________________
પરિચછેદ ]
રાજ્યવિસ્તાર
૩૫
ચડાઈઓ માટે દેડાદોડી કરવામાં) તેનો સમય એટલે તો કાઈ જતો હતો કે, તેના પૂર્વજોએ ગુમાવેલ પ્રાંતિ મેળવવા તરફ તે બીલકુલ લક્ષ આપી શકે તેવો અવકાશ જ મળતો નહોતો. તેના નસીબે એટલું હજુ ખુશી થવા જેવું હતું કે, તેણે વારસામાં મેળવેલ હિંદી પ્રાંતો એમને એમ સાચવી રાખ્યા હતા. આવી ઉપાધિઓમાંથી જે તેને કાંઈ પણ નિરાંત વાળીને બેસવા જેવો વખત આવ્યો હોય, તે તે ઈ. સ. પૂ. ૩૦૪ માં સેલ્યુકસ સાથે સંધી થઈ, ત્યારપછી જ આવ્યા છે. ત્યારપછી જ તે પોતાનું ચિત્ત દક્ષિણ હિંદ તરફ દેડાવવાને શક્તિવંત થયો હત; પણ તે જ સાલમાં તેને માટે અતિ આહલાદજનક એક પ્રસંગ એ ઊભો થવા પામે, કે જેને લીધે તેના માથેથી રાજકાજને અને સંસારને ઘણેખર ભાર ઉતરી ગયે; અને પોતાના જીવ નની તે ઘડીને ધન્ય ધન્ય માનવા લાગ્યા. તે બનાવ પિતાના છ પુત્ર અને યુવરાજ-અંધ કુણાલ સાથેનું દીર્ધકાળ પછી થયેલું મિલન; અને સાથે સાથે પોતાને પત્ર સાંપડ્યાની માંગ લિક વધામણી; આ પ્રમાણે બે પ્રસંગની પ્રાપ્તિ હતી. આ સમયથી તે પોતે મુકુટધારી રાજા તરીકેનું જીવન ગાળતો બંધ થય ગણાય; કેમકે તેણે પિતાની ગાદી ઉપર પોતાના પેલા બાળ-પૌત્રને
સ્થાપિત કરી દીધો હતો. એટલે પિતે તે માત્ર એક વાલી તરીકે જ રાજકારભાર ચલાવતો હતો. આ ઉપરથી જોઈ શકાશે કે તેની સત્તા માત્ર ઉત્તર હિંદના પ્રદેશ ઉપર જ હતી, છતાં એક બારગી એમ દલીલ ઉઠાવાય કે, વાલી તરીકેના તેર-ચૌદ વર્ષને કાળ પણ તેના રાજ્ય તરીકે જ ગણવો જોઈએ. તે કહેવું પડશે કે, તે આખા સમય દરમ્યાન તેણે તદન શાંત જીવન જ ગાળ્યું હોય એમ જણાય છે. કોઈ પ્રદેશ
ઉપર સ્વારી લઈ જઈને જીતી લીધો હોય, એવો કેઈ જાતનો કયાંયથી પુરાવો મળી આવતા નથી. ઊલટું બૌદ્ધ સાહિત્યના આધારે તે વળી એવી હકીકત નીકળે છે કે, તેણે ધાર્મિક પ્રવૃત્તિમાં જીવન ગુજારવા માંડયું હોવાથી, રાયખજાને એકલો જ દાનમાં દઈ દીધે હતો એમ નહીં, પણ સાથે સાથે-ખજાનામાં રોકડ દ્રવ્ય ન રહે વાથી કેટલુંક ભૂમિદાન પણ કરી વાળ્યું હતું. મતલબ કે સામ્રાજ્યના વિસ્તારમાં કોઈપણ પ્રદેશને ઉમેરે કરવાને બદલે, તેણે ઉણપ જ આવવા દીધી હતી. એટલે કે સ્વતંત્ર સમ્રાટ તરીકેના તેના ૨૮ વર્ષના રાજ્ય અમલમાં છે, પાછળના વાલી તરીકેના ૧૩ વર્ષ ગણીને કુલે ૪૧ વર્ષના રાજ્યઅમલમાં, દક્ષિણ હિંદની જીત માટે તેણે કાંઈ જ પ્રયાસ આદર્યો જણાતો નથી.
આટલા વર્ણનથી વાચકની હવે ખાત્રી થઈ હશે કે, અશોકવર્ધનના રાજ્યને વિરતાર સઘળા મૌર્ય સમ્રાટે તે શું, પણ સઘળા હિંદી ભૂપતિઓમાં પણ નંબર પહેલો ધરાવતે હેવાનું, જે કથન ઉપરમાં આરંભ કરતાં જે ટાંકયું છે, તે કેટલું સુધારવા યોગ્ય છે. કદાચ પ્રિયદર્શિનને અશેક લેખીને જે તે પ્રમાણે કથન કરાયું હોય, તો પણ તેનું રાજ્ય તો હિંદની બહાર પણ ઘણું વિસ્તરાયેલું હતું એટલે, તે દૃષ્ટિએ પણ તેને અન્યાય કર્યો હોવાનું કહી શકાશેઃ અને એકલા અશોકનું જ લેખીને તે કથન ઉચ્ચારાયું હોય તે તેને માટે અતિશયોક્તિ વપરાઈ છે એમ જ કહેવું પડશે. કોઈપણ રીતે લેતાં, અત્યારસુધી બંધાયેલો મત આપણે હવે સુધારો જ રહે છે.
(૪) પ્રિયદર્શિન તેના જ્ય-પરાજય અને રાજ્યવિસ્તાર વિષે અન્ને વિશેષ લખવાપણું રહેતું નથી, કેમકે પુ. ૨ માં તેનું જીવનચરિત્ર આલેખતી વખતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com