________________
પરિછેદ ]
ઉત્પત્તિ વિશે
ગયે અને હિંદી ક્ષત્રિને વિજય થયો. પ્રજા જયજયકાર બોલવા લાગી અને તેણે છૂટકારાનો દમ ખેંચ્યો. આ બનાવ ઈ. સ. ૫૩૩ માં બજે કહી શકાશે. પછી જે ક્ષત્રિયોએ યુદ્ધમાં ભાગ લીધે હવે તેમણે વિજયપ્રાપ્તિના પ્રદે- શની વહેંચણી કરી લીધી. એક ભાગે અસલના ભિન્નમાલ-ઓશિયા નગરી તરફ ભાગ લીધો. તેઓને વંશવેલ ઇતિહાસમાં પ્રતિહાર તરીકે પ્રખ્યાત થયો. તેમની ઉત્તરે આવેલ અજમેરવાળા પ્રદેશને ભાગ ચૌહાણુવંશી તરીકે પ્રખ્યાતિ પામેલાઓએ લીધે; જ્યારે બીજા બે ભાગે અરવલ્લીની આ બાજુએ-એટલે પૂર્વમાંના પ્રદેશ ઉપર-જમાવટ કરી તેમાંના દક્ષિણના ભાગ ઉપર એટલે અવંતિ ઉપર પરમારવંશી અને ઉત્તરના એટલે ગ્વાલિયર-ઝાંસીવાળા ભાગ ઉપર મૌખરીર૫ ક્ષત્રિએ કબજો મેળવ્યો. આ ચારે વિભાગમાંથી જે ક્ષત્રિયએ વિશેષપણે કૌશલ્ય દાખવ્યું તેમને સૌથી ઉત્કૃષ્ટ અગત્ય
તાવાળો અવંતિને ભાગ અપાયે. તેનું સ્થાન પણ સૌથી ઊંચુ રખાયું. અને ત્યારથી તે પ્રદેશ જે માલવા પણ કહેવાતો હતો તેને અનુસરીને એક નવો સંવતસર ગતિમાન છે. જેનું નામ પણ માલવસંવત પાડવામાં આવ્યું. મૌખરી ક્ષત્રિના ભાગે જે પ્રદેશ ગયો હતો તે સ્થાનને વિદ્વાનોએ ગૂર્જર પ્રજાની ઉત્પત્તિના એક
સ્થાન તરીકે લેખાવ્યા છે. શું કારણ તેમને મળ્યું હશે તે ક૯પી શકાતું નથી. બાકી રાજપૂત પ્રજાના ચાર વર્ગમાં વિદ્વાનોએ ચૌલુક્ય રાજપૂતને ગણાવ્યા છે, તે બહુ સમયેચિત નથી લાગતું; કેમકે તેમની ઉત્પત્તિને ( ચૌલુક્ય વંશની ગાદિન) સમય પણ જુદો પડે છે તેમજ ઉપરમાં વર્ણવેલ સર્વ સામાન્ય પ્રજા ઉપર ઉતરી આવેલ આફતના વિદ્યારણમાં તેમણે કોઈપણ પ્રકારે ભાગ ભજવ્યાનું પણ દેખાતું નથી, તેમ તેમને સત્તા પ્રદેશ પણ સર્વથા જુલમ વેઠનારી પ્રજાની ભૂમિથી તદ્દન અલગ પડી ગયેલ છે. એટલું જ
અત્યારના રાજપૂતાનાના તેમજ ગુજરાતના એશવાળે પિતાને રજપૂત ક્ષત્રિયની ઓલાદમાંથી ઉતરી આવેલા જે ગણાવે છે તેનું કારણ પણ એ જ સમજવું.
(૨૫) ગ્વાલિવર ઉપર હકુમત ભેગવતા રાજાએને વિદ્વાનોએ કને જના સમ્રાટ હર્ષવર્ધનના વંશ માંથી ઉતરી આવેલા ગણ્યા છે, પણ ભૂલવું જોઈતું નથી કે હર્ષવર્ધનની બહેનને ગ્વાલિયરપતિ વેરે પરણાવી હતી એટલે તે કજને અને વાલિયરને વંશ એક ન જ કહેવાય. હા, એટલું ખરું કે હર્ષવર્ધનના વંશને અંત આવ્યેથી તેનું રાજ્ય તેની બહેનના ઘેર ગયું હતું, જેથી કને જનું રાજ્ય ગ્વાલિયર પતિની આણામાં આવ્યું કહેવાય,
વળી પાછળથી ગ્વાલિયરના ક્ષત્રિય મૌખરી રાજપતો કહેવાય છે તેમને પરિહારવા ( કનેજનો કે તેની આસપાસના પ્રદેશન) સાથે સંબંધ હતો ખરે, પણ તેથી તેઓ પોતે જ તે વંશના ન કહી શકાય,
વળી આગળ જતાં, આ મૌખરી વંશમાં રાજા ભેજ દેવ થયા છે અને તે જ સમયે અવતિની ગાદીએ પરમાર વંશમાં પણ ભાજદેવ થયે છે ? બન્ને ભોજદે સમકાલીન હોવાથી (જુઓ પુ.૧ પૃ. ૧૮૭ ની ટીકામાં આપેલી વંશાવળી) વિદ્વાનેએ એક બીજાનાં જીવન ચરિત્ર ગુંચવી નાંખ્યા છે, બલકે એક જ ધણીના તરીકે તેમણે ગણી લીધાં છે.
તે પૃષ્ઠની વંશાવળીમાં મૌખરી રાજપૂતને મેં પણ વિદ્વાની માન્યતાને અનુસરીને પરિહારવંશ તરીકે ઓળખા છે; પણ ઉપર જણાવ્યા પ્રમાણે તે હકીક્ત સંશોધન માંગે છે.
(૨૬) સરખા ઉપરની ટી. નં. ૭.
(૨૭) ઈ.સ. ૫૩૩ માં આ યુદ્ધ મંડાયું ત્યારપહેલાં તે તેની ઉત્પત્તિ થઈ ચૂકી પણું હતી. આ હકીકત સાક્ષી આપે છે કે અગ્નિકુળની ઉત્પત્તિ સાથે તેને સંબંધ હોઈ ન શકે. ઉપરની ટીકા ન. ૨૨ સરખા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com