Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 492
________________ ગુજરાતી પત્ર અભિપ્રાય છે. ત્રિભુવનદાસના આ ગ્રંથમાં ઈસ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. પછી ૧૦૦ સુધીના એક હજાર વર્ષને જૈન દષ્ટિએ વિચારાયેલો પ્રાચીન ભારતવર્ષને ઈતિહાસ આલેખાયેલે છે. જેને માટે ઘણું અભિમાન લેવા જે આ ગ્રંથ છે. લેખકના મત પ્રમાણે જે શિલાલેખ બૌદ્ધધમી મહારાજા અશોકના ચોક્કસ રીતે મનાયા છે, અને તેમાં અપાયેલ ઉપદેશ બૌદ્ધધર્મને છે એમ જે અત્યાર સુધી મનાતું આવ્યું છે, તે ખડકલેખ વગેરે અશાક મહારાજાના નથી, પણ એના પછી ગાદીએ બેસનાર તેના પૌત્ર જૈન મહારાજા પ્રિયદર્શી ઉર્ફે સંપ્રતિને છે, એમ તેમણે સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ચંદ્રગુપ્ત, અશોક, કુણાલ, પ્રિયદર્શી અને તેની રાણીઓ નક્કી કરવા માટે તેમણે પ્રાચીન સિક્કાઓને પણ અભ્યાસ કર્યો છે, અને તેના બે મોટાં પ્રકરણે, સિક્કાઓનાં ચિત્રો સાથે આપ્યાં છે. આ સિક્કાઓને અભ્યાસપૂર્ણ લેખ ગુજરાતી ભાષામાં પહેલવહેલે છે. ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલે સાધાર ઐતિહાસિક શોધળને આ એક અદ્દભૂત ગ્રંથ છે, અને રીસર્ચ કરનારા વિદ્વાનોને મુંઝવણમાં નાંખનારે છે. ડો. શાહે એક વરસમાં બે મોટા ગ્રંથો બહાર પાડયા છે, અને તેટલી જ ઝડપથી બાકીના બહાર પાડશે એવી આશા છે. આ ગ્રંથ ગુજરાતની દરેક લાયબ્રેરીએ રાખવા જે છે. આના સારરૂપ જે એક અંગ્રેજી ગ્રંથ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભારતખંડમાં થવા પામે. આ આ ગ્રંથ વાંચતાં અને આંખ ચોળતાં આપણને ચમત્કાર, જાદુ, ઇંદ્રજાળ, માયાને વિસ્તાર જેવું જ લાગે છે, અને પ્રશ્ન થાય છે કે શું અત્યાર સુધીમાં બધા જ દેશી વિદેશી વિદ્વાને પેટે માર્ગે જ ચઢી ગયા અને પ્રાચીન ઈતિહાસ એટેજ ચીતરી ગયા? અમે તે અમારા મત પ્રમાણે કિંચિત દિગ્દર્શન કરાવ્યું છે. વિશેષ તે બૌદ્ધ મતના અનુયાયીઓ અને ઈતર વિદ્વાને જ કરી શકે. ગત તા. ૨૭-૯-૩૬ ૨૭ તા. ૪-૧૦-૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502