________________
૩૪૬
શક પ્રજાને
[ નવમ
સંસર્ગમાં આવતા હતા તથા પરસ્પરની ખાસિ- યત ગ્રહણ કર્યે જતા હતા.૪૮ વળી રાજદ્વારી તેમજ વ્યાપારિક જીવનની છાપ અને અસર પણ તેમને પહેચવા માંડી હતી, જેથી શિસ્તાનના ઉત્તર ભાગની પ્રજા, જે સરખામણીમાં માત્ર થોડા જ ભાગ હતે તેમણે ખૈબરઘાટ દ્વારા અને દક્ષિણ ભાગને જે મોટે જથ્થો હતા તેમણે બેલનઘાટ દ્વારા હિંદુસ્થાનની પ્રજા સાથે વ્યવહાર સાંધ્યો હત૮. ઉત્તરવાળી પ્રજાનું મિશ્રણ થઇને ક્ષહરાટની (ખરેણીભાષા બોલનાર ૫૦ પ્રજાની ) ઉત્પત્તિ થઈ કે જેમાંથી પાણિનિ વ્યાકરણ ઇત્યાદિ ઉદ્ભવને પામ્યા છે અને દક્ષિણવાળી પ્રજા સિંધ તથા જેને અસલમાં સૌવીરદેશ૧ કહેવાતું હત-અને વર્તમાન કાળને પશ્ચિમ રાજપૂતાના-ત્યાંની પ્રજા સાથે મિશ્રિત થઈ ગઈ. આ પ્રજાને શું નામ અપાયું હતું તે જાણવામાં આવ્યું નથી, એટલે મેં પણ અત્રે દર્શાવ્યું નથી; પણ આપણે બીજી રીતે તેમની ઓળખ આપીશું, જેથી વાચકવર્ગ સમજી શકશે. પ્રાચીન ગ્રંથમાં જે એમ જણવાયું છે કે, સિંધુ નદીને તેની પૂર્વ અને
પશ્ચિમે અનેક નદીઓ મળતી હતી, જેમાંની કોઈ બે નદી વચ્ચેના ભાગને બ્રહ્મદી૫૩ના નામથી ઓળખવામાં આવતા હતા; તેમ જ તે | સિંધુ નદીની અનેક શાખાઓમાં એકનું નામ સરસ્વતી નદી૫૪ હતું. આ બ્રહ્મદીપ તથા સરસ્વતી નદી તેમ જ સિંધુ નદીની અનેક શાખા વાળે સઘળે પ્રદેશ, તે ઉપર વર્ણવેલી શિરતાનમાંથી બેલનઘાટદ્વારા દેશાંતર કરીને હિંદમાં આવેલી પ્રજાને જ સમજી લેવો. ઉત્તરવાળો ભાગ પ્રથમથી જ નાનો હતો. તેની પ્રજાની પણ વિશેષ સંખ્યા તે કંબોજમાં જ વસીને હિંદમાં પ્રવેશ થતી અટકી પડી હતીજ્યારે માત્ર જુજ જે બાકી રહી તે હિંદમાં સ્થાયી થઈને પડી રહી હતી. પણ તેમાંનું કોઈ તત્ત્વ રાજકીય જીવનમાં પડ્યું નહીં. એટલે તેમનું અસ્તિત્વ-શક પ્રજા તરીકેનું તદ્દન વિસરાઈ જવા પામ્યું. જ્યારે બેલનઘાટદ્વારા પ્રવેશેલી પ્રજાની સંખ્યા પણ વિશેષ હતી. વળી તેમાં વારંવાર નવાં નવાં ટોળાં આવીને ઉમેરે પણ થયા કરતો હતો. તેમ આયંદે તેમનામાંથી જે વીર, ધીર કે અન્ય ગુણોમાં
(૪૮) ડરાજસ્થાન ( મુદ્રિત વિંકટેશ્વર પ્રેસ); ભાગ ૧, પૃ. ૨; ભગવાન પાર્શ્વનાથ (મુદ્રિત સુરત ૧૯૨૭) પૃ. ૨૩૪ “પ્રાચીનકાળમેં ભારત આર શાકીપકા વિશેષ સંબંધ થા.”
(૪૯) વર્તમાન હિંદુસ્તાનની પશ્ચિમ દિશાએ, પર્વતની હારમાળા વધીને પેલીપારની પ્રન સાથે કયા કયા માર્ગે વ્યવહાર કરી શકાતું હતું તેના વર્ણન માટે એ ઉપરમાં પૃ. ૩૧૦ અને આગળ.
(૫૦) તે પ્રન કંબોજ અને ગાંધાર નામના પ્રદેશમાં પ્રસરી ગઈ હતી.
(૫) આ પ્રદેશની ભગળ તથા વર્ણન માટે પુ. ૧ શું જુએ. પૃ. ૨૨૯ થી ૨૨૯ સુધી.
(૫૨) જુઓ પુ. ૧, પૃ. ૨૨૬. (૫૩) કુપ એટલે ભેગેલિક ચાખ્યા પ્રમાણે ચારે
તરફ પાણી અને વચ્ચે જમીન એમ અહીં નહીં, પણ જેને હાલમાં આપણે દુઆબ કહીએ છીએ તે. પ્રાચીન સમયે દઆબને પણ લીપ નામથી જ સંબોધવામાં આવતો હતે (જુઓ ઉપરમાં પૃ. ૧૩૮ શક કપની હકીકત.)
(૫) સરખા ઉપરની ટી. નં. ૫ર તથા જુઓ પુ. ૨, પૃ. ૧૭૪ ની હકીકત.
(૫૫) આથી કરીને કોઈ શક પ્રજએ હિમાં બરધાટને રસ્તે પ્રવેશ કર્યો હતે એમ કહી શકાશે નહીં. જે કોઈ શક હિંદમાં આવ્યા છે તે બોલનષાટને રસ્તે કે તેનાથી પણ દક્ષિણેથી (મેઝીનું આગમન સિંધ રસ્તે થયું હતું એમ જે ધરાયું છે તે હકીકત સાથે આને સરખા.) આવ્યાનું ગણવું.
(૫૬) આવી રીતે એકંદર કેટલાં ટોળાં આગ્યાનું નોંધી શકાય તે માટે આ પારિમાકે આગળ છો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com