગ્રન્થની આ ગાથામાં તો રત્નપ્રભાની વિધ્યુંભસૂચિથી ભવનપતિદેવોની વિધ્વંભસૂચિ અસંખ્યાતગુણ મોટી હોવાથી-કહેવાથી રત્નપ્રભાના નારકોથી ભવનપતિદેવો અસંખ્યાતગુણા થયા, માટે એ પ્રગટ વિસંવાદ છે. અનુયોગદ્વારમાં પણ રત્નપ્રભાના નારકોની સંખ્યાના વિચારમાં અધિકારમાં તાસિરૂં સેઢીનું વિ ંમપૂર્વ અંગુતપઢમવામૂર્ત વીયવળમૂતપડુપ્પાં એમાં પડુપ્પાં પ્રત્યુત્પન્ન એટલે ગુણાકાર કરવો એ અર્થ છે,’ એ વચનથી, અને ભવનપતિની સંખ્યાના વિચારમાં ‘તાસિ ાં સેઢીમાં વિ ંમપૂર્વ અંશુલપઢનવમૂત્તસગસંવેદ્ધમાનો' એ વચનથી (એ રીતે બે પાઠનો સંબંધ વિચારતાં), રત્નપ્રભાનારકોની વિધ્વંભસૂચિથી ભવનપતિઓની વિધ્વંભસૂચિ અસંખ્યાતમા ભાગ જેટલી સ્પષ્ટ જ કહી છે, માટે આ ગ્રન્થની સાથે વિસંવાદ પણ સ્પષ્ટ જ છે. તે કારણથી અહીં મૂળપાઠમાં ધર્મો ભવળે તહેવ સોદર્ભો એવો ફેરફારવાળો પાઠ હોય તો કોઈક રીતે કેટલીક વાત મળતી આવે, પરંતુ એવા પ્રકારનો પાઠ કોઈપણ બીજી પ્રતિઓ (બીજી આ ગ્રન્થની પ્રતો)માં દેખાતો નથી. હવે એ બાબતના અધિક વિસ્તારથી સર્યું. - વળી આ ગ્રન્થમાં ઈશાનદેવલોકના દેવોની વિધ્યુંભસૂચિ કહી નથી, પરંતુ શ્રીપ્રજ્ઞાપનાજીના મહાદંડકમાં ઈશાનદેવોથી સૌધર્મકલ્પના દેવો સંખ્યાતગુણા કહ્યા છે, તે અનુસારે તેની (ઇશાનદેવોની) વિષ્ફભસૂચિ પણ પોતાની મેળે વિચારવી. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ।।૧૫૭૭] અવતરણ: હવે આ ગાથામાં શર્કરાપ્રભાપૃથ્વીના નારકોનું અને સનત્કુમારાદિ દેવોનું પ્રમાણ અતિવિશેષપણે કહેવાય છે, તે આ પ્રમાણે : बारस दस अद्धेव य, मूलाई छत्ति दुन्नि नरएसु । एक्कारस नव सत्त य, पणग चउक्कं च देवेसु || १५८ || ધાર્થ: તમઃતમાદિ ૬ પૃથ્વીઓમાં અનુક્રમે બારમું - દશમું - આઠમું - છઠ્ઠું - ત્રીજું - અને બીજું વર્ગમૂળ કરીએ તેટલા નારકો, અને દેવોમાં સનત્કુમારથી પ્રારંભીને અનુક્રમે અગિયારમું – નવમું - સાતમું – પાંચમું - અને ચોથું વર્ગમૂળ કરીએ તેટલા વૈમાનિકદેવો છે, એમ જાણવું. ૫૧૫૮ી ૧.પૃ. ૨૩૧માં ટિ. નં. ૨.૩ જુઓ. Jain Education International For Privatersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy